SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ લાંબા કાળે, તા ક્રિયા તા નષ્ટ થઈ જાતી હોવાથી ક્રિયાજન્ય એક સંસ્કાર, વાસના ફ્રે આવરણરૂપે ક માનવામાં આવ્યુ અને તે કમ` પૌલિક હાવુ' જોઈએ એવુ પણ ક્રમે સ્થિર થયું. આમ ક્રિયા અને ક મૂળે એકબીજાના પર્યાયા હતા તે ભિન્નાક થઈ ગયા. તે ભિન્નાક થયા પહેલાંની ભૂમિકા એ છે કે પ્રાણાતિપાતને જ ક્રિયા કહી તે પ્રથમ ભૂમિગ્રા (૧૫૭ર) અને પ્રાણાતિપાત વડે થતી ક્રિયા (=ક) તે ખીજી ભૂમિકા (૧૫૭૪) અને પછી ક્રિયાસ્થાને કમનેા પ્રયાગ, એ તીજી ભૂમિકા (૧૫૭૫). તેથી કવાદના પર્યાયવાચી ક્રિયાવાદ શબ્દ પણ ભૂંસાઈ ગયા અને માત્ર કમ વાદ શબ્દ જ દાર્શનિકામાં પ્રચલિત થઈ ગયા. દૃષ્ટિવાદમાં પૂર્વાંગતમાં ક્રિયાવિશાલ નામે એક પૂર્વ છે, પણ ક`પ્રકૃતિના સબંધ આગ્રાયણીપૂર્વ દૂખંડાગમમાં જણાવાયા છે૧૧, તે પણ સૂચવે છે કે પ્રથમ ભૂમિકામાં ક્રિયા જ કર્યું હતું અને ક્રમે કરી ક્રિયાથી કમ જુદું થઈ ગયું. પ્રસ્તુત પ્રજ્ઞાપનાને ક્રિયાવિચાર૧૨ પણ ક્રિયા વિશે અનેક રીતે થયેલી વિચારણાના સંગ્રહ જ કરે છે. અને ક્રિયાવિચાર કેવા ક્રમે થયા હશે તેની ઝાંખી કરાવે છે—જેમ કે ક્રિયાના પ્રથમ પ્રકારે પાંચ ભેદ બતાવ્યા તે માત્ર અહિંસા–હિંસાના વિચારને લક્ષીને જ છે૧૩ (સ્૦ ૧૫૬૭-૭૨: ૧૯૦૫), ક્રિયાની ખીજી રીતે વિચારણા થઈ તે વળી (સ્૦ ૨૫૭૪–૮૦) માત્ર પાંચેય મહાત્રતાને જ લઈને નહિ પણ તે જેમાં સમાવિષ્ટ થઈ જાય છે તે અઢાર પાપસ્થાનેને લઈને છે. ૧૪ અને વળી ત્રીજા પ્રકારે ક્રિયાના જે પાંચ ભેદો વર્ણવ્યા છે તે તદ્ન જુદા જ પ્રકારે છે. તે પાંચેય પ્રકાર એક યા બીજી રીતે અઢાર પાપસ્થાનેમાં સમાવી શકાય તેમ છે (૧૬૨૧). વળી, સુત્રધૃતાંગમાં પણ ક્રિયાસ્થાનેાની ૧૧. પુસ્તક ૯. સૂત્ર ૪૫, પૃ ૧૩૪. ૧૨. ક્રિયાવિચારણા માટે જીએસ્થાનાંગ-સમયાયાંગ, પૃ૦ ૪૧૦, જ્યાં સમગ્રભાવે ક્રિયાવિચાર સંકલિત કરવામાં આવ્યે છે. અને સમજૂતી પણ કરવામાં આવી છે. ૧૩. ક્રિયાભેદને આ વિચાર જૂને હેવા સંભવ છે. કારણ કે આગળના સુત્ર ૧૫૮૫ વગેરેમાં, જ્યાં માત્ર ક્રિયાના નિર્દેશ છે ત્યાં, ક્રિયાના આ જ ભેદે અભિપ્રેત છે. આ પાંચે ક્રિયાનું સામાન્ય નામ આયેજિકા–સંસારમાં જોડી રાખનારી—એવું પણ છે (૧૬૧૭). ૧૪. આની તુલના કરા, વેદનાપ્રત્યયવિધાન સુત્રા સાથે, Ëડાગમ, પુ૦ ૧૨, પૃ૦ ૨૭૫, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy