SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ તેમને વિશે હકીકત છે ત્યાં એ જ કહેવામાં આવ્યું છે કે તેમણે ચારેય અનુયોગનું પાર્થય કર્યું. અનુયોગનું પાથેય અને અનુગારની રચના એ તદ્દન ભિન્ન બાબત છે –એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. જે આર્યરક્ષિત અનુયાગની રચના ન કરી હોય તે પણ એવી સંભાવના તો છે જ કે તેમની પરંપરાના કઈ શિષ્ય-પ્રશિષ્ય તેની રચના કરી હોય. કારણ કે એટલું તો નક્કી જ છે કે અનુયોગ પ્રક્રિયાનું વિશેષ જ્ઞાન આર્ય રક્ષિતને હતું એટલે તેમણે એ બાબતનું જ્ઞાન પિતાના શિષ્યોને આપ્યું હોય. - આર્ય રક્ષિતને સમય–તેઓ આર્યવાના સમકાલીન હતા તે ધ્યાનમાં લઈએ તો વજનું સ્વર્ગગમન વીરનિ. ૫૮૪ માં થયું મનાય છે, એટલે તેમની પાસે લગભગ દશ વર્ષ સુધી પૂર્વગતનું અધ્યયન કરનાર આર્યરક્ષિત પ૭૫ વીરનિટ માં તે દીક્ષિત અવસ્થામાં હતા જ એમ માની શકાય. અને જે અનુ ગદ્વારની રચના તેમણે કરી હોય તે એમ માનવામાં વાંધો ન આવે કે તેમણે તેની રચના વીરનિ.૭ ૫૮૪ પછી કયારેક કરી હશે. તેઓને યુગપ્રધાન કાળ ૫૮૪–૫૭ વીરનિ. સં. છે. એટલે વીરનિટ ૫૮૪–૫૭ વચ્ચે ક્યારેક અનુયેગની રચના થઈ હશે, એમ માની શકાય. એટલે કે જે અનુયોગદ્વાર આર્યરક્ષિતની રચના હોય તે તે વિ. સં. ૧૧૪ થી ૧૨૭ માં ક્યારેક રચાયું હશે. આર્ય રક્ષિત પ્રસ્તુત અનુગારના કર્તા હોય કે ન હોય પણ અન્ય આંતરિક તથા બાહ્યપ્રમાણેને આધારે અનુયોગદારના સમયની ચર્ચા કરવી જરૂરી છે. ભગવતીસૂત્રમાં “અgોજદારેની ભલામણ કરવામાં આવી છે (શ૦ પ ઉ૦ ૩, ૦ ૧૯૨) અને તે પણ પ્રત્યક્ષાદિ ચાર પ્રમાણેની બાબતમાં (અનુ. સૂ૦ ૪૩૬), આથી એક વાત તો નક્કી થાય છે કે આગમની અંતિમ વાચનાને સમયે અનુયોગકારની રચના થઈ ગઈ હતી. વલભીમાં આર્ય દેવદ્ધિએ કેવળ ६. चउ दस सोलस वासा चउदस वीसुत्तरा य दुणि सया । अठ्ठावीसा य दुवे पचेव सया य चोयाला ।। पच सया बुलसीया छच्चेव सया नवुत्तरा हुति। पत्र १३९ पंचसया चुलसीया तइया सिद्धिं गयरस वीरस्स। મવાિળ વિઠ્ઠી હરપુરનયરે સમુq0rI –આવશ્યકનિયુક્તિ, પત્ર ૧૪૩. ૭. આગમયુગકા જેનદર્શન-પૃ. ૧૭; જેન પરંપરાને ઈતિહાસ-પૃ૩૦% ૩૧૧; તપાગચ્છપટ્ટાવલી ૦ ૪૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy