SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ ૮. નયગતિ–ૌગમાદિ એક નયે કરીને વિચારણું તે નયગતિ. અથવા સમગ્ર ન વડે વિચારણું તે નયગતિ (૧૧૧૩). ૯. છાયાનું અવલંબન લઈને ગતિ કરવી તે છાયાગતિ (૧૧૧૪). ૧૦. વસ્તુ પ્રમાણેની છાયા પડે તે છાયાનુપાતગતિ (૧૧૧૫). ૧૧. એક કઈ કૃષ્ણાદિ લેયા અન્ય લેગ્યાના સંપર્કથી તે રૂપે પરિણમે તે લેશ્યાગતિ (૧૧૧૬). ૧૨. લેયાનપાતગતિ તે છે કે જેમાં જે તે લેશ્યાને અનુસરીને ભરણ પછી જીવની જે તે લેસ્યા થાય (૧૧૧૭). ૧૩. કોઈને નિમિત્તો—જેમ કે આચાર્ય આદિને ઉદ્દેશીને–ગતિ તે ઉદિશ્ય પ્રવિભક્તગતિ છે (૧૧૧૮). ૧૪. પ્રસ્થાન અને પર્યાવસ્થિતિને લક્ષીને ચતુરભંગીની અપેક્ષાએ પુરુષની જે ગતિ તે ચતુ પુરુષ પ્રવિભક્તગતિ; જેમ કે ચાર પુરુષો સાથે ચાલ્યા અને સાથે જ સ્થિર થયા; સાથે ચાલ્યા પણ સ્થિરતામાં સાથે રહ્યા નહિ; સાથે ચાલ્યા નહિ પણ સાથે સ્થિર થયા; અને ચાલ્યા પણ સાથે નહિ અને સ્થિર પણું સાથે થયા નહિ (૧૧૧૯). | ૧૫. વક્ર ગતિના ચાર પ્રકાર—ઘટનતા એટલે લંગડાતી ગતિ; સ્તંભનતા એટલે ધમણ આદિનું સ્તબ્ધ થઈ જવું, અથવા સ્થિર થાય ત્યારે પોતાના શરીરના અંગેનું સ્થિર થવું તે; &ષણતા એટલે કે શરીરના અંગેનો પરસ્પર સ્લેષ થવો તે; પતનતા એટલે કે ઊભા રહેતાં કે ચાલતાં પડી જવું તે (૧૧૨૦). ૧૬. પંકગતિ એ છે કે જે કાદવમાં ચાલતી વખતે હોય છે તે. ૧૭. બંધનવિમેચાનગતિ–ફળ પાકાં થઈ બંધ છૂટી જવાથી જે નિમ્ન ગતિ થાય તે (૧૧૨૧). આ ગતિના જે સત્તર ભેદ બતાવ્યા છે તે એવા નથી કે જે પરસ્પરને વ્યાવૃત્ત કરતા હોય, પણ ગતિની જે નાના પ્રકારની વિશેષતા દેખાય છે તે તરફ ધ્યાન દેરવા માટે આ અનેક ભેદ વર્ણવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy