SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૯ કરીએ છીએ તેથી કાંઈ દોષ નથી તે પછી સાધુને સાધુ માની વિશુદ્ધ અટવસાયથી વંદન કરવામાં શું દોષ છે! અને ધારો કે દેવની આશંકાથી તમે જિનપ્રતિમાને વંદન કરવાનું છોડી દો પણ તમે જે આહાર શૈયા આદિ સ્વીકારે છે તે પણ દેવકૃત છે કે નહિ એવી શંકા તે તમને થવી જ જોઈએ. વળી શંકા જ કરવી હોય તે એવું એક પણ સ્થાન નથી જ્યાં શંકા ન કરી શકાય–પછી તે ભેજનનો પદાર્થ હોય કે પહેરવાના વસ્ત્ર હેય, કે પિતાને સાથી હેય. વળી ગૃહસ્થમાં પણ યતિના ગુણોને સંભવ તે ખરે જ. તો પછી તેને આશીર્વાદ આપી, તમે મર્યાદા ૫ શું નથી કરતા ? વળી દીક્ષા દેતી વખતે તમે જાણતા તે નથી કે આ ભવ્ય છે કે અભિવ્ય ? ચેર છે કે પરદારગામી ? તે પછી દીક્ષા કેવી રીતે દેશો ? વળી, કેણુ ગુરુ અને કૈણ શિષ્ય એ પણ કેવી રીતે જાણવું ? વચનને વિશ્વાસ પણ કેવી રીતે કરવો ? વળી સાચું શું ને જૂહું શું એ પણ શી રીતે જાણી શકાશો ? આમ તીર્થકરથી માંડીને સ્વર્ગ–મોક્ષ આદિ બધું જ તમારે માટે શંકિત બની જશે. પછી દીક્ષા શા માટે ? અને જે તીર્થકરના વચનને પ્રમાણ માનીને ચાલશે તે તેમની જ આશા છે કે સાધુને વંદન કરવું, તે કેમ માનતા નથી ? જિનવચનને પ્રમાણે માનતા હો તો જિનભગવાને જે બાહ્યાચાર કહ્યો છે તેનું વિશુદ્ધ રીતે પાલન કરતે હોય તેને મુનિ માનીને વિશુદ્ધભાવે વંદન કરવામાં ભલેને તે મુનિને બદલે દેવ હોય પણ તમે તે વિશુદ્ધ જ છે, દેશી નથી. વળી, તમે આષાઢાચાર્યના રૂપે જે દેવ જોય તેવા કેટલા દે સંસારમાં છે કે એકને જોઈ એ સૌમાં શંકા કરવા લાગી ગયા છે, અને બધાને અવિશ્વાસની નજરે જુએ છે ? ખરી વાત એવી છે કે આપણે છીએ. છદ્મસ્થ. તેથી આપણી જે ચર્યા છે તે બધી વ્યવહારનું અવલંબન લઈને ચાલે છે. પણ તેનું વિશુદ્ધ ભાવે આચરણ કરવાથી આત્માની ઉત્તરોત્તર વિશુદ્ધ થાય છે એમાં શંકા નથી. આ વ્યાવહારિક આચરણ એટલું બધું બળવાન છે કે શ્રુતમાં જણાવેલ વિધિથી છદ્મસ્થ આહારાદિ લાવ્યું હોય અને તે કેવળીની દષ્ટિએ વિશુદ્ધ ન હોય પણ કેવળી તે આહાર ગ્રહણ કરે છે. અને વળી એવો પ્રસંગ પણ બને છે કે કેવળી પિતાના છદ્મસ્થ ગુરુને વંદન પણ કરે છે. આ વ્યવહારની બળવત્તા નથી તે બીજુ શું છે ? જિનેન્દ્ર ભગવાનના શાસનને રથ બે ચક્રથી ચાલે છે : વ્યવહાર અને નિશ્ચય. આમાંના એકને પણ જે પરિત્યાગ કરવામાં આવે તે મિથ્યાત્વ અને તત્કત શંકાદિ દોષોને સંભવ ઊભું થાય છે. માટે જે તમે જિનમતનો સ્વીકાર કરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy