SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ આ રક્ષિતપૂર્વે આવા કોઈ વિભાગ હતા નહીં. વળી ત્યાર સુધી પ્રત્યેક સૂત્ર માટે નયાવતાર કરવાનું પણ અનિવાર્યું હતુ. પરંતુ જ્યારથી અનુયાગાનુ પાઠ્ય થયું ત્યાર પછી નયાવતાર અનાવશ્યક માનવામાં આવ્યો —આવ. નિ. ૭૬૨: વિશેષા૦ ૨૨૭૯. આરક્ષિત પછી શ્રુતનું પઠન-પાઠન પૂર્વવત્ રહ્યું નહીં હોય અને તેમાં શિથિલતા પણ આવી ગઈ હશે. આની પ્રતીતિ ઉપરની ચર્ચાથી સ્પષ્ટ થશે. આથી શ્રુતમાં ઉત્તરાત્તર હ્રાસ થાય એ પણ સ્વાભાવિક છે. સ્વયં આરક્ષિત પણ માત્ર નવપૂર્વ સંપૂર્ણ જાણતા અને દશમાં પૂર્વના અંશને જ—વિશેષા ટી, ગા. ૨૫૧૧, પોતે જાણતા હતા એટલું સંપૂર્ણ શ્રુત આય રક્ષિત પણ પેાતાના શિષ્યાને આપી શકવા નહી”, એમની ચરિત કથામાં કહેવામાં આવ્યું છે કે તેમના શિષ્યામાં માત્ર દુČલિકા પુષ્પમિત્ર જ સંપૂર્ણ નવપૂર્યાં ભણવા સમ થયા. પણ તેઓ પણ્ અનભ્યાસને કારણે નવમપૂ ભૂલી ગયા-(વિશેષા॰ ટી. ૨૫૧૧) અને આ રીતે ઉત્તરાત્તર પૂર્વના વિશેષ પાઠકાને હ્રાસ થઈને અંતે એક સમય એવા આવ્યા જ્યારે પૂર્વાંનું વિશેષજ્ઞ કોઈ ન રહ્યું. આવી સ્થિતિ વીરનિર્વાણ પછી હજાર વર્ષે થઈ–(ભગવતી ટીકા ૨.૮; સત્તરીસયઠાણું ૩૨૭) અને દિગંબર મતે વીરનિર્વાણ પછી ૬૮૩ વર્ષે થઈ. (અ) માથુરીવાચના નન્દીસૂત્રની શૂણિ (પૃ. ૮)માં ઉલ્લેખ છે કે ખારવ ના દુકાળને કારણે ગ્રહણ–ગુણન—અનુપ્રેક્ષાના અભાવે સૂત્ર નષ્ટ થયાં. આય સ્કલિની અધ્યક્ષતામા ખાર વર્ષોંના દુકાળ પછી સાધુસ ́ધ મથુરામાં એકત્ર થયા અને જેને જે યાદ હતુ. તેના આધારે કાલિકશ્રુત-અંગાને વ્યવસ્થિત કરવામાં આવ્યા. કારણ કે આ વાચના મથુરામાં થઈ તેથી તે માથુરી વાચનાના નામે એાળખાય છે. કેટલાકનુ કહેવુ છે કે સૂત્રેા નષ્ટ થયા ન હતા પણ પ્રધાન અનુયાગધરાના અભાવ થઈ ગયા હતા. માત્ર દિલ આચાય જ ખેંચી ગયા હતા. જે અનુયેાગધર હતા, તેમણે કારણ કે મથુરામાં ખીજા સાધુએને અનુયાગ આપ્યા હતા તેથી માથુરી વાચના કહેવાઈ. આથી આટલું તે સ્પષ્ટ થાય છે કે ખીજીવારના દુકાળને કારણે શ્રુતની દુરવસ્થા થઈ ગઈ હતી. આ વખતની સંકલનાનું શ્રેય ક દિલને છે. મુનિશ્રી કલ્યાણવિજયજીએ આચાય સ્કંદિલના યુગપ્રધાન કાલ વીરનિ. ૮૨૭ થી ૮૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy