SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ જીવોના ભેદભ્રભેદો ગણાવ્યા છે. એ ગણતરીને મુખ્ય આધાર ઈન્દ્રિય છે. તેના પ્રભેદમાં છની સમ્રતા અને સ્થૂલતા તથા પર્યાપ્તિ અને અપર્યાપ્તિને ભેદે જીવોના પ્રભેદો થાય છે. વળી, જન્મના પ્રકારને લઈને ભેદ પડે છે. એકન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના સમૂચ્છિમ; તિર્યચપંચેન્દ્રિય અને મનુષ્યમાં ગર્ભજ અને સમષ્ઠિમ; અને નારક તથા દેવને ઉપપાત જન્મ છે. નારક અને સમૂર્ણિમ નિયમત નપુંસક જ હોય, ગર્ભજમાં ત્રણે લિંગ હોય, દેમાં પુરૂષ અને સ્ત્રી હોય છે. આમ લિંગભેદે પણ તે તે જીવોને ભેદ છે. પંચેન્દ્રિય જીવોમાં જે ભેદ પડે છે તેનો આધાર નરકાદિ ચાર ગતિ છે. ઉપરાંત ગર્ભજ તથા સમૂર્ણિમ એ પણ ભેદનિયામક છે. મનુષ્યના ભેદનિયામકમાં દેશભેદ, સંસ્કારભેદ, વ્યવસાયભેદ, જ્ઞાનાદિશક્તિભેદ જેવી બાબતો લેવામાં આવી છે. નારક અને દેવેના ભેદ સ્થાનભેદથી છે. " આટલી સામાન્ય હકીકત જાણ્યા પછી છવભેદ-પ્રભેદોની સૂચી, જે નીચે આપવામાં આવે છે, તે સમજવી સહેલી થઈ પડશે. સૂચીમાં મૂળમાં જ્યાં–જેમા કે વનસ્પતિની બાબતમાં–મેટી સંખ્યામાં ભેદો આપ્યા છે, ત્યાં માત્ર સંખ્યાંક આપીને જ સંતોષ માન્યો છે. જિજ્ઞાસુએ તે સ્થળે મૂળ જોઈ લેવું જોઈએ. છના આ જ ભેદ–પ્રભેદ વિષે દ્વિતીય આદિ પદોમાં અનેક બાબત–જેવી કે તેમનાં રહેવાનાં સ્થાન, તેમનું પરસ્પર સંખ્યાની દૃષ્ટિએ તારતમ્ય, આયુ, તેમના વિશેષ–પર્યાયો ઇત્યાદિ અનેક બાબત–નો વિચાર થયો છે. તેથી તે દૃષ્ટિએ આ સૂચી જરૂરી છે. ૧, જીવ (સત્ર ૧૪) ૧, ૧. અસંસારસમાપન (સિદ્ધ) (૧૫) ૧, ૧. ૧. અનન્તરસિદ્ધ (૧૬) ૧, ૧. ૧ ૧ તીર્થસિદ્ધ ૯ પુરૂષલિંગસિદ્ધ .૨ અતીર્થસિદ્ધ .૧૦ નપુંસકલિંગસિદ્ધ .૩ તીર્થંકરસિદ્ધ .૧૧ સ્વલિંગસિદ્ધ .૪ અતીર્થંકરસિદ્ધ .૧૨ અન્ય લિંગસિદ્ધ ૫ સ્વયં બુદ્ધસિદ્ધ .૧૩ ગૃહિલિંગસિદ્ધ ૬ પ્રત્યેકબુદ્ધસિદ્ધ .૧૪ એકસિદ્ધ ૭ બુધિતસિદ્ધ:' .પ અનેક 1.૮ સ્ત્રીલિંગસિદ્ધ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy