SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ આમ માનવાનું કારણ એવું છે કે પરમલઘુ મનાતા પરમાણુ પણ ઊંચે જવાને બદલે નીચે પણુ ગમન કરે છે. તે પછી તેમાં શે। હેતુ માનશે ? એટલે કે જો લઘુતા એ ઊર્ધ્વગમનમાં હેતુ હાય તો પરમાણુ ચે જવાને બદલે નીચે. કેમ જાય ? તેના નીચા જવામાં લઘુતા સિવાય ખીજું જ કાંઈ કારણ માનવુ રહ્યું. વળી દે જે નરી આંખે દેખાય છે તે સ્થૂલ છે છતાં તે ઊર્ધ્વગમન કેમ કરે ? જો સ્થૂલતા એ અધેગમનમાં નિમિત હોય તો ધૂમ નીચે જવા જોઈએ;. પણ તે તે ઊંચે જાય છે. આમ કેમ બન્યુ... ? વળી, મહાગુરુ એવા વિમાનાદિ નીચે જવાને બદલે આકાશમાં ઊંચે કેમ ઊડી શકે છે ? વળી, સાવ સૂક્ષ્મ દેહવાળા દેવ પણ મોટા પર્વતને કેમ ઊંચા કરે છે! -વિશેષા૰ ગા૦ ૬૬૪-૬૬૫ જાય છે તેમાં દેવના વીય ને અધેાગમનનુ કારણ છે એ દ્દે ભારી પત નીચે જવાને બદલે ઊંચા કારણ માનશેા તેા વ્યવહાર સંમત ગુરુતા એકાંતે અયુક્ત રે છે; અને એ જ પ્રમાણે લઘુતા એ ઊર્ધ્વગમનનું એકાંતે કારણ છે. એ પણ એયુક્ત ઠરે છે—વળો ગતિ-સ્થિતિપરિણામને કારણે પણ જીવ પુદ્ગલેાની ગતિ સ્થિત થતી હાઈ તેમાં પણ ગુરુતા કે લઘુતાની કારણતાનુ અતિક્રમણ છે જ. આથી વ્યવહારનયના મત અયુક્ત કરે છે. --વિશેષા૦ ૦ ૬૬ આમ પ્રસ્તુમાં લેાકવ્યવહારમાં જે સ્થૂલ દૃષ્ટિથી ઊધ્વ-અધગમનના કારણરૂપે લઘુતા-ગુરુતાને માનવાની પ્રથા હતી તે વિરુદ્ધ તત્ત્વવિચાર કરીને તેની કારણતાને નિરાસ નિશ્ચયનય કરે છે. આમાં વ્યવહાર-નિશ્ચયનયના વિચાર સાંશ્રૃતિક-પારમાર્થિક સત્યના વિચાર તરફ પ્રગતિ કરતા હોય એમ જણાય છે. વળી ન્યાય વૈશેષિકમા ગુરુત્વમાત્ર માન્યું છે. અને લધુત્વને તેના અભાવરૂપ માન્યું છે અને ગુરુત્વને કારણે પતન માન્યું છે તે વિચાર પણ અચા'ની સમક્ષ છે જ. જ્ઞાન-ક્રિયા વિષે નિયુક્તિના વિચાર પ્રસંગે આપણે પ્લેયુ` છે કે તેમાં જેને ચારિત્રાત્મક વિત થયે। તેના જ્ઞાન-દર્શીન આત્માં પણ વિધાતને પામ્યા એવા વિચાર છે. આના જ અનુસંધાનમાં ભાષ્યમાં નિશ્ચયનયને મતે જે એમ કહેવામાં આવ્યુ છે કે જો જ્ઞાનનું ફળ સમ્યગ્ ક્રિયામાં ન આવે તે તે જ્ઞાનને અજ્ઞાન માનવું (વિશેષા૦ ૧૧૫૧) તે ઉત પક્ષની બીજી બાજુ રજૂ કરે છે. જે પ્રકારે ચારિત્રને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy