SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ કયારેક શરૂ થઈ જ્યારે વસ્તુનું લક્ષણ ઉત્પાદ-ધ્રૌવ્ય એ ત્રિપદી વડે કરવામાં આવ્યું. અને પરિણામ સ્વરૂપે આપણે તત્ત્વાર્થસૂત્રમાં જોઈએ છીએ કે તેમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય–એ સતની વ્યાખ્યા કરવામાં આવી (૫. ૨૯) એટલું જ નહિ પણ નિત્યની વ્યાખ્યા પણ તેને જ અનુસરીને કરવામાં આવી કે “તમવા નિત્ય (પ.૩૦). આ લક્ષણ ઉપર પાતંજલ યોગસુત્રની પરંપરાની છાપ સ્પષ્ટ છે. પાતંજલના વ્યાસભાષ્યમાં નિત્યની વ્યાખ્યા છે—“સ્ત્રિનું પરિભ્યને તરવું ન વિદતે સન્નિત્ય'-મધ્ય ૪-૩૩. તત્ત્વાર્થસૂત્રમાં પરિણામની વ્યાખ્યા છે – તમારા પરિણામઃ -૫૪૧. ભગવતી અને સ્થાનાંગમાં ધમસ્તિકાયાદિ ભાવ=પરિણામોના વિચારપ્રસંગે એટલું કહ્યું હતું કે તેમાં રૂપ, રસ આદિ નથી, પણ શું છે તે બાબત મૌન છે. સ્થાનાંગસૂત્ર, ૪૪૧; ભગવતી, ૨-૧૦, સૂ૦ ૧૧૮. પ્રસ્તુત પ્રજ્ઞાપનામાં અછવના દશ પરિણામોમાં એક “અગુરુલઘુ પરિણામ પણ છે (૯૪૭), પરંતુ તે વિષે સ્પષ્ટ કહ્યું છે કે તે “કાજ (૯૪૬) છે. એટલે તેના વિશેષ પરિણામે સંભવ ઘટે નહિ. ભગવતીમાં ગુરુલઘુનો વિચાર અનેક ઠેકાણે છે. તે સમગ્ર ચર્ચાથી એક બાબત એ ફલિત થાય છે કે સૂક્ષ્મ પુદગલપરમાણું અને અરૂપી દ્રવ્યને “અગુરુલઘુ' કહ્યા છે. એટલે એ પ્રમાણે છવ, ધર્મ અધમ, આકાશ અને કાલ એ “અંગુરુલઘુ સિદ્ધ થાય છે. અહીં એ ધ્યાનમાં લેવાનું છે કે સાપેક્ષ ગુરુ અને લધુને તો ગુરુલઘુ” નામ આપ્યું જ છે, એટલે “અંગુરુલઘુ શબ્દથી તેને નિષેધ જ સમજી શકાય. એટલે કે જે દ્રવ્ય “અંગુરુલધુ' તરીકે ઓળખાવ્યાં તેમાં ગુરુ કે લઘુ એ બેમાંથી એકેય કે સાપેક્ષ ગુરલ’ એ ભાવ નથી એમ જ સમજાય. ગુરુ-લધુની ચતુર્ભગીમાં એ ચે ભંગ છે. તેથી પણ એ નિષેધ જ સૂચવે છે. આમ એ ધમથી કોઈ વિવિધરૂપ ધર્મ કે ભાવ સૂચવાત નથી, એમ ભગવતીની ગુરુલઘુની ચર્ચા (1. ૯. સૂ૦ ૭૩)થી સમજાય છે, પરંતુ ભગવતીમાં જ કુંદકના અધિકારમાં પાછું લેકના અનંત અગુરુલઘુ પર્યાયે હોવાનું જણાવ્યું છે, એટલું જ નહિ પણ છવ, સિદ્ધિ અને સિદ્ધના (૨. ૧. સૂ૦ ૯૧) અનંત અગુરુલઘુ પર્યાયે કહ્યા છે. આમ માંથી સર્જનની પ્રક્રિયા દેખાય છે અને તેથી ભગવતીમાં જુદા જુદા વિચારના સ્તરે હોવાનું જણાય છે. અને એથી એટલું કહી શકાય કે બધી વસ્તુના પર્યાયપરિણુમાં હોવા જોઈએ; એ નવા વિચારના પરિણામસ્વરૂપે ધર્માસ્તિકાયાદિમાં પણ . તે ઘટાડવાને આ પ્રયાસ છે. આ વિચારવિકાસની એ પણ એક ભૂમિકા છે, જે '' ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy