SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ સામર્થ્ય ન હોય તે તે નિમિત્તે કાંઈ કરી શકતુ` નથી. જેમકે ખરવષાણુમાં સામર્થ્ય નથી તે તેમાં ગમે તેટલાં નિમિત્ત મળે પણ તે સિદ્ધ થશે નહિ. માટે વસ્તુની સિદ્ધિ સ્વતઃ જ માનવી જોઈએ. --વિશેષા૦ ગા॰ ૧૯૧૭–૧૯૧૮ આ વિચારણામાં ઉપાદાનને મુખ્ય માની સ્વત: સિદ્ધિ માની છે અને તેમાં નિમિત્તકારણને ગૌણુ માન્યું છે. તેથી તેના ઉપયેગ છતાં તેને ગતરીમાં લીધું નથી અને સિદ્ધિ સ્વત: કહી છે. આચાય કુંદની ઉપાદન નિમિત્તની ચર્ચા આને મળતી છે અને તેમના મત પ્રમાણે પણ ઉપાદાનનું પ્રાબલ્ય છે. વ્યવહાર નિશ્ચયની ચર્ચામાં આ ચર્ચા પણ વસ્તુસ્થિતિ કરતાં મૂલ્યાંકનની દૃષ્ટિએ થઈ છે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. નિજા વિષે વ્યવહારભાષ્યમાં નિરા વિષે જે ચર્ચા કરવામાં આવી છે તેમાં પણ ઉપ:દાન બળવાન કે નિમિત્ત એ જ સમસ્યા છે અને તેના વિચાર વ્યવહાર અને નિશ્ચયથી કરવામાં આવ્યે છે. વ્યવહારનયને મતે ઉત્તરાત્તર ગુણાધિક વસ્તુ વડે ઉત્તરાત્તર અધિક નિરા થાય છે. તાત્પ એ છે કે વ્યવહારનય નિજ`રામાં ખાદ્ય નિમિત્તને બળવાન માને છે; પણ નિશ્ચયનયને મતે તે આત્માના ભાવની ઉત્તરાત્તર વિશુદ્ધિ ગમે તે કાઈ વસ્તુથી થઈ શકે છે, અને એ આત્માને ભાવ ઉત્તરાત્તર વિશુદ્ધ થાય તે માટે એ જરૂરી નથી કે નિમિત્ત ગુણાધિક જ હોવું જોઈએ. ગુણહીન નિમિત્તથી પણ ઉત્તરાત્તર ભાવવિશુદ્ધિ થઈ શકે છે. એટલે નિર્જરામાં મહત્ત્વ બાહ્ય વસ્તુનું નહિ પણ પોતાના આત્માના ભાવનુ છે--મા મન્તવ્ય નિશ્ચયનું છે. દૃષ્ટાંત આપવામાં આવ્યુ` છે કે એક બટુક ભગવાન મહાવીરને જોઇ ને ગુસ્સે થયાં, પણુ તેમના જ શિષ્ય ગાતમને જોઇને જે ભગવાન મહાવીર કરતાં ગુણમાં ન્યૂન હતા--- ઉપશમ ભાવને પામ્યા. ---વ્યવહાર ભાગ્ય૦ ૦ ૬, ગા૦ ૧૮૭-૧૯૧ અર્થાત્ વ્યવહારનય બાહ્ય વસ્તુને મહત્ત્વ આપે છે અને નિશ્ચયનય આંતરિક ભાવને. વિચાર કરીએ તે જણાશે કે રાજમાગને વ્યવહાર અનુસરે છે; જ્યારે કેડી, જે સમૂહને કામની નથી પણ વ્યક્તિને કામની છે, તેને નિશ્ચય અનુસરે છે. ખરી વાત એવી છે કે કેડી એ કાળાંતરે રાજમાગનું રૂપ લે છે ત્યારે તે વ્યવહારમાં આવી જાય છે, જ્યારે વિરલા વળી નવી કેડી ઊભી કરે છે. સામાન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy