SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૭ એ ખરી રીતે તે સ્કન્ધાન્તર્ગત જ છે. તેથી પરમાણુ, જે અંધથી જુદો છે. તે અને અનેક પરમાણુ જ્યારે ભેગા મળે ત્યારે જે પિંડ બને છે તે અંધ, એમ બે જ મુખ્ય ભેદ પુદ્ગલના બને છે. તેથી પ્રથમ સમગ્રભાવે રૂપી અજીવના પર્યાયની સંખ્યા અનંત કહી (૫૦૩) અને પછી પરમાણુ (૫૦૪), દિપ્રદેશી સ્કંધ (૫૦૫), રિપ્રદેશી ક ધ (૫૦૬), યાવત દશપ્રદેશી (૫૦૭) અને સંખ્યાતપ્રદેશી (૫૦૮) અસંખ્યાતપ્રદેશી (૫૦૯) અને અનન્તપ્રદેશી (૫૧૦) એ પ્રત્યેકના પર્યાયે અનન્ત કહ્યા છે. તે સૌના પર્યાનો વિચાર જીવની જેમ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવથી કરવામાં આવ્યો છે. તે ઉપરથી પરમાણુ વિષે જે બાબત ધ્યાનમાં લેવા જેવી છે તે એ કે જ્યારે પરમાણુ સ્કંધથી જુદો હોય ત્યારે તેના બધા જ સ્વતંત્ર પરમાણુની અવગાહના સમાન છે, એટલે કે સૌ સરખું ક્ષેત્ર રેકે છે (૫૦૪). પણ તેમની કાલિક સ્થિતિમાં ભેદ છે. કેઈ પરમાણુ એકજ સમયની સ્થિતિવાળા હોય છે, તે કઈ બે સમયની સ્થિતિવાળ, ચાવત અસંખ્યાત કાલની સ્થિતિવાળા હોય છે. માળોઃ સાપરિગ્સ ૩ષતોડr૪મસ્થાન-વૈજ્ઞાપનાર, પત્ર ૨૦૨ ૨. પણ સ્વતંત્ર પરમાણુની અનંતકાળની સ્થિતિ નથી, તેથી એક પરમાણુ અન્ય પરમાણુની કાલિક સ્થિતિથી અપેક્ષાએ હીન પણ હોય, તુલ્ય પણ હોય અને અધિક પણ હોય. હીનાધિક હોય તે ચતુઃસ્થાનપતિત છે, એટલે કે સંખ્યાતભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણહીન કે અધિક હોય. પણ પરમાણુના વર્ણાદિ પર્યાય-પરિણામો તે અનંત પ્રકારના છે, તેથી કઈ એક પરમાણુ અન્ય પરમાણુની તુલનામાં હીન-અધિક હોય તે સ્થાન પતિત કહેવાય છે એટલે કે અનંતભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનંતગુણ હીન કે અધિક હોય છે (૫૦૪). આ રીતે પરમાણુના પર્યાયે ભાવની અપેક્ષાએ અનંત સિદ્ધ થતા હોવાથી અનંત કહેવાય છે. ક્રિપ્રદેશ, ત્રિપ્રદેશ યાવત્ અનંતપ્રદેશી સ્કે ધોની બાબતમાં જે ધ્યાનમાં લેવાનું છે તે એ કે પ્રદેશોની અપેક્ષાએ તે તે છે સમાન પ્રદેશી કંધે સાથે તુલ્ય હોવા છતાં પણ તેમની જે અવગાહના છે, એટલે કે ક્ષેત્રના જેટલા પ્રદેશ તે સ્કંધે રોકે છે, તેમાં તફાવત પડે છે. દિપ્રદેશી ઢંધ આકાશના એક પ્રદેશમાં પણ રહી શકે છે અને બે પ્રદેશમાં પણ રહી શકે છે (પ૦૫). તે જ પ્રમાણે ત્રિપ્રદેશ સ્કંધ ત્રણ, બે અથવા એકમાં રહી શકે છે (૫૦૬). અને તે જ પ્રમાણે સંખ્યાત સુધીમાં જટલા પ્રદેશ જે કંધના હોય તે સ્કછે પિતાપિતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy