SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૦ પદના નિરૂપણથી સ્પષ્ટ થાય છે જ. વળી, જ્યારે તે સ્કંધના પ્રદેશરૂપે હોય છે ત્યારે પણ, સ્કંધ અને પરમાણુમાં, ન્યાય-વૈશેષિકના અવયવ અને અવયવીના અત્યંત ભેદની જેમ, અત્યંત ભેદ નથી. પરમાણુ સ્કંધરૂપે પરિણત થાય છે, અને તે સંકધના વળી પરમાણુઓ બને છે. આવી પ્રક્રિયા જેનાભિમત છે. વળી, પરમાણુ વિષે બીજી એક વાત જે સ્પષ્ટ થાય છે તે એ કે પરમાણમાં તૈયાયિક-વૈશેષિકની જેમ જાતિભેદ નથી. એટલે કે પાર્થિક પરમાણુ આદિપે જુદી જુદી જાતિના પરમાણુઓ નથી, પણ કઈ પણ એક પરમાણુ પૃથ્વી આદિ અનેક રૂપે પરિણત થઈ શકે છે. કોઈ પણ એક પરમાણુમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ ચારેય હોય છે. અને તે ચારેયના તારતમ્યને કારણે તેના અનંત પરિણામો બને છે. આથી વિરુદ્ધ ન્યાય-વૈશેષિકને મત છે. તેમાં પ્રત્યેક પરમાણુમાં રૂપરસાદિ ચારેય અનિવાર્ય નથી. છઠ્ઠ વ્યુત્કાન્તિઃ પદ : જીવોની ગતિ અને પાગતિ પ્રસ્તુત પદના વિષયની સુચના પ્રારંભમાં વઘંતિ–(સત્ર ૨) “વ્યુત્કાન્તિ એ શબ્દથી આપવામાં આવી છે. ટીકાકાર એ વિષે પ્રારંભમાં કશું જે વ્યાખ્યાન કરતા નથી, પણ છઠ્ઠા ૫દાના પ્રારંભમાં જે અધિકારગાથા આપવામાં આવી છે (સૂ) ૫૫૯) અને તેની જે વ્યાખ્યા છે, તે ઉપરથી સ્પષ્ટ છે કે પ્રસ્તુત પદને વિષય નાના પ્રકારના જીવોની વ્યુત્ક્રાતિ એટલે કે તે તે ગતિમાં ઉત્પત્તિ અને તે તે ગતિમાંથી અન્યત્ર ઉત્પત્તિને લગતા પ્રશ્નોની ચર્ચા કરવી એ છે. સારાંશ કે જીવોની ગતિ અને આગતિનો વિચાર પ્રસ્તુત પદમાં છે. અને તે વિચારણું નીચેના મુદ્દાઓ વિષે કરવામાં આવી છે– ૧. (મ) ઉપપાતવિરહકાલ–નારકાદિ તે તે પ્રકારના છો તે તે રૂપે ઉત્પન્ન થયા કરે છે, તેમાં વચ્ચે ઉત્પત્તિશૂન્ય કાળ કેટલે, તેની ચર્ચા. (૧) ઉનાવિરહકાલ– નારકાદિ જો મર્યા કરે છે તેમાં વચ્ચે મરણ શૂન્ય કાળ કેટલે, તેની ચર્ચા. આમાં નારક, તિૌચ, મનુષ્ય અને દેવ એ ચારેય ગતિમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત ઉપપાતવિહકાળ અને ઉધનાવિરહકાળ હોવાથી પ્રથમ અધિકારનું નામ વારસ–બાર એમ રાખ્યું છે (૫૬૦–૬૮). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy