SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૭ "न विसेसत्थंतरभूअमत्थि सामण्णमाह ववहारो । . उवलंभववहाराभावाओ खरविसाणं व ॥" વિશેષાવશ્યક ભાષ્ય-૩૫ આપણે પ્રથમ જોઈ ગયા છીએ કે વ્યવહારનય સામાન્યગ્રાહી નહિ પણ વિશેષગ્રાહી છે; એનું જ આ સમર્થન છે. ગુરૂ-લઘુ વિશે ગુરુ- લઘુને વિચાર તારિક રીતે અને વ્યવહારિક રીતે નિશ્ચય અને વ્યવહારનો વડે આચાર્ય જિનકે કર્યો છે. તે પ્રસંગ આ પ્રમાણે છે–આવશ્યક નિયુક્તિમાં જણાવવામાં આવ્યું હતું કે દારિક, વૈક્રિયાદિ ગુરુલઘુ દ્રવ્યો છે એને કમર, મન, ભાષા એ અગુરુલઘુ દ્રવ્ય છે.(વિશેષા. ગા ૦ ૬૫૯ એ આવ નિની ગાથા છે, વળી જુઓ આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૯) આ નિયુક્તગાથાનું સ્પષ્ટીકરણ કરતાં આચાર્ય જિન જણાવે છે કે વ્યવહારનયને મતે કોઈ દ્રવ્ય ગુરુ હોય છે, જેમ કે લેટુ –àખારે. કોઈ લઘુ હોય છે, જેમ કે દીપશિખા. કોઈ–ગુરુલઘુ ઉક્ય હોય છે કેઈ અગુરુલઘુ–નભય હોય છે જેમ કે આકાશ. પણ નિશ્ચયનયને મતે તે સર્વથા લઘુ કે સર્વથા ગુરુ કોઈ દ્રવ્ય હતું જ નથી પણ બાદર–સ્થલ દ્રવ્ય ગુરુલઘુ છે અને બાકીના બધા દિવ્ય અગુરુલઘુ છે. –વિશેષાગા૦ ૬૫૯-૬૬૦ આ બાબતમાં વ્યવહારન્ય પ્રશ્ન કરે છે કે જે ગુરુ કે લધુ જેવું કોઈ દ્રવ્ય હોય જ નહિ તે છવપુગલનું ગમન જે ઊર્ધ્વ અને અધઃ થાય છે તેનું શું કારણ ? અમે તે માનીએ છીએ કે જે લધુ હોય તે ઊર્ધ્વગામી બને. અને જે ગુરુ હોય તે અધોગામી બને. આથી છવપુગલેને ગુરુ અને વધુ માનવા જોઈએ, કારણ કે તેમનું ગમન ચે પણ થાય છે અને નીચે પણ થાય છે – વિશેષ૦ ગા. ૬૬૧-૬૬૨. માટે માત્ર ગુરુલઘુ અને અગુરુલઘુ એમ બે પ્રકાર નહિ પણ ગુરુ, લઘુ ગુરુલઘુ અને અગુરુલઘુ-એવા ચાર પ્રકારના દ્રવ્ય માનવા જોઈ એ એ વ્યવહારનયને મત છે. વ્યવહારનયના આ મતવ્યને ઉત્તર નિશ્ચયનય આપે છે કે વ્યવહારનયમાં જે. ઊર્ધ્વગમનનું કારણ લધુતા અને અગમનનું કારણ ગુરુતા માનવામાં આવે છે તે અનિવાર્ય કારણ નથી. કારણ દ્રવ્યની લઘુતા કે ગુરુતા એ જુદી જ વસ્તુ છે અને દ્રવ્યને વીર્યપરિણામ એ સાવ જુદું જ તત્ત્વ છે. અને વળી દ્રવ્યનો ગતિ પરિણુમ તે પણ જુદુ જ તરવે છે. આમાં કાંઈ કાર્યકારણભાવ જેવું નથી. –વિશેષા) ગા. ૬૬ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy