SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ સ્મરણ કરવું સરલ થઈ પડે એ દૃષ્ટિએ જેમ જૈન અંગગ્રન્થેામાં સ્થાનાંગ અને સમવાયાંગ જેવા અખંડ ગ્રન્થની રચના કરવામાં આવી છે, તે જ પ્રમાણે બૌદ્ઘત્રિપિટકમાં અંગુત્તર નિકાય અને પુગ્ગલપ––ત્તિની રચના કરવામાં આવી છે. તે બન્નેમાં પણ પ્રસ્તુત જૈનગ્રન્થાની જેમ સખ્યાને મુખ્ય માનીને પ્રતિપાદ્ય વિષયાનું સંકલન કરવામાં આવ્યુ છે. અંગુત્તરમાં (અત્તર) એકનિપાત, દુકનિપાત એમ એકાસકનિપાત એટલે કે એકથી માંડીને અગિયાર સુધીની સ ંખ્યામાં ક્રમશઃ વસ્તુઓની ગણતરીઓ આપવામાં આવી છે. જ્યારે પુગ્ગલ-પ-ગત્તિમાં એકક-નિફ્રેસથી માંડીને દસક-નિર્દેસ સુધી સ્થાનોંગની જેમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સ્થાનાંગ—સમવાયાંગ અને ઉક્ત બન્ને બૌદ્ધ ગ્રન્થામાં એવી ઘણી માખતા છે જે સમાન છે. ખાસ કરીને પ્રસ્તુત ગ્રન્થમાં પુરુષ-પરીક્ષાને (પૃ. ૮૧૩) નામે મે' જે ખ'નું સંકલન કર્યુ છે, એમાં આવતા વિષયાનું આશ્ચયજનક સામ્ય છે. અને સહસા એવું અનુમાન થઈ જાય છે કે કોઈ પણ એકે ખીજામાંથી લીધુ હશે. પુગ્ગલ-૫-ગત્તિ અભિધમને ગ્રન્થ હાઈ તેની સંક્લના અંગુત્તર કરતાં જૂની ન લેખાય; અને તેમાંની ઘણી બાબતે અ'ગુત્તર જેવી જ છે. ખાસ કરીને પુરુષની ભંગીઓ સ્થાનાંગ, અંગુત્તર અને પુગ્ગલ-પત્તિમાં એક સરખી છે. મેં ઉત ખંડનાં ટિપ્પણેામાં તુલના કરી છે એથી અહીં તે વિષે લખાણુ કરવું બિનજરૂરી છે. રચનાપદ્ધતિમાં ઉક્ત જૈન— બૌદ્ધગ્રન્થામાં જે ભેદ છે તે એ છે કે, જૈન ગ્રન્થા માત્ર ગણુતરીએ! જ આપે છે. જ્યારે ઉકત અને બૌદ્ધગ્રન્થા તેનુ વિવરણુ પણ કરે છે. એથી શ્રેણી એવી ખાખતા છે જેનું સ્પષ્ટીકરણ જૈન ગ્રન્થમાં સુલભ નથી, તે બૌગ્રન્થા વાંચતાં અત્યંત સ્પષ્ટ બની જાય છે. બન્ને પરંપરાના ગ્રન્થાને વિષય શ્રમણ પરંપરામાં સામાન્ય હાઈ, કાણે કાનામાંથી લીધું' એ કહેવુ' ઋણુ છે. અત્યારે એટલું જ કહી શકાય કે જૈન-બૌદ્ધ પરપરા આ વિષયમાં સમાન છે અને એકબીજાના વિચારાના પડધા એકબીજામાં પડીને અને પરપરા પરિનિતિ બની છે. દીધનિકાયનું સ ંગીતિ-પરિયાય-સુત્ત અને સુત્તરસુત્ત, ખુષ્કનિકાયને ખુ¥પાઠ (કુમારપગ્ઝ) આદિની રચના પણુ` સખ્યાને પ્રાધાન્ય આપીને થઈ છે. એટલે એમ માની શકાય કે, બૌદ્ધગ્રન્થામાં અંગુત્તર અને પુગ્ગલ-૫--ત્તિની જ એ શૈલી નથી; પણ એવાં અનેક પ્રકરણા છે જેમાં સ્મૃતિસૌની દૃષ્ટિએ સખ્યાપ્રધાન રચના કરવામાં આવી છે. મહાભારતના વનપવ માં અધ્યાય ૧૩૪માં ૧. પાલિસાહિત્ય કા ઈતિહાસ’—પાધ્યાય, ૫૦ ૧૭૯ ૨. હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લેાજિક –પૃ. ૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy