SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ આત્મવાદી અને ક્રિયાવાદીનું સમીકરણ પણ કર્યું. આત્મવાદ વિના ક્રિયાવાદનું અસ્તિત્વ ટકી શકે નહીં એવું એમનું મંતવ્ય આથી સ્પષ્ટ થાય છે. એ આત્માના સ્વરૂપની ચર્ચા આચારાંગમાં જે છે તે આવી છે. સંસારી આત્મા કર્મબદ્ધ છે અને તેથી તે નાનારૂપે એટલે કે પછવનિકાયરૂપે અનુભવમાં આવે છે પણ તે જ્યારે મુક્ત થાય છે તે કાળે તેનું જ સ્વરૂપ છે તેનું સ્પષ્ટીકરણ કરતાં આચારાંગમાં કહ્યું છે : "सम्वे सरा नियति तक्का जत्थ न विज्जइ, मई तत्थ न गाहिया...से न दीहे, ન ટુસ્સે ન વ...ન જિદ્દે ન નહે...ન ફુથી ન પુરિસે...૩માં 7 વિજ્ઞg...... જ્યારે આ આત્મસ્વરૂપ જાણીએ છીએ ત્યારે આપણને ઉપનિષદોના બ્રહ્મ વિષેની કલ્પના યાદ આવી જાય છે. પણ અહીં એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે અને તે એ કે પછીના કાળે જે સિદ્ધોનું વર્ણન સ્થિર થયું છે તે આનું સંશોધિત રૂપ છે કારણ કે તેમાં પંચાસ્તિકાય અને દેહપરિમાણ આત્માની જે પરિભાષા સ્થિર થઈ તેના અનુસંધાનમાં સિદ્ધોના આત્મસ્વરૂપનું પણ સંશોધન કરવું અનિવાર્ય હતું. અહીં તેને દીર્ઘ કે હસ્વ હોવાને નિષેધ છે. જ્યારે પછીના કાળે સિદ્ધાત્માનું સ્વરૂપ હસ્વ કે દીર્ધ સંભવે છે એમ નિરૂપાયું છે. આચારાંગમાં આત્મા વિષે એક બીજી વાત પણ અહીં જાણવા મળે છે અને તે તેના સ્વરૂપ વિષે. તેમાં જણુવ્યું છે કે : "जे आया से विन्नाया, जे विन्नाया से आया, जेण विजाणइ से आया" આ ઉપરથી આત્મા એ વિજ્ઞાનમય છે એવું મંતવ્ય સિદ્ધ થાય છે અને તે ઉપનિષદોને મળતું આવે છે. પણ આ વિજ્ઞાનમય આત્માનું પ્રાચીન રૂપ જાળવીને પણ તેમાં સંશોધન કરવામાં આવ્યું કે આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ અને વર્ષ એ ચાર શક્તિઓ છે. આ સંશોધનના મૂળમાં પણ જેના પછીના કાળની આઠ કમની વિચારણાએ અને તેમાં પણ ઘાતકમની વિચારણાએ મુખ્ય ભાગ ભજવ્યો છે એ સ્પષ્ટ થાય છે. આચારાંગમાં મોક્ષ-નિર્વાણની કલ્પના તો છે પણ મુક્ત જીવોના સ્થાન વિષેની કોઈ કલ્પના કરવામાં આવી નથી. આ વિષે પણ પંચાસ્તિકાયની વિચારણા અને આત્માના દેહ-પરિણામની વિચારણું જ્યારે થઈ ત્યારે જ મુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy