SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ (ભાષાના શબ્દો વડે ગમે તે લિંગ ધરાવનારને આજ્ઞા પણ કરવામાં આવે છે અને સાંભળનાર આજ્ઞા પ્રમાણે કરે કે ન કરે તેમ પણ બને છે, છતાં પણુ) ૨ આજ્ઞાપની ભાષાને મૃષા ન કહેવાય, પણ માત્ર પ્રજ્ઞાપની ભાષા. કહેવાય, (૮૩૪, ૮૫૫); પુરુષાદિ ત્રણે લિંગનાં લક્ષણનું પ્રત્તાપન કરનારી ભાષા પશુ મૃષા ન કહેવાય, પણ પ્રજ્ઞાપની કહેવાય (૮૩૫); (પછી ભલેને તે તે લિંગધારીમાં સમગ્રભાવે તે તે લક્ષણા ઉપલબ્ધ થતાં ન હેાય) જાતિવાચક શબ્દોમા પુલ્લિંગાદિ ત્રણે લિંગે દેખાય છે (પણ જાતિમાં તા કાઈ લિગ નથી), તાપણું. તે મૃષા નથી પણ પ્રજ્ઞાપની છે (૮૩૬). તે જ પ્રમાણે જાતિને લક્ષ કરીને આજ્ઞા કરવામાં આવી હાય કે તેનાં પુલ્લિંગાદિ લક્ષણાનુ નિરૂપણ થયુ હોય તે તે ભાષા પણ મૃષા ન ગણાય પશુ- પ્રજ્ઞાપની કહેવાય (૮૩૭, ૮૩૮, ૮૫૬). ભાષાના શબ્દોનું વર્ગીકરણુ અન્ય રીતે પણ કરવામાં આવ્યુ છે અને તેના સોળ પ્રકાર જણાવ્યા છે. તેમાં લિંગ,૧૩સખ્યા૧૪ અને કાળના ત્રણ-ત્રણ ભેદીને લઈને વચનના નવ પ્રકાર છે ઃ પ્રત્યક્ષ વચન, પરાક્ષ વચન, અધ્યાત્મવચન આદિ જેવા; શેષ પણ જુદા જુદી અપેક્ષાથી ભિન્ન છે (૮૯૬); આ બધા જ પ્રકારના સમાવેશ પ્રજ્ઞાપનીમાં કરવામાં આવ્યા છે અને તે મૃષા નથી તેમ જણાવ્યું છે (૮૯૭). ★ બારમું પદ્મ : જીવાનાં શરીર પ્રસ્તુત બારમા પદમાં વાનાં શરીર વિષે ચર્ચા છે. શરીર પાંચ છે : ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાણુ (૯૦૧). ઉપનિષદોમાં આત્માના પાંચર કાની ચર્ચા મળે છે, તેમાં માત્ર અન્નમય કોષ સાથે ઔદારિક શરીરની તુલના થઈ શકે તેમ છે. અને પછીથી સાંખ્ય આદિ દર્શનમાં અવ્યક્ત, સમ કૈં લિગશરીર માનવામાં આવ્યું છે તે જૈનસંમત કામણુને સ્થાને છે. ૧૨. આજ્ઞાપની એ અસત્યમૃષાને પણ એક ભેદ છે. સૂ૦ ૮૬૬. ૧૩. લિ ગભેદથી શબ્દભેદ માટે જુએ સૂ૦ ૮૫૧ ૮૫૨, ૮૫૩. ૧૪. સંખ્યાભેદથી શબ્દનો ભેદ સ્૦૮૪૯-૮૫૦માં પણ છે. પણ ત્યાં સંસ્કૃતભાષાસંમત દ્વિવચનને નિર્દેશ નથી, કારણ કે પ્રાકૃતમાં તે છે નહિ. ૧. ભગવતી, ૧૭–૧ . ૧૯૨. ૨. તૈત્તિરીય ઉપનિષદ, મનુવી; ખેલવલકર અને રાનડે, History of Indian Philosophy P. 250. ૩. સાંખ્યકારિકા ૩૯-૪૦; મેલવલકર અને રાનડે, History of Indian Philosophy P. 358, 430; 370; માલવણિયા ‘ગણુધરવાદ”, પ્રસ્તા વના ૫૦ ૧૨૧–૧૨૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy