SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ *મન્ત્ર'નું પદ પ્રાપ્ત કર્યું હતું. તેથી તેના ઉચ્ચારણ આદિમાં કશે। ભેદ થવા ન જોઈએ, અને તેના વિધિપૂર્વકના ઉચ્ચાર માત્રથી કાર્યસિદ્ધિ થવાની ધારણા વૈશ્વિકામાં બંધાઈ હતી. આના વિરોધમાં જૈન સાહિત્યે પોતાની ભાષા પ્રાકૃત સ્વીકારી અને તીથ 'કરા લેાકેાની ભાષા અમાધિમાં ઉપદેશ આપે છે તેવી માન્યતા સ્થિર થઈ. એટલે પ્રારભિક જૈન સાહિત્યની રચના પ્રાકૃતમાં જ થઈ છે તે છેક ઈસાની ચેાથી સદી સુધી-તા આપણે જોઈ શકીએ છીએ. પણ જ્યારે ગુપ્ત કાળમાં સંસ્કૃત ભાષા અને વૈદિક ધર્મનું પુનરુત્થાન થવા લાગ્યું ત્યારે જૈનેાએ પણ પેાતાના સાહિત્ય માટે પ્રાકૃત ઉપરાંત સંસ્કૃત ભાષાને પણ અપનાવી. તે એટલે સુધી કે, મૂળ જૈન આગમાની ટીકાઓ ગદ્ય કે પદ્યમાં પ્રાકૃતમાં લખાતી હતી તેને બદલે ઈસાની આઠમી સદીના પ્રારંભથી તા સસ્કૃતમાં લખાવા લાગી અને પછી કદીએ ટીકાએ પ્રાકૃતમાં લખાઈ જ નહી. અને એકવાર પરંપરામાં સંસ્કૃત ભાષાને પ્રવેશ થયા એટલે સાહિત્યના બધા પ્રકારામાં પ્રાકૃતને બદલે મુખ્યપણે સંસ્કૃતને અપનાવવામાં આવી. આ તા ભાષાની વાત થઈ. હવે આપણે પ્રતિપાદ્ય વસ્તુ વિષે વિચારીએ. વેદ, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદોના કાળ પછીનું જ જૈન સાહિત્ય આપણને મળે છે, એ નિવિવાદ છે. એટલે વૈદિક સાહિત્યના પ્રભાવથી સથા મુક્ત એવું જૈન સાહિત્ય શકય જ નથી. પણ વૈદિક ધર્મોની જે નિષ્ઠા હાય, જે સિદ્ધાન્તા હોય તેમાંથી જૈન સાહિત્ય કથાં જુદું પડે છે, એ જ વિચારવાનું પ્રાપ્ત થાય છે. પ્રારંભમાં એવું બન્યું છે કે, વૈદિક વિચારને જ કેટલીક બાબતમાં અપનાવવામાં આવ્યા, પણ કાળક્રમે તેમાં પરિવર્તન કરવામાં આવ્યું. ઉદાહરણ તરીકે આચારાંગમાં આત્માના પારમાર્થિક સ્વરૂપના નિરૂપણમાં વૈદિક વિચાર જ નહીં, તેની પરિભાષા પણ અપનાવવામાં આવી પણ કાળક્રમે તેમાં પરિવર્તન કરવામાં આવ્યું, જ્યારે એમ માલૂમ પડયુ કે જૈનસંમત સ્વતંત્ર વિચાર સાથે વેદસંમત આત્મસ્વરૂપના સમગ્રભાવે મેળ નથી. આચારાંગમાં એક બાજુ એમ કહેવામાં આવ્યું કે, આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે. આ મૌલિક વિચારની સાથે આત્માની વૈશ્વિક સમત વ્યાપકતાને! મેળ સંભવ જ નથી. આથી આત્માને દેહપરિમાણુ સ્પષ્ટ રૂપે સ્વીકારીને તેની વેદસંમત વ્યાપકતાને નિષેધ કર્યાં, અને પરિણામે આચારાંગમાં જે એમ કહેવામાં આવ્યું હતુ, કે આત્મા નથી દી કે સ્વ તેને બદલે તેને હૂસ્વ-દી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy