SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પર (૩) ગ્રંથગત વિષયનું નિરૂપણ પિંડાઈ (સમુદાયાર્થ) રૂપે, જેને અર્વાધિકાર એવું પણ નામ આપવામાં આવ્યું છે. આમાં આવશ્યકસૂત્રનાં છયે અધ્યયનોમાં પ્રતિપાદ્ય વિષયો જે ક્રમે છે તેને નિર્દેશ છે (સૂ) ૭૩). () આવશ્યક સૂત્રનાં સામાયિક આદિ છ અધ્યયનનાં નામ (સૂ) ૭૪). (૫) અનુગદ્વારે છ અધ્યયનમાંથી પ્રથમ સામાયિક નામના અધ્યયનના ચાર અનુયોગકારોને –વ્યાખ્યામાં કારનો–નિર્દેશ કર્યો છે તે છે–(સૂ૦ ૭૫) ૧. ઉપક્રમ; ૨. નિક્ષેપ, ૩. અનુગમ અને ૪. નય આ રીતે પ્રથમ પિંડાથે વર્ણવીને ગ્રંથના અવયવાર્થના નિરૂપણમાં આ ચાર દ્વારે મુખ્ય છે, જેને આધારે ગ્રંથની વ્યાખ્યા કરવાની છે. તેથી એ ચારેય દ્વારનું નિરૂપણ વિસ્તારથી કરવામાં આવ્યું છે. ૧. ઉપક્રમ : પ્રથમ આમાં ઉપક્રમની જ વ્યાખ્યા (સૂ૦ ૭૫–૯૧) નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ધારાવ કરવામાં આવી છે. પ્રસ્તુતમાં તો પ્રશસ્ત ભાવપક્રમ વિવક્ષિત છે, જે ગુરુ આદિને વિનયવડે પિતાને અનુકૂળ બનાવવારૂપ છે (સૂ૦ ૯૧). અને પછી ગ્રંથવિષે ઉપક્રમની બાબતમાં શાં. શા વિષયોનું નિરૂપણ જરૂરી છે, એટલે કે ઉપક્રમમાં કઈ કઈ બાબતો જ્ઞાતવ્ય છે, કે જેનું નિરૂપણ થાય તે ગ્રંથનો ઉપક્રમ થય ગણાય, અને પછી વ્યાખ્યાના બીજા દ્વારા નિક્ષેપની ચર્ચા સરલ થઈ પડે એ દર્શાવ્યું છે. સારાંશ કે ઉપક્રમનું પ્રયોજન છે કે ગ્રંથવિષેની પ્રારંભિક જ્ઞાતવ્ય બાબતોની ચર્ચા ઉપક્રમમાં કરી લેવી, જેથી ગ્રંથગત ક્રમિક વિષયોનો નિક્ષેપ કરવાનું સરલ થઈ પડે. અનુયે.ગમાં તેની પદ્ધતિ પ્રમાણે ઘણું જ વિસ્તૃત વિવરણ છે (સ. ૯૨-૫૩૩), પરંતુ તે. આનપૂર્વઆદિ ઉપક્રમના ભેદોના વિવરણમાં પ્રસ્તુત આવશ્યક સૂત્રનો ઉપક્રમ કેવી રીતે છે અથવા તે પ્રસ્તુત આવશ્યકનાં અધ્યયનોની બાબતમાં આનુપૂર્વ વગેરેને વિચાર કેવી રીતે કરવો તે બતાવવામાં આવ્યું નથી, પણ સામાન્ય સર્વસંગ્રહી ચર્ચા હાથ ધરવામાં આવી છે ફક્ત ઉપક્રમના અર્વાધિકારસૂત્ર (૫૬) માં આવશ્યકના અર્થાધિકારોનું નિરૂપણ કર્યું છે. આથી વસ્તુતઃ આવશ્યક ઉપક્રમ કરવો હોય તો કેવી રીતે કરવો એ જાણવું જરૂરી છતાં તે બાબતનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy