SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગ-સૂત્રકૃતાંગ (જૈન દાનિક વિચારણાના આદિકાળ) સમયચર્ચા જૈન ધર્માંના સાહિત્યના સ્રોત જૈન આગમા છે. અને ‘જૈન આગમે' નામે અત્યારે જે સાહિત્ય આપણી સમક્ષ ઉપલબ્ધ છે તે બધું જ ભગવાન મહાવીરકાલીન છે અથવા તેા તેમના પ્રધાન શિષ્યા ગણુધરાએ રચેલું છે એમ કહી શકાય તેમ નથી. જૈન આગમ સાહિત્યના કાલદષ્ટિએ અનેક સ્તરે છે. યદ્યપિ જૈન આગમસાહિત્ય જે રૂપે આપણી સમક્ષ છે તે વલભીમાં દેવવિધ ગણુિએ લખેલ કે લખાવેલ છે અને તેના કાળ વીરનિર્વાણ પછી ૯૮૦ વષે માનવામાં આવે છે, પરંતુ આને અએ તે નથી જ કે જૈન આગમની રચનાને એ સમય છે. જૈનાગમની ભાષા અને તેમાં પ્રતિપાતિ વિષયાના અભ્યાસ કરી વિદ્યાના જે-તે આગમના કાળ જુદા જુદા માનતા થયા છે. વલભીમાં જે લેખન થયું તે પણ વલભી વાચનાનુસારી નથી પણ માથુરી વાચનાનુસારી છે એ પણ ધ્યાનમાં લેવુ જરૂરી છે. રચના, વાચના અને લેખન એ બધુ' એકકાલીન નથી એ હવે સ્પષ્ટ થયું છે. પરંતુ હજી પણ એ અસંદિગ્ધ રૂપે સ્પષ્ટ નથી થયું કે વલભી લેખનમાં કેટલાં આગમાને સમાવેશ હતા. નદીસૂત્રમાં જે સૂચિ આવે છે તે બહુ મોટી છે. અને નદીરચિયતા અને દેવવિધ ગણિ એક નથી. એટલે એમ તા ન જ કહી શકાય કે નંદિસૂચિમાં આવતાં બધાં જ આગમાનું સંકલન માથુરીવાચનામાં થયું હતુ, અને તે સૌનું લેખન વલભીમાં થયું હતું. એટલે વલભીમાં કયાં આગમા લખાયાં એ પ્રશ્ન અણુ-ઊકલ્યા જ માનવા જોઇ એ. આમ છતાં જે તે આગમાના સમય તે તે આગમાની ભાષા અને પ્રતિપાતિ વિષયના વિશેષ અભ્યાસ કરવામાં આવે તે પૂર્વાપર ભાવ નક્કી થઈ શકે છે અને આવા પ્રયત્ન વિદ્વાનોએ કર્યાં પણુ છે અને એવા સામાન્ય નિય ઉપર આવ્યા છે કે આગમામાં સૌથી પ્રાચીન આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ છે અને તે પછી સૂત્રકૃતાંગ પ્રથમ સ્કંધનું સ્થાન આવે છે અને તેમના સમય ભગવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy