SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦. કે પુગલે તે તે રસાદિરૂપે પરિણામને પામે છે. એટલે કે પુગલના એ બધા પરિણામે છે. પ્રસ્તુતમાં જે પરિણામે અભિપ્રેત છે, તે બધાને જ ઉલ્લેખ પાંચમા પદમાં પર્યાય શબ્દથી થયેલ છે. વળી, તે પદનું નામ તો વિશેષપદ છે, છતાં ભેદ બતાવતી વખતે વિશેષ શબ્દને બદલે પર્યાય શબ્દ પ્રયોગ છે. વળી, તેરમા પદમાં તે જ બધાને પરિણામ” નામે ઓળખાવ્યા છે. તે વિચારવાનું એ છે કે પરિણામ, વિશેષ અને પર્યાય—એ શબ્દ ભિન્નાર્થક છે કે એકાર્થક ? - આચાર્ય મલયગિરિ પ્રમાણે તે પુદગલ દ્રવ્યોની જે વિવિધ અવસ્થાઓ છે, તે પરિણામે છે એમ ઉક્ત વ્યાખ્યા ઉપરથી ફલિત થાય છે. પાંચમા વિશેષપદને કશે જ અર્થ પદોની ગણતરી સમયે (સૂત્ર ૨) આચાર્ય મલયગિરિ કરતા નથી. અને પાંચમા પદના પ્રારંભમાં તે પર્યાયપદ હોય એમ જ વ્યાખ્યા શરૂ કરે છે. એટલે કે તેમને મતે વિશેષ અને પર્યાય એકીર્થક જ છે. અને સૂત્રકારને મતે પણ તેમ જ છે, કારણ, પ્રારંભમાં પ્રજ્ઞાપનાનાં ૩૬ પદો (સૂત્ર ૨) ગણાવ્યાં ત્યારે પદનું નામ “વિશેષ” આપ્યું. પણ પાંચમાં પદને પ્રથમ પ્રશ્ન છે વિઠ્ઠા નં અંતે પન્નવી guતા ?” (સૂત્ર ૪૩૮)–આથી પણ સિદ્ધ થાય છે કે સૂત્રકાર પર્યાય અને વિશેષને એકાર્થક માને છે. આ જ વસ્તુને પર્યાય શબ્દની વ્યાખ્યા કરતાં આચાર્ય મલયગિરિ કહે છે –“તત્ર વયા મુળા વિશેષા ઘન ફુચનત” ટીકા, પત્ર ૧૭૯. પ્રસ્તુતમાં પર્યાયને સમાનાર્થક શબ્દ ‘ગુણ પણ આચાર્યો જણાવ્યો છે. તેનું કારણ એ છે કે પ્રથમ પદમાં રસ -વગેરે, જેને બીજા દાર્શનિકે “ગુણ' કહે છે, તે પણ ખરી રીતે તો પર્યાય જ છે. કારણ, પ્રથમ પદમાં તેનો સંબંધ પરિણામ સાથે છે, એ તો સ્પષ્ટ છે. આથી સૂત્રકારને મતે પરિણામ, પર્યાય, ગુણ અને વિશેષ એ બધા શબ્દો સમાનાર્થક છે. બૌદ્ધો રૂપરસાદિને ધમ” શબ્દથી ઓળખાવે છે તેથી તેને પણ સમાવેશ પર્યાયના સમાનાર્થક શબ્દોમાં કર્યો છે. પ્રસ્તુતમાં આચાર્ય મલયગિરિએ ગુણ અને પર્યાયને સમાનાર્થક શબ્દો જણાવ્યા છે, પરંતુ પર્યાય અને ગુણ જુદા છે કે એક છે એ વિષેનો વિવાદ છે અને તેના મૂળમાં ઉત્તરાધ્યયન, અ૦ ૨૮, ગા. ૫ માં દ્રવ્ય. ગુણ અને પર્યાયને પૃથક ઉલેખ અને તે પછી ત્રણેનાં લક્ષણો કર્યા છે તે, અને Tળવયવત્ રથમૂ' આચાર્ય ઉમાસ્વાતિનું સૂત્ર (૫.૩૧) હોય એમ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy