SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સારાંશ છે કે તપ–નિયમ-જ્ઞાનમય વૃક્ષ ઉપર આરૂઢ થઈને અનંતજ્ઞાની કેવળી ભગવાન ભવ્યજનાના વિષેધ માટે જ્ઞાન-કુસુમની વૃષ્ટિ કરે છે. ગણધર પોતાના મુદ્ધિના પટમાં તે બધાં જ કુસુમેાને ઝીલીને પ્રવચનમાળા ગૂંથે છે. ૧૫ આ પ્રકારે જૈન આગમના વિષે પૌરુષેય અને અપૌરુષેયને સુ ંદર સમન્વય સહજ રીતે સિદ્ધ થાય છે અને આચાય હેમચન્દ્રને— “आदीपमाव्योभ समस्वभाव स्याद्वादमुद्रानतिभेदि वस्तु” આ વિચાર ચરિતાર્થ થાય છે. શ્વેતા અને વક્તાની દૃષ્ટિએ વ્યાખ્યા જૈન ધર્મોમાં બાહ્ય રૂપરગની અપેક્ષાએ આંતરિક રૂપરંગને અધિક મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ જ કારણ છે કે અધ્યાત્મપ્રધાન ધર્મમાં જૈન ધર્મે સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેાઈ પણ વસ્તુનું મૂલ્ય તેની આધ્યાત્મિક ચેાગ્યતાને આધારે નિશ્ચિત થાય છે. આ જ કારણે નિશ્રય દૃષ્ટિએ તથાકથિત જૈનાગમને પણ મિથ્યાશ્રુત કહેવામાં આવ્યું છે, જો તેના ઉપયેગ કઈ દુષ્ટ પુરુષે પોતાના દુર્ગુણ્ણાની વૃદ્ધિ માટે કર્યાં હાય. અને વે પણ સમ્યક્ શ્રુત છે, જે કાઈ મુમુક્ષુએ તેને ઉપયાગ મે ક્ષમાને પ્રશસ્ત કરવામાં કર્યાં હાય. વ્યાવહારિક દૃષ્ટિએ ભગવાન મહાવીરના ઉપદેશને જે સારસંગ્રહ છે તે જ જૈનાગમ છે—(નંદીસૂત્ર ૪૦, ૪૧; બૃહત્કલ્પ ભાષ્ય—ગા. ૮૮) તાત્પર્ય એ જ છે કે નિશ્ચયદૃષ્ટિએ આગમની વ્યાખ્યામાં શ્રેાતાની પ્રધાનતા છે અને વ્યવહારદષ્ટિએ આગમ વિષે વક્તાનુ પ્રાધાન્ય છે. શબ્દ તેા નિર્જીવ છે અને સ પ્રકારના સાંકેતિક અર્થાના પ્રતિપાદનની મેાગ્યતા ધરાવતા હાઈ સર્વાંક પણ છે, આ પરિસ્થિતિમાં નિશ્ચયષ્ટિએ વિચારીએ તે। શબ્દનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય સ્વત: નહીં કિન્તુ તે શબ્દના પ્રયોકતાના ગુણ કે દેષને કારણે શબ્દમાં પ્રામાણ્ય કે અપ્રામાણ્ય નિશ્ચિત થાય છે. એટલે જ અહીં એ આવશ્યક બની જાય છે કે વક્તા અને શ્રાંતા બન્નેની દૃષ્ટિએ આગમ વિષે વિચાર કરવામાં આવે. જૈનેએ એ અને દૃષ્ટિએ જે વિચાર કર્યાં છે તે આવા છે : શાસ્ત્રની રચના નિષ્પ્રયેાજન નહીં, પરંતુ શ્રોતાને અભ્યુદય અને શ્રેયસ્કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy