SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઉપરથી એક વાત નક્કી થાય છે કે પતિને વિચાર થયો તે પહેલાં જ સંજ્ઞાનો વિચાર થઈ ગયો હતો. તેથી પર્યાપ્તિના વિચાર સાથે એ સ્પષ્ટ થયું કે સંજ્ઞા અને મન એ બન્ને જેને હેય તેને જ સંજ્ઞી કહેવા. સંજ્ઞી-અસંસીની સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન વાચક ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રમાં કર્યો છે. તેમણે સૂત્ર બનાવ્યું છે કે –“શિનઃ સમનઃ (૨.૨૫); અર્થાત્ સંસી જીવો મનવાળા હોય છે. અને ભાષ્યમાં તેમણે સ્પષ્ટીકરણ કર્યું કે પ્રસ્તુતમાં સંસી શબ્દથી તે જ જીવો અભિપ્રેત છે, જેને સંપ્રધારણ સંજ્ઞા હોય. અર્થાત્ માત્ર સંપ્રધારણ સંજ્ઞાવાળા ને મન હોય છે, અન્યને નહિ. સમધારણ સંજ્ઞાની વ્યાખ્યા કરી છે કે – “હાપોદવુti TUવોષવિનાભિ સણધારણસંજ્ઞા” --તત્ત્વાર્થભાષ્ય ૨.૨૫. આહારાદિ સંજ્ઞાને કારણે જે સંસી કહેવાય તેવા જીવો અહીં અભિપ્રેત નથી, એટલે કે મન તે તે સંસી જીવોને હોય, જેઓ સંપ્રધારણ સંજ્ઞાને કારણે સંસી કહેવાતા હોય. કરમું “સંયમ પદ : સંયમવિચાર સંયત, અસંયત, સંયતા સયત અને નોસંયતને અસંયતને સંયતાસંયત–એવા સંયમના ચાર ભેદને વિચાર સકલ જીવોમાં કરવામાં આવ્યો છે. તેને સાર એ છે કે નારક, એકેન્દ્રિયથી માંડી ચતુરિન્દ્રિય જીવો, વાણુવ્યંતર, તિષ્ક અને વૈમાનિક એ અસંયત હોય છે. પંચેન્દ્રિ તિ"ચ અસંયત અને સંતાસંમત હોય છે. મનુષ્યમાં પ્રથમ ત્રણ પ્રકાર છે, પણ સિદ્ધોમાં સંયમને ચોથે પ્રકાર નેસયતનેઅસંયતને સંયતાસયત છે (૧૯૭૪-૮૦). પદને અંતે આપેલ માથામાં સિદ્ધને વિચાર નથી. પરાગમનાં ૧૪ માગણધારમાં પણ એક દ્વાર સંયમને આધારે જીવોને વિચાર કરવાની પદ્ધતિ મહત્ત્વ ધરાવે છે, એમ કહી શકાય. પખંડાગમમાં સંયમઠારમાં સામાયિકશુદ્ધિસંયત, છેદેપસ્થાપનશુદ્ધિસંયત, પરિહારશુદ્ધિસયત, સૂક્ષ્મસં૫રાયશુદ્ધિસંયત, યથાખ્યાતવિહારશુદ્ધિસંયત સંયના સંયત અને અસયત–એવા ભેદ કરીને ૧૪ ગુણસ્થાનમાં તેને વિચાર છે, પુ. ૧, પૃ. ૩૬૮. ૩૪ મું “પ્રવિચારણા ૫૮: પરિચારણા (નવિચાર) પ્રજ્ઞાપનાના પ્રારંભમાં જ્યાં વિષયસૂચી આપી છે, ત્યાં પ્રસ્તુત પદ માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy