SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ ૨૨ મું “ક્રિયાપદ : ક્રિયાવિચારણા કર્મ એટલે વાસના કે સંસ્કાર. જેને કારણે પુનર્જન્મ થાય છે, તેની વિચારણું ભારતમાં પ્રાચીન કાળથી થતી રહી છે. આત્માના જન્મ-જન્માક્તરની કલ્પના કે સંસારચક્રની કલ્પના સાથે કર્મની વિચારણું અનિવાર્ય હતી. પ્રાચીન ઉપનિષેદોમાં કવચિત જ આ વિચારણું જોવા મળે છે. પરંતુ જૈન અને બૌદ્ધ સાહિત્યમાં, ખાસ કરી જૈન આગમમાં, આ કર્મની વિચારણું વિસ્તારથી જોવા મળે છે. તેની પણ બે ભૂમિકા તો સ્પષ્ટ જણાય છે. પ્રાથમિક ભૂમિકામાં કર્મ માટે ક્રિયા શબ્દનો પ્રયોગ થતો હશે એમ લાગે છે, કારણ કે સુકૃત-દુષ્કૃત, પુણ્ય-પાપ, કુશલ-અકુશલ કર્મ અને તેને માનનાર માટે જૂના શબ્દો છે કિરિયા અને કિરિયાવાઈ, જે સમાન રૂપે જૈન આગમ ૩ અને પાલિ પિટકમાં વપરાયા છે. આથી જ આપણે જોઈએ છીએ કે જેન આગમોમાં તે કાળના વાદોનું જે વગીકરણ આપ્યું છે, તેમાં ક્રિયાવાદી, અક્રિયાવાદી ઇત્યાદિ ચાર ભેદ છે: અને બૌદ્ધ પિટકમાં જેઓ સુકૃત-દુષ્કૃત કે પુણ્ય-પાપને માને છે તેમને ક્રિયાના ઉપદેશક કહ્યા છે, અને સ્વયં ભગવાન બુદ્ધ પિતાને ક્રિયાવાદી તરીકે ઓળખાવે છે. અને તેમને કર્મવાદી અને ક્રીયાવાદી કહી તેમની પ્રશંસા કરવામાં આવી છે. - દીધo, સેણદંડસુત્ત અને બુદ્ધના અનામવાદને કારણે તેમને કઈ ક્રિયવાદી કહેતા હશે, એટલે અક્રિયાવાદ શબ્દને બુદ્ધ પિતાની રીતે જ અર્થ કર્યો. અને તે અર્થમાં બુદ્ધને કેઈ અક્રિયાવાદી કહે છે તેમાં તેમને વાંધો હતો નહિ, તાત્પર્ય એટલું જ સમજવાનું છે કે તે કાળમાં ક્રિયાવાદ શબ્દ કર્મને માનનાર માટે અને અક્રિયાવાદ શબ્દ તેને નહિ માનનાર માટે પ્રચલિત હતું. પરંતુ ક્રમે કરી ક્રિયા ૧. જૈન આગમોમાંની ક્રિયાવિચારણું માટે જુઓ, ક્રિયાકાશ. સંપાદક શ્રી , મોહનલાલ બાંઠિયા તથા શ્રી શ્રીચંદ્ર ચેરડિયા, કલકત્તા, ૧૯૬૯. ૨. ગણધરવાદ, પ્રસ્તાવના, પત્ર ૧૦૯. ૩. સૂત્રકૃતાંગ, ૧. ૧૨. ૧ ૪. દીઘ૦ સામગફલસુત્ત. ૫. ભગવતી, ૩૦. ૧; ભગવતી સાર પૃ. ૫૭૦, અન્ય પાઠ માટે જુઓ ક્રિયાકેષ, પૃ૦ ૨૫૬. ૬. વિનયપિટક, મહાવચ્ચ ૬. ૩૧; અંગુત્તરનિકાય, ૪, ૧૭૯, તથા જુઓ, આગમ યુગકા જૈનદર્શન. પૃ૦ ૭૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy