SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ त बुद्धिमएण पडेण गणहरा गिहिर निरवसेसं । तित्थयरभासियाई गंथंति तओ पवयणट्ठा ॥ આવશ્યક નિર્યુક્તિ (ગા. ૮૯-૯૦) તપ, નિયમ, સંયમ અને જ્ઞાનરૂપ વૃક્ષ ઉપર આરૂઢ થઈને અમિતજ્ઞાની –સર્વજ્ઞ-કેવલી ભવ્ય જનેના વિબોધને માટે જ્ઞાનની વર્ષા કરે છે. ગણધર તેને સંપૂર્ણ ભાવે બુદ્ધિમય પટમાં પ્રહણ કરીને તે તીથકર ભાષિતની પ્રવચન અર્થે માળા ગૂંથે છે.' આમાં આવતા “પ્રવચન' શબ્દનો અર્થ જિનભદગણિ ક્ષમાશ્રમણે કર્યો છે તે આ છે–ાર્થ વયf gવચળમટ્ટ સુચના' ....જવચામવા સંઘ” (ગા) ૧૧૧૨) અર્થાત પ્રગત વચન એ પ્રવચન છે અથવા તો સંધ એ પ્રવચન છે. સંધને પ્રવચન કહેવાનું કારણ એ છે કે સંધને જ્ઞાનોપયોગ એ જ પ્રવચન છે તેથી સંધ અને જ્ઞાનને અભેદ માની સંધને પ્રવચન કહો. પ્રગત વચન એ પ્રવચન છે. તેનો અર્થ તેમને જે અભિપ્રેત છે, તે આ છે“ચં વાળવચળું વાસંમ” (ગા. ૧૦૬૮), “નમિઢ જતું પરર્થ વાળવચળ પવચ તૂ જા સામä સુચના વિષયો સુત્તમ ૨ | (ગા. ૧૩૬૭) અર્થાત્ “y' ઉપસર્ગના પ્રશસ્ત અને પ્રધાન એવા બે અર્થ છે તેથી પ્રશસ્ત વચન અથવા પ્રધાન વચનરૂ૫ શ્રુતજ્ઞાન એ પ્રવચન છે. શ્રુતજ્ઞાનમાં પણ પ્રધાન દ્વાદશાંગી હાઈ એ જ પ્રવચન નામે ઓળખાય છે. એ પ્રવચનના બે અંશ છે: શબ્દ અને અર્થ. શબ્દ એ સૂત્ર નામે ઓળખાય છે, અને તેના કર્તા ગણધરો છે. જે અર્થના ઉપદેશને આધારે તેમણે સૂત્રરચના કરી તે અર્થના કર્તા તીર્થકર સ્વયં છે. અહીં પ્રશ્ન એ થશે કે ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી માટે તેઓ તેના કર્તા કહેવાયા, પણ તીર્થકરે અર્થોને ઉપદેશ આપ્યો તે શું શબ્દ વિના ? શબ્દ રહિત તે ઉપદેશ સંભવે જ નહિ. તો પછી શબ્દના કર્તા પણ તીર્થકરને શા માટે ન માનવા ? આને ખુલાસો જિનભદ્રગણિએ કર્યો છે કે તીર્થકર કાંઈ ક્રમે કરી બારે અંગોને યથાવત્ ઉપદેશ દેતા નથી, પણ સંક્ષેપમાં સિદ્ધાંતોને ઉપદેશ આપે છે, જેને વિસ્તારીને ગણધરે સ્વપ્રતિભાથી એ ઉપદેશને બાર અંગમાં એ રીતે પ્રથિત કરે છે કે સંધના સૌ કેઈ તેને સરળતાથી સમજી શકે. આ રીતે અર્થકર્તા તીર્થકર છે અને સૂત્રકર્તા ગણધરો છે.૧૦ સંક્ષેપમાં સિદ્ધાંતોનો ઉપદેશ કેવો હોય તેનું * વિશેષા, ગાય ૧૧૧૯. (આ નિર્યુક્તિ ગાથા છે.) ૧૦. વિશેષાગા૦ ૧૧ ૧૯-૧૧૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy