SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ તે જ પ્રમાણે જ્ઞાન અને દર્શનની દષ્ટિએ પણ તેને અનંત પર્યાયે છે, તેમ ગ્રંથકાર જણાવે છે. વર્ણાદિ પર્યાયે પૌગલિક છતાં તે જીવના છે, તે સ્પષ્ટીકરણ પ્રથમ થઈ જ ગયું છે. અને જ્ઞાનાદિ તો જીવના સ્વરૂપગત જ પર્યા છે. તેથી પણ જીવના-નારક જીવના-અનંત પર્યાની સંગતિ છે. આચાર્ય મલયગિરિ નેંધે છે કે પ્રસ્તુત જે દશ દૃષ્ટિઓ છે તેને સંક્ષેપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ–એ ચાર દષ્ટિમાં વિભક્ત કરી શકાય છે. દ્રવ્યર્થતા અને પ્રદેશાર્થતા એ દ્રવ્યમાં, અવગાહના એ ક્ષેત્રમાં સ્થિતિ એ કાલમાં અને વર્ણાદિ તથા જ્ઞાનાદિ એ ભાવમાં સમાવિષ્ટ છે. આ જ ન્યાયે દંડકોને વિચાર છે (૪૪૧-૫૪). અવગાહના અને સ્થિતિને લઈને તથા વર્ણાદિ અને જ્ઞાનાદિને લઈને છમાં હીનાધિકતા છે, એ આપણે જોયું. તેથી પુનઃ જઘન્ય-અવગાહનાવાળા, મધ્યમ અવગાહનાવાળા અને ઉત્કૃષ્ટઅવગાહનાવાળા નારકાદિ વીશે દંડકે, અને તે જ પ્રમાણે સ્થિતિ-જ્ઞાનદર્શનને લઈને ચોવીશે દંડકોના પયાની ક્રમે ચિંતા કરવામાં આવી છે. (સૂત્ર-૪૫૫–૪૯૯) અને તે અનંત છે એમ સિદ્ધ કર્યું છે. એ સમાપ્ત થયે અછવ-પર્યાયનો વિચાર છે. જીવોની અને તેમના પર્યાની સંખ્યા જીવભેદ વિશેષ (દંડક) દ્રવ્યસંખ્યા પર્યાયસંખ્યા અનંત (૪૩૯) અનંત ૧. નારક અસંખ્ય (૪૩૯) અનંત (૪૪૦૦૦ ૨. અસુર (૪૪૧) ૩. નાગ , (૪૨) ૪. સુપણું ૬. પ્રજ્ઞાપના , પત્ર ૧૮૨ એ. ૭. સૂત્ર ૪૩૯ માં સમગ્રભાવે છવપર્યયા (દ્રવ્યો)ને અનંત કહ્યા છે. અને પછી ક્રમે ૪૪૦ આદિ સૂત્રમાં જવના તે તે પ્રકારને અનંત પર્યાયવાળે જણવ્યો છે. આથી ફલિત થાય છે કે જીવના પર્યાયે અનંત છે. ૮. સૂગ ૪૩૯ નારકોને અસંખ્ય જણાવે છે અને ૪૪માં નારકના પર્યા અનંત જાણુવે છે, તેથી પ્રથમ દ્રવ્યપરક છે અને બીજુ પર્યાયપરક, એ સ્પષ્ટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy