SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ નિક્ષેપ પછી ઉપેાઘાત છે. આ ઉપાદ્ધાતમાં બધી મળી ગ્રંથવિષેની (પ્રસ્તુતમાં સામાયિક વિષેની) ૨૬ બાબતાની ચર્ચા કરવાની હોય છે. તે બધી બાબતાને ગણાવી દેવામાં આવી છે (સ્૦ ૬૦૪); જેવી કે ૧–ઉદ્દેશ-સામાન્યભિધાન, ૨-નિર્દેશ–વિશેષાભિધાન, ૩-નિગમ–પ્રસ્તુત અધ્યયનની મૂળે કાંથી કેવી રીતે કાનાથી ઉત્પત્તિ થઈ તે, ૪–ક્ષેત્ર-કયા પ્રદેશમાં સામાયિકના ઉપદેશ થયે, પ-કાલ-કયા કાલમાં, ૬-પુરુષ–કયા પુરુષે સામાયિકના ઉપદેશ આપ્યા, કારણ–શા માટે ગૌતમે તે ઉપદેશ ગ્રહણ કર્યાં, ૮–પ્રત્યય–કયા વિશ્વાસે આ ઉપદેશ છે, હ—લક્ષણ-પ્રતિપાદ્ય વસ્તુનું લક્ષણ,૧૦-નય વિચારણા, ૧૧–સમવતારણાનયેામાં પ્રતિપાદ્ય વિષયની અવતારણા, ૧૨–અનુમત, કયા નયને કયું સામાયિક, ૧૩– કિમ્–સામાયિકનું લક્ષણ—સ્વરૂપ, ૧૪–તેના પ્રકાર, ૧૫-સામાયિકના સ્વામી,૧૬–કયાં સામયિક ?, ૧૭–કયા વિષયમાં સામાયિક, ૧૮–તે પ્રાપ્ત કેમ થાય ?, ૧૯–કેટલા કાળ સ્થિર રહે ?, ૨૦-તેને ધારણ કરનારા ' કેટલા ?, ૨૧–વ્યવધાન કેટલું ?, ૨૨-અવ્યવધાન કેટલુ' ?, એટલે કે નિરંતર તે પ્રાપ્ત કરનારા કેટલા કાલમાં હોય ?, ૨૩-કેટલા ભવમાં તેની પ્રાપ્તિ, ૨૪–આક—પુનઃ પુન: તેની પ્રાપ્તિ થાય તે કેવી રીતે ?, ૨૫-ક્ષેત્રસ્પર્ધાના, ૨૬-નિરુક્તિ-પર્યાયેા. આ ઉપરથી જોઇ શકાય છે કે આધુનિક કાળમાં લેખક પ્રસ્તાવનામાં જે મુદ્દાઓની ચર્ચા કરૈ છે તેથી કાંઈ વધારે ખાતાની ચર્ચા પ્રસ્તુત ઉપેદ્યાતમાં કરવાની હોય છે. પ્રસ્તુતમાં માત્ર આ મુદ્દાએ જ ગણાવ્યા છે, પણ તેની મેાજના સામાયિકમાં કરવામાં આવી નથી, તેથી એ સૂચિત થાય છે કે અનુયેાગદ્વારની રચના અનુયાગનાં દ્વારાના વિવરણ માટે છે, નહિ કે કાઈ ગ્રંથની ટીકારૂપે, આથી એ પણ સિદ્ધ થાય છે કે તેમાં પ્રારંભમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યા કરીશ એવા જે ઉલ્લેખ છે, તે પણ ઉદાહરણરૂપે છે. ઉપેાદ્ધાત પછી સૂત્રસ્યશિકનું વિવરણ (સૂ. ૬૦૫) છે. તેમાં સૂત્રને શુદ્ધ અને સ્પષ્ટ રીતે ઉચ્ચાર કરવાની સૂચના આપવામાં આવી છે, તેમ કરવાથી સૂત્રમાં શે। વિષય છે, તે સ્વસિદ્ધાન્ત છે કે પસિન્હાત, બંધ વિષે છે કે મેાક્ષ વિષે, સામાયિક સંબંધી છે કે તેથી જુદું ઇત્યાદિ બાબતેાની સ્પષ્ટતા કેટલાક શ્રોતાને થાય છે અને કેટલાકને નથી થતી. આથી તેમના હિતાર્થે સૂત્રપદાની વ્યાખ્યા જરૂરી છે. તે કયા ક્રમે કરવી તેનુ નિરૂપણ પ્રસ્તુતમાં છે. મૂળમાં એ સ્પષ્ટ નથી કે આમાં સૂત્રાનુગમ શું છે? તેને વિષે એમ તે કહ્યું છે કે તે અનુગમના એક ભેદરૂપ છે (સૂ. ૬૦૧). પણ તેનું વિવરણ મૂળમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy