SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ નાશ થવાથી જ્ઞાન-દર્શોન પણ નષ્ટ થયેલ નિશ્ચયનય માને છે તે જ પ્રકારે તે જ્ઞાન, ક્રિયામાં ન પરિણમે તે તે જ્ઞાનને પણ અજ્ઞાન માનવુ જોઈએ એવા નિશ્ચયના અભિપ્રાય છે. અહીં યથાતા કરતાં મૂલ્યાંકનની દૃષ્ટિને મહત્ત્વ આપવામાં આવ્યુ. છે. શ્રમજીવનમાં કે કેાંઈ પણ જીવનમાં જ્ઞાન કરતાં ક્રિયાનું મહત્ત્વ એટલા માટે છે કે મેાક્ષનુ સાક્ષાત્ કારણુ ક્રિયા એટલે કે ચારિત્ર અને છે કારણ કે કેવળજ્ઞાન થયા પછી પણ જ્યાં સુધી ચારિત્રની પરાકાષ્ઠા નથી થતી ત્યાં સુધી મેાક્ષ નથી, આથી જ્ઞાન અને ચારિત્ર એ એમાં ચારિત્રનું મૂલ્ય મેક્ષદષ્ટિએ વધે છે. આથી ચારિત્રના તાજવે તોળીને જ્ઞાનની સાર્થકતા કે નિરકતાને નજર સમૃદ્ધ રાખીને તેના જ્ઞાન-અજ્ઞાન એવા ભેદ કરવામાં આવ્યા છે, અને નહિ કે તેની યાતા કે અયથાર્થતાને આધારે. કતૃત્વ વિષે આચાય જિનભદ્ર સમક્ષ એ પ્રશ્ન હતા કે સામાયિક કોણે કર્યુ ? આના ઉત્તર તેમણે વ્યવહાર–નિશ્રયને આશ્રય લઈને આપ્યા છે કે વ્યવહારથી તે તે જિનેન્દ્ર ભગવાન અને ગણધરે સામાયિક કયુ' છે અને નિશ્ચયનયે તે। જે વ્યક્તિ સામાયિક ક્રિયા કરે છે તેણે જ તે કર્યુ છે તાપ એવા છે કે સામાયિક શ્રુત જે ખાદ્ય છે તેની રચના તે તીર્થંકર અને ગણુધરે કરી છે તેથી તે તેના કર્તા કહેવાય. પણ સામાયિક એ તેા સમભાવની ક્રિયા છે અને તે તે આત્મગુણુ હોઈ જે આત્મા ક્રિયા કરે તેણે જ તે અ ંતરંગ સામાયિક કયુ` હાઈ તે જ તેના કર્તા કહેવાય. આમ સામયિક શ્રુત અને સામાયિક ભાવ એ ક્રમે વ્યવહાર અને નિશ્ચયના વિષય બને છે. સમ્યક્ત્વ અને જ્ઞાનાત્પત્તિ વિશે (ક્રિયમાણ-કૃત વિષે) ક્રિયાકાળમાં કાર્યનિષ્પત્તિ માનવી કે નિષ્ઠાકાળમાં—આ જૂના વિવાદ છે, આની સાથે અસત્કાયવાદ અને સત્કાર્ય વાદ પણુસકળાયેલા છે. ભગવાન મહાવીર અને જમાલીના મતભેદ પણ આ વિષે જ હતા. આ વિવાદના વ્યવહાર અને નિશ્ચયનયના મતેમાં સમાવેશ કરવાના પ્રયત્ન આ॰ જિનભદ્ર ભાષ્યમાં કર્યાં છે. તેમાં મિથ્યાત્વના ક્ષય, ઉપશમ કે ક્ષયાપશમ થયે સમ્યક્ત્વ એટલે કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની ઉત્પત્તિના પ્રસંગે તેમણે વ્યવહાર–નિશ્ચયની જે યોજના કરી છે તે આ પ્રમાણે છે—-વ્યવહારનયને મતે સમ્યક્ત્વ અને જ્ઞાન જૈનામાં ન હોય Jain Education International -વિશેષા ગા૦ ૩૩૮૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy