SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ છે. નંદીસૂત્રગત સમ્યક કૃતની ગણતરીમાં માત્ર અહં–ણીત દ્વાદશાંગીને જ ગણવામાં આવી છે. ૧૫ વળી, તે જ નદીમાં સાદિ-સપર્યવસિત આદિના વિચારમાં પણુ દ્વાદશાંગી જ લેવામાં આવી છે. સમવાયાંગ (સૂત્ર : ૧૩૬) માં પણ ભગવાન મહાવીરપ્રણીત બાર અંગે જ ગણાવ્યાં છે. અનુયોગ દ્વારમાં લેકોત્તર આગમપ્રમાણુની ચર્ચામાં કેવળ દ્વાદશાંગનો જ ઉલ્લેખ છે. આ બધા ઉલ્લેખે એ સૂચવે છે કે મૂળે નાગમ દ્વાદશાંગમાં જ સમાવિષ્ટ થતા. પણ સમયના વહેવા સાથે ગણધરના શિદ્વારા અને આગળ ચાલતાં તેમની શિષ્ય પરંપરામાં ક્રમે ક્રમે બીજાં પણ શાસ્ત્ર રચાતાં ગયાં અને તે પ્રાયઃ મૂળ આગમને અનુસરતાં હેઈને, તેમને પણ શ્રુતમાં સ્થાન આપવામાં આવ્યું. આમ છતાં આગમમાં એ વિવેક કરવામાં આવ્યા. જ છે કે કયા ગ્રંથ ગણધરપ્રણીત અને ક્યા તેથી ભિન. આ વિવેકને લક્ષ્યમાં રાખીને જ અંગ અને અંબાહ્ય અથવા અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા ભેદો શ્રુતના કરવામાં આવ્યા છે. દ્વાદશાંગીથી પૃથક એવા બધા આગમનો સમાવેશ અંગબાહ્ય એ નામના વિભાગ કરવામાં દિગંબર અને શ્વેતાંબર એકમત છે. પણ અંગબાહ્યમાં કયા ક્રમે નો નવો ઉમેરે થતે ગયે હશે તેને સંપૂર્ણ ઇતિહાસ જાણવાનું સાધન આપણી પાસે નથી. છતાં પણ એ ઇતિહાસની જે ત્રુટક કડીઓ મળી આવે છે તેને જોડીને જે ચિત્ર ખડું થાય છે તે આપવાનો પ્રયાસ કરીએ તો અનુચિત નહિ લેખાય. આચાર્ય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રમાં શ્રુતના બે ભેદો કરી અંગબાહ્યમાં જે નામો ગણાવ્યાં છે તે આ છે : ૧. સામાયિક, ૨. ચતુર્વિશતિસ્તવ, ૩. વંધ, ૪. પ્રતિક્રમણ, ૫. કાયવ્યુત્સર્ગ, ૬. પ્રત્યાખ્યાન, ૭. દશવૈકાલિક, ૮. ઉત્તરાધ્યયન, ૯. દશા, ૧૦. કલ્પ-વ્યવહાર, ૧૧. નિશીથ, ૧૨. ઋષિભાષિત આદિ. અહીં આદિ શબ્દથી સૂચિત થાય છે કે આ સિવાય પણ બીજા અંગબાહ્ય ગ્રંથો છે. ધવલા ટીકાકારે સ્પષ્ટરૂપે ૧૪ અંગબાહ્ય છે એમ કહ્યું છે. અને તેમણે જે ૧૪ નામે ગણાવ્યાં છે તે આ છે ઃ ૧. સામાઈય, ૨. ચઉવીસત્ય, ૩. વંદણ, ૫. પડિક્કમણ, ૫. વેણુઈય, ૬. કિદિયમ્સ, ૭. દસયાલિય, ૮. ઉત્તરજઝયણ, ૯. કમ્પ-વવહાર, ૧૦. કપાકપ્રિય, ૧૧. મહાકપ્રિય, ૧૨. પુંડરીય, ૧૩. મહાપંડરીય, ૧૪. ણિસીહય. ૧૫. નંદીસૂત્ર ૭૧. ૧૬, નંદીસૂત્ર ૭૩. * નંદીસૂ૦ ૭૯; રાજવાતિક ૧.૨૦.૧૧-૧૩; ધવલા ૫૦ ૯૬; તવાર્થભાષ્ય ૧.૨૦, ૧૭. ધવલા પૃ૦ ૯૬ પ્રથમ ભાગ; જયધવલા પ્રથમ ભાગ પૃ• ૨૪, ૯૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy