SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ s૮ નિર્દેશ છે તેથી પ્રયને ૩૬ પ્રકરણમાં વહેંચી દેવામાં આવ્યું છે અને પ્રત્યેક પ્રકરણને ‘પદ' એવું સામાન્ય નામ આપવામાં આવ્યું છે, જેની સૂચના તે તે પ્રકરણને અંતે સમાપ્ત થતા પ્રતિપાદ્ય વિષય સાથે આપવામાં આવી છે. આચાર્ય મલયગિરિ “પદની વ્યાખ્યા કરતાં કહે છે કે-“ઘä પ્રજરામ કથાધિર રૂતિ વાર પ્રજ્ઞાવનાર, પત્ર ૬ ! એટલે કે “પદ' શબ્દનો અર્થ અહીં પ્રકરણ કે અર્વાધિકાર એમ સમજવાનું છે. તે સમગ્ર ગ્રંથની રચના પ્રશ્નોત્તર રૂપમાં છે. પ્રારંભમાં ૮૧ સૂત્ર સુકી પ્રશ્નકર્તા કે ઉત્તરદાતા કે તેના વિષેની કેઈ સૂચના નથી, માત્ર પ્રશ્નો અને ઉત્તરે છે. પણ ત્યાર પછીના ૮૨મા સૂત્રમાં ભગવાન અને ગૌતમનો સંવાદ છે. વળી, ૮૩ થી ૯૨ માં સામાન્ય પ્રશ્નોત્તર દેખાય છે અને અચાનક ૯૩મા સૂત્રમાં ગૌતમ અને ભગવાનના પ્રશ્નોત્તરે છે. ત્યાર પછી વળી સામાન્ય પ્રશ્નોત્તરે ચાલુ થાય છે તે ૧૪૭મા સુધી ચાલે છે. પછીની રચનામાં જ્યાં ગૌતમ અને ભગવાનના પ્રશ્નોત્તર છે તે આ પ્રમાણે છે ઃ સૂત્ર ૧૪૮-૨૧૧ અર્થાત્ સમગ્ર બીજુ પદ, તીજા પદમાં સૂત્ર ૨૨૫-૨૫, ૩૨૫, ૩૩૦-૩૩૩; ચોથા પદથી બધાં જ પદના સૂત્રમાં છે. માત્ર પ્રારંભમાં, વચ્ચે કે અંતે આવતી ગાથાઓમાં અને સૂત્ર ૧૦૮૬માં તે નથી. અને એક અપવાદ છે, જેને પ્રારંભ આ પ્રમાણે છે. સૂત્ર ૩૩૪ “અહં મં! સવીવપ્ન રદ નહારં વત્તાફ્લાઈમ” –આ રીતે શિષ્ય (તે કહ્યું છે તે જાણવામાં આવે તેમ નથી) ગુરુની સમક્ષ મહાદંડક રચવાની પ્રતિજ્ઞા કરીને સર્વ જીવોનું અ૫–બહુત્વ વર્ણવે છે. આની ટીકામાં આચાર્ય મલયગિરિએ આ પ્રમાણે ખુલાસો કર્યો છે "अनेन एतद् ज्ञापयति-तीथ करानुज्ञामात्रसापेक्ष एव भगवान् गणधरः सूत्ररचनां प्रति प्रवत ते, न पुनः श्रुताभ्यासपुरःसरम् इति । यद्वा एतद् ज्ञापयति-कुशलेऽपि कर्मणि विनेयेन गुरुमनापृच्छय च प्रवर्तितव्यम्, किन्तु तदनुज्ञापुरःसरम् । अन्यथा विनेयत्वायोगात् ।"-पण्णवणाटीका, पत्र १६३ अ । આચાર્ય મલયગિરિ પોતે નિઃશંક નથી. તેથી વિકલ્પ બે બાબતો રજુ ૫. “સૂત્રમૂઃ પ્રજળનુ” ન્યાયવાર્તિક પૃ. ૧. ૯. આ જ મહાદડક ષટખંડાગમમાં પણ છે. તેની ચર્ચા આગળ આવશે. છે. પ્રારંભમાં જ આચાર્ય શ્યામ દષ્ટિવાદને આધારે પ્રજ્ઞાપનાની રચના કરે છે એમ - તેમણે જણાવ્યું છે, એટલે સંભવ છે કે પ્રસ્તુત ભાગ અંગનો અંશ હોય અને તે રીતે એને ગણધરની રચના કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy