SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૧ નથી, છતાં પણ આગમાં જૈન દશન કે ધર્મનું મૌલિક એવું જે રૂપ છે, તેવું જ રૂ૫ દિગંબર વાલ્મમાં પણ દેખા દે છે. એ સિદ્ધ કરી દે છે કે અર્થની સુરક્ષાનું જ આ પરિણામ છે. અને ભગવાન મહાવીરનું જે મૌલિક વક્તવ્ય હતું તે, શબ્દ ભલે જુદા હોય, પણ અર્થરૂપે તો બન્ને સંપ્રદાયમાં સરખી રીતે સચવાઈ રહ્યું છે. જૈન આગમો વિષે એક બીજી મહત્વની વાત એ નોંધવી જરૂરી છે કે તે વીતરાગની વાણુને અનુસરે છે. આથી તેમાંથી મળતો ઉપદેશ મનુષ્યને સંસારથી વિમુખ કરી મેક્ષમાર્ગમાં પ્રવૃત્ત કરે છે. આવું વિધાન વેદ વિષે કરી શકાય તેમ નથી. તેમાં તે ઋષિ-મુનિ-કવિઓએ સંસારના સુખ માટે જ દેવાની આરાધનાની વાત કરી છે. આથી તેમાં મેક્ષ કે મોક્ષમાર્ગની વાતને કઈ અવકાશ નથી. વેદોના અર્થો ભુલાયા અને કાળક્રમે ઉપનિષદોનું મહત્વ વધ્યું તેનું એ પણ એક કારણ છે કે જયારે ભારતીય સંસ્કૃતિમાં મેક્ષને મહત્તવ મળ્યું ત્યારે સંસારનું સમર્થન કરનાર વેદોની વાત ઉપેક્ષિત થઈ. જૈન આગમ એ ભલે ધાર્મિક ગ્રંથ ગણાતા હોય, પણ તેમાં માત્ર ધર્મની જ વાત આવે છે એવું નથી; પણ તેમાં તે કાળની વિવિધ વિદ્યાશાખાઓના વિષયેનું પણ નિરૂપણ છે. આજને વૈજ્ઞાનિક અણુવિદ્યાને આજની વિજ્ઞાનશાખામાં ઘણું જ મહત્વ આપે છે, પણ આજથી અઢી હજાર વર્ષ પહેલા ભારતીય વૈજ્ઞાનિકે અણુ વિષે શું વિચારતા હતા તે જાણવાનું એકમાત્ર સાધન જૈન આગમ છે તેમ જ્યારે અમે કહીએ છીએ ત્યારે અમારી તે પ્રત્યેની માત્ર ભક્તિ જ નથી બતાવતા પણ એક સત્ય હકીકતને માત્ર નિદેશ જ કરીએ છીએ. તે જ રીતે જીવજ્ઞાન હોય કે વનસ્પતિવિજ્ઞાન હેય, ખગોળવિદ્યા હોય કે ભગળવિદ્યા હોય – તે સૌ વિદ્યાની તે સમય સુધીની પ્રગતિ જાણવી હોય તો એનું એકમાત્ર સાધન જૈન આગમ જ છે. વેદ, ત્રિપિટક અને જૈન આગમનું ધર્મશાસ્ત્ર તરીકે તો મહત્ત્વ છે જ, ઉપરાંત, તે તે કાળની સામાજિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક, આર્થિક આદિ પરિસ્થિતિનું ચિત્ર ઊભું કરવામાં પણ એ શાસ્ત્રનો મહત્વપૂર્ણ ઉપયોગ છે. એ દષ્ટિએ જૈન આગમો એ ભલે માત્ર જનોને જ પ્રમાણરૂપ માન્ય હેય, પરંતુ તેની ઉપયોગિતા વિશ્વના સાંસકૃતિક ઈતિહાસના નિરૂપમાં પણ જેવી તેવી નથી. વળી, ભારતીય આધુનિક વિવિધ ભાષાનાં મૂળ તપાસવા માટે પ્રાકૃત ભાષાનું મહત્વ સર્વસ્વીકૃત છે, એટલે ભારતીય ભાષાશાસ્ત્રના અધ્યયનમાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy