SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ જૈન આગમોની જે પ્રતા મૂળમાત્રની મળે છે અને જે પ્રતેા સટીક આગમાની મળે છે તેમાં પણ ભાષાભેદ દેખાય છે. કેટલીકવાર ‘ય’ શ્રુતિને બદલે ‘' શ્રુતિને સ્થાન વિશેષ રૂપે જોવા મળે છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે ચૂર્ણિકારાની સામે આગમગ્ર ંથાની જે ભાષા હતી, અથવા તો ચૂર્ણિકારાએ આગમેાની જે વાચના ભાષાની દૃષ્ટિએ સ્વીકારી છે, તેથી જુદી જ વાચના સંસ્કૃત ટીકાકારોની સામે છે, અથવા તે તેમણે ચૂસિંમત વાચનાને મારીને આજે ઉપલબ્ધ વાચના તૈયાર કરી છે. વસ્તુત: શું થયું હશે એ કહેવું કઠણુ છે, પણ એટલું નક્કી કે ચૂર્ણિ` અને સાંસ્કૃત ટીકા સંમત આગમેની વાચનામાં ભાષાભેદ છે. આ ભાષાભેદ કાળબળે ઉત્તરાઉત્તર થતા ગયા તેમ માનવુ' અથવા ટીકાકારોએ દુર્ગંધતા ટાળવા માટે ભાષાની એકરૂપતા લાવવા સ્વયં પ્રયત્ન કર્યાં એમ માનવું —એ હજી વિવાદને જ વિષય ગણવા જોઈએ. પણુ એટલુ નક્કી કે ટીકાના કાળ સુધીમાં જૈન આગમોની ભાષા પરિવર્તિત થતી રહી છે. અને તેણે પ્રાકૃતભાષાની પ્રકૃતિ—એટલે કે પરિવતિંત થતાં રહેવુ—જાળવી રાખી છે એમાં તો શક નથી. શ્વેતાંબરાની આગમેાની ભાષા પ્રાચીન કાળે અધમાગધી હતી એમ સ્વયં આગમેાના જ ઉલ્લેખ ઉપરથી નિશ્ચિત થાય છે. પણ આજે તે જેને બૈયાકરણા મહારાષ્ટ્રી પ્રાકૃતને નામે ઓળખે છે તે ભાષાની નજીકની એ પ્રાકૃત છે. આથી આધુનિક વિદ્વાન અને જૈન મહારાષ્ટ્રી એવું નામ આપે છે. એ ભાષાની સમગ્રભાવે એકરૂપતા પૂર્વાંત શૌરસેનોની જેમ આગમ ગ્રંથમાં મળતી નથી, અને ભાષાભેદના સ્તરેા સ્પષ્ટરૂપે તજ્ઞને જણાઈ આવે છે. આચારાંગમાં જ પૂર્વાધ અને ઉત્તરાધની ભાષા સ્પષ્ટપણે કાળભેદ બતાવે છે, તે જ પ્રમાણે સૂત્રકૃતાંગ અને ભગવતીસૂત્રની ભાષાનાં રૂપમાં પણ પૂર્વોત્તર ભાવ સ્પષ્ટ છે. અને ભગવતી પછીનાં ભાષાનાં સ્થિર રૂપા જ્ઞાતા વગેરે કથાપ્રધાન આગમગ્ર થામાં નજરે ચડે છે. આ સામાન્ય રૂપરેખા છે. પણુ વસ્તુતતઃ ભાષાની દૃષ્ટિએ આગમોનુ આ વિભાજન ભાષાવિદ્યાના અભ્યાસને એક ખાસ વિષય બને એમ છે. આગમા કેટલા ? આગમામાં સર્વપ્રથમ દ્વાદશાંગરૂપ ગણિપિટકને જ સ્થાન મળ્યું હશે એ નિવિવાદ છે, કારણુ બન્ને સંપ્રદાયા તેને ગણધરપ્રથિત માને છે. પણ ગણધરનાં શિષ્ય-પ્રશિષ્યાએ ઉત્તરાત્તર જે ગ્રંથા અગગ્રંથાને આધારે ગ્રથિત કર્યાં તેમને પણ સમાવેશ ક્રમે કરી આગમામાં થતા ગયા છે, એ પણ હકીકત છે. આમ અંગ અને અગમાદ્ય એવા એ વિભાગોમાં આગમા સામાન્ય રીતે વહેંચાઈ જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy