SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ દ નાણાં, શબ્દ અને સમય એ ત્રણમાં તેમની કઈ કરકસર ચડે તે કહેવું મુશ્કેલ છે. એ ત્રણે બાબાના ચેાખ્ખા અને ચોક્કસ હિસાબ રાખવામાં તેમને! આગ્રહ રહેતા. આ બધું તે કોઈ પણ આધુનિકને શરમાવે તેટલી ચીવટ ને સુધડતાથી કરતા. શિસ્ત ને સયમના તે ચાલુક હતા. વજ્ર જેવા દેખાતા તેમના હૃદયની નીચે સ્વજને, સ્વધમી એ અને સ્વદેશવાસીએ માટે પ્રેમના ઝરા વહેતા. તેમની જાહેર સેવાપ્રવૃત્તિ ૧૯૧૮ માં ગુજરાત રેલસંકટના રાહતકાર્ય થી શરૂ થયેલી તે મેારબીની હેાનારત સુધીનાં રાહતકાર્યાં સુધી ચાલેલી. લાકકલ્યાણનાં વિવિધ ક્ષેત્રામાં તેમણે કરેલા દાનના પ્રવાહ અમદાવાદથી ગુજરાતમાં ફેલાઈને ભારતભરમાં ફરી વળેલ છે, જેના ફળસ્વરૂપે જૈન તીર્થા અને ધ સ્થાનાને લાદષ્ટિપૂર્વકના હાર થયેા છે, ગુજરાત વિશ્વવિદ્યાલય અને તેને સલગ્ન વિવિધ શિક્ષણસંસ્થાઓની સ્થાપના થયેલ છે અને પ્રાચ્ય વિદ્યાકલાના સંશોધનની તેમજ કાપડઉદ્યોગ અને વ્યવસ્થાપન ( બિઝનેશ મેનેજમેન્ટ ) ના તથા ભૌતિકશાસ્ત્ર, પર્યાવરણવિદ્યા વગેરેના શિક્ષણની અભિનવ ઉત્તમ સગવડ ઊભી થઈ શકી છે. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા, ગુજરાતના આ મહાન સપૂતના જીવનની ઝલક જોઈએ, કસ્તૂરભાઈને જન્મ ઈ.સ. ૧૮૯૪ ના ડિસે‘બરની ૧૯ મી તારીખે અમદાવાદમાં થયા હતા. તેમના પિતા લાલભાઈ દલપતભાઈ શેઠ બી.એ. સુધી ભણેલા. ધને પાનની સાથે સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવાની ભાવના તેમનામાં હતી. એટલે જૈન સમાજનાં અને વ્યાપક લેાહિતનાં કામેામાં તેમને અહિસ્સા રહેતા, નગરશેઠ મયાભાઈના અવસાન પછી શેઠ આણ છ કલ્યાણજીની પેઢીનુ પ્રમુખપદ તેમને સાપાયું હતુ. લેા કર્ઝને માઉન્ટ આયુની મુલાકાત દરમ્યાન દેલવાડાનાં દહેરાંનાં શિલ્પસ્થાપત્યથી પ્રભાવિત થઈને તે મદિરા સરકારી પુરાતત્ત્વ ખાતાને સાંપવાના પ્રસ્તાવ મૂકેલેા, ત્યારે લાલભાઈ શેઠે તેને વિરાધ કરેલા, અને પેઢી હસ્તક તેની સુરક્ષા સુપેરે ચાલે છે તેની ખાતરી કરાવવા આઠદસ વર્ષ સુધી મદિરામાં કારીગરાને કામ કરતા બતાવ્યા હતા. ૧૯૦૩ થી - ૧૯૦૮ સુધી જૈન શ્વેતાંબર કાન્ફરન્સના મહામંત્રી તરીકે તેમણે સેવાઓ આપી હતી. ૧૯૦૮માં સમેતશિખર પર ખાનગી મૃગલા બાંધવાની સરકારે મંજૂરી આપેલી તેની સામે વિરાધ નોંધાવીને સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy