Book Title: Gyan Tirthni Yatra
Author(s): Kavin Shah
Publisher: Rander Road Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/005519/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શાનતીર્થની યાત્રા જૈન સાહિત્યના વિવિધ લેખોનો સંચય પ્રકાશક : ડો. કવિન શાહ શ્રી રાંદેરરોડ જૈન સંઘ, સુરત For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનતીર્થની યાત્રા જૈન સાહિત્યના વિવિધ લેખોનો સંચય ઃ પ્રેરણા : પૂ.આ. શ્રી યશોવર્મસૂરિજી મ.સા. પૂ.આ. શ્રી સોમચંદ્રસૂરિજી મ.સા. : : પ્રકાશક : ડો. કવિન શાહ ૧૦૩-સી, જીવનજ્યોત એપાર્ટ, વખારીયા બંદર રોડ, પો. બીલીમોરા-૩૯૬૩૨૧ શ્રી રાંદેરરોડ જૈન સંઘ સુરત ©૭ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનતીર્થની યાત્રા Gyan Tirthni Yatra પ્રથમ આવૃત્તિ : સંવત ૨૦૬૮ આસો સુદ-૧૦ તા. ૨૪-૧૦-૨૦૧૨ નકલ : ૫૦૦ મૂલ્ય : ૨૦૦/ પ્રાપ્તિસ્થાન : ડો. કવિન શાહ ૧૦૩-સી, જીવનજ્યોત એપાર્ટમેન્ટ, વખારીયા બંદર રોડ, પો. બીલીમોરા-૩૯૬૩ર૧ ફોન : (૦૨૬૩૪) ૨૮૮૭૯૨ શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જેન જ્ઞાન મંદિર ગોપીપુરા, સુરત For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ <_ અપૅણ કે વીતરાગ પરમાત્મા મારા દેવાધિદેવ છે. પંચમહાવ્રતધારી જ્ઞાનદાતા સુસાધુઓ મારા ગુરુ છે. કેવળી ભાષિત જિનધર્મ એજ મારો તારક ધર્મ છે. ભવોદધિ તારક આ ત્રણની ભક્તિ-ઉપાસના નિમિત્તે કરકમળમાં હાર્દિક અર્પણ... For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર કાકડી જૈન સાહિત્યના સંશોધન-સંપાદન અને લેખન કાર્યમાં સહયોગ આપનાર પ.પૂ.સાધુ મહાત્માઓ, સંસ્થા અને શ્રુતજ્ઞાન રસિક સજ્જનોનો હાર્દિક આભાર અને અનુમોદના. ફ પ.પૂ. તપસ્વી વિદ્યાનું આ.વિજય પવયશસૂરિજી ( પ.પૂ.આ. પ્રદ્યુમ્નસૂરિજી પ.પૂ.આ. શીલચન્દ્રસૂરિજી પપૂ. શ્રુતોપાસકમુનિ સર્વોદયસાગરજી - પ.પૂ.આ. મુનિચન્દ્રસૂરિજી છે પ.પૂ. પંન્યાસશ્રી પુણ્યકીર્તિવિજયજી જે પ.પૂ. મુનિશ્રી સુયશચંદ્રવિજયજી સાધ્વીજી શ્રી વિરાગરશાશ્રીજી મ., ધૈર્યશાશ્રીજી મ. પ.પૂ. સાધ્વીજી શ્રી શાશ્વતયશાશ્રીજી મ. - શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ શ્રી કૈલાસ સાગરસૂરિ જ્ઞાન મંદિર, કોબા . એલ. ડી. ઈન્સ્ટીટયૂટ ઑફ ઈન્ડોલોજી, અમદાવાદ . જૈન વિશ્વભારતી લાડનૂ, રાજસ્થાન For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ લેખકનો પરિચય શાહ કવિનચંદ્ર માણેકલાલ (જન્મ સ્થળ : વેજલપુર, જ.તા. ૩૦-૭-૩૬) અભ્યાસઃ બી.એ. (ઓનર્સ), એમ.એ., બી.એ., ટી.ડી., એલએલ.એમ., પીએચ.ડી. ઈ.સ. ૧૯૫૫ થી ૧૯૬૬ સુધી ગજેરા, ડેરોલ સ્ટેશન અને દેલોલ હાઇસ્કૂલમાં શિક્ષક. ઈ.સ. ૧૯૬૬ થી ૧૯૯૬ સુધી ભાદરણ ખંભાત, કપડવણજ અને બીલીમોરા કોલેજમાં અધ્યાપક તરીકે સેવા કરીને હાલ નિવૃત્ત. હળવા નિબંધો, કાવ્ય, વાર્તા અને ધર્મ-સંસ્કૃતિ વિષયક લેખો લખવાનો શોખ. જૈન સાહિત્યમાં સર્જન અને સંશોધનપ્રવૃત્તિ. જૈન સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કર્યા બદલ “યશોભૂમિ સ્મારક ચંદ્રક વિજેતા. (કવિપંડિત વીરવિજયજી એક અધ્યયન.) વિશાનીમાં જૈન “દીપક એવોર્ડ મુંબઈ. સાહિત્ય, સંસ્કૃતિ શિક્ષણ કાયદો અને સમાજસેવાનાં ક્ષેત્રોમાં અભિરુચિ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન. ઈ.સ. ૧૯૭૦ના સપ્ટે. થી ૧૯૭૨ સુધીનો રા (અઢી) વર્ષનો અમેરિકાનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ, એમ.એ. (૧૯૭ર-જૂન), નોર્થ-ઈસ્ટર્ન યુનિ. બોસ્ટોન, હેલિસ્ટન, વેલેન્ડ, પ્રોવિડન્સ, સ્મિગફીલ્ડ, ફોલરીવર, વેસ્ટ ન્યૂટન, વોલ્વેમ, ફેમિંગહામ, બરલિંગ્ટન, વોશિંગ્ટન ડી.સી., ડેટ્રોઈટ, ફિલાડેલ્ફિયા, કેબ્રિજ, ચેકપોર્ટ વગેરે સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મવિષયક વાર્તાલાપ. શ્રી વિશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળ, વેજલપુર જૈન સંઘ, બીલીમોરા જૈન સંઘ, જૈન સોશ્યલગૃપ-બીલીમોરા, દક્ષિણ ગુજરાત યુનિ. પ્રધ્યાપક મંડળ-સુરત, વી.એસ. પટેલ કોલેજ-બીલીમોરા વગેરે સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર-એવોર્ડ પ્રાપ્તિ. શાળા-કોલેજ અને સેવાકીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પ્રસંગોચિત્ત પ્રવચન અને વાર્તાલાપ. સ્વ. કુસુમબેન સ્વ. કિરણ, અસ્તિ, કિંચિત્ (પુત્રો) પૂ. રમણયશાશ્રીની શિષ્યા (સ્વાતિ)શાશ્વતયશાશ્રીજી મ.સા. (પુત્રી) For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૮. 'ડો. કવિન શાહ લેખિત-સંપાદિત પુસ્તકોની યાદી ૧. બિબ-પ્રતિબંબ (કાવ્ય સંગ્રહ) ૨. લલ્લુની લીલા (હળવા નિબંધો) ૩. કવિરાજ દીપવિજય કવિ પંડિત વીરવિજયજી : એક અધ્યયન (મહાનિબંધનો સંક્ષેપ) શ્રાવક કવિ મનસુખલાલ (સંશોધન ગ્રંથ) જૈન સાહિત્યની ગઝલો ગઝલની સફર હરિયાળી સ્વરૂપ અને વિભાવના ૯. ફાગણ કે દિન ચાર (જૈન આધ્યાત્મિક હોળી ગીતો) ૧૦. નેમિવિવાહલો (હસ્તપ્રત સંશોધન) ૧૧. જૈન પત્ર સાહિત્ય ભાગ-૧ (મધ્યકાલીન) ૧૨. જૈન પત્ર સાહિત્ય ભાગ-૨ (અર્વાચીન) ૧૩. પૂછતા નર પંડિતા (પ્રશ્નોત્તર સંચય) ૧૪. બીજમાં વૃક્ષ તું (સંશોધન લેખ સંચય) ૧૫. લાવણી કાવ્ય સ્વરૂપ અને સમીક્ષા ૧૬. જૈન ગીતા કાવ્યોનો પરિચય ૧૦. કામ શાસ્ત્ર વિ.નો (મધ્યામિક લેખ સંચય) ૧૮. સમેતશિખર વંદુ જિન વીશ ૧૯. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો ૨૦. સાસરા સુખ વાસરા ૨૧. જૈન સાહિત્યનાં સ્વાધ્યાય ૨૨. અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય ૨૩. રાત્રિ ભોજન મીમાંસા ૨૪. જ્ઞાનતીર્થની યાત્રા ૨૫. “વેલી' કાવ્યસંગ્રહ (આગામી પ્રકાશન) * For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના જ્ઞાનતીર્થની યાત્રા પુસ્તક તૈયાર કરવા માટે જૈન સાહિત્યના જ્ઞાન અને ભક્તિ માર્ગની દ્રવ્ય અને ભાવયાત્રાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. તેના ફળસ્વરૂપે આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જૈન ધર્મની દૃષ્ટિએ તીર્થનું સ્વરૂપ, જ્ઞાનતીર્થ, સાધુતીર્થ અને માતાપિતા તીર્થ સમાન છે તેનો પણ પરિચય આપવામાં આવ્યો છે. તીર્થયાત્રા મોક્ષદાયક છે તેના પાયામાં જ્ઞાનયાત્રાનું મૂલ્ય અધિક આંકી શકાય. ઉપા. યશોવિજયજી અમૃતવેલની સઝાયના આરંભમાં જ સૌ પ્રથમ જણાવે છે કે - “ચેતન જ્ઞાન અજુવાળીએ” જ્ઞાનનો મહિમા અપરંપાર છે. જ્ઞાનસાગર અને શ્રુતસાગર સાત સમુદ્રને પાર કરી શકાય પણ જે જ્ઞાનસાગરની યાત્રા કરે તે ભવોદધિથી પાર પામી શકે છે. જૈન દર્શનમાં આવાં અનેક દષ્ટાંતો છે. તીર્થકર ભગવંત પણ તપ-જપ અને ધ્યાનના ત્રિવેણી સંગમથી જ્ઞાન પ્રાપ્ત કરે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને “સર્વજ્ઞ'ના બિરૂદને પામે છે. પછી જગતના જીવોને ભવ્યાત્માઓને સંસાર સમુદ્રથી પાર પામવા માટે સર્વ વિરતિ અને દેશવિરતિ ધર્મનો ઉપદેશ આપે છે. જ્ઞાનની આરાધનાથી જ્ઞાનનો ક્ષયોપશમ વધે છે અને આત્માના જ્ઞાન For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ગુણનો વિકાસ થતાં ભવાંતર આત્મા મોક્ષ સુખને પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરે છે. જ્ઞાનતીર્થની યાત્રા ઘેર બેઠાં ગંગા સમાન નિર્દોષ અને નિર્મળ જ્ઞાન દ્વારા અતુલિત આનંદનો આસ્વાદ કરાવીને આત્મા જ્ઞાન ગુણમાં સમાન બને છે. તેમાં ગણધર ભગવંતો, પૂર્વાચાર્યો અને જ્ઞાની મહાત્માઓએ સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી તથા અન્ય પ્રાદેશિક ભાષાઓમાં કેવળી ભાષિત” વચનોને ગદ્ય-પદ્યમાં સ્થાન આપ્યું છે. સુજ્ઞ વાચક વર્ગને માટે વર્તમાનમાં તો ગુજરાતી ભાષામાં પણ અનુવાદ-વિવેચન-વ્યાખ્યાન-સંચય અને લેખોનાં પુસ્તકો વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે તેનાથી જ્ઞાનપ્રાપ્તિની પ્રવૃત્તિ થઈ શકે છે. સમય અને સંજોગોનું બહાનું દૂર કરીને આત્માર્થીજનો પોતાના ક્ષયોપશમને આધારે જ્ઞાન પ્રાપ્ત કરીને આત્માને નિર્મળ બનાવે છે. કર્મ ખપાવે છે અને આત્માના જ્ઞાનગુણના વિકાસમાં પુરૂષાર્થ કરે છે. પાંચ પ્રકારના આચારમાં પ્રથમ જ્ઞાનાચાર છે ત્યારબાદ દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર છે. આત્માના અન્ય ગુણોનો વિકાસ અને તેના પાલનમાં જ્ઞાનાચાર પ્રથમ છે. અન્ય દર્શનોમાં પણ જ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવે છે. અહીં જ્ઞાનનો અર્થ શ્રુતજ્ઞાન-અધ્યાત્મ જ્ઞાન કે જે આત્માના શુદ્ધ-બુદ્ધ, નિરંજન નિરાકાર સ્વરૂપને પામવા માટે ઉપયોગી છે. એમ અર્થ સમજવાનો છે. વ્યવહાર અને અન્ય જ્ઞાન માત્ર ભૌતિક જીવન પુરતું જ મર્યાદિત છે જ્યારે શ્રુતજ્ઞાન સંસ્કારો ભવોભવ આત્માને સહયોગ આપીને જ્ઞાનવૃદ્ધિમાં શુભ નિમિત્ત બને છે. - જ્ઞાન તીર્થ, ધર્મ તીર્થ, સાધુ તીર્થ અને માતા-પિતા તીર્થ સમાન છે તેનો ઉલ્લેખ કરીને જ્ઞાનતીર્થનો મહિમા ગાવા માટે વિવિધ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ લેખોનો સંચય કરીને પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. જખડી, ચૂનડી, ગરબી, કડવો, નવરસો, જૈન ધર્મની દૃષ્ટિએ સ્ત્રીનાં રૂપક દ્વારા નિરૂપણ, ધૂવઉ, ચંદ્રાયણિ, ચોક, વિજ્ઞપ્તિપત્ર, ટબો, બાલાવરસ જેવાં અલ્પપરિચિત કાવ્યોની માહિતી દ્વારા જ્ઞાન માર્ગની વિસ્તાર પામેલી ક્ષિતિજનું દર્શન થાય છે. આ સિવાય સ્થૂલિભદ્ર, નેમનાથના જીવનના પ્રસંગોનું રસિક વાણીમાં નિરૂપણ થયેલી નવરસો” અને “બારમાસા' પ્રકારની કૃતિઓની સમીક્ષાત્મક નોંધ પ્રગટ કરીને જ્ઞાન, સાહિત્ય અને ધર્મ એમ ત્રણનો સુભગ સમન્વય સધાયો છે. સાધુ કવિઓની જ્ઞાનોપાસનાની સાથે એમની કવિ પ્રતિભાની વિશિષ્ટતાનું પણ દર્શન થાય છે. જ્ઞાન તીર્થની યાત્રા એ જ્ઞાન અને ભક્તિ માર્ગની દ્રવ્ય અને ભાવથી યાત્રા કરવા માટે આત્માર્થીજનો શુભ નિમિત્ત રૂપે સ્વીકારવા જેવું છે. ચાર પુરૂષાર્થમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. આ દરેકમાં પુરૂષાર્થ સમર્પણશીલ ભક્તિ અને સતત પરિશ્રમ અને ધીરજની આવશ્યકતા છે. આ રીતે પુરૂષાર્થ થાય તો અવશ્ય સત્ જ્ઞાનની દિવ્ય અનુભૂતિ થતાં આત્મા ત્યાગ-વૈરાગ્ય અને વિરતિ ધર્મમાં પ્રવૃત્ત થવા માટે સમર્થ બને છે. જ્ઞાનતીર્થની યાત્રા પુસ્તકની પ્રસ્તાવનામાં ધર્મતીર્થ, સાધુતીર્થ, જ્ઞાનતીર્થ અને માતા-પિતા તીર્થ સ્વરૂપ છે તેની માહિતી આપવામાં આવી છે. આ પુસ્તકના વિવિધ લેખો અંગે ભૂમિકારૂપે સંક્ષિપ્ત નોંધ આપી છે. પ્રસ્તાવના એ પુસ્તકના પ્રવેશદ્વાર સમાન છે. ધર્મતીર્થ સ્થાપનારા ચોવીશ તીર્થકર ભગવંતોને હું ભાવથી વંદન કરું છું. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ તીર્થ શબ્દનો મહિમા અપરંપાર છે. તેની વિશેષ માહિતી નીચે પ્રમાણે છે. તીર્થ શબ્દનો વ્યુત્પત્તિથી અર્થ જોઈએ તો - તથતિનેન તિ તીર્થમ્ જેના વડે તરાય તે તીર્થ છે. તીર્થના પ્રકાર જોઈએ તો નામ તીર્થ, સ્થાપના તીર્થ, દ્રવ્ય તીર્થ, ભાવ તીર્થ વગેરે. ધર્મપ્રધાન એજ ધર્મતીર્થ કહેવાય છે. તીર્થયાત્રા એ ભવ્યાત્માઓને ભવસાગરથી પાર પામવાનું મહાન નિમિત્ત સાધન છે. તીર્થપદની પૂજામાં તીર્થ વિશે વધુ માહિતી પ્રાપ્ત થાય છે. તીરથ પૂજા તીરથયાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિકાજ | પરમાનંદ વિલાસતાં જય જય તીર્થ જહાજ / ૧ શ્રી તીરથપદ પૂજો ગુણિજન જેહથી તરિકે તે તીરથ રે ! અરિહંત ગણધર નિયમા તીરથ ચઉવિક સંઘ મહાતીરથ રે / ૧ / લૌકિક અડસઠ તીર્થ રે તજીયે લોકોત્તરને ભજીયે રે.. લોકોત્તર દ્રવ્યભાવ દુભેદ થાવર જંગમ ભજીયે રે શ્રી ને ૨ // પુંડરીકાદિક પાંચે તીરથ ચૈત્યના પાંચ પ્રકાર રે ! થાવર તીરથ એહ ભણીને તીર્થયાત્રા મનોહાર રે શ્રી / ૩ / વિહરમાન વશ જંગમ તીરથ બે કોડી કેવળી સાથ રે | વિચંરતા દુઃખ દોહગ ટાળે જંગમતીરથ નાથ રે શ્રી || ૪ || સંઘચતુર્વિધ જંગમ તીરથ શાસને શોભાવે રે ! - અડતાલીસ ગુણે ગુણવંતા તીર્થપતિ નમે ભાવે રે શ્રી ! ૫ // ૧૦ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સંઘ ચતુર્વિધ જંગમ તીરથ તેમાં સાધુ ભગવંતોનો સમાવેશ થયો છે. સાધુ ભગવંતો વિવિધ ક્ષેત્રોમાં વિહાર કરીને વિચરે છે તેની સાથે શાસનની પ્રભાવનાનાં સુકૃત્યો પણ થાય છે. સાધુ ભગવંતો જૈન સમાજને જિનવાણીનો ઉપદેશ આપીને ધર્માભિમુખ કરે છે. સાધુ ભગવંતો તીર્થસ્વરૂપ છે. साधूनां दर्शनम् पुण्यं स्पर्शनात् पापनाशनम् । काले फलति तीर्थम् साधु सद्य समागम ॥ સાધુનાં દર્શન પુણ્યકાર્ય સમાન છે. એમના વંદન દ્વારા સ્પર્શનાથી પાપનો નાશ થાય છે. તીર્થયાત્રાનું ફળ તો જ્યારે યાત્રાએ જઈએ ત્યારે મળે છે. જ્યારે સાધુ ભગવંતના સત્સંગ-વંદનઆદિથી તુરત જ ફળ પ્રાપ્તિ થાય છે. સાધુઓ પંચમહાવ્રતધારી હોવા ઉપરાંત જીવે ત્યાં સુધી અહિંસા, સંયમ અને તપ દ્વારા આત્માનું કલ્યાણ કરે છે અને ભવ્ય જીવોને પોતાના આચારવિચારથી સંસાર સમુદ્રથી પાર પાડવાનો સન્માર્ગ દર્શાવવાનો મહાન ઉપકાર કરે છે એટલે સાધુતીર્થ સમાન ગણાય છે. સાધુતીર્થ: સંસાર સાગર તારવા જિનવાણી છે નૌકા લીલી, જ્ઞાની સુકાની મળ્યા વિના, એ નાવ પણ તારે નહીં, આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ દોહિલે મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ! ગુરુ બુદ્ધિનાવિક તું મળ્યો. साधूनां दर्शनं पुण्यं, तीर्थ भूता हि साधवं । तीर्थं फलति कालेन, सद्यः साधुः समागमः ॥ જ્ઞાનતીર્થઃ એ આત્માની અજ્ઞાનતા દૂર કરીને સમ્યકજ્ઞાન દ્વારા આત્મસિદ્ધિમાં અનન્ય પ્રેરક બને છે. વ્યવહાર જ્ઞાનમાત્ર આ ભવ ૧૧ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ પૂરતું જ જીવનનાં વ્યવહાર ચલાવવામાં મદદરૂપ છે જ્યારે સમ્યકજ્ઞાન તો આભવ-પરભવ અને ભવોભવ તેના સંસ્કારોનો પ્રાદુર્ભાવ કરીને આત્માને સન્માર્ગે દોરી જાય છે. આત્માના ગુણોનાં જ્ઞાનનો સમાવેશ થયો છે. જ્ઞાનથી સમકિત પામીને આત્મા ભવ ભ્રમણમાંથી મુક્તિ પામવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. સમ્યકજ્ઞાન કેવળી ભાષિત હોવાથી સર્વ સાધારણ જનતાને ઉપકારક છે. તેની આરાધનાથી અંતે આત્મા શાશ્વત મોક્ષ સુખની પ્રાપ્તિ કરે છે. જ્ઞાનથી મુક્તિ મળે, કર્મની નિર્જરા થાય, આત્માની સિદ્ધિ થાય અને અંતે અજરામર પદ સુધી પહોંચી શકાય છે. શાસ્ત્રમાં આવાં ઘણાં દૃષ્ટાંતો છે. જ્ઞાનના પાંચ પ્રકાર છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. ચારજ્ઞાન મૂંગા છે. ઉપયોગ મૂકે તો જાણી શકે. જ્યારે શ્રુતજ્ઞાન સ્વ અને પરના કલ્યાણ માટે ઉપકારી છે. એટલે શ્રુતજ્ઞાનનો મહિમા અપરંપાર છે. જ્ઞાનપંચમીની આરાધના એ જ્ઞાનતીર્થની સર્વોત્તમ આરાધના છે. વિધિપૂર્વકની આરાધનાથી ઉત્તરોત્તર સમ્યકજ્ઞાનની અપૂર્વ સંપત્તિ વૃદ્ધિ પામે છે અને આત્માના જ્ઞાનગુણનો વૈભવ દષ્ટિગોચર થાય છે. જ્ઞાનીની સેવાભક્તિ, સન્માન, જ્ઞાનનું રક્ષણ, જ્ઞાનના ગ્રંથો લખાવવા. પ્રાચીન હસ્તપ્રતોનું સંશોધન-પ્રકાશન અને અધ્યયન એ જ્ઞાનતીર્થની મહાન મંગલકારી યાત્રા છે. માટે જ્ઞાનોપાસના માનવભવની મહામૂલ્યવાન સંપત્તિ છે. હીરા, માણેક, મોતી, સુવર્ણ કે કરોડો રૂપિયાની સંપત્તિની તુલનામાં જ્ઞાન સંપત્તિનું મૂલ્ય અનેકઘણું ઊંચું છે. આ સનાતન સત્ય સમજાય તો જ્ઞાનતીર્થની યાત્રા થાય અને આત્માના જ્ઞાનગુણનો વિકાસ થતાં મોક્ષની અભિલાષા પૂર્ણ થાય. ૧૨ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ વીશ સ્થાનક પદની પૂજામાં જ્ઞાનતીર્થની પૂજા છે. તેની માહિતી નીચે પ્રમાણે છે. જ્ઞાનતીર્થની યાત્રાથી નવકારમંત્ર, નવપદ, નવતત્ત્વ, સ્યાદ્વાદ, અષ્ટકર્મ અને આવશ્યક સૂત્રોનું અર્થ સહિત જ્ઞાન પ્રાપ્ત થાય છે. પરિણામે આત્માના જ્ઞાન ગુણનો વિકાસ થતાં આત્મા ઊર્ધ્વગતિને પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. જ્ઞાનતીર્થની યાત્રા એટલે મોક્ષમાર્ગમાં પ્રયાણ કરવાનો રાજમાર્ગજ્ઞાન અને ક્રિયાનાં સમુચિત સમન્વય જ્ઞાનતીર્થની યાત્રાની સાચી સફળતા છે. કર્મની નિર્જરા, જ્ઞાનનો ક્ષયોપશમ અને ઉપયોગ જેવા ગુણોનો વિકાસ થાય એટલે આત્માની સદ્ગતિનું શુભ લક્ષણ સમજવું. દશદષ્ટાંતે દુર્લભ મનુષ્યભવ મળ્યા પછી જો કોઈ પુરૂષાર્થ કરવાનો હોય તો જ્ઞાનતીર્થની યાત્રા તીર્થયાત્રા (પ્રભુ ભક્તિ), તીર્થસમાન સાધુ ભગવંતોની ભક્તિ-વૈયાવચ્ચ, સુપાત્રદાનની યાત્રા અને અનંત ઉપકારી માતાપિતાની તીર્થસ્વરૂપ ભક્તિ અને સેવા એજ જીવનની સફળતા છે. આત્માના વિકાસનું સોપાન છે. ब्राह्मणानां धनंविद्या, क्षत्रियाणां धर्मं धनं । ऋषिणांच धनं सत्य, योषिता यौवनं धनं ॥ બ્રાહ્મણોનું ધન વિદ્યા-જ્ઞાન છે. ક્ષત્રિયોનું ધન ધર્મ છે. ઋષિઓનું ધન સત્યવચન છે અને સ્ત્રીનું ધન યૌવન છે. अन्नदानं महादानं, विद्यादान महत्तरम् । अन्ननक्षणिका तृप्ति, विज्जीवं तु विद्यया ॥ અન્નદાન મોટું દાન છે, વિદ્યા દાન અન્ન કરતાં પણ મહાન છે. અન્નથી ક્ષણિક તૃપ્તિ થાય છે જ્યારે વિદ્યાથી જીવે ત્યાં સુધી લાભ છે. ૧૩ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ विद्या नाम नरस्य रुपमधिकं प्रच्छन्नगुप्तं धनं । विद्या भोगकरी यशं, सुखकरी विद्या गुरुणांगुरुः ॥ विद्या बंधुजनो विदेश गमने विद्या परासेवता । विद्या रायसु पूजितान पुधनं विद्या विहानः ॥ वहन.... मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव गुरुदेवो भव ભવોભવ ઉપરોક્ત ગુરુઓનું શરણ મળે. ચરણોની સેવા કરવા મળે અને એમની સમીપ કૃપાથી જીવન નંદનવન સમાન બની આત્માનું કલ્યાણ કરે. भाता: (१) हस्तस्पर्शो हि मातृणाम् जलस्य जलाञ्जलीः । - प्रतिमानाटक ३.१३. માતાઓના હાથનો સ્પર્શ જલના અર્થ (જલવિનાના) વ્યક્તિઓ માટે જલની અંજલી સમાન છે. (२) गुरुपत्नी राजपत्नी ज्येष्ठपत्नी तथैव च पत्नीमाता स्वमाता च पञ्चैता मा ગુરુની પત્ની, રાજાની પત્ની, મોટાભાઈની પત્ની, પત્નીની भा, (सासु) तथा पोतानी मा म पांय भात भनाय छे. (३) सहस्त्रं हि पितुर्माता गौरवेणातिरिच्यते - बालरामायण - ४.३०. (ગૌરવ) મહત્ત્વની દૃષ્ટિથી માતા પિતાથી હજારગણી મોટી છે. ૧૪ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ (૪) નાપ્તિ માતૃસમાં છયા, નાપ્તિ માતૃસમા તિ: नास्ति मातृसमं त्राणं नास्ति मातृसमा प्रपा – જ્વપુરાણ ૨૦૩-૨૦૮. માતાની સમાન કોઈ છાંયા નથી. માતાની સમાન કોઈ ગતિ નથી. માતાની સમાન કોઈ સુરક્ષા નથી. માતાની સમાન કોઈ (પ્યાઉ) પરબ નથી. (५) माता गुरुतरा भूमेः स्यात् पितोच्चत्तरस्तथा मनः शीघ्रतरं वाताच्चिन्ता बहुतरी त्रयात् – મહાભારત વનપર્વ ૨૩-૬૦. માતા ભૂમિથી પણ ભારે છે. (મહત્ત્વપૂર્ણ છે) પિતા આકાશથી પણ ઊંચા છે. મન વાયુથી પણ અધિક તેજ છે પણ ચિંતા આ ત્રણથી પણ ચઢીયાતી છે. (६) मातरं पितरं चैव यस्तु कुर्यात् प्रदक्षिणम् । प्रदक्षिणी कृता तेन सप्तद्वीपा वसुन्धरा ॥ જે માતા અને પિતાની પ્રદક્ષિણા કરે છે. તેને સાત દ્વીપ સહિત પૃથ્વીની પ્રદક્ષિણા કરી એમ માનો. (७) हन्त । मातारे भवन्ति सुत्तानां मन्तवः किल सुतेषु – ચૈતન્ય વન્દ્રોદય .૬૨-ન માતુ.. માતાના પ્રત્યે પુત્રોનો અપરાધ થઈ શકે છે પણ પુત્રો પ્રત્યે માતાનો નહી. (નથી થતો) (૮) માતા પૂમિઃ પુત્રો મદં વ્યા: – અથર્વવેઃ ૨૨-૧-૨. ભૂમિ મારી માતા છે હું ભૂમિનો પુત્ર છું. ૧. પ = પરબ ૧૫ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ (९) जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચઢિયાતી છે. पिता: (१) यावन्तः पृथिव्यां भोगा यावन्तो जातवेदसि । यावन्तो प्राणिनां भूयात् पुत्रे पितुस्ततः ॥ - ऐतरेय ब्राह्मण : ७-३-२१. જેટલી પણ પૃથ્વી પર અગ્નિમાં અને પાણીમાં પ્રાણીઓનો (पोनो) भोछ तनाथ मपि पितानो पुत्रम छे. (२) जनकश्चोपनेता य यश्च विद्यां प्रयच्छति । अन्नदाता भयत्राता पञ्चैते पितरः स्मृताः ॥ અન્નદાતા, ઉપનયન સંસ્કારકર્તા, વિદ્યાપ્રદાન કરનાર, અન્નદાતા અને ભયથી રક્ષા કરવાવાળા આ પાંચ પિતા કહેવાય છે. (३) नह्यतो धर्माचरणं किञ्चिदस्ति महत्तरम् । यथा पितरि शुश्रुषा तस्य वा वचनक्रिया ॥ - वाल्मीकी रामायण (२-६-१२) એનાથી ચઢિયાતું બીજું કોઈ ધર્માચારણ નથી કે પિતાની સેવા અથવા એમનું કહેલું માને. (४) पितृदेवो भव - तैतरिय उपनिषद् १,११. પિતાને દેવ સમજો. (५) यज्ञान् वेदांस्तथा कामांस्तपांसि विविधानि च प्राप्नोत्यायुः प्रजाश्चैव पितृभकतो न संशयः - ब्रह्माण पुराण ३-११-६८. એમાં કોઈ શંકા નથી કે પિતૃભક્ત યજ્ઞો-વેદો-કામનાઓ અનેક પ્રકારના તપો આયુષ્ય તથા સન્તાનોને પ્રાપ્ત કરે છે. १ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનતીર્થની યાત્રા પુસ્તક અંગે. જ્ઞાનતીર્થની યાત્રા” પુસ્તકના પ્રથમ લેખ તરીકે જૈન સાહિત્યનો પ્રાથમિક પરિચય આપવામાં આવ્યો છે. પ્રાચીન સાહિત્ય તરીકે આગમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જૂની ગુજરાતી અને ગુજરાતી ભાષાનું સાહિત્ય અને અર્વાચીન જૈન સાહિત્ય વિશેના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. આ લેખને આધારે જૈન સાહિત્યનો પરિચય-ભૂમિકારૂપે છે. શ્રુતજ્ઞાનનો વિસ્તાર-પરંપરા એ અઅલિતપણે વિવિધ પ્રકારના સાહિત્યનો વિકાસ થયો છે અને તેના દ્વારા શ્રુતજ્ઞાનના વારસાનું સર્વ સાધારણ જનતાને આચમન કરવા માટે પ્રેરક બને છે. આ વિષય અંગે ઘણી માહિતી આ પુસ્તકમાં છે તેમજ લેખોમાં કેટલીક વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વિશેષ જ્ઞાન પ્રાપ્તિ માટે પુસ્તકોની સૂચી આપવામાં આવી છે. જ્ઞાનસાગર કહીએ તો આ શ્રુતસાગરની સફર આત્મશુદ્ધિ અને વૃદ્ધિનું દ્યોતક છે. પુસ્તકના વિવિધ લેખોનો ટૂંકો પરિચય જૈન સાહિત્યમાં વિવિધ કાવ્ય પ્રકારોની કૃતિઓ પ્રાપ્ત થાય છે. તેમાં “જકડી' (જખડી) કાવ્યપ્રકાર અરબી-ફારસી ભાષાના પ્રભાવથી રચાયો છે. શ્રી રતલામ જૈન જ્ઞાન ભંડાર તરફથી “જખડીના ૪ કાવ્યો મળ્યાં છે તે હસ્તપ્રતને આધારે પ્રગટ કરવામાં આવ્યાં છે. કાવ્યની સાથે તેનો સંક્ષિપ્ત સાર પણ આપવામાં આવ્યો છે. શ્રુતજ્ઞાન સંશોધક-સંરક્ષક અંચલગચ્છીય પ.પૂ. સર્વોદયસાગરજી મ.સા.ની કૃપાથી ઉપરોક્ત કાવ્ય પ્રકારની માહિતી મળી છે તેને આધારે જખડી' કાવ્ય પ્રગટ કરવામાં આવ્યાં છે. મૂળ અરબી-ફારસીમાં અલ્લાહની ભક્તિ નિમિત્તે “સૂફી' મતવાદી સંતોએ તેનો પ્રયોગ કર્યો હતો. જૈન સાહિત્યનાં જખડી કાવ્યોમાં મોક્ષ પ્રાપ્તિના રાજમાર્ગના ૧૭. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ તાત્ત્વિક વિચારોનો સમાવેશ થયો છે. એક નવો જ કાવ્યપ્રકાર જૈન સાહિત્યની સમૃદ્ધિનું પ્રતીક છે. જૈન ગૂર્જર રચનાએ પુસ્તકમાં પ્રાચીન કાવ્યોનો સંચય થયો છે. તેમાં “ધૂવઉ' કાવ્યની એક કૃતિ પ્રાપ્ત થાય છે. તેમાં મુખ્યત્વે ગુરુ મહિમા ગાવામાં આવ્યો છે. ગુરુ અમર છે. શાશ્વત છે એ અર્થમાં આ કાવ્ય રચાયું છે. ગુરુ મહિમા શાશ્વત છે. જિનચંદ્રસૂરિ કાવ્યમાં આચાર્યનો સંક્ષિપ્ત પરિચય પ્રાપ્ત થાય છે. . અષ્ટમંગલ' કાવ્યમાં અષ્ટ પ્રતીકોનો અર્થ આપેલ છે. અને ભગવાનના દીક્ષાકલ્યાણકમાં અષ્ટમંગલ પ્રભુની આગળ સ્થાન ધરાવે છે. શાંતિ સ્નાત્રમાં અષ્ટમંગલની પૂજા થાય છે અને જિન મંદિરમાં પણ પ્રભુની આગળ અષ્ટમંગલની પાટલી હોય છે. “મંગલ' એટલે કલ્યાણકારી અષ્ટમંગલની વિવિધ પ્રકારની માહિતી આ લેખમાં આપવામાં આવી છે. ચંદ્રાયણિ' કાવ્યપ્રકાર અલ્પ પરિચિત હોવાની સાથે પ્રાચીન છે. ચંદ્રની કળાની સુદમાં વૃદ્ધિ અને વદમાં કળા ઘટે છે. તેવી રીતે સ્થૂલિભદ્ર અને કોશાની ૧૨ વર્ષના ભોગવિલાસનું વર્ણન એ ચંદ્રકળાની વૃદ્ધિ સમાન શૃંગાર રસથી ભરપૂર છે. જ્યારે ચંદ્રની કળા ઘટતી જાય છે ત્યારે કોશાના વિરહની અવસ્થાનું નિરૂપણ થયું છે એટલે આ કાવ્ય શૃંગાર અને વિરહ રસની રસિકતાથી આસ્વાદ્ય બને છે. કાવ્યની દૃષ્ટિએ કવિ પ્રતિભા કલ્પનાશક્તિની અને મંજુલ પદાવલીઓ ભાવવાહી છે. ચોક કાવ્ય એકપ્રકારની ગાવાની પદ્ધતિ છે. શૈલી તરીકે પ્રસિદ્ધ છે. નેમ રાજુલની જુગલ જોડાના ગુણગાન ગાવાની રચના “નેમજીનો ચોક' કહેવાય છે. આ પ્રકારની કાવ્યકૃતિ માત્ર નેમજીના સંદર્ભમાં પ્રાપ્ત થાય છે. શેરીની ખુલ્લી જગામાં સમૂહમાં ગાવાની ૧૮ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પદ્ધતિ આ કાવ્યમાં નિહાળી શકાય છે. ભક્તિ અને આનંદ ઉત્સાહના પ્રતીક સમાન કાવ્ય છે. સ્થૂલિભદ્ર “નવરસો' કાવ્યમાં રસ અને ભાવપૂર્ણ અભિવ્યક્તિ દ્વારા સ્થૂલિભદ્ર અને કોશાના ચિત્તના વિચારોને વ્યક્ત કરવામાં આવ્યા છે. આ કાવ્યપ્રકારમાં રસ કેન્દ્રસ્થાને હોવાથી હૃદયસ્પર્શી રચના તરીકે કાવ્યની દૃષ્ટિએ ઉત્તમ ગણાય છે. કવિની કલ્પનાશક્તિ અને પ્રસંગોચિત રસનિરૂપણ આકર્ષક છે. આ પ્રકારની ત્રણ કૃતિઓનો પરિચય આપવામાં આવ્યો છે. નેમનાથ “નવરસો” નેમ રાજુલના વિખ્યાત જીવનના પ્રસંગોને કેન્દ્રમાં રાખીને રચના થઈ છે. તેમાં રાજુલના વિરહની અભિવ્યક્તિ રસિક વાણીમાં થઈ છે. આ કાવ્ય પ્રકાર પણ સૌ કોઈને આસ્વાદ્ય બને તેમ છે. કારણ કે શૃંગાર અને કરૂણ આબાલ ગોપાલને પ્રભાવિત કરે છે. આ પ્રકારની ત્રણ કૃતિઓ પ્રગટ કરવામાં આવી છે. સાહિત્યનાં વિશિષ્ટ લક્ષણોમાં “રસનું મહત્ત્વ વિશેષ છે. કાવ્યરચનામાં “રસ” નિરૂપણ આકર્ષક અને હૃદયસ્પર્શી બને છે. જૈન ધર્મની દૃષ્ટિએ “રસની માહિતી દિગંબર મતના ‘સમયસાર' ગ્રંથને આધારે પ્રગટ કરવામાં આવી છે. સાહિત્યમાં રસનિરૂપણ કરતાં રસનું આધ્યાત્મિક અર્થઘટન આત્માને સ્વ-સ્વરૂપમાં લીન થવા ઉપકારક છે. જગડૂશાનો “કડવો’ એ વીરપ્રશસ્તિ કાવ્ય છે. જૈન સાહિત્યમાં વિરતાનો અર્થ દયાવીર, દાનવીર, ધર્મવીર, યુદ્ધવીરનો છે તે પૈકી જગડૂશાનું જીવનચરિત્ર એ “દાનવીરતાના સંદર્ભમાં છે. “કડવો” એ વીરતાને બિરદાવતી કાવ્યરચના છે. યુદ્ધમાં શૂરાતન ચઢાવવા માટે કડવા ગવાય છે તે ઉપરથી દાનવીરતાના સંદર્ભમાં આ રચના છે. ૧૯ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજીએ “નવરસમય નવકાર નામની પુસ્તિકા પ્રગટ કરી છે તેમાં નવકારના નવપદનું અર્થઘટન સાહિત્યમાં નવરસ સમાન દર્શાવ્યું છે. નવકાર એ ચૌદ પૂર્વનો સાર છે એટલે તેનું રસના સંદર્ભમાં અવનવી આધ્યાત્મિક કલ્પનાઓ કરીને નવકારનું રસમય નિરૂપણ કરીને તેનો મહિમા ગાવામાં આવ્યો છે. તેને આધારે “નવકારમાં નવરસ' લેખનું સંકલન કરીને પ્રગટ કર્યો છે. ઋતુ કાવ્ય તરીકે બારમાસ-માસા કાવ્યપ્રકાર જૈન-જૈનેતર સાહિત્યમાં પ્રચલિત છે. વર્ષના બારમાસાના સંદર્ભમાં નાયિકાની વિરહની વેદનાને વાચા આપવામાં આવી છે. કરૂણારસ અને નેમરાજુલ પદાવલીઓની સાથે વિશિષ્ટ કલ્પનાના સમન્વયથી આ કાવ્યપ્રકારમાં કવિ પ્રતિભાની સાથે કાવ્યગત લક્ષણો ચરિતાર્થ થયાં છે. તેમાં પ્રકૃતિની પશ્ચાદ્ભુમિકા કાવ્યને ચારચાંદ લગાવી સૌંદર્ય વૃદ્ધિ કરે છે. પાર્શ્વનાથ, નેમનાથ અને સ્થૂલિભદ્રના જીવનના પ્રસંગોને કેન્દ્રમાં રાખીને આ પ્રકારનાં કાવ્યો રચાયાં છે તેમાં પાર્શ્વનાથ બારમાસા અને તેમનાથ બારમાસાની કૃતિઓ પ્રગટ કરવામાં આવી છે. મધ્યકાલીન સાહિત્યમાં આ પ્રકારનાં કાવ્યો કવિતાની કસોટીએ મૂલ્યાંકન કરતાં સર્વોત્તમ ગણાય છે. તાડપત્રીય હસ્તપ્રતને આધારે “ઉપદેશમાળાદિ શીર્ષકથી ઉપદેશાત્મક વિચારોની માહિતી આપવામાં આવી છે. નમૂનારૂપે તાડપત્રીય હસ્તપ્રત પ્રગટ કરવામાં આવી છે. અર્વાચીન કાળમાં પ.પૂ.રત્નયશવિજયજીએ પૂજા સાહિત્યમાં નૂતન વિષયો સ્વીકારીને રચના કરી છે. એમનું પૂજા સાહિત્યનું પ્રદાન ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. પૂ.શ્રીની પૂજા પ્રકારની ૬ ૨૦ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ કૃતિઓની સમીક્ષાત્મક નોંધ આ લેખમાં પ્રગટ કરવામાં આવી છે. આ લેખ જ્ઞાન અને ભક્તિના સમન્વયથી સમૃદ્ધ છે. ચૂનડી (ચૂંદડી) લગ્નપ્રસંગે કન્યાને ચૂંદડી ઓઢાડવાનો રિવાજ છે. કન્યા સાસરે જાય છે અને લગ્નજીવન શરૂ થાય છે. જૈન સાહિત્યમાં ચૂનડીનો સંદર્ભ ચારિત્ર-દીક્ષા સાથે છે. કવિ મેઘવિજય અને માણેકમુનિની ચારિત્ર ચૂંદડીની રચના સંયમનો મહિમા દર્શાવીને સ્ત્રી-પુરૂષ બંને મોક્ષનગરના સાસરે જઈને શાશ્વત સુખમાં વિલસે છે. આ પ્રકારની કૃતિઓ સંશોધનથી પ્રાપ્ત થઈ છે. મધ્યકાલીન સાહિત્યમાં ભક્તિ માર્ગની રચનાઓ વિવિધ પ્રકારની છે. તેમાં આ.બુદ્ધિસાગરસૂરિની “ગરબી પ્રકારની પાંચ રચના પ્રાપ્ત થાય છે. જો કે તેનાં ગરબીનાં લક્ષણોનું પ્રમાણ થોડું છે પણ ભક્તિન માર્ગની વિચારધારાનું અનુસરણ થયું છે. પતિવ્રતા સ્ત્રી અને પતિનાં લક્ષણોની ગરબી આદર્શ પતિ-પત્નીનો સંદર્ભ દર્શાવે છે. જૈન સાહિત્યના કાવ્યપ્રકારોનાં અલ્પ પરિચિત એવી આવી કૃતિઓ વાચક વર્ગને જાણવા અને રસાસ્વાદમાં ઉપયોગી નીવડે તેમ છે. સાક્ષરરત્ન લેખ ચરિત્રાત્મક છે. વિનયસાગર મહામહોપાધ્યાયના જીવનની શ્રુતસાધનાનો પરિચય આપવામાં આવ્યો છે. શ્રાવક વર્ગમાં પણ આવા સાક્ષરો વિદ્યમાન છે એમની શ્રુતસાધના અને સંશોધન પ્રવૃત્તિ વર્તમાન અને ભવિષ્યના શ્રુતસાધકોને માટે પ્રોત્સાહનરૂપ છે. વૈદ્યરાજ અને યમરાજના કાર્યથી જીવનનું શ્રેય થવાનું નથી. સાચા વૈદ્યરાજ તો દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા છે કે જે ભવભ્રમણાનો અનાદિનો રોગ લાગુ પડ્યો છે તેનો જડમૂળથી નાશ કરે છે. એટલે સાચા વૈદ્યરાજને ઓળખીને જીવન નૈયા ચલાવવી જરૂરી છે. ૨૧ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ભગવંતે માર્ગાનુસારીના ૩૫ બોલનો ઉપદેશ આપ્યો છે તેનું પાલન અને શુભ કર્મની પ્રવૃત્તિથી સમસ્યાઓનું નિરાકરણ થાય છે. કર્મસત્તાનો પ્રભાવ વિચારીને “અહો અહો સાધુજી સમતા દરિયા સમતા ધર્મનું મન, વચન અને કાયાથી પાલન એજ સાચી શાંતિ છે. જૈન સાહિત્યના ગ્રંથોને સમજવા માટે પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં ટબો અને બાલાવબોધની મોટી સંખ્યામાં ગ્રંથો-હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે તેના નમૂનારૂપે નવકાર અને જીવવિચારની સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે. આ પ્રવૃત્તિ જ્ઞાનના ક્ષયોપશમ ઉપર આધારભૂત છે. તાત્ત્વિક ગ્રંથો આત્મસાત્ કરવા માટે આ પ્રકારની શૈલી ઉપયોગી નીવડે છે. વિજ્ઞપ્તિ પત્રની રચનારીતિ કાદંબરી શૈલીનું અનુસંધાન કરે છે. મધ્યકાલીન સમયમાં આવા પત્રો લખાયા હતા. તેમાં સીમંધર સ્વામી, આદીશ્વર, મહાવીર સ્વામી આદિને ભક્તોએ વિજ્ઞપ્તિ પત્ર લખીને ભક્તિની સાથે આત્માનો ભક્તનો ઉદ્ધાર કરવા માટેના ભાવવાહી પંક્તિઓ દ્વારા વિનંતી કરી છે. પૂ. સાધુ મહાત્માઓને ચોમાસાની વિનંતી, જિનશાસનની પ્રભાવનાના કાર્યો માટે વિનંતી કરતા પત્રો પણ લખાયા છે. આ પત્ર અંચલગચ્છની ધર્મસૂરીશ્વરજીને ચોમાસાની વિનંતીરૂપે લખાયા છે. વિનંતી કરતાં તો પત્રની શૈલી અને આ ધર્મસૂરીશ્વરજીનો પરિચય એજ પત્રનું નવલું નજરાણું છે. હસ્તપ્રતને આધારે પૂ. સુયશચંદ્રવિજયજી મ.સા.ના સહયોગ અને પ્રેરણાથી આ પત્રનો પરિચય છાપવામાં આવ્યો છે. વિવેકબત્રીશી એ સંખ્યામૂલક કાવ્યરચના છે. તેમાં “વિવેક'ના ગુણનું મહત્ત્વ દર્શાવતા વિચારોનો સમાવેશ થયો છે. વિવેકભ્રષ્ટ ૨૨ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ સર્વત્ર વિનાશને પામે છે એમ સમજીને વ્યવહાર અને ધર્મ કાર્યોમાં વિવેક સાચવવો અનિવાર્ય છે. સજ્જન માણસો વિવેકપૂર્ણ વ્યવહાર કરીને જીવનમાં શાંતિનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. સુખ વિશે વિવિધ પ્રકારની માન્યતા પ્રવર્તે છે. ધર્મની દૃષ્ટિએ શાશ્વત સુખ એજ સનાતન સત્ય અને પુરૂષાર્થથી પ્રાપ્ત કરવા લાયક છે. ભૌતિક સુખના પુરૂષાર્થથી શાશ્વત સુખ હજારો-લાખો યોજન દૂર રહે છે. વધાવા કાવ્યો વધામણી-ખુશખબરના અર્થના છે. તેમાં તીર્થકર ભગવાનના કલ્યાણકના પ્રસંગોનું ભક્તિભાવપૂર્વક વર્ણન થયું છે. ભક્તિમાર્ગની આ રચના આસ્વાદ્ય છે. અસ્તુ... તા. ૨૫-૭-૨૦૧૨ ડૉ. કવિન શાહ બીલીમોરા ૨૩ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ગુરૂ વિક્રમસૂરીભ્યો નમો નમઃ | શ્રી ગુરૂદેવ આચાર્યદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સાનો ' મિતાક્ષરી પરિચય... જિનશાસનના બહુશ્રુત ગીતાર્થ તીર્થ પ્રભાવક આચાર્યશ્રી વિક્રમસૂરિ મ.સા.ની જન્મભૂમિ વડોદરા જિલ્લાનું છાણી ગામ છે. છાણી ગામની પુણ્યવંતી ભૂમિમાંથી ઘણા સાધુ-સાધ્વીજી દીક્ષિત થયા છે. એવી ભૂમિના એક પનોતા પુત્ર આચાર્ય વિક્રમસૂરિ મ.સા.નો જન્મ સંવત ૧૯૭રના જેઠ સુદ પાંચમના થયો હતો. પિતાનું નામ છોટાલાલ ચોક્સી અને તેમની માતાનું નામ પસન્નબેન હતું. તેમના માતા-પિતાએ બાલુ નામ પાડ્યું હતું. પૂર્વ જન્મના પુણ્યોદયે દીક્ષાની શુભ-ભાવનાથી માતાની સંમતિથી પૂજય પિતાશ્રી છોટાલાલભાઈની સાથે બાબુએ સંવત ૧૯૮૬માં જેઠ સુદ-૩ના રોજ ચાણસ્મા ગામમાં પૂ.આ.ભ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા. પાસે દીક્ષા અંગીકાર કરી. પિતા છોટાલાલભાઈ – મુક્તિવિજય મ.સા.ના નામથી... તેમજ બાબુ - વિક્રમવિજય મ.સા.ના નામથી મોક્ષમાર્ગના યાત્રી બન્યા. તેમની પહેલા વિક્રમવિજય મ.સા.ના વડિલબંધુ નગીનભાઈએ ૧૯૮૨માં સૂરતમાં કા.વ.-૬ના પૂ.આ.ભ. કમલસૂરીશ્વરજી મ.સા.ના હાથે દીક્ષા લીધી હતી અને પૂ.આ.ભ.લબ્ધિસૂરિ મ.સા.ના શિષ્ય બન્યા હતા. ગુરૂદેવની નિશ્રામાં આજીવન રહીને સંસ્કૃત-પ્રાકૃત-વ્યાકરણ ૨૪ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય-કોશ-પ્રકરણ ગ્રંથો-૪૫ આગમો નિર્યુક્તિ-ચુણિ-વૃત્તિ-ભાસ્યટીકા-ન્યાસનો અભ્યાસ કર્યો હતો. વિશિષ્ટ ક્ષયોપશમના કારણે પૂ.આ.ભ. મુનિ ભગવંતો-શ્રાવકો શાસ્ત્રપાઠો પૂછતા ત્યારે તુરત શાસ્ત્રપાઠો - ગ્રંથોમાંથી શોધી આપતા હતા... જાણે ૪૫ આગમો કંઠસ્થ ન હોય... તેટલા અને તેવો ક્ષયોપશમ હતો. સંવત ૨૦૧૧માં માગસર સુદ પાંચમ (૫)ના રોજ સિદ્ધગિરિની શીતલછાયામાં પૂ.આ.ભ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા. પોતાના શિષ્ય તથા પંન્યાસ પદવીથી વિભૂષિત કર્યા હતા. અદ્વિતીય વૈયાવચ્ચ કરીને ૨૦૧૭માં ઉપાધ્યાય જયંતવિજય મ.સા. તથા પંન્યાસ વિક્રમવિજય મ.સા. ગુરૂદેવને પરમ સમાધિમય બનાવ્યા હતા. એક મહિના સુધી ૨૪ ક્લાક નવકાર મહામંત્ર સંભળાવીને પરમ સમાધિ પ્રાપ્ત કરાવી હતી. સંવત ૨૦૧૨માં વૈશાખ સુદ-૬ના રોજ સંગમનેરમાં (મહારાષ્ટ્ર) પૂ.આ.ભ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય ભુવનતિલકસૂરિ મ.સા. ઉપાધ્યાય જયંતવિજય મ.સા.ને તથા પંન્યાસ વિક્રમવિજય મ.સા.ને આચાર્યપદથી અલંકૃત કર્યા. ઉપાધ્યાય જયંતવિજય મ.સા., આચાર્ય જયંતસૂરિ મ.સા.થી તેમજ પંન્યાસ વિક્રમવિજય મ.સા. આચાર્ય વિક્રમસૂરિ મ.સા.ના નામથી ખ્યાતિ પામ્યા. પૂજ્યશ્રીએ સૂરિમંત્રની પાંચે પિઠિકાની આરાધના કરી છે. સંવત ૨૦૨૮ વૈશાખ સુદ-૬ના રોજ સમેતશિખરજી તીર્થમાં સકલસંઘ સમક્ષ પૂ.આ.ભ. જયંતસૂરિ મ.સાહેબે, પૂ.આ.ભ. વિક્રમસૂરિ મ.સા.ને તીર્થપ્રભાવક પદથી અલંકૃત કર્યા હતા. પૂજ્યશ્રીના શાસન પ્રભાવક કાર્યોની તેમજ છ'રી પાલિત સંઘયાત્રાના કાર્યો જૈન શાસનના ઈતિહાસમાં ચિરસ્મરણીય સ્થાન પામ્યા છે જેની આછેરી ઝાંખી કરાવતી માહિતી જણાવેલ છે. ૨૫ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧. જાલનાથી અંતરીક્ષજી તીર્થ.... ૨. બાલાપુરથી અંતરીક્ષજી તીર્થ... ૩. જુન્નરથી મંચર... ૪. હૈદ્રાબાદથી કુલપાકજી તીર્થ... ૫. હૈદ્રાબાદથી ફુલપાકજી તીર્થ... ૬. સિકંદ્રાબાદથી સમેતશિખરજી તીર્થ... ૬ મહિના ૭. કલકત્તાથી પાલીતાણા તીર્થ... ૨૦૧ દિવસ ૮. બીજાપુરથી કુલપાકજી તીર્થ... ૯. સેલમથી પુડલ તીર્થ... ૧૦. અમદાવાદથી પાલીતાણા તીર્થ... પૂજ્યશ્રીજીની નિશ્રામાં સંવત ૨૦૨૪ના મદ્રાસ ચાતુર્માસમાં ૪૫ ઉપવાસ. માસક્ષમણથી લઈને ૧૨૦૦ થી અધિક અઠ્ઠાઈ તપશ્ચર્યા ચતુર્વિધ સંઘમાં થઈ હતી. ખંભાતમાં ૧૦૮ માસક્ષમણ ચતુર્વિધ સંઘમાં થયા હતા અને આ તપસ્વી શ્રાવક-શ્રાવિકાઓને સમેતશિખરજી મહાતીર્થની યાત્રા કરાવી હતી. પૂજ્ય ગુરૂદેવની પ્રેરણાથી અને કૃપાથી પૂ. સાધ્વી ગીતપદ્માશ્રીજી તથા દીપયશાશ્રીજીએ પાંચ વર્ષમાં ૨૦ માસ ક્ષમણની ઉગ્ર તપશ્ચર્યા કરી તથા ૬૮ ઉપવાસ. ૫૧ ઉપવાસ વિગેરે કરીને તપધર્મનો જય જયકાર થયો હતો. આ પ્રસંગે જિનભક્તિનો રંગ જામ્યો હતો. તપસ્યા કરતાં કરતાં હો ડંકા જોર બજાયા હો...ની ઉક્તિ ચરિતાર્થ થઈ હતી. પૂજ્યશ્રીએ ભક્તામર સ્તોત્રની સતત ૧૮ વર્ષ સુધી આરાધના કરીને સિદ્ધ કર્યું હતું. વિપતિના સમયે આ સ્તોત્રના પ્રભાવથી પ્રતિકુળતાઓ દૂર થઈ હતી. શાંત થઈ હતી. પૂજ્યશ્રીજી દરરોજ દેરાસરમાં સમૂહમાં ભક્તામર સ્તોત્રથી પ્રભુભક્તિ કરતા હતા. આજે સંવત ૨૦૨૨ સંવત ૨૦૨૨ સંવત ૨૦૨૪ સંવત ૨૦૨૬ સંવત ૨૦૨૭ સંવત ૨૦૨૮ સંવત ૨૦૩૦ સંવત ૨૦૩૪ સંવત ૨૦૩૮ ૨૦૪૦ ૨૬ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ઘણા ગામોમાં-સંઘમાં, દેરાસરમાં સમૂહમાં મંગલ પ્રભાતે ભક્તામર સ્તોત્રથી પ્રભુ ભક્તિ કરીને ભાવિક ભક્તો ભક્તિમાં તલ્લીનતાવાળા બને છે. પૂજ્યશ્રીજીએ ભક્તામર પૂજનનું સંકલન કર્યું છે. આ ભક્તામર પૂજન પ્રથમ શાંતિનગર અમદાવાદમાં ભણાવવામાં આવ્યું હતું. એક સાધ્વીજી મ.સા.ના બન્ને પગ અટકી ગયા હતા અને બન્ને પગની નસો સુકાઈ ગઈ હતી. આ ભક્તામરના પૂજન વખતે ભક્તામર સ્તોત્રના પ્રભાવથી ચમત્કારી રીતે નવચેતનાને પામી. અને બન્ને પગે સંપૂર્ણ સારું થઈ ગયું હતું. ત્યારથી દરરોજ ૨૦ કિ.મી.નો વિહાર કરી શકે છે. પૂજ્યશ્રીએ માદરે વતન છાણીમાં ચાતુર્માસ ૨૦૧૩ પૂજ્યશ્રી સાથે કર્યું. માતાની પરમ સમાધિ થાય તે રીતે માતાને અંત સમય સુધી શ્રાવિકાના ઉપાશ્રયમાં નમસ્કાર મહામંત્ર સંભળાવીને આરાધના કરાવી હતી. માતાને પરમ સમાધિ પ્રાપ્ત કરાવી હતી. પૂજ્યશ્રીએ ગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની સાથે રહીને દ્વાદશાર નયચક્ર ગ્રંથનું સંપાદન કાર્ય કરવા સફળ બન્યા હતાં અને સંસ્કૃતમાં સુંદર પ્રસ્તાવના લખી છે. તથા બીજા આગમોનું સંપાદન તથા પ્રસ્તાવનાઓ લખી છે. ગુજરાતીમાં તત્ત્વાર્થસૂત્રના પાંચમાં અધ્યયનનું વિસ્તારથી વિવેચન લખ્યું છે. તે અધ્યયન ન્યાયથી ભરેલું છે. લોગસ્સસૂત્ર સ્વાધ્યાય પુસ્તકનું સંપાદન કર્યું છે. પૂજ્યશ્રીજીની નિશ્રામાં અંજનશલાકા - પ્રતિષ્ઠા - જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ - ઉપધાન તપ - શાશ્વતી ઓળીની આરાધના - દીક્ષા - પદવી દાન સમારોહ છ'રી પાલીત યાત્રા જેવા સુકૃતો સ્વ-પરના કલ્યાણાર્થે થયાં હતાં... શાસન પ્રભાવના કાર્યોની ભૂરિ-ભૂરિ અનુમોદના કરીએ... પૂજ્યશ્રીની પ્રેરણાથી ભરૂચ તીર્થનો તીર્થોદ્ધાર થયો... ભરૂચ તીર્થમાં જિનાલયનું નિર્માણ થયું છે તથા વિશ્વમાં સહુ પ્રથમ શકુનિકા ૨૭ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ વિહારમાં ભક્તામર મંદિર જિનાલયના ભોયરામાં સાકાર થયેલ છે જે આખું જિનાલય અત્યંત દર્શનીય છે. પૂજ્યશ્રીનો પ૭ વર્ષનો દીક્ષા પર્યાય હતો. પૂજ્યશ્રીના અંતિમ બે ચોમાસા અમદાવાદમાં થયા. અંતિમ ચોમાસુ ધરણીધર ગૌરવ બંગલામાં થયેલ હતું... છેલ્લા બે વરસમાં શરીર ઉપર રોગનો ઘણો હુમલો થયો હતો. શરીરના સ્નાયુઓ સુકાતા જતા હતા. બોલવાનું પણ બંધ થતું હતું. તેમાં પણ પોતાની નિત્ય આરાધના દેરાસરમાં ચૈત્યવંદન... ભક્તામરસ્તોત્રનો પાઠ તથા સૂરિમંત્રનો ત્રિકાળ જાપ ચાલુ હતો. ડૉક્ટરી ઉપચાર.... વૈદ્યના ઉપચાર ચાલુ હતાં તો પણ આસો વદ-૧૩ના રોગનો હુમલો વધી ગયો. સંવત ૨૦૪૨, આસો વદ-૧૪ દિવાળીના દિવસે ચતુર્વિધસંઘના મુખેથી નવકારમંત્રનું શ્રવણ કરતા કરતા સમાધિ મરણને પામ્યા. તેમની અંતિમ યાત્રા ધરણીધર - ગૌરવ બંગલાથી નિકળીને શાંતિનગર પહોંચીને ત્યાં અંતિમ (અગ્નિ) સંસ્કાર થયેલ અને ત્યારબાદ ત્યાં ગુરુમંદિર બનાવવામાં આવ્યું. પાલીતાણા – ભરૂચ - સિકંદ્રાબાદ વિગેરે સ્થાનોમાં ગુરુમંદિર નિર્માણ પામ્યા છે. પૂજ્યશ્રીની ઉદારતા - સૌમ્યતા - જ્ઞાનોપાસના - વૈરાગ્ય – સંયમ - રત્નત્રયીની વિશુદ્ધિ... પંચાચારની પવિત્રતા - સ્વ-પર કલ્યાણની ઉદાર ભાવના, પરમ વાત્સલ્ય ભાવ, ગુણાનુરાગ, સંયમનિષ્ઠા વગેરે ગુણોસભર સમૃદ્ધિઓની ભેટ ધરી છે. શ્રી સંઘ ગુરુદેવને વારંવાર વંદન કરીને - યાદ કરીને કૃતકૃત્યતા અનુભવે છે. જિનશાસનના પ્રભાવક ભાવાચાર્ય તીર્થપ્રભાવક પ.પૂ.ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.ના ચરણોમાં કોટી કોટી વંદન... – ડૉ. કવિન શાહ 0 For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાખેશ્વર પંનથ્ય નમઃ For Personal Plate Use Only HA Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉpકારી [D[ળતી આ.શ્રી વિક્રમસૂરિજી મ.સા. જિનશાસન શણગાર પ.પૂ. આચાર્ય શ્રી વિજય ચન્દ્રોદયસૂરીશ્વરજી મ.સા. સૂરિમંત્રસમરાધક ૫.પૂ. આચાર્યદેવ શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિતપના અદ્વિતીય પ્રેરક પ્રભાવક અને વચનસિદ્ધ મહાત્મા પૂ.આ.શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. પુણ્યવંતા પુરુષોનાં પાવન પગલાંથી પવિત્ર બનેલી સૂર્યપુર (સુરત)ની ધરતીમાં સુપ્રતિષ્ઠિત ખીમચંદ સ્વરૂપચંદ સંઘવીનું ધર્મિષ્ઠ કુટુંબ રહે. ખીમચંદભાઈના બે પુત્રો : ચિમનભાઈ તથા ચૂનીભાઈ. સમજી લ્યો કે, રામલક્ષ્મણની અતૂટ જોડી. ચિમનભાઈનાં ધર્મપત્ની કમળાબહેન જાણે ધર્મલક્ષ્મીનાં સાક્ષાત અવતાર. એમની કુક્ષિએ ચાર પુત્રના જન્મ બાદ સં. ૧૯૮૪ના મહા સુદ-૬ના પુણ્યદિને એક પુત્રરત્નનો જન્મ થયો. પુત્રનાં લક્ષણ પારણામાં એ લોકોક્તિ અનુસાર બાળપણથી જ તેમનું નામ પાડવામાં આવ્યું “સુરવિંદચંદ.” પૂર્ણ દેહલાલિત્ય અને શ્વેત વાનને કારણે તેઓ “લાલા' તરીકે સમગ્ર સુરતમાં ખ્યાતિ પામ્યા. સમય જતાં વ્યાવહારિક અભ્યાસ સાથે માતા-પિતાના ધાર્મિક સંસ્કારોથી પણ વાસિત થવા લાગ્યા. યોગાનુયોગે સં. ૧૯૯૩માં પૂ. શાસનસમ્રાટશ્રીના પટ્ટધર પૂ.આ.શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મહારાજ તથા ઉપા.શ્રી કસ્તૂરવિજયજી ગણિવરનું સુરતવાડીના ઉપાશ્રયે ચાતુર્માસ થતાં તેઓશ્રીની વૈરાગ્યસભર વાણી અને સતત પ્રેરણાથી “લાલાનો આત્મા સંસારથી ૨૯ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ જાગી ઊઠ્યો સાથે માતાના “મારા એક પુત્રની દીક્ષાની છાબ હું ભરૂ' તે મનોરથને પૂર્ણ કરવા લાલો તત્પર થયો. માતા કમળાબહેનની તબિયતને લક્ષમાં રાખીને નજીકનું જ મુહૂર્ત જોવરાવવામાં આવ્યું. સં. ૨૦૦૦ના માગશર વદ-૧નું શુભ મુહૂર્ત નક્કી થયું. સૂર્યપુરના આંગણે છેલ્લાં કેટલાંય વર્ષોથી આવી યુવાનવયે દીક્ષા થયાનો પ્રસંગ આવ્યો ન હતો. તેથી લોકોમાં ય અનેરા ઉત્સાહનું વાતાવરણ સર્જાયું. દીક્ષાનો વરઘોડો માંગશર વદ૧ના દિવસે એક બપોરે ૧ વાગ્યા બાદ શ્રી રત્નસાગરજી હાઇસ્કૂલના વિશાળ પટાંગણમાં ઊતર્યો. લોકોના અદમ્ય ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં દીક્ષા પ્રસંગ સંપન્ન થયો. ભાઈ સુરવિંદ મુનિશ્રી ચંદ્રોદયવિજયજીને નામે પૂ.આ.શ્રી વિજય-કસ્તૂરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જાહેર થયા, છતાં ય લોકો તો તેઓશ્રીને “લાલા મહારાજ' તરીકે જ ઓળખતા. આજે પણ સુરતનાં લોકો તેમને એ જ નામે ઓળખે છે. સંયમ સ્વીકાર્યા બાદ તે જ વર્ષે ફાગણ સુદપાંચમે તેમની વડી દીક્ષા થઈ. પૂ. ગુરુદેવની વ્યવહારકુશળતા તેમ જ પૂ.ગુરુદેવના ધર્મરાજાના ગુણોનો સંક્રમ તેઓશ્રીમાં થયો. તેથી કટોકટીભર્યા પ્રસંગે વ્યવહારુ નિર્ણયો લેવાની કુનેહ તેમ જ શાસનપ્રભાવનાની અનેક પ્રવૃત્તિમાં પઠન-પાઠનનો વાચનાદિ વિદ્યાવ્યાસંગ જળવાઈ રહ્યો. વડીલોની આજ્ઞાથી સં. ૨૦૦૯માં જાવાલથી ઉગ્ર વિહાર કરી અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રયે સૌ પ્રથમ ચાતુર્માસ કર્યું. કહેવાય છે કે ત્યારે પૂજ્યશ્રીની વૈરાગ્યસભર વાણી સાંભળવા ભાવિકોની અપૂર્વ ભીડ જામતી. વર્ણનીય પ્રસંગનું તાદશ ચિત્ર ખડું કરી શ્રોતાઓને રસતરબોળ કરી દેવાની, હકીકતોને સચોટ અને સરળ ૩૦ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ રીતે રજૂ કરવાની, કથાપ્રસંગથી પ્રોત્સાહિત કરવાની તેઓશ્રીમાં અજોડ શક્તિ હતી. - પૂજ્યશ્રીમાં આવી અનેકવિધ આત્મશક્તિ નિહાળી સં.૨૦૧૪માં પૂનામાં ગણિ પદે તથા ઘાટકોપર-મુંબઈમાં પંન્યાસ પદપર વિભૂષિત કરવામાં આવ્યા. તે દરમિયાન ઉપધાન, દીક્ષા, પ્રતિષ્ઠા, સામૂહિક તપશ્ચર્યાઓ આદિ ધર્મકાર્યો વિપુલ સંખ્યામાં થયાં. જન્મભૂમિ સુરતમાં તેઓશ્રીને ઉપાધ્યાયપદપર અલંકૃત કરવામાં આવ્યા. ત્યારબાદ શાસનનાં અનેકવિધ કાર્યો કરવાની તેઓશ્રીની અમોઘ શક્તિને તથા સૂરિપદ માટેની પ્રૌઢતા અને યોગ્યતા જાણીને સં. ૨૦૦૯ના માગશર સુદ બીજને શુભ દિને સુરેન્દ્રનગર મુકામે તેઓને આચાર્યપદે વિરાજિત કરવામાં આવ્યા. તેઓના સંયમ સ્વીકારતાં જ તેઓશ્રીનાં પગલે પગલે તેમના સંસારી વડીલબંધુ શ્રી અમરચંદભાઈ તે મુનિશ્રી અશોકચંદ્રવિજયજી, (સં. ૨૦૦૭માં) સંસારી પિતાશ્રી ચિમનભાઈ તે મુનિશ્રી પ્રસન્નચંદ્રવિજયજી, (સં. ૨૦૧૪માં) સંસારી વડીલબંધુશ્રી શાંતિભાઈ તથા જયંતિભાઈ મુનિ સંવેગચંદ્રવિજયજી તથા નિર્વેદચંદ્રવિજયજી તેમજ શાંતિભાઈના સુપુત્ર હેમંતકુમાર તે મુ.શ્રી સોમચંદ્રવિજયજી, (સં. ૨૦૨૫માં) અને સુપુત્રી કુ. નયનાબહેન તે સાધ્વીશ્રી યશસ્વિનશ્રીજી તથા ભાભી વીરમતીબેન સા.શ્રી ઉપશાંતશ્રીજી તરીકે ચારિત્ર્યધારી બન્યાં. પૂ. આચાર્ય મહારાજના વરદ્હસ્તે અનેક સ્થાનોએ અંજનશલાકા-પ્રતિષ્ઠાના મહોત્સવો પ્રભાવનાપૂર્વક ઊજવાયા, જેમાં મુંબઈ-માટુંગા, વાલકેશ્વર (આદીશ્વર), ભાયખલા, અમદાવાદસાબરમતી, ગિરધરનગર, સુરત-શાહપુર, રાંદેર રોડ, સૂરજમંડન ૩૧ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ, ભાવનગર-દાદાસાહેબ તેમજ નાગેશ્વર તીર્થ, ગઢ (બનાસકાંઠા), સુરેન્દ્રનગર શ્રી વાસુપૂજ્ય સ્વામી શતાબ્દી મહોત્સવ, આરીસાભવન, ૧૦૮ સમોવસરણ મહાવીરસ્વામી જિનપ્રાસાદ અને પીપરલા-કીર્તિધામ વગેરે કુલ ૫૪ અંજનશલાકા અને ર00 ઉપરાંત નાની-મોટી પ્રતિષ્ઠાઓ પૂજયશ્રીએ કરી. આમ શાસનમાં અનેક કાર્યોને સંપન્ન કરી સં. ૨૦૬રની શ્રા.સુ.-૧૪ સાંજે ૭-ર૭ મિનિટે મુંબઈ-ખેતવાડી મુકામે અર્થસંપન્ન બિલ્ડીંગમાં ચાતુર્માસ સ્થળે અંતિમ શ્વાસ મૂક્યો. શાસનને ખરેખર ચંદ્ર જેવા સૌમ્ય અને મહામના સૂરિવરની દુઃસહ્ય ખોટ પડી. એવા મહાન શાસનપ્રભાવક સાધુવરને કોટિશ: વંદન ૩૨ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ સૂરિમંત્રના વિશિષ્ટ આરાધક અને યશસ્વી માંગલિક મુહૂર્તદાતા 'પૂ.આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરિજી મહારાજ પૂજ્યશ્રીનો જન્મ સુરત મુકામે સં. ૧૯૮૦ના શ્રાવણ વદપાંચમે થયો હતો. પિતા શેઠશ્રી ચિમનલાલ ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી અને માતા કમળાબહેન ધર્મપરાયણ દંપતી હતાં. આ સંસ્કારવારસો પુત્રોમાં પણ ઊતર્યો. સંસારી બંધુઓ-શાંતિભાઈ, બાબુભાઈ, કુસુમભાઈ, અરવિંદકુમાર, જયંતીભાઈ-સૌના તેઓ પ્રિય બંધ હતા. જૈન ધર્મના સંસ્કારો વચ્ચે ઉછેર થવાથી દેવદર્શન તથા પૂજા-વ્યાખ્યાનશ્રવણ વગેરે સહજ ભાવે થતાં રહ્યા. પરિણામે ત્યાગવૈરાગ્યની ભાવના બલવત્તર બનતી ચાલી. સં. ૨૦૦૭ના વૈશાખ સુદ પાંચમના શુભ દિને તેમણે ખાનગીમાં દીક્ષા લીધી અને સ્વ-પર કલ્યાણ તેમજ સ્વાધ્યાયરત સાધનામય જીવનનો આરંભ કર્યો. તેઓશ્રીની વ્યવહાર-કુશળતા અને સામા માણસને પરખવાની તથા સાચવવાની શક્તિ પ્રશંસનીય હતી. અનેક સંઘોમાં તેમણે આંતરિક ઝઘડાઓનું શમન કરાવી સુલેહનું વાતાવરણ રચ્યું હતું. સાધુ-સાધ્વીજી ભગવંતોના અંતરંગ વર્તુળમાં પણ તેઓ પ્રેમભર્યું સ્થાન પામ્યા હતા. તેમના આવા વિશિષ્ટ ગુણોથી પ્રભાવિત થઈ ૩૩ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ તેમને વડિલોએ સં. ૨૦૨૪ના વૈશાખ સુદ-૧૦ના શુભ દિવસે સુરતમાં ગણિ પદ, સં. ૨૦૦૯ના મહા સુદ-૧૧ના શુભ દિવસે અમદાવાદમાં પંન્યાસ પદ, સં. ૨૦૩૩ના ફાગણ સુદ-૩ના શુભ દિવસે સોજિત્રામાં ઉપાધ્યાય પદ અને સં. ૨૦૩૪ના ફાગણ સુદ૩ના શુભ દિવસે મુલુન્ડ-મુંબઈમાં આચાર્યપદ પ્રદાન કર્યું. આચાર્ય પદવી થઈ ત્યારથી જ તેઓશ્રીએ પૂર્ણ દૃઢતાથી સૂરિમંત્રની આરાધના શરૂ કરી હતી. ગમે તેવી ગંભીર પરિસ્થિતિમાં પણ સૂરિમંત્રના પંચ પ્રસ્થાનની આરાધના તેઓશ્રી દર વર્ષે કરતા. આચાર્યપદવીથી લઈ તે ક્રમ જીવનના અંતિમ વર્ષ સુધી એટલે કે સળંગ ૨૮ વર્ષ સુધી ચાલુ રાખ્યા. - પૂજ્યશ્રીની નિશ્રામાં સુરત શહેરમાં સં. ૨૦૪૧ના ચાતુર્માસમાં જિનશાસનના ઈતિહાસમાં યાદગાર બની રહે એ રીતે સૌ પ્રથમ સામુહિક ૪૦૦ સિદ્ધિતપની ભવ્ય આરાધના થઈ. ત્યાર પછી તો ઘણા સંઘોમાં સામુદાયિક તપની શરૂઆત થઈ. આચાર્ય મહારાજની પ્રેરણાથી શાસનના મુખ્ય ગણી શકાય તેવા ૩ કાર્યો થયા. (૧) સામુદાયિક તપની શરૂઆત, (૨) મુંબઈ ખાતે સૌ પ્રથમ ચોવિહાર હાઉસ, (૩) બાળકો માટેની સૌ પ્રથમ ઉનાળુ નવ્વાણું. મુહૂર્ત શાસનના પૂજયશ્રી વિશેષ જાણકાર હતા તેમણે આપેલ મુહૂર્તમાં થયેલ પ્રતિષ્ઠા ખરેખર અદ્વિતીય રહેતી. ગચ્છ, ગચ્છાંતર, એક તિથિ-બે તિથિ આવા ભેદ રાખ્યા વગર પૂજયોની તથા શ્રી સંઘની ઈચ્છાને અનુસાર તેઓએ ઘણા જિનાલયો દીક્ષા, પ્રતિષ્ઠા, સૂરિપદ ઈત્યાદિના મુહૂર્તો આપ્યા. જાપાનના કોબે જિનાલયની તથા લેસ્ટરના જિનાલયની પ્રતિષ્ઠાનાં મંગલ મુહૂર્તી પૂજયશ્રીએ જ કાઢી આપ્યાં હતા. ૩૪ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ર૦૬રની સાલના ચાતુર્માસમાં જ પૂ. ચંદ્રોદયસૂરીશ્વરજી મ.નો કાળધર્મ થયો. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ પૂજયશ્રી અમદાવાદ પધાર્યા. ઓપરા સોસાયટીની ઉપાશ્રયમાં વિ.સં. ૨૦૬૩ મહા સુદપની વહેલી સવારે સાવ અણધારી રીતે ઉપસ્થિતિ તમામને “હું જાણું છું કહીને ૩.૦૬ મિનિટે આ પથ્વી પરથી વિદાય લીધી તેમનો અગ્નિસંસ્કાર પણ સંઘની ઉદારતાથી ઉપાશ્રયનાં પટાંગણમાં જ થયો અને એજ સ્થાન પર સમાધિ મંદિરનું નિર્માણ પણ શ્રી મહાવીર જૈન છે.મૂ.પૂ. સંઘ (ઓપેરા સોસા., અમદાવાદ) દ્વારા જ કરવામાં આવ્યું. એવા એ પ્રખર શાસનપ્રભાવક આચાર્યદેવને કોટિશઃ વંદન ! ૩૫ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ અનકમ ક્રમ વિષય A પૃષ્ઠ નં. ૧. ............... ૧ ......... ......... જૈનસાહિત્ય ................ ર. જખડી (કાવ્ય-હસ્તપ્રત)............ ૩. ધૂવઉ (કાવ્ય)........... ૪. અષ્ટમંગલ (લેખ) ........... ૫. સ્થૂલિભદ્ર ચંદ્રાણિ (કાવ્ય). ૬. નેમજીનો ચોક (કાવ્ય) ........... ૭. સ્થૂલિભદ્ર નવરસો (કાવ્ય) .......... ૮. શ્રી નેમિનાથજીનો નવરસો (કાવ્ય). ૯. શ્રી હેમનવરસો (ચરિત્ર). ૧૦. જૈન સાહિત્યમાં રસનિરૂપણ ૧૧. જગડૂશાહનો કડવો (ચરિત્ર) ૧૨. નવકાર મંત્રમાં નવરસો.......... ૧૩. બારમાસા કાવ્યોની સમીક્ષા . ૧૪. ઉપદેશમાલાદિ (હસ્તપ્રત) ........... .......... , , , , , , , ............ , , , , , , , , , ૧૨૬ .......... ૧૩૧ ..... ૧૩૯ ૧૪૬ ૧૭૭ િ , , , , , , , , , , , ૩૬ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ચૂનડી (કાવ્ય) ૧૬. ગરબી (કાવ્ય) ૧૭. સાક્ષરરત્ન (પરિચય) ૧૮. વૈદ્યરાજ નમસ્તુભ્યમ્ (લેખ) ૧૯. સમસ્યાપ્રધાન જીવનમાં સમાધાન માટે જૈન મૂલ્યોનું અનુસરણ (લેખ) ૨૦. ‘નવકાર’ બાલાવબોધ (હસ્તપ્રત) ૨૧. જીવવિચાર (બાલાવબોધ) ૨૨. વિજ્ઞપ્તિપત્ર (હસ્તપ્રત) ૨૩. વિવેકબત્રીશી (ઉપદેશ) ૨૪. સુખ પ્રાપ્ત કરતાં... (લેખ) વધાવા (કાવ્ય) ૨૫. For Personal & Private Use Only ૧૮૫ ૧૯૫ ૨૦૮ ૨૧૪ ૨૧૭ ૨૨૯ ૨૩૧ ૨૩૪ ૨૫૦ ૨૫૫ ૨૫૮ Page #41 -------------------------------------------------------------------------- ________________ આર્થિક સહયોગ અધ્યાત્મયોગી પૂજ્ય આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પ.પૂ.પં.શ્રી મુક્તિચન્દ્રવિજયજી મ.સા. પ.પૂ.પં.શ્રી મુનિચન્દ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી પુસ્તક પ્રકાશન નિમિત્તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, માલવીયનગર, શ્રાવિકા સંઘ, જ્ઞાનદ્રવ્ય તીર્થ, જયપુર (રાજ.) ૩૮ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ do Hisecl : (Jain Literaturd) જૈન સાહિત્ય એટલે જૈન ધર્મના વિષયોને કેન્દ્રમાં રાખીને ગણધર ભગવંતો, સાધુ ભગવંતો, શ્રાવકો અને જૈનેતર લેખકોના હસ્તે સર્જાયેલું સાહિત્ય. ધાર્મિક સાહિત્યમાં પણ ધર્મના વિચારોની અભિવ્યક્તિમાં સાહિત્યકલાનું દર્શન થાય છે. જૈન સાહિત્યના પાયામાં આગમ ગ્રંથો સ્થાન ધરાવે છે. આગમની વ્યાખ્યા નીચે પ્રમાણે છે. आगम्यते अनेन हेय ज्ञेयोपादेय तत्त्वानि इति आगम । જેના દ્વારા અગમ્ય એવા હેય, શેય, ઉપાદેય તત્ત્વોનું જ્ઞાન થાય તે આગમ કહેવાય છે. હેય : ત્યાગ કરવા યોગ્ય તત્ત્વ. તેમાં પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ. શેય : જાણવા યોગ્ય તત્ત્વ - જીવ અને અજીવ. ઉપાદેય ઃ આદરવા યોગ્ય તત્ત્વ – સંવર, નિર્જરા અને મોક્ષ. આગમમાં આ નવ તત્ત્વોનું વિસ્તારથી સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. आगम्यते ज्ञायते वस्तुतत्त्वमनेनति જે સિદ્ધાંતો દ્વારા વસ્તુતત્ત્વનો યથાર્થ રૂપે બોધ થાય તે આગમ છે. જૈન સાહિત્ય For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ આત્મા તરફ આગમ કરાવે તે આગમ છે. આગમ સાહિત્ય મથુરાપુરમાં (સંવત ૮૩૦ થી ૮૪૦ પ્રાચીનમાં) આચાર્ય સ્કંદિલાચાર્ય વાચના આપીને આગમ ગ્રંથસ્થ કરવાની યોજના કરી હતી. વલ્લભીપુરમાં નાગાર્જુનસૂરિજીએ આગમ વાચના દ્વારા ગ્રંથસ્થ કરવાની યોજના કરી હતી. વલ્લભીમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ અને મથુરામાં કાલકાચાર્યએ વાચન પૂર્ણ કરી. આચાર્ય આર્યરક્ષિતસૂરિજીએ આગમ સાહિત્યનાં ચાર વિભાગ દર્શાવ્યા છે. (૧) દ્રવ્યાનુયોગ : બારમું અંગ - વિચ્છેદ થયું છે. (૨) ચરણ કરણાનુયોગ : ૧૧મું અંગ - છેદસૂત્ર મહાકલ્પ ઉપાંગ અને મૂળસૂત્ર. (૩) ગણિતાનુયોગ : સૂર્ય પ્રજ્ઞપ્તિ - ચંદ્ર પ્રજ્ઞપ્તિ. (૪) ધર્મકથાનુયોગ : ઋષિભાષિત - ઉત્તરાધ્યયન. આગમની માહિતીઃ ૧૧ અંગ સૂત્ર (મૂળ સૂત્ર), ૧૨ ઉપાંગસૂત્ર (મૂળ સૂત્રને આધારે રચના), ૧૦ પયજ્ઞાસૂત્ર (પ્રકીર્ણક વિષય), ૬ છેદસૂત્ર (સંયમ જીવનમાં લાગેલા અતિચાર-દોષોના પ્રાયશ્ચિતની માહિતી), ૪. મૂળ સૂત્ર - ૧. નંદીસૂત્ર, ૧ અનુયોગ દ્વાર. એમ ૪૫ આગમ છે. તેની રચના ગણધર ભગવંતોએ કરી છે. આગમ ગ્રંથો જૈન સાહિત્યનો અભૂતપૂર્વ જ્ઞાન વારસો છે. વર્તમાનમાં વિવિધ પ્રકારનું જૈન સાહિત્ય છે તેના પાયામાં આગમના વિષયોનું મૂલ્ય છે. Agam is the sacred literature of Jainism. આગમ ગ્રંથોની ભાષા આર્ષ પ્રાકૃત છે. તેમાં ગદ્યનો પણ અવાર-નવાર પ્રયોગ થાય છે. શ્લોક અને ગાથા (પ્રાકૃત છેદોનો પ્રયોગ થયો છે. આગમ સાહિત્યને આધારે નિર્યુક્તિ-ચૂર્ણિ અને ભાષ્ય પ્રકારના સાહિત્યની રચના થઈ છે. જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ | નિયુક્તિ : સૂત્રના અર્થની યુક્તિ દર્શાવનાર ગ્રંથ. દા.ત. ઓઘનિર્યુક્તિ - સાધુ સામાચારી વિશેના વિચારો દર્શાવ્યા છે. તેની રચના ચૌદ પૂર્વધર ભદ્રબાહુસ્વામીએ પ્રાકૃત ભાષામાં કરી છે. ચૂર્ણિઃ સૂત્રના અર્થનું નિરૂપણ થાય છે. દા.ત. દશવૈકાલિક ચૂર્ણિ જિનદાસગણી. તેની રચના સૂત્ર નિયુક્તિ અને ભાષ્યને આધારે થાય છે. ભાષ્યઃ સૂત્ર કથિત અર્થ જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યા હોય તેને સંક્ષિપ્ત રીતે રજૂ કરતી રચના દેવેન્દ્રસૂરિની ગુરુવંદન ભાષ્યની કૃતિ. પ્રાચીન સાહિત્યમાં વિવેચન પ્રવૃત્તિની માહિતી પ્રાપ્ત થાય છે. વિશેષતઃ વ્યાખ્યાત્મક વિવેચનનો પ્રયોગ થયો છે. આ માટે ટીકા વૃત્તિ, સ્વોપજ્ઞ વૃત્તિ જેવા શબ્દ પ્રયોગો થયા છે. દા.ત. યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વૃત્તિ, આવશ્યક ટીકા – મલયગિરિજી, વંદારૂવૃત્તિ - દેવેન્દ્રસૂરિ. ઉવસગ્ગહરં લઘુવૃત્તિ – પાર્ષદવસૂરિ. મોટા ભાગની વિવેચન પ્રવૃત્તિ સંસ્કૃત ભાષામાં થઈ છે. સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિને લક્ષમાં રાખી વૃત્તિ સંસ્કૃતમાં પ્રાચીન સાહિત્યના વિષયોમાં તાત્ત્વિક રચાય છે. સિદ્ધાંતો, આચારધર્મ, ઉપદેશપ્રધાન, વિધિ, વ્યાકરણ, યોગ, સિદ્ધાંત, સાહિત્ય અને ઈતિહાસનો સમાવેશ થાય છે. દા.ત. આચાર પ્રદીપ-આ. રત્નશેખરસૂરિ. ઇતિ. ભરતેશ્વર બાહુબલિવૃત્તિ, શુભશીલગણી. દર્શન. સ્યાદવાદમંજરી-મલ્લિષેણસૂરિ. વિધિ. આચાર દિનકર વર્ધમાનસૂરિ. યોગ-યોગ શાસ્ત્ર-હેમચંદ્રાચાર્યસૂરિ. વ્યાકરણ પ્રાકૃત વ્યાકરણ - હેમચંદ્રસૂરિ. કથા - જ્ઞાતાધર્મ કથાસૂત્ર (આગમ) સિદ્ધાંત - અષ્ટક પ્રકરણ - હરિભદ્રસૂરિ. ઉપદેશ - શિલોપદેશમાળા. પ્રાચીન સાહિત્યના આ ગ્રંથો વિવિધ વિષયોના ઉદાહરણ નોંધવામાં આવ્યા છે. આ સાહિત્ય સમૃદ્ધ છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો વૈભવ નિહાળી શકાય છે. આ કાળના ઉમાસ્વાતિ વાચક, હરિભદ્રસૂરિ અને હેમચંદ્રાચાર્ય જાણીતા છે. ૧. ઇતિ. = ઇતિહાસ જૈન સાહિત્ય For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન સાહિત્ય વિક્રમની ૧૩મી સદીથી આ સાહિત્યનો ઉદ્ભવ થયો છે. મધ્યકાલીન સાહિત્યમાં પદ્ય રચનાઓનું પ્રમાણ વિશેષ છે. સાહિત્યનું માધ્યમ ‘પઘ' હતું. રાસ સાહિત્યથી પ્રારંભ થયેલું સાહિત્ય જૂની ગુજરાતી-અપ્રભંશ અને પ્રાકૃતના પ્રભાવથી રચાયેલું છે અને લેખ ગુજરાતી ભાષાનો વિકાસ જાણવા મળે છે. વિષયોમાં કોઈ નવીનતા નથી પણ પરંપરા ગત વિષયોને અનુસરીને કવિઓએ પોતાની કવિત્વ શક્તિથી સમકાલીન ભાષામાં વિવિધ કૃતિઓ રચી છે. આ સાહિત્યમાં કાવ્ય પ્રકારોની સમૃદ્ધિ નોંધપાત્ર છે. (A) સ્વરૂપલક્ષી કાવ્ય પ્રકારો : રાસ, ફાગુ, વિવાહલો, પ્રબંધ, પવાડો, ચર્ચરી વગેરે. (B) વસ્તુલક્ષી કાવ્ય પ્રકારો : પૂજા, દેવવંદન, ચૈત્યવંદન, સ્તુતિ, સ્તવન, આરતી વગેરે. (C) ઉપદેશાત્મક કાવ્ય પ્રકારો : હિતશિક્ષા, સુભાષિત, સજ્ઝાય. (D) છંદમૂલક : ચોપાઈ, છપ્પય, સવૈયા, વસ્તુ, નિશાની, કવિત્ત. (E) સંખ્યામૂલક કાવ્ય પ્રકારો : વીશી, ચોવીશી, બત્રીશી, છત્રીશી, બાવની. (F) પ્રકીર્ણ કાવ્ય પ્રકારો : સંધિ, ચંદ્રાઉલા, પટ્ટાવલી, સંવાદ, નિર્વાણ વગેરે જૈન સાહિત્ય કાવ્ય પ્રકારોની સંખ્યા ૧૦૮ છે. અત્રે નમૂનારૂપે પ્રકારની માહિતી નોંધવામાં આવી છે. મધ્યકાલીન જૈન સાહિત્યનાં લક્ષણો નીચે પ્રમાણે છે. ઉપલબ્ધ રચનાઓને આધારે આ લક્ષણો પ્રાપ્ત થાય છે. ૪ For Personal & Private Use Only જ્ઞાનતીર્થની યાત્રા Page #46 -------------------------------------------------------------------------- ________________ કૃતિનો આરંભ ઈષ્ટદેવ - સરસ્વતી અને ગુરુની સ્તુતિથી કરવામાં આવે છે. દેવ એટલે જૈન ધર્મના ૨૪ તીર્થકરોમાંથી કોઈ એક ભગવાનનું નામ નિર્દેશ સાથે ઉલ્લેખ થાય છે. વિષયવસ્તુ પરંપરાગત હોવા છતાં સમકાલીન પ્રભાવથી નવા વિષયો સ્થાન પામ્યા છે. ૨૪ તીર્થકરો ગણધર, મુનિ ભગવંતો, રાજાઓ, શ્રેષ્ઠિઓ, સતી સ્ત્રીઓ, મહાપુરૂષો અને તીર્થસ્થાનો વિશે કાવ્યો રચાયાં છે. વસ્તુવિભાજન માટે ઠવણી, ભાસ, ઢાળ જેવા શબ્દપ્રયોગ પ્રાપ્ત થાય છે. વર્ણનમાં પાત્રો, વિવિધ પ્રસંગો, તીર્થો, સ્થળ વગેરેનો સમાવેશ થાય છે. ધાર્મિક તહેવારોનો પણ વર્ણનમાં ઉલ્લેખ થયો છે. પાત્ર વર્ણન પરંપરાગત છે. આ વર્ણન માહિતીપ્રધાન પણ છે. વર્ણનની વિવિધતામાં ગામ, નગર, મંદિર, દીક્ષા, પ્રતિષ્ઠા, રથયાત્રા, જન્મોત્સવ, લગ્ન, સ્વર્ગારોહણ, યુદ્ધ, સમાજદર્શન વગેરેને કારણે કલાત્મક નિરૂપણ થાય છે. સાંપ્રદાયિક સાહિત્ય હોવાને કારણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ધર્મોપદેશનું સ્થાન એક મહત્ત્વના લક્ષણ તરીકે ગણાય છે તો કલાની દષ્ટિએ મર્યાદા પણ છે. ધર્મોપદેશ કેવળ મનોરંજન માટે નથી પણ આત્મા કર્મની નિર્જરા કરીને મોક્ષના શાશ્વતસુખને પામે એવો પરમોચ્ચ આદર્શ સિદ્ધ કરવા માટે ઉપદેશ સ્થાન ધરાવે છે. મમ્મટે કાવ્ય પ્રકાશમાં કાવ્યનાં પ્રયોજનોમાં ઉપદેશનો સમાવેશ કર્યો છે. કાત્તા સંમિત, મિત્ર સંમિત અને પ્રભુ સંમિત એમ ત્રણ પ્રકારનો ઉપદેશ છે તેમાં ધાર્મિક સાહિત્યનો ઉપદેશ પ્રભુ સંમિત હોવાથી આત્માના કલ્યાણની ભાવનાથી સ્થાન પામ્યો છે. મિત્ર અને કાન્તા જૈન સાહિત્ય For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ સંમિત ઉપદેશ ભૌતિક જીવન માટે છે જ્યારે પ્રભુ સંમિત વિશ્વની સમગ્ર માનવ સૃષ્ટિને કેન્દ્રમાં રાખીને નિરૂપણ થયો છે એટલે સમસ્ત માનવ સમૂહની કલ્યાણની ભાવનાથી ઉપદેશ સ્થાન પામ્યો છે. સાહિત્ય એ માનવનું હિત-કલ્યાણ માટે છે એટલે તેનો સંબંધ જીવન સાથે છે. ઉપદેશ દ્વારા સાહિત્ય અને જીવનનો સંબંધ પણ સ્પષ્ટ થાય છે. સાહિત્ય જીવનની સમીક્ષા છે. એ સૂત્ર પણ ચરિતાર્થ થવામાં ઉપદેશ તેનું લક્ષણ છે. સમકાલીન સમાજ દર્શન આ સાહિત્યની વિશેષતા છે. રાજા, પ્રજા, સમાજના આચાર-વિચાર, રીતરિવાજ, શુકન-અપશુકન, જ્યોતિષ, વર-કન્યાની પસંદગી, લગ્ન, ધાર્મિક તહેવારો, ઉત્સવો, રાજકીય પરિસ્થિતિ વગેરેની માહિતી પ્રાપ્ત થાય છે. રસનિરૂપણ - જૈન સાહિત્યમાં ઉપશમરસ એટલે શાંત રસ કેન્દ્ર સ્થાને છે. કૃતિમાં વસ્તુને અનુરૂપ શ્રૃંગાર રસ, કરૂણારસ, વીરરસ, રૌદ્રરસનું નિરૂપણ થયું છે. રસનિરૂપણની લાક્ષણિકતા એ છે કે ભૌતિક શ્રૃંગારમાંથી આધ્યાત્મિક શૃંગાર પ્રતિ જીવાત્માનું પ્રયાણ થાય છે અને દીક્ષા લઈ આત્માનું કલ્યાણ કરે છે. એટલે વિવાહ શબ્દ દ્વારા ભૌતિક અને આધ્યાત્મિક શ્રૃંગાર રસનો પરિચય થાય છે. વી૨૨સનો પર્યાયવાચી દયાવીર એટલે અહિંસા ધર્મનું પાલન. દાનવીર - જિનવાણીનું લોકોને જ્ઞાન-દાન કરવું. યુદ્ધવીર - કર્મોનો નાશ કરવો. ધર્મવીર - મોક્ષ પુરૂષાર્થની સાધના કરવી. એટલે વીરરસ માત્ર યુદ્ધ કે પરાક્રમ પૂરતો મર્યાદિત નથી રહેતો પણ માનવની શાશ્વત સુખની કલ્પનાની પ્રાપ્તિનું પ્રતીક બને છે. જૈન સાહિત્યમાં ભક્તિરસ કે જેનો શાંતરસમાં સમાવેશ થયો છે તેનું પ્રમાણ વિશેષ છે. ભક્તિ માર્ગની કાવ્યરચના વિશેષ છે. વ્યને અંતે ફળશ્રુતિનો ઉલ્લેખ થાય છે. ભૌતિક જીવનમાં શાંતિ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ અને સમૃદ્ધિની પ્રાપ્તિની સાથે આત્મા મોક્ષ સુખની પ્રાપ્તિ કરે એવી ઉદાર ભાવનાવાળી ફળશ્રુતિનો વિવિધ રીતે ઉપયોગ થયો છે. પાત્રો અંતે દીક્ષા સ્વીકારીને પાંચ મહાવ્રતના પાલન દ્વારા મોક્ષ પુરૂષાર્થની સાધના કરીને આત્માનું કલ્યાણ કરે છે. એવો ઉપનય સર્વ સામાન્ય રીતે પ્રાપ્ત થાય છે. તો વળી કેટલાક આત્મા બારવ્રતધારી શ્રાવકશ્રાવિકા બનીને શાંતિમય સંસારી જીવન જીવે છે અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ધર્મપરાયણ બને છે. પદ્યરચનામાં છંદ અને દેશીઓનો પ્રયોગ થયો છે. તેનાથી કવિત્વ શક્તિનો પરિચય થાય છે. લગભગ ૨૩૨૮ દેશીઓ જૈન સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. દેશીઓની સાથે શાસ્ત્રીય રાગ અને માત્રા મેળ છંદનો પ્રયોગ પણ થયો છે. રાસ-ફાગુ જેવી દીર્ઘ કૃતિઓ ઢાળબદ્ધ છે તેનાં દેશીઓનો પ્રયોગ થયો છે. જયારે સ્તવન-સ્તુતિ-ગીત-લાવણી-પદ વગેરે લઘુકાવ્ય પ્રકારોમાં છંદ અને શાસ્ત્રીય રાગનો પ્રયોગ થયો છે. તેના દ્વારા કાવ્યને અનુરૂપ પદ્યનો લય સિદ્ધ થયો છે. દૈવી તત્ત્વનો પ્રયોગ ચમત્કારનું નિરૂપણ એ સાંપ્રદાયિક સાહિત્યના આકર્ષણનું લક્ષણ છે. પરકાયા પ્રવેશ જ્ઞાનથી પૂર્વભવની માહિતી પ્રાપ્ત થવી, આકાશગામિની વિદ્યા જાતિ સ્મરણ જ્ઞાન, આકાશવાણી, દુંદુભિનાદ દેવ-દેવીની સાધનાથી લાભ થવો પક્ષીઓ અને પ્રાણીઓ સાથે વાર્તાલાપ વેશ પરિવર્તન વગેરેનું નિરૂપણ ચમત્કારના ઉદાહરણ રૂપ છે. શૈલી વિશે વિચારતાં પ્રત્યક્ષ કથનશૈલી પરોક્ષ નિરૂપણ વર્ણન, રસ, પ્રશ્નોત્તર, અલંકાર, રચના સમય, ગુરુ પરંપરા, સંવાદ વગેરેનો પ્રયોગ થયો છે. જૈન સાહિત્ય For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન કૃતિઓનાં શીર્ષક રચનામાં એકસૂત્રતા જોવા મળતી નથી. એક જ કૃતિ માટે બે ત્રણ શીર્ષક દર્શાવવામાં આવે છે. દા.ત. ઉદયરત્ન કૃતિ સ્થૂલિભદ્ર નવરસ-રાસ-સંવાદ. વિષયોને કેન્દ્રમાં રાખીને પણ શીર્ષક રચના થઈ છે. મેતારજ મુનિની સક્ઝાય, શાંતિનાથની આરતી, પાર્શ્વનાથ વિવાહલો, સ્થૂલભદ્ર ફાગુ વગેરે અહીં પ્રથમ શબ્દ વસ્તુપ્રધાન અને બીજો શબ્દ કાવ્યપ્રકાર સૂચવે છે. કાવ્ય પ્રકારો સાથે સંબંધ ધરાવતા શીર્ષકની પ્રથા સર્વસામાન્ય જોવા મળે છે. ગૌતમસ્વામીનો છંદ, વિમલ પ્રબંધ, હિતશિક્ષા રાસ, રૂષભગુણ વેલિ, પંચકલ્યાણક પૂજા વગેરે ઉદાહરણ પરથી શીર્ષક નિર્દેશની માહિતી પ્રાપ્ત થાય છે. વ્યક્તિવાચક અને તાત્ત્વિક વિષયોને સ્પર્શતા શીર્ષકનો પ્રયોગ થયો છે. મધ્યકાલીન સાહિત્ય હસ્તપ્રતોમાં સંગ્રહિત થયું છે. હસ્તપ્રતો ઘણી મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. કોબા, અમદાવાદ, દિલ્હી, જેસલમેર, પાટણ, ખંભાત, જયપુર, બિકાનેર, વડોદરા, લીંબડી વગેરે સ્થળોએ હસ્તપ્રતો સુરક્ષિત છે. મુદ્રણ કલાના વિકાસથી આ ક્ષેત્રમાં પણ થોડું સંશોધન થયું છે. આ સાહિત્ય સાધુ-કવિઓએ પોતાની જ્ઞાનોપાસનાના પરિપાકરૂપે સમયે સમયે આમજનતા સુધી પહોંચાડવા માટે ગુજરાતી ભાષામાં રચના કરી છે. બાલાવબોધ, કાવ્ય, પ્રશ્નોત્તર, અનુવાદ, વિવેચન વગેરે દ્વારા વિપુલ સાહિત્ય પ્રાપ્ત થાય છે. આ સમયના જાણીતા કવિઓમાં શ્રાવક કવિ રૂષભદાસ, ઉપા. યશોવિજયજી, યોગી મહાત્મા આનંદઘનજી, આ. હીરવિજયસૂરિ, ઉપા. વિનયવિજયજી, કવિ સમયસુંદરગણિ, કવિરાજ દીપવિજયજી (વડોદરા), કવિ પંડિત વીરવિજયજી, વિજય લક્ષ્મીસૂરિ, ઉદયરત્ન, જ્ઞાનવિમલસૂરિ, પદ્મવિજયજી, પૂ. દેવચંદ્રજી, ઉપા. સકળચંદ્ર, રૂપવિજયજી, મોહનવિજયજી, દેવચંદ્રજી, નયસુંદર, વિનયહર્ષ વગેરેનું સાહિત્ય નોંધપાત્ર છે. જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ આ રીતે મધ્યકાલીન સાહિત્ય કાવ્ય પ્રકારો અને કલાની દૃષ્ટિએ તેમજ સંખ્યાની દૃષ્ટિએ સમૃદ્ધ વારસો છે કે જેના દ્વારા સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોના વિચારોનું જનસાધારણને જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું માધ્યમ બને છે. આ સમયમાં મોટી સંખ્યામાં બાળાવબોધ દ્વારા ગદ્યનો પ્રયોગ થયો છે. | વિક્રમની ૮મી થી ૧૨મી સદી સુધીનો સમય અપભ્રંશ ભાષાનો છે. ત્યાર પહેલાં પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનું સાહિત્ય પ્રાપ્ત થાય છે. મધ્યકાલીન સમયમાં પણ સંસ્કૃત કૃતિઓ રચાઈ છે પણ જૂની ગુજરાતીમાં વધુ કૃતિઓ રચાઈ છે. કળિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય આ ભાષાના પુરસ્કર્તા હતા. અપભ્રંશ ભાષા એ ગુજરાતી ભાષાના વિકાસની ઐતિહાસિક ભૂમિકા પૂરી પાડે છે. વ્યાકરણ-કોશ અને ભાષા વિકાસ અંગેનું એમનું પ્રદાન મૂલ્યવાન છે. ઈ.સ.ની ૧૨મી થી ૧૪મી સદીના અંત સુધીની ભાષા જૂની ગુજરાતી તરીકે ઓળખાય છે. લોકસાહિત્યમાં જે દુહા છે તેની ભાષા અપભ્રંશ છે. હેમચંદ્રાચાર્યએ સિદ્ધહેમ વ્યાકરણમાં દુહાનો ઉલ્લેખ કર્યો છે. આ દુહા ગુજરાતી ભાષાના વિકાસના પ્રતીક સમાન છે. આ ભાષાને જૂની પશ્ચિમી રાજસ્થાની અને ઉમાશંકર જોશી મારૂ ગૂર્જર નામથી ઓળખાવે છે. આ ભાષાના નમૂનારૂપ જૂનામાં જૂની કૃતિઓમાં સંદેશ રાસક અને ભરતેશ્વર બાહુબળી રાસ છે. જૈન સાહિત્યનો પ્રારંભ પ્રાકૃતથી થયો છે. ત્યાર પછી સંસ્કૃત, અપભ્રંશ અને ગુજરાતી ભાષામાં વિકાસ થયો છે. અર્વાચીન જૈન સાહિત્યનો સમય વીસમી સદીમાં છે. પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ અને અંગ્રેજી શિક્ષણના પ્રચારથી સાહિત્યમાં નવીનતાનું દર્શન થાય છે. આ સાહિત્યનું માધ્યમ ગદ્ય છે. મોટા ભાગની કૃતિઓ ગદ્યમાં પ્રાપ્ત થાય છે. તેની સાથે કાવ્યનો પણ ઉપયોગ થયો છે. કેટલાક જૈન સાહિત્ય For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ સાધુ ભગવંતો અને શ્રાવકોએ સાહિત્યના વિકાસમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. સાધુ ભગવંતોનાં વ્યાખ્યાન, જાહેર પ્રવચન, શિબિર, જાહેર વ્યાખ્યાન વગેરેને ગ્રંથસ્થ કરીને પ્રકાશન કરવામાં આવ્યું છે. તદુપરાંત અનુવાદ, વિવેચન, સંશોધન મહાનિબંધ, જૈન સાહિત્ય સમારોહ, જ્ઞાનસત્રના નિબંધો ગુરુભક્તિ નિમિત્તે પ્રકાશિત સ્મારક ગ્રંથો, વિદેશમાં જૈન ધર્મના પ્રચાર અંગે અંગ્રેજીમાં પ્રકાશિત સાહિત્ય અને સામાયિકોનો વગેરેનો સમાવેશ થાય છે. - અર્વાચીન સમયના નામાંકિત સર્જકોમાં આગમોદ્ધારક પ.પૂ.આ. સાગરાનંદસૂરિજી, પ.પૂ.આ. બુદ્ધિસાગરસૂરિ, વ્યાખ્યાન વાચસ્પતિ શાસનપ્રભાવક વિશાળ ગચ્છાધિપતિ પ.પૂ.આ. રામચન્દ્રસૂરિ, શૈલી અને તત્ત્વજ્ઞાનના વિચારોથી જન સાધારણને જ્ઞાન યાત્રા કરાવનાર પ.પૂ.આ. રત્નસુંદરસૂરિજી, પૂ.આ. પુણ્યપાલસૂરિ, પ.પૂ.પંન્યાસ પ્રવર ચન્દ્રશેખરવિજયજી કે જેમને ભારતીય સંસ્કૃતિ અને જૈનાચારના ઘડતર માટે તપોવન સંસ્કાર પીઠ સ્થાપના કરીને શિબિરો તેમજ જૈન ધર્મનાં પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. એમની શ્રુતસેવા ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. પ.પૂ.આ. કીર્તિયશસૂરિજી, પ.પૂ.આ. ભુવનભાનુસૂરિજી, જંબુદ્વીપ નિર્માતા પ.પૂ.અભયસાગરજી, પ.પૂ.આ. આત્મારામજી, કવિ કુલકિરીટ પૂ.આ. લબ્ધિસૂરિજી, પંજાબકેસરી પ.પૂ.આ. વલ્લભસૂરિજી, યોગનિષ્ઠ આ. કલાપૂર્ણસૂરિજી, પ.પૂ.આ. ધર્મસૂરીશ્વરજી, સિદ્ધહસ્ત લેખક પૂ.આ. પૂર્ણચન્દ્રસૂરિજી ઉપરાંત જૈન સાધુ સમુદાયના અન્ય સાધુ ભગવંતોએ અર્વાચીન જૈન સાહિત્યને પોતાની આગવી શૈલીમાં સર્જન કરીને વિકાસમાં ફાળો આપ્યો છે. ૧૦ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મક ફિલસુફ શ્રીમદ્ રાજચંદ્ર, શ્રાવકોમાં સાહિત્ય સંપાદક સુશ્રાવક શ્રી ભીમસિંહ માણેક, પંડિત દલસુખભાઈ માલવણિયાજી, પંડિત ધીરજલાલ મહેતા, જૈન સાહિત્યના સંશોધક અને ઈતિહાસકાર મોહનલાલ દલીચંદ દેસાઈ, શતાવધાની પંડિત ધીરજલાલ ટોકરશીહ, જૈન સાહિત્યના સંશોધક-સંપાદક હિરાલાલ રસિકલાલ કાપડિયા, પ્રો. જયંત કોઠારી, બાલાભાઈ વિરચંદ દેસાઈ (જયભિખ્ખ), પદ્મશ્રી કુમારપાળ દેસાઈ વિગેરેએ જૈન સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. પંડિત સુખલાલજી પંડિતપ્રભુદાસ બહેચરદાસ, પંડિત છબીલદાસ સંઘવી, પ્રાધ્યાપક અને પ્રબુદ્ધ જીવનના તંત્રી ડૉ. રમણભાઈ સી. શાહ, જૈન સાહિત્યનાં અમરપાત્રોને કેન્દ્રમાં રાખીને ધાર્મિક નવલકથાના સર્જક મોહનલાલ ચુનીલાલ ધામી અને એમના પુત્ર વિમલકુમાર ધામી, વડોદરાના પંડિત લાલચંદ ભગવાનદાસ તથા અન્ય શ્રાવકોએ અર્વાચીન જૈન સાહિત્યના વિકાસમાં યોગદાન કર્યું છે. મુદ્રણકળાના વિકાસથી પુસ્તકોના પ્રકાશનની સાથે કેટલાંક સામાયિકોનો પણ ઉલ્લેખ અનિવાર્ય છે. પ્રબુદ્ધજીવન, બુદ્ધિપ્રભા, કલ્યાણ, શાંતિ સૌરભ, સન્માર્ગ, મોક્ષમાર્ગ, જૈન સમાચાર, જૈન સંદેશ, મહાવીર શાસન, જૈન આત્માનંદ પ્રકાશ, જૈન પ્રવચન, જૈન સત્ય પ્રકાશ, દિવ્યદર્શન, હિત-મિત-પથ્ય, મુક્તિદૂત, વિરતિદૂત, દિવ્યકૃપા, જિનાજ્ઞા અનુસંધાન (અનિયતકાલીન) વગેરેમાં પ્રગટ થતા લેખો જૈન સાહિત્યના વિકાસમાં સ્થાન ધરાવે છે. કેટલાંક સામાયિકોમાં શાસન પ્રભાવનાનાં કાર્યોની માહિતી સમાચાર અહેવાલની સાથે આધ્યાત્મિક લેખોનો સમાવેશ થાય છે. ગુરુભક્તિ નિમિત્તે ગુણાનુવાદ સભાના પત્રોની પ્રસાદી અને ગુરુ જીવનના પ્રસંગોનું ગ્રંથ રૂપે પ્રકાશન થયું છે. આવા સ્મારક જૈન સાહિત્ય ૧૧ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથો સાહિત્ય અને જૈન પરંપરાના ઈતિહાસના આધારભૂત દસ્તાવેજ તરીકે ઉપયોગી સાધન ગણાય છે. આ ગ્રંથોમાં જીવનચરિત્ર ઉપરાંત સિદ્ધહસ્ત લેખકોના પૂ.શ્રીના સાહિત્યને કેન્દ્રમાં રાખીને લખાયેલા લેખોનો પણ સમાવેશ થાય છે. * જૈન સાહિત્ય સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં રચાયું છે. શ્રુતજ્ઞાનના વારસારૂપી પ્રાચીન અને મધ્યકાલીન ગ્રંથોનું વિવેચન અને અનુવાદ થયો છે. તેના વિશે સંશોધન અને સંકલન થાય તો વિશેષ માહિતી મળે તેમ છે. ખાસ કરીને ભક્તામર સ્તોત્ર, રત્નાકર પચ્ચીશી, ઉત્તરાધ્યયન સૂત્ર, કલ્પસૂત્ર, બાર સા સૂત્ર, ભગવતી સૂત્ર, આચારાંગ સૂત્રનો અનુવાદ પ્રાપ્ત થાય છે. તદુપરાંત યોગશાસ્ત્ર, ઉપદેશમાળા, તત્ત્વાર્થ સૂત્ર, ઉપદેશ પ્રાસાદનો અનુવાદવિવેચન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પૂ.દીપરત્નસાગર દ્વારા “આગમદીપ' પુસ્તકથી ૪૫ આગમના અનુવાદથી સર્વસાધારણ જનતા જ્ઞાનસમૃદ્ધ ગ્રંથોનો આસ્વાદ કરીને જ્ઞાનમાર્ગમાં વધુ પ્રવૃત્ત થાય છે. જૈન ધર્મના વિષયોને કેન્દ્રમાં રાખીને મહાનિબંધનું સર્જન કર્યું છે. આ સંશોધન કાર્ય અર્વાચીન સાહિત્યની એક નવી દિશાનો પરિચય કરાવે છે. અર્વાચીન જૈન સાહિત્યનો ઈતિહાસ લખાય તો તેની સમૃદ્ધિ અને વિકાસનો સાચો પરિચય થાય. અત્રે નમૂનારૂપે માહિતી આપી છે. આ યાદીમાં વધારો થઈ શકે એમ છે. પણ લેખની મર્યાદાને વશ થઈને મિતાક્ષરી માહિતી આપી છે. અર્વાચીન જૈન સાહિત્યની માહિતી પૂર્વ ભૂમિકારૂપે છે વિશેષ અધ્યયન, સંશોધન, જ્ઞાન અને ભક્તિની શ્રુત પરંપરાનો અદ્ભુત આસ્વાદ થઈ શકે છે. જૈન સાહિત્યમાં સંશોધનની પ્રવૃત્તિનો સંક્ષિપ્ત પરિચય પ્રશંસનીય છે. Ph.D. ની પદવી માટે અભ્યાસ કરીને જૈન સાહિત્ય કેટલાક વિષયોનો ઊંડો અભ્યાસ થયો છે. ૧ ૨ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ આ મહાનિબંધમાં કેટલાક પ્રગટ પણ થયા છે. દૃષ્ટાંતરૂપે જોઈએ તો ડૉ. ભોગીલાલ સાંડેસરા (વસુદેવ હીંડી), ડૉ. વાડીલાલ જીવાભાઈ ચોક્સી (કવિ રૂષભદાસ એક અધ્યયન), ડૉ. કુમારપાળ દેસાઈ (આનંદઘનજી-યશોવિજયજી ઉપા., કબીરના પદો), ડૉ. કાંતિભાઈ શાહ (પૂ. સહજસુંદર), ડૉ. કવિન શાહ (કવિ પંડિત વિરવિજયજી એક અધ્યયન), ડૉ. રમણભાઈ શાહ (નળ-દમયંતી રાસ), ડો. અભયકુમાર દોશી (સ્તવન ચોવીશી), ડૉ. ભાનુબહેન શાહ (સમકિતસાર રાસ), ડૉ. આરતીબહેન વોરા (ચૈત્યવંદન), ડો. રક્ષાબહેન શાહ (પ્રતિક્રમણ), ડૉ. જવાહર પી. શાહ (છ આવશ્યક), ડૉ. રતનબહેન છાડવા (વૃત્તવિચાર-રાસ), ડૉ. પાર્વતીબહેન (જીવવિચાર રાસ), ડૉ. હિંમતભાઈ શાહ (યુગ દિવાકર પ.પૂ.આ. ધર્મસૂરિજી એક અધ્યયન), ડૉ. રેણુકાબહેન પોરવાલ (બુદ્ધિસાગરસૂરિ એક અધ્યયન), ડૉ. ભદ્રાબહેન શાહ (સઝાય સ્વરૂપ અને વિકાસ) વર્તમાનમાં હસ્તપ્રતોનું પણ સંશોધન કાર્ય ચાલું છે. હસ્તપ્રતોની લિપિ વાંચવા માટે અભ્યાસની પણ યોજના ચાલે છે. આ સૂચિ આપી છે તે સિવાય બીજા પણ ભાઈ-બહેનોએ મહાનિબંધ લખ્યા છે. પ્રો. જયંત કોઠારીએ મધ્યકાલીન સાહિત્ય કોશ અને શબ્દ કોશનું સંપાદન કરીને જૈન સાહિત્યના અભ્યાસ અને સંશોધનમાં ઉપયોગી ગ્રંથનું પ્રકાશન કર્યું છે. ધીરજલાલ પંડિતનો કોશ નોંધપાત્ર છે. સુનંદાબહેન વોહરા અને અર્વાચીન જૈન સાહિત્યનો ઈતિહાસ લખાય તો કવિઓ, કૃતિઓ, વિવેચન અનુરૂપ સંશોધન વગેરેની સમૃદ્ધિનો પૂર્ણ પરિચય થાય તેમ છે. સાહિત્ય રસિક વર્ગ આ કામ લે તો જૈન સાહિત્યની શ્રુતજ્ઞાનની અનુપમ સેવા કરી છે એમ ઐતિહાસિક સિદ્ધિ માનીને અનુમોદના કરીએ તો તે જૈન સાહિત્ય ૧૩ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ઉચિત બેસશે. પરદેશના સંપર્કથી પર્યુષણની આરાધના અને પ્રવાસથી પણ જૈન ધર્મના પ્રચારનું કાર્ય થયું છે. જૈન એકેડેમી મુંબઈ - વડોદરા – રાજકોટની યુનિ.માં જૈન ધર્મનો અભ્યાસ ચાલે છે અને બે રીતે અર્વાચીન કાળમાં સમયના પ્રવાહને અનુસરીને આ કાર્યમાં વિકાસ થયો છે. ડૉ. કુમારપાળ દેસાઈ, પંડિત ધીરજલાલ મહેતા આ પ્રવૃત્તિમાં સક્રિય છે. અર્વાચીન સાહિત્યનો મિતાક્ષરી પરિચય લખ્યો છે. આ પરિચય વધુ અભ્યાસ માટે દિશાસૂચનરૂપે ઉપયોગી થાય તેમ છે. જે સૂચિમાં નામોલ્લેખ છે તે ઉપરાંત પણ બીજા સર્જકો છે. લેખની મર્યાદાને કારણે અન્ય નામોનો ઉલ્લેખ કર્યો નથી. જૈન સાહિત્ય આગમ-પ્રાચીન-મધ્યકાલીન પરિચય પ્રથમ દિવસે અભ્યાસની ભૂમિકા પૂરી પાડે તેમ છે. જિજ્ઞાસુ અભ્યાસીઓ વિશેષ અભ્યાસ માટે જ્ઞાન પ્રાપ્તિનો પુરૂષાર્થ કરે તો તે એમના જીવનનું પુણ્યકાર્ય-મહાન સુકૃત લેખાશે. અર્વાચીન જૈન સાહિત્યનો વિકાસ વ્યાખ્યાન, શિબિર, જાહેર પ્રવચન જેવા પ્રસંગોથી થયો છે તેમાં અનુવાદ-વિવેચન-સંપાદન જેવી સાહિત્ય પ્રવૃત્તિનો પણ સંદર્ભ નોંધપાત્ર છે. બાળ સાહિત્યનો પણ આ સમયમાં વિકાસ થયો છે. જેથી નાનાં બાળકો પણ જૈન દર્શનના વિચારો ચરિત્રો દ્વારા ગ્રહણ કરવા માટે સમર્થ બન્યા છે. મુદ્રણ કળાના વિકાસથી અવનવાં પુસ્તકો પ્રગટ થયાં છે. ગુજરાતી ભાષા ઉપરાંત અંગ્રેજીમાં પણ કેટલાંક પુસ્તકો પ્રગટ થયાં છે. અંગ્રેજી માધ્યમનો પ્રચાર આ કાળમાં વધુ થયો છે ત્યારે જૈન સમાજમાં ધર્મના સંસ્કારોનું બીજારોપણ અને વૃદ્ધિ માટે અંગ્રેજીમાં રચાયેલી કૃતિઓ ઉપયોગી નીવડી છે. જૈન સાહિત્યમાં સંશોધનની પ્રવૃત્તિનો શાનતીર્થની યાત્રા ૧૪. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ વિકાસ ઊંડા અધ્યયનની એક નવી દિશા પ્રતિગતિ કરી રહી છે. યુનિ.માં જૈન સાહિત્યના અભ્યાસની સુવિધા જૈન એકેડેમી દ્વારા થઈ છે. મુંબઈ, સૌરાષ્ટ્ર અને એમ.એસ. યુનિ. વડોદરામાં જૈન સાહિત્યનો સર્ટિ. અને ડીપ્લોમા અભ્યાસક્રમ ચાલે છે. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં જૈન સાહિત્યના અભ્યાસની સુવિધા પ્રાપ્ત થાય છે. રાજસ્થાનમાં જૈન વિશ્વભારતી યુનિ. દ્વારા પત્રાચારથી જૈન દર્શનના અભ્યાસની નમૂનેદાર સુવિધા થઈ છે. તેના દ્વારા જૈનો અભ્યાસ કરીને સંશોધન પ્રવૃત્તિમાં પણ જોડાયા છે. વિશેષમાં મુંબઈ યુનિ.માં ડૉ. રમણભાઈ સી. શાહ, પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, ડૉ. કલાબહેન શાહ, ડૉ. અભયકુમાર દોશી જેવા વિદ્વાનોની સેવાથી સંશોધન કાર્ય ચાલે છે. જૈન સાહિત્ય હસ્તપ્રતોમાં વિશેષ પ્રાપ્ત થાય છે. સંશોધન પ્રવૃત્તિમાં અપ્રગટ હસ્તપ્રતોનું મહાનિબંધ દ્વારા સંશોધન થયા પછી કેટલાક મહાનિબંધો પુસ્તક રૂપે પ્રગટ થયા છે. સાધુ - ભગવંતો દ્વારા હસ્તપ્રતોનું સંશોધન કાર્ય પણ ચાલે છે. જૈન સામાયિકો દ્વારા પ્રગટ પુસ્તકોને મિતાક્ષરી નોંધ પ્રગટ કરવામાં આવે છે. આ નોંધને આધારે સાહિત્ય વિકાસની ઝાંખી થાય છે. કલ્યાણ, શાંતિસૌરભ, પ્રબુદ્ધ જીવન જેવાં સામાયિકોથી જૈન સાહિત્યની અર્વાચીન સ્થિતિનો પરિચય થાય છે. જૈન સાહિત્ય સમારોહ-જ્ઞાનસભર યોજનાથી વિદ્વાનોને અવનવા વિષયોના નિબંધ કરવાની પ્રેરણા કરવામાં આવે છે. જ્ઞાનસત્રને અંતે પસંદગીના નિબંધો પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવે છે. જ્ઞાનસત્રની પ્રવૃત્તિ એ પણ અર્વાચીન જૈન સાહિત્યના વિકાસમાં ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. જૈન સાહિત્ય For Personal & Private Use Only ૧૫ Page #57 -------------------------------------------------------------------------- ________________ ઈન્સ્ટિટયુટ ઑફ જૈનોલોજી દ્વારા જૈન સાહિત્યના વિકાસ માટે પ્રવૃત્તિઓ ચાલે છે. વિદેશમાં પણ જૈન ધર્મના પ્રચારની અર્વાચીન સમયને અનુલક્ષીને આવશ્યક હોવાથી ચાલી રહી છે. તેમાં સૂત્રધાર વીરચંદ રાઘવજી શાહની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરીને પ્રચાર અંગે કાર્ય ચાલે છે. પ્રચાર માધ્યમના વિકાસથી વેબસાઈટ વીડીયો અને કેસેટ દ્વારા પણ જૈન સાહિત્યનો પ્રચાર થયો છે. એટલે અર્વાચીનકાળ એ જૈન સાહિત્યનો સમૃદ્ધિને લોકભોગ્ય બનાવવામાં સફળતાના પંથે પ્રયાસ કરી રહી છે. ટૂંકમાં અર્વાચીન જૈન સાહિત્યનો ઈતિહાસ લખાય તો આ વિષયની અનેકવિધ વિશેષતાઓનું સાચું દર્શન થાય અને ભાવિ પેઢીને માટે ઈતિહાસ રચના માર્ગદર્શક સ્તંભ બની રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ લેખમાં અર્વાચીન કાળના કેટલાક નામાંકિત લેખકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ઉપરથી પ્રાથમિક પરિચય થાય તેમ છે. સંદર્ભ: • જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ મો. દ. દેસાઈ ૦ જૈન સાહિત્યના કાવ્યપ્રકારો ડૉ. કવીન શાહ - જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ પંડિત દલસુખ માલવણિયા • જૈન ગૂર્જર કવિઓ ભાગ-૧ થી ૭) મો. દ. દેસાઈ ૦ જૈન સાહિત્યનો સ્વાધ્યાય ડૉ. કવીન શાહ ૦ ગુજરાતી સાહિત્ય ઈતિહાસ ખંડ-૧/૨ સાહિત્ય પરિષદ ૧૬ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ જખડી એક અપરિચિત કાવ્ય પ્રકાર “જખડી' છે. આ કાવ્યોની હસ્તપ્રત શ્રી રતલામ જૈન શ્વેતાંબર જ્ઞાન ભંડારમાંથી પૂ. શ્રુતજ્ઞાન સંશોધક-સંરક્ષક શ્રી સર્વોદયસાગરજી મ.સા. પાસેથી પ્રાપ્ત થઈ છે. જખડીનો અર્થ નીચે પ્રમાણે છે. મૂળ શબ્દ “યક્ષ' છે. (સંસ્કૃત) પ્રાકૃતમાં “જકુખ' શબ્દ થાય છે. યક્ષ-યક્ષિણી શબ્દ સમાન જકુખ-જમ્બિણી શબ્દ રચાયો છે. યક્ષિણી શબ્દ પરથી જફિખ શબ્દ નિષ્પન્ન થયો અને ત્યાર પછી જખડી' શબ્દ બન્યો છે. ગુજરાતી ભાષામાં “ડી' પ્રત્યયથી શબ્દો રચાયા છે. હાટ-હાટડી રક્ષા શબ્દ પરથી રફખ-“ડી” પ્રત્યયથી રાખડી શબ્દ બને છે. જખડી'. એટલે યક્ષિણી પણ તેનો ગૂઢાર્થ જુદો છે. મજબૂત કડી' – ચીજ કે વસ્તુ. જખડીમાં વ્યક્ત થયેલા વિચારોના સંદર્ભમાં “મોક્ષની નિસરણી' એવો અર્થ પ્રાપ્ત થાય છે. અરબી ભાષામાં તેનો અર્થ ખુદાની બંદગી છે. કવિએ લઠ્ઠી પડી મોક્ષદા એવો પ્રયોગ કર્યો છે એટલે મોક્ષ પદ આપનાર કાવ્યરચના. જખડી ૧૭ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ કુલ ૪' જખડી કાવ્યો પ્રાપ્ત થાય છે. તેમાં મુખ્યત્વે આત્મા સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે ? મોક્ષ મળે તે અંગેના તાત્ત્વિક વિચારો વ્યક્ત થયા છે. આ કાવ્યો શુદ્ધ આત્મલક્ષી છે. જખડી–૧માં ૪-કડી અને બાકીની ત્રણમાં પાંચ કડીઓ છે. જખડીમાં આધ્યાત્મિક વિચારોનો સમાવેશ થયો છે. યોગી મહાત્મા આનંદઘનજી, ચિદાનંદજી, યશોવિજયજી ઉપા., વિનયવિજયજી ઉપા. વગેરેના પદો સાથે જખડીના વિચારો સામ્ય ધરાવે છે. જખડી' કાવ્યોની સમીક્ષા. જખડ-૧ (સાર) જીવાત્માને ઉદ્દેશીને કવિ કહે છે કે આ આત્માએ જિનવરની પૂજા કરી નહિ. મોહ નિદ્રામાં જીવન વિતાવ્યું. અન્ય દેવોમાં શ્રદ્ધા રાખી. પરિણામે જીવાત્મા દીર્ઘકાળ સુધી સંસારમાં ભવભ્રમણ કરે છે. (રખડે છે) રખડવાનો અર્થ એ છે કે આત્મા કોઈ ચોક્કસ ધ્યેય માટે પ્રવૃત્ત થતો નથી એમ સમજવાનું છે. ભગવાનનાં ગુણગાન ગાયા નહિ અને તેનો અર્થ પણ સમજાયો નહિ. ભગવાનનું ધ્યાન ધરવાથી અનેરો અનુભવ થાય છે અને અંતે આત્મા સ્વ-સ્વરૂપની અનુભૂતિ કરે છે. આત્મા મોહમાંથી દૂર ભાગે તો સત્ય દર્શન-આત્મ સ્વરૂપનો અનુભવ થાય. પુદ્ગલ પદાર્થનો વિચાર કરવો અને બેની તુલનામાં શાશ્વત આત્મા ઉચ્ચ છે એમ વિચારવું જોઈએ. જીવાત્માએ સંકલ્પ-વિકલ્પ દૂર કરીને સત્ય જ્ઞાન દ્વારા આત્માના સહજ સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરીર ૧૮ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ અને આત્મ ભિન્ન છે એ જાણીને પુદ્ગલરૂપી શ૨ી૨ મિથ્યા સમજવું અને આત્માને જ શ્રેષ્ઠ ગણવો. જખડીના અંતે કવિના શબ્દો છે. જ્ઞાનક સહજ લહાય, સુખñ પરમભાવ પ્રવીણ હૈ વૈરાગ્ય સકલ જ્ઞાનમેં લેખિ અચલ ગુણમેં લીન હૈ મોજૂદ હૈ નિજભાવ તેરો ઇંદ્ર આદિ ઇમ શમ તૂ આનંદ રૂપી, કરે જસૌ પીવ તૂ નિરવિકલ્પ રસ. અંતિમ પંક્તિનો અર્થ જોઈએ તો રામ એટલે આતમરામ. આત્મામાં રમે તે રામ (આત્મ રમણતા) તે જ જ્ઞાનરૂપી લક્ષ્મી લક્ષ્મીનો પતિ છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ અને અનુભૂતિ માટે જ્ઞાનરૂપી લક્ષ્મીનો મહિમા ગાવામાં આવ્યો છે. એથી જ્ઞાન અજવાળીએ - યશોવિ. ઉપા. જખડી-૨ (સાર) આરંભમાં કવિએ મન-વચન અને કાયના શુભયોગથી પ્રભુની સ્તુતિ કરીને કહ્યું છે કે - “જિન વચન હિતકારી’ હે ચેતન ! બાહ્ય ભાવને છોડીને આતમભાવમાં લીન થવું જોઈએ. પરિણામે આવા નિશ્ચયથી આત્મા આ ભાવથી જ્ઞાન સમાધિથી અવિચલ સુખની અનુભૂતિ કરવા શક્તિમાન બને છે. કવિએ બીજી કડીમાં આત્મ સ્વરૂપ વિશે અમૃતવેલની સજ્ઝાયની ગાથાનો ભાવ વ્યક્ત કર્યો છે. જખડી - દેહ મન વચન પુદ્ગલ થકી કર્મથી ભિન્ન તુજ રૂપ રે. For Personal & Private Use Only ૧૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ રે ... ચેતન. પરમાત્મા સમાન અન્ય કોઈ ગુરુ નથી. ગુરુનું સ્વરૂપ દર્શાવતાં કવિ કહે છે કે – નિત્ય નિરંજન જ્ઞાન પ્રકાશી, લોકાલોક ગેય સવ ભાસી. ભાસી અનંતા હોય ગુણ, અર આપ રહે નિજ ગેય મેં નિજ બુદ્ધિયા સૂ લઈ હમારી ચરણો કે એવમેં ષટદ્રવ્ય અર નવતત્વ કે જ્ઞાયક રહૈ ઈસ ભાવદા... લાયક ભાવથી રાગાદિક ભાવ રહેતા નથી. તત્ત્વનો યથાર્થ વિચાર કરતાં આત્મા અનેકાંત વાણી સમજે છે. શાસ્ત્રમાં ચાર અનુયોગ દ્વાર છે તે જિનમતાનુસાર છે. તેમાંથી શાસ્ત્રનાં વચન ગ્રહણ કરવાં જોઈએ. સાચા ગુરુ તે છે કે જે સ્યાદ્વાદથી વચન ગ્રહણ કરે છે. (માને છે.) સ્યાદ્વાદનો મહિમા દર્શાવતાં કવિ કહે છે કે – સ્યાદવચન હૈ મિત્ર હમારા મેટત હૈ ભવદુઃખકા પંજર સંયમ સૂ મેરી પ્રાતિ બઢાઈ તવ મારગકા રાહ લગાવે. સંયમ સ્વીકારી તપનો માર્ગ અનુસરવાથી આતમ ધ્યાનમાં રહેતો ક્ષપકશ્રેણિએ ચઢી જવાય. પછી ધર્મધ્યાન અને શુક્લ ધ્યાનમાં લીન થતાં ઘાતી કર્મનો ક્ષય થાય. કવિ કહે છે કે “લહૈ શમસુ ધામકુ” ઘાતી કર્મનો ક્ષય થાય પછી આત્મા સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. શમ એવો આતમ શમ અને ધામ એટલે મોક્ષધામ એમ સમજવાનું છે. આ જખડીનો તત્ત્વજ્ઞાનમાં વિશેષ પ્રભાવ છે. કવિની પરમોચ્ચ આત્મ ભાવના અધ્યાત્મવાદ અને સ્યાદ્વાદની વિચારસરણીની દ્યોતક રચના છે. ૧. પંજરા = પાંજરું ૨૦ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ જખડી-૩ (સાર) કવિએ આરંભમાં જણાવ્યું છે કે આત્માને લક્ષમાં રાખીને સ્વસ્વરૂપ જાણવા પ્રયત્ન કરવો. અનાદિ અનંત ગુણયુક્ત આત્મા છે. પરદ્રવ્યને ત્યાગ કરીને આત્માનો વિચાર કરવો જોઈએ. આત્મધ્યાનમાં મસ્ત રહેવાની જરૂર છે. આત્મધ્યાનની ધારામાં ભાવ સ્થિતિ ઉચ્ચ થતાં સુખ-દુઃખનો અનુભવ રહેતો નથી. કર્મરૂપી આત્મા વિકારી છે તે રહિત અવિકારી છે. જ્ઞાન દૃષ્ટિથી કર્મબંધ અટકે છે. કર્મનો નાશ કરવા માટે શુભ ધ્યાનમાં પ્રવૃત્ત થવું જોઈએ. રાગાદિ ભાવનો નાશ કરીને સમતાભાવની વૃદ્ધિ કરવી જોઈએ. પદ્માસને બેસીને ધ્યાનમાં તલ્લીનતા સાધવાથી આત્મ સ્વરૂપની અનેરી અનુભૂતિ થશે. આતમ ધ્યાનથી રે સંતો સદા સ્વરૂપમાં રહેવું.” ચિદાનંદજીની સઝાયની આ પંક્તિ જખડીના વિચારો સાથે સામ્ય ધરાવે છે. ધર્મમાં મન સ્થિર થતું ના હોય તો ઘરનો ત્યાગ કરવો. ધનધાન્ય-સંપત્તિનો ત્યાગ કરીને આતમ સાધનામાં આગળ વધવું જોઈએ. ઘર છોડવાનો અર્થ એ છે કે મુનિપદ (સંયમ-દીક્ષા) સ્વીકારીને આત્મસાધના કરવી. આવો અવસર ફરી નહિ મળે માટે ચેતન વિચારીને કામ કરજે. ગુરુ ભગવંત સાચો ઉપદેશ આપે છે. તે પ્રમાણે આચરણ કરવાથી આતમરામનું શુદ્ધ દર્શન થશે. જખડી-૪ (સાર) હે ચેતન ! તું જ્ઞાની છે. તારો સહજ ગુણ વિચાર. તું અવિનાશી-શાશ્વત છે. પ્રતિદિન રત્નત્રયીની આરાધનાથી શુદ્ધભાવ જખડી ૨૧ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થશે. વિષય કષાયનો ત્યાગ કરવો જોઈએ. હાવભાવથી ક્ષણિક સુખ મળે પણ તે દુઃખદાયક છે. આવા મોહને કારણે આત્માની દુર્ગતિ થાય છે. આત્મા નરક અને નિગોદમાં અનાદિકાળ દુઃખ ભોગવે છે. માટે વિષય વાસનાને કુસંગ ત્યજી દેવો જરૂરી છે. આત્માએ વર્ણ-ગંધ-રસ-સ્પર્શથી મોટાઈ જવા જેવું નથી. આ પુદ્ગલની પરિણતિ છે તે વિચારીને ત્યાગ કરવો જોઈએ. અશુભ આશ્રવનો ત્યાગ કરવો જોઈએ જેથી કર્મબંધ થાય નહિ. માટે આત્માને શુભ ભાવમાં જોડવો આવશ્યક છે. શરીર તારું નથી. અશુચિ ભાવના વિચારવી. આત્મા કર્મથી મુક્ત થાય એટલે જન્મમરણના ફેરા ટળી જાય છે. નિશ્ચય નયથી આત્માનો વિચાર કર અને શુભ ભાવમાં રહેવા પ્રયત્ન કરવો. મનને સ્થિર કરીને આત્માના સ્વરૂપનો સમરસ અનુભવ કરવો. મોહાદિક કર્મનો ક્ષય કરીને આત્મા ક્ષપક શ્રેણિએ ચઢે છે. પછી ધર્મ-ધ્યાન-શુક્લ ધ્યાનમાં લીન થઈને સ્વ-સ્વરૂપમાં સ્થિર થાય છે. આ રીતે આત્મા અક્ષય સુખનો અનુભવ કરવા સમર્થ બને છે. અંતે તો બધો આધાર મનની સ્થિરતા સાધવામાં છે. . આ રીતે “જખડી' કાવ્યમાં આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના ઉપદેશ વચનોનો સમાવેશ થયો છે. કાવ્ય રચનામાં હિન્દી ભાષાનો પ્રભાવ પડ્યો છે. “જખડી'માં જૈન દર્શનની અધ્યાત્મવાદના પારિભાષિક શબ્દોનો પ્રયોગ થયો છે. તેની માહિતી નીચે પ્રમાણે છે. • પુગલ : જીવતત્ત્વનાં જે જ્ઞાન-દર્શન-ચારિત્ર-ઉપયોગ આદિ લક્ષણો છે તેનાથી રહિત અજીવતત્ત્વ છે તેનો એક ભેદ પુદ્ગલ છે. અધર્માસ્તિકાયનો એક પ્રકાર છે. પૂરતિ – પત્નતિ રૂતિ પુદ્ગલ - જેમાં ચેતન શક્તિથી વૃદ્ધિ-ઘટાડો થાય છે એવું પુદ્ગલ દ્રવ્ય છે તે સ્વયં જીવતત્ત્વ સમાન કોઈ ઉપયોગવાળું નથી. ૨ ૨ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૦ ક્ષપકશ્રેણિ : ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કરતાં શ્રેણિ ચઢે તે ૧૧મા ગુણસ્થાનક સ્પર્શયા વગર ૮ થી ૧૨ ગુણ સ્થાનક સુધી આત્મા રહે. • મોક્ષ ઃ સંસારના રાગાદિ આદિ દ્રવ્ય કર્મથી સર્વથા મુક્ત થવું તે મોક્ષ. સર્વ કર્મનો સર્વથા ક્ષય થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. • રત્નત્રયી : સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર. ૦ આત્મા : પર્યાયવાચી શબ્દ જીવ ચેતન - શુદ્ધ ચૈતન્ય લક્ષણનો ધારક છે. આત્માના ત્રણ પ્રકાર બહિરાત્મા - જેની વૃત્તિ પ્રવૃત્તિ મુખ્યત્વે બાહ્ય જગતમાં હોય છે. અંતરઆત્મા - અવિરતિ ગુણ સ્થાનકથી ૧૨મા ગુણ સ્થાનક સુધી રહેલો આત્મા. પરમાત્મા - કેવળી - સિદ્ધ સ્વરૂપી છે. કષાય - સંસારવૃદ્ધિનું નિમિત્ત - ક્રોધમાન-માયા-લોભ આ ચાર કષાય તેનાથી કર્મબંધ થતાં ભવ ભ્રમણસંસાર વૃદ્ધિ થાય છે. નિગોદ : સમસ્ત વિશ્વમાં વ્યાપકપણે રહેલી અતિસૂક્ષ્મ જીવરાશિ. એક શ્વાસોશ્વાસમાં ૧૭ અધિક વખત એક સાથે જન્મે મરે એક જીવ સિદ્ધ થાય ત્યારે નિગોદમાંથી એક જીવ બહાર આવે અને પછી આગળ વિકાસ થાય. - • મોહનીય કર્મ : આઠ કર્મમાં તેનો ચાર ઘાતી કર્મનો સમાવેશ થયો છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની છે. મોહનીય કર્મથી આત્મા સંસારમાં વિશેષ પરિભ્રમણ કરે છે. • ઘાતી કર્મ : આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, શુદ્ધ ઉપયોગ આદિ ગુણોનો નાશ કરે છે. તે કર્મ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અંતરાય આ ચાર ઘાતી કર્મો છે. આત્માના સ્વ-સ્વરૂપ મેળવવામાં બાધક છે. જખડી For Personal & Private Use Only ૨૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ · નવતત્ત્વ : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંસાર, નિર્જરા, બંધ, મોક્ષ. • પદ્રવ્ય : જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ, રૂપદીપ નામની હસ્તપ્રતમાં “બાવન છંદ”ની માહિતી છે. તેમાં “પૈડી' છંદનો ઉલ્લેખ મળે છે. જખડી' કાવ્યની રચના પૈડી છંદમાં થઈ છે. આ છંદની માહિતી નીચે પ્રમાણે છે. ' તેરહ મત્તા આદિ કીજે, તિથલે સંજ્ઞા ભાંખીયે લધુ દીરઘ ભેદ નાંહી, સળ અઢાવીશ ચઉરસ મઝે વાત કોઈ, ગિનનિરખીયે. રગમ આતમ દીજીયે. સેસ નાગ કી જુગત સૌતી પૈડી કીજીયે. • પૈડી છંદ ૧૩ માત્રાનો રચાયો છે. એમાં લઘુ-ગુરુનો કોઈ ભેદ નથી. અંતે રગણ હોય છે. અથ જખડી લિખતે ? : જખડી-૧ : જીવા જિનવર નહીં પૂજિયા, અરડ્યો આલજંજાલ જીવા પર અપ્પા માનિયા, જ્ઞાન લખી નહીં સાખે દેહો સાર ન જાણ્યો શુધ ચેતનદશા, મૂઢ સદા રહી ટૂક વિષય કે સુખમાંહિ ભૂલ્યો મોહ નીંદ પ્રબલ લહી ઈસ મોહકી અતિ ગહલ હૈ, તાસે તુજે નહી સૂઝીર્ય ચિર કાલ ભટક્યો ગુણમાયે દેવ જિન નહીં પૂજિયા - (૧) ૨૪ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ જીવા જિનગુણ ઉર લાયકે, યાકે અરથ પિછાણવેવેહાં જીવા જિન શુદ્ધ આતમ લખો, ચેતનગુણ દ્રગગ્યાનવેવેહાં ગ્યાન અનંત અનંત દરસણ વિરજ સુખ અનંત હૈ યહ જાણિ જીવ ચતુષ્ટ નિશ્ચ ધારિ પ્રભુ જયવંત હૈ યહ ધારિ અપની સરુપ જાણી, રાગ દ્વેષ મિટાયા હૈ નિરબંધ હોયશિ તાવ અનુભવ દેખિ જિન ગુણલાય છે – (૨) જીવા આતમક પરચે સોહી પંડિત દેખી વેવેહાં જીવા સબહી મોહ મિટે, જબહી સુખ અતિ પેખવે વેહાં જબહી સુખ અતિ પેખ પ્રાણી, મમત પરકી ત્યાગીયે વરણાદિ ગુણ જડજાનિ પુદ્ગલ મેઢાકી લાગવે જે ભેદ બુદ્ધિ લખે નહીં, તે રહત સર્વ કુ ભેખવે નિજ આત્માકો કરે પરચે સોહિ પંડિત દેખિવો – (૩) જીવા પિવ નિરવિકલ્પ રસ દેહ સુભિન્ન લખાયકે વેહાં જીવા મનકે વિકલપત, જિગ્યાયક સહજ લહાયકૈ વહાં જ્ઞાનક સહજ લહાય સુખરી પરમભાવ પ્રવીણ હૈ વૈરાગ સકતી જ્ઞાનમેં લખિ અચલગુણ મેં લીન હૈ મૌજૂદ હૈ નિજ ભાવ તેરી ઇંદ્ર આદિ કરે જર્સ ઈમ રામતુ આનંદરૂપી પીવત્ નિરવિકલપરસ - (૪) જખડ-૧ સંપૂર્ણ : જખડી-૨ : પંચ પરમગુરમેં નિતિ ધ્યાઉ, મન વચતનકરિ શીશનવાઉં પ્રભુકે વચન સદા હિતકારી, યાર્ને પાવન વસ્ત હમારી પાવત હમારી વસ્તુ ચેતન શુદ્ધગુણ પર જેમઈ પરજાઈ બુદ્ધિ મિટાય કરિ નિજ ભાવકી પરણતિ લઈ જખડી ૨૫ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ મેં રહુ નિશ્ચ ભાવમે, સુખ લહુ જ્ઞાન સમાધિકૌ અવિચલ અમૂરતિ શુદ્ધ થાઉં, મેટિકરમ અનાદિકી – (૧) કર્મ રૂપ નહીં ભાવ હમારી, યે હે પુગલ કે વટપારે ફરસવરન રસગંધસરૂપી, શબ્દાદિક પરે જે રૂપી રૂપી સદા પૂરતગલત અર વિનાશક સુભાવ હૈ નાના પ્રકારવનીય આકુત સુખ દુઃખ લખાવ હૈ ગુણઠાણ મારગણા દીયે વિભાવયા કેહૈ સહી નિજ શુદ્ધ ચેતન ભિન્નયા સુશ્રીગુરુ ઐસે કહી – (૨) શ્રીગુર હૈ અવિનાશી અદેહી ચિદાનંદ આનંદસ્વયગઈ નિત્ય નિરંજન જ્ઞાનપ્રકાશી, લોકાલોકગેય સવભાસી ભાસી અનંતા જોયગુણ અર આપ રહે નિજ ગેયમેં નિજ બુદ્ધિયાર્ લઈ હમારી, ચરણયાકે સેયમેં નિજ રૂપકું નિજ રૂપ જાનૈ પર સુભિન્ન રહૈ સદા ષ દ્રવ્ય અર નવતત્ત્વ કે જ્ઞાયક રહૈ ઈસભાવદા - (૩) જ્ઞાયક ભાવયહી ચિદજાનાં, રાગાદિક નિજરૂપ ન માના તત્ત્વ યથારથ સરધા કીની, અનેકાંતમય વાણી ચીની ચીની અનંતા ધરમરૂપી સ્યાદપદકરિ સોહની આકુલ મિટાવૈ સુખ બઢાવૈ, હણત દર્શનમોહની અનુજોગ ચાર પ્રકાર જિનમતમાહિ સતગુરને કિયે સામાહિ વચન અનેક હૈ તે સ્વાદપદ મુખિકે લીયે – (૪) સ્યાદવચન હૈ મિત્ર હમારા, મેટત હૈ ભવદુઃખકા જારા સંયમસૂ મેરી પ્રીતિ બઢાવૈ, તવમારગકી રાહ લગાવૈ, રાહ લગાવૈ ધ્યાનસેતી ક્ષપકશ્રેણીકું ચઢે અદધીચિલે સવભાવનોવૈ સુકલર્સ પ્રાપત બઢ ઘાતિયા કરમણિપાયક, અલખી પૂરણગ્રામકું ચારૂ અઘાતી મેટવીકુ, લહે રામસુ ધામકુ - (પ) ૨૬ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ જખડી-ર સંપૂર્ણ : જખડી-૩: તથા આતમજ્ઞાન સંભારો તુમરો સુજ્ઞાનીવે દખ્ય સ્વયસુદ્ધ સ્વરૂપ અનાદિકો જાનીવે જાનિ અનાદિ ભર ભરહ તસુછંદ ચેતનરૂપ હૈ આનંદ અતુલ અનંતગુણ પરજાઈ સકતિ સરૂપ હૈ પરદ્રવ્યષટ કે અનંતગુણ પરજાયતા તે ભિન્ન હૈ સબ આપ આપ સુભાવ પ્રણવૈ સહજ પરણતિ ચિહ્ન હૈ – (૧) નેહ પર દ્રવ્યન સી નહિકીજે રહેગ્યા તાવે, ધ્યાન નિજ આતમ કી તુમ કીજૈ તુમ ધ્યાતાવે, ધ્યાતા તુર્મ અર ધ્યેય તુમહી જાનિયા મૈ સુખ સહી, દુઃખ નહીં યાર્મ ખેદનાંહી જનમ મરણ સર્વે નહી, ઘનઘટેનાંહી કલેશ નાંહી નાંહિ બલ તેરો ઘટે, ઈમ જાનિ ધ્યાન કરે નકું, અવદૂરિ કરી અંતરપેટે અંતર નિજધારા લખિભાઈ, અવિકારી વે કર્મ સરૂપ વિકારી જાની પરકારીવ, પરકારજાંનિ અચેતરૂપી સુખદુઃખ સુભાવ હૈ, ઈસુ સંયોગ બઢ તવૈ નિજ જ્ઞાન હોય અભાવ હૈ તવ બંધગણ પરકાર નાના ગુણ પ્રદેશન રોકિ હૈ ગતિ જોનિ ભેખ બણાય આકૃતિ, બંધ ખિણ ખિણ મોક્ષ હૈ - (૩) ઈહ વિધ જાણિ કરમકો ભાવૈ લખિ ન્યારો વે થાકેમેટનકી ભાવવિચારો નિજ પ્યારો તે પ્યારો જ નિજરસમાંહી પૂરો ઔર પૂરો શકતિકૌ રૈલોક્યમાંહિ મહંત જાનિ ઉપાય કરિ અવિવેકકી ........ - (૨) જખડી ૨૭ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ રાગાદિભાવ વિદારિકે સમતાસુભાવ બઢાઈયે ગહમોનિપદ્માસન કરો વનમાંહી, આતમથાઈયે – (૪) ઘરમે મન એક રહે નહીં માર્ત ઘર તજિયે વે ધનધાન્યદાસીદિકઈનર્ત અઘ બઢિયે વે બઢયે અર્ધ સોકી જિયે નહી, ચાલિમુનિપરલીજીયે થિરતાસુ પદકો મૂલકારણ એહિ જાનિ ગલીજિયે કરિમિત્ર અવકારિ જસવેરો, ફેરિ ઔસરનાં લઈ ઉપદેશ શ્રીગુરૂદેત પાસે સુદ્ધરામ દિખાઈ હૈ - (૫) જખડી-૩ સંપૂર્ણ ? જખડી-૪ઃ જ્ઞાની તેરી ભાવ કયોં ન લખાવૈ, તું અવિનાશીધામ વેવેહાં, હાવસત વિચારો પર દુઃખ ટારો દેખી ચેતન ઠામ વેવેહાં, હા દેખી ચેતન ઠામ તુમારો નિજરસ કરિ ભરિ પૂરી, શુદ્ધ છંદસુભાવ સહજ ગુણ નિજ દલમાંહી સબુરો - યો સરધાન ધારિ કરયાત પરસંયોગ મિટાવૈ, રત્નત્રયકરિયાદિ નિરંતર જ્ઞાની તેરોભાવે ........... .............. - (૧) હા તજી વિષયકુ સંગૈયાક પ્રસંગ તેરો ગુણ નિતી ખીણ વેવેહાં, હાભવભવમાંહી હોય દુઃખદાઈ પાવૈ દુર્ગતિ હીણ વેવેહા, હા પાવૈ દુર્ગતિ હણ જાસ તૈ અપનો પદ ભુલાવૈ, છિનછિન તનકુ કાટે, અર નરક-નિગોદ ઝુલાવૈ, કાલ અનંતા દુઃખ સહૈવે ઐસે જાનિ અનંત-શુદ્ધ સુભાવ અચલ પરણતિ ગહૈ યે તજિ વિષય કુસંગે - (૨) ૨૮ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ હાં કરિ કર્મનવેરો લખી નિજ તેરો સુપર વિવેક વિચારવહા, હાં ફરસવરણ રસગંધભાવયે પુદ્ગલરૂપ નિહાર વેહાં, હાં પુદ્ગલરૂપ નિહાર તુમારો, યામેં કછુ નહીં જાનૈ, એ જડરૂપ મિલે વિઠ્ઠરે સંસે ભ્રમભાવ ભુલાની, યા નિમિત તૈહવે આશ્રવ અર બંધ કરે દુઃખ કેરો, સંવર નિર્ભર ભાવ પિછાણે, અવકરિ કર્મ ન વેરી - (૩) હાં યા, દેહી નહીં તેરી, તું કહે મેરી યહ તૌ અશુચિકી ખાનિ વેહા, હાં અસ્તમાશમલમૂતર રૂધિરાદિકકી સંતતિ માન વેવેહા, હાં રૂધિરાદિકકી સંતતિયાકું તુમ અપની કરમાની, ઈનકે ચેરે હોય રહે તે ખોર્વે નિજ ધન પ્રાની, અવયાસૌ સંયમ બુદ્ધિ કરિ કે, મેરી દુઃખકી ઢેરી, ચેત કરો નિશ્ચ પદમાંહી યહ દેહી નહિ તેરી .................... - (૪) હાં ચિત્તમનધિર કરી રાખી, નિજરસ ચાખો ચાલો મોક્ષિ સુથાન વેવેહાં, હા મમત ત્યાગિ કરી ધ્યાન લાગિ કરી, મોહ કરમ ભાનિ વેવેહાં, હાં મોહ કરમકુંભાનિ ચઢી તુમ ગુણઠાણે કી પૈડી ક્ષિપક શ્રેણિકી રાહ લેય કરી મેરો રાગ કુપૈડી શુકલધ્યાન સૌ પ્રીતિ બઢાકર, કર્મઅરિનકૂ નાખે અર્ખ નિધિયું રામનિહારો, ચિત્ત મન થિર કરિ રાખી - (૫) જખડી-૪ સંપૂર્ણ સંતતિ = પરંપરા, અમૈનિધિ = અક્ષયનિધિ, ભાનિ = જાણીને, અનુયોગ ચાર = જૈનધર્મમાં ચાર પ્રકારનાં અનુયોગ છે. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ, કથાનુયોગ. જખડી ૨૯ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ “જકડી' (જખડી) શ્રી અંચલગચ્છીય ઐતિહાસિક રાસ સંગ્રહમાં “જકડી’ સંજ્ઞાવાળી કાવ્યકૃતિ પ્રાપ્ત થાય છે. અંચલગચ્છના ૧૭મી સદીના ધર્મમૂર્તિસૂરિની ગુરુ ભક્તિ નિમિત્તે જકડી રચાઈ છે. આ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. અરબી ભાષામાં “ઝિક્ર શબ્દ છે તેનો અર્થ “જાપ' રટણ-માળા ગણવી. સૂફીવાદ ગહન છે. અલ્લાહના રટણમાં રાત-દિવસ મગ્ન રહેતા સૂફીવાદીઓ પ્રભુ નામ સ્મરણમાં સમર્પણશીલ ભક્તિ કરે છે. એટલે “જકડી' કાવ્ય પણ ભક્તિ માર્ગનો એક પ્રકાર ગણાય છે. તેમાં દેવની ભક્તિ ઉપરાંત ગુરુ ભક્તિનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. શ્રી ધર્મમૂર્તિસૂરિ જકડી “જકડી” સંજ્ઞાથી અભિહિત આ નવો કાવ્ય પ્રકાર છે. મૂળ તે અરબ્બી ભાષાના “ઝિક્ર” નામક કાવ્ય બંધ પ્રકારમાંથી ઊતરી આવ્યો છે. હિંદીમાં તેને “જકરી' કહે છે. મુસ્લિમ સંત અને સૂફી કવિઓ “ઝિક્રમાં અલ્લાહના નામનું રટણ ગૂંથતા જૈનોએ આ કાવ્યબંધ પ્રકારને અપનાવી લઈ તેને “જકડી' નામ આપ્યું. તેમજ તેમાં ગુરુનું રટણ અર્થાત્ ગુરુગુણ કીર્તન ગૂંચ્યું. “ધર્મમૂર્તિસૂરિ જકડીમાં આવતા ઉર્દૂ શબ્દો અને તેનો મૂળ લહેકો છતો થયા વિના રહેતો નથી. તેને મૂળ ઢબે લયબદ્ધ રીતે ગાતાં ભવિકજનો ભાવવિભોર થઈ જતા હશે. સૂફી સંતોના વિચાર-ભાવ તાદાભ્યની ઝાંખી આ કૃતિ દ્વારા થઈ શકશે. પ્રસ્તુત પદ્યકૃતિનો ઐતિહાસિક સાર ગુણ કીર્તનની અપેક્ષાએ અલ્પ છે. તેમાં કહેવાયું છે કે ચરિત્રનાયકનો જન્મ શ્રીમાલી વંશીય શાહ હાંસાની ભાર્યા હાંસલદેની કૂખેથી થયો. ભગવાન મહાવીરની આવ્યો છે. રાજાના “ઝિક” ના આ નવો કાવ્ય પ્રકાર ૩૦ શાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પાંસઠમી પાટે તેઓ ગુણનિધાનસૂરિના અનુગામી પટ્ટધર તરીકે બિરાજ્યા. આ પાટક્રમ ભગવાન મહાવીરથી નહિ પણ સુધર્માસ્વામીથી ગણવામાં આવતો હોઈને ખરેખર એમનો ક્રમ ૬૪મો આવે છે. જકડીમાં કહ્યું છે : ‘સાહા હાંસા સુત હાંસલદે કૂખઈ શ્રીશ્રીવંશ વધાઉ’ એટલે કે તેઓ શ્રીમાલી વંશીય હતા. અન્ય પ્રમાણ ગ્રંથોમાં પણ આ વિધાનને સમર્થન સાંપડે છે. જ્યારે અમરસાગરસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી અને ‘અંચલગચ્છની મોટી પટ્ટાવલી' તરીકે પ્રકાશિત થયેલા ગ્રંથમાં એમને ઓસવાળ વંશીય નાગડા ગોત્રીય કહ્યા છે. આ પટ્ટાવલી શંક્તિ ગ્રંથ છે એ વિશે આગળ કહેવાઈ ગયું છે. જકડીના વિધાનથી આ વાતને વિશેષ પુષ્ટિ મળી રહે છે ધર્મમૂર્તિસૂરિના પ્રશિષ્ય અમરસાગરસૂરિએ સ્વયં એ પટ્ટાવલી લખી હોત તો આવી ગંભીર ભૂલ ન થાત એ ચોક્કસ છે. પ્રસ્તુત ‘જકડી’માં ધર્મમૂર્તિસૂરિના પટ્ટાભિષેકનો ઉલ્લેખ છે. પણ કર્તાએ તેની સાલ નથી આપી. અન્ય પ્રમાણ ગ્રંથો દ્વારા જાણી શકાય છે કે વિ.સં. ૧૬૦૨માં રાજનગર-અમદાવાદમાં તેઓ ગચ્છેશપદે અલંકૃત થયા. એજ સાલમાં એમણે ક્રિયોદ્ધાર કર્યો. ‘જકડી’માં એમનો ત્યાગમય જીવન વિષે સ્પષ્ટ ઉલ્લેખ છે. અંચલગચ્છ, ખરતરગચ્છ અને તપગચ્છ એ ત્રણે મુખ્ય ગચ્છોમાં શિથિલાચારે પ્રવેશ કરતાં જૈન સંઘમાં સ્થાનકવાસી સંપ્રદાયનો ઉદય થયો. તેના ધૂંવાધાર પ્રચારને ખાળવા ક્રિયોદ્ધાર સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. કવિવર સમયસુંદરે ‘ભટ્ટારક ત્રય ગીતમ્' નામક ઐતિહાસિક પદ્યમાં તત્કાલીન પરિસ્થિતિનું સુંદર વર્ણન કર્યું છે જખડી For Personal & Private Use Only ૩૧ Page #73 -------------------------------------------------------------------------- ________________ ભટ્ટારક તીન હુએ બડભાગી, જિણ દીપાયલે શ્રી જિન શાસન, સબલ પડૂર સોભાગી. ખરતર શ્રી જિનચંદ્ર સૂરીસર, તપા હીરવિજય વૈરાગી; વિધિપક્ષ ધરમમૂરતિ સૂરીસર, મોટા ગુણ મહા ત્યાગી. મન કોઉ ગર્વ કરઉ ગચ્છનાયક, પુણ્ય દશા હમ જાગી; સમયસુંદર કહઈ તત્વ વિચારલે, ભરમ જાયઈ જિમ ભાગી. વિધિની વિચિત્રતા એ છે કે સ્થાનકવાસી સંપ્રદાયની નવીનતમ ચળવળે ત્રણે પ્રતિસ્પર્ધક ગચ્છોને એક કરી દીધા ! આ સંદર્ભમાં પ્રસ્તુત જકડીના કર્તા ઋષિ સામંતે ધર્મમૂર્તિસૂરિના ત્યાગમય જીવન ઉપર જે પ્રકાશ પાડ્યો છે તે ઘણો મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને આ છે કંડિકા ક્રોધ કષાઈ આ લોભ ન વાસ્યા, મનથી મમતા મૂકી છાંડી, નિજ મનથી પરિગ્રહ માયા છાંડી, પણ્ જીવાં ઉપગારી. શ્રી ધર્મમૂર્તિસૂરિ જકડી (રાગઃ હાલો હાલો હાથી ઘોડા) (કર્તા રષિ સામંત) (રચના : વિ.સં. ૧૬૦૦ના અરસામાં) અંબે હાં હાં હૈ સરસતિ બેગિમ માઉં બેહાં, અંબે હાં સુગુરુ ચલણ ચિત્ત લાઉ બેહાં. ગુરુ ચલણે ચિત્ત લાઉ બે દિણ જાઉં પૂજ્ય તણા ગુણ ગાઉં, શ્રી ધર્મમૂર્તિસૂરિસર ગચ્છપતિ દરિસણિ નવનિધિ પાઉં. સાહા હાંસા સુત હાંસલ કૂખ) શ્રી શ્રીવંશ વધાઉં, અમૃત વાણી વયણા પ્રકાશઈ, અંબે હાંહાં ઐ સરસતિ બેગિમના અંબે હાં. (એ આંકણી)...૧ ૩૨ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ અંબે હાં હાં છે ગુરુ છત્રીસ ભંડારુ છે હાં, અંબે હાં હાં છે મન મોહન મૂરતિ ઉદારુ છે હે. મન મોહન મૂરતિ મુનિવર સોહઈ, મહિમા વંત મુણિંદ, વિનઈ વિવેક વિચાર વિચક્ષણ ઉદયુસે જયણંદ. આગમ ગ્રંથ સિદ્ધાંત બિખાણઈ સકલ કલા ચિત્ત ધરી, તસ પટ્ટે રતન હી અવર મુનીશ્વર અંબે હાંહાં...૨ અંબે હાં હાં છે પૂજ્ય દેશ મેવાતિઈ આવા છે હાં, અંબે હાંહાં છે પૂજ્ય સકલ સંઘ મનિ ભાયા છે હાં. સંઘમનિ ભાયા પુન્યઈ પાયા સફલ જન્મ તિહાં કીઆ, નરનારી મન આણંદ ઉપના રાસકિ લાહા લીઆ. વીર થકી પાંસઠે મઈ પાટઈ સોહઈ ગુરગચ્છ રાયા, વિધિ મારગ ભવિયણ પ્રતિ ભાખઈ અંબે હાંહાં...૩ છે શ્રી ગુણનિધાન પટરાયા છે હાં, અંબે હાં હાં છે મણિઈ ટાલ્યા ક્રોધ કષાયા છે હાં. ક્રોધ કષાઈ આ લોભ ન વાચા મનથી મમતા મૂકી છાંડી, નિજ મનથી પરિગ્રહ માયા છાંડી, ષટ જીવાં ઉપગારી શ્રી ગુરુ મંડણ પાસ જિPસર સુપ્રસન્ન હુઈ મનિ, દ્વય કર જોડી સામંત રષિ જંપઈ અંબે હાંહાં...૪ ગુણનિધાન પાટિ રાયા છે હાં, અંબે હાં હાં હૈ સરસતિ બેગિમ માઉ બે હાં. ઇતિ શ્રી પૂજ્ય ધર્મમૂર્તિસૂરિ જકડી સંપૂર્ણ જખડી ૩૩ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ 3 . ઘૂવર્ષ જૈન સાહિત્યમાં વિવિધ રીતે ગુરુ મહિમા ગાવામાં આવ્યો છે. ગુરુ ભગવંતના ચરિત્રનું નિરૂપણ કરીને ગુરુ ગુણ ગાવામાં આવે છે. વળી સાધુ કવિઓ કાવ્યને અંતે ગુરુ પરંપરાનો ઉલ્લેખ કરીને ગુરુની વિશેષતા દર્શાવી મહિમા ગાય છે. આ પ્રકારની પદ્ધતિ જૈન સાહિત્યમાં વિશેષત-લક્ષણ તરીકે ગણવામાં આવે છે. અર્વાચીન કાળમાં પણ આજ પ્રણાલિકાનું અનુસરણ થયું છે. ગુરુ કૃપા એજ શિષ્યની સાધના અને સફળતાનું પાયાનું લક્ષણ છે એમ જૈન સાહિત્ય ઉપરાંત જૈનેતર વર્ગમાં પણ આવો મત પ્રચલિત છે. પંદરમી સદીના બીજા તબક્કામાં થયેલા ખરતરગચ્છના વોરા ઉદાનાપુત્ર છાહુડ ગોત્રના કવિ દેવદત્તે જિનભદ્રસૂરિ ધૂવીની રચના કરી છે. માત્ર બે કડીની આ કૃતિમાં જિનભદ્રસૂરિ આચાર્યનો મિતાક્ષરી પરિચય છે. ધૂવઉ - એટલે ધ્રુવ - અચળ – નિત્ય - ધુર - પ્રથમ એ અર્થ થાય છે. જેમ કાલિકસૂરિ પહેલા, કાલિકસૂરિ બીજા એમ સમાન નામવાળા અન્ય આચાર્ય હોવાના સંદર્ભમાં જિનભદ્રસૂરિ પ્રથમ-પહેલા એમ સમજવું. “ધૂવઉ શબ્દપ્રયોગ જિનભદ્રસૂરિ પહેલા દર્શાવવા માટે થયો છે. ૩૪ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત ભાષાના ધ્રુવ શબ્દ પરથી “ધૂવઉ પ્રાકૃત ભાષાનો શબ્દ રચાયો છે. ધ્રુવપદ વરનાર એટલે કે પૂ.આ. જિનભદ્રસૂરિ ધ્રુવપદ - શિવપદ - મોક્ષપદને વરનારા છે. સંયમ જીવન દ્વારા મોક્ષ પુરૂષાર્થની સાધના થાય છે એટલે પૂ.આ.એ મોક્ષ માર્ગની સાધના કરનારા છે એવો અર્થ પણ ઘટાવી શકાય તેમ છે. પૂ. જિનભદ્રસૂરિ શાશ્વત એવા સિદ્ધ પદના આરાધક હતા એટલે ગુરુ તરીકે અમર હતા એવો અર્થ પણ નિષ્પન્ન થાય છે. પૂ.શ્રી પૂનમીયા ગચ્છના શોભારૂપ હતા. કાવ્યને આધારે એમના જીવનની સંક્ષિપ્ત માહિતી નીચે પ્રમાણે છે. - કામદેવનું ખંડન કરનાર ધીરંગના પુત્ર હતા. પૂ. જિનરાજસૂરિની પાટે પ્રભદ્રસૂરિના શિષ્ય જિનભદ્રસૂરિ થયા હતા. શાસનાજ્ઞાતા, વ્યાકરણ, સંઘના ઉદ્ધારક, અશરણ શરણરૂપ, સૂરિમંત્ર આરાધકવાદ નિવારક, છત્રીશગુણ યુક્ત વગેરે વિશેષણોથી અલંકૃત જિનભદ્રસૂરિ હતા. અંતે “ભણે દેવદત્ત' શબ્દથી આ લઘુ કાવ્યના કવિ દેવદત્ત હતા તેનો ઉલ્લેખ થયો છે. પભણિસુ ચેત પ્રવાડિ અણહિલપુર પટ્ટણ તણિય, મુઝ મન ખરીય રહાંડ, થઈઉ મતિ નિરમલ અતિ ઘણીય. ૧ અંત - પટ્ટણ પ્રસિદ્ધ હરખિ કિલ્દી ચૂત પ્રવાડિ સુહામણિ, ભણતાં ગુણતાં શ્રવણ સુણતાં, અતિત છઈ રળિયામણી, પભણ્યા જ કોઈ નામ તે, અવર જે છે તે સહી, છિદુત્તર વરસઈ, મન હરિસઈ, સિદ્ધ સૂરિદઈ કહી. (૧) જેસ.ભં. (૨) અભય જૈન ગ્રંથાલય. [જૈનન્કરચનાએ ભાગ-૧ પૃ. ૮૩, ડૉ. ભોગીલાલ સાંડેસરા (સંબોધિ, ૧૯૭૫-૭૬) કૃતિની રચના સંવત ૧૫૭૬ માને છે.] દેવદત્ત (ખ) વોરા ઉદાસુત, છાયડગોત્ર) ધૂવડે ૩૫ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ જિનભદ્રસૂરિ ધૂવી સિસિગચ્છમંડણ મયણ રિણ, ખંડણ ધણગ નિંદણ એ, મિલિ સુદરસણ અમૃત વરિસણ, વાણી સુલલિતુ એ. ક્રોધ માન માયા લોભ નિવારણ, ધારણ સંજમુ નિર્મલુઆ, સયલ શાસ્ત્ર વ્યાકરણ વખાણણ, સંઘ સભાપતિ ઉધરણાઉં. ૧ અસરણ સરણ સૂરિ મંત સમરણ, કરણ કવિત મતી એ, વાદિય પંચાયણ વિદુર વિચક્ષણ, છત્તીસ ગુણાલંકધુ એ. જિનરાજસૂરિ પાટ ચિંતામણ, ભદ્રસૂરિ ગુરુ સહકરુ એ ભણે દેવદત્ત વહરા ઊદા સુત, સહિ છાહડ સહકરણા હો. ૨ (૧) અભય જૈન ગ્રંથાલય. જૈિન ગૂર્જર રચનાએ ભા. ૧, પૃ. ૮૫] આ. જિનભદ્રસૂરિની અન્ય લઘુકાવ્ય કૃતિઓ નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. ૧૫મી સદીના કવિ ભૈરઈદાસે જિનભદ્રસૂરિ ગીતમુની ત્રણ કડીમાં રચના કરી છે. (પ-૮૫) મનમથ દહન મલિનિ મન વર્જિત તત તેજ દિનકરુએ . મહિમ ઉદધિ ગુરુથાગચ્છ ગણધર સકલ કલાનિધિએ છે વાદિ તરકિ વિધા ગજ કેસરિ જોગ જુગતિ યતિ સપુલ્સ / શ્રાપ વસિકરણ સુખનિધિ સંઘ સમાપતિ મંડરગુ // ૧ / ચતુર્દિશ પ્રગટ અમૃત રસ પૂરિત જ્ઞાનિગદેખગ | પંચ મહાવૃત મેરુ ધુરંધર સંજમ સુગૃહિતુ એ જિનરાસૂરિ પાટસસિ સોભિત જાતિ જોરઈદાસુ મણહરુઆ/ જિનભદ્રસૂરિ સુગુરુગુણ બદલ મન વિંછિત ફલ પામીએ // ૨ // ૧. ધૂવઉ = ધ્રુવ = પ્રથમ-પહેલાં (જિનભદ્રસૂરિ પહેલાં) ૨. જિનભદ્રસૂરિ શિષ્યની રચના જિનભદ્રસૂરિ ગીતમૂની પાંચ કડીની રચના પ્રાપ્ત થાય છે. (પ-૮૫) ૩૬ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ આદિ : માઈએદીઠ માસિક મેલ્હિ સુણીયએ ગચ્છપતિ શ્રાવતીએ કવણિહિ શ્ર— ગુરુ આવતઉદીઠી ક્વણિહિ લઈય વધામણીએ / ૧ / અન્ત : સરસવિકવિ સોવનપાટ સાસણિ દેવતિ સંસવધારિયએ / ગચ્છાતિ બઉઢ જિનભદ્રસૂરિ સંઘ મંડણ ગચ્છઉદ્ધરણ રેરા પ્રતિ, અભય. અજ્ઞાત કવિકૃત જિનભદ્રસૂરિ અષ્ટક ૯ કડીની રચનામાં ગુરુનો મહિમા ગાવામાં આવ્યો છે. (પ-૮૬) આદિ ભવિયણ મો મડ સુણહવલદલ સર્જિગિરિ ચડહ ! - જિનભદ્રસૂરિ મુનિરાયચું સમર મહાગણિ જિમલહુ અન્ત : રિષભ-અજિત, સંભવજિહિંદુ જ્ઞાનાનર્લિ જાલિક ! મોહમલ્લ જેહિ નથિ, માયા પિણટાલિઉ . કુમત પ્રમુખ નટનિકટ સુભટ જિણ હેલહિ જિન | પંચવિસય પરિહરવિજેણ, જપ લરિછ ઘતા | ભવ ભવણિ રમણિ મિલ્હવિકર નાણ સુદંસણ મનિવરિઉં ! જિનભદ્રસૂરિ ગુરુ જાણિ કરિ ચરણ રમણિ લીલા વરિઉ આ પ્રતિ. જિનભદ્રસૂરિ ગીત ૯ કડીની રચના પ્રાપ્ત થાય છે. (પ-૮૭) આદિ : પહિલઉં પણમીય દેવ દેવતણો જુ દેવ ગાઈસુ ગણરું એ જિનભદ્રસૂરિ ગુરુએ / ૧ // ધોળિયસાહ મલ્હાર રહેતુ કુખિ અવતાર ગુણવઈ સહગુરુએ મહિમા સાગરું એ / ૨ / અન્ન : શ્રી જિનભદ્રસૂરિરાઈ દીઠઉ પાતક જાઈ | સુમતિ સુજણ ગુરુ એ નંદઉ તાંચિરું એ / પ્રતિ | ૧. જ્ઞાનાનલિ = જ્ઞાનરૂપી અગ્નિ ધૂર્વક ૩૭ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ અષ્ટ મંગલ અષ્ટ મંગલ એ જીવનમાં મંગલકારક ચિહ્નો છે. તેને માટે પ્રતીક શબ્દ પ્રયોગ થાય છે. પ્રતીક – એટલે symbol, Idol, sign આ પ્રતીકો આધ્યાત્મિક છે, તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યા પછી ભગવાન કેવળજ્ઞાનથી ત્રણ જગતના ભાવને જાણે છે સંઘની સ્થાપના કરીને બારપર્ષદા સમક્ષ દેશના આપી ભવ્યજીવોનો ઉદ્ધાર કરે છે. એવા તીર્થકર ભગવાનની આગળ અહોભાવપૂર્વક દેવો આ અષ્ટમંગલ - આઠ પ્રતીક લઈને આગળ આવે છે. પ્રતીક વિવિધ જાતનાં હોય છે. ધાર્મિક પ્રતીક ૐ એ પંચ પરમેષ્ઠિનું સૂચન કરે છે. સૂર્ય જ્ઞાનનું પ્રતીક છે. વસંત જીવનના ઉલ્લાસનું પ્રતીક છે. જાહેર રસ્તા પર જતા આવતા વાહનો માટે લાલરંગ અને લીલા રંગનું ચિહ્ન અનુક્રમે વાહન થોભો અને વાહન લઈને આગળ વધોનો સંદર્ભ દર્શાવે છે. કાળાવસ્ત્ર શોકનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજ દેશનું પ્રતીક છે. સાહિત્યમાં પણ પ્રતીકોનો પ્રયોગ નવીનતા નિહાળી શકાય છે. અષ્ટમંગલનું સ્થાન આ પ્રકારના પ્રતીકો તરીકે છે પણ વિશેષ રીતે તો દેવાધિદેવ તીર્થકર ભગવાનના અપૂર્વ વૈભવના દર્શનની સાથે ભક્તોની ભક્તિનું પણ સૂચક છે. આ ૩૮ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રતીકો ભક્તિ ભાવનાની વૃદ્ધિ દ્વારા આત્માનો અપૂર્વ ઉલ્લાસ પ્રગટાવવાની ક્ષમતા ધરાવે છે. પ્રભુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા પ્રગટે છે. પરિણામે દેવગુરુ અને ધર્મની આરાધનાથી આત્માનું કલ્યાણ થાય છે. અષ્ટમંગલ : જિનાલયમાં ભગવાનની સમક્ષ અષ્ટમંગલની સ્થાપના કરવામાં આવે છે. અષ્ટમંગલની માહિતીના સંદર્ભ મંગલનો વિશિષ્ટ અર્થ જાણવો જરૂરી છે. સામાન્ય રીતે મંગલ શબ્દ કલ્યાણકારક – શુભ - લાભદાયક અર્થમાં પ્રચલિત છે. તેનો વિશેષઅર્થ નીચે પ્રમાણે છે. નમસ્કાર મહામંત્રના નવમા પદનો અંતિમ શબ્દ મંગલ છે. તેના બે પ્રકાર છે. (૧) દ્રવ્ય મંગલ - બાહ્ય રીતે ગણાતા મંગલ સૂચક પદાર્થો દહીં, દુર્વા, અક્ષત વગેરે. () ભાવમંગલ - આંતરિક રૂપે મંગલરૂપ ગણાય છે. દા.ત. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યફ ચારિત્ર શાસ્ત્રમાં મંગલને લૌકિક અને લોકોત્તર કહેવામાં આવે છે. લૌકિક મંગલ તરીકે અષ્ટમંગલનો સમાવેશ થાય છે. લોકોત્તર મંગલ તરીકે અરિહંત સિદ્ધ સાધુ અને કેવલિ પ્રરૂપિત ધર્મ. આ મંગલની માહિતી આવશ્યક સૂત્રમાંથી જાણવા મળે છે. चत्तारि मंगलं । अरिहंता मंगलं सिद्धा मंगलं, साहू मंगलं, केवलिपन्नतो धम्मो मंगलं । દશવૈકાલિક સૂત્રમાં જણાવ્યા પ્રમાણે ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મ એટલે અહિંસા - સંયમ અને તપ. આ ત્રણ મંગલરૂપ છે. અષ્ટ મંગલ ૩૯ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ આષ્ટ મંગળની માહિતીઃ ૧. ઈશાન દેવ - સિંહાસન, ૨. બ્રહ્મન્દ્ર - રત્નાકર, ૩. બ્રત્યેન્દ્ર - દર્પણ, ૪. લાતંકદેવ - કુંભ, ૫. મહાશુક્રદેવ - સ્વસ્તિક, ૬. સહસ્ત્રારદેવ - મીન યુગલ, ૭. પ્રાણત દેવ - શ્રીવત્સ, ૮. અશ્રુતદેવ - નંદાવર્ત. : અષ્ટમંગલ આલેખવાનો પરમાર્થ : " - અભ્યાસી જગતના જીવો સુખ ઈચ્છે છે. સુખની કલ્પના સાથે જોડાયેલાં પ્રતીકોને આથી જ તે માંગલિક માને છે. તાત્ત્વિક દૃષ્ટિએ સુખસમૃદ્ધિનાં પ્રતીકોને માંગલિક માનવામાં કશું અનુચિત નથી. પરંતુ સુખ-સમૃદ્ધિ સાચાં કયાં - તેની સમજણ પહેલાં મેળવી લેવી જોઈએ. જે સુખ મેળવતાં, સાચવતાં અને ભોગવતાં બીજાને દુઃખ પહોંચાડતું હોય તે સુખની ઈચ્છા અને તેનો ભોગવટો પાપરૂપ બને છે અને પાપનું ફળ દુઃખ જ હોય છે. તેથી તેવાં સુખ સાચાં સુખ ગણાય નહિ. વધુમાં જે સુખ કે તેનાં સાધન, માલિકને છોડીને ચાલ્યાં જાય અથવા માલિકે તેમને છોડીને ચાલ્યા જવું પડે તેવાં સુખ પણ સુખ ગણાય નહિ. આ બધો વિચાર કરતાં સંસારનાં કોઈ સુખ સાચા સુખની વ્યાખ્યામાં આવી શકે નહિ. આત્માના સાચા સ્વરૂપની પ્રાપ્તિ - એટલે કે આત્માના પોતાના (કર્મયોગે અવરાયેલા) ગુણોની પ્રાપ્તિ - એ જ સાચું સુખ છે. અનાદિકાલથી ખોવાયેલાં - ઝંખવાયેલાં - ગુણરત્નોની પ્રાપ્તિ અને શુદ્ધિ માટેનો પુરુષાર્થ જ સુખની સાચી સાધના છે. એ સાધનામાં સહાયક અને ઉત્સાહક પ્રતીકો જ તાત્વિક માંગલિક છે. સ્વસ્તિક, શ્રીવત્સ, દર્પણ, ભદ્રાસન, નંદાવર્ત, કલશ, વર્ધમાનક અને મત્સ્યયુગલ આ આઠ પદાર્થ માંગલિક – અષ્ટમંગલ - તરીકે પ્રસિદ્ધ છે. તેની સંક્ષેપમાં વિચારણા કરીએ. ૪૦ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ (૧) સ્વસ્તિકઃ આ આકૃતિ પ્રસિદ્ધ છે. જમણી તરફ જતા ચાર છેડાની આ આકૃતિ ચાર ગતિરૂપ સંસારમાંથી મુક્ત થવાનો સાધકનો અભિલાષ સૂચવે છે. આ સંસારથી મુક્ત થવાના એક માત્ર ઉપાયરૂપ ધર્મના પણ દાનાદિ ચાર પ્રકાર છે. દક્ષિણ – જમણી તરફ જતી આ આકૃતિ ચતુર્વિધ ધર્મના સેવનમાં પણ દક્ષિણ-સરળ અને સૌને અનુકૂળ - એવી પ્રવૃત્તિનું મહત્ત્વ બતાવે છે. ચાર પ્રકારના ધર્મના સેવનથી ચાર ગતિવાળા સંસારથી મુક્ત થવાનું લક્ષ્ય સૂચવતું આ મંગલ છે. (૨) શ્રીવત્સઃ આ પણ એક વિશિષ્ટ આકૃતિ છે. શ્રી તીર્થંકર દેવો, ચક્રવર્તી વગેરે શલાકાપુરુષોના વક્ષઃ સ્થળ ઉપર નૈસર્ગિક રીતે જ આ આકૃતિ હોય છે. ઉત્કૃષ્ટ પુણ્યબળ આ આકૃતિથી સૂચિત થાય છે. આ આકૃતિના આલેખનથી એવા મહાપુરુષોના સત્ત્વ આપણામાં આવે એવો આશય ધારવાનો છે. શ્રીવત્સનું આ ચિહન બધા જ શલાકાપુરુષોના દેહ ઉપર હોય છે. આમાંના નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ અને જીવનના અંત સુધી રાજ્યનો ત્યાગ ન કરતા ચક્રવર્તી અવશ્ય નરકમાં જતા હોય છે. તેથી આ શ્રીવત્સને ભૌતિક સુખના પ્રતીક તરીકે જ પૂજનારા માટે આ મંગલ ખરેખર મંગલ રૂપ બને નહિ. શલાકાપુરુષોની આત્મિક સમૃદ્ધિ અને સત્ત્વશુદ્ધિના પ્રતીક રૂપે આ શ્રીવત્સનું આલેખન ખરેખર મંગલરૂપ બને છે. (૩) દર્પણ: પ્રસિદ્ધ છે. શુદ્ધ દર્પણ જ વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરાવી શકે છે. અશુદ્ધ વ્યક્તિ પોતાની અશુદ્ધિ દર્પણની સહાયથી જોઈ-જાણીને દૂર કરી શકે છે. પણ દર્પણ પોતે અશુદ્ધ હોય તો તેનો કોઈ ઉપયોગ નથી. સાધકે પણ શુદ્ધ આલંબના સેવનથી પોતાના આત્મસ્વરૂપની અશુદ્ધિ દૂર કરવાની છે. આપણા શાસનમાં આથી જ દેવ, ગુરુ અને ધર્મની શુદ્ધતાનું અનન્ય મહત્ત્વ છે. આ શુદ્ધ અષ્ટ મંગલ ૪૧ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વત્રયીનું આલંબન સાધકના આત્મસ્વરૂપને પણ પૂર્ણ વિશુદ્ધ બનાવી દે છે. આ રીતે શુદ્ધતાના પ્રતીક રૂપ દર્પણને મંગલ તરીકે સ્વીકારાય છે. કેવળજ્ઞાનરૂપી નિર્મળ અરીસો ત્રણ બાજુના ભાવ જાણવા સમર્થ છે. (૪) ભદ્રાસન : ઉત્કૃષ્ટ ઋદ્ધિમાન વ્યક્તિઓને બેસવાના સુશોભિત આસનને ભદ્રાસન કહેવાય છે. આપણા આત્માના ગુણો આપણી સાચી સમૃદ્ધિ છે. આપણા એ સમૃદ્ધ આત્મ સ્વરૂપને સ્થિરતાપૂર્વક સ્થાપિત કરવા માટે આપણી પાત્રતા કેળવવાનું લક્ષ્ય સાધવા માટે આ ભદ્રાસનનું પ્રતીક પરમાત્મા સમક્ષ આલેખવાનું છે. સમૃદ્ધના આશ્રય તરીકે આ પ્રતીક મંગલરૂપ મનાય છે. ભદ્રાસન ઉપર બિરાજમાન પ્રભુ દેશનાનું દાન કરીને લોકોનું કલ્યાણ ઈચ્છે છે. (૫) નંદાવર્ત : સ્વસ્તિકના જ વધુ વિસ્તાર જેવી આ એક આકૃતિ છે. સ્વસ્તિક સાથે જોડાયેલી વિચારણા અહીં પણ વિચારી લેવી. વધુમાં જ્યાં સુધી મુક્તિમાં ન જવાય ત્યાં સુધી આપણી સાધનામાં જ્ઞાનાદિ ગુણોના આનંદની ચઢતી પરંપરા અનુભવાય અને દરેક ભવમાં અગાઉના ભાવ કરતાં વધુને વધુ ગુણોના આનંદનાં આવર્તન થયા કરે - એવા આશયથી આ માંગલિકનું આલેખન કરવાનું છે. નવના અખંડ આંક અને નવ આવર્તવાળું પ્રતીક અખંડ મોક્ષ લક્ષ્મી આપનારું થાઓ. (૬) કલશઃ શુદ્ધ ઉત્તમ જલથી ભરેલા ઉત્તમ કલશ - કુંભ મંગલનું પ્રતીક મનાય છે. ઉત્તમ વસ્તુ ઉત્તમપાત્રમાં જ મુકાય અને ઉત્તમપાત્રમાં ઉત્તમવસ્તુ જ મૂકાય - આવી સમજણ વ્યવહારમાં સહુ કોઈ ધરાવતું હોય છે. તાત્ત્વિક દૃષ્ટિએ જ્ઞાનાદિ આત્મગુણોથી વધુ કોઈ ઉત્તમ પદાર્થ અને કર્મક્ષયથી નિર્મલ બનેલા આત્માથી વધુ કોઈ ઉત્તમ પાત્ર આ દુનિયામાં નથી. આવા ગુણો રૂપી જલથી પૂર્ણ ૪૨ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ભરેલા આપણા આત્મારૂપી કલશની શ્રી સિદ્ધશિલા ઉપર સ્થાપન થાય – એવા આશયથી આ મંગલનું આલેખન થવું જોઈએ. , (૭) વર્ધમાનક ઃ દીવાના કોડિયાં કે ફૂલોના કૂંડા જેવી નીચે સાંકડી અને ઉપર પહોળી એવી – આકૃતિના પાત્રને વર્ધમાન કહેવાય છે. આપણા જીવનમાં જ્ઞાનાદિ ગુણોની સાધના અને તે સાધના માટેનો ઉલ્લાસ ઉત્તરોત્તર વધતો રહે – એ જ સાચું “વર્ધમાનક' છે. આ મંગલ એવી ચઢતી પરિણામધારાનું પ્રતીક છે. (૮) મત્સ્યયુગલ : પાણીની સપાટી નીચે સતત ચંચળતાપૂર્વક મત્સ્ય ખેલતા હોય છે. આપણા જીવનમાં ય મન-વચન-કાયાની બધી પ્રવૃત્તિ પાછળ રાગ-દ્વેષની ચંચલ લીલા સતત ચાલ્યા કરતી હોય છે. અને એથી આત્માની સ્વાભાવિક સ્થિરતા લુપ્ત થઈ જતી હોય છે. આ મંગલના આલેખનથી રાગ-દ્વેષની એ ચંચલ લીલા ઉપર વિજય મેળવી આત્માની સ્વાભાવિક સ્થિરતાં પ્રાપ્ત કરવાની શક્તિ પ્રભુ પાસે માંગવાની છે. લૌકિક શાસ્ત્રમાં મલ્ય કામદેવનું ચિહ્ન ગણાય છે. આપણા ભગવાન તે કામના વિજેતા છે અને આપણે એ કામની સામે વિજય મેળવવાનો છે - આવો આશય પણ આ મંગલ આલેખવા પાછળ સમાયેલો છે. અષ્ટમંગલની આ સંક્ષિપ્ત વિચારણા ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રી જિનેશ્વરદેવ સમક્ષ અષ્ટમંગલનું માત્ર આલેખન કરવાનું છે. અષ્ટમંગલનું પૂજન કરવાનું નથી. પૂજન તો શ્રી જિનેશ્વર દેવનું કરવાનું છે. અષ્ટ મંગલનું આલેખન એ પૂજાવિધિના એક ભાગરૂપે કરવાનું છે. અષ્ટમંગલની આકૃતિ સરળતાથી અને તરત આલેખી શકાય એવી ભાવનાથી પાટલામાં એની આકૃતિ કોતરી રાખવામાં આવતી. જેથી એમાં ચોખા પૂરતાં જ આકૃતિ સ્પષ્ટ થઈ જાય. અજ્ઞાનના યોગે (અને “મંગલના પૂજનથી મંગલ થાય એવી અષ્ટ મંગલ ૪૩ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ લાલસાના યોગે) અષ્ટમંગલનું પૂજન પ્રચલિત થયું છે – એ દૂર કરવા આટલી પ્રાસંગિક વિચારણા કરી છે. અષ્ટમંગલ : - (૧) સ્વસ્તિક : જે તીર્થંકરનાં ઉદયમાં (જન્મ સમયે) તિચ્છલોક, ઉર્ધ્વલોક અને અધોલોક એ ત્રણે લોકમાં સ્વસ્તિક = કલ્યાણ થાય છે તે ભાવથી (વિચારથી) પંડિતજનો પ્રભુની આગળ સ્વસ્તિક આલેખે છે. (૨) શ્રીવત્સ : જિનેશ્વર દેવનાં હૃદયમાં રહેલું અંતિમ પરમજ્ઞાન = કેવળજ્ઞાન જાણે એવું શોભી રહ્યું છે કે તે શ્રીવત્સનાં બહાનાથી બહાર આવીને જાણે પ્રગટ થયું છે તેને અમે વંદન કરીએ છીએ. (૩) પૂર્ણકળશ : શ્રી જિનેશ્વર દેવ ત્રણ લોકમાં અને પોતાનાં કુળમાં અતિ આનંદ આપનાર છે તેથી અહીં અમે કલશ આલેખીને જિનેશ્વરની અર્ચના કરી કૃતાર્થ થઈએ છીએ. (૪) ભદ્રાસન : શ્રી જિનેશ્વર દેવનાં અતિપૂજ્ય એવાં ચરણકમળથી અતિ પુષ્ટ થયેલ, અતિ પ્રભાવશાળી, અતિ નજીક એવાં કલ્યાણકારી ભદ્રાસનને જિનેશ્વર દેવની આગળ આલેખીને અમે સુંદરયોગની સાધના કરીએ છીએ. (૫) નંદાવર્તઃ હે જિનનાથ ! જે તમારી સેવા કરે છે તે સેવકને ચારે દિશામાંથી સર્વ નિધિઓ આવીને મળે છે તેથી ચારે દિશામાં નવખૂણા (વળાંકોવાળાં નન્દાવર્ત સજ્જનોને સુખ આપે છે. () વર્ધમાનસંપુટ ઃ હે જિનનાયક ! આપની કૃપાથી પુણ્ય, યશનો સમૂહ, સ્વામીત્વ, મહત્ત્વ, સૌભાગ્ય, બુદ્ધિ, વિનય, મનની શાંતિ વધે છે તેથી વર્ધમાન એવાં યુગસંપુટને અમે આલેખીએ છીએ. ४४ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ (૭) મત્સ્યયુગ્મ: હે ભુવનનાં નાથ ! એકઠાં થયેલાં કામદેવનાં સમૂહને તમે હણી નાંખ્યો તેથી જ આપનાં દર્શનથી બીજાનાં કામભાવ પણ નિષ્ફળ થઈ જાય છે અને તે વૈર વિહારી થઈ સુખમાં લીન થાય છે. તેથી આ મીનયુગ્મ આપની સેવા કરવા આવ્યાં છે આથી આરોગ્યના લાભ માટે શ્રાવકો વડે આપની આગળ આ મત્સ્યયુગ્મ આલેખાય છે. (૮) દર્પણ : સકલ જિનેશ્વરે આત્માનાં પ્રકાશ માટે તીવ્રતાપ કર્યું. દુષ્કર બ્રહ્મવ્રત પાળ્યું. પરોપકાર માટે દાન કર્યું. આવા કાર્યોથી જે હંમેશા દીપી ઉઠ્યાં છે તેમને સુખપૂર્વક શોભતા જોવા માટે તીર્થકરની આગળ અમે દર્પણ આલેખીએ છીએ. અર્થાત્ કેવલાદર્શ = કેવળજ્ઞાનરૂપી દર્પણ અમે આલેખીએ છીએ. અષ્ટમંગલનું આલેખન શા માટે? (૧) સ્વસ્તિક : પૃથ્વીલોક, ગગનલોક, નાગપાતાલ લોક, દેવલોકમાં જિનેશ્વરનાં જન્મ વખતે ક્ષણમાત્રમાં સ્વસ્તિક-કલ્યાણ થયું તેના અનુમાનથી પ્રભુની આગળ વિદ્વાનો વડે સ્વસ્તિક કરાય છે. (૨) શ્રીવત્સ : પ્રભુનાં હૃદયમાં જે પરમ જ્ઞાન રહેલું છે તે શ્રીવત્સના બહાનાથી બહાર પ્રકટ કરાયું છે. તેને હું વંદુ છું ! (૩) પૂર્ણકળશઃ ત્રણે લોકમાં અને સ્વકુલમાં પ્રભુ કળશની જેમ મંગલકારી બન્યા છે એથી અહીં પૂર્ણ કળશ આલેખી જિનપૂજાકર્મ કરી જન્મ અમો સફળ બનાવીએ છીએ. (૪) ભદ્રાસન : પ્રભાવશાળી પુછ જિન ચરણોથી પૂજનીય અતિનજીક રહેલું એવું ભદ્રાસન ભદ્રંકર કરનારું જે મંગળના યોગવાળું છે તે જિન આગળ આલેખવું. (૫) નંદાવર્ત : હે જિનનાથ ! તારા સેવકોનાં સર્વ દિશામાં બધા નિધાનો પ્રગટ થઈ રહ્યા છે. એથી ચાર પ્રકારે નવખૂણાવાળા નંદાવર્ત સજ્જનોને સુખ આપો. અષ્ટ મંગલ ૪૫ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ (૬) વર્ધમાન સંપુટ ઃ હે જિનનાયક ! તારી કૃપાથી પુણ્યયશ વિગેરે વધે છે માટે વર્ધમાન યુગલ સંપુટ અમો ધારણ કરીએ છીએ. (૭) મીન યુગલ : તારા વડે વધ્ધ (જિતવાયોગ્ય) એવાં કામદેવનાં નિશાની રૂપે કરાયેલ પોતાનાં અપરાધને મુધા (ફોગટ) નાશ કરવા માટે મીનયુગલ તારી આગળ સેવા કરે છે. નિરોગી અંગોને પ્રગટીકરણ કરવા સાથે શ્રાવકો દ્વારા કરાય છે. (૮) દર્પણ : દુષ્કરતપ, દાન, બ્રહ્મચર્ય, પરોપકાર દ્વારા જેનાં આત્મામાં નિર્મળ કેવલજ્ઞાન પ્રગટ થયું છે તેવા જિનેશ્વરનાં જ્ઞાનને મેળવવા તથા સિદ્ધશિલાને મેળવવા વિદ્વાનો વડે દર્પણ આલેખાય છે. (બધાં પદાર્થો જ્ઞાનમાં સંક્રમિત થાય છે.) દેવાધિદેવ તીર્થંકર પરમાત્માના જિનેન્દ્રભક્તિ મહોત્સવમાં વિવિધ પ્રકારનાં પૂજન યોજાય છે. તેમાં પ્રતિષ્ઠા - અંજનશલાકા આદિ મહોત્સવમાં શાંતિસ્નાત્રનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાય છે. આ કાર્યક્રમમાં શાંતિસ્નાત્ર પહેલાં નવગ્રહ પૂજન અને અષ્ટમંગલ પૂજનની વિધિ થાય છે. શાંતિસ્નાત્રની વિધિની પ્રતમાં અષ્ટમંગલના પ્રતીક વિશેની માહિતી સંસ્કૃતમાં છે. અત્રે એ શ્લોક અને તેનો અનુવાદ પ્રગટ કરવામાં આવ્યો છે. આ માહિતી દ્વારા અષ્ટમંગલના પ્રતીકોનો વિશિષ્ટ કોટિનો પરિચય પ્રાપ્ત થાય છે. નીચેના શ્લોકો બોલી સ્વસ્તિક આદિ આઠે મંગલોને કુસુમાંજલિથી વધાવવા. ૨. સ્વસ્તિક स्वस्ति भूगगननागविष्टपे-धूदितं जिनवरोदयेक्षणात् । स्वस्तिकं तदनुमानतो जिन-स्याग्रतो बुधजनैर्विलिख्यते ॥१॥ (સ્વાતા, પ્રમુની મા ) ૪૬ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ २. श्रीवत्सः अन्तःपरमज्ञानं, यद् भाति जिनाधिनाथहृदयस्य । तच्छ्रीवत्सव्याजात्, प्रकटीभूतं बहिर्वन्दे ॥ २ ॥ ३. पूर्णकळशः विश्वत्रये च स्वकुले जिनेशो, व्याख्यायते श्रीकलशायमानः । अतोऽत्र पूर्ण कलशं लिखित्वा, जिनार्चनाकर्म कृतार्थयामः ॥३॥ (उपजातिः, संसारदावा०) ४. भद्रासनः जिनेन्द्रपादैः परिपूज्य पुष्टै-रतिप्रभावैरतिसन्निकृष्टम् । भद्रासनं भद्रकरं जिनेन्द्र-पुरो लिखेन्मङ्गलसत्प्रयोगम् ॥ ४ ॥ (उपजातिः संसारदावा०) ५. नन्द्यावर्तः त्वत्सेवकानां जिननाथ ! दिक्षु, सर्वासु सर्वे निधयः स्फुरन्ति । अतश्चतुर्धा नवकोणनन्द्या-वर्तः सतां वर्तयतां सुखानि ॥ ५ ॥ __ (उपजातिः, संसारदावा०) ६. वर्धमानसंपुटः पुण्यं यशःसमुदयः प्रभुता महत्त्वं, सौभाग्यधीविनयशर्ममनोरथाश्च । वर्धन्त एव जिननायक!ते प्रसादात्, तद्वर्धमानयुगसंपुटमादधामः॥६॥ ७. मत्स्ययुग्मः त्वद्वध्यपञ्चशरकेतनभावक्लृप्तं, कर्तुं मुधा भुवननाथ ! निजापराधम्। सेवांतनोतिपुरतस्तवमीनयुग्मं, श्राद्धैः पुरोविलिखितं निरुजाङ्गयुक्तया ॥७॥ (वसन्त०, भक्तामर०) અષ્ટ મંગલ ४७ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮. સા : आत्मालोकविधौ जिनोऽपि सकल-स्तीवं तपो दुश्चरं; दानं ब्रह्म परोपकारकरणं, कुर्वन् परिस्फूर्जति । सोऽयं यत्र सुखेन राजति स वै, तीर्थाधिपस्याग्रतो, निर्मेयः परमार्थवृत्तिविदुरैः, संज्ञानिभिर्दर्पणः ॥ ८ ॥ ૧. સ્વસ્તિક : જિનેશ્વર પરમાત્માના જન્મ પ્રભાવથી પૃથ્વી, પાતાલ અને આકાશ એમ ત્રણેય લોકમાં ક્ષણમાત્રમાં કલ્યાણ (સુખ) ઉત્પન્ન થાય છે. તે સૂચવવા માટે જિનેશ્વરની સમક્ષ પંડિત પુરુષો દ્વારા સ્વસ્તિકનું આલેખન કરાય છે. ૨. શ્રીવત્સ : જિનાધિનાથનાં હૃદયમાં જે પરમજ્ઞાન-કેવળજ્ઞાન શોભે છે, શ્રીવત્સના બહાને પ્રગટ થયેલા તે કેવળજ્ઞાનને હું વંદના કરું છું. ૩. પૂર્ણકળશઃ તીર્થંકરો સ્વકુળમાં અને ત્રણેય વિશ્વમાં સાક્ષાત લક્ષ્મીના કળશરૂપ વિખ્યાત છે. આથી અહીં પૂર્ણકળશને આલેખીને અમે જિનપૂજા રૂપ કર્તવ્યને સફળ કરીએ છીએ. ૪. ભદ્રાસનઃ જિનેશ્વરના પ્રભાવશાળી અને પરિપુષ્ટ ચરણો દ્વારા અતિ નજીક, કલ્યાણ કરનારા અને મંગલ શુભ આચરણરૂપ ભદ્રાસનને સારી રીતે પૂજીને પરમાત્મા સમક્ષ આલેખવા જોઈએ. ૫. નન્દાવર્તઃ હે જિનનાથ ! તારા ભક્તોને ચારે દિશામાંથી નિધિ-સંપત્તિ પ્રગટ થાય છે. આથી ચારે દિશામાં નવ ખૂણાવાળા મંગલકારી આવર્તે સજ્જનોને સુખ આપનારા થાઓ. ૬. વર્ધમાનસંપુટઃ હે જિનનાયક ! તારા અનુગ્રહથી જ પુષ્ય, યશનોસમૂહ, પ્રભુતા, મહાનતા, સૌભાગ્ય, બુદ્ધિ, વિનય, સુખ જ્ઞાનતીર્થની યાત્રા ४८ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ અને મનોરથો સફળ થાય છે. તેથી વર્ધમાનયુગ્મ સંપુટને અમે કરીએ છીએ. ૭. મત્સ્યયુગ્મ : તારા દ્વારા હણવા યોગ્ય એવા, પાંચ બાણવાળા કામધ્વજના અસ્તિત્વથી થયેલા પોતાના અપરાધને નિષ્ફળ કરવા માટે હે જગન્નાથ ! માછલાનું જોડલું (મિથુન) તારા આગળ સેવાને વિસ્તાર છે. નીરોગી એવી અંગની યુક્તિપૂર્વક શ્રાવકો દ્વારા આપની સમક્ષ વિશિષ્ટ રીતે આલેખિત કરાયું છે. ૮. દર્પણ : આત્મદર્શનની વિધિમાં તીવ્ર અને દુશ્ચર તપને, દાનને, બ્રહ્મચર્યને અને પરોપકારને કરતા દરેક જિનેશ્વરો દેદીપ્યમાન થાય છે. તે જિનેશ્વરો જ્યાં સુખપૂર્વક શોભે છે તેવું દર્પણ મંગળ તીર્થાધિપતિની આગળ પરમાર્થવૃત્તિને વરેલા સમ્યગૂ જ્ઞાનિઓ વડે બનાવાય છે. કલ્પસૂત્રના પાંચમા વ્યાખ્યાનમાં મહાવીરસ્વામી ભગવાનના દીક્ષા કલ્યાણકની માહિતી છે તેમાં અષ્ટમંગલનો ઉલ્લેખ થયો છે. “આવી રીતે નગરવાસી પુરૂષો અને સ્ત્રીઓ જેમના વૈભવનો ઉત્કર્ષ જોઈ રહ્યાં છે એવા ભગવંતની અગાડી (આગળ) ૧. સ્વસ્તિક, ૨. શ્રીવત્સ, ૩. નન્દાવર્ત, ૪. વર્ધમાન, ૫. ભદ્રાસન, ૬. કલશ, ૭. મત્સ્યયુગલ, ૮. દર્પણ એ પ્રમાણે રત્નમય આઠ મંગલ ક્રમસર ચાલવા લાગ્યાં.” (પા-૨૫૯). - ત્રિષષ્ઠિશલાકા પુરૂષચરિત્ર પર્વ-૧, સર્ગ-૨, શ્લોક ૫૮૬માં પણ અષ્ટમંગલનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. રત્નત્રય પટ્ટ ઉપર રૂપાના-નંદુલ (ચોખા-અક્ષત) અખંડ અક્ષત વડે દેવો પ્રભુની આગળ અષ્ટમંગલ આલેખે છે. અષ્ટ મંગલ ૪૯ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમંગલ આલેખવાની પ્રભુભક્તિની એક અનોખી શૈલીરચના પ્રભુની જન્મ અને દીક્ષા કલ્યાણકની ઉજવણી-મહોત્સવમાં થાય છે એમ સ્પષ્ટ માહિતી મળે છે. ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્ર પર્વ-૧, સર્ગ-૨, શ્લોક નં. ૩૮૫ ઈન્દ્રમહારાજા સિંહાસન ઉપર (વિમાનમાં) બેઠા છે. એમની બાજુમાં ઇંદ્રાણી બેઠી છે. ત્યાં દર્પણ આદિ અષ્ટમંગલ શોભી રહ્યા છે. આવા દેદીપ્યમાન વિમાનમાં બેસીને કરોડો દેવતાથી પરિવરેલા ઈન્દ્ર મહારાજા ઋષભદેવ ભગવાનનો જન્મ મહોત્સવ ઉજવવા માટે જાય છે. ઉપા. યશોવિજયજીએ વીરસ્તુતિ રૂપ હુંડીનું સ્તવન રચ્યું છે તેની ઢાળ-૨ ની ૧૩મી ગાથામાં અષ્ટમંગલ આલેખવાનો ઉલ્લેખ થયો છે. ફૂલ પગર આગે કરી, આલેખે મંગળઆઇ લાવેરે, ધૂપ દેઈ કાવ્ય સ્વવી, કરે શક્રસ્તવનો પાઠ લાલરે || ૧૩ || પૂજા - સંદર્ભ સકલચંદ્રજી ઉપા. કૃત અષ્ટમાંગલિક પૂજા શાલિ ઉજ્જવલ શાલિ ઉજ્જવલ આણીએ, અખંડ દુર્બલખંડિયા બલિછડિએ માંહિ સુરભિ સુરતરુ સુવાચક દર્પણ ભદ્રાસન ભરિયું વર્ધમાન શ્રીવત્સ, મત્સ, કલશ અને સ્વસ્તિક વિપુલ, નંદાવર્તનિવાસ તેરમી પૂજા મંગલકરણ પૂરે મનની આસ | રયણ હીરા જિયા શાલિવર તંદુલા વર ફલ્યાએ સ્વસ્તિક, દર્પણ, કુંભ, ભદ્રાસનશું મલ્યા એ નંદાવર્તક ચાર શ્રીવત્સક વર્ધમાન મત્સ્યયુગલ લીખી અષ્ટમંગલકસે શોભમાન / ૧ . ૫૦ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ જિનપ આગલ વિરચો ભવિ લોકા જસુ દરિસર્ણ શુભહોઈ ર્યું રે દેખત સબ કોઈ / જિ. | અતુલ તંદુલે કરી અષ્ટ મંગલાવલી તેમ રચો જિમ તુમ ધર ફિરહોઈ / ૧ // સ્વસ્તિક શ્રીવત્સ કુંભ ભદ્રાસન નંદાવર્તક વર્ધમાન મત્સ્યયુગલ દર્પણ તિમ વર ફલગુણ તેરમી પૂજા સબ કુશલ નિધાન | જિ. || ૨ || કવિ હંસવિજયજીએ શ્રી ગિરનાર મંડન નેમિનાથજીની ૧૦૮ પ્રકારી પૂજાની રચના સં. ૧૯૭૬માં કરી છે. તેમાં ગિરનારની મહિમા ગાવાની સાથે તેમનાથ ભગવાનના પાંચ કલ્યાણકની માહિતીનો સમાવેશ થયો છે. નવમી પૂજામાં દીક્ષા કલ્યાણકનું વિસ્તારથી વર્ણન કરતાં કવિએ અષ્ટમંગલની માહિતી આપી છે અને આઠ મંગલ કયા દેવ પ્રભુ આગળ ધરે છે તેનો ઉલ્લેખ થયો છે. અન્ય કવિઓએ માત્ર અષ્ટમંગલનાં ઉલ્લેખ એક પંક્તિમાં કર્યો છે જ્યારે હંસવિજયજીએ વિગતે માહિતી આપી છે કવિના શબ્દો છે. (રાગઃ બરવા-કહેરબા ધન્ય ધન્ય વો જગમેં નરનાર - એ ચાલ) ધન્ય ધન્ય દેવ દેવી નર નાર, દીક્ષા દર્શન પાનેવાલે | ધન્ય૦ (૨) || એ આંકણી . શ્રીનેમિનાથ મહારાજ, દીક્ષા અભિષેકકે કાજ; આવે ઈન્દ્ર-ઈન્દ્રાણી સમાજ, દિવ્ય વાજિંત્ર બજાનેવાલે | ધન્ય) ૧ / કરવાકે સ્નાન શણગાર, ઉત્તરકુરા નામ ઉદાર; શિબિકા રત્નકી સુખકાર, બીચ પ્રભુકો પધરાનેવાલે | ધન્ય૦ | અષ્ટ મંગલ ૫૧ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ સુરનાથ ઔર નર નાથ, ઉઠાવે પાલખી સાથ; શકેંદ્ર ઈશાન નિજ હાથ, ચારુ ચામર ઉડાનેવાલે | ધન્ય૦ ૩ | ધરે છત્ર સનતકુમાર, માહેંદ્ર ખગ ધરનાર; બ્રહ્મદ્ર રત્નકા સાર, દિવ્ય દરપણ દિખલાનેવાલે ધન્ય૦૪ | લાંતક વાસવ કુંભ ધરે, મહાશુક્ર સ્વસ્તિક કરે; સહસ્ત્રાર ધનુષ્ય અનુસરે, સ્વામી સેવાકો ઉઠાનેવાલે ! ધન્ય૦ ૫ / શ્રીવત્સ પ્રાણપતિ ધરી, નંદાવર્ત આગે કરી; બારમા દેવલોકકા હરિ, આવે ભક્તિ દિખલાનેવાલે | ધન્ય૦ ૬ / ચમરેંદ્ર પ્રમુખ સબ ઈન્દ્ર, ધરે વિવિધ શસ્ત્રકા વૃંદ; જય જીવ શિવાદેવી નંદ, ઐસી આશિષ પઢાનેવાલે | ધન્ય૦ ૭ // પૂજા સાહિત્યની રચનામાં સત્તરભેદી પૂજા દ્વારા પ્રભુના સત્તર પ્રકારે પૂજા કરવામાં આવે છે. તેમાં ૧૩મી પૂજા અષ્ટમંગલની છે. તીર્થંકર પરમાત્માની પ્રતિમા સમક્ષ વિધિપૂર્વક ભક્તિ ને ભાવોલ્લાસથી પૂજા કરવામાં આવે છે તેના અનુસંધાનમાં અષ્ટમંગલની પૂજાની રચના થઈ છે. કવિ આત્મારામજીની પૂજામાં શાસ્ત્રીય સંગીત અને પ્રચલિત દેશીઓનો પ્રયોગ થયો છે. આ પૂજા સંગીતના સૂરો સાથે તાલ મિલાવીને ગાવાથી ભક્તિની રમઝટ જામે છે. કવિએ પૂજાનો આરંભ દુહાથી કરીને તેમાં અષ્ટમંગલનો નામ-નિર્દેશ કર્યો છે. દુહા પછી ઢાળમાં અષ્ટમંગલના પ્રભાવની માહિતી આપતાં કવિ જણાવે છે. અષ્ટમહાસિદ્ધિ પ્રાપ્ત થાય, અષ્ટકર્મના કાટનો નાશ થાય. આઠ મદનો નાશ થાય. લક્ષ્મીલીલા પામી શકાય અને અંતે અષ્ટ પ્રવચન રૂપી અમૃત પાનથી આત્માના આઠ ગુણ પ્રગટે એટલે કે આત્મા સિદ્ધિ પદને પામે. સિદ્ધિના આઠનો સંદર્ભ કવિએ દર્શાવ્યો છે. આ રીતે અષ્ટમંગલની પૂજાની માહિતી પ્રાપ્ત થાય છે. ૫૨ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ કુહા ગ્રામ ભલે આલાપીને ગાવે જિનગુણ ગીત | ભાવે શુદ્ધ જ ભાવના જાગે પરમ પુનીત || ૧ | ફલ અનંત પંચાલકે ભાખે શ્રીજગદીશ ! ગીત નૃત્યશુદ્ધ નાદસે જે પૂજે જિમાઈશ | ૨ || તીન ગ્રામ સ્વર સાતસે મૂર્ચ્છના એકવીશ ! જિન ગુણ ગાવે ભક્તિશું તાર તસઓગણીશ | ૩ | સ્વસ્તિક દર્પણ કુંભ હે ભદ્રાસન વર્ધમાન ! શ્રી વચ્છ નંદાવર્ત હૈ મીનયુગલ સુવિધાન / ૧ // અતુલ વિમલ ખંડિત નહિ પંચવરણકે શાલ / ચંદ્રકિરણ સમ ઉજ્જવલે યુવતી રચેવિશાલ / ૨ // અતિ સલક્ષણ તંદુલે લેખી મંગલ આઠ 2 જિનવર અંગે પૂજતાં આનંદ મંગલ ઠાઠ / ૩ - પૂજા મંગલ પૂજા સુરતરૂકંદ ! એ આંકણી ! સિદ્ધિ આઠ આનંદ પ્રપંચે આઠ કરમના કાટે ફંદ... મંગલ / ૧ / આઠો મદભયે છિનકમેં દૂરે પૂરે અણુણ ગયે સબ બંદ || ૨ | જેજિન આઠ મંગલશું પૂજે તસધર કમલા કેલિ કરંદ... મંગલ / ૩ // આઠ પ્રવચન સુધારસ પ્રગટે સૂરિ સંપદા અતિહિ લહંદ | ૪ || આતમ અડગુણ ચિઘન રાશિ સહજ વિલાસી આતમ ચંદ મંગલ પૂજા || ૫ / (સત્તરભેદી પૂજા-૧૩) (આત્મારામજી કૃત) (૨ચના સમય સં. ૧૯૧૯) અષ્ટ મંગલ ૫૩ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ પંચકલ્યાણક પૂજામાં ભગવાનના દીક્ષા કલ્યાણકનું વર્ણન નોંધપાત્ર છે. તેમાં અષ્ટમંગલનો મિતાક્ષરી ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. કવિપંડિત વીરવિજયજીકૃત પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-૬માં અષ્ટમંગલની માહિતી નીચે પ્રમાણે છે. શક્રઈશાન આમર ધરે રે, વાજિંત્રનો નહિ પાર. આઠ મંગલ આગળ ચલે રે ઈન્દ્રધજા ઝલકાર.. નમો.. || ૭ || વાચનાચાર્ય શ્રી માણિક્યસિંહસૂરિ કૃત શ્રી મહાવીર જિન પંચકલ્યાણક પૂજામાં ભગવાનની દીક્ષા કલ્યાણકના વરઘોડાના વર્ણનમાં અષ્ટમંગલનો મિતાક્ષરી ઉલ્લેખ થયો છે. કુસુમ વૃષ્ટિ સુરનર કરે, બોલે મંગલ માલ, શક્ર ઈશાન ચામર ધરે, વાજિંત્ર નાદ વિશાલ, ગોરી ગાવે ભાવે સાચે નાચે અપચ્છરારે, સુંદર મંગલ હય ગય રથવર ધ્વજ શ્રીકાર વંદો વંદો | ૨ પંન્યાસ શ્રી યશોભદ્રવિજયજી કૃત મહાવીર પ્રભુ પંચકલ્યાણક પૂજામાં ભગવાનની દીક્ષા કલ્યાણકના સંદર્ભમાં અષ્ટમંગલનો એક પંક્તિમાં ઉલ્લેખ થયો છે. ચંદ્રપ્રભા શિબિકા અતિ સુંદર, સિહાસન પધરાવ્યા રે. સુર ઉપાડે મંગલ ગાવે, કુસુમે નાથ વધાવે રે, સંયમ. || ૭ | દુંદુભી વાજે જય જય ગાજે, આવ્યા જ્ઞાતિ ઉદ્યાને રે. ૫૪ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલભદ્ર ચંદ્રાયણિ જૈન સાહિત્યમાં સ્થૂલભદ્રના જીવનનાં પ્રસંગોને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રકારની કાવ્યરચનાઓ થઈ છે. કવિ જયવંતસૂરિની “સ્થૂલભદ્ર ચંદ્રાયણિ” રચના કાવ્ય પ્રકારોની દૃષ્ટિએ નવીનતા દર્શાવે છે. પ્રસંગ તો એક જ છે પણ તેની અભિવ્યક્તિમાં કવિ પ્રતિભા અને કલ્પનાનો આવિષ્કાર કાવ્ય રચનાને આસ્વાદ્ય બનાવે છે. અહીં “ચંદ્રાયણિ” શબ્દ પ્રયોગ થયો છે. તેનો અર્થ નીચે પ્રમાણે છે. હિન્દુ ધર્મમાં ચાંદ્રાયણવ્રતનો ઉલ્લેખ થયો છે. આ વ્રતમાં ચંદ્રના ઉતરતા ક્રમે ઉપવાસ કરવામાં આવે છે. તેમ આ રચનામાં અંતરના ભાવ-ઊર્મિઓની ચઢતી-પડતી દર્શાવવામાં આવી છે. બે ખંડમાં વહેંચાયેલ કૃતિના પ્રથમ ખંડમાં શૃંગારરસની ચઢતી સ્થિતિનું નિરૂપણ છે. એટલે કે સ્થૂલભદ્ર અને કોશાના સંબંધમાં શૃંગારરસની ભરતી – અપૂર્વ લહરીનું નિરૂપણ થયું છે. તે ચંદ્રની વધતી કળાનું સૂચન કરે છે. બન્ને પાત્રોની ઉત્સુકતા અને સંયોગ શૃંગાર મહત્ત્વનો બન્યો છે. બીજા ખંડમાં કોશાની વિરહવેદનાનું ભાવવાહી આલેખન થયું છે એટલે ચંદ્રના શુક્લ-પક્ષ અને કૃષ્ણપક્ષની કળા સમાન કોશાના સ્થૂલભદ્ર ચંદ્રાયણિ ૫૫ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ શૃંગાર અને કરૂણરસની સ્થિતિનું રસિક વર્ણન થયું છે. બે ખંડ એટલે શૃંગાર અને કરૂણ રસની રસિકતાનો સંદર્ભ દર્શાવે છે. રસનિરૂપણમાં “ો રસ છે.” રસતો કરૂણા કે જે સર્વને સ્પર્શે છે. “રસરાસ શૃંગાર”ના રસમાં શૃંગાર શ્રેષ્ઠ છે. આ કાવ્યકૃતિમાં શૃંગાર અને કરૂણ રસના નિરૂપણ દ્વારા સ્થૂલિભદ્ર અને કોશાના જીવનનાં રસિકતાનું વર્ણન હૃદયસ્પર્શી બન્યું છે. કાવ્યમાં પણ આ બે રસ ભાવક વર્ગને વધુ પ્રભાવિત કરે છે. ખંડ-૨ ની પરમી ગાથામાં વિરહના સંકેતનો ભાવ સ્પષ્ટ રીતે વ્યક્ત થયો છે. સાંઈ સંદેશઈ દિલભર્યા, જ્યે દરિયો જલ બૂદિ મિલઈ તું કબહિ ઠાલવું દુર રાખ્યા હઈ મુહિ // પ૩ આ કાવ્યમાં મુખ્યત્વે તો સ્થૂલિભદ્ર સાથે કોશાના ભૌતિક સંબંધ અને વિરહના પ્રસંગનું લલિત મધુર પદાવલીઓ નિરૂપણ થયું છે. કોશાનું ચિત્રાત્મક આલેખન તેનો સાક્ષાત્કાર કરાવે છે. • સ્થૂલભદ્ર ચંદ્રાણિ (ખંડ-૧) સમીક્ષા કવિએ આરંભમાં સરસ્વતી વંદના કરીને સ્થૂલિભદ્રના ગુણ ગાવાનો વિષય દર્શાવ્યો છે. કવિના શબ્દો છે. કવિયણ માઈ સારદ, તાકે લાગુ પાય, જીહું સફલ કરું આપની થૂલભદ્ર કે ગુનગાય ૧ // શકટાળ મંત્રીના પુત્ર સ્થૂલિભદ્ર કોશા વેશ્યાને ત્યાં કળા શીખવા રહે છે અને તેની સાથે ભોગ વિલાસમાં ૧૨ વર્ષનો સમય વીતી જાય છે. આ પ્રસંગનું વર્ણન શૃંગાર રસનું છે. ૧. જીહુ = જીભ ૫૬ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ એકવાર સ્થૂલિભદ્ર ઘોડા પર સવાર થઈને જંગલમાં ફરવા જાય છે ત્યારે કોશાને તેના પ્રત્યે સ્નેહ-રાગ પ્રગટે છે. અને ત્યાર પછી આ સ્નેહ-પ્રેમને વશ થઈને સ્થૂલિભદ્ર ભોગ સુખમાં વિલસે છે. કોશા પોતાના પ્રેમ વિશે જણાવે છે કે પ્રેમ એક પક્ષ નથી હોતો. કવિ જણાવે છે કે – રે ? રે ? નયના એક પખ નેહ કહા કરઈ પીરઈ અપના દેહા દેખન કાં તું હિ હુઆરા સવાદા તું ક્યું દિલકા લહઈ વિખવાદા. ૬ || કોશા સખીને કહે છે કે તું ઉત્તમ વસ્ત્ર ધારણ કરીને સ્થૂલિભદ્રને મારા મહેલમાં આવે તે રીતે કામ કરે. સખીના પ્રયત્નથી સ્થૂલિભદ્ર કોશા પાસે આવે છે. કોશા પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. કવિના શબ્દોમાં આ પ્રસંગ નીચે પ્રમાણે છે. એતના કામ કરી સખી આઈ થૂલભદ્ર સાહિબકું અબ લાઈ ક્યાં કુછ બાટ જોવઈ હમ ઉન્ડકી, જેતનીબાટ દેખઈ સહી તુમ્બકી | ૧૪ | કોશા પાએ કરીરે શિલામ વહ સખી આઈ થુલીભદ ધામ મહલ પિછાણી કરઈ અરદાસા સુનઉ હો સાહિબ કોશવિલાસા / ૧૫ / જબ લગ દેખા તુમકા દિદારા તબ લગઈ આસખ લાગા હોપ્યારા નયને નયન હુઆ 2 મિલાવા દિલ મિલનકું ધરઈ ઉતાવા / ૧૬ . સ્થૂલભદ્ર ચંદ્રાયણિ ૫૭. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ કોશાના પ્રેમની અભિવ્યક્તિ કરતી પંક્તિઓ જોઈએ તો - ટુક ટુક ચુબતઈ બહુ કાહે દઈઆ એહ હમારા દેહ તુહ દીઆ. ગોઝલીઉં હુર મુકું જીવાણું વિરહિં પર્યા કાહેથી મારું / ૧૮ | અપને નયનકું કાહે ન શિખાઉ પરકુંવેધ લાઈ મત વાહુ હમ તુમ્હ વયરન બુઝઈ કેતા દિલથાપીરિ કરઈ [ હરઈ ] બહુમતા / ૧૯ / હમકું નયના કામણ કીધા કીના] સબ જન પેખત મન હરી લીના તુમ્હ બિન દાયમ જલઈ મેરા સીના રોવત રાવત એહ તનુ ભીના || ૨૦ | (ગા. ૧૮ થી ૨૦) છેલછબીલો યુવાન કોશા સાથે ભૌતિક સુખ ભોગવે છે તેનું નિરૂપણ કરતાં કવિએ શૃંગાર રસની અનુપમ અનુભૂતિ કરાવી છે. મધુર પંક્તિઓ દ્વારા આ રસની અનુભૂતિ થાય છે. કવિએ આ પ્રસંગમાં ચિત્રાત્મક શૈલીનો પ્રયોગ કરીને પ્રસંગને મૂર્તિમંત રીતે વર્ણવ્યો છે. યાકુ રૂપ અનુપમકીલા નવયોવન બની મનમથ લીના તુમ્હ ભી સાહિબ છેલ છબીલા સકલ કલાગુણ જાણ રંગીલા એરપો કુસુમ સકર્બર કબરી દંડા ગંગા યમુના સંગ અખંડા રતન ખચિંત સિરિ ચાક જુ સોહઈ અનુપમ ગોફણાઈમનમોહઈ રદી નાગ સુરંગા મંગ અભંગા કણય રયણ આભરણ સુચંગા નિષધ કનક વસુ ગિરિ કિર સંગા, નિરખતિ ઉલટ રંગતરંગા ૨૭ તિલક ખંભ દોરી અલક વિરાજી મદન બાજીગર ખેલઈ બાજી પવર લલામ બન્યઉરાશિ આઘઉ નીકી પત્રલત્તા મન બાધ ll૨૮. રૂપ મહોદધિ લહરિ વખાણહ મદન વિરકી હુરણ સીગિણી જાઉં યાકી ભમુહ કુટિલ અતિકાલી, મોહનબેલી જિલી અનિયાલી રહેલા (ગા. રપ થી ર૯). ૧. ગોઝલીઉં = ગોઝારું ૫૮ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ કોશાનું રૂપ વર્ણન મધ્યકાલીન કવિઓની પ્રચલિત ઉપમા દ્વારા કર્યું છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. (ગા. ૩૦ થી ૩૩) નયનકમલદલ ઓપમ પાવઈ મદ ઘુમિત દેખન મન ધાવાઈ જિનકે જીતે મૃગવન લીના - નવ નવ રસકા જાણવું ખજાના. | ૩૦ || ગૌર કપોલ શશિબિંબ સમાન પાવઈ નારિંગ કે ઉપમાન ઉગટ્યા મુકુર તણી પરિ દીપઈ નિરખતિ નયનાં તરસન છીપS I૩૧ નક બેસર ભૂષિત તસ નાસા યાકે આગે તિલફૂલ દાસા અધોમુખ મયણ ચુણી રયણ સંદેહી કામુદ શલભ સારંગ સંગ એહી || ૩૦ || અધર સુકોમલ મધુર સુરંગા, પ્રેમતરૂ કિશલય મોહિ મનચંગા કુંદકલી સમ દશનકી પંતી જિતી મોતિનકી જિણી કંતિ ૩૩ !! કવિએ રૂપકોશાના વર્ણનમાં ભરપુર શૃંગારનું નિરૂપણ કર્યું છે. કોશાનું મોહક અને આકર્ષક વર્ણન ભલભલા યોગીઓને યોગનો માર્ગ છોડાવીને ભોગની લપસણી ભૂમિમાં રમણે ચઢાવી દે તેવી અભિવ્યક્તિ થઈ છે. કોશાના અંગોપાંગની ઉપમાઓ અને અવનવી કલ્પનાની સાથે લલિત મધુર શબ્દાવલીઓથી કવિ પ્રતિભાનો અનોખો પરિચય મળે છે. કોશાના વચન વાણીમાંથી સુધારસ ઝરે છે. ગૌરવર્ણ લલાટ પર તિલક શોભે છે. તે જોઈને યુવાનો મોહ્યા છે. શરદઋતુના ચન્દ્ર સમાન શોભા આપે છે. વાંકી-તિરછી નજર, રત્નમય કુંડલ, સુકોમળ ૧. દશન = દાંત સ્થૂલભદ્ર ચંદ્રાયણિ ૫૯ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ કંઠ, રત્નજડિત મંગલસૂત્ર, સુવર્ણ રત્નની માળા કંઠે શોભે છે. રત્નજડિત મુદ્રા અંગુલી પર શોભે છે. આ પ્રકારના સૌંદર્યથી શોભતી કોશાની ઉપસ્થિતિથી ઝાકઝમાળ અપૂર્વ સૌંદર્યમય તેજપુંજનો સમૂહ નિહાળી શકાય છે. કવિ કલ્પનાનો નમૂનો નીચે પ્રમાણે છે. ગૌર સુકોમલ ઉદર અતિ ક્ષામ ગંભીર નાભિ નહિ અભિરામ યે દેખત યોગી યોગ ચૂકઈ મનથી માન માની જન મુંકઈ ! ૪૩ | (ગા. ૫૩ થી ૫૫) ગજગતિજીના આંસૂ પાડઈ હંસ કિર લાયા જનપદ છાડઈ અઈસી રૂપ તણી ઘડીરે રેહા ક્યહી બખાની એક સજીહા પડ્યા જંગમ મોહનબેલિ ગુવાની કારણ રૂપ ધર્યું રે ભવાની અઈસી અપછર નહિ સુરલોહિ નાગલોક પણિ સોઈ બિન ફોક // ૫૪ મદપૂમિત મદનાલસ તીખે નયણે કામ શિલીમુખ સરિખે જે નર દેખ્યા ઉનકા જેવારો સફલ દુનીમઈ અવર અસારા પપા સ્થૂલિભદ્ર પણ ગૌરવર્ણ અને ઉત્તમ અંગોથી સૌંદર્યવાન યુવાન છે. પૂર્વ જન્મનાં પુણ્ય યોગે આવો સ્વામી મળે. કોશા અને સ્થૂલિભદ્ર બંને રૂપ અને સૌંદર્યમાં સમાન છે એટલે કવિએ કાલિદાસના શબ્દોમાં કહ્યું છે કે – રત્નન્સમાચ્છિા જાંનેના એટલે કે રત્નનો સુવર્ણ સાથે સંયોગ થાય. (ગા. ૪૫, ૫૬, ૫૮) સોઈ નર સુભગ શિરોમણી સીમા પૂરવજન્મ તપ્યા તપ ભીમા સા મનિ ધ્યાવઈ જિનકું બાલા તાલું મયનપ્રસાદ વિશાલા ૫૬ છે. ૧. જવારા = જન્મ ૬૦ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ એકેકા તસ તનકા અંસા વર્ણવત હોવઈ લાખ જ બરસા જોબન રૂપકલા ચતુરાઈ વિભવ વિભૂષિત દૈવિ નીપાઈ પ૭ || તસ અનુરૂપ જુ રૂપ તુમ્હારા એ બિપિ કિીના સરિસ બિચારા રતનકું રતન મોલાવા નીકા, અસરિસ સંગ યુ લાગઈ ફીકા // ૫૮ | પુરૂષ વગર સ્ત્રીની શોભા નથી. એ પ્રચલિત વિચારને વ્યક્ત કરીને ધૂલિભદ્ર કોશાના સંબંધનો સંકેત કર્યો છે. (ગા. દર) નર બિન નારિ ધરઈ અંદોહા નારિ બિન નરકી ક્યાં સોહા શશિ બિન પૂનિમ પ્રાન ન પાવઈ પૂનિમ બીન શશી સોહન ભાવઈ | ૬૨ કોશાનો અભૂતપૂર્વ પ્રેમ જોઈને સ્થૂલિભદ્ર મહેલમાં બિરાજીને ભોગ સુખ માણે છે. સ્થૂલિભદ્ર અને કોશાના ભોગ વિલાસની પંક્તિઓ નીચે પ્રમાણે છે. (ગા. ૬૭ થી ૭૨). ઈસર ગોરી યું ગજિ જોરા, પેમ મિલ્યા હું ચંદ ચકોરા ગાથા ગીત કથારસ કહિવઈ ઈયું ધન જોબનકા ફલ લેવઈ ૬૭ ચુઆ ચંદન કેશર સારા લાલ મહલમઈ અતિહિ દીદારા ખૂબઈ ઢાલી ઉહાકારચાઈ નરમ નિહાલી ગુલ્લિ બિછાહી ૬૮ બાલિષ્ટ દોહૂઉં પાસિ સુહાઈ રતિ સુખ ખેલાઈ થૂલભદ્ર સાંઈ કોશા બોલ બોલી ઉસવેલા સુગુણિ વાધી મનમથ વેલા છે ૬૯ || ક્યાં કુછુ લાજ નહી તુમ્હ સાંઈ દેખઉ સબ સખી હસતીમહ માહઈ ન-ન મમ મમ કરતઈ ઝીના અંગ ભીડી ભીડી આલિંગન લીલા || ૭૦ || ૧. અંદોહા = દુઃખ સ્થૂલભદ્ર ચંદ્રાયણિ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ભીડત ચોલી-કસણ ત્રટુકી ટુકડે ટુકડે થણથી ચૂકી થણહર મદમત ગજકુંભ સરિખા અંકુશકરજ દીઆ અતિ હરિસા | ૭૧ | ચોરી ચોરી કરી કહાં લીના ચિત બિરાણા હો છીની લીના ઇંઉ ભુજપાસિ બાંધી કામરાજશું રાખ્યા હોઈ થણ ડુંગરમાઝઈ || ૭૨ / પ્રથમ ખંડની છેલ્લી કડીમાં સ્થૂલિભદ્ર અને કોશાના વિલાસનો મિતાક્ષરી ઉલ્લેખ થયો છે. નવ-નવ રમત રમ્યા રસ ભોગી એ રસ બૂઝઈ ચતુર સંયોગી ઈલ ધન કોડી વિલસીવા રે બાર વરસ રહે થૂલભદ્ર પ્યારે મેં ૭૮ . સ્થૂલભદ્ર ચંદ્રાયણનો પ્રથમ ખંડ માત્ર સ્થૂલભદ્ર રૂપકોશાના વર્ણનનો નથી પણ કવિત્વ શક્તિનો સર્વોત્તમ નમૂનો છે. અવનવી કલ્પનાઓ, શૃંગારરસની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ ચિત્રાત્મક વર્ણન, ઉચિત શબ્દ વૈભવ અને લલિત મધુર મંજુલ પદાવલીઓથી મધ્યકાલીન સમયની આ સાંપ્રદાયિક રચના કવિતામાં ચાર ચાંદ લગાવે તેવી રીતે શોભે છે. આ કાવ્યનો સાચો આનંદ તો મૂળ કાવ્યનો આસ્વાદ કરવાથી મળે તેમ છે. સ્થૂલભદ્ર ચંદ્રાણિ (ખંડ-૨) સમીક્ષા પ્રથમ ખંડ શૃંગાર રસનો ભંડાર છે તો બીજો ખંડ કરૂણ રસનો હૃદયસ્પર્શી અનુભવ કરાવે છે. કરૂણરસના પ્રભાવથી કોશાનું હૃદય પરિવર્તન કરાવવામાં સ્થૂલિભદ્રની ભાવવાહી જિનવાણી સફળ નીવડે છે. ૬ ૨ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ બાર વરસના ભોગ વિલાસ પછી સ્થૂલિભદ્રને મંત્રી પદ સ્વીકારવા નંદ રાજા કહે છે ત્યારે રાજ ખટપટમાં જીવન વીતાવવા કરતાં આત્માના કલ્યાણનો માર્ગ શ્રેષ્ઠ ગણીને સંભૂતિમૂનિ આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષા અંગીકાર કર્યા પછી જ્ઞાન-ધ્યાનજપમાં કાળ નિર્ગમન કરે છે. ત્યાર પછી ગુરુ આજ્ઞાથી કોશાને ત્યાં ચાતુર્માસ માટે જાય છે. સ્થૂલિભદ્ર મુનિ વેશે કોશાને ત્યાં આવ્યા એટલે કોશાનો હર્ષોલ્લાસ વધી ગયો અને વિચાર્યું કે મુનિજીવનથી કંટાળીને અહીં આવ્યા છે પણ કોશાની આ વિચારધારા નિષ્ફળ નિવડી. બાર વરસના ભોગ-વિલાસ પછીનો લાંબો કાળ કોશા માટે વિરહમાં ઝૂરવાનો હતો. આ સમયની કોશાની મનઃસ્થિતિનું કરૂણરસમાં આલેખન થયું છે. તેમાં પ્રકૃતિના ઉહાપન વિભાવ દ્વારા કોશાની વેદનાને વાચા આપવામાં આવી છે. સ્ત્રી સહજ વિલાપથી એનું હૈયું વેદનાથી ભરાયેલું છે તેને કવિએ ઉચિત શબ્દો અને પદાવલીઓ દ્વારા નિરૂપણ કર્યું છે. કવિએ બીજા ખંડના આરંભમાં વસ્તુ નિરૂપણનો ઉલ્લેખ કર્યો છે. “કોશા વિરહ વખાણયુ, બીજઈ ખંડિ વિશુદ્ધિ” - સ્થૂલિભદ્રના વિરહનો આરંભમાં ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે - કોશાના વિરહની અભિવ્યક્તિનો પરિચય કરાવતી પંક્તિઓ નીચે પ્રમાણે છે. (ગા. ૧૯, ૨૧, ૨૩, ૨૫, ૩૩ થી ૩૫) કરતઈ પેમુ સાંઈ હઈ સહિલા પાપી પછઈ પલતા દુહિલા સુખદુઃખ ઉન્હસ્ય જઉ નવી સહિઈ નેહ બદનામી કાહેતુ વહિઈ II૧લી તનકા ભેદ ન થા દિન એતા હમ તુમ્હ ખુસમરિતિકાન હતા અબ તુહે ખુસમ હમ તું જોઈ ક્યા અવતારિ ન બીહુ હુઈ રહ્યા સ્થૂલભદ્ર ચંદ્રાયણિ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ફાટી ન હૈરા કાહે તનુ તાવઈ તું બિન બિહિ કિંહિ દુ:ખનું ચંદન લાઈમ ખિઈન હૈરઈ સોભી તપાઉ જે મુઝ પીઈ ।।૨ણા હૈયા પથર કઠોર કરાલા સજ્જન બિરહાનલથી જાલ્યા જલ મત લાઈ હોવઈગા સ્પેદી તાથિજાઈગા પીઉદિલ ભેદી ॥૨૫॥ યુ કરિ બિછુરે રતનકું તરફર નયન કરંતિ હું સાંઈ તુઝ દેખવા, અંગરિ જિઉ ફિરંતિ ॥ ૩૩ ॥ . ફિરિ ફિરિ મંદિર સેરી દેખઈ મુખિલિસ ધન રિ તુમ્હેન પેખઈ તાથઈં નયનાં હુએ રે નિરાસાં દુલહે જુ નિ યુ બપીરો પ્યાસા ।।૩૪।। રે હૈરા ખાંચ્યા રહઈ ધાણી-તિલ મત હોઈ સાંઈ મિલણઈંકું તઈ કીઆ કા બૂઝઈગે સોઈ ॥ ૩૫ ॥ કોશા પોતાના દિલની-અંતરની વાત કોની આગળ કહે ? કવિના શબ્દો છે દિલકી બાત કહુ કિનુ આગઈ કહિભી હૈરા નિકુરનલાગð ખુશ ભરી નયને જિનકું જોવઈ સો બિન સબ જગ જંગલ હોવઈ ।।૪ના હૈરા ઉચાઉંસું કીઆ કાહાથી એતના નેહ આજ ઉહાં ગહીંમઈં કહાં, ક્યું રહવઈગા દેવ. ॥ ૪૧ || (ગા. ૪૦-૪૧) કોશાના દિલમાં સ્વામી સ્થૂલિભદ્ર વસ્યા પછી હવે આવ્યા નહિ અને પીડા-દર્દની અનુભૂતિ થાય છે. કવિ જણાવે છે કે - મહિરબિરાણી તુમ્હ નહિ અપની કાહેન હોઈ સાંઈ તુ દિલ ભીંતરિ વસ્યા તું ક્યાં આતસ દેઈ ॥ ૪૩ ॥ (ગા. ૪૩) ૧. બપીરા ૬૪ = - બપૈયાપક્ષી ૨. મહિરબિરાણી = મહેરબાની For Personal & Private Use Only જ્ઞાનતીર્થની યાત્રા Page #106 -------------------------------------------------------------------------- ________________ વિરહાવસ્થામાં સ્વામીનું સ્મરણ કરતાં કોશા કહે છે કે - હૈરા સાંઈ નિજીક તુજ કહાણી કરઈ અંદોહ નહજઈ રોવઈ આંખરી જિનકુ-સજન બિછોડ ! ૪૯ | સાંઈ રૂપ લિખી જબ પતરી નયણે દેખઉં પિઉથી બિછુરી દુસમન વિહી મુઝ તુભી સંતાપાં આંસુ આઈ નયણાં ઠાપઈ ૫૦ | (ગા. ૪૯-૫૦) પૂર્ણિમાની ખીલેલી ચાંદનીમાં સ્વામી વિના વિરહવેદના સંતાપ આપે છે. કવિ જણાવે છે કે – પુનિકા દિન સોભાગ જ સારા જે બિનઝીના હોવઈ ભરતારા ગુનહઈ તૂટઈ કહઈ હુર ચાલી બિરહ સહઈ સખિ સોઈ નેહયાલિ પ૧ | ઈધર રહે ભી હમ હઈ તુમ્હારે તુહે ભી ઉહાંથી સાંઈ હમારે હુર ક્યાં કાગદ લેખ પઠાઉ લિખતઈ કચ્છભી છેહરા ન પાઉં પર // (ગા. ૨૧-પર) વિરહાવસ્થામાં સ્વામીને યાદ કરતાં મિલનની તીવ્ર ઈચ્છા પ્રગટે છે. આગમનનો કોઈ સંદેશો મળે તો દિલમાં શાંતિ અને પ્રસન્નતા થાય. સાંઈ સંદેસઈ દિલ ભર્યા જયે દરિયા જલબુંદિ મિલઈ તું કબહિ ઠાલવું હુર રાખ્યા હઈ મંદિ. || પ૩ | (ગા. પ૩) પ્રકૃતિની પશ્ચાદ્ ભૂમિકાના સંદર્ભમાં વિરહવેદના વધુ આકરીઅસહ્ય બની છે. આ માહિતી કવિના શબ્દોમાં નીચે મુજબ છે. સ્થૂલભદ્ર ચંદ્રાયણિ ૬૫ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ઉનત ઘટા ઘર ઉનમી આયે તાથઈ શીતલ સમીરશું વાએ અંગનિ આઈ મોર કિં ગાએ ચાતક સવદિઈ બિરહ જગાએ. / ૫૪ | (ગા. ૫૪) સખી અને કોશાનો લઘુ સંવાદ વિરહવસ્થામાં આશાનું કિરણ પ્રગટાવે છે. (ગા. પ૭-૫૮) સબ સખિ કહઈ કાહેથી તનુ તાવઈ સબ દિન સરીખે નહુ જાવઈ આરતિ જિનકું વિલંબ ન સહવાઈ ઉબર પાકઈ ક્યું ખરે રહવઈ | પ૭ | કોશિ કહઈ સખિ આજુકી રાતિ થુલીભદ સુપતિ આસે પરભાતિ દિલકા ઉલટ અંગિ ઉછાયા યા તુ આવઈગા થૂલભદ નાહા. || ૫૮ | કોશાના વિરહની વેદનાને અભિવ્યક્તિને અંતે સ્થૂલિભદ્ર મુનિ વેશે પધારે છે. આ શુભ સમાચાર આનંદદાયક બને છે. “કાગડો' કાળો પણ મહેમાનના આગમનનો સંદેશ લાવે છે. તે સંદર્ભથી કવિ જણાવે છે કે - કાગ ઉડાતા જિનકે કાજિ સાંઈ મિલેતું દિલકું નિવાજે આજૂકા ઉલટ અંગિ ન માવઈ જ્ઞાની બિન કિહિ કહ્યા ન જાવઈ દુરા (ગા. ૬૨) સ્થૂલિભદ્ર મુનિ કોશાને ત્યાં ચોમાસું રહે છે અને કોશાને પ્રતિબોધ પમાડી વ્રતધારી શ્રાવિકા બનાવે છે. આ રીતે “મધુરેણ સમાપયેતુ”ના ન્યાયે સ્થૂલિભદ્ર કોશાનું મિલન શાંતરસના નિઝર સમાન આનંદદાયક બને છે. જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્રની વાણીથી કોશાનું હૃદય પરિવર્તન થાય છે. કવિના શબ્દો છે. યૂલિભદ મુનીવર રહે ચઉમાસી બુઝવઈ કોશાકુરે ઉલ્લાસી સુની હો કોશા બચન રસાલા, સબ ચંચલ હઈ દુનીયા જંજાલા. || ૬૩ છે. જબથી જોબન વેસિ હો માતા ઉરતિ બિરાણી ચુ ચિત્ત લાતાં જબથી હુઆ બુજરુક જાતા, તબથી હુઈ અનેરી ધાતા / ૬૪ | કોઈક કિસકા વ્હાલા હોવઈ સવારથ સાહામા સબ કોઈ જોવાઈ ભમરા કુસુમપરિ સબ દેખઉં જબ રસ તબ લગUફિરતા દેખી દિપા (ગા. ૬૩ થી ૬૫) સ્થૂલિભદ્રનાં વચન સાંભળીને કોશા ધર્મ પામી સમકિત ધારણ કરે છે. (ગા. ૬૬) મુની કે બચન સુણી કોશિ જોઈ ધરમહ સેતી રાતી હુઈ સમકિત શીલ લીઈ મુની પાસઈ મુનીભી ચાલે પહુતઈ ચઉમાસઈ / ૬૬ અહીં બીજો ખંડ પૂર્ણ થાય છે અંતે કવિનામનો ઉલ્લેખ અને સ્થૂલિભદ્રની સ્તુતિથી સવિ સુખ થાઈ એવો ફળાદેશ દર્શાવ્યો છે. પ્રકૃતિ-પ્રણય અને માનવ હૃદયના ભાવની સ્થિતિનું કરૂણ રસસભર નિરૂપણ કરતી આ કાવ્યકૃતિ ભાષા-ભાવ અને કવિ પ્રતિભાનું અનેરું દર્શન કરાવે છે. ગૂર્જર ભાષાનો પ્રયોગ પણ સમકાલીન સમયનો પ્રભાવ દર્શાવે છે. સ્થૂલભદ્ર ચંદ્રાયણ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ નેમજીનો ચોક જૈન સાહિત્યમાં નેમનાથ ભગવાનના જીવનને કેન્દ્રમાં રાખીને વિવિધ કાવ્ય પ્રકારો અસ્તિત્વ ધરાવે છે. નેમનાથ પ્રબંધ, નેમિનાથ રાસ-ફાગુ, નેમિકુમાર ધમાલ, ધવલ-વિવાહલો, નેમનાથ બારમાસ, નેમિ ચરિત્ર માલા, નેમિનાથ રાસ-વસંત-વિલાસ, નેમનાથ રાજિમતી સ્નેહવેલી, નેમ રાજુલ નવભવ, નેમિ વિવાહ, નેમનાથ શીલ રાસ, નેમનાથ ઝીલણાં, છંદ, ચંદ્રાઉલા, નેમિનાથ વિનતી નવરસો, હમચડી, ઉલંભો, નેમિ પરમાનંદ વેલિ, નેમિનાથ વસંત ફૂલડા, નેમ રાજુલ લેખ, નેમનાથ રાજિમતી ગીત, સ્તવન, નેમિનાથ ચતુષ્પાદિકા, નેમનાથ રાજિમતી બારમાસ સવૈયા, નેમિનાથ શ્લોકો, લાવણી, ખ્યાલ, વગેરે કાવ્યો રચાયાં છે. કાવ્ય પ્રકારોનો વિવિધતાની સાથે સમૃદ્ધિનો પરિચય થાય છે. નેમજીનો ચોક એ કાવ્ય પ્રકારની સમૃદ્ધિમાં પૂરક બને છે. ચોકની માહિતી નીચે મુજબ છે. ચોક એટલે ગામ કે નગરનો મુખ્ય માર્ગ, ચાર રસ્તાવાળી મુખ્ય જગા-સ્થળ, એક પ્રકારની ગાવાની રીત કે શૈલી, ચોક એટલે લાવણી કાવ્યમાં આવતી એક કવિતા. જેમાં ચાર કે આઠ કડીનો સમાવેશ થાય છે. એક કડી અસ્વાઈની, ર-૩ કડી અંતરાની, ૩ ૬૮ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૪ કડી ઝૂલની, છેલ્લી કડી વાળવાની ટેક રૂપે હોય છે. ચોક એટલે ભક્તિમાર્ગની પ્રભુ ગુણ ગાવાની સ્તવન શૈલીની રચના. ચોક એટલે ઘરના પ્રવેશદ્વાર પહેલાંની ખુલ્લી જગા અથવા મકાન સાથે જોડાયેલી ખુલ્લી જગા કે જ્યાં સામાજિક અને ધાર્મિક પ્રસંગોએ જનસમૂહ ભેગા થઈને ઉત્સવની આનંદપૂર્વક મઝા માણે છે. ચોકમાં લગ્ન કે દીક્ષાના પ્રસંગે ગીત ગાવાનો અનેરો અવસર યોજાય છે. મધ્યકાલીન કાવ્ય રચનાઓમાં “ચોક'નો શબ્દ પ્રયોગ થયો છે. કવિ ઉદયવંતના ગૌતમ સ્વામીના રાસમાં નીચે પ્રમાણેની માહિતી મળે છે. કુમકુમચંદન છડો દેવરાવો માણેક મોતીના ચોક પુરાવો. અહીં ચોકનો અર્થ શોભા-શણગારના અર્થમાં છે. જિન મંદિરમાં પણ ચોક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પ્રતિષ્ઠા-પર્યુષણ અને અન્ય ધાર્મિક તહેવારોમાં ચોકમાં ભક્તો ભેગા થઈને પ્રભુ ભક્તિ કરે છે. કવિ સમયસુંદરના સીમંધર સ્વામીના સ્તવનમાં ચોકનો સંદર્ભ છે. ઈંદ્રાણી કાઢે ગહુલીજી, મોતીના ચોક પુરેશ.” અહીં ભગવાનની દેશના પ્રસંગે શણગારનો અર્થ પ્રાપ્ત થાય છે. ગહુલી કાઢીને મોતીથી ચોકની જગા શણગારવામાં આવે છે એટલે ભગવાનનું ઉત્તમ દ્રવ્યથી સન્માન થાય છે એમ સમજવાનું છે. આવા સૌંદર્યમય ચોકમાં પ્રભુની દેશનાનું શ્રવણ કરીને ભવ્યાત્માઓ વિરતિ ધર્મનો સ્વીકાર કરે છે. ચોકમાં વિવિધ રીતે પ્રસંગોચિત શણગાર કરવાની પ્રણાલિકા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં નિહાળી શકાય છે. વિવિધ પૂજા સંગ્રહમાં ભાવનાના લઘુગીતમાં ચોકનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. નેમજીનો ચોક For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ “મારા નાથની વધાઈ બાજે છે. ઈંદ્રાણી મિલ મંગલ ગાવે, મોતીયન ચોક પુરાવે છે.” અહીં પ્રભુ ભક્તિના સંદર્ભનો ઉલ્લેખ થયો છે. મૃત્યુલોકના માનવીઓ તો ભક્તિ કરે પણ સ્વર્ગમાં રહેતી ઈંદ્રાણી પણ પ્રભુ ભક્તિમાં લીન બનીને મોતીના ચોક પુરાવી મંગલ ગીત ગાય છે, એટલે ચોકમાં પ્રભુ ગુણ ગાવાનો સંદર્ભ મહત્ત્વનો ગણાય છે. ચોક વિશેની ઉપરોક્ત માહિતીની ભૂમિકા પછી “ચોક પ્રકારની રચનાઓનો સંક્ષિપ્ત પરિચય નીચે પ્રમાણે છે. ૧. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા કવિ અમૃતવિજયજીએ નેમનાથ અને રાજુમતીના ચોવીશ ચોકની રચના કરી છે. તેમાં મુખ્યત્વે નેમનાથ ભગવાનનો ચરિત્રાત્મક પરિચય પ્રાપ્ત થાય છે. પ્રભુના ચરિત્રને ર૪ ભાગમાં વિભાજિત કર્યું છે અને ચોવીશ ચોક નામ આપ્યું છે. ૨૪મા ચોકની માહિતી નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. તે ઉપરથી રચના સમય અને પ્રભુ અવિચળ પદ પામ્યા તેનો ઉલ્લેખ થયો છે. પ્રભુ હિતકારી સંજમ આપી, થાપી શીવપદ નારી, જાઉં બલિહારી. સિદ્ધ નવમે ભવ જિન રાજે પહિલાં તારી તોડી જોડી. સહસાવન સગલી. શિવ પહોતા, કરમ ભસ્મ તોડી નેમ-રાજુલ અવિચળ થઈ જોડી | ૧ || મિલી ગોપી સંવાદ સુણાયો છે, શ્રી નેમ વિવાહ મનાયો છે. ૭૦ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ તે અધિકાર બનાયો છે. કીઓ ઓગણચાલીશ અઢારે કાર્તિક વદી પંચમી રવિવારે એ ચોવીશ ચોક ચાતુર ધારે. મુનિ રત્નવિજય પંડિતરાય, બુધ શીશ વિવેકવિજય ભાયા. તસ શીવ અમૃત વિજય ગુણ ગાયા. ઇતિશ્રી નેમનાથ રાજીમતીના ૨૪ ચોક સંપૂર્ણ. લિ. પ્રેમચંદ કવિએ સં. ૧૮૩૯માં ચોકની રચના કરી છે. સમગ્ર કૃતિના વિભાજન માટે ‘ઢાળ' શબ્દપ્રયોગ કર્યો છે. ૨૪મી ઢાળમાં ‘ચોક’નો નિર્દેશ થયો છે. ઢાળમાં ૩ અને ૪ કડીનો પ્રયોગ થયો છે. કવિનાં મધ્યકાલીન સાહિત્યમાં ‘પદ’ રચના પ્રચલિત થઈ હતી તેમાં નરસિંહ મહેતાના જીવનના પ્રસંગો અને કૃષ્ણભક્તિ વિષયક પદોની હારમાળાના પદો રચાયાં છે તેની સાથે ‘ચોક’ની રચના નેમનાથ વિષયક ‘હારમાળા' સમાન રચના થઈ છે. પ્રભુના જીવનના પ્રસંગોનું નિરૂપણ કૃત્રિમ રીતે થયું છે. ‘પદ'માં ઓછામાં ઓછી ત્રણ કડીની મર્યાદા છે તે પ્રમાણે ‘ચોક'માં કવિએ ત્રણ અને ચાર કડીમાં વસ્તુ વિભાજન કર્યું છે. આ એક લાક્ષણિક કાવ્ય રચનાનો નમૂનો છે. આ કૃતિનો પરિચય અપ્રગટ હસ્તપ્રતના આધારે નોંધવામાં આવ્યો છે. ચરિત્રાત્મક કાવ્યકૃતિઓમાં વસ્તુ વિભાજન માટે ઢાળ, ઠવણી, કડવાં જેવા શબ્દ પ્રયોગો થયા છે. અહીં ‘ઢાળ’ શબ્દ પ્રયોગ અને ‘ચોક’નો નિર્દેશ પ્રભુના ગુણગાનના સંદર્ભમાં છે. ગરબા ગાવાની પ્રણાલિકાના સંદર્ભમાં પણ આવી રચના ચોકમાં ગવાય તેવી છે એટલે ભક્તિ માર્ગની એક વિશિષ્ટ રચના તરીકે પણ સ્થાન ધરાવે છે. નેમજીનો ચોક For Personal & Private Use Only ૭૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૨. કવિ અમૃત વિમળજીએ “નેમજીનો ચોકની ચરિત્રાત્મક રચના ત્રણ ઢાળમાં કરી છે. રચનાનો આરંભ નેમકુમારના લગ્નના વરઘોડાથી થયો છે અને પશુઓના પોકાર સાંભળીને લગ્નના માંડવેથી રાજુલનો ત્યાગ કરી ગઢ ગિરનાર જઈને દીક્ષા અંગીકાર કરી કર્મનો ક્ષય કરીને મોક્ષપ્રાપ્તિ કરે છે. રાજુલ પણ નેમજીના પગલે ચાલીને આત્માનું કલ્યાણ કરે છે. આ વિષયને કેન્દ્રમાં રાખીને ચોકીની રચના કરી છે. કવિએ રાજુલની મનોવેદનાને વાચા આપી છે. તેમાં રાજુલ નેમકુમારને ઓલંભો આપે છે તેનો ઉલ્લેખ થયો છે. ત્રણ ઢાળની આ રચના રસાસ્વાદ માટે વાચક વર્ગને અનુકૂળ બને તેવી છે. કાવ્યનો આરંભ નેમકુમાર રાજવી ઠાઠથી લગ્નને માંડવે આવે તે પ્રસંગથી થયો છે. કવિના શબ્દો છે : આ જોને બેની જાદવપતિ આવે ઠાઠમાં, હાં રે ઘણાં વાજીંત્ર વાગે તાનમાં. | ૧ | આજે મારે ઘેર આનંદનો દિન છે. હાં રે મારે જડ્યું ચિંતામણી હાથમાં છે ૨ | લગ્નના પ્રસંગે રાજુલ નેમકુમારની પ્રતીક્ષા કરી રહી છે અને હૈયામાં હરખ માતો નથી. કવિ જણાવે છે કે – હું વાટ જોઉં આવો ને નેમ અલબેલા ખીણ ખીણ પલપલ પ્રીતમ નીરખે હાં રે મારે હરખ ન માયે મનમાં ને ૧ ઢાળ-ર પશુઓનો કરૂણાર્દ સ્વર સાંભળીને નેમકુમાર રાજીમતીનો ત્યાગ કરીને ગઢ ગિરનાર જઈ સંયમ સ્વીકારે છે. જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ સહસાવન જઈ સંયમ લીધો હાં રે જીતી લીધો મોહ મહીમાન. ત્રીજી ઢાળમાં રાજુલનાં હૈયાની વેદનાને વ્યક્ત કરવામાં આવી છે. સ્વામીનો મને વિરહો ઘણું દુઃખ દે છે, બળ અનંતુ સુરનર કહે છે. હાં રે એક નારી દેખી શું બીએ છે ? તમે મૂકો પણ હું નહિ મૂકું, હાં રે એમ કહી જઈ સંયમ લીએ છે. અમૃતવિમલ કહે ધન્ય એ રાજુલ, હાં રે મને વાંછિત સુખ દીએ છે. કવિએ કાવ્યને અનુરૂપ મધુર પદાવલીમાં રચના કરીને પ્રસંગોનો મિતાક્ષરી પરિચય કરાવ્યો છે. ૩. માણેક મુનિએ નેમિનાથની લાવણી સંજ્ઞાવાળી કાવ્યરચના ચાર ચોકમાં કરી છે. આ રચનામાં ચોક શબ્દ પ્રયોગ નેમનાથના ચરિત્રના પ્રસંગોના વિભાજન માટે થયો છે. દરેક ચોકમાં ચાર કડી છે એટલે લાવણીનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. ગેય પદાવલીઓ દ્વારા ચરિત્રાત્મક માહિતીનું નિરૂપણ થયું છે. ચોથા ચોકની નમૂનારૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે. છોડીને પશુનો વૃંદ રથડો વાલે, ઘર આવી પ્રભુ દાન સંવત્સરી ચાલે. સુણી વાતને રાજુલ મૂછ ધરણી ઢળતી, હે નાથ ! શું કીધું કોડી વિલાપો કરતી. લઈ સંજમ દંપતી કરમ કઠિનને તોડે. પ્રભુ... ૩ | નેમજીનો ચોક ૭૩ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ અબ ઉપનું કેવળજ્ઞાન મુગતિમાં જાવે, પ્રભુ સિદ્ધ બુદ્ધ અજરામર પદવી પાવે. ગુરુ રૂપકીર્તિ ગુણ ગાવે રંગે સવાયા, મેસાણે રહી ચોમાસ શ્રી જિનગુણ ગાયા, મુનિ માણેક લાવણી ગાવે મનને કોડે. પ્રભુ.... ૪ ભક્તિ માર્ગની રચનાઓમાં ચોક વિશેની ઉપરોક્ત માહિતી કાવ્ય પ્રકારોની વિવિધતાની સાથે નવીનતા દર્શાવે છે. જૈન સાહિત્યની સમૃદ્ધિના પ્રતીક સમાન આ રચના આમજનતાના હૃદયમાં ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. ७४ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર નવરસો જૈન સાહિત્યમાં વિષય વૈવિધ્ય અને કાવ્ય પ્રકારોમાં નેમનાથ ભગવાન અને સ્થૂલિભદ્ર મહામુનિનું સ્થાન પ્રથમ કક્ષાનું જણાય છે. સ્થૂલિભદ્ર વિશે વિવિધ કાવ્યરચનાઓ પ્રાપ્ત થાય છે. તેમાં ‘સ્થૂલિભદ્ર નવરસો’ની પ્રાપ્ત કૃતિઓમાં રસનિરૂપણની દૃષ્ટિએ કલાત્મક રચનાઓ થઈ છે. નવરસો કૃતિના આસ્વાદ માટે સ્થૂલિભદ્રનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. સ્થૂલિભદ્ર નંદરાજાના શકટાળ મંત્રીના મોટા પુત્ર હતા. યુવાવસ્થામાં કોશા ગણિકાના મોહમાં પડીને ભોગવિલાસમાં ઘણો સમય વીતાવ્યો હતો. ત્યાર પછી જીવનમાં વૈરાગ્યભાવના ઉદયથી સંભૂતિવિજય પાસે દીક્ષા અંગીકાર કરી હતી. સંયમજીવનમાં ભદ્રબાહુસ્વામી પાસે ૧૦ પૂર્વ સુધીનો અભ્યાસ કરીને જ્ઞાનોપાસનામાં વૃદ્ધિ કરી હતી. સ્થૂલિભદ્રમુનિએ પૂર્વ જીવનની પરિચિત કોશા વેશ્યાને ત્યાં ગુરુની આજ્ઞાથી ચાતુર્માસ કર્યું હતું. કોશા વેશ્યાએ વિવિધ પ્રલોભનો દ્વારા સ્થૂલિભદ્રને પૂર્વે ભોગવિલાસમય જીવન જીવ્યા હતા તેમ જીવવા માટે પ્રયત્નો કર્યા હતા તેમ છતાં સ્થૂલિભદ્ર મુનિ સાધુ વ્રતમાંથી ચલિત થયા નહિ અને સંયમમાં જ નિમગ્ન રહ્યા. સ્થૂલિભદ્ર નવરસો For Personal & Private Use Only ૭૫ Page #117 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્રમુનિએ કોશાને પણ શ્રાવિકા ધર્મમાં સ્થિર કરીને સન્માર્ગે વાળી હતી. ચાતુર્માસ પછી સ્થૂલિભદ્ર મુનિને ગુરુએ દુષ્કર, દુષ્કર, દુષ્કર જેવા શબ્દોથી અનુમોદના કરી હતી. સ્થૂલિભદ્ર કામવિજેતા તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. આ પ્રસંગોને અનુલક્ષીને કવિઓએ વિવિધ કાવ્યો રચ્યાં છે તેમાં સ્થૂલિભદ્ર નવરસો અત્યંત રશિક અને આસ્વાદ્ય કૃતિ પ્રાપ્ત થાય છે. સ્થૂલિભદ્ર નવરસ દુહા જૈન સાહિત્યમાં નેમનાથ ભગવાન અને મુનિવર્ય સ્થૂલિભદ્રના જીવનના પ્રસંગોને વસ્તુ તરીકે સ્વીકારીને કવિઓએ રાસ-ફાગુ, સજઝાય, ગીત, વેલ, બારમાસ, એકવીસો, ચરિત્ત, ચોપાઈ, છંદ, ધમાલ, નાટક, મોહનવેલ, સંવાદ, બોલી વગેરે કાવ્ય પ્રકારોની રચના કરી છે તેમાં નવરસો, નવરસ કાવ્ય પ્રકાર રસ અલંકાર અને શૈલીની દૃષ્ટિએ મનોહર અને ચારિત્રાદ્ય કૃતિઓ રચાઈ છે. સ્થૂલિભદ્ર નવરસ દુહા કૃતિની માહિતી નીચે પ્રમાણે છે. કવિ દીપવિજયજી એ સ્થૂલિભદ્ર નવરસ દુહાની રચના સંવત ૧૮૬૨માં કરી છે. આ કવિનો સમય ૧૮મી સદીનો અંત અને ૧૯મી સદીના પૂર્વાર્ધનો ગણાય છે. પૂ.શ્રી આણંદસૂરગચ્છના પંડિત પ્રેમવિજય-રત્નવિજયના શિષ્યા હતા. નવરસનો અર્થ અવનવા રસના પ્રયોગથી દુહાની રચના એમ સમજવાનું છે. કવિ ન્યાયસાગરની સ્થૂલિભદ્ર નવરસોની રચનામાં સાહિત્યમાં જે નવરસ કહેવાય છે તેના સંદર્ભમાં પ્રાપ્ત થાય છે. - કવિએ “દુહા'નો પ્રયોગ કરીને ૮ ઢાળમાં કાવ્ય રચના કરી છે. તેમાં ઢાળ ૪ અને ૫ ના દુહા પૂર્વે થયેલા કવિ ઉદયરત્નના ધૂલિભદ્ર જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ નવરસો કૃતિના દુહાને સ્થાન આપ્યું છે. આ ઢાળને અંતે “ઉદયરત્ના શબ્દ પ્રયોગ થયો છે. એટલે દીપવિજયની રચનામાં ઉદયરત્નના દુહાનો સમાવેશ થયો છે. નવરસોના મહત્ત્વના પ્રસંગોની માહિતી નીચે પ્રમાણે છે. પ્રથમ ઢાળમાં શકટાળ મંત્રીનો શ્રીયકના હાથે ઘાત થાય છે તેનું વૃત્તાંત જણાવ્યું છે. સ્થૂલિભદ્ર રાજસભામાં આ વૃત્તાંત સાંભળીને રાજ ખટપટથી દૂર રહેવાનો નિર્ણય કરે છે. સ્થૂલિભદ્ર મંત્રીપદ ન સ્વીકારતાં સંયમ સ્વીકારવાનો માર્ગ અપનાવે છે. માર્ગમાં વિચરતા સ્થૂલિભદ્રને સંભૂતિવિજય મુનિનો પરિચય થયો અને ચારિત્ર અંગીકાર કર્યા પછી ગુરૂઆશાથી કોશાની ચિત્રશાળામાં ચાતુર્માસ રહેવા માટે ગયા. પ્રશ્નોત્તર સ્વરૂપમાં ઉપરોક્ત માહિતી રજૂ થઈ છે. કાવ્યના આરંભનો દુહો જોઈએ તો. સ્થૂલિભદ્ર કહે સુખ ભૂપતિ, કિમ માર્યો મુજતાત, મુઝ તેડવા કિમ મોકલ્યો, કહો હિવે અવદાત છે ૧ / સ્થૂલિભદ્ર રાજસભાનો ત્યાગ કરી સંયમ સ્વીકારે છે તેની માહિતી શબ્દોમાં જોઈએ તો - રાજ્યસભામાંથી ઊઠીને આવે મંદિર જામ, મારગમાં મુનિવર સંભૂતિવિજય ઈણ નામ / ૧૫ // ત્રિય પરદક્ષિણા દેઈ કરી, આલોચે વિહાર, સ્થૂલિભદ્ર ગુરૂને વિનવે, ચારિત્ર ઘો સુખકાર // ૧૬ // ગુરૂ વિચારે ચિત્તમાં, હલુઆ કરમી એહ, વલી પ્રાણી પ્રતિ બોધર્યો, એ સ્થૂલિભદ્ર ગુણગેહ ૧૭ સરિયાની અનુમતિ લેઈ, લીધો સંયમ ભાર, વિહાર કરે તિહાંથી હવે, કોઈક દેશ મોઝાર / ૧૯ છે. ૧. સરિયાની = શ્રીયકની સ્થૂલિભદ્ર નવરસો For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્ર કોશાને ત્યાં જાય છે અને દાસી કોશાને સ્થૂલિભદ્રના આગમનની વધામણી આપે છે. કોશા ચાતક સમાન સ્થૂલિભદ્રની રાહ જોતી હતી તે આ વધામણીના સમાચારથી હર્ષોલ્લાસ અનુભવે છે. કવિના શબ્દો છે બાર વર્ષની પ્રીત પછી રાજસભામાં ગયેલા સ્થૂલિભદ્ર સાધુવેશમાં કોશાને ત્યાં પધારે છે એટલે કોશાના અંતરની અભિલાષા પરિપૂર્ણ થવાના હેતુથી આનંદમય બની છે. સ્થૂલિભદ્રને મહેણાં દેતી માનુની જણાવે છે કે તવ ઉઠી આ સુંદરી, પીઉને મિલવા કાજ, ચાતક જિન ચતુરા હુંતી, તે ઊભી કરી લાજ ॥ ૫ ॥ ૧. કુસ ૭૮ સતણો જિમ તાપણો, વલી જેહવો સંધ્યાવાન. ઠાર તણો જિમ મેહનો, નાગર મિત્રનું માન ॥ ૭॥ - મેણા દેતી માનની મધુરી બોલે વાણ, આજ સફલ મુંજ આંગણો, આજ સફલ દિનરેણ | ૮ | કરૂણ રસની અનુભૂતિ થયા પછી સ્થૂલિભદ્રના આગમનથી શૃંગાર રસનું નિરૂપણ થયું છે. બીજી ઢાળમાં ઉપરોક્ત વિગતોનો સમાવેશ થયો છે. કોશાના ચિત્તમાં અપૂર્વ આનંદની લહેરી ઉભરાઈ રહી છે. હવે પૂર્વેની પ્રીતિનો રંગ જામશે. આવા વિચારમાં નિમગ્ન કોશાને સ્થૂલિભદ્ર વિષયસુખના કરૂણ દુ:ખ અને પરિણામની વિગતો આપતા જણાવે છે કે મોતી થાળ વધાવીને, કોશા કરે અરદાસ, પૂરવ પ્રિતિ સંભારિયે, કરીઈ લીલ વિલાસ | ૯ | થૂલિભદ્ર કહે સુણ સુંદરી, મેં વશ કીધો નેણ, તું વ્યાકુલ થઈ વિરહિણી, કિમ ભાખે ઈમવયણ || ૧૨ || = ઘાસ For Personal & Private Use Only જ્ઞાનતીર્થની યાત્રા Page #120 -------------------------------------------------------------------------- ________________ કહે કોશ્યા સુણ પીઉજી, તું મુઝ જીવન પ્રાણ, પ્રીતવેલી હિવે સિંચાઈ, વલી વધે જિમ વાણ | ૧૩ છે. ત્રીજી ઢાળમાં સ્થૂલિભદ્ર-કોશાના સંવાદનું ભાવવાહી નિરૂપણ થયું છે. કોશાના શૃંગારરસની અનુભૂતિ અને વાણીની સામે સ્થૂલિભદ્રની વૈરાગ્ય-શાંતરસની વાણીનો પ્રવાહ આકર્ષક બન્યો છે. કવિના શબ્દો છે - અબલા સબલા સિહણિ, દૂરગતિની દાતાર, સિંહણનો ભય એક ભવે, ભવભવ ભય મુઝ નારી ૧૮ શૃંગાર રસના નમૂના રૂપે પંક્તિઓ જોઈએ તો - કોશ્યા કહે ઈણ મંદિરે, આવી રહો ચોમાસ, ભાવભગતિ નિત પ્રતે કરો, ભોજન સરસ તંબોલ. મધુર વયણ મુખથી કહે, પીઉ કરીઈ રંગ રોલ. જોગારંભ છાંડી કરી, રંગે રમો એકાંત. તવદાસી કોશ્યાને કહે, નાટક કરીઈ એક. હાવભાવ દેખાલસું, સજી સોળે શણગાર. સ્થૂલિભદ્રની વાણીના નમૂના રૂપે પંક્તિઓ શાંતરસની સમર્થ અભિવ્યક્તિ સમાન છે. ' નંદિષેણ સરીખા જતી, આષાઢાદિકુ જેહ. મોહમહાભડ વશ કરી, મુગતિ ગયા રૂષિ તેહ. કાચી કાયા કારિમી, માયા મોહિની જાલિ. અશિરપણું જીવન તણું, જેહવું સંધ્યાવાન. ધીરપણું મેં આદર્યું, જોબન અથિર સંસાર સ્થૂલિભદ્ર નવરસો ૭૯ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ કોશ્યાના વિરહની ચરમસીમા દર્શાવતી રૌદ્રરસની પંક્તિઓ હૃદયદ્રાવક બની છે. વિષયના વિડંબ તે વિરહિણી, ખંભે પછાડ્યો તન્ન. જાલિમ વયણને વશ કર્યો, પાંચે ગ્રહમા સુભટ્ટ. એક મને થઈ કામિની, ક્રોધ કીયો દહવટ્ટ. કોશ્યાનાં હાવભાવ, ભોજન અને નાટકની નિષ્ફળતાના પરિણામે તેણીના હૃદય પરિવર્તનની માહિતી આપવામાં આવી છે. તેમાં યૂલિભદ્રની શાંતરસ-વૈરાગ્યની વાણી નિમિત્તરૂપ છે. કોશ્યાના હૃદય પરિવર્તનની માહિતી આપતા કવિના શબ્દો છે - કોશ્યા સમકિત પામીયા, થૂલિભદ્ર પ્રીતમ પાસ, આજ સફલ દિન માતરો, ધન ચિત્રશાલી આવાસ. ઈણ મેહલે સુખ ભોગવ્યા, ઈંદ્રાણી પરે જેમ. તે માટે તુમ ઈહાં રહો, ધૂલિભદ્ર રિષીરાય. કોણ્યા સ્થૂલિભદ્રને કહે છે કે મેં તમોને રીઝવવા ઘણા ઉપાયો કર્યા પણ તમે તમારા વ્રતમાંથી ચલિત થયા નહિ એ મારો મોટો અપરાધ છે, અને મસ્તક નમાવીને અપરાધનો સ્વીકાર કરું છું તમે મારા પર મોટો ઉપકાર કર્યો છે. કોશ્યાના શબ્દો છે. નહિ વિસારું સાસોશ્વાસ.” કાવ્યના અંતે સ્થૂલિભદ્રના શબ્દો છે. કહે યૂલિભદ્ર તમે આવજયો મુગતિ મોહલા માટે જનમ જરા નહી કહે રમત્યું મન ઉરછાહ સ્થૂલિભદ્ર કોશ્યાને ત્યાંથી વિહાર કરીને ગુરૂની પાસે જાય છે. ૮૦ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ જઈ વાંદ્યા ગુરૂજી કહે, દુષ્કર દુષ્કર કાર” સિંહ ગુફામાં ચોમાસું રહેલા મુનિ સ્થૂલિભદ્રને કહે છે કે તમે સિંહ સમાન વીરતા દર્શાવી અને કોશ્યાને પ્રતિબોધ પમાડી. “ચોરાશી ચોવીશીઈ અભંગ રચ્યો તુઝ નામ સ્થૂલિભદ્ર રાજ્યના મંત્રીપદનો અસ્વીકાર કરે છે અને કોશ્યાને ત્યાં ચાતુર્માસ રહી તેણીને પ્રતિબોધ પમાડે છે ત્યાં સુધીની માહિતી આ દુહામાંથી પ્રાપ્ત થાય છે. શૃંગાર-કરૂણ-રૌદ્ર અને શાંતરસની ભરપૂર આ રસના દુહા તરીકે પણ આકર્ષક અને ભાવવાહી બની છે. સરળ અને સુગ્રાહ્ય શૈલીમાં કાવ્ય રચના દ્વારા સ્થૂલિભદ્ર અને કોશ્યાના પ્રસંગોનું રસ-ભાવ-સંવાદ અને વિવિધ દષ્ટાંતોથી નિરૂપણ કરવામાં આવ્યું છે. “નવરસો' નામ પણ રસનિરૂપણથી સાર્થક થયું છે. સ્થૂલિભદ્ર નવરસો (નવરસ ગીત) અઢારમી સદીના પ્રથમ તબક્કામાં થયેલા પૂ. જ્ઞાનસાગરજીએ સ્થૂલિભદ્ર નવરસો નવરસ ગીતની રચના કરી છે. પૂ.શ્રી અંચલગચ્છના ગજસાગરસૂરિ-લલિતસાગર-માણિક્યસાગરના શિષ્ય હતા. જૈન સાહિત્યમાં નવરસો નામની એમની કૃતિ ઉપલબ્ધ કૃતિઓમાં પ્રથમ કક્ષાનું સ્થાન ધરાવે છે. નવરસો એટલે સાહિત્યના નવરસ. કવિએ સ્થૂલિભદ્ર અને કોશ્યાના જીવનના પ્રસંગોનું રસિક નિરૂપણ શૃંગાર આદિ રસમાં કર્યું છે. જ્યારે સ્થૂલિભદ્ર અને તેમનાથ નવરસોની અન્ય કૃતિઓમાં શૃંગાર-કરૂણ-શાંતિ આદિ રસો સ્થાન ધરાવે છે. કવિની રસ નિરૂપણ અંગેની અર્થઘટનની કલ્પના નોંધપાત્ર છે. કવિઓ અવનવી કલ્પનાનો આશ્રય લઈને કાવ્ય રચે છે તેમાં સ્થૂલિભદ્ર અને કોશ્યાના પ્રસંગોને કેન્દ્રમાં રાખીને રસસભર કૃતિ રચી છે. આ કૃતિના પ્રસંગો સુવિદિત છે. પણ કવિની શૈલી અને કવિપ્રતિભાનું વિશિષ્ટ દર્શન કરાવે છે. સ્થૂલિભદ્ર નવરસો ૮૧ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ કાવ્યના પ્રસંગોમાં કવિએ સ્થૂલિભદ્રના પૂર્વ જીવનના ૧૨ વર્ષના સંસારી જીવન અને ભોગવિલાસના સ્મરણથી કરીને અંતે કોશ્યા સમકિત પામી વ્રતધારી બને છે ત્યાં સુધીના પ્રસંગોનું મધુર પદાવલીઓમાં શૃંગાર રસથી આરંભ કરીને શાંત રસ સુધી નિરૂપણ કર્યું છે. પ્રચલિત દેશીઓ અને રાગના સમન્વયથી ગીત કાવ્યસમાન ગેય રચના નિષ્પન્ન થઈ છે. અત્રે શૃંગાર રસથી આરંભ થતી રચના શાંત રસથી પૂર્ણ થાય છે. ૧. શૃંગાર રસ નિરૂપણમાં કવિએ કોશ્યાના ચિત્તની સ્થિતિનો પરિચય કરાવ્યો છે. સ્થૂલિભદ્ર સાથેના પૂર્વના ૧૨ વર્ષના સંબંધની ભૂમિકાને આધારે ૭ કડીમાં કોશ્યાના વિચારો વ્યક્ત થયા છે. નમૂનારૂપે પંક્તિઓ જોઈએ તો - કરિ શૃંગાર કોશ્યા કહે, નાગરના નંદન. મોહન નયણે નિહાલિરે નાગર... આ યૌવન જોઈ ઉલટયું નાગર... સ્વામિ કરિ તો ભાલ રે નાગર... | ૧ | પછતાણી પ્રીતમ હવે, ના... ફોગટ માંડી મેં પ્રીત રે. ના... કીધી કરિ જાણી નહિ. ના... રૂડી પ્રીતની રીતિ રે. ના... | ૬ || વિરહાનલ વાલેસ, ના... કેમ શીતલ થાઈ દેહરે અંતમાં કવિના શબ્દો છે – પ્રથમ રસ શૃંગારમાં. ના... કેદરો કહ્યો રાગમાં રે. ના... ૮૨ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ કોશ્યાનાં વાણીથી સ્થૂલિભદ્ર વ્રતથી ચલિત થતા નથી. કવિએ ગાંગેય (નપુંસક)ની સાથે સંબંધ દર્શાવીને કહ્યું છે કે – મૃગાદિક વચન સાંભલી. ના... થૂલિભદ્ર થિર ચિત્ત રહ્યો. ના... શીલ ગાંગેય અવતાર રે. ના... ગાંગેય નપુંસક હોવાથી વિકારની લાગણી થતી નથી. સ્થૂલિભદ્રને પણ કોશાની વાણી વિકારની અનુભૂતિ થતી નથી. ૨. હાસ્યરસ : કવિએ “કાફી' રાગનો પ્રયોગ કરીને હાસ્યરસનું નિરૂપણ કર્યું છે. પ્રીતમ-સ્વામી વિના અન્ન-જળ પણ ભાવતાં નથી. આ વિચાર પ્રણય જીવનમાં સામાન્ય રીતે પ્રગટ થયેલો જોવા મળે છે.કોશ્યાની સખી આવી વાણી ઉચ્ચારે છે તેને કવિએ હાસ્યાસ્પદ ગણીને હાસ્યરસનું નામ આપ્યું છે. કવિના શબ્દોમાં સખીની વાણી નીચે પ્રમાણે છે - હવે સખી કહે મુજ કંતને સખી. આપે છેલ્લો આહાર બીઉં ન મળે અન્ન જલવાહલા, સખી. તવ કર જો તપ આધાર. અસતી ચિત્ત ચંચલ જિર્યું. સખી. ચંચલ પિંપલ પાને બીઉં. તિમ યૌવન ચંચલ છે. સખી. કંત ન આણે જ્ઞાન... આ વચન સાંભળીને સ્થૂલિભદ્ર કહે છે કે – ઈમ ડીંગલ હાંસા સુણી રિષિ બોલેરે. આહાર તજી જે તપ કરે સ્થૂલિભદ્ર નવરસો ૮૩ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ જે મુક છતિ ઋદ્ધિ નહીં તરી તે પામે શીવ સિધ નર સખિ. બોલેરે. જો કહ્યો હાસનો. ગાલા ગોડિ રાગ, ન્યાય કહે નર તેટલા સ્થૂલિભદ્ર અને કોશ્યાના પ્રસંગ નિરૂપણમાં સંવાદનું લક્ષણ રહેલું છે અન્ય કૃતિઓની સમાન અહીં પણ આવો સંવાદ સ્થાન પામ્યો છે. કોશ્યાની વાણી ધૂલિભદ્ર મુનિને માટે હાસ્યાસ્પદ છે તે દૃષ્ટિએ હાસ્ય છે એમ અર્થઘટન કરવામાં આવ્યું છે. ૩. કરૂણ રસઃ સ્થૂલિભદ્ર ચિત્રશાળામાં કાયોત્સર્ગમાં રહ્યા છે ત્યારે કોશ્યા ત્યાં આવીને સ્વામી સાથે વાત કરવા ઈચ્છે છે પણ સ્થૂલિભદ્ર કાઉસગ્નમાંથી ધ્યાન આપતા નથી અને ધ્યાનમાં જ રહે છે. “વચન કહ્યાં ઘણાં ચારુઆ, મુનિ નવિ બોલાવી.” નિંદા કરે રે નાથની સ્વામિ જોઉ તે સાંભલ્યો ષકાયનું પાલે” “કરિ કરુણા કામનિ તણિ, કાં જીવલી બાલે રે.” વિપણ પામીલ મૂને સહીમાં લજાવી. અંતમાં કવિના શબ્દો છે - રસ ત્રીજો કરુણા તણો યૂલિભદ્ર કોશાનો કવિએ કરૂણ રસના નિરૂપણમાં કોશ્યાના કામવિકાર અને સ્થૂલિભદ્ર પ્રત્યેના વચનોનો સંદર્ભ દર્શાવીને કરૂણરસનો પરિચય કરાવ્યો છે. ૪. રૌદ્ર રસ : રૌદ્ર રસ નિરૂપણ કોશ્યા અને સ્થૂલિભદ્રનો સંવાદ નોંધપાત્ર બન્યો છે. બંનેના પાત્રનો કોઈ અનેરો પરિચય થાય છે. આવેશમાં આવેલી કોણ્યા સ્થૂલિભદ્રને ઉદ્દબોધન કરી કહે છે કે ८४ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ રોસે કોશ્યા કહે કૂલિભદ્રનેજી હજી તુઝ નવલી શીખ. હું નહીં વાલીરે તુઝને વાલી તુઝને વાહલાજી હો ભીખ. તુઝ ચાલ્યા ઘરે કાયા દહીજી વળી તજયા સહુ શૃંગાર તિલક તંબોલ હો કાજલ મેં તયાંજી. નાહણ સરસ આહાર. કોશ્યાએ સ્વામી વિરહમાં શરીરના શણગાર અને આહાર વગેરેનો ત્યાગ કર્યો છે અને સ્થૂલિભદ્રને તાત મરણથી ભૂત વળગ્યું છે એમ કહે છે... તમે મારી સાથે બોલો. મનમાં રોષ રાખશો નહિ. સ્થૂલિભદ્ર કોશ્યાને પ્રત્યુત્તર આપતાં જણાવે છે કેવિરહ વયને રિષિ નવી ચાલ્યોજી, કોશ્યાઈ કીધો હો સોસ. તવરિષિ બોલે સાંભલિ શ્રાવિકા જી. મમ કરી વિષય વિકાર વિષયથી રૌદ્ર નરગ દુઃખ વેદનાજી. લહઈ પ્રાણી નિરધાર. વિષયની તાલી લોહની પૂતળીજી આલિંગને અપાર. વિષયના રૌદ્ર પરિણામ નરક ગતિમાં ભોગવવા પડે છે તેનો ઉલ્લેખ કરીને રૌદ્ર રસનું નિરૂપણ કર્યું છે. કુડ સામલી હો કાંટા ઉપરેજી. સુવારે સુર તેહ. સ્થૂલિભદ્ર નવરસો ૮૫ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ કહે નારકીને ધસતાં તાણતાજી ભોગવી ફરસ વિષે તેહ છેદન ભેદન તાડન વેદનાથી ઈત્યાદિક હી અનેક. ભોગવી ઈહભવ પરભવ પ્રાણીઆજી છાંડિઉ વિષય વિવેક. કવિએ નરકમાં દુઃખોનો ઉલ્લેખ કરીને અંતે શીલવ્રત પાલનના ઉપદેશ વચનનો નિર્દેશ કર્યો છે. રૌદ્રરસનું નિરૂપણ એટલે નારીનાં ભયંકર ત્રાસદાયક દુઃખનું વર્ણન કવિએ આસાઉરી રાગ - જાતિ કડખાની – દેશમાં રૌદ્રરસના ગીતની રચના કરી છે. દેશી અને રાગ સાથેનો સંબંધ આ ઉપરથી સમજી શકાય છે. પ. વીરરસ : કવિએ આ ગીતના આરંભમાં કોશ્યાના ભોગસુખની ઈચ્છાનું ચિત્રાત્મક શૈલીમાં આલેખન કર્યું છે ત્યાર પછી યૂલિભદ્રશીલ વ્રતની વીરતાપૂર્વક રક્ષા કરે છે તેની માહિતી આપી છે. અહીં વિરરસનો સંદર્ભ શીલવ્રતના પાલનથી વ્યક્ત થયો છે. નમૂનારૂપ પંક્તિઓ જોઈએ તો - કોશ્યાનું ચિત્ર કવિના શબ્દોમાં જોઈએ તો - માન ગવંદ ઉપર ચઢિ માનિની ચાતુરી ચિહું દિશિ ફોજ કીધીરે ચાક સુતુર પણ સીસ છત્ર ધર્યું ચમરીય ચાર તે ચમર. જેને નાકિ મુગતાફલ જેહ છે નાચતી દોડતી સાતલ શિખર તેને જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ખટકતી ખીંટલી જેણિ પીઠું કચ્યું ફલકતી વેણિ તરવાર જગલી. મસ્તકે કુસમશે તીર ભાથા ભર્યા બાંહ લાંબી ગદા ઉલાલી. કોશ્યાના સાજ-સજ્યાના પ્રત્યુત્તરરૂપે સ્થૂલિભદ્ર કહે છે કેનેહના વયણ સુણી મુનિ રણઝણો કોસ કામિની પ્રતે એમ બોલે. સહસ અઢાર શીલાંગ રથ માહરે. તાહરૂં કટક તિણખભો બોલે. અરથ એક સિદ્ધાંત વયણજી કે માહરી ફોજ લે તે જીતાજા મદ ભર્યા બાર ગયંદ તપ માહરે. ટાંકડી રહી કિસ્યુ કરે દિવાજા. પહિરિય શીલ સન્નાહ સબજોવતી હાથિ ક્ષમા તણું ખડગ લિધું. આગલે મોન રસ સબલ ઊભો ધરયો. કર ગૃહી મુંહપત્તિ ખેડું કીધું વચન પ્રતિ બોધતા તીર તાણિ દિયા તેહ બાણ કોસ્યાને હરાવી. કોશ્યાના કામણગારા બાણની તુલનામાં યૂલિભદ્ર શીલવ્રતક્ષમા-મૌન અને મુંહપતિના સંદર્ભથી તેણીને પરાજય આપે છે. કવિ કલ્પનાનો ચમત્કાર નોંધપાત્ર બન્યો છે. ૧. તિણખભા = તૃણનો થાંભલો ૨. સન્નાહ = બખ્તર લિભદ્ર નવરસો ૮૭ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૬. ભયાનક રસઃ કવિએ કોશ્યાના વચનો દ્વારા સંયમ માર્ગ લોઢાના ચણા ચાવવા જેવો કઠિન અને ભયંકર છે એમ જણાવ્યું છે. આ વિચારોની અભિવ્યક્તિમાં ભયાનક રસનો પરિચય થાય છે. કોણ્યા વિનયપૂર્વક પૂલિભદ્ર કહે છે કે તમો સંયમનો ત્યાગ કરો અને સંસારમાં જે સુખ છે તે મુક્તિમાં નથી. કોશ્યાના શબ્દો છે - યતિ મારગ ખાંડા ધ્યારજી સું નવિ કરયોજેહમાં વિડિરેજી. જેવો વેળું કવલ આહારજી નહીં સ્વાદ ન તિહાં નહી હાઈવ વાલોજી કાંઈ આધારજી. સુ તિહાં થાસે મત ચાલીજી. તવ જપસ્યો મુઝ જાપમાલી સું પૂરવ વેશ્યા ભોગ સંભાલીજી. જબ ઈમ ચિંત ચંચલ ધારીજી. સુ. તબ આ સુખ શિવ સુખ જાગ્યેજી. એ ભયતુમે દસેજી, સુ. તું જોઈ છે - ચિત્ત વિચારીજી. કોશ્યા સંસાર સુખને શ્રેષ્ઠ માને છે અને સંયમ જીવનમાં મુક્તિમાં સુખ નથી એમ કહીને સ્થૂલિભદ્રને સંયમનો ત્યાગ કરવા માટે જણાવે છે. અંતમાં કવિના શબ્દો છે - ન્યાય શીલે સહો મુગતિની શેરીજી. સુ. શીવે વાજે સુજસની ભેરીજી. ૭. બીભત્સ રસ : કવિએ કોશ્યાના શબ્દોમાં સંયમ જીવનનું ચિત્ર આલેખીને સંયમના ત્યાગની ભાવના વ્યક્ત કરવામાં બીભત્સ ૧. વેળુ = રેતી ૨. જાપમાલી = નવકારવાળી ૮૮ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ રસનો આશ્રય લીધો છે. કવિના શબ્દોમાં ઉપરોક્ત માહિતી જોઈએ તો - કહે બહિની જોતાં કિમ વધે નેહ, મયલા વસ્ત્રને મેલિ વેસ મસ્તક મુંછના લૂચ્યા કેશ માંગે ભીખને હાથ ભેડ વૃદ્ધાપણા વિણ લીધો ઠંડ. એવો દેખિ રોવે રે બાલ, ગાય ભેસ ભડકે તત્કાલ. હું કાં ન બીહું તો એહવા દેખિ કોમલ મારો જીવ વિસેસ. સખી કોશ્યાને ઉધ્ધોધન કરીને જણાવે છે કે – કહીસખિ પ્રીઉને કરિ મનોહાર વેસ બીભત્સ એ વેગિ ઉતારિ સ્થૂલિભદ્ર ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે સાધુવેશની નિંદાના સંદર્ભમાં કહે છે કે – નહીં બીભત્સ મુઝ વેસ, નાગર, તુ છે બિહામણિ આપ સંભાર શીલવંતાને બિહાવે નારિ પાડે નહિ રોલાવે સંસાર. ૮. અદ્ભુત રસ : કોશ્યા સખીને ઉદ્દેશીને કહે છે કે – “સખી લેઈ જારે તિહાં લેઈ જારે, જિહાં કણે સકટાલનો નંદ કોશ્યાનો આ વિચાર સાંભળીને સખી કહે છે કે – સ્થૂલિભદ્ર નવરસો ૮૯ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ સ્થૂલિભદ્રને તપથી પાડવાની તારી શક્તિ નથી. સ્થૂલિભદ્રના તપની તોલે કોઈ આવી શકે તેમ નથી. તારા પ્રયત્નોથી સ્થૂલિભદ્ર શીલવ્રતમાં અચળ રહ્યા છે. માટે અભિમાન છોડી દે. કવિ દષ્ટાંતોનો સંદર્ભ આપીને જણાવે છે કે - જો એહના તપે ઈંદ્રાસન ડોલે મુઝ નયણ બાણે તપ ભૂલે રે. માહરી ચાલે બ્રહ્મા ચૂકે શેષ નાગ મહીં મુકે રે. ઈમ કહી ચતુરા ચમક્તિી આવી મુનિ મન વચન ન બોલાવી રે. વિહાગ કે રસ આઠ મોહિલે ત્યાંત અભુત શીલે રે. કવિએ અભુત રસ માટે સ્થૂલિભદ્રના તપની સાથે કામિનીના કામણથી પતિત થયેલાનો દૃષ્ટાંત તરીકે ઉલ્લેખ કર્યો છે અને અદ્ભુત રસ તરીકે અર્થઘટન કર્યું છે. શાંતરસ કોશ્યાના જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે અને વ્રતધારી બને છે. તેની માહિતી પ્રાપ્ત થાય છે. આઠ રસના નિરૂપણમાં કોશ્યાના પાત્રનો વિવિધ રીતે પરિચય થાય છે તેના કરતાં કોઈ જુદો જ પરિચય શાંત રસમાં પ્રાપ્ત થાય છે. કોણ્યા યૂલિભદ્ર મુનિને ઉદ્દેશીને કહે છે કે – વિષય વિકારનાં વચન કરતાં ઘણા ખાયું તે ત્રિકરણ સુધ ધ્યાનનો વિગ્રહ તુમ્હને જે ૯૦ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ઠિઉ પારથ્થો ભોગ સંજોગ મુજને મુનિ જિરે મિચ્છા દુક્કડ તે તુમહં સુગુરુ સંજોગ. વળી કોશ્યા કહે છે કે તમે તો ભવસાગરમાં ડૂબતી એવી મને તારવા આવ્યા છો. આજ તે સફલ દિન મારો આજ હું હુઈ રે સનાથ” વિષયથી દુરગતિ પડતાં મુજને સહી તુમે દીધો રે હાથ તિણિ કારણ તમે પરમ દયા કરી આપો શીલ ઉપચાર. કોણ્યા શીલવ્રત અંગીકાર કરતાં તરૂણ, વૃદ્ધ અને બાળનો ત્યાગ કરે છે. રાજા જે પુરૂષને મોકલે તે સિવાય અન્ય બધાનો ત્યાગ કરે છે. “શીલ વ્રત આપી રે કીધી શ્રાવિકા ધન્ય ધૂલિભદ્ર અણગાર.” શાંતરસના સમાપ્તિ વચનમાં ઉપદેશનો પણ ઉલ્લેખ થયો છે. સાધુ સંગતિના ગુણ જાણી ઘણાં . સંગતિ કરો ગુણવંત. સાધુ સંગતિથી રે સમક્તિ પામિઈ વિષય તજી થઈ સત. સાધુની સંગતિથી જીવન ધન્ય બનાવનાર ચિલાતીપુત્ર, સંજયરાજા, પરદેશી રાજનો દષ્ટાંત તરીકે સંદર્ભ દર્શાવ્યો છે. ૧. પારશ્મા = પ્રાર્થના કરીને લીધાં. સ્થૂલિભદ્ર નવરસો For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ શાંતરસ એટલે કોશ્યાના હૃદય પરિવર્તનની સાથે સમતિ પામી શીલવ્રત ધારણ કર્યાનો આદર્શ ચરિતાર્થ થયો છે. કવિ રાગ અને દેશીઓના સમન્વયથી ગેય ગીત દ્વારા સ્થૂલિભદ્ર અને કોશ્યાના સંબંધનું ભાવવાહી નિરૂપણ માની “નવરસ” નામને સાર્થક કરતી કાવ્યરચના કરી છે. રસનિરૂપણ અંગેની કવિકલ્પના વિશિષ્ટ સિદ્ધિ દર્શાવે છે. નવરસો કાવ્યમાં આ કૃતિ પ્રથમ કક્ષાની છે. સ્થૂલિભદ્ર રાસ અથવા સંવાદ નવરસો નવરસોની રચનામાં કવિ ઉદયરત્નની કૃતિનો પરિચય આપવામાં આવ્યો છે. કવિ ઉદયરત્નની આ કૃતિને રાસ-સંવાદ અને નવરસો એમ ત્રણ શીર્ષક આપવામાં આવ્યાં છે. રાસ રમવો-ખેલવો એ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિ તરીકે મધ્યકાલીન સમયના જીવનનો એક ભાગ ગણાતો હતો. " વિષયની અભિવ્યક્તિની દૃષ્ટિએ વિચારતાં યૂલિભદ્ર અને કોણ્યા વચ્ચે જે વાર્તાલાપ થાય છે તેને સંવાદના અર્થમાં સમજવાનો છે. રાગ અને ત્યાગના પ્રસંગોની સાથે સંવાદનું તત્ત્વ મહત્ત્વનું બન્યું છે. નવરસો શીર્ષક રસિક અભિવ્યક્તિનો સંદર્ભ દર્શાવે છે. સ્થૂલિભદ્રનો ૧૨ વર્ષનો કોશ્યાને ત્યાં ભોગવિલાસનો સમય શૃંગારરસનું અનુપમ ઉદાહરણ છે. કોશ્યાના જીવનમાં પણ આ શૃંગારરસની અનેરી અનુભૂતિ થાય છે. સ્થૂલિભદ્ર રાજ ખટપટથી અલિપ્ત થઈને દીક્ષા અંગીકાર કરે છે. પછી કોશ્યાના વિરહની સ્થિતિનું વર્ણન કરૂણરસમાં હૃદયસ્પર્શી અને ભાવવાહી બન્યું છે. ગુરુ આજ્ઞાથી ચાતુર્માસ માટે સ્થૂલિભદ્ર કોશ્યાની ચિત્રશાળામાં રહે છે. કોશ્યા સંસારના ભોગ ભોગવવાની વિનંતી-પ્રલોભન-નાટક-હાવભાવ કરે છે. તેમાં પણ શૃંગારરસની જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ચરમસીમા નિહાળી શકાય છે. સ્થૂલિભદ્ર કોશ્યાના પ્રલોભનથી તમાં લીન રહે છે અને શીલવ્રતનો મહિમા દર્શાવતી વાણી દ્વારા કોશ્યાને વ્રતધારી શ્રાવિકા બનાવે છે. કોશ્યાનું હૃદય પરિવર્તન એ સ્થૂલિભદ્રની શાંતરસ અને વૈરાગ્યસભર દાંતમય વાણીનો પ્રભાવ છે. આ પ્રસંગે સંવાદનું નિરૂપણ કૃતિને આકર્ષક અને રસિક બનાવવામાં સફળ નીવડે છે. એટલે ઉપરોક્ત વિગતોના સંદર્ભમાં નવરસો નામથી સિદ્ધ થાય છે. સ્થૂલિભદ્ર નવરસો કૃતિ વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયના પુસ્તકાલયમાંથી પ્રાપ્ત થઈ છે. પ્રો. જશભાઈ કા. પટેલે આ હસ્તપ્રતનું સંશોધન કરીને પ્રગટ કરી છે. કવિએ આ રચના સં. ૧૭૫૯ના માગશર સુદ-૧૧ના રોજ ઉના ગામમાં કરી હતી. કૃતિનો આરંભ આઠ દુહાથી થયો છે. તેમાં મુખ્યત્વે પિતાની હત્યા થયા પછી શ્રીયક સ્થૂલિભદ્રને વેશ્યાને ત્યાં તેડવા આવે છે તેની માહિતી પ્રાપ્ત થાય છે. સુખસંપદાયક સદા, પાયક જાસ સુરિંદ. સાસણનાથ શીવગતિ, વાંદુવીર નિણંદ // ૧ / સેરીઉં બંધવ તિણ સમે, પામિ નૃપઆદેશ, સ્થૂલિભદ્રનિ તેડવા આવ્યો, મંદિર આવ્યો વેશ | ૭ | દુહા પછી સ્થૂલિભદ્ર અને કોશાના જીવનના વિવિધ પ્રસંગોનું ગેય દેશીઓ રસ-ભાવ યુક્ત વર્ણન કર્યું છે. મધ્યકાલીન સમયમાં વસ્તુવિભાજન માટે “ઢાળ' શબ્દ પ્રયોગ વિશેષરૂપે પ્રયોજાતો હતો. અહીં કવિએ “સ્વાધ્યાય' શબ્દ પ્રયોગ કરીને વસ્તુવિભાજનનું સૂચન કર્યું છે. કુલ આઠ સ્વાધ્યાય અને અંતે ઢાળ દ્વારા કાવ્ય પૂર્ણ થાય છે. ૧. સરીઉં બંધવ = શ્રીયકભાઈ સ્થૂલિભદ્ર નવરસો ૯૩ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સ્વાધ્યાયમાં સ્થૂલિભદ્રને રાજદરબારમાં જતો રોકવા માટે કોશ્યા પ્રયત્ન કરે છે તેનો ઉલ્લેખ થયો છે. કોશ્યાના શબ્દો છે. પ્રાણજીવન પાછું વાલો, શ્રીનંદરાયનું તેડું.” બીજા સ્વાધ્યાયમાં કોશાના વિરહની ભાવવાહી અભિવ્યક્તિ થઈ છે. પ્રકૃતિનો ઉલ્લેખ કરીને વિરહવેદનાને વધુ રોચક અને અસરકારક બનાવી છે. અહીં કરૂણા રસની સ્થિતિને સંદર્ભ પ્રાપ્ત થાય છે. કવિના શબ્દો છે. ઝરમર ઝરમર મેહુલો વરસિ ખલબલ વોકલા વાજિ. બાપીપડો પીઉ પીઉપોકાર, તિમિ તિમિ દિલડું દાઝીરે. વૈરીની પરિ એ વરસલો મૂનિ આવી લાગો આડો રે તનમન 'તિલપાપડ થયું મિલવા કોઈ પીઉં દેખાડો રે. આવ્યો આષાઢો માસ, નાવ્યો ધુતારો રે. મુહિ ઝૂર્યો વિરહભુજંગ કોઈ ઉતારો રે. કોશ્યાની આવી સ્થિતિ હતી ત્યારે સ્થૂલિભદ્ર મુનિવેશે ચોમાસું કરવા માટે પધારેલ છે અને કોશ્યા રંગમાં આવી જાય છે. ઉદયરત્ન કહે કોશ્યા રંગઈ મોતીડે વધાવ્યા રે.” સ્થૂલિભદ્રના આગમનથી હર્ષ પામીને કોશ્યા વિચારે છે કે હવે મારા મનના મનોરથ પૂર્ણ થશે. તે વિશેના વિચારો ત્રીજા સ્વાધ્યાયમાં પ્રગટ થાય છે. કવિના શબ્દો છે. “આજ માહરિ આંગણિ આંબો મોર્યો મુનિ પૂરવજ પ્રીત તૂઠોરે.” ચોથો સ્વાધ્યાય સંવાદના નમૂનારૂપ છે. કોશા ધૂલિભદ્રને મુનિવેશનો ત્યાગ કરી સંસારનાં સુખ ભોગવવા વિનંતી કરે છે પણ સ્થૂલિભદ્ર પોતાના સંયમ જીવનના વ્રતથી ચલિત થતા નથી તેનો ઉલ્લેખ થયો છે. કવિએ પ્રાસાદિક પંક્તિઓમાં કોશાના અંતરની અભિલાષા પ્રગટ કરવામાં ચિત્રાત્મક શૈલીનો પ્રયોગ કર્યો છે. ૧. બાપીપડો = બપૈયો પક્ષી ૨. તિલપાપડ = ઉતાવળું જ્ઞાનતીર્થની યાત્રા ૯૪ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ઠમકિ ઠમાકિ પાયબિછુયા ઠમકે રમઝમ ઘૂઘરા વાજઈ રે. ઝાંઝરડીની ઝમકારમાં વ્રતએ સઘલાં ભીંજઈ રે એક ચોમાસું ચિત્રશાલી ત્રીજે મેલ્યો ટપટપ ચૂપર ઘડિયાના ઉલાલામાંહિ વ્રતએ સઘલાં ભીંજઈરે. દ્રમ દ્રમ માદલનિ ધમકારે તાથઈ તાથઈ નાટિકછંદેરે. મુખના તે મરકલડામાંહિ કહો કુણ ન પડિ ફંદેરે. ઉપરોક્ત પંક્તિઓ દ્વારા કોશ્યાની ભોગ સુખની માગણીનો કવિએ લાક્ષણિક રીતે સંકેત કર્યો છે. હાવભાવ અને આંતરિક મનઃસ્થિતિનો પરિચય થાય છે. કાવ્ય કલાની દૃષ્ટિએ આ પંક્તિઓ કવિ પ્રતિભાનું દર્શન કરાવે છે. કોશ્યાની આ વાણીનો પ્રત્યુત્તર આપતા સ્થૂલિભદ્રના શબ્દો છે. ના ના ના ના હવે હું ન ચલું દેખી તાહારા ચાલારે” પાંચમા સ્વાધ્યાયમાં કોશ્યાની નાટકની યોજના ગાયન-વાદન અને નૃત્ય દ્વારા સ્થૂલિભદ્રને રીઝવવા પ્રસન્ન કરવાની માહિતી આપવામાં આવી છે. લલિત મંજુલ પંક્તિઓનું ઉદા. જોઈએ તો - પીઉં પીઉ પીઉ પીઉ ચાતુક બોલે કુહુ કુહુ કોકિલાટ હકિરે. ઘૂઘરડાના ધમકારામાં સાથેઈ સાથે) "તાન ન ચૂકિરે. ઝલહલ કાને ઝાલ ઝબૂકિરે. જપ માલાનિ જિપઈર. પાહનઈ વાલમ મોલો જીત્યો હારી સાલું અતિ દીપેરે. સ્થૂલિભદ્ર નવરસો ૫. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ તણિ મસ્તિમાંહિ ઘન વરસે. રંગની ચાલ્યા ચલોરે. લપસી પડ્યા જેહનું થયું વાધ્યા મનોરથ વેલારે. સ્થૂલિભદ્ર મુનિ કોશ્યાના નાટક-ગાન-નૃત્ય આદિ પ્રત્યે લેશમાત્ર દૃષ્ટિ કરતા નથી. કવિએ ધન્ય એ મુનિવર” શબ્દ પ્રયોગ દ્વારા એમના શીલવ્રતને બિરદાવ્યું છે. શૃંગારરસની વિશિષ્ટ પ્રકારની અભિવ્યક્તિથી પાંચમો સ્વાધ્યાય કવિ પ્રતિભાની સાથે કોશ્યા પાત્રની લાક્ષણિકતાનો પરિચય કરાવે છે. કોશ્યાના કામણથી અવિચલ રહેલા સ્થૂલિભદ્રનો વૈરાગ્ય ભાવનાની વાણી અનાસક્ત ભાવનું અનુસંધાન કરે છે. કોશ્યા અને સ્થૂલિભદ્રના ક્રમિક વિચારોમાં સંવાદનું તત્ત્વ રહેલું છે. આ સંવાદ ટૂંકો હોવા છતાં વેધક છે. સ્થૂલિભદ્રની વાણીનું ઉદા. જોઈએ તો - તું સાનિ કરઈ છિ ચાલારે, હું નહીં ચૂકું રે. મુનિ વાહલી લાગી છિ માલા રે, વરત ન મુકુરે. શશીહર જો અંગારે વરસે, તો સમુદ્ર મર્યાદા મૂકેરે. તો પણિ હું તારિ વસિ નાવું સુંદરી માનજે સાચું રે. સાતમા સ્વાધ્યાયમાં કોણ્યા સ્થૂલિભદ્રને ઉપાલંભરૂપે જણાવે છે કે બાર બાર વરસ સુધી લાડ લડાવ્યાં શા માટે ? નાગર કોમને મહેણું મારતાં કોશ્યા કહે છે કે – નાગર સહિજઈ નિરર્દેયિહોવિ મુંહથી બોલી મીઠુંરે. કાલજ માંહિથી કપટ ન ઊંડઈ તે પ્રત્યક્ષ દીઠું રે. ૧. ઉપાલંભ = ઠપકો ૨. નિરદય = નિર્દય જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ પછી કવિના શબ્દો છે - એહવો ઉલંભો કાને સુણીને, મુનિવર મન ન ડગયો રે. આઠમા સ્વાધ્યાયમાં સ્થૂલિભદ્રએ સંયમનારી સાથે લગ્ન કર્યા છે તેનો ઉલ્લેખ થયો છે. સંયમ-દીક્ષા સ્વીકારવા માટે સંયમવધુ શબ્દ પ્રયોગ પણ અન્ય કૃતિઓમાં થયો છે. કવિના શબ્દો છે – “મેં પરણી સંયમનારી રે, તુઝને વિસારી રે.” કાવ્યને અંતે ઢાળ રચનામાં નવરસોની કથાનું કથન શૈલીમાં સમાપન થયું છે. કોશ્યા પ્રતિબોધ પામી. ચાતુર્માસ પછી સ્થૂલિભદ્ર ગુરુ પાસે આવ્યા. ગુરુ મુખથી દુષ્કર, દુષ્કર જેવા શબ્દો સાંભળીને આદરપાત્ર થયા. કવિ જણાવે છે કે – પામી તે પ્રતિબોધ સુધુ સુધુ વ્રત ચોથું. સમઝીને મૂલ વ્રતબાર કોશ્યા કોશ્યા મુનિવર વચને દરેઈ રે નવરસો કાવ્યમાં કવિએ સ્થૂલિભદ્રના જીવનનો સંક્ષિપ્ત પરિચય કરાવ્યો છે. તેમાં યૂલિભદ્ર અને કોશાનો સંવાદ મહત્ત્વનો છે. વળી તેમાં શૃંગાર, કરૂણ અને શાંત રસની સૃષ્ટિ આકર્ષક બની છે. કવિની મધુર પદાવલીઓ, કલ્પના અને દષ્ટાંતોથી કવિ પ્રતિભાની સાથે ઉત્તમ કાવ્યકૃતિ તરીકે સ્થાન પ્રાપ્ત થાય તેવી ક્ષમતા ધરાવે છે. વર્ષાઋતુના સંદર્ભમાં કોશ્યાના વિરહની અભિવ્યક્તિ. કોશ્યાનું નૃત્ય-ગાયન અને હાવભાવના નિરૂપણથી કાવ્યમાં ચિત્રાત્મકતાનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. સમગ્ર રીતે જોતાં કૃતિ રસિક અને આસ્વાદ્ય બની છે. કથા પ્રચલિત છે પણ તેનું નિરૂપણ નવરસો નામને ચરિતાર્થ કરે છે. ૧. દરેઈ = આદરે છે. યૂલિભદ્ર નવરસો ૯૭. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ) અઢારમી સદીના ચોથા તબક્કામાં થયેલા ખરતરગચ્છની ક્ષેમશાખાની પરંપરામાં પૂ. દયાસિંહના શિષ્ય રામવિજય - અપરનામ રૂપચંદની શ્રી નેમિનાથજીના નવરસોની રચના નવ ઢાળમાં પ્રાસાદિક શૈલીમાં પ્રાપ્ત થાય છે. કવિએ કાવ્યને અનુરૂપ ગેયતા સિદ્ધ કરવા માટે “ગરબાની દેશીનો પ્રયોગ કરીને તેમનાથના જીવનના પ્રસંગોનું રસિક નિરૂપણ કર્યું છે. પ્રથમ ઢાળમાં નેમનાથની શૂરવીરતાનો ઉલ્લેખ થયો છે. શંખ અને સુદર્શન ચક્ર ચલાવવાનો સંદર્ભ દર્શાવ્યો છે. બીજી ઢાળમાં કૃષ્ણ અને ગોપીઓ નેમકુમારને પરણાવવા માટેનો પ્રસ્તાવ મુકે છે અને બાલ્યાવસ્થાની વીરતાની પ્રશંસા કરે છે. કવિએ ગોપીઓનો નામોલ્લેખ કરીને જેમકુમારને પરણવા માટે પ્રલોભન આપે છે તેનો ત્રીજી ઢાળમાં સંદર્ભ આપ્યો છે. કવિના શબ્દો છે – રાધાજીને રૂકમણી મોરા ગિરધારી સત્યભામા જાંબુવતી નાર, ૯૮ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ મુકુટ પર હું વારી, ચંદ્રાવતી શણગારીએ, મોરા ગિરધારી. ગોપી મળી બત્રીસ હજાર મુકુટ પર હું વારી || ૧ | વિવાહ માનો નેમજી, દેવર મોરાજી, મને કરવાના બહુ કોડ, એ ગુણ તોરાજી. નારી વિનાનું આંગણું, દેવર મોરાજી, જેમ અલુણ્ધાન, એ ગુણ તોરાજી || ૨ ચોથી ઢાળમાં ગોપીઓના વિવાહના પ્રસ્તાવનો પ્રત્યુત્તર દર્શાવ્યો છે. નેમ કહે તમે સાંભળો, મોરી ભાભીજી. એ કિશ્યો કામ વિકાર મેં ગત પામીજી. નારી મોહે જે પડ્યા, મોરી ભાભીજી. તે રડવડીયા ગતિચાર, મેં ગત પામીજી. // ૧ // રાવણ સરીખો રોળવ્યો, મારી ભાભીજી. જે લઈ ગયો સીતા નાર, મેં ગત પામીજી. નારી વિષની કુંપલડી, મારી ભાભીજી માયાની મોહન વેલ, મેં ગત પામીજી. / ૨ / રૂપચંદ રંગે મળ્યા, મોરી ભાભીજી નેમ નહીં પરણે નિરધાર, મેં ગત પામીજી. પાંચમી ઢાળમાં નેમકુમારના મૌનને વિવાહની સંમતિ માનીને લગ્નના પ્રસંગનું શૃંગાર રસસભર આલેખન થયું છે. શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ) ૯૯ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ગોપીઓ કહે છે કે ર૧ તીર્થકરોએ લગ્ન કર્યા હતાં. નારી રતનની ખાણ છે, નારીથી નર નીપજે વગેરે દ્વારા વિવાહનું સમર્થન કર્યું છે. લગ્નના વર્ણનની રસિક વાણીની નમૂનેદાર પંક્તિઓ જોઈએ તોલીધું લગ્ન ઉતાવળું, વરરાજાજી. આવ્યાં લીલાં શ્રીફળ હાથ, મ કરોદવાજાજી.. જમણ લાડુ લાપસી વરરાજાજી. વળી સેવઈયો કંસાર, મ કરોદવાજાજી આછી જલેબી પાતળી વરરાજાજી. વળી માંહે ગેવરનો ભાગ, મ કરોદવાજાજી. ખારી પુરી ને દહીંથરા, વરરાજાજી. વળી ખાજાં ને મગદલ, મ કરોદવાજાજી || ૫ | પ્રસંગોચિત પહેરામણી કરીને કુટુંબીઓને સંતોષવામાં આવ્યા. લગ્ન પ્રસંગે જાન નીકળે તેનું વર્ણન કરતાં કવિ જણાવે છે કેહાથી રથ શણગારીયા વરરાજાજી. વળી કેશરીયા અશ્વાર, સબળદીવાજાજી. ઈંદ્ર જોવાને આવીયા, દરરાજાજી. ઈંદ્રાણી ગાવે ગીત, સબળદીવાજાજી. ૯ છે. તોરણ આવ્યો નેમજી, વરરાજાજી તેને નીરખો રાજુલ નાર સબળદીવાજાજી. રૂપચંદ રંગે મળ્યા, વરરાજાજી. એ જોવા સરખી બાળ સબળદીવાજાજી. | ૧૦ || ૧. ગેવર = ઘેબર ૧૦૦ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી ઢાળમાં સખીઓ નેમનાથના કાળા શ્યામ રંગનો ઉલ્લેખ કરે છે ત્યારે રાજુલ જવાબ આપતાં કહે છે કે – અંજન, કસ્તુરી, આંખની કીકી, કૃષ્ણાગરૂ, કેશ વગેરે કાળા જ શોભા આપે છે. છઠ્ઠી ઢાળમાં સખીઓના શ્યામવર્ણવાળા નેમકુમારના ઉલ્લેખથી કરૂણા અને વિષાદનું બીજ રોપાયું છે. ત્યાર પછી સાતમી ઢાળમાં પશુઓના પોકારથી કરૂણાદ્રિ બનેલ નેમકુમાર રાજુલનો ત્યાગ કરીને ગઢગિરનાર જાય છે તે પ્રસંગનું કરૂણરસમાં નિરૂપણ થયું છે. પશુઅ પોકાર સુણી કરી શુદ્ધ લીધીજી. વિચારે શ્રી વીતરાગ તેણેદયા કીધીજી, જો પરણું તો પશુ મરે તેણે શુધ કીધીજી. મૂકી અનુકંપા જાળ તેણે દયા કીધીજી. / ૧ / રાજિમતી ધરણી ઢળ્યાં મોરા વ્હાલાજી. અવગુણ વિના દીનાનાથ હાથ ન ઝાલ્યોજી. આંગણ આવી પાછા વળ્યા મોરા વ્હાલાજી. ક્ષત્રિય કુળમાં લગાવી લાજ હાથ ન ઝાલ્યોજી | ૨ | નવમેં ભવે તમે નેમજી, મોરા વ્હાલાજી. મુજને કાં મેલી જાઓ હાથ ન ઝાલ્યોજી. મારી આશા અંબર જેવડી મારા વ્હાલાજી. તમે કેમ ઉપાડી કંથ હાથ ન ઝાલ્યોજી // ૩ / અન્ય કવિઓની કલ્પના સમાન પાણીમાં જાળ નાખી, આળચઢાવ્યાં, પંખીઓને પિંજરામાં પૂર્યા, સાધુને સંતાપ આપ્યો, બાળકને માતાથી અળગો કર્યો, અણગળ પાણી ભર્યા, કીડીનાં દરનો નાશ કર્યો, ગુરુને ગાળ દીધી વગેરેના ઉલ્લેખ દ્વારા રાજિમતી નેમજીના વિયોગનો વિચાર કરે છે. કવિએ દષ્ટાંતો દ્વારા રાજિમતીના શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ) ૧૦૧ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ વિરહની અભિવ્યક્તિ કરી છે. કર્મવાદની વિચારધારાને અંતે રાજુલા નેમજી પાસે આવીને સંયમ સ્વીકારી આરાધના દ્વારા મોક્ષગમન કરે છે. તે પ્રસંગથી કાવ્યપૂર્ણ થાય છે. કવિના શબ્દો છે - ઈમ કરતાં રાજુલ આવીયાં, મોરા હાલાજી. શ્રી નેમિશ્વરની પાસ, હાથ ન ઝાલ્યોજી, રૂપચંદ રંગે મળ્યા મારા વ્હાલાજી.. રાજુલ લીધો સંયમ ભાર, હાથ ન ઝાલ્યોજી. | ૭ | આજ્ઞા લઈ રાજુલ એકલી સાહેલડીયાં ગિરનાર ઉપર ગુફા માંહે જિનગુણ વેલડીયાં. વાટે જાતે વર્ષો થયો, સાહેલડીયાં. ભીંજાણા રાજુલનાં ચીર, જિનગુણ વેલડીયાં // ૧ // કવિએ રહનેમિના ભોગસુખની માહિતી દર્શાવી છે રાજુલના શબ્દો છે - સંયમરત્નને હારીયાં, સાહેલડીયાં. વળી કીધી વ્રતની ઘાત, જિનગુણ વેલડીયાં. રહનેમિ તવ બોલીયાં, સાહેલડીયાં માતા રાજિમતી ઉગાર, જિનગુણ વેલડીયાં // ૭ | પિયુ પહેલાં મુગતે ગયાં સાહેલડીધાં. રાજિમતી તેણીવાર, જિનગુણ વેલડીયાં. રૂપચંદ રંગે મળ્યા, સાહેલડીયાં. પ્રભુ ઉતારો ભવપાર, જિનગુણ વેલડીયાં | ૮ | “મધુરેણ સમાપયે”નાં ન્યાયે પરંપરાગત રીતે રાજુલની મુક્તિનો ઉલ્લેખ કરીને નવ-રસોની રચના પૂર્ણ થાય છે. ૧૦૨ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ કવિની અવનવી કલ્પનાઓ, પ્રવાહી શૈલીમાં રસિક નિરૂપણ, વીરકરૂણ, શાંત, શૃંગાર, ક્ષણિક બીભત્સ રસ વગેરેના સંદર્ભથી કવિ પ્રતિભાની સાથે નવરસ કાવ્યના શીર્ષકને ચરિતાર્થ કરે છે. તેમનાથ વિશે વિવિધ પ્રકારનાં કાવ્યો રચાયાં છે તેમાં શ્રોતાઓના કાન-હૃદય અને મનને સ્પર્શી અપૂર્વ ભાવભક્તિની અનુભૂતિ કરાવતી નવરસોની રચના અનુપમ કૃતિ તરીકે સ્થાન ધરાવે છે. ગરબાની દેશીનો પ્રયોગ અને પ્રત્યેક કડીમાં અત્યાનુપ્રાસની યોજનાથી કાવ્યગત ગેયતાથી સમગ્રની રસિકતામાં વૃદ્ધિ થવાની સાથે કાવ્યાનંદની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ બને છે. નેમિનાથ નવરસો (રંગસાગર-ફાગ) કાવ્યરચનામાં છંદ, રસ અને અલંકારનાં લક્ષણો મહત્ત્વનાં ગણાય છે. તેમાં રસનિરૂપણ કાવ્યમાં અંગભૂત લક્ષણ છે. સાહિત્યની સૃષ્ટિ નવરસની છે. જૈન સાહિત્યમાં રસનિરૂપણનું આધ્યાત્મિક અર્થઘટન કરવામાં આવ્યું છે. જૈન સાહિત્યના કાવ્યપ્રકારોનો અભ્યાસ કરતાં નવરસ-રસો નામથી નોમનાથ અને સ્થૂલિભદ્ર વિશેની કેટલીક રચનાઓ પ્રાપ્ત થાય છે. આ વિષયની કૃતિમાં નવરસો-રસ શબ્દપ્રયોગ નોંધપાત્ર બન્યો છે. તેનો એક અર્થ નવરસ (Nine) હાસ્ય-વીર-કરૂણ આદિ રસ પ્રયોંગવાળી રચના રસિક કાવ્ય રચના રસના પ્રયોગથી ભાવવાહી અને આકર્ષક રચના સમજાય છે. આ લેખમાં નેમનાથ ભગવાનના ચરિત્રના સંદર્ભમાં રચાયેલી નવરસો કૃતિની માહિતી આપવામાં આવી છે. કવિ રત્નમંડન ગણિકત નેમિનાથ નવરસ ફાગ (રંગસાગર ફાગ) સં. ૧૫૪૯ની હસ્તપ્રત પ્રાપ્ત થાય છે. જૈન ગૂર્જર કવિઓ ભા.-૧માં મો. દ. દેસાઈએ આ કૃતિનો સંક્ષિપ્ત પરિચય અગરચંદજી નાહટાના ભંડારની હસ્તપ્રતને આધારે આપવામાં આવ્યો છે. શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ) ૧૦૩ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ મોરબીના જ્ઞાન ભંડારમાંથી પ્રાપ્ત થયેલી હસ્તપ્રત વાંચીને મુનિ ધર્મવિજયજીએ જૈન કોન્ફરન્સ હેરોલ્ડના જુલાઈ-ઓગસ્ટ ઈ.સ. ૧૯૧૭ના અંકમાં પ્રકાશિત કરી હતી. પૂ. મુનિશ્રીએ હસ્તપ્રતને અંતે નોંધ કરતાં આ કૃતિનો સમય સોળમી સદીની આસપાસનો જણાવ્યો છે. આ હસ્તપ્રત તૈયાર કરીને રાજકોટમાં યોજાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પ્રસ્તુત કરવામાં આવી હતી. (તા. ૧૪-૧૦-૨૦૦૯) મુનિ ધર્મવિજયજીએ “રંગસાગર નેમિફાગ' એ શીર્ષક આપ્યું છે. કર્તા તરીકે સોમસુંદરસૂરિના નામનો ઉલ્લેખ કર્યો છે. કૃતિમાં કર્તાનો કોઈ ઉલ્લેખ થયો નથી. મો. દ. દેસાઈએ જૈન ગૂર્જર કવિઓ ભાગ-૧માં જણાવ્યા પ્રમાણે તેના કર્તા રત્નમંડન ગણિ છે. તેઓ સોમસુંદરસૂરિની પરંપરામાં મંદિરત્નના શિષ્ય હતા. એટલે કર્તા સોમસુંદરસૂરિ નહિ પણ રત્નમંડન ગણિ છે. આ નવરસ ફાગની ભાષા ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના મિશ્રણવાળી છે. પ્રથમ ખંડના મંગળાચરણમાં સંસ્કૃત શ્લોકનો પ્રયોગ કર્યો છે. 3ૐકાર પ્રણિધાય, પ્રાણિનાં ત્રાણુકારિણે તમાલ શ્યામલાં નાથ, શ્રી નેમિ સ્વામિને નમઃ કવિએ “રાસક' શબ્દ પ્રયોગથી વસ્તુ વિભાજન કરીને જનમન-રંજન હેતુ રચના કરી છે. એમ જણાવ્યું છે. આ વિચાર કૃતિના અંતે સંસ્કૃત વાક્ય દ્વારા પણ પ્રગટ થયો છે. સમર વિસારદ સકલ વિસારદ સારદમા પટદેવીરે ગાઈશું નેમિ જિણિંદ નિરંજન રંજન જગહું નમેવરે. કૃતિને અંતે શબ્દો છે ઇતિશ્રી નેમિનાથસ્ય નવરસો નિધન ભવિકજને રંજન ફાગ સમાપ્તમિતિ | ૧૦૪ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ “ફાગનો અર્થ વસંતમાં ગવાતું ગીત. ફાગણ અને વસંતનો ઉલ્લાસ હોળીના પર્વની ઉજવણીમાં ચરમસીમાએ પહોંચે છે. જૈન સાહિત્યમાં નેમનાથના ચરિત્ર દ્વારા ભૌતિક અને આધ્યાત્મિક આનંદની અનેરી અનુભૂતિ થાય તેવી રસિક રચનાને નવરસો નામ આપીને રસિકતા-રોમેન્ટિક ભાવનો અનુભવ થાય છે. વસંતમાં ફાગના ગાન સાથે યૌવનનો અવનવો રંગ પણ એકરૂપ બને છે. આ રચના ત્રણ ખંડમાં વિભાજિત થઈ છે. ખંડનું વસ્તુ સંસ્કૃત કાવ્ય, રાસક આંદોલ અને ફાગમાં વહેંચાયેલું છે. પ્રથમ ખંડમાં નેમનાથની બાલ્યાવસ્થા, બીજા ખંડમાં દ્વારિકાનગર અને તેમનાથના વિવાહ પ્રસંગ, ત્રીજા ખંડમાં વિવાહ વર્ણન, જાન રાજુલનો ત્યાગ, ગિરનારમાં દીક્ષા સ્વીકારી મુક્તિ પહોંચ્યા વગેરે પ્રસંગોનું વર્ણન છે. જૈન સાહિત્યમાં રસનું આધ્યાત્મિક અર્થઘટન વિચારીએ તો આ કૃતિનો સંદર્ભ નીચે પ્રમાણે છે. શૃંગાર રસ : જીવ કર્માનુસાર સંસારમાં પરિભ્રમણ કરે છે. ભવભ્રમણનું સંસાર સંબંધી નિરૂપણ એ શૃંગાર રસ છે. જેમકુમારને પરણવા માટેની ગોપીઓ સાથેની જળ કીડા, એમનું મંદ સ્મિત, લગ્નનો પ્રસંગ, જાન લઈને જવું વગેરે શૃંગાર રસના ઉદા. રૂપ છે. પ્રકૃતિ વર્ણન દ્વારા મદનનો ઉદ્દીપન વિભાવ રજૂ કર્યો છે. પૂરઈ પપદ ઉલટ કૂલિ ત્યાં વનખંડ, ત્રિભુવન મદન મહીપતિ દીપતિ અતિ પ્રચંડ / ર૯ | કવિએ રોમેન્ટિક શૈલીમાં નેમ વિવાહના પ્રસંગનું નિરૂપણ કરીને જીવનના રંગીન પ્રસંગનો પરિચય કરાવ્યો છે. નમૂનારૂપે નીચેની પંક્તિઓ નોંધવામાં આવી છે. શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ) ૧૦૫ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના જન્માભિષેક વિશે કવિના શબ્દો છે. આંદોલ જિન અભિષેકઈ રગિ, સોવનગર ઈંગિ સકલ સુરાસુરૂએ, ભાવિઈ ભાસુરૂ એ. સમુદ્રવિજય આવાસ, મૂકઈ જનની પાસિ, જાઈ સવે સુરવરૂએ, અંબરિ તરૂવરૂ એ. માણિક હીરઈ જડિઉં, સાર સોવન ધડિG, પઢિણિ પાલણઉએ, તસુ રલીઆમણઉ એ. માણિક રામકડાં, ઊપરિ કનકકડાં, હાંસરૂ આલીઈએ, તલઈ તલાઈએ. બાળવર્ણન : બાળવર્ણનં-રાસકઃ નેમિ કુંઅર અંગિ અવતરિકે યૌવન સોવન વિણ સિણગારરે, તવ મનિ મોહઈ સુરનર રમણી રમણી રમણીયરૂપ ભંડાર. બ્રહ્મારઈ કરતાં નવલું એ સામેલવન મછવતનું હું અનંગરે, નીલ કમલદલ તોલિસૂ આલિમ કાલિમ ગુણધર અંગરે યૌવન વર્ણન: આંદોલ રમતિ કરતા રંગિ, ચડઈ ગોવર્ધ્વન ઈંગિ ગૂજરિ ગોવાલણીએ, ગાઈ ગોપીસિ૬ મિલીએ. કાલી નાગ જલે અંતરાલિ, કોમલ કમલિની નાલિ નાખિ નારાયણિએ, રમતિ પરાયણીએ. ૧૦૬ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ કિંસ માલા ખાડઈ વીર, પહુતા સાહસવીર, બહૂ વાઇ બાકરીએ, બલવંતા બાહિ કરીએ, બલભદ્ર બલિઆ સાર, મારિઉ મૌષ્ટિક માલ, કૃષ્ણિ બલ પૂરિઉએ, ચાણૂર ચારિઉ એ નેમિકુમારને ગોપીઓ પરણવા માટે પ્રેરણા કરે છે. ઈણિ વયનિ અમી સરિષઈ એ હરિષઇએ સીષવઈ રાય; બત્રીસ સહસ અંતેઉરી નેઉરી નિરૂપમ પાય. કામિની જનમનો માહગ સોહગ સુંદર દેહ; નેમિ મનાવિલે રમણીય રમણી પરિણવઉ એહ. રાસક અવસરિ અવતરિ રતિ મધુ માધુ માધવી માધવી પરિમલ પૂરીરે; કુસુમ આયુધ લેઈ વનસ્પતી સવિરહી વિરહી ઊપરિ સૂરીરે. મદન રણગિગિ સારથિ પરિમલ ભરિ મલયાનિલે વાઇરે; સુભટિ કિ મધુકર કરઈ કોલાહલ કાહલ કોકિલ વાઈરે રાસક વસંત ખેલણિ લેઈ સાથિઈ દેવર, દેવર મણિસમ ગોરી રે; પહુતલી ગિરિનાર ગિરિ અંબાવનિ બાવનિ ચંદનિ ગોરી રે. અનંગ જંગમ નગરા બહુવિધ પરિ પરિણેવા મનાવણી હારી રે; લલાટ ઘટિત ધનપીયલ કુંકમા કુમર રમાડે નારી રે. અઢઇઆ વન ખંડન મંડન અખંડ ખડો ખલી, મલયાનિલ પાડિત જલ ઉકલી; ઉકલી ચતુર દુઆરિ તુ, ધન ધન તેહ જલિ વિલસતઇં, સવિ અલરેસરિ, વિચલિત કાજલ કુંકુમ કેસરિ; તસરિ સીહરિ નારિ તુ, ... ધન ધન ૧. બાકરી = પ્રતિજ્ઞા ૨. મલયાનિલ = મલયાચલનો પવન શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ) ૧૦૭ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ઝગમગ ઝગમગ ઝાલિ ઝબૂકઈ, રિમ ઝિમિ રિમ ઝિમિ ઝંઝર ઝણકઈં; ઝીલઈ ઝાઝાં નીરિ તુ, . ધન ધન સુરભિ સલિલ ભરી સોવન સીંગી, કેસવ સુંદર સકલ સુરંગી, સીંચઈ નેમિ સરીરતુ, ... ધન ધન ઈણ પરિ વિવિધ વિલાસે રમણી, નેમિ કુમર મનિ અચિલ જાણીય, પાણીય રમલિ મઝારિતુ વાનિ જિસી હુઈ ચંપકની ફુલી, રૂપિ કરતી અપછર નીકલી, લગ્નના પ્રસંગની એક ઝલક જોઈએ તો - લહકઈ કુંડલ કાનિ, પ્રાચિ રવિ મંડન માનિ, મુકુટ મનોહરૂએ, સિરિ સોભાકરૂ એ. નિવટિ તિલક વિશેષા, નયણે કાજલ રેખા, વદનિ તંબોલૂએ, પગ ટૂંકું રોલૂએ. ઉરવરિ નવસર હાર, નવ જલધર જિમધાર, મણિ રૂચિ પીયલીએ, વિચિ વિચિ વીજલીએ. મુદ્રકી મંડિત પાણિ, વીરવલય ભુજ ઠાણિ, - બાંહડી બહિરખાઓ, ઝલકે બિહુપખાએ. – શૃંગારવર્ણન ઈમ સિણગારી સારી એ નારીએ નેમિકમાર; આગલિ મણિ આરીસઈ એ દીસઈએ સોહગસાર ભાષા બાવનિ ચંદનિ ગૃહલીરે, ઊપરિ ચકિનવેરારે, મણિક મોતી કેરોરે, માંડિલ સોવન માટે સુંદરૂએ, ૧. પ્રાચિ = પૂર્વદિશા ૧૦૮ જ્ઞાનતીર્થની યાત્રા RUINE For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ તે ઊપરિ હરષિ થાપીઈ માંડી મનિ ઊમાહોરે થાલ મણિમય સાહી રે મોતીડે (વ) ધાવઇ કુંઅરૂએ. ભદ્ર જાલિક ધતલ મયગિલિ સિવારે કુંઅરૂએ; સોભાગ સુંદરૂએ, ચડિઉ જિસિઉ હુઈ પુરંદરૂએ, બહિનિ બાલા પૂઠિ બઈઠી, લીલા લૂણ ઊતરઈર, દૃષ્ટિ દોષ નિવારઈ, ઉપરિ ધરિઉ મેધાડંબરૂએ રાસક મૃદંગ ભુગલ ભેરિ બુરંગ ગંભીર સર, સરણાઈ નીસાણ વાજંતિરે, દડદડી દસામાં દેવ દુંદુભિ મહારવિ રવિરથ તુરીય ત્રાસંતિરે. પાલખી તુરીયરથ ગયંદ આડબરિ, અંબરિ અમર નિહાલીરે, છત્ર ધજા અલંબસી કિરિવા મરધર સધર જાન શિવ ચાલીરે. રાજુલના વિરહની અભિવ્યક્તિ દર્શાવતી પંક્તિઓ.... તોરણ પહુતી જાન, માગત દીજઈ દાન; વાજિત્ર વાજઇ એ, અંબરિ ગાજઇએ, બઈઠી રયણ ગવાક્ષિ, ચતુર ચક્તિ હરિણાલિ, હરસિ રાજીમતીએ, નેમિ નેમિ નિહાલતીએ. રહિઉ તોરણ બારિ, સુણીય પર્ય પોકારિ પશુઅ મેલ્હાવિઆએ, ભય ભરતાવિઆએ, મયગલ વાલી નેમિ, પહુત નિજ ધરી ખેમિ, રાજલિ હલવલીએ, તવ મહયલિ ઢલીએ. ફાગ વિણે કરશું સખી જન વિજનરાલ જયંતિ; ઉપરિ તાપ નિકંદન ચંદન રસિ વિરસંતિ શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ) ૧૦૯ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ચેતન પ્રામીય રાજલિ કાજલિ કલુષિત દૃષ્ટિ વિલપતિ વિરહ દેખાડતી, પાડતી (પાડતી) આંસુઅ વૃષ્ટિ ૧૧૦ પીડð કાઈં બાપીયડા, પ્રીયડા વિરહ વિષાદિ; પ્રાણ હરે મોરડા મધુર નિનાદિ. રડð ય પડŪ લોટઇં એ મોટઇ એ કંકણ ફાર; ગમઇં ય નહીં અંગિને ઉર કે ઉરિ ઉરિહાર. રાજલિ વિરહð પૂરિઅ અવર કુમાર; નેમિ નિરંતર સમરતિ સમર્પિત પતિ ગુણ સાર. દાન સંવત્સર દેઇય લેઇય સંયમ ભાર; નેમિ કરŪ પણિ તે સવિ દેસ વિદેસ વિહાર. નેમનાથ ભગવાનનું અપૂર્વ સૌંદર્યયુક્ત નિરૂપણ કરતી પંક્તિઓ... પ્રથમ અશોક વિશાલ, ફૂલ પગરકુમાલ; નાદ મનોહરૂએ, ચંચલ ચામરૂએ. હેમ સિંહાસણ અંત, ભામંડલ ઝલકંત; દુંદુભિ અંબરીએ, ત્રિણિ છત્ર ઊતરીએ. ઇમ પ્રાતિહારિજ આઠ, કરમ જિતોનગુપાઠ; રચŪ પુરંદરૂએ, ભૂરિ ભગતિધરૂએ, પાલીય જિનવર પાસિ, સંયમ મન ઉલ્લાસિ; સિવ પુરિ પુહૂતીએ, રાજમતી એ સતીએ. ફાગ ધવલ આસાઢની આઠમ નાઠમહા ભય તારી; નેમિ જિણેસર સિવપુર બપુરિ ગયુ ગિરિનારિ. For Personal & Private Use Only જ્ઞાનતીર્થની યાત્રા Page #152 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન સાહિત્યમાં માત્ર ત્યાગ અને વૈરાગ્યની ભાવનાના નિરૂપણ સાથે પ્રકૃતિ અને પ્રણયના પ્રસંગોનું વર્ણન રસ-ભાવઅલંકાર અને છંદ વગેરેના પ્રયોગથી ઊંચી કવિ પ્રતિભાનું દર્શન કરાવે છે. કવિ રત્નમંડન ગણિની ૧૬મી સદીના મધ્યભાગની રંગસાગર નેમિફાગ ઉપરોક્ત માહિતીના દષ્ટાંતરૂપે પ્રગટ કરવામાં આવ્યો છે. કવિએ શૃંગાર-કરૂણા-શાંત-વીર અને અદ્ભૂત રસના પ્રયોગથી નેમનાથના જીવન પ્રસંગોનું વર્ણન કર્યું છે. તેમાં પ્રકૃતિ નિરૂપણ દ્વારા ઉદીપન વિભાવનો પ્રયોગ નોંધપાત્ર છે. કવિએ વસ્તુવિભાજનમાં ‘રાસક' અને ‘ફાગ’ના પ્રયોગ દ્વારા રાસ રમવાની-ખેલવાની ફાગ રમવાની સામાજિક પ્રણાલિકાનો સંદર્ભ દર્શાવ્યો છે. શ્રી કૃષ્ણની રાસલીલા સુવિદિત છે. જૈન સાહિત્યમાં વિપુલ પ્રમાણમાં રાસાયો રચાયા છે. તેમાં રાસ-ફાગુ કે ફાગ સંજ્ઞાવાળી કૃતિઓ ધાર્મિક પ્રસંગોએ નૃત્ય અને સમૂહગાન દ્વારા ધર્મભાવનાની અભિવ્યક્તિની સાથે જીવનનો અપૂર્વ આનંદ વ્યક્ત કરે છે. તેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. કવિની કલ્પનાઓ પણ કૃતિને કાવ્ય તરીકે સફળ બનાવવામાં સફળ નીવડી છે. લલિત મંજુલ પદાવલીઓ દ્વારા અભિવ્યક્તિ કરીને કાવ્યરચના ભાવવાહી બની છે. ૧૬મી સદીની ગુજરાતી ભાષાનો લાક્ષણિક પરિચય થાય છે. કેટલાક શબ્દોની પુનરૂક્તિ અને પ્રાસ રચના પણ કાવ્યગત વિચાર કે ભાવને વ્યક્ત કરવામાં સફળ બની છે. “વાજઇ વાજિંત્ર હુઈ અમર માનવ રંગનવરંગ નારિ ગાઈ ઉબેરે.” “રમતિ કરંતા રિંગ, ચડઈ ગોવર્ધનગિ, ગૂર્જર ગોવાલણીએ, ગાઈ ગોપીસિઉ મિલીએ.” શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ) For Personal & Private Use Only ૧૧૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ “વનિ વનિ કુસુમ રોમ રોમાકર ફુલફલ ધરઈ અપાર.” “ત્રિભુવની મદ મહાપતિ દીપતિ અતિ પ્રચંડ.” “કુમર રમાડઈ નારિ હીંડાજર હીંચણહારી. ઉદ્ઘગિ બUસારી એ સંચરિ સિંગરીએ.” “વન ખંડન મંડન અખંડ ખડો ખલી મલયાનિલ પીડિત જલઉકલી.” “ગાજંતિ ગજ ગેલિ ગંજનગતિ ગોરી ગુણે આગલી લહકઈ કુંડળ કાનિ સસિરવિમંડલ માનિ મુકુટ મનોહાર એ શિર શોભા કરૂએ.” ઉપરોક્ત પંક્તિઓ દ્વારા કવિ પ્રતિભાની સાથે કૃતિના પ્રસંગોનો પણ લાક્ષણિક પરિચય થાય છે. સમગ્ર રચના ભાવવાહી, હૃદયસ્પર્શી અને સર્વ રીતે આસ્વાદ્ય બની છે. શ્રી નેમિનાથનું સ્તવન - નવરસો ૧૧મી સદીના પ્રતિભાશાળી કવિ રૂષભદાસની રચનાને સ્તવન-નવરસો એવી સંજ્ઞા આપવામાં આવી છે. નવરસોનો શબ્દ કાવ્યની રસિક્તા અને રસ વૈવિધ્યનું સુચન કરે છે. કવિએ મધ્યકાલીન કાવ્ય પરંપરાનુસાર સરસ્વતી વંદના, ઢાળમાં વસ્તુવિભાજન, દેશીઓનો પ્રયોગ અને અંતે કળશ રચના દ્વારા રચના સમય અને ગુરુ-કવિનો ઉલ્લેખ કર્યો છે. આ રચનાનું વસ્તુ પાંચ ઢાળમાં વિભાજિત થયું છે તેમાં નેમનાથના જીવનના પ્રસંગોનું રસિક વાણીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. કાવ્યની મહત્ત્વની વિગતોનો કવિના શબ્દોમાં પરિચય ૧૧૨ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ નીચે પ્રમાણે છે. સરસ્વતી વંદનાથી આરંભી અને વસ્તુ નિર્દેશની પંક્તિઓ જોઈએ તો - સરસતી સામિણી પાય નમુંજી, ગાયશું નેમિ નિણંદ. સમુદ્ર વિજય કુળ ઉપનોજી, પ્રગટયો પૂનમચંદ.” બાલ્યાવસ્થામાં નેમિકુમારે સુદર્શન ચક્ર ચલાવ્યું અને શંખ ફૂંક્યો ત્યાંથી કૃતિનો આરંભ થયો છે. આ પ્રસંગનું નિરૂપણ અદ્ભુત રસના ઉદાહરણ રૂપ છે. અનંત શક્તિનો બાલ્યાવસ્થામાં સુદર્શન ચક્ર ચલાવવામાં - શંખ ફૂંકવામાં પરિચય થાય છે. બીજી ઢાળમાં નેમકુમારને પરણાવવા માટે ગોપીઓ પ્રલોભન આપે છે તેનું વર્ણન મહત્ત્વનું છે. આ પ્રસંગમાં શૃંગારરસ કેન્દ્ર સ્થાને છે. મોહનીય કર્મના ઉદયથી વિવાહના પ્રસંગનું નિમિત્ત પ્રાપ્ત થયું હતું. નમૂનારૂપે પંક્તિઓ જોઈએ તો નેમ તણો ઈમ ઝાલીહાથ, હાસ્ય, વિનોદ કરતી નેમ સાથ. સોવન સિંગી નીરે ભરિ. છાંટે નેમકુમારને ફીરી ૨ | એક મુખ નેમકુમારનું છુએ, વદન એક ચીર લઈ લુછે. દેવર મારા સુંદર સાર, પરણો નારી નેમકુમાર || ૩ | નેમકુમારના વિવાહના પ્રલોભનનું નિરૂપણ અન્ય કૃતિઓમાં પણ પરંપરાગત રીતે જોવા મળે છે. ગોપીઓની શૃંગાર લીલાના પ્રત્યુત્તર રૂપે નેમકુમારનાં ઉપદેશવચન નોંધપાત્ર છે. શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ) ૧૧૩ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ નેમ કહે સુણો ભાભી વાત, એ પ્રીછું હું સવિ અવદાત. નારી મોહે જે નર પડ્યા, સવિ નર કે તે રડવડયા | ૬ || ભોગ કરતાં હિંસા બહુ, નરનારી તમે સુણજો સહુ. બે ઇંદ્રિ પંચેદ્રિ જેહ, નવ નવ લાખ કહીને તેહ મનુષ્ય અસંખ્ય સમૃછિમ જાણો, ભોગ કરતાં તેહની હાણ. / ૧૪ . નેમકુમારની પાસે ગોપી અને કૃષ્ણ આવે છે. વિવાહ માટે સમજાવે છે પણ નેમકુમાર મૌન રાખે છે. આ મૌનને સંમતિ સૂચક માનીને નેમકુમારના વિવાહનો પ્રસંગ યોજાય છે. ઈસ્યા વચન કહે હરિની નારી. પાસે ઉભા દેવ મુરારિ. નેમ ન બોલ્યા મુખથી ફરી, માન્યું માન્યું કહે સુંદરી. | ર૭ || નેમકુમારના લગ્ન પ્રસંગનું શૃંગારરસમાં પરંપરાગત નિરૂપણ થયું છે. પ્રસંગને અનુરૂપ કવિઓએ રસિકતાનો પરિચય કરાવ્યો છે. સ્વજન કુટુંબ સંતોષાય, મન. નેમ વધારયો વાન મન લાલ ખૂંપ ભર્યો શીર શોભલો, મન. મુખ ચાવે બહુપાન લાલ. કાને કુંડળ રયણમઈ, મન. કમર બાંધીરે કમાય લાલ. ચીર પીતાંબર પામરી, મન. કંઠે કુસુમનો હાર. લાલ. ૧૧૪ શાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ છપ્પન કોટિ જાદવ મળ્યા, મન. ચાલી જિનવર જાન. લાલ ઢોલ દદામા ગડગડે,મન. પંચ શબ્દ તિહાંસાર. લાલ કવિએ ચિત્રાત્મક શૈલીમાં નેમકુમારના લગ્નની માહિતી આપી છે. ચોથી ઢાળમાં શૃંગારરસ પછી કરૂણરસની અનુભૂતિ થાય છે. નિર્દોષ પશુઓના પોકાર સાંભળીને નેમકુમાર કરૂણાસભર બની લગ્નને માંડવેથી ગઢ ગિરનાર પહોંચી જાય છે. કવિના શબ્દો છે. જો પરણું તો પશુ હણાય, મુજ અનુકંપાનાઠી જાય. ભોગ ભોગવી કુણ દુઃખીયા થાય, નેમરથ ફેરી જાય. રાજિમતીના વિલાપનું વર્ણન કરૂણરસથી સમૃદ્ધ બન્યું છે. કવિ જણાવે છે કે – રાજિમતીનો પુંઠે જાય, નેમ વિના દુઃખ સઘલો થાય. કહેકંથ મુજ અવગુણી, નીર વિના કિમ રહે પોયણી / ૧ / અષ્ટ ભવંતર આગે નેહ, તો કિમ આપે હમણાં છે. સ્વામી કઠિન હૃદય મમ કરો, પરણવાને પાછા વળો. / ૨ // રાજિમતી કર્મવાદના સંદર્ભમાં વિલાપ કરતાં જણાવે છે કે – કે મેં જળમાં નાખ્યા જળ, કે મેં માય વિછોડી બાળ, કે મેં સતીને ચઢાવ્યાં આળ, કે મેં ભાખી વિરઈ ગાલ. ll૪ો. કવિએ કરૂણરસ પછી રાજિમતીના હૃદયપરિવર્તનનો પ્રસંગ શાંતરસમાં દર્શાવ્યો છે. રાજિમતી નેમનાથ પાસે દીક્ષા અંગીકાર કરીને આત્માનું કલ્યાણ કરે છે. રાજેમતી વૈરાગીણી થઈ, હારદોર તિહાં છોડે સહી. કંકણ, ચુડી અળગી ઠવી, લઈ સંયમને હુઈ સાધવી | ૭ શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ) ૧૧૫ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ કવિએ રહનેમિના ભોગ-સુખની માગસ્ત્રીનો પ્રસંગ ટૂંકમાં જણાવ્યો છે. અહીં શૃંગાર રસની અનુભૂતિ થાય છે. પ્રગટ થઈ નર બોલ્યા યલિ, ભાભી દુ:ખ ન ધરસ્યો રતિ. નેમ ગયો તો મુજને વરો, કામ ભોગ મુજ સાથે કરો. ૧૦ના અંગવિભૂષણ સવિ આદરો, નગર અમારે પાછા ફરો. તુમ કારણ હું મુંડું જોગ, જો તું મુજશું વિલયે ભોગ. ૧૧ રહનેમિના ભોગ-સુખની માગણીનો પ્રતિકાર કરતાં રાજુલનાં ઉપદેશ રહનેમિને સંયમમાં સ્થિર કરે છે. કવિના શબ્દો છે – રાજુલ કહે સુણ મૂઢ મત આણ, પશ્ચિમ દિશિ જો ઉગે ભાણ, ચંદ્ર થકી વરસે અંધારું, તો યે ન વાંછું તુજ ભરથાર. પર્વત પાણી પાછાં ચઢે, કાયર શૂરા ઉદ્યમ ...... પાપ કરીને પાપે લીલ, તો યે ન ખંડું મારું શીલ. વમી વસ્તુને શું આદરે, વિષય કાજે કાં દુર્ગતિ ફરે. ૧૫ | રહનેમિ મન ઝાંખો થયો, હે હે વચન કિયાં મેં કહ્યાં. ઉતમ કુળની ન રહી રાજ ધિર્ ધિર્ તુરે વિરૂચા કાજ. ૧૬ll કવિએ રાજિમતીના મોક્ષના પ્રસંગની માહિતી આપતાં જણાવ્યું છે કે – રાજિમતી તિહાં બહુ તપ તપે, અરિહંતનામ હૃદયમાં જપે. ને તારી ઘરની નાર, રાજુલ મૂકી મુગતિ મોજાર. ૧૮ ઢાળબદ્ધ કાવ્ય રચનાઓમાં અંતે “કળશ” દ્વારા રચના સમય, ગુરુ પરંપરા અને કવિના નામનો ઉલ્લેખ થાય છે. સંવત સોલ શત સાડે, સંઘ સહુ સાંભળો રે. પોસ માસ સુદ બીજ શુક્લ, થંભ નગર માંહે જિન થપ્પો રે. ૧૧૬ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છ મુનિવર સકલ સૂરિવર વિજયસેન સુરિસરો. તસ તણો શ્રાવક રૂષભ બોલે. થયો નેમિ જિનેસરો. કવિની કલ્પના વૈભવ, શૃંગાર, કરૂણ અને શાંત રસની મંજુલ પદાવલીઓ દ્વારા તેમનાથ નવરસ સ્તવનની રચના આસ્વાદ્ય બની છે. શ્રી નેમિનાથજીનો નવરસો (મુનિ રૂપચંદ) ૧૧૭ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ હેમ નવરસો નવરસો સંજ્ઞાવાચક કૃતિઓ વિશેષતઃ નેમનાથ ભગવાન અને સ્થૂલિભદ્રના પ્રસંગોને કેન્દ્રમાં રાખીને રચાઈ છે. તેમાંથી મતવાળા ભીખમજીની પરંપરામાં રાયચંદજીના શિષ્ય જીતમલે હેમ નવરસોની રચના સંવત ૧૮૬૦માં કરી છે. આ કૃતિ ચરિત્રાત્મક છે એટલે શબ્દાર્થથી વિચારતાં સાહિત્યની નવરસોનો કોઈ સંદર્ભનથી. પણ જૈન સાહિત્યના ચરિત્રાત્મક કૃતિઓનું જ અનુસરણ થયું છે. વિવાહલો સ્વરૂપની કેટલીક કૃતિઓમાં દીક્ષા પ્રસંગનું વર્ણન હોય છે. તેવી રીતે આ નવરસોમાં હેમકુમારના જન્મથી દીક્ષા-આરાધના અને સ્વર્ગારોહણના વિવિધ પ્રસંગોનું હિન્દી ભાષામાં નિરૂપણ થયું છે. જૈને વિશ્વભારતી - લાડનૂ (રાજ.)થી જિતમલ લિખિત હેમ નવરસોની કૃતિ પ્રાપ્ત થઈ છે. હેમ નવરસોની હસ્તપ્રતનું લિપિકરણ કરીને તેનું સંપાદનકાર્ય શ્રુતપ્રેમી શ્રી મહાલચન્દ્ર બધેઈએ કર્યું છે. ત્યાર પછી ઓસવાલ પ્રેસ, કલકત્તા ૭ થી તેનું પ્રકાશન વીર નિર્વાણ સં. ૨૪૮૭ના રોજ થયું છે. કવિએ નવ ઢાળમાં હેમકુમારના જીવનનું વર્ણન કર્યું છે. નવમી ઢાળમાં રચનાનો ઉદ્દેશ - સમય - સ્થળ અને કવિનું નામ વગેરે વિગતોનો ઉલ્લેખ થયો છે. જ્ઞાનતીર્થની યાત્રા ૧૧૮ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ હેમ નવરસો જોડિયો હો, અધિકો ઓછો કહ્યો હવે કયિ ! વલિ વિરુદ્ધ વચન આયો હવે હો, મિચ્છામી દુક્કડમ મયિ હેમ તણા ગુણ ઓલખી હો, ગાવે તેમ વિલાસ / ભણે ગુણે સુણે સાંભલે હો, તે પામે વિશ્વાસ છે. સંવત ઓગણીસે પાંચે સમે હો, સાવણ વદિ અગ્યારસ બુધવાર હેમ વિલાસ જોયો ભલો હો, ઉદિયાપુર શહર મઝાર | નવમી ઢાલ વિષે કહ્યો હો, હેમ પંડિત મરણ સારા જયજશ આંનદ ગુણ નીલો હો, સુખ સંપતિ દાતાર || (ગા. ૧૧૫ થી ૧૧૯) નવરસોનો અર્થ અભિનવ-નૂતન-નવીન એવું પ્રેરણાદાયી સાધુ ચરિત્ર એમ અર્થઘટન કરવામાં આવ્યું છે. ચતુર્વિધ સંઘને માટે સાધુ ભગવંત દેવ અને ધર્મનું સ્વરૂપ સમજાવીને લોકોને સન્માર્ગ તરફ દોરવાનું પુણ્ય કાર્ય કરે છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિના જીવનનો રસ છે. તેમાંય સાધુ ભગવંતનું જીવન ત્યાગ – વૈરાગ્ય અને શાસન પ્રભાવનાનાં કાર્યોથી પ્રભાવશાળી ગણાય છે એટલે “હેમ નવરસો'ની રચના આ દૃષ્ટિથી રસિક કૃતિ ગણાય છે. હેમકુમારના જીવનના વિવિધ પ્રસંગોની સંક્ષિપ્ત માહિતી નીચે પ્રમાણે છે. સંદર્ભ : જૈન ગૂર્જર કવિઓ ભાગ-૬ (પા. ૩૨૦) કવિ તિમલજીએ સ્તવન ચોવીશી, ભગવતી સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિક સૂત્ર - એમ ત્રણ આગમના વિચારોની ઢાળબદ્ધ રચના કરી છે. પ્રશ્નોત્તર તત્વબોધમાં પ્રશ્નોત્તર શૈલી દ્વારા તાત્વિક વિચારોની સ્પષ્ટતા કરી છે. શ્રાવકા રાધના, સાધુ ચરિત સ્વરૂપે ભિક્ષુ જસરસાયન, દીપજય, જય જસ વગેરે કૃતિઓ પ્રગટ થઈ છે. હેમ નવરસો ૧૧૯ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ હેમ નવરસો (પરિચય) જૈન સાહિત્યમાં ચરિત્રાત્મક કૃતિઓ ગદ્ય-પદ્ય વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. હેમ નવસરો પ્રથમ દૃષ્ટિએ સાહિત્યના નવરસની કૃતિ હોય એમ અર્થ થાય પણ આ કૃતિમાં જીવનચરિત્ર - જીવનરસનું ભાવવાહી નિરૂપણ થયું છે. શ્રી હેમઋષિના જીવનનો એટલે સાધુ ચરિત્ર મહાત્માનો પરિચય થાય છે. નવઢાળમાં હેમઋષિના જીવનના વિવિધ પ્રસંગોનું નિરૂપણ થયું છે. એટલે નવ (ઢાળ-૯)રસો (રસિક) નામકરણ થયું હોય એમ અર્થઘટન કરવામાં આવે છે. વ્યક્તિને વ્યક્તિના જીવનમાં રસ છે. આ “જીવનરસની અનુભૂતિ એટલે હેમ નવરસો. આ રચના ચરિત્રાત્મક છે. તેમાં જન્મથી સ્વર્ગારોહણ (સંથારો) સુધીના પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્થાનકવાસી મતવાળા આ ઋષિનું જીવન એક મહાત્મા તરીકે પ્રેરણાદાયી છે. જૈન વિશ્વભારતી (યુનિવર્સિટી) લાડનૂ (રાજસ્થાન)ના સૌજન્યથી હેમ નવરસોની ઝેરોક્ષ-નકલ પ્રાપ્ત થઈ હતી તે ઉપરથી આ નોંધ તૈયાર કરવામાં આવી છે. મૂળ હસ્તપ્રતનું સંશોધન-સંપાદન કાર્ય મહાલચંદ બધેઇએ વીર નિર્વાણ સંવત ૨૪૫૭માં કર્યું હતું. હેમ નવરસો જડિયો હો, અધિકો ઓછો કહ્યો હવે કયિ ! વલિ વિરુદ્ધ વચન આયો હવે હો, મિચ્છામી દુક્કડમ મયિ || હેમ તણા ગુણ ઓલખી હો, ગાવે તેમ વિલાસ / ભણે ગુણે સુણે સાંભલે હો, તે પામે વિશ્વાસ છે ૧૨૦ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ સંવત ઓગણીસે પાંચે સમે હો, સાવણ વદિ અગ્યારસ બુધવાર હેમ વિલાસ જોયો ભલો હો, ઉદિયાપુર શહર મઝાર ! નવમી ઢાલ વિષે કહ્યો હો, હેમ પંડિત મરણ સાર | જયજશ આંનદ ગુણનીલો હો, સુખ સંપતિ દાતાર છે. (ઢાળ-૯) (ગા. ૧૧૫ થી ૧૧૯) ઉપરોક્ત ગાથામાં હેમ નવરસો - હેમના ગુણગાન ગાયા, રચના સમય, સ્થળ અને હૈમ વિલાસને આધારે કૃતિનું સર્જન કર્યું છે તેની માહિતી મળે છે. મધ્યકાલીન કાવ્યરચનાની રીતિને અનુસરીને કાવ્યરચના કરી છે. આરંભમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને હેમ નવરસોની રચના કરવાનો ઉલ્લેખ થયો છે. તદુપરાંત દુહામાં એમના જીવનનો મિતાક્ષરી પરિચય થાય છે. ત્યાર પછી દુહામાં જે ઉલ્લેખ થયો છે તેનું વર્ણન ઢાળમાં થયું છે. કવિએ દુહા અને ઢાળમાં કૃતિનું વિભાજન કરીને વિવિધ પ્રસંગોનું વર્ણન કર્યું છે. મધ્યકાલીન કવિઓએ ગેય દેશીઓમાં રચના કરી હોવાથી વિવિધ સ્વરૂપની કૃતિઓનો આસ્વાદ્ય કરવાની સુવિધા પ્રાપ્ત થાય છે. કવિએ રચેલા દુહાની નોંધ કરવામાં આવી છે. | હેમ નવરસોઃ જીવનનો સંક્ષિપ્ત પરિચય મારવાડના શિરયારી શહેરમાં અમરાજી પિતા અને સોમા માતાની કુક્ષિએ સ્વપ્નમાં દેવવિમાન જોઈને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. તે સંવત ૧૮૨૯માં પુત્રનો જન્મ થયો અને હેમ નામ રાખવામાં આવ્યું હતું. લેનરનૂ નામની બહેન હતી. જન્મ સમયની માહિતી આપતાં કવિ જણાવે છે કે - હેમ નવરસો ૧૨૧ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ સંવત અઢારે ગુણ ગુણ તીસેજી કોઈ મહા સુદ તેરસ જાણિયે કોઈ પુષ્ય નક્ષત્ર બલવાન યોગ આયુષ્યમાન્ આયોજી સુખદાયો વાર શુક્ર ભલો. કાંઈ જન્મ્યા હેમ સુજાણ સૈ. | ૪ | પુત્ર જન્મથી પરિવારમાં અત્યંત આનંદનું વાતાવરણ સર્જાયું. બાલ્યાવસ્થામાં ભિક્ષુ ગુરુનો સંપર્ક થયો અને હેમ ધર્મના રંગે રંગાઈ ગયા. ૧૫ વર્ષની વયે નારીત્યાગનું વ્રત લીધું અને ભિક્ષુની સેવામાં સમય પસાર કર્યો. તેમના ચહેરા પરથી જ એમની બુદ્ધિની વિચક્ષણતા જાણી શકાતી હતી. મધુર કંઠ અને વાણીનો પ્રભાવ પણ હેમના વ્યક્તિત્વનું એક વિશિષ્ટ લક્ષણ હતું. ગુરુએ તેમને શ્રાવક ધર્મ સમજાવ્યો અને વ્રતોની ચર્ચા કરી. ધર્મમાં સ્થિર કર્યો. | હેમ શ્રાવક ધર્મનું ધીર-ગંભીર બનીને પાલન કરે છે પણ મનમાં મનોરથ તો “ચારિત્ર' દીક્ષા લેવાનો હતો. કવિ જણાવે છે કે - ધીર પણે શ્રાવક ધર્મ પાળે હેમ શું હેત. ભાવે ચારિત્રની ભાવના, પરમ ગુરુ શું પ્રેમ / ૧ // સંવત ૧૮૫૩માં ગુરુએ “સોજતમાં ચોમાસું કર્યું અને તેમના જીવનમાં સંયમના સંસ્કારો દઢ થયા. ભીખનજી ત્રષિ પાસે સંવત ૧૮૫૩ના મહા માસમાં પુષ્ય નક્ષત્રનો યોગ હતો ત્યારે દીક્ષા લીધી હતી. જન્મ અને દીક્ષા એમ બે પ્રસંગોમાં મહામાસ અને પુષ્ય નક્ષત્રનો સુયોગ પ્રાપ્ત થયો હતો. માતા-પિતા પુત્રને પરણાવવા માટે સમજાવે છે પણ હેમકુમાર દીક્ષા સ્વીકાર કરવાના વિચારમાંથી ચલિત થતો નથી. અંતે પોતાની ૧૨૨ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છા પ્રમાણે દીક્ષા અંગીકાર કરે છે. તેમ ભિક્ષુએ દીક્ષા લીધા પછી પ્રથમ ચાતુર્માસ ખેરવામાં કર્યું. ચાતુર્માસમાં અનુમોદનીય આરાધના થઈ. હેમ ભિક્ષુનો મધુર કંઠ - વાણીથી લોકો પ્રભાવિત થયા અને ધર્મમાં જોડાયા. હેમ ઋષિ સંઘાડાના વડીલ બને છે. પોતાની વાણી અને આચારથી લોકોને પ્રતિબોધ કરે છે. એમની પ્રેરણાથી દીક્ષા સ્વીકારનારા પણ ધર્મની આરાધનામાં જોડાયા છે. - કૃષ્ણગઢમાં ચાતુર્માસ દરમિયાન સંઘમાં આરાધના સારી થઈ. અહીં કોઈ દિવસ પૌષધ થયા ન હતા. હેમભિક્ષુની પ્રેરણાથી સંવત્સરી, દીપાવલી તથા પર્વના દિવસોમાં પૌષધની આરાધના કરાવી હતી. પૂ.શ્રીએ આરાધનાથી સમૃદ્ધ એવાં વિવિધ સ્થળે ૧૬ ચોમાસાં કર્યા હતાં. - ઈન્દ્રગઢના ચાતુર્માસમાં રામજીને અઠ્ઠમ ભક્ત તપશ્ચર્યા કરાવી. તેઓ આરાધના કરીને શુભભાવના ભાવતા પરલોક સીધાયા. ત્યાર પછી પાલીમાં ચોમાસા દરમિયાન અમીચંદજીની દીક્ષા થઈ. પૂ. અમીચંદજીએ જાવજીવ ખાંડનો ત્યાગ કરવાનો નિયમ સ્વીકાર્યો હતો. એમને આ તપના દ્વારા કર્મોનો ક્ષય કર્યો હતો. હેમ ભિક્ષુ દેવગઢમાં આવ્યા હતા ત્યારે ગાયને ગળામાં ગાંઠ થઈ હતી. પૂ.શ્રીએ કરૂણાથી આ ગાયને કાંબળીમાં ઘાલીને ગાયને લાવ્યા હતા. મગનીરામ વૈદ્યને દિલ્હીથી બોલાવ્યા હતા અને ગાયને સાજી કરવામાં આવી હતી. હેમસુંદર સ્વયં ફુરણાથી કહે છે કે હવે રાયચંદજીને પાટ સોપો. પછી એમને આચાર્ય પદવી આપવામાં આવી. પૂ.શ્રીએ લાડનૂમાં ચોમાસું કર્યા બાદ પોતાના વતન શિયારી પધાર્યા હતા. નેત્રારીમાં હિન્દુસ્તંભનું નિર્માણ થયું. આ પ્રસંગનું આકર્ષક વર્ણન હેમ ચોઢાળિયામાં મળે છે. હેમ નવરસો - ૧૨૩ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસની માહિતી નીચે પ્રમાણે છે - " મેવાડમાં ૧૯, મરૂધમાં ૩૦, ઇન્દ્રગઢ-૧, ઢુંઢક-૧ એમ પ૧ ચોમાસાં થયાં હતાં. તપશ્ચર્યામાં ૧ ઉપવાસ, બેલા-બે ઉપવાસ, બેલા-ત્રણ ઉપવાસનો સમાવેશ થાય છે. હેમભિક્ષુની વિશેષતા જોઈએ તો વૃદ્ધાવસ્થામાં પણ ઊભા ઊભા પ્રતિક્રમણની ક્રિયા ભાવપૂર્વક કરતા હતા. હેમભિક્ષુ ઋષિને શાતા પૂછવા આવ્યા ત્યારે ઋષિએ એમને પાટ સોંપી હેમઋષિને જીવનના અંતિમ દિવસોમાં શ્વાસની પીડા થઈ હતી. ઋષિજીએ કહ્યું કે આ વર્ષે ૧૫ સાધુઓ એક જ સ્થળે સાથે ચોમાસું કરીએ. આહારની તકલીફ થશે તો તપશ્ચર્યા કરીશું. લૂખા ફૂલકા રોટલી)નો આહાર કરવામાં આવે છે. હેમઋષિને સાંજના સમયે શ્વાસની માત્રા વધી ગઈ. ત્યારે જિતઋષિએ અંત સમય નજીક જાણીને પચ્ચખાણ કરાવ્યાં. અને ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા અધ્યયનનો સકામ મરણ અધિકાર સંભળાવ્યો. અંતે સં. ૧૯૦૪ના જેઠ સુદ-૨ ના રોજ શિરયારીમાં કાળધર્મ પામ્યા. - જીવનમાં કેવો સુયોગ સધાયો? જન્મ, દીક્ષા અને સંથારો આ ત્રણેય મહત્ત્વના પ્રસંગો પોતાની જન્મભૂમિ શિરયારીમાં થયા હતા. સંયમ જીવનનો પરિચય સંયમની પ્રેરણારૂપ બને તેવો છે. આ ચરિત્ર વૈરાગ્ય રસનું ઉત્તમ ઉદાહરણ છે. - વિરતિધરના જીવનનો પરિચય વિરતિધર્મની વૃદ્ધિ કરીને જીવનમાં વિરતિધર્મ સ્વીકારવાના સંસ્કારોનું સિંચન કરે છે. પુણ્યોદયે આ સંસ્કારોનો પ્રાદુર્ભાવ થતાં આત્મા વિરતિધર્મ સ્વીકારીને આત્મકલ્યાણ કરે છે. તેમાં આ પ્રકારના જીવનનું નિમિત્ત ઉપકારક બને છે. ૧૨૪ જાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ આ ચરિત્રમાં હેમ ઋષિની દીક્ષા, તપ, ત્યાગ, વૈરાગ્ય, શાસનની પ્રભાવના, કાળધર્મ અને એમની આત્મસાધનાનો પરિચય પ્રાપ્ત થાય છે. આ ચરિત્ર ભવ્યાત્માઓને માટે રસિક કથાના આસ્વાદ સમાન નિર્દોષ આનંદની સાથે ધર્મરસનું પાન કરાવવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાતી ભાષાના સાહિત્યમાં જીવનચરિત્રની કૃતિ સાથે કથા' શબ્દપ્રયોગ થયો છે. દા.ત. નવલરામની જીવન કથા અહીં કથા' શબ્દ જીવનના વિવિધ પ્રસંગોનું નિરૂપણ સાથે છે. તેના દ્વારા કથાનો આસ્વાદ - કથા રસની અનુભૂતિ થાય છે. હેમ નવરસો એ કથારસની સાથે વૈરાગ્ય – ભાવ - ઉપશમ ભાવનું નિરૂપણ કરીને વાચકોની સાત્વિકતાને પુષ્ટિ આપે છે. એટલે સાહિત્યનો નવરસ નથી પણ અભિનવ એવો ઉપશમ ભાવ અને કથારસથી સમૃદ્ધ છે. હેમ નવરસો ૧૨૫ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યમાં રસ નિરૂપણ સાહિત્યની સૃષ્ટિમાં મુખ્ય કે ગૌણપણે નવરસનું સ્થાન રહેલું છે. કોઈ એક કૃતિમાં બધા જ રસ હોય તેની સાથે કોઈ મુખ્ય રસ હોય તેવો સંભવ છે. અન્ય રસો ગૌણપણે હોય છે. હાસ્ય, કરૂણ, વીર, રૌદ્ર, શાંત, શૃંગાર, ભયાનક, અભુત અને બીભત્સ એમ નવરસ છે. ગદ્ય-પદ્યની રચનામાં ભાગ્યે જ એવી કોઈ કૃતિ હોય કે જેમાં એક અથવા એક કરતાં વધુ રસ ન હોય. જગન્નાથ પંડિતનું સૂત્ર છે કે – “વાર્ય રસાત્મ વ્ય' રસયુક્ત વાક્યરચના એટલે પદપંક્તિની રચના એ કાવ્યનું લક્ષણ છે. કાવ્યના લક્ષણોમાં છંદ-રસઅલંકાર સ્થાન ધરાવે છે તેમાં રસને પણ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. રસ સંપ્રદાયના સમર્થકોનું પ્રિયસૂત્ર છે. “ ર ા પર્વ' બધા રસમાં કરૂણ રસ વધુ પ્રભાવોત્પાદક છે. સરળ શૃંગાર' શૃંગાર રસ આબાલગોપાલને સ્પર્શે છે. રસ નિરૂપણમાં શૃંગાર અને કરુણ રસ વધુ પ્રચલિત છે. જૈન સાહિત્યમાં રસ નિરૂપણનું આધ્યાત્મિક અર્થઘટન સાહિત્યની દૃષ્ટિએ નવીનતા દર્શાવે છે. ૧૨૬ શાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ કુન્દકુન્દ્રાચાર્ય રચિત સમયસાર ગ્રંથમાં નવરસનું ધાર્મિક દષ્ટિએ અર્થઘટન નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે. નાટક એટલે પર્યાયોમાં ફેરફાર થવાની ક્રિયા દર્શાવતી રચના. જીવાત્મા શુભાશુભ કર્મોના ઉદયથી સંસારનાં રંગમંચ પર ભવભ્રમણ કરે છે. વિનય વિજયજીના મહાવીર સ્વામીના સ્તવનમાં આ નાટકનો સંદર્ભ એક પંક્તિમાં નિહાળી શકાય છે. “ભવમંડપમાં રે નાટક નાચીયો અહીં મંડપ શબ્દ રંગમંચ (સ્ટેજ)ના અર્થમાં સમજવાનો છે. સંસારના મંચ પર આત્મા જ્ઞાનાદિથી૧. જે ભ્રમણ કરે છે તે ગુણોએ શૃંગારરસ. ૨. આત્મા કર્મોની નિર્જરા કરે છે તે બધી જ પ્રવૃત્તિમાં “વીર રસ છે. ધર્મ પુરુષાર્થથી મોક્ષ પુરુષાર્થની પ્રાપ્તિ-સાધના એ ખરેખર સાચો વીર રસ છે. ૩. ઉપશમ રસ-ભાવની જે પ્રીતિ તે કરૂણરસ છે. કરૂણાનો ભાવ-દયાભાવ જો ઉપશમ રસમાં થાય તો તે કરૂણ રસ કહેવાય છે. આત્માને માટે ઉપશમ ભાવ એજ ઉપકારક છે. ૪. જ્ઞાન, ધ્યાન અને ભક્તિથી જે અનુભવની અપૂર્વ આનંદમય લહરીઓ પ્રગટે છે તે હાસ્ય રસ છે. સમણિશીલ સાધનાથી આત્માને આવી અનુભૂતિ થાય છે. ધર્મ દ્વારા સ્વાનુભવ રસિકતાનો અપૂર્વ આનંદ એ સાચો હાસ્યરસ છે. ૫. આઠ કર્મના બંધનું સ્વરૂપ નિહાળી-વિચારીને જે ભાવ ઉત્પન્ન થાય છે તે રૌદ્રરસ છે. રૌદ્રરસમાં ભયાનકતાનો ભાવ છે. કર્મબંધની સ્થિતિના વિચારથી આ રસની અનુભૂતિ થાય છે. એટલે રસની દૃષ્ટિએ આ પ્રક્રિયામાં રૌદ્રરસ છે. જૈન સાહિત્યમાં રસ નિરૂપણ ૧૨૭ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૬. શરીરની રચનાનો વિચાર કરીએ તો તેમાં હાડકાં, માંસ, લોહી, પરૂ, મળ, મૂત્ર, શ્લેષ્મ વગેરે ગંદકીથી ભરપુર પદાર્થોનો સમન્વય થયો છે. આ પૌગલિક અશુચિમય શરીરની રચનાનો વિચાર એટલે બારભાવનામાં અશુચિ ભાવના છે તેના વિચારો એ બીભત્સ રસ તરીકે ગણાય છે. આ રસને કારણે શરીરનો રાગ દૂર થતાં વૈરાગ્ય ભાવની વૃદ્ધિ થાય છે અને આત્મા સ્વમાં લીન બને છે. ૭. આત્મા પોતાનું મૂળ સ્વરૂપ સિદ્ધ-બુદ્ધ કર્મરહિત સ્વરૂપને પામે નહિ અને જન્મ-જરા મરણ આદિથી પારાવાર દુઃખ ભોગવે છે. આત્માની આવી દુર્દશા થાય છે ત્યાં સુધીની સ્થિતિ એ ભયાનક રસ. ૮. આત્માની અનંત શક્તિ છે તેનું ચિંતન કે વિચારણા કે અભુત રસ છે. શરીરની શક્તિ મર્યાદિત અને નાશવંત છે. જ્યારે આત્માની શક્તિ અનંત-અપરંપાર છે. આ વિચારણા કરવામાં અદ્ભુત રસ રહેલો છે. ૯. રાગ-દ્વેષ રૂપી મહાન શત્રુઓનો નાશ કરીને દઢ વૈરાગ્યને ધારણ કરવો તે શાંતરસ કહેવાય છે. કર્મબંધ અને ભવ ભ્રમણના કારણરૂપ રાગદ્વેષ છે એટલે રાગ-દ્વેષ રહિત થવાની ભાવના અને ધર્મ પ્રવૃત્તિમાં શાંતરસનું સ્થાન છે. આ રીતે નવરસનું અર્થઘટન “આત્માને કેન્દ્રમાં રાખીને દર્શાવવામાં આવ્યું છે. શાંતરસ વિશે લઘુ શાંતિ સૂત્રના વિવેચનમાં માહિતી પ્રાપ્ત થાય છે. શાંતિનાથ ભગવાન શાંતરસયુક્ત છે. ઉપશમરસમાં નિમગ્ન, સત્વ, રજસ અને તમસ્ એ ત્રણ ગુણોથી અતીત હોય એટલે કે પર હોય તે શાંત કહેવાય છે. न यत्र दुःखं न सुखं न चिंता, न द्वेषरागो न च काचितिच्छा। __रसः स शान्त कथितो मुनीद्रैः, सर्वेषु भावेषु शमः प्रमाणः॥ ૧૨૮ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ અર્થ : જેમાં દુઃખ નથી, સુખ નથી, ચિંતા નથી, રાગ-દ્વેષ નથી કે કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી તેને શ્રેષ્ઠ મુનિઓએ શાંતરસ કહ્યો છે. બધા ભવોમાં શમ એ શ્રેષ્ઠ છે. (પ્રબોધ ટીકા ભાગ-૨, પા-૪૬૫) ભક્તિ રસ એ સ્વતંત્ર રીતે સ્થાન ધરાવતો નથી. તેનો શાંત રસમાં સમાવેશ થાય છે. જૈન ધર્મની દૃષ્ટિએ વીર રસનું અર્થઘટન નીચે પ્રમાણે છે. વિરતા એ પરાક્રમનું એક અંગ છે. દયાવીર - જૈન સાધુઓ અને મહાપુરુષો અહિંસા ધર્મનું પાલન કરે છે તે દૃષ્ટિએ દયાવીર કહેવાય છે. દાનવીર - સાધુ ભગવંતો શ્રાવક-શ્રાવિકાઓને શ્રુતજ્ઞાનનું દાન કરીને મોક્ષ માર્ગની સાધના માટે માર્ગદર્શન આપે છે. સમ્યકજ્ઞાન પ્રદાન કરવાની સાધુઓની આ ક્રિયાની દૃષ્ટિએ દાનવીર અર્થ પણ સૂચક છે. યુદ્ધવીર - સાધુ ભગવંતો પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને રર પરિષદ દ્વારા કર્મોનો નાશ કરવા માટે યોદ્ધા સમાન લડે છે. પુરુષાર્થ કરે છે તે દૃષ્ટિએ યુદ્ધવીર કહેવાય છે. ધર્મવીર - ધર્મ પુરુષાર્થના આલંબનથી મોક્ષ પુરુષાર્થની સાધના કરવાની પ્રવૃત્તિ એ ધર્મવીર કહેવાય છે. સાધુ ભગવંતો તથા દેશવિરતિ શ્રાવકો જે ધર્મનું પાલન કરે છે તેમાં ચાર પ્રકારની વીરતાનો સંદર્ભ રહેલો છે. જૈન સાહિત્યમાં સાધુ ભગવંતો, ગણધરો, તીર્થકરો, વિરતિધર – નર-નારીઓના જીવનમાં વિરતાનો આવો ઉલ્લેખ એમના ચરિત્ર દ્વારા નિહાળી શકાય છે. જૈન સાહિત્યમાં ભૌતિક શૃંગારના પ્રસંગોચિત સંદર્ભ પ્રાપ્ત થાય છે પણ અંતે તો પાત્રો ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ સ્વીકારીને જૈન સાહિત્યમાં રસ નિરૂપણ ૧૨૯ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક શૃંગારમાં અપૂર્વ આનંદની અનુભૂતિ કરે છે તે પ્રસંગનું નિરૂપણ મુખ્યપણે સ્થાન ધરાવે છે. જૈન સાહિત્યમાં હાસ્યરસ માટે પ્રભુ ભક્તિ આરાધના અને સાધના દ્વારા જે અનુભૂતિ થાય છે તેનો આનંદ એ હાસ્યરસ કહેવાય છે. જશ વિજયના શાંતિનાથના સ્તવનમાં ભક્તિની તલ્લીનતાની સાથે અનુભવની અનેરી માહિતીનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. “હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં તાળી લાગી જબ અનુભવ કી તબ લહે કોઉ કો સાનમેં પ્રભુ ગુણ અનુભવ રસ કે આગે હોવત નહીં કોઉ માનમેં. ચિદાનંદજીના નેમનાથના સ્તવનનું ઉદા. “પણ તુમ દરિશણ જોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ અનુભવ અભ્યાસી લહે, દુઃખદાયી, હો સહુ કર્મ વિનાશ. ભક્તિના માધ્યમ દ્વારા અનુભવની અનેરી લહેર પ્રગટ થતાં અનેરો આનંદ થાય છે તેનું શબ્દોમાં વર્ણન થઈ શકે નહિ. ધાર્મિક સાહિત્યનો આ હાસ્ય રસ સમર્પણશીલ સાધક-આરાધક અને ભક્ત અનુભવી શકે છે. આ રસની અનુભૂતિ અસાધારણ કક્ષાની હોઈ સાધારણ ભક્તિ પણ પુરુષાર્થથી અનુભવી શકે છે. દેવચન્દ્રજીના અભિનંદન સ્વામીના સ્તવનની પંક્તિઓ જોઈએ તો - અભિનંદન અવલમ્બને, પરમાનન્દ વિલાસ હો મિત્ત. દેવચન્દ્ર પ્રભુ સેવના, કરી અનુભવ અભ્યાસ હો મિત્ત. I & II અનુભવ રસનો મહિમા અપરંપાર છે જે હાસ્યરસનો ઉત્તમ નમૂનો છે. રસાનુભૂતિ મનની આંતરબાહ્ય સ્થિતિનું પરિણામ છે. ૧૩૦ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ - ૧૧ - .. જગડુશાહનો કડખો જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોની વિવિધતામાં અલ્પ પરિચિત કડખો' કાવ્યની માહિતી નીચે પ્રમાણે છે. કડખો એ પ્રશસ્તિ કાવ્ય છે. “કડખો' એ દેશનો પ્રકાર છે. સ્તવનો, પૂજા, સાહિત્ય અને ઢાળબદ્ધ રચનાઓમાં કડખાની દેશીનો પ્રયોગ થયો છે. “કડખો'નો પ્રયોગ યુદ્ધમાં લડતા લડવૈયાઓને શૂરાતન ચઢાવવા માટે થાય છે. કડખાની રાહમાં ગવાતી પંક્તિઓથી શૂરાતન ચઢે અને જુસ્સો વધે એમ અર્થ રહેલો છે. કવિ ચિદાનંદજીની સઝાય કથની કથે સહુ કોઈમાં કડખાનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. બંદીવાન કડખા ગાવે સુણી શૂરા શિશ કટાવે. કડખો' ગાવાની રીત-પ્રણાલિકા યુદ્ધકાળ દરમિયાન મહત્ત્વની પ્રવૃત્તિ ગણાતી હતી. દેશીઓની સૂચીમાં “કડખો” ઝુલણા અને આસાઉરી રાગ સાથે સંબંધ ધરાવે છે. જૈન સાહિત્યમાં જગડૂશાહનો “કડખોની રચના કવિ કેશરકુશલની પ્રાપ્ત થાય છે. આ પ્રકારની એક જ કૃતિ છે. શ્રાવક ભીમસી માણેકની સાહિત્ય સંપાદન અને પ્રકાશની પ્રવૃત્તિ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. જૈન સાહિત્યના સંશોધનમાં એમનું જગડૂશાહનો કડખો -૧૩૧ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ પ્રદાન નોંધપાત્ર છે. આ શ્રાવકે કવિ ઉદયરત્ન કૃત બીલાવતી રાણી અને સુમતિ વિલાસ રાસ નામની રચનાની સાથે જગડૂશા શેઠની ચોપાઈ નામની કૃતિનું પણ સંપાદન કર્યું છે. મૂળ આ કૃતિ ચોપાઈ છંદમાં સર્જાયેલી છે એટલે આ શબ્દ પ્રયોગ થયો છે. મધ્યકાલીન સાહિત્યમાં આ પ્રકારના કાવ્યને છંદમૂલક રચના નામથી ઓળખવામાં આવે છે. જૈન સાહિત્યના સંશોધક અને ઈતિહાસ વિદ્ મો. દ. દેસાઈએ જૈન ગૂર્જર કવિઓ ભાગ-....... માં જગડૂશાનો “કડખો' શીર્ષક આપીને નોંધ કરી છે. કવિએ “કડખા' વિશે કોઈ અર્થ દર્શાવ્યો નથી. મૂળભૂત વીરતાના સંદર્ભમાં તેનો પ્રયોગ હતો હતો. તે દૃષ્ટિએ વિચારીએ તો જગડૂશાહનું નામ “દાનવીર' નામના બિરૂદથી જૈન સમાજમાં વિખ્યાત છે. આજે પણ ઉદારતાથી દાન આપનાર વ્યક્તિને જગડૂશાહના નામથી ઓળખવામાં આવે છે. વીર રસના ચાર પ્રકાર દાનવીર, દયાવીર, યુદ્ધવીર અને ધર્મવીર છે. જગડૂશાહ દાનવીર છે. એમની ધનવીરતાને બિરદાવવા માટે કવિએ આ રચના કરી હોય એમ અર્થઘટન કરીએ તો તે ઉચિત લેખાશે. જગડૂશાહની દાનવીરતા જાણીને, વાંચીને, શ્રવણ કરીને અન્ય લોકો પણ દાનધર્મમાં પ્રવૃત થાય એવો શુભ હેતુ છે. એટલે કડખો' નામનું રહસ્ય દાનવીરતાના પ્રેરણા-પ્રોત્સાહનના સંદર્ભમાં સ્પષ્ટ રીતે સમજાય છે. - જગડૂશા શેઠની ચોપાઈ અથવા કડખો આરંભના દુહામાં પાર્શ્વનાથને પ્રણામ કરીને વિષયવસ્તુનો ઉલ્લેખ કર્યો છે. પાસ જિનેસર પાય નમી, પ્રણમી શ્રી ગુરુપાય. જગડૂશા સુરલો તણી, ગુણ ગાતાં સુખ થાય. || ૧ || ૧. સુરલા = પરાક્રમી ૧૩૨ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ કવિએ ચોપાઈ છંદની ર૬ કડીમાં જગડૂશાના જીવનની માહિતી આપી છે તેમાં એમની દાનધર્મની પ્રવૃત્તિને વિશેષ મહત્ત્વની દર્શાવી છે. મધ્યકાલીન કાવ્ય પરંપરાનુસાર કાવ્યને અંતે રચના સમય વર્ષ, મહિનાની સાથે ગુરુ પરંપરા ઉપરાંત રચયિતા કવિનો પણ ઉલ્લેખ થયો છે. સત્તર નભ ષટ શ્રાવણ માસ, એહ સંબંધ કરવો ઉલ્લાસ શાંતલપુર ચોમાસું રહી, શ્રાવક જનને આદરે કરી. | ૨ || (રચના સમય ૧૭૬૦) પંડિત માંહે પ્રવર પ્રધાન, વીર કુશલ ગુરુ પરમ નિધાન, સૌભાગ્ય કુશલ સદ્ગુરુ સુપસાય તાસ શિષ્ય કેશર ગુણ ગાય. / ર૬ ! જંબૂદ્વીપના દક્ષિણી ભરતના વિવિધ દેશોમાં કચ્છ આવેલો છે. “કચ્છ દેશમાં જગડૂ થયો, શ્રીમાલી કુલ દીવો કહ્યો.” કંથા (કંથકોટ) નગર છોડીને સોળ નામનો શ્રેષ્ઠી ધન-સંપત્તિ કમાવા-વેપાર કરવા માટે કચ્છ દેશના ભદ્રેશ્વર નગરમાં આવીને રહેતો હતો. પૂર્વના પુણ્યોદયે શેઠે અઢળક સંપત્તિ મેળવીને દેશપરદેશમાં અમર કીર્તિ પ્રાપ્ત કરી હતી. ધંધા માટે પરદેશ વહાણ જતાં આવતાં ભાટ-ચારણ આદિને શેઠ દાન આપતા હતા. સંસાર સુખ ભોગવતાં પુત્રનો જન્મ થયો અને જગડૂ નામ પાડવામાં આવ્યું જગડૂશાહનો કડખો ૧૩૩ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ હતું. માતા લક્ષ્મી, ભાઈ પદ્મ અને રાજ એમ ત્રણ પુત્રોથી સોળ શેઠનો પરિવાર નગરમાં ખ્યાતિ પામ્યો હતો. પૂર્વ કર્મના યોગે સંપત્તિ ઓછી થઈ અને ચિંતા વધી ગઈ. પૂ. સાધુ ભગવંત ચાતુર્માસ રહ્યા હતા એમની ભક્તિ કરી. છતાં પણ નવકાર મંત્રનો જાપ, સામાયિક, પ્રતિક્રમણ કરે અને શ્રાવકનાં વ્રત પણ ગ્રહણ કર્યા હતાં. જગશાના જીવનમાં આ સમયે ગુરુ મહારાજ આકાશમાં તારામંડળ જોઈને ભવિષ્યવાણી ઉચ્ચારી કે દુષ્કાળમાં જગડૂશા ગરીબોનો ઉદ્ધાર કરશે. ગુરુ વાણીથી આશ્ચર્યચકિત થઈને જગડૂશા સ્વગૃહે જાય છે. ગુરુએ જગડૂશાને મંત્ર આપ્યો. મંત્ર સાધનાના પ્રભાવથી અઢળક સંપત્તિ પ્રાપ્ત થઈ. કવિના શબ્દો છે. શુભ દિવસ જોઈ ગુરુ દાસે. મંત્રાદિક મંત્રે કરી લીએ. એકવીશ કલશા ધરતી માંહ પાકજ ઉગ્યો ધોલ્યો ક્યાંય. / ૧૧ || પ્રગટયો પુણ્ય તણો અંકુર પામ્યો લક્ષ્મી પ્રબલ પડૂર. વાણોતર ધન લણો કરે. ધન દઈને એ કણ સંચરે. || ૧૨ // જગડૂશાહે ધાન્યનો સંચય કર્યો. ગામેગામ ગરીબોને પત્ર દ્વારા સંદેશો પહોંચાડીને જગડૂશાના સેવકોએ લોકોને સમાચાર પહોંચાડ્યા કે ગરીબોને દાન આપવા માટે જગડૂશા તૈયાર છે. જગડૂશાએ સ્વહસ્તે ભાવપૂર્વક દાન આપીને લોકોને સંતુષ્ટ કર્યા. જગડૂશાના દાનના સંકલ્પની માહિતી આપતાં કવિ જણાવે છે કે – ૧૩૪ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ પત્ર લખાવી ત્રાંબા તણા દીન-હીન લેઈ રાંકજાણા જે આવીને માંડે હાથ તેહને આપે હાથો હાથ // ૧૭ || પાટણના રાજા વીસલદેવના સમયમાં સંવત ૧૨૧પમાં દુષ્કાળ પડ્યો ત્યારે જગડૂશાએ ધાન્ય આપીને લોકોને સંતોષ-સહાય કરી હતી. વીસલદેવ જગડૂશાને કહે છે કે તમે દાનવીર તરીકેનું બિરુદ ધરાવો છો તો પ્રજાને અન્ન આપી બિરૂદ ચરિતાર્થ કરો. જગડૂશા રાજાને કહે છે કે – જગડૂ કહે કોઠારે ઘણાં ધાન્ય ભર્યા છે અન્નતણાં વિસલદેવ એ મહાન–વડો ભિખારી છે. આજે આ દુષ્કાળથી આવી સ્થિતિ આવી છે અને અન્ન માગવું પડે છે. મારી ઈચ્છા પૂર્ણ કરો. વીસલદેવની માગણી પૂર્ણ થાય છે. જગડૂશા રાજાની માગણી પૂર્ણ કરે છે. કવિના શબ્દોમાં આ માહિતી જોઈએ તો - “આઠ સહસ્ત્ર મૂડા દેવરાય” મૂડા - એટલે ૫૦ મણ અન્ન. હમીર રાજા પણ બાર હજાર મૂડા આપે છે એમ માલવપતિ મુંજ રાજાએ ૧૮ હજાર મૂડા, જગડૂશાહે આ રીતે અન્નનો ધોધ વરસાવ્યો હતો. ત્યાર પછી એમનાં સુકૃત જોઈએ તો - શત્રુંજય ગિરનારે વહી દાન શાળાઓ બંધાવી સહી, ચારે ખંભ માંહે જગડૂશાહ પુણ્ય લીયે લખમીનો લાહ // રર || જગડૂશાની દાનવીરતા - માનવતાના સુકૃત કવિ કલ્પના કરતાં જણાવે છે કે - જગડૂશાહનો કડખો ૧૩૫ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ “ઈન્દ્ર ચન્દ્ર કે સુરતરૂ સાર માનવ નહીં એ સુર અવતાર” ધનધન જાતી શ્રીમાલી તણી, જેહતી કરતિ ચિહુ દિશે જણી. જગડૂશાહના જીવનનો સંક્ષિપ્ત પરિચય એમની ધર્મશ્રદ્ધા અને શ્રાવક તરીકેની ગુરુભક્તિ, પૂજા-સામાયિક, પ્રતિક્રમણ અને દાનશીલ તપ ભાવ જયાં સુકૃત્યોની માહિતી અનુકરણીય છે અને એટલે જ કવિએ એમને દેવલોકના દેવી ઈન્દ્ર અને ચન્દ્ર સમાન ઉપમાથી પરિચય કરાવ્યો છે. દાનધર્મના કેન્દ્રમાં જગડૂશાહની આ કાવ્યકૃતિ “કડખા' તરીકે નોંધપાત્ર છે. સંદર્ભ - લીલાવતી - મહિમાવતી રાસ - સંપા. ભીમશી માણેક (પ-૮૫) જગદૂચરિત મહાકાવ્યમ્ -પૂ. સર્વાનંદસૂરિ સંશોધક- પંન્યાસશ્રી વજસેન વિ, સહ. સા. ચંદનબાળાશ્રીજી જગડૂશાહે લોકોને સુખી કરવા માટે ભૂખમરાથી બચવા માટે ધાન્યનું દાન કર્યું હતું તેની માહિતી આશ્ચર્ય અને આનંદની સાથે દાનવીરના બિરૂદને સમર્થન આપે છે. ઉજ્જૈનના રાજા મદન વર્મનને ૧૮,૦૦૦ મૂડા, દિલ્હીના બાદશાહ મોજઉદિનને ૨૧,૦૦૦ મૂડા, કાશીના રાજા પ્રતાપસિંહને ૩૨,૦૦૦ મૂડા, કંથાર દેશના રાજાને ૧૨,૦૦૦ મૂડા, ૧૧૨ દાન શાળાઓનું નિર્માણ કર્યું. કુલ ૯,૯૯,૦૦૦ મૂડા ધાન્યનું દાન કર્યું અને ૧૮ કરોડનું દાન યાચકોને દુષ્કાળમાં આપી માનવતા – જનસેવાપ્રભુસેવાનું નમૂનારૂપ અનુકરણશીલ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. કુલીન પરિવારવાળા લજ્જાથી માગી ન શકે તેવા પરિવારને પણ સોનાની દીનાર આપીને સંતુષ્ટ કર્યા હતા. ૧૩૬ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ત્રણ વર્ષના દુષ્કાળમાં જગડૂશાએ આ રીતે ધન-ધાન્યનો સાગર લહેરાવ્યો હતો. જગડૂશાના જીવનમાં ગુરુ તરીકે ગૌરવવંતુ સ્થાન પામેલા “પરમદેવસૂરિ હતા શત્રુંજય અને ગિરનારની યાત્રા કરીને રોજ દાનનો પ્રવાહ વહેતો કર્યો હતો. જગડૂશાહે સંઘ યાત્રામાં દરેક સ્થળે દાનનો પ્રવાહ વહેતો રાખ્યો. સાધુ-સાધ્વીજીઓની ભક્તિ કરી અને અન્ન-પાત્ર આદિનું પણ દાન કર્યું હતું. - ભદ્રેશ્વરના મંદિરમાં સોનાનો કળશ અને સુવર્ણનો દંડ બનાવ્યો હતો. વિર પરમાત્માની મૂર્તિની સ્થાપના કરી હતી. પોતાની પુત્રીના આત્મશ્રેયાર્થે આરસપહાણનાં ત્રણ જિનમંદિર અને અષ્ટાપદના મંદિરનું નિર્માણ કર્યું હતું. ઉપરાંત ત્રિખંડ પાર્શ્વનાથ અને ૧૭૦ જિનપ્રતિમાનું નિર્માણ કર્યું હતું. કંથકોટમાં નેમિનાથના જિન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. કાઠિયાવાડના ઢાંક નગરમાં આદિનાથ જિનાલયની સ્થાપના કરી હતી. વઢવાણમાં (વર્ધમાન) અષ્ટાપદના જિનમંદિરનું નિર્માણ કર્યું હતું. અહીં વવાણિયા પથ્થરની રચના કરેલી. વીરપરમાત્માની મૂર્તિ શાહી ઠાઠથી મહોત્સવ કરીને પધરાવી હતી. શતવાટી નગરીમાં બાવન જિનાલયનું નિર્માણ કર્યું હતું. શત્રુંજય પહાડ ઉપર સાત દેહરીઓનું નિર્માણ કરાવ્યું હતું. સુલક્ષપુર નજીક દેવકુલ નગરમાં શાંતિનાથ ભગવાનનું જિનમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ભદ્રેશ્વરપુરમાં એક પૌષધશાળા બનાવી હતી. શંખેશ્વર તીર્થમાં ગુરુ ભક્તિથી પ્રેરાઈને બે પગલાં “પિત્તળ વાળા મંદિરની રચના કરાવી હતી. જગqશાહનો કડખો ૧૩૭. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ જગડૂશાહે વિવિધ સ્થળોએ જિન મંદિરમાં ધજાઓ ચઢાવી પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. સમુદ્રતટે તપદ્વારા સાધના કરી હતી. પરિણામે જગડૂને વરૂણદેવ પ્રસન્ન થયા હતા. ઉપરોક્ત માહિતી જગડૂચરિત મહાકાવ્યમને આધારે આપવામાં આવી છે. પૂ. કેશરકુશળ મુનિ ભગવંતની રચનામાં જગડૂનો મિતાક્ષરી પરિચય છે પણ આ મહાકાવ્યને આધારે આપેલી માહિતીથી દાનવીર જગડૂશાનો વાસ્તવિક પરિચય થાય છે. “કડખાનો સારભૂત વિચાર તો એ છે કે કહેવું (બોલવું) સહેલું-સરળ છે પણ આચરણ કરવું કઠિન છે. ચિદાનંદજીએ સઝાયમાં જે કડખાનો ઉલ્લેખ કર્યો છે તેમાં કહેણી-“કથની કથે સહુ કોઈ રહેણી અતિ દુર્બલ હોઈ” એ વાત સર્વ સામાન્ય રીતે વિચારવાની છે. કડખા ગાનારા માત્ર ગાય છે રણમેદાનમાં લડવાની હિંમત નથી. ચારણ જાતિના લોકો આવા શૂરાતન માટે કડખા ગાવાની ખ્યાતિ ધરાવે છે પણ યુદ્ધમાં ઘાયલ અને મૃત સૈનિકોને જોઈએ તેઓ દૂર ભાગે છે. અહીં જગડૂશાના સંદર્ભમાં એમની દયાવીર, દાનવીર અને ધર્મવીરની ભાવનાનો વિશિષ્ટ પ્રકાશ પથરાયેલો છે તે દૃષ્ટિએ આ માહિતી જૈન-જૈનેતર સમાજને માટે અનન્ય પ્રેરણારૂપ છે. કડખા' નિમિત્તે વાચક વર્ગને દાનવીર જગડૂશાનો પરિચય કરાવવાની ક્ષણ જીવનની ધન્ય ઘડી બની ગઈ છે. ૧૩૮ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્રમાં નવરસો સાહિત્યની સૃષ્ટિમાં રસ નિરૂપણ એક મહત્ત્વનું લક્ષણ ગણાય છે. નવકાર મંત્રમાં નવપદ છે પણ તેમાં નવરસનું નિરૂપણ થયું છે. પ્રથમ દૃષ્ટિએ વિચારીએ તો આશ્ચર્ય થાય કે માત્ર ૬૮ અક્ષરના નાનકડા નવકાર મંત્રમાં શૃંગાર, હાસ્ય, કરૂણ, અદ્ભુત, બીભત્સ, શાંત, રૌદ્ર, વીર અને ભયાનક રસ એમ નવરસનો સમાવેશ થાય છે. - પ્રત્યક્ષ રીતે તો નવકારમાં કોઈ પણ એક કે વધુ રસનું દર્શન થતું નથી પણ નવકાર મંત્રનો ગૂઢાર્થથી વિચાર-ચિંતન કરતાં રસાસ્વાદ માણી શકાય છે. પ.પૂ. આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજીએ નવરસમય નવકાર' નામનું લઘુ પુસ્તક પ્રગટ કર્યું છે. - પૂ.શ્રીએ નવકાર મંત્રમાં રહેલા નવરસનું વિશિષ્ટ પ્રકારનું અર્થઘટન કર્યું છે. પૂ.શ્રીનું નવકાર મંત્ર અંગેનું સૂક્ષ્મ ચિંતન નવરસનો પરિચય કરાવે છે. એમની અજબ-ગજબની કલ્પનાશક્તિનો પરિચય આ પુસ્તક દ્વારા થાય છે. આ પુસ્તકને આધારે નવરસની સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે. સાહિત્યમાં નવરસ કાવ્ય છે. ભક્તિરસ એ કોઈ સ્વતંત્ર રસ નથી પણ શાંતરસનો જ એક પર્યાય છે. પૂ.શ્રીએ વાત્સલ્ય રસને ૧૦મો ગણાવ્યો છે. નવકારમંત્રમાં નવરસો ૧૩૯ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય અને પ્રાણીઓમાં હાસ્ય, રતિ, ભય, શોક, ક્રોધ, જુગુપ્સા, ઉત્સાહ, આશ્ચર્ય વગેરે લાગણીઓ રહેલી છે. આ લાગણીઓ ઉંમર વધતાં તેનું પ્રમાણ વધે છે અને તેનો અનુભવ પણ જીવન વિકાસમાં ઉપયોગી નીવડે છે. આ લાગણીઓના પ્રભાવથી રસ નિરૂપણ થાય છે. વિવિધ પ્રસંગોમાં લાગણીઓના કારણે પુણ્યપાપનો બંધ થાય છે. રસશાસ્ત્રમાં સ્થાયી ભાવ અને સંચારી ભાવનો સમાવેશ થયો છે. સંચારી ભાવો ક્ષણિક ઉભવે છે અને શાંત થઈ જાય છે. સ્થાયીભાવ સ્થિર રહે છે. રસની ઉત્પત્તિમાં આ ભાવો મહત્ત્વના છે. વિભાવ-અનુભાવ-સંસારી ભાવના સંયોગથી રસનિષ્પત્તિ થાય છે. શારીરિક ચેષ્ટાઓ એ અનુભાવ છે. ઉદ્દીપન એ વિભાવ છે. ૧૦૮ મણકાની માળા એ શાંતરસનું સાધન છે. પૂ.શ્રીના નવરસના વિચારો નીચે પ્રમાણે છે. ૧. શૃંગાર રસ : આ રસને “પ્રેમ” નામથી ઓળખવામાં આવે છે. યુવાવસ્થા અને વ્યવહાર જીવનમાં આ રસની અનુભૂતિ થાય છે. તેને “રતિ’ નામથી પણ ઓળખવામાં આવે છે. સંપત્તિ, પરિવાર આદિનો પ્રેમ તે શૃંગાર રસ છે. આ ભૌતિક શૃંગાર કરતાં અધિક શૃંગારરસ નવકાર મંત્રમાં છે. અરિહંતના બાર ગુણની વિચારણા, સમવસરણમાં બિરાજમાન અરિહંતપ્રભુ, બારપર્ષદા સમક્ષ પ્રભુની દિવ્યવાણી સ્વરૂપ દેશના વગેરેનો વિચાર એ શૃંગારરસ - મિલન શૃંગાર છે. વિપ્રલંભ શૃંગાર એટલે વિયોગ, ગ્લાનિ, દુઃખ, ચિત્તમાં ઉન્માદ જેવી સ્થિતિ વિયોગ શૃંગારમાં છે. અત્યારે અરિહંત પ્રભુ સાક્ષાત નથી એમનો વિયોગ છે. ભગવંતનું આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષે ગયા. આ સ્થિતિનો વિચાર ૧૪૦ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ કરીએ તો વિયોગ શૃંગાર રહેલો છે. આ રીતે અરિહંતની વિચારણા એ શૃંગારરસ છે. “નમો અરિહંતાણં” એનો આવો અર્થ વિચારવાની પ્રક્રિયામાં શૃંગારરસનું સ્થાન છે. ૨. હાસ્યરસ : હાસ્યરસમાં હસવું અને બીજાને હસાવવાનું નિમિત્ત બનવું. ચિત્ર-વિચિત્ર વેશભૂષા, અંગોપાંગની વિકૃત સ્થિતિ, ચંચળતા, એષ્ટાઓ દ્વારા હાસ્ય નિષ્પન્ન થાય છે. આ હાસ્ય “સ્થળ' છે. હાસ્યથી શરીરમાં ફેરફાર થાય છે. નાક ફૂલે, હોઠ પહોળા થાય, ગાલમાં ખાડા પડે, ચક્ષુમાં ચકમક થાય. આ ફેરફારનું કારણ હાસ્ય રસ છે. તેના છ પ્રકાર હસિત, વિકસિત, ઉપહસિત, અપહસિત, અતિહસિત, સ્મિત. આ છ પ્રકારમાં “મિતનું હાસ્ય ઉત્તમ ગણાય છે. નવકારમાં પંચ પરમેષ્ઠિ છે. મનુષ્ય જન્મ મળ્યા પછી મહામંત્ર - મંત્રાધિરાજ નવકારની પ્રાપ્તિ થઈ એના જેવો બીજો કોઈ આનંદનો - હાસ્યનો પ્રસંગ નથી એમ વિચારવું જોઈએ. તેની ઉપેક્ષાથી મનુષ્યની દુર્દશા થઈ છે. ક્યાં વીતરાગ ? અને ક્યાં મારો તુચ્છ આત્મા? આ પ્રકારની વિચારણાથી હાસ્ય નિષ્પન્ન થાય છે. આત્મા પોતાની મૂર્ખતા પર હાસ્ય કરે છે. જ્યારે વીતરાગની વિચારણા કરે છે ત્યારે મંદ મંદ સ્મિતની લાગણી ઉદ્દભવે છે. હાસ્ય એ મોહનીય કર્મની સ્થિતિ છે, આત્માની સુધારણા કરવાની છે. ચાર ગતિમાં ભ્રમણ કરતો આત્મા જગતની વિચિત્રતા એ પણ પરમેષ્ઠિની વિચારણામાં હાસ્ય ઉત્પન્ન કરાવે છે. ૩. કરૂણરસ : સ્વજનનો વિયોગ, શોક, મૃત્યુ વગેરે પ્રસંગોમાંથી કરૂણ રસ ઉદ્દભવે છે. તદુપરાંત અનિષ્ટનો સંયોગ અને ઈષ્ટનો વિયોગ એ પણ આ રસના ઉદ્દભવમાં સ્થાન ધરાવે છે. આ રસનાં લક્ષણોમાં આંખમાં આંસુ, ગાત્રો શિથિલ થાય, સ્મૃતિ નાશ, વિચારોની અસ્થિરતા – સંકલ્પ – વિકલ્પ, શૂન્યમનસ્ક જેવી સ્થિતિનો નવકારમંત્રમાં નવરસો ૧૪૧ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ અનુભવ થાય છે. આ રસની સ્થિતિમાં જો આયુષ્યનો બંધ પડે તો આત્મા દુર્ગતિમાં જાય છે. શોક એ પણ મોહનીય કર્મની જ પ્રકૃતિ છે. તેને કારણે આ લોક-પરલોક બગડે છે. દુઃખદ સ્થિતિનો અનુભવ થાય છે. જીવનની શાંતિ અને સુખમાં અંતરાય ઊભો થાય છે. અરિહંતની યથાર્થ વિચારણાથી આ રસની અનુભૂતિ થાય છે. નંદિષણ અરણિક મુનિના જીવનના પ્રસંગોની વિચારણાથી કરૂણરસ સમજાય છે. અનંતપુણ્યના ઉદયથી સંયમ પ્રાપ્ત થયા પછી મોહનીય કર્મની સ્થિતિને કારણે આત્મા પતિત થાય છે. આ વિચારથી કરૂણરસ ઉદ્દભવે છે પણ એને તો ગુરુ વચનથી આત્માનો ઉદ્ધાર થાય છે. અરિહંતનો સાક્ષાત્ વિયોગ આ ભરતક્ષેત્રમાં છે એ પણ વિચારીએ તો કરૂણ૨સની સ્થિતિ દર્શાવે છે. - ૪. રૌદ્ર રસ : ક્રોધ – તોડન – તિરસ્કાર - કઠોર વચન આદિથી રૌદ્રરસ ઉદ્ભવે છે. ક્રોધ કષાયની તીવ્રતાથી રૌદ્રરસ નિષ્પન્ન થાય છે. રૌદ્ર રસ એ જૈન ધર્મની દૃષ્ટિએ રૌદ્ર ધ્યાન કહેવાય છે. તેના ધ્યાનથી નરકગતિમાં જીવાત્મા જાય છે. મહામંત્રના ધ્યાનથી ક્રોધ શાંત થાય છે. શુભ ધ્યાનમાં આવે છે. પંચ પરમેષ્ઠી એ જીવાત્માને સર્વોત્તમ સ્થિતિ અનુભવે છે. ક્રોધથી હાંસીપાત્ર બનાય છે. પીડા થાય છે. અજ્ઞાનદશા અને કર્મોદયનો વિચાર કરવો જોઈએ. આ પ્રકારની વિચારણાની પ્રક્રિયા રૌદ્રરસની સ્થિતિમાં રહેલી છે. ૫. વીરરસ : નીતિ નિયમનું પાલન, શક્તિ બળ, પરાક્રમ, વિનય અને ઉત્સાહ જેવા ભાવથી વી૨૨સ ઉદ્દભવે છે. આ પ્રકારની અભિવ્યક્તિમાં ધૈર્ય, શૌર્ય - ડહાપણ રહેલું છે. વીસ સર્વ ઇન્દ્રિયોની પ્રવૃત્તિમાં રહેલો છે. તેના પ્રકાર દાનવીર, દયાવીર, યુદ્ધવીર, ધર્મવી૨ એમ ચાર છે. મહામંત્રના સ્મરણથી આત્મામાં ૧. તાડન = મારવું ૧૪૨ For Personal & Private Use Only જ્ઞાનતીર્થની યાત્રા Page #184 -------------------------------------------------------------------------- ________________ વિરરસ ઉદ્દભવે છે. ઉત્સાહ વધે છે. ચેતન શક્તિ થનગને છે. “અરિહંત' પરમાત્માએ આંતર-બાહ્ય શત્રુઓને જીત્યા એ વીર રસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાગ-દ્વેષ દૂર કરવાની સાધના એ ઉત્તમોત્તમ વીર રસનું દૃષ્ટાંત છે. સિદ્ધ પરમાત્માએ ભવભ્રમણ કરાવનાર આઠ કર્મોનો નાશ કર્યો તે વિચારણામાં પણ વીરરસ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુવંદ પાંચ મહાવ્રત, અષ્ટપ્રવચન માતા, બાવીશ પરિષહ, દશયતિ ધર્મનું પાલન કરે છે એવા સંયમ શૂરવીર છે. એ વીરરસનું નમૂનેદાર દાંત છે. પંચ પરમેષ્ઠીના પાંચ પદની આ પ્રકારની વિચારસૃષ્ટિ વીરરસની અનુભૂતિ કરાવવા સમર્થ છે. ૬. ભયાનક રસ : “ભયની લાગણીમાંથી ભયાનક રસ ઉદ્દભવે છે. કાયિક, વાચિક અને માનસિક રીતે ભયની અનુભૂતિ થાય છે. મહામંત્રના પાંચ પદોની સૂક્ષ્મ વિચારણાની સાથે પોતાના આત્માની વર્તમાન પરિસ્થિતિનો તુલનાત્મક વિચાર કરતાં આત્મા ધ્રુજી ઉઠે છે. અનાદિકાળથી આત્માને ભય રહેલો છે. તે પંચ પરમેષ્ઠીએ દૂર કરવાનો માર્ગ બતાવ્યો છે. હેમચંદ્રાચાર્યની પુષ્પમાળાના પુસ્તકના વિચારોથી સંસારનું સ્વરૂપ જાણીને ભયાનક રસની સ્થિતિ જોવા મળે છે. મોહાદિ આત્મ શત્રુઓની ભૂમિ આ સંસાર છે. તેનું ચિંતન જગતની વિચિત્રતાથી ભયાનક સ્થિતિનો અનુભવ થાય છે. સંસારી જીવોના ત્રાસદાયક સ્થીતિ, કષાય, દુઃખ આદિની વિચારણાએ ભયાનક રસનું ઉદાહરણ છે. ૭. બીભત્સ રસ : જુગુપ્સામાં આ રસની લાગણી રહેલી છે. અંગનષ્ટ, દુર્ગધ, લોહી, પરૂ, અશુચિ વગેરેથી બીભત્સ રસ નિષ્પન્ન થાય છે. મહામંત્રમાં આ રસ માટે જીવાત્માની વર્તમાન સ્થિતિની વિચારણા કરવામાં આવી છે. આત્માની ગર્ભાવસ્થાની સ્થિતિનો વિચાર, રૂધિર અને શુક્રાણુઓનો સંયોગ, મળ, મૂત્રની ક્યારીમાં નવકારમંત્રમાં નવરસો ૧૪૩ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ રહેલો આત્મા, જન્મ થવો, સંસારમાં ભ્રમણ, જન્મ-મરણ અને ચાર ગતિમાં રખડપટ્ટી વગેરેના વિચારોથી બીભત્સ ઉદ્દભવે છે. પંચપરમેષ્ઠીની વિચારણા કરવાથી આત્મા કેવી ઉચ્ચ સ્થિતિમાં છે અને આપણો આત્મા સંસારમાં રખડે છે. આ શરીર પુદ્ગલ પદાર્થ છે. તેની આસક્તિથી વાસનાનું જોર, ઈન્દ્રિયોની ગુલામી જેવી સ્થિતિથી આ રસ ઉદ્ભવે છે. આ પ્રકારની વિચારણાની સાથે પંચ પરમેષ્ઠીના આત્માનો વિચાર કરીએ તો પોતાનો આત્મા શુદ્ધ થાય છે અને આત્મ વિકાસમાં વૃદ્ધિકારક બને છે. ૮. અભુત રસ : આ રસનું ઉદ્ભવસ્થાન “વિસ્મયની લાગણી છે. કોઈ કોઈ દિવ્ય વસ્તુ “પદાર્થનું દર્શન ઈચ્છિત મનોરથની પ્રાપ્તિ-પૂર્તિથી અદ્ભુત રસની અનુભૂતિ થાય છે. પાત્રોની ઉત્તમ સ્થિતિનું નિરૂપણ, અલંકારો, ચિત્રાંકિત વસ્તુ, વિરોધાભાસ વગેરેથી રસ નિષ્પન્ન થાય છે. મહામંત્રના જાપ અને સ્મરણથી દિવ્યાનુભૂતિ થાય. નવકારના પ્રભાવનાં દાંતો શેઠ સુદર્શન-નવકારથી શૂળીનું સિંહાસન, શ્રીમતી શ્રાવિકા સતીનવકારથી સર્પની જગાએ ફૂલની માળા, ભિખારીનો જીવ સંપ્રતિ રાજા થયો - આર્ય સુહસ્તિસૂરિના દર્શનથી જાતિ સ્મરણ થતાં પૂર્વ ભવનું જ્ઞાન થયું, ઉપરાંત અરિહંત અને સિદ્ધના સ્વરૂપની વિચારણા એ અદ્ભુત રસના ઉદાહરણરૂપ છે. અરિહંતની વાણીનો પ્રભાવ - સમવસરણની રચના જીવો પોતપોતાની ભાષામાં વાણી સમજે આ બધી માહિતી એ અભુત રસની આસ્વાદની છે. ૯૮ શાંત રસઃ શાંત રસ માટે વૈરાગ્યની લાગણી કાર્યરત છે. સંસારની અસારતા અનિત્યભાવના, અશરણભાવના, સંસારભાવના, એત્વભાવના, અન્યત્વભાવનાનું સ્વરૂપ વિચારવાથી શાંતરસ ઉદ્દભવે છે. સંસાર અસાર છે તેનું જ્ઞાન થાય. તત્વત્રયીનો ૧૪૪ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ આદર, પરમાત્માની કૃપા, સજ્ઞાનનાં અનુભવ, ગુફા, એકાંત સ્થાન, દેવસ્થાન વગેરેથી શાંત રસ નિષ્પન્ન થાય છે. કામ, ક્રોધ, હર્ષ-શોક, રાગ, દ્વેષ વગેરે મહામંત્ર નવકારથી શાંત થાય અને શાંતરસનો સાચો અનુભવ થાય. એકાંતમાં બેસીને ધ્યાનપૂર્વક નવકારનું સ્મરણ અને ચિંતન ધ્યાનરસના ઉદાહરણરૂપ છે. તેના દ્વારા અગમ્ય અનુભવ થાય છે. અરિહંત અને સિદ્ધનું ધ્યાન કરવું તે શાંતરસ સમાન છે. આચાર્યઉપાધ્યાય અને સાધુ જીવાત્માને આત્મકલ્યાણમાં શરણરૂપ છે પાંચ મહાવ્રતની વિચારણા અને યોગનાં આઠ અંગોનું ચિંતન-સ્મરણથી શાંતરસની સાધના થાય છે. નવકારનો જાપ કરવો અને ત્યાર પહેલાં તે પાંચ પદોનો ઊંડો અભ્યાસ આ માટે જરૂરી છે. સવા પાવપ્પણાસણો - નવકારના જાપથી મોહનીય કર્મનો પણ ક્ષય થવામાં સહાય મળે છે. પંચ પરમેષ્ઠીના સ્મરણમાં પણ શાંત રસ રહેલો છે. જગતના બાહ્ય મંગલ કરતાં આત્માની શાંતિ એ સાચું મંગળ છે. નવકારના નવરસની વિચારણા મહામંત્રના ગૂઢાર્થમાં છે. રસશાસ્ત્રની દૃષ્ટિએ નવરસ કહીએ પણ સત્ય તો આવા વિચારો અને ચિંતન દ્વારા આત્માના શાંત અને સમૃદ્ધ સામ્રાજ્યની અનુભૂતિ એ જ ઈષ્ટ ગણાય. તેનાથી આત્માના વિકાસ તરફ ગતિ કરવાની પ્રેરણા મળે છે. નવરસ અને નવકારના માધ્યમથી એને તો આત્માનો જ વિચાર અને તેના ગુણોની પ્રાપ્તિ છે. નવકારમંત્રમાં નવરસો ૧૪૫ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩. બારમાસા - કાવ્યોની સમીક્ષા www જૈન સાહિત્યમાં સ્થૂલિભદ્ર - કોશા અને નેમ-રાજુલના જીવનના પ્રસંગોને કેન્દ્રમાં રાખીને બારમાસા - ઋતુ કાવ્યની રચના થઈ છે. આ કાવ્યોમાં કવિત્વ-શક્તિની સાથે પ્રકૃતિની પશ્ચાદભૂમિકાથી અનોખી કવિપ્રતિભાનું દર્શન થાય છે. નેમનાથ-રાજુલના બારમાસાનો એક સંગ્રહ સં. ૧૯૪૭માં પ્રગટ થયો હતો. તેના ટાઈટલ પેજ ઉપર પ્રકાશકનું નામ નથી પણ જૈન ધર્મી શ્રાવક એવા શબ્દોની નોંધ છે. બારમાસા'નાં વિવિધ કાવ્યોની ટૂંકી નોંધ અત્રે પ્રગટ કરવામાં આવી છે તે ઉપરથી જૈન સાહિત્યની કાવ્ય સમૃદ્ધિની સાથે કલાની દૃષ્ટિએ પણ વિશિષ્ટ કોટીનું પ્રદાન છે તેનો ખ્યાલ આવે તેમ છે. પ્રકૃતિ, પ્રણય અને માનવજીવનની શૃંગાર અને વિરહના રસને કલાત્મક રીતે અભિવ્યક્ત કરીને બારમાસા કાવ્યો જૈન સાહિત્યની ઉત્તમ કૃતિઓ ગણાય છે. કૃતિઓની માહિતી નીચે પ્રમાણે છે. ૧. પ્રાચીન “બારમાસાની રચના પ૩૩ વર્ષ પહેલાંની કવિ ડુંગરસ્વામીની પ્રાપ્ત થાય છે. ૧૪૬ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ડુંગરસ્વામી અંચલગચ્છના ધર્મસૂરિની પરંપરામાં ક્ષમાસાગરના શિષ્ય હતા. કવિએ નેમિનાથ ફાગ (બારમાસ) એ સંજ્ઞાથી રચના કરી છે. ર૬ ગાથાની આ કૃતિમાં ઋતુને અનુરૂપ મિતાક્ષરી ઉલ્લેખ કરીને રાજુલના વિરહને વાચા આપી છે અને અંતે રાજિમતી સંયમ સ્વીકારીને તપ-જપથી કર્મ ખપાવીને સિદ્ધિપદને પામે છે એવો સુખદ અંત દર્શાવ્યો છે. ભાષા જૂની ગુજરાતી અને અપભ્રંશને મળતી આવે છે. કવિ ડુંગરસ્વામીએ નેમનાથ ફાગ-બારમાસાની રચના સં. ૧૫૩૫માં કરી છે. જૂની ગુજરાતી ભાષાની આ રચનાને ફાગ અથવા બારમાસાની સંજ્ઞા આપવામાં આવી છે. “ફાગ” એ વસંતની પશ્ચાદભૂમિકામાં રચાયેલું રસભાવ અને ઋતુના સમન્વયથી કલાત્મક કાવ્ય ગણાય છે. ફાગ-ફાગુ કાવ્યમાં ઋતુના સંદર્ભથી બારમાસાનો ઉલ્લેખ થાય છે. કવિ ડુંગરની પ્રાચીન કાવ્યકૃતિ બારમાસાની સંક્ષિપ્ત નોંધ પ્રગટ કરવામાં આવી છે. કવિએ બારમાસા કાવ્યને અનુરૂપ અષાઢ માસથી જેઠ માસ સુધીના બારમાસનું અનુસરણ કર્યું છે. કાવ્યનો આરંભ નેમનાથ લગ્નને માંડવે આવ્યા અને પશુઓનો પોકાર સુણીને રાજિમતીનો ત્યાગ કરી ગઢ ગિરનાર પહોંચી જાય છે તે પ્રસંગથી થયો છે. કેટલાંક સ્તવનો પણ આજ પ્રસંગથી શરૂ થયાં છે. પછી રાજિમતીના વિરહને વ્યક્ત કરવામાં આવ્યો છે. કવિએ પ્રત્યેક માસના પ્રકૃતિના સંદર્ભમાં વિરહની રસિક અભિવ્યક્તિ કરી છે. બારમાસા - કાવ્યોની સમીક્ષા ૧૪૭. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ તોરણિ વાલમ આવિલ યાદવકુલ કેરઉ ચંદ આસુઅ દેખિ રથ વાલિઉ દિહિદિસ હુઉ છંવિદ ૧ / નિશિ અંધારી એકલી મધુર સુવાસિસમોર સંતાવઈ પાપિઓ વાલંભહિઈ કઠોર | ૨ | (ગા. ૧-૨) વિરહની વેદના આપતી દૃષ્ટાંતરૂપે કાવ્ય પંક્તિઓ જોઈએ તોધુરિ આસાઢઉ ગોરીને ગુણ નેહ ગાજિમ પાપિઉ છાની પરિસિ ન મેહ | ૩ | શ્રાવણ વરિસઈ સરવડે મેહ ન ખંડધાર મેં મોરૂં મન વ્યાપિઉં પ્રીયડઉ કરઈ ન સાર | ૪ || (ગા. ૩-૪) આસો માસઃ આસો આસા બંધડી હુ મેલ્હી ઈણ કતિ માલતિ પરિહરી પારિધિ પૂઠિ ભમંતિ || ૭ || પોષ માસ : અહે પોસ માસિ જઉ પ્રિયેમિલઈ તક મનવંછિત હોઈ ભણઈ રાણી રાઈમઈ નેમિ ન મેલઈ કોઈ ૧૩ . (ગા. ૧૩) ફાગણ માસ : અહે કરહુ સહિજિકુલીધીઉ મુહવાઈ કરીરિ ફલીદ્રાખં પરિહરી કંટક લાઈ સૂરીરિ (ગા. ૧૮) વૈશાખ માસઃ અહે વૈશાખ લૂઆ વાઈસિઈ પરબત ઉપરિવાહ આગઈ દુખિદિન નીગમઈએઅ અધિકેર નાહ | (ગા. ૨૧) ૧. થે = તે ૨. દ્રાખ = દ્રાક્ષ ૧૪૮ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ બાર માસનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે – અહે બારહ માસહ માહિલ જેઠ વડ વરહોઈ પભણઈ રાણી રાઈમઈ નેમિ ન મેલઈ કોઈ | રર || (ગા. રર) રાજિમતી વિરહાવસ્થામાં સ્વામીનું સ્મરણ કરતાં આઠ ભવની પ્રીતડી છે તો તે જાણીને મને સ્વીકારો. રાજિમતી અંતે નેમનાથ ભગવાન પાસે પહોંચીને દીક્ષા અંગીકાર કરી નેમનાથ સ્વામી પહેલાં મોક્ષે જાય છે એવી સુખદ અભિવ્યક્તિ કરી છે. અહે તપ જપ સંજમ આદરી કીધી નિરમલકાય નેમિ પહેલી રાઈમઈ સુખે શિવપુર જાઈ ૨૫ . અહે રાજમતિ ? સિંઈ રાઈમઈ મુહુતી સિદ્ધિ સવાય ડુંગરસ્વામી ગાઈતાં અહલ્યા ફલઈ તાહુ / ર૬ | (ગા. રપ-ર૬) જુની ગુજરાતી ભાષા તેને મારૂ ગૂર્જર ભાષા પણ કહેવાય છે. ગુજરાતી ભાષાના વિકાસમાં આ ભાષા ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. અથ ઋષભદેવના બારમાસા: પ્રથમ નિણંદ પ્રણમું પાયા, જનની મરૂદેવી એ જાયા ઋષભદેવ ધૂલેવા નગર રાયા જગત ગુરુ જિનવરને જાણીએ ! વિષય, કષાય, કપટ છે જગત / ૧ / તજીએ. કાર્તિકે કેસરીનું મિલશે, જનમ જનમના દુઃખ હરશે મહારા વંછિત સહુ ફલશે / જગત || ૨ | બારમાસા - કાવ્યોની સમીક્ષા ૧૪૯ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ માંગશીરે મન મોહ્યું મારું તુરત દરિશણ થયું તારું તાહરી સુરત પર વારે વારે આ જગત || ૩ | પોષે પ્રીતલડી પાલો, તિનભુવન માંહે જીનીવાલો તુમ તો દીન તણા દયાલો || જગત || ૪ || મહા સુદિ પંચમી દિન આવે મોરલી સહુ બંધાવે છે ગુણી જન રાગ વસંત ગાવે જગત ૫ || ફાગુણે ફાગ ખેલું તેમશું કેસર કસ્તુરીયે રમશું છે વિલેપન કરી સદા નમશું / જગત || ૬ || ચૈત્રે ચિત લાગું ચરણે ફૂલ ગુલાબ મુગટ ચરણે // સેવા તારણ ને તરણે એ જગત | ૭ || વૈશાખે ફૂલી વનરાઈ, ત્રીજની અખાત્રીજી ભાઈ મહારે કેશરીયાશું સાચી સગાઈ ! જગત | ૮ || જેઠે જિન પાસે આવું શીતલ જલ લઈ નવરાવું પંખો કરતા પુણ્ય પાનું | જગત || ૯ || અષાઢ મેઘ ઘણા ગાજે ઢોલ મૃદંગ તિહાં વાજે | ઈણે દરબારે સદાવાંજે / જગત || ૧૦ || શ્રાવણીયે સરવરિયાં વરસે બપૈયા મોર દાદુર પીસે ગુણિજન રાગ મલ્હારે ગાસે || જગત || ૧૧ || ભાદ્રવે ભવિક કરો ભક્તિ પરવ પજુસણ કરો જુક્તિ પૂજા ભણાવું ભલે ભક્તિ / જગત | ૧૨ / આસુયૅ પૂરીજે આસા ઘર ઘર દીપક સહુ થાસા / હરખે ગાયે ઋષભદાસા / જગત | ૧૩ | બારે માસ કરું સેવા ઋષભદેવ માગવું મેવા દેજો દીનતણા દેવા | જગત || ૧૪ | ઇતિ ૧૫૦ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ 28ષભદેવજીના બારમાસા - પરિચય બારમાસા ઋતુ કાવ્યનો એક પ્રકાર છે. તેનાં મુખ્યત્વે પ્રકૃતિની પશ્ચાદ્ભૂમિકામાં વિરહ-શૃંગાર રસનું નિરૂપણ મહત્ત્વનું ગણાય છે. સ્થૂલિભદ્ર - કોશા, નેમનાથ-રાજુલ વિશે બારમાસાની કૃતિઓ રચાઈ છે. ભક્તિ નિમિત્તે પાર્શ્વનાથ અને ઋષભદેવ ભગવાનની બારમાસા કાવ્ય પ્રાપ્ત થાય છે. કવિ ઋષભદાસ કૃત ઋષભદેવ ભગવાનના બારમાસાની રચનાનો આરંભ કારતક માસથી થયો છે અને અંતે આસો માસનો ઉલ્લેખ છે. કવિએ પ્રકૃતિના ઉલ્લેખ સાથે પ્રભુ ભક્તિનો મહિમા ગાયો છે. આરંભની પંક્તિઓ જોઈએ તો - પ્રથમ નિણંદ પ્રણમું પાયા, જનની મરૂદેવી એ જાયા ઋષભદેવ ધૂલેવા નગર રાયા, જગત ગુરુ જિનવરને જાણીએ / ૧ / બીજી કડીથી ૧૨ કડી સુધી કારતક થી આસો માસનો સંદર્ભ આપીને વિવિધ પ્રકારની પ્રભુ ભક્તિના વિચારો પ્રગટ થયા છે. ( કારતક માસમાં પ્રભુના દર્શનથી મનવાંછિત પ્રાપ્તિ, માગશરમાં પ્રભુની મૂર્તિથી મન મોહ્યું છે. પોષ માસમાં પ્રભુ દીનદયાળુ, મહામાસમાં વસંતનું આગમન - વસંત રાગ ગાવાનો, ફાગણમાં પ્રભુ સાથે કેશર-કસ્તુરીથી અને વિલેપનથી પૂજા કરીને ફાગ ખેલવો, ચૈત્રમાં પ્રભુની પુષ્પોથી ભક્તિ કરવી. મુગટ ચઢાવવો, વૈશાખમાં ફૂલોની માળા પુષ્પ વૃષ્ટિ, જેઠ માસમાં પ્રભુને અભિષેક અને પંખાથી બારમાસા - કાવ્યોની સમીક્ષા ૧૫૧ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યપૂજા, અષાઢમાં મેઘ ગર્જના કરે છે ત્યારે ઢોલ, મૃદંગના વાજિંત્રનો નાદ ગુંજે છે. કવિના શબ્દોમાં શ્રાવણ માસની ભક્તિનો વિચાર જોઈએ તોશ્રાવણીએ સરોવરિયા વરસે, બપૈયા, મોર, દાદુર પીસે ગુણીજન રાગ મલ્હારે ગાસે / જગત / ૧૧ છે. ભક્તો મલ્હાર રાગમાં ભગવાનનાં ગુણ ગાશે. (અહીં ચૈત્યવંદન-સ્તવન-સ્તુતિનો સંદર્ભ સમજવો.) ભાદરવા માસમાં પર્વાધિરાજની આરાધના કરી ભક્તિ નિમિત્તે પૂજા ભણાવવી અને આસો માસમાં મનની આશા પૂર્ણ થાય દીપાવલી પર્વ આવે અને ઘર ઘર દીપક પ્રગટાવી હર્ષની અનુભૂતિ થાય. આ રીતે બારમાસ દ્વારા ભક્તિ કરીને “મેવા’ શાશ્વત સુખ આપો એવી અભિલાષા પ્રગટ થઈ છે. “બારે માસ કરું સેવા” પંક્તિથી આખું વર્ષ પ્રભુની સેવા કરવાની ભાવના વ્યક્ત થઈ છે. ' અહીં પ્રકૃતિનો નામોલ્લેખ ભક્તિના સંદર્ભમાં થયો છે. ફાગ ખેલવો, પુષ્પોની વૃષ્ટિ, સરોવરી નીર ભર્યા, બપૈયા, દાદુર મોરનો શ્રાવણ માસમાં ઉલ્લેખ, વસંત ઋતુ, વૈશાખમાં વન-ઉપવનમાં વિકાસ પામેલી પ્રકૃતિનું દર્શન, મેઘ ગર્જના વગેરેથી પ્રકૃતિનો પરિચય થાય છે. ઋતુ કાવ્યને અનુરૂપ આ પ્રકૃતિનો પ્રયોગ કાવ્યની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. અહીં શૃંગાર રસ-ભક્તિ શૃંગાર તરીકે સ્થાન ધરાવે છે. પ્રભુ ભક્તિનો ભાવભર્યો સ્નેહ ભક્તિરસનું દૃષ્ટાંત પૂરું પાડે છે. ઋતુ કાવ્યની પરંપરામાં આ અભિનવ રચના કાવ્ય અને ભક્તિના સમન્વયથી આસ્વાદ્ય બની છે. ૧૫૨ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ બારમાસો મધ્યકાલીન સમયમાં રાસ, ફાગુ, વિવાહલો, ધવલ, જ્યાં દીર્ઘ કાવ્યોની સાથે લઘુ કાવ્ય પ્રકાર તરીકે બારમાસાની રચનાઓ પ્રાપ્ત થાય છે. ઋતુકાવ્ય પ્રકાર તરીકે પણ આ રચનાઓ પ્રસિદ્ધ છે. વર્ષની ઉત્તમ ઋતુમાં વસંત અને વર્ષાનો સમાવેશ થાય છે. બારમાસ કાવ્યમાં વર્ષના બાર માસના ક્રમિક આલેખન દ્વારા વિરહવેદનાને વાચા આપવામાં આવે છે. તેમાં પણ વિપ્રલંભ શૃંગાર ભાવવાહી રીતે સ્થાન ધરાવે છે. બારમાસ લઘુ કાવ્ય પ્રકાર હોવા છતાં તેમાં કલ્પનાનો વૈભવ, રસનિરૂપણ અને ભાવ સ્થિતિનું હૃદયસ્પર્શી નિરૂપણ થયું છે. એટલે કાવ્ય તરીકે સ્વતંત્ર પ્રકાર ગણીએ તો પણ યોગ્ય ગણાશે. જૈન અને જૈનેતર કવિઓએ બારમાસની રચના કરી છે તેમાં વિરહ ઉપરાંત ઉપદેશ અને જ્ઞાન માર્ગના વિચારો પ્રાપ્ત થાય છે. જૈન સાહિત્યમાં મુખ્યત્વે ધૂલિભદ્ર અને કોશાનો સંબંધ, નેમનાથ અને રાજુલ-રાજિમતીના સંદર્ભમાં બારમાસા કાવ્યો રચાયાં છે. તેમાં કોશા અને રાજુલની વિરહવેદના મૂર્તિમંત અભિવ્યક્ત થઈ છે. આ.બુદ્ધિસાગરસૂરિ, આ.વલ્લભસૂરિની બારમાસા રચનાઓમાં ઉપદેશ અને જ્ઞાન-ભક્તિનો સમન્વય સધાયો છે. - કવિ જિનહર્ષની એક કાવ્યકૃતિ પાર્શ્વનાથ બારમાસ શ્રી કૈિલાસસાગરસૂરિ જ્ઞાન મંદિરમાંથી પ્રાપ્ત થઈ છે તેને આધારે પાર્શ્વનાથ બારમાસનો પરિચય આપવામાં આવ્યો છે. આ કાવ્યમાં “માસ' ક્રમ કવિપ્રતિભા પર અવલંબે છે. સામાન્ય રીતે કારતક થી આસો માસનો ક્રમ પ્રચલિત છે. પણ વિરહવેદનાના નિરૂપણ માટે ક્રમમાં ફેરફાર કરવામાં આવે છે. કવિ બારમાસા - કાવ્યોની સમીક્ષા ૧૫૩ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષની રચનામાં શ્રાવણ માસથી કાવ્યનો આરંભ કરીને અષાઢ માસના નિરૂપણ દ્વારા કાવ્ય પૂર્ણ થાય છે. આ કાવ્યની વિશેષતામાં અનેરું આકર્ષણ એ છે કે પ્રકૃતિ-પ્રણય અને માનવ જીવનના સંગમ દ્વારા કલાત્મક અભિવ્યક્તિ થઈ છે. પ્રકૃતિના વિવિધ ઋતુમાં પરિવર્તન પામતા અવનવા રંગોથી માનવ જીવન પર પણ તેનો પ્રભાવ પડે છે અને જીવનના અવનવા રંગોનું ચિત્રણ થતું નિહાળી શકાય છે. સાંપ્રદાયિક સાહિત્યમાં બારમાસ કાવ્યો કલાત્મક અને કાવ્યની દષ્ટિએ ઊંચી ગુણવત્તા ધરાવે છે. તેમાં રહેલી પ્રકૃતિની ઉદ્દીપન વિભાવનાથી જીવનની રંગીનતાની એક ઝલક હૃદયસ્પર્શી બને છે. પાર્શ્વનાથ બારમાસોની રચનામાં ૧૩ કડી છે. ૧૨ કડીમાં માસવાર રસિક અભિવ્યક્તિ દ્વારા પ્રણયની વિભાવનાનું નિરૂપણ થયું છે. ૧૩મી કડીમાં કાવ્ય પૂર્ણ થયું છે તેનો ઉલ્લેખ થયો છે. વામા માતા પાર્શ્વનાથના વિરહની વેદનાને અનુભવે છે તેનો શ્રાવણ માસમાં ઉલ્લેખ થયો છે. શ્રાવણ માસમાં ઝરઝર મેઘ વર્ષે છે. વીજળીના ચમકારા ઝબકારા થાય છે. દેહમાં દાહજ્વર સમાન પીડાની અનુભૂતિ થાય છે અને માતાને પાર્શ્વનાથનું ચિત્તમાં વારંવાર સ્મરણ થાય છે પરિણામે વિરહની માત્રા પણ વૃદ્ધિ પામે છે. અહીં શ્રાવણ માસનો મેઘ-વીજળી જેવા પ્રકૃતિના શબ્દોનો પ્રયોગ વિરહને સાકાર કરે છે. ભાદરવો ભરપુર કહેવાય છે. મુશળધાર વર્ષા થાય છે. મોરપપીતા-દર્દ શોર કરે છે. નદી-સરોવર પાણીથી છલકાય છે. ત્યારે પાર્શ્વકુમાર વારંવાર યાદ આવે છે. આસો માસમાં સ્વાતિ નક્ષત્ર ચંદ્રની શીતળ ચાંદનીના ભૂમિકામાં વિરહ વધુ ગાઢ બને છે. ૧. દર્દર = દેડકાં ૧૫૪ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ કારતક માસમાં ઠંડીની અનુભૂતિ થાય છે. દીપાવલીનું પર્વ ઘરઘર ઝગમગતા દીવડા ઘર-ઘર પકવાન આનંદનું વાતાવરણ છે. સર્વત્ર સુખની લહેર છવાઈ પણ મારે તો હે સખી પાર્શ્વકુમાર નથી એટલે અશાંતિ છે. પોષ માસની સખત ઠંડીમાં અગ્નિથી (ગરમી) શીતળતા મળે પાર્શ્વકુમાર મને છોડીને ગયા એમ ચિત્તમાં વિચાર આવે છે. મહા માસમાં શીતળતાની લહેરની અનુભૂતિ થાય છે અને રાત-દિન પસાર કરવામાં વિરહની ભાવના વધે છે. ફાગણ માસ હોળીનું પર્વ. રંગ-ગુલાલ ફાગ ખેલતાં નરનારીઓ આનંદ અને ઉલ્લાસનું પર્વ. ફાગણ માસના વર્ણનમાં અનેરો ઉત્સાહ પ્રગટ્યો છે. વાજિંત્રનો નાદ પણ આનંદમાં અભિવૃદ્ધિ કરે છે અહીં પ્રકૃતિનું નિરૂપણ સૌ કોઈને આનંદદાયક બને છે. ચૈત્ર માસમાં શીતળતા દૂર થઈ અને ગરમી-તાપનો પ્રભાવ પડ્યો છે. વૈશાખી વાયરા આનંદદાયક લાગે પણ કવિના શબદો છે. તડકો લાગે છે આકરો સખી ? આવ્યો માસ વૈશાખ રે. જેઠ માસમાં ધરતી ગરમાગરમ વધુ તપી જાય છે. રાતનો સમય સ્વપ્નવત્ લાગે છે અને ભૂમિ તો અગ્નિ સમાન બની છે. પાણી વિના કંઠ રૂંધાય છે. વિરહાવસ્થા વધુ પ્રબળ બની છે એવો ભાવ દર્શાવ્યો છે. - અષાઢ માસ બારમો છે. વાદળમાં સૂર્ય છુપાઈ જાય છે. મેઘનું આગમન થાય છે. મેઘ વૃષ્ટિથી વિરહની ગરમી દૂર થઈ છે. મેઘ વર્ષાથી ધરતી ભીની થઈ મેઘ ગર્જના થાય છે અને વસુધાનું નવલું સ્વરૂપ જોવા મળે છે. બારમાસા . કાવ્યોની સમીક્ષા '૧૫૫ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ કવિએ ખરેખર તો વિરહની ભૂમિકામાં પ્રકૃતિ નિરૂપણ દ્વારા એક મહત્ત્વપૂર્ણ તુ કાવ્યનો પરિચય કરાવ્યો છે. ૧૩મી કડીમાં કવિના શબ્દો છે. બારમાસ પૂરણ લીયા સખી ! અહનિસ પાસ નિણંદ પાર્શ્વનાથનું સ્મરણ કરતાં આ રીતે બારમાસ વીતી ગયા. કાવ્યની ભાષા સરળ અને સુગ્રાહ્ય છે. તેમ છતાં આસ્વાદ માટે સંક્ષિપ્ત વિગતો આપવામાં આવી છે. બારમાસોનો સારભૂત વિચાર વામા માતાની ભક્તિ અને વાત્સલ્ય છે. પાર્શ્વનાથ બારમાસો શ્રાવણ માસે ઉલયો સખી ઝિરમર વરસે મેહ ચમકે વીજ દિસો દિસે સખી દાઝે વિરહણ દેહ રે. ચાલે નિત નવલો નેહ રે સાંભરીયા વાલ્હા જેહ રે અલગા પરદેશી તેહ રે. તે વિણ આયા નિજ ગેહ રે ઈણરીત મુઝ પાસજી સાંભરે રે | ૧ ||. ભાડો ભર ગાજીયો સખી માંડ ઘટા ઘનઘોર બાલીહો પિયુ (૨) કરે સખી મધૂરા બોલે મોર રે દાદુર નિસ પાર્ડ શોર રે, ખલક્યા જલપાવસ જોર રે ગડ નદીયા ચિંહુ ઘોર રે કડલાગો ભાગોરી | ૨ | આસો માસ સડવડી સખી સ્વાતિ નક્ષત્ર મઝાર મોતી સાયર નીપજૈ સખી મુંહઘા મોલ અપાર રે ચંદ કિરણ ઘણું સુખકાર રે જે વિરહ જગાવણહાર રે પોઈણ સિરમાઝ હજાર રે ફુલી નિરમલ જલસાર રે || ૩ છે. ૧. સિરમાઝ = સરોવર મળે ૧૫૬ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ કાતી છાતી સીયલી સખી, સભિક્ષ અને સુકાલ રે પરવ દીવાલી આવીયો સખી ઘર ઘર દીપક માલરે. ઘર ઘર પકવાન વિશાલ રે, હિલમિલ ખેલે નરનારી સોહણ સુંદર સુકમાલ રે સહુ માણૈ સુખ રસાલરે ॥ ૪ ॥ વાસુરલઘુતા પામીયા મિગસર ચમક્યો ચિત મંડૈવંવાર પાલોબાલૈ પાપીયો સખી જાણે અંગ અંગાર રે ન ખમાઈ સિત લિગાર રે મંદિર નિજ વાત મોઝાર રે હિલ મિલ પોઢે વરબાલ રે, ઈમ સફલ કરૈ અવતાર રે ॥૫॥ પોષ રોસ ઘણું થયો સખી સગલે ચમક્યો ચિત્ત સુંદર પાણી સીયલો સખી પાવકસુ થઈ પ્રિતરે આવ્યો દક્ષણ આદિત રે તાઢક આવી બહુરીતરે મન કાહલ છોડિ મીત રે મિલીયા નિજ ચોખૈ ચિત્ત રે. ॥૬॥ માહા મહિનો આવીયો સખી વાઐ શીતલ વાવ અગન સરીખો આકરો સખી વા‰ શીતલ વાય બાલી સબવણરાય રે પોઈણ તાયૈકમલાય રે ડગલા દોટી સુંભાવ રે પાવકનો તાપ સુહાય રે નિસદિન શીત નજાય રે... || ૭ || ફાગુણ ફગફગીયો હવૈ સખી આયો માસ વસંતો રે નારી ગીત સુહામણા સખી ગાવૈ મન ઉલ્લસંત રે ખેલૈ નરનાર અનંતરે ચોવા ચંદનમહિ કંતરે વિચિ લાલ ગુલાલ ઉડંત રે ભલા ચંગ મૃદંગ વજંત રે ॥૮॥ ચૈત્ર સુહાવો આવીયો સખી વાજ્યા ઉન્હા વાય શીતલસી પાછા વલ્યા સખી, સૂરકિરણ પ્રફુલાય રે શીતલ છાંયા સહુ જાય રે ચૌબારા ગોખ સુહાય રે દિનતાપ રયણ સીધાય રે કુંપલ મેલાવણ જાય રે | ૯ || = વાસર દિવસ ૨. પાલો = ભાજીપાલો ૧. વાસુર બારમાસા - કાવ્યોની સમીક્ષા = For Personal & Private Use Only ૧૫૭ Page #199 -------------------------------------------------------------------------- ________________ તડકો લાગે આકરો સખી, આવ્યો માસ વૈશાખ રે નાન્તી કેરી આંબની સાખી, લંબ રહી કેઈ લાખ રે મોરી વનવાડી દાખ રે ટાઢા જલપાણી રાખ રે ઝીણા ઈક તારા રાખ રે, બીજા સહુ દીધાનાંખ રે || ૧૦ || જેટૈ જેવા દીહડા સખી જો૨ તથૈ જગભાણ રાત સુપન સરખી થઈ સખી સૂંઈ થઈ અગન સમાન રે પાણી વિણ છૂટે પ્રાણ રે ખલકૈ ભૂતાવડખાણ રે રાણીના કંણ જાણ રે, ઢીલા થઈ નિરબાણ રે || ૧૧ || આસાઢે ધનઉમહ્યો સખી વાદલ છાંયો સૂર પુહવીતન તાઢો થયો સખી આતપ નાઠો દૂરરે ગરહરીયા મેઘ ગરૂ૨રે ભીની ધરતી ભરપૂર રે નીલી થઈ ડહડહી નૂર રે વસુધા પ્રગટાણો સૂર રે । ૧૨ । બારહ માસ પૂરણ ભયા સખી અહિનિસ પાસ જિણંદ અશ્વસેન નૃપકુતિલો સખી વામા૨ાણી નંદરે સેવૈ જસુપાય ફણિંદ રે ખિજમતિ કરૈ ચોસઠ ઈંદ રે પરિતિખ જસુ સુરતરું કંદરે જિનહર્ષ સદા આનંદરે. ઇતિશ્રી પાર્શ્વનાથ બારમાસો સંપૂર્ણ ઉતાવહૈ મૈં લિખ્યો છે – કવિ જિનહર્ષ નેમનાથના બારમાસો ૧૫૮ વૈશાખે વન મોરીયો મોરીયા સહુકા વિરહ જગાવે કોયલી નહિ ઘર ભરથાર કહેજો સંદેશો નેમને જાદવને જાય. નિશદિન ઝૂરે ગોરડી ગોરી ધાન ન ખાય ૧. સાખી = ડાળી For Personal & Private Use Only કહેજો || ૨ || જ્ઞાનતીર્થની યાત્રા Page #200 -------------------------------------------------------------------------- ________________ જેઠ તપે રવી આકરો દાઝે કોમલ દેહ વિરહ દાવાનલ ઉલટ્યો પીઉ વિણ કુણ એહ... આસાઢે વાદલ થયા આયૌ પાવસ કાલ હું કહોને કિણ પર રહુ એલડી નિરાંત... શ્રાવણ ઘોર ઘટાકરી વરસે જલધાર બપહિઉ પીયુ પીયુ કરે પીયુ સાલે અપાર... ભાદ્રવડો ભલે ગાજીયો ખલણ જલ ખાસ ચિંહુ દિશે ચમકે દામની જાણેપાવસ કાલ... પ્રાસુ પાણી નિરમલા નિરમલ ગોખીર આવોને પ્રીતમ પીજીઈ ટાઢો થાઈ સરીર... કાતિ કરવત સારીખો જાણે છાતીમેં તીર પરવ દીવાલી કીમ કરું ઘર નહિ જલદનો પોષે કાયા પોસીયે કીજે સરસ આહાર સૂઈજ સેજ સોહામણી, આણી નેહ અપાર... બારમાસા - કાવ્યોની સમીક્ષા કહેજો || ૩ || For Personal & Private Use Only કહેજો || ૪ || કહેજો || ૫ || મૃગશીર માસ સહેલીયા આયો દુ:ખ દેણ પાલોજીવાઐ પાપીયો ઘર નહિ વાલો સયણ... કહેજો || ૬ || કહેજો || ૭ || વીર... કહેજો || ૮ || કહેજો || ૯ || કહેજો || ૧૦ || ૧૫૯ Page #201 -------------------------------------------------------------------------- ________________ માહે દાહ પડે ઘણો વાજે ટાઢારે વાય શીયાલાની રાતડી વાલો આવેજી દાય.. કહેજો / ૧૧ // ખેલે કુણ સંજોગીયા ફાગુણ આવે રે દાય નેમ નગીનો ઘર નહિ ખેલે મોરી બલાય.. કહેજો | ૧૨ | ચતુરા ચેત સોહામણો. રતી વસંતી એહ રાતિ કુંપલ શુ ખડે મુલકતીરે દેહ... કહેજો કે ૧૩ નૈણે આંસુ નાંખતી બોલ્યા બારેજી માસ નીઠુર નાહન આવીયો જેહની કહી આસ... કહેજો કે ૧૪ || રંગભરી રામતી લીધો સંજમભાર કહે જિન હરખ સહેલીયા મિલ્યા મગતમઝાર... કહેજો / ૧૫ / ઈતિશ્રી નેમરાજીમતી બારેમાસા સંપૂર્ણ (સંવત ૧૯૩૬ના માહ સુદ-૧, ગુરુ શ્રી બાલાપુરમધે લખત ફુલચંદ સ્વ અર્થ.) નેમનાથ સ્તવન (અમૃતવિજય) દુહા - રાગ - મલ્હાર) સમરૂ માતા શારદા, પ્રણમું ગુરુદેવ પાય ગુણ સઘળો મુજ જ્ઞાનનો, વિવરો દીયો વતાય / ૧ // જાસ સુપસાય નેમની, બારામાસી વિશેષ જાણતુ હું ભક્ત કરી, એ મીઠો ઉપદેશ / ૨ / ૧eo જાનતી ની યાત્રા For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ જાન સબલ સજી યાદવે, પરણવા રાજુલ પ્રેમ ઉગ્રસેન ઘર ઉમંગી, પઉધાર્યા પ્રભુ નેમ ॥ ૩ ॥ સહીય સમાણી સાથણૈ, સોલ સજી શિણગાર, જોવૈ નિજ પ્રિતમભણી, રાજુલ રાજકુમાર || ૪ || તોરણ મુજ આયા તદા, પશુકી સુણી પોકાર, કરુણા કરી જિન ઈમ કહૈ, એ સંસાર અસાર ॥ ૫ ॥ પશુ છોડાવીયા સાડાદેસ વાલ્યો ૨થ તિવાર, વાત સુણીરાજુલ વહૈ કીધો સૂં કિરતાર ॥ ૬॥ (ઢાલ - ઘણરા વાલ્ડા એ દેશી) નાહ જિન જાવો ગિરનાર હો નેમ નગીના છેલ છબીલા હો મુજને છેતરી નવભવ નેહ સંભાલ હોને, અબલાની માનો હો વિનતી એતરી ના શ્રાવણ વરસે સરભરૈ ગર‰ મોર મલ્હાર, બાદલ ઝબકૈ, ભોગી સુણભરથાર ।। ૮ । માનો સાહિબ મુજરો હોને. પરણઓ છાહ હો પ્યારા પદમણી ગંભીર ગુણ રાગજ હોતે, કઠિન થઈયૈ હો કહિઈસી ઘણી || ૯ | તરભાદુ રૈ ગયણ ગહિરો તાણ ગોસ મઢીય ઘટા પપીયો ચરૈ જ્યું જ્યું વાધે જોસ || ૧૦ || ભમિ પહિલા ભૂલી હો નેમ, આડંબર જો ચાહુ ઊભી રહી મેલી જાવો સૌ સમૂલી હો ને. કપટ એહવો હો કો જાણ્યો નહિ ॥૧૧॥ આસો જૈ આસ્યા કરું *સીપ ચાહૈ જિમ સ્વાત સોલ ક્લાથી સિ દહૈ સરસઃ સરદકી રાત || ૧૨ |ઢા. જોડે પંખી સોડા હોને, પાલૈ હો રહૈ નિશદિન એકઠા થે સનેહી થોડા હોને, છેહ દેવા હો ન કીજૈ ॥ ૧૩ || દૂ. * સીપ છીપ જેમ સ્વાતિનક્ષત્રને ઈચ્છે તેમ... બારમાસા - કાવ્યોની સમીક્ષા = For Personal & Private Use Only ૧૬૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ કૃપા કરો અબ કાતીઇં વલી મ જોવાડો વાટ દિવસ વડો દિવાલીયા સુખનો કીજૈ સાટ ૧૪ ઢા. પાવ સરિત પિયારી હોને. સેજ સંભાર હો કુલડે અતી સહી હેડી મૂકો હયારી હોને, અચરગ મોટાના હોવહિ જૈ ચિત્ત ચહી ૧૫ ને દૂ. ચિહું દિસ સીત ચમકીયો આયો ફાગણ માસ ચાહું ચંદ ચકોરયું, અંગ ન પૂરો આશ. / ૧૬ // ઢા. પર પીડા પીંછાણ હોને. વડપણિ જગમે તે ખરો અલગણ ચિત મ આણ હોને. ગરજ્યો હોવૈ હો જેહનો ગુણ કરો || ૧૭ + દૂ. ઘટ રૂપી ઘરમૈ વસો સજ્જન સુગુણ સદૈવ પરુ પિૐ જાણ્યો પાસ મૈ પંથ નિહાલૂ પીવ / ૧૮ ને ઢા. મુજને તુમથી છે મયા હોને. અલગે નહી હો મંદિર એકલી કંપૈ કોમલ કાયા હોને. બોલ્યો ન સુહાવૈ હો કેહનો હૃદય વલી ૧ાાદૂ. માર્વે અંબા મોરીયા વલ્લભ આવિ વસંત અબીર ગુલાલ અગરજૈ રાજવી ફાગ રમત | ૨૦ || ઢા. દિન એ નણદીના વિર હોને. સારા વિચાલે હો નિત પ્રત સાંભરે પંજર ઉપજત પર હો ને. સંગ તું મારો હો મેલ્યા કિમ સરે રિલા દૂ. ફાગણ વાયે ફગ કરો ફૂલ્યા બહુત પલાસ હોલી ખેલણ ઘૂંસ છે. અવધારો અરદાસ / રર // ઢા. યોવન જોરે આયો હો તે. હોઈ ન્યારા હો નાઠા કિમ રહો યાદવકુલ થે આવ્યા હોતે. દોષરે ભરમાવૈ હો ચાલ ભમતિ દાહો | ૨૩ || દૂ. ૧. માહે = મહામહીનામાં ૧૬૨ શાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ચૂપ કરી નિજ ચિત્તમૈ ગોરી પૂજત ગેર વનરાય વિકસી સહૂ કોયલ કહોકત જોર | ૨૪ ઢા. : ઢાલ: તેલર ચૂઆ તિલક હોતે. ભજન નિવાર્યો અંજન યામની હસૈ સહીયા હલક હો તે. મેલો દીજૈ હો શીઘ મોટા ધનિ રપા દૂ. તન તાપે તરુણી તણો વાસર વધ્યો વૈશાખ મહકયા ચંપા મોગરા દાડિમ કેલા દાખ | ૨૬ ઢા. ઈણ ભાવ તારો આધાર હો ને. અવર વરવા હો અમને આખડી ત્રીયા નો તાતો જ માર હોને. પ્રાણને રાખે હોજિમ જિમ પાકડી || ર૭ | દૂ. જગજીવન ઈણ જેઠમૈ ઝાઝી ઉઠત ઝાલ વહિલા આણ વધાવિઇ પ્રેમ સરોવર પાલ | ૨૮ ઢા. સંદેશા ન વવહાર હોને. વાંક વાલેસરા હો અમર્મ યું અછે વનિતાની ન કરો છો વાહ હોને. પ્રારા ભરોસો કુણ કરસી પછે ! ૨૯ || દૂ. આષાઢ ઈંદ્ર ઉમાહીયો ધરહર વરસે ધાર હૃદ હરીયા કાનન હુઆ સજ્યો ભૂમિ શૃંગાર || ૩૦ || ઢા. ચતુર ચોમાસાને વૃંદ હોને. જુગત વસાવા હો જોઈ જૈ તેટલી સાસુ સિવાને સુનંદા હોને. ઓલગ ધારો તો સાહિબ તેટલી ૩૧ી દૂ. વિદાય લે મા બાપની ગઈ રાજુલ ગિરનાર સ્વામી પાસે સંગ્રહ્યો સતીશું સંયમ ભાર ૩ર છે. કરી તપસ્યા કાયા કસી, સખરો પાલ્યો વિરલ નેમ પહિલી નારીઈ લડી મુગતિઈ લીલ છે ૩૩ / ૧. કહોકત = કૂહ એવો અવાજ ૨. ઈંદ્ર = વરસાદ બારમાસા - કાવ્યોની સમીક્ષા ૧૬૩ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ચૌપન દિના ઈ અંતરે આસો અમાવસ જાણ પામ્યા મુગતજ પામશે શ્રી નેમ નિરવાણ || ૩૪ / કલશ તપગચ્છ રાજા વડ દિવાજા શ્રીવિજય દયા સૂરીસરો મહિમંડલે જસ કીર્તિ વાધી પૂરવૈ પરઈયા ખરો તસ શીષ વૃદ્ધિ વજીર શોભે અમૃતવિજયશ્રી મુજ ગરી વર્ણવ્યા મેં નેમ-રાજુલ લક્ષ્મી સુખ જયવરો ને ૩પ / ઇતિ સ્તવન સંપૂર્ણ શ્રી નેમનાથ બારમાસનું સ્તવન તપાગચ્છના આ. હીરવિજયસૂરીશ્વરજીની પાટ પરંપરાએ થયેલા પૂ. લબ્ધિવિજયજીએ નેમનાથના સ્તવનની રચના કરી છે તેમાં બારમાસનો પ્રયોગ કર્યો છે. કવિએ બાર કડીમાં અનુક્રમે કારતકથી આસો માસનો આધાર લઈને રાજુલના મનના વિચારોને પ્રગટ કર્યા છે. કવિની રચના હાલ સરળ હોવાથી વિચારો સમજી શકાય તેવા છે. નેમનાથ ભગવાન લગ્નને માંડવેથી પશુઓનો પોકાર સાંભળીને પાછા વળી ગિરનાર જાય છે તે પ્રસંગથી રાજુલની વિરહાવસ્થા અને વેદનાનું નિરૂપણ બારમાસના માધ્યમથી કરવામાં આવ્યું છે. નેમજી વહેલા આવે એવો વિચાર કારતક માસમાં પ્રગટ થયો છે. સાસરીયાનાં મહેણાં સહન થતાં નથી એવો સામાજિક સંદર્ભ પણ જોવા મળે છે. માગશર માસમાં નેમજી વચન પાળીને પાછા આવે, પોષ માસમાં મારી કાયા પરવશ થઈ શીવાદેવીના જયા હજી પણ આવ્યા નહિ. મારી સખીઓ સર્વ રીતે આનંદ કરે છે ત્યારે હું ઘર મંદિરમાં એકલી બેસી રહું છું. ફાગણ મહિનામાં ફાગ ખેલવાનો છે હે નાથ ! ૧૬૪ શાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ તમારા વગર હોળી કેવી રીતે રમી શકાય ?, ચૈત્ર માસમાં મનમાં ઘણી ચિંતા થાય છે. હવે તો નાથ આવોને. વૈશાખ મહિને તમારી ઉત્કંઠાપૂર્વક રાહ જોઉં છું અને વિરહમાં આંસું સારું છું. પાલવડે આંસુ લૂછું છું. અહીં નાથના વિરહનો ઉલ્લેખ થયો છે. જેઠ માસમાં વિરહ સહન થતો નથી. તમારા વગર મારા પ્રાણ જશે. આવી કલ્પનાથી વિરહવેદના વધુ તીવ્ર બની છે તેનું પરિણામ જણાવ્યું છે. અષાઢ માસમાં આંબો અને જાંબુડી ખીલી છે. તમારા વગર હસવું અને રમવું એ પણ ભૂલી ગઈ છું. શ્રાવણ માસમાં મેઘ વૃષ્ટિથી સરોવર છલકાય છે. બહેન બનેવીને જોવા ઝંખે છે. અહીં સામાજિક વ્યવહારની કલ્પના પ્રસંગોચિત વૃષ્ટિથી હૃદય ફફડે છે. ભાદરવા માસમાં યૌવન ગાજી ઊઠે છે. વિદેશથી ઘણા આવે છે. કાંઈ મારા નાથનો સંદેશો લાવે તો સારું. અહીં રાજુલની વેદના સાથે મિલનની ઉત્કંઠાનો સંકેત થયો છે. આસો માસમાં ઘેર ઘેર દીવાળીનું પર્વ લોકો ઉજવે છે. હું તો દીક્ષા લેવા માટે તૈયાર થઈ છું. અગિયાર માસમાં જે માહિતી છે તેના કરતા ૧૨મા માસમાં રાજુલ નેમજીના પગલાંને અનુસરીને સંયમ સ્વીકારવા તૈયાર થાય છે. ભૌતિક જીવનના વિચારોમાંથી એકાએક આધ્યાત્મિક જીવનનો રાજુલનો નિર્ણય સાંપ્રદાયિક રચના તરીકે આવકારદાયક બન્યો છે. ૧૩મી કડીમાં કવિ લબ્ધિવિજયના નામના ઉલ્લેખ સાથે ભવપાર ઉતારવાનો વિચાર પ્રગટ થયો છે. મધ્યકાલીન સમયમાં બારમાસની રચનાઓ પ્રાપ્ત થાય છે તેમાં આ રચના પણ ગરબાની દેશીમાં સમૂહમાં ગાઈ શકાય તેવી છે. ભક્તિ માર્ગની રચના તરીકે બારમાસાની કૃતિ આસ્વાદ્ય છે. બારમાસા - કાવ્યોની સમીક્ષા For Personal & Private Use Only ૧૫ Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિનાથ (બારમાસાનું) સ્તવન કારતક મહીને તે કોને કહીએ રે, દેખાડો તો ગિરનાર જઈએ. સાસરીયાનાં મેણાં સહીયે રે, વેલા ઘેર આવજો નેમ વહાલા રે (૧) માગશર મહીને મારે એને મળવું રે, વ્હાલે વચન આપ્યું એક હળવું રે હવે નાથજી તમને શું કહેવું.... વે. (૨) પોષ મહીને પરવશ કીધી કાયા રે, હજુ ન આવ્યા શિવાદેવી જાયા રે તમે શાની લગાડો છો માયા... વે. (૩). મહા મહીને મંદિર બેસી રહેતી રે, મારી સખીઓનાં સુખ સર્વે જોતી રે આંખો ઢાળીને રસરસ રોતી... વે. (૪) ફાગણ મહીને ફગફગતી હોળી રે, સૈયા ભરો ગુલાબની ઝોળી નાથ તુમ વિણ કોણ ખેલે હોળી... વે. (પ) ચૈત્ર મહીને ચિંતા ઘણી અમને રે, હવે નાથજી શું કહીએ તમને હવે આવી મળોને અમને... વે. (૬) વૈશાખ મહીને વાટલડી જોતી રે, મારી સખીઓ કહેવાયે ખોટી રે પાલવડે આંસુડા ભૂતી... વે. (૭) જેઠ મહીને જીવલડો જાશે રે, નાથ તુમ વિયોગો થાશે રે હવે પ્રાણ અમારાં જાશે... વે. (૮) અષાઢ મહીને આંબુડી ઊગી રે, અંબુડીનાં જીંડવા ખીલ્યાં રે નાથ હસવું ને રમવું ભૂલ્યા.. રે. (૯) શ્રાવણ મહીને સરવરીયા મેહ વરસે રે, બેન બનેવી ને જોવા તલશે રે એવું હૃદય અમારું ફફડે... વે. (૧૦) ભાદરવે ભલી જોબન ગાજે રે, ઘણાં વિદેશ જઈને આવે રે કોઈ નાથનો સંદેશો લાવે... વે. (૧૧) ૧૬૬ શાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ આસો મહીને તે દેવ દેવાળી રે, સહુ ઘેર કરે નરનારી રે હું તો દીક્ષા લેવા થઈ ઉજમાળી. વે. (૧૨) શ્રી હીરવિજયગુરૂ હીરલો રે, લબ્ધિવિજયે ગુણ ગાયા રે મને આ ભવપાર ઉતાર... વે. (૧૩) જૈન બારમાસ સંગ્રહ નામનું પુસ્તક સં. ૧૯૪૭માં પ્રગટ થયું હતું. તેમાં નેમરાજુલનાં બારમાસાની કૃતિઓ સાથે રૂષભદેવ જીવનના બારમાસાનો સંચય થયો હતો. તે ઉપરથી આ રચના અત્રે પ્રગટ કરીને તેનો પરિચય આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે બારમાસાની ઉપલબ્ધ કૃતિઓ કરતાં આ રચનામાં ભક્તિનો સંદર્ભ છે. એટલે બારમાસામાં નવો જ વિચાર પ્રગટ થાય છે. જ્ઞાન અને ગુરુ ભક્તિનાં પ્રયોગવાળી બારમાસાની રચનાઓ પણ પ્રાપ્ત થાય છે. પૂ. દેવવિજયજીએ રચના સમયનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે - ચેતો સંવત સતોરસેસાઠ ગાયો મેં વિરહવાટ રે શ્રી વિજયરત્નસૂરિરાયા એતો દેવવિજયગુણ ગાયારે સા. |૧૭ | આરંભના શબ્દો છે – “અર્થ નેમ રાજુલનો બારમાસીયો લિખતે.” શ્રાવણથી અષાઢ માસના ક્રમમાં આ રચના થઈ છે. શ્રાવણીયો સુંદર વરસે, મુજ પીયુ વિના મન તરસે રે સુંદરી તે સહજ નીહાલી, નિસાસા મૂકે બાળીરે | ૪ | ૧. ચેતો = ચૈત્ર બારમાસા - કાવ્યોની સમીક્ષા For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ અંતમાં રાજુલ ચારિત્રગ્રહણ કરીને મોક્ષે સિધાવે છે તેવો ઉલ્લેખ થયો છે. સાથે નવભવ પ્રીત પાળી એ શબ્દો દ્વારા બારમાસ પૂર્ણ થયાછે એમ સમજાય છે. આ કવિની બીજી કૃતિમાં બારમાસા કાવ્યનો આરંભ ચૈત્ર થી ફાગણ સુધીના ક્રમમાં છે. ચૈત્ર ચતુરા કેમ રહેશે, વિરહ વ્યથા પ્રિયા કેમ સહશે. કે આગળ જઈ દુઃખ કહેશે રે. . નેમ ૪ ફાગણના દિન નિર્ભમ્યાએ અબીર ગુલાલ તે રમીએ ઘર મૂકીને કેમ ભમીએ રે. . નેમ | ૫ || ત્યાર પછી રાજુલ ગિરનાર જઈને સંયમ સ્ત્રી મોક્ષ પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ થયો છે. અથ ઋષભદેવજીનો બારમાસા પ્રારંભ કવિ ઋષભદાસની બારમાસાની રચના વિરહના બારમાસની નથી પણ પ્રભુ ભક્તિના બારમાસાનું અર્થઘટન કર્યું છે. ભક્તિ કરવાની વિવિધતા દર્શાવીને પરોક્ષ રીતે બારે માસ પ્રભુ ભક્તિનો ઉપદેશ પ્રાપ્ત થાય છે. કવિના શબ્દો છે - બારમાસ કરું સેવા, રૂષભદેવ માનું હું મેવા. દેવા દીનતણા દેવા || જગ / ૧૪ // કવિ દેવવિજયની ત્રીજી કૃતિમાં ચૈત્ર થી ફાગણ માસનાં ક્રમનું અનુસરણ થયું છે. કવિએ બારમાસાનો ગાથાની સાથે ૧ થી ૨ નો ક્રમ દર્શાવ્યો છે. તેમાં ૧૬૮ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ - પ્રણય અને માનવ ચિત્તના ભાવોનું ભાવવાહી નિરૂપણ થયું છે. ત્યાર પછી રાજુલના વૈરાગ્ય અને સંયમનો ઉલ્લેખ કરીને મોક્ષ પ્રાપ્તિનો પરંપરાગત વિચાર વ્યક્ત થયો છે. કવિના શબ્દો છે – આ પીયુ ચાલ્યો ગિ૨ના૨, મુજને છોડીરે. આ શીવરમણીશું રંગ, પ્રીત ઈણે જોડી૨. આ ખોટી જગમાંહે પ્રીત, જે નર કરશે રે થિર નહીં જગ માંહે કોય, સુકૃત હરજો રે ॥ ૨ ॥ પામી તે મન વૈરાગ સંયમ લીધું રે આ રાજુલ સતી ગુણ જાણ, કારજ કીધું રે. ॥ ૩ ॥ અંતે કવિએ બારમાસાના રચના સમયની માહિતી આપી છે. પોરબંદર ચોમાસા સંવત ૧૭૯૫માં હર્ષોલ્લાસ સાથે બારમાસાની રચના કરીને નેમ-રાજુલનાં ગુણગાન ગાયા છે. કવિએ ચૈત્ર થી ફાગણ એમ બારમાસાનો ક્રમ દર્શાવીને રાજુલની મનોવ્યથાનું નિરૂપણ કર્યું છે. અષાઢ માસ વિશે કવિની પંક્તિઓ જોઈએ તો - અષાઢે તે વરસે મેહ, બાદલ છાયા રે. જળ જળ જબુકે વીજ, તુજ મહીં માયા રે. ॥ ૧ ॥ દેખ તે મંદિર સેજ વાલા ઘણું પૂરે રે કોઈ મિલાવે ખંત, માહારા સંગ પૂરે રે. ॥ ૨ ॥ રાખ્યું ન રહે તન્ન, જેહવો રંગ પતંગ, બારમાસા - કાવ્યોની સમીક્ષા આખર જાશે રે, તિમ એ ધારો રે ॥ ૩ ॥ For Personal & Private Use Only ૧૬૯ Page #211 -------------------------------------------------------------------------- ________________ કવિએ પ્રકૃતિનો મિતાક્ષરી ઉલ્લેખ કર્યો છે અને વૈરાગ્ય ભાવનું નિરૂપણ કર્યું છે. બારમાસાની વિશેષતા એ છે કે તેમાં ઋતુના અવનવા રંગોનું પ્રકૃતિ દર્શન કરાવીને રાજુલના મનની મનોવ્યથા વ્યક્ત કરી છે. સંસ્કૃત નાટકોમાં સુખદ અંતની પ્રણાલિકાનો પ્રયોગ થાય છે તેવી રીતે રાજુલના વિરહ પછી અંતે નેમનાથે જે સંયમનો માર્ગ સ્વીકાર્યો હતો તે જ માર્ગનું અનુસરણ કરીને મુક્તિ પામે છે. લગભગ બધી જ કૃતિઓમાં આ પરંપરા જોવા મળે છે. કવિ રૂપહંસે નેમ-રાજુલના બારમાસાની રચનામાં અષાઢ થી જેઠ માસના ક્રમનું અનુસરણ કર્યું છે. મધ્યકાલીન કવિઓએ પોતાની કાવ્યકૃતિમાં ગુરુ કૃપાનો ઉલ્લેખ કર્યો છે. કવિએ અષાઢ માસનું પ્રકૃતિ ચિત્રણ કરીને લઘુપ્રકૃતિનું શબ્દચિત્રનો પ્રયોગ કર્યો છે. કવિની પંક્તિઓ નીચે પ્રમાણે છે. આષાઢે અંબર મેહ, ગડગડી ગાજે રે, વનમાં ટહુકે મોર, હિયડે વાજે રે. બાપેંડા બોલે જોર, પિયુ પિયુ વાણી રે. સખી માહરે મન્મથ જોર, હિયડે વાણી રે વીજળીને ચમકાર, ચમકે બાલારે રૂકી અંતર માંહે, વિરહની જવાલા રે. Sણે અવસર આધાર, અંગશું મિલિયરે, રાજુલના નેમજી નાથ, હેતે ભણિયે રે. ૧૩મી ગાથામાં કવિ જણાવે છે કે – ભેટી નેમિનિણંદ, સંયમ લીધું રે. ભાંગ્યું વિરહનું જોર, કારજ સીધું રે. ૧૭૦ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ બારમાસા કાવ્યોમાં વિવિધતા જોવા મળે છે. સાહિત્ય કલા અને ભક્તિની ત્રિવેણી સમાન આ કાવ્યો જૈન સાહિત્યની સમૃદ્ધિનું પ્રતીક છે. અજ્ઞાત કવિ કૃત નેમ-રાજુલ બારમાસાની રચના આસોથી કારતક માસના ક્રમથી થઈ છે. કવિએ રાજુલના વિરહને અનુરૂપ મનના માન્યાની દેશીનો પ્રયોગ કરીને રચના કરી છે. આરંભની પંક્તિઓ જોઈએ તો - એ અજુઆલી રાતડી રે આસો આસિક માસ. મનરા માન્યા. હિંસ ન દેખે હંસલી રે. ચંદ્ર તણે પરકાસ. મનરા માન્યા. / ૧ / ઘરે આવો રે, ભ્રમરલાહો લીજે માહરા જીવન ચતુર સુજાણ. કવિએ દૃષ્ટાંતના સંદર્ભ દ્વારા પરોક્ષ રીતે નેમજી-રાજુલને મળે. મિલન થાય એવો વિચાર વ્યક્ત કર્યો છે. હૈયાના હાર, મનમંદિર સૂનાં, પોષ માસની રાત્રિ કઠિન છે, ફાગણમાં વાજિંત્રનો સુંદર અવાજ ગીત, નૃત્ય, ગાન છે. અષાઢમાં મેઘ ગર્જના, પિયુ મળવાની આશા આકાશમાં વીજળીનો ચમકારો મોર-ચાતક ને મનમાં આનંદ વગેરે માહિતી દ્વારા રાજુલના વિરહની અભિવ્યક્તિ થઈ છે. પ્રકૃતિનો સંદર્ભ દરેક કવિની રચનામાં સમાન છે. અજ્ઞાત કવિ કૃત નેમનાથજીનો બારમાસીયોની રચના માગશર થી કારતક માસના ક્રમમાં થઈ છે. કવિએ અન્ય કોઈ માહિતી ન બારમાસા - કાવ્યોની સમીક્ષા ૧૭૧ For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ આપતાં કાવ્યનો આરંભ માગશર માસથી કરીને રાજુલના વિરહની માસવાર અભિવ્યક્તિ કરી છે. નમૂનારૂપે માહિતી જોઈએ તો - મિગસરિયો ભલે આવિયો, હૈયે હરખ ઉલ્લાસ. તોરણથી પાછા વળ્યા. સબ જાદવ સિરદાર. કહીજો સંદેશો ભોલા નેમને | ૧ | કવિએ દરેક કડીમાં નેમનાથને સંદેશો કહેજો એ શબ્દોથી રાજુલા મનના વિચારોનું નિરૂપણ કર્યું છે. આ બારમાસામાં પત્ર શૈલીનો પણ પ્રભાવ જોવા મળે છે. કારતક માસ વિશે કવિ જણાવે છે કે – કાર્તીકી કંત પધારિયા, બોલિયા બારૂઈ માસ મુક્ત ગયા શ્રીનેમજી. સાથે રાજુલ નાર. કહી | ૧૨ / અજ્ઞાત કવિ કૃત બે કૃતિઓની ભાષા-શૈલી એક જ પ્રકારની છે. એટલે કોઈ એક જ કવિની આ બે કૃતિ હોય એમ અનુમાન કરવામાં આવે છે. અજ્ઞાત કવિ કૃત નેમનાથજીરો (નો) બારમાસીયોની રચનાનો આરંભ રાજુલ પોતે સખીઓને ઉદ્દેશીને મનોવ્યથા જણાવે છે. અહીં શ્રાવણથી અષાઢ સુધીના બારમાસાનો ક્રમ જોવા મળે છે. આત્મકથનાત્મક શૈલીમાં બારમાસાની રચના થઈ છે. ૧. મિસરીયો = માગશર ૧૭૨ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ આરંભની પંક્તિ છે. સખિયાં સાંભળજો મુજ વાણી નેમજી મેરા જીવન પ્રાણી, નેમ તેરી તેરી પ્રીત પુરાણી.. હો લાલ નેમજી નેમજી કર રહી હું ધ્યાન પ્રભુજીરા ધર રહી... હો લાલ કારતક માસમાં રાજુલની સ્થિતિ વિશે કવિના શબ્દો જોઈએ તો - સખિયા આયો માસ એકાતી મારે હિયડે ફાટે છાતી, નેમ રાજેન પૂછી બાત મેં બોલું કિણથી સાત... હો લાલ ૫ // અંતમાં કવિ જણાવે છે કે – સખિયા માસ પૂરા થયા બારે, રાજમતી પોહોતી પિયુ દ્વારે, હોઈ મિલન મુક્ત સીધાયા હુઈ જગ ચિંતા હારે... હો લાલ છે ૧૪ || બારમાસા કાવ્ય પ્રકારમાં આ પ્રકારની શૈલીની પ્રથમ કૃતિ કલાત્મક બની. છે. કવિ મોહનવિજયજીની નેમ-રાજુલ બારમાસીયો રચના ૧૪ કડીની પ્રગટ થઈ છે તેમાં શ્રાવણ થી અષાઢ માસના ક્રમનું અનુસરણ થયું છે. પ્રકૃતિ અને માનવ હૃદયના ભાવોની અભિવ્યક્તિ કરતી બારમાસા કૃતિ રસની દૃષ્ટિએ હૃદયસ્પર્શી છે. ૧. કાતી = કારતક બારમાસા - કાવ્યોની સમીક્ષા ૧૭૩ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ કવિના શબ્દો છે - “ગાયા બારે માસ, નવ નવરંગેરે. કહે મોહન ધરીને નેહ, મનને ઉમંગેરે” કૃતિ તો રસિક છે પણ કવિએ તેથી અધિક રસિકતાથી રચના કરીને વાચક વર્ગને આસ્વાદ માટે ભક્તિભાવપૂર્વક પ્રગટ કરી છે. માગશર માસ વિશે કવિની પંક્તિઓ જોઈએ તો – મોહે માંગશિર માસ, માનની માતીરે. જ્યોતી નાહની વાટ, વિરહે તાતી રે નવભવ કેરી જેહ, નારી તુમારી રે. મૂકી તેહને ગેહ, અવરચિત્ત ધારી રે | ૬ | કવિએ અષાઢ માસની પંક્તિઓ દ્વારા રાજુનાં વિરહની સ્વાભાવિક અને ભાવવાહી સ્થિતિ દર્શાવીને ગઢ ગિરનારમાં સ્વામીને મળી સંયમ ગ્રહણ કરીને શાશ્વત પદવી પ્રાપ્ત કરી તેનો ઉલ્લેખ કર્યો છે. માસ અષાઢ મેહ, જરમર વરસે રે, પિયુ પિયુ ચાતકજેમ, પ્રેમદા તરસે રે, કહેજો પંથી જાય, ગઢ ગિરનારે રે. મુજ સાથે સંદેશો એમ, કહેતા તુમ નીરે રે ! ૧૩ | ટાલિયા વિરહ વિયોગ, દંપતી મિલીયાં રે. પામ્યાં સુખ અનંત, વાંછિત ફલિયાં રે. કવિ વિનયવિજયની બારમાસાની કૃતિની આ રચના માગશર માસથી કારતક માસના ક્રમમાં થઈ છે. કવિએ સૂરતી મહિનાની દેશના પ્રયોગ પદ્યને અનુરૂપ કર્યો છે. મધ્યકાલીન સમયમાં કાવ્યને અંતે ગુરુ પરંપરાની સાથે રચના સમયનો પણ ઉલ્લેખ થયો હતો. આ બારમાસામાં તેનું અનુસરણ થયું છે. ૧૭૪ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ નેમ રાજુલ બેહુ મિલ્યા, પામ્યા સુખ અનંત. વિનય સદા સુખ પામીયે, ભજતાં ભગવંત | પંથી || ૨૬ || સંવત સત્ત૨શે અઠ્ઠાવીશે, રહી રાનેર ચોમાસ. રાજુલ નેમ સંદેસડા, ગાયા હર્ષ ઉલ્લાસ | પંથી ॥ ૨૭ || કાવ્યના આરંભમાં કવિએ રાજુલનો સંદેશો નેમજીને કહેજો એ રીતે રાજુલના ચિત્તની મનોવ્યથા પ્રગટ કરી છે. માગશર માસે મોહિયો મોહની એ મન્ન ચિત્ત માંહે લગી ચટપટી, ન ભાવે ઉદકને અન્ન પંથીઅડારે સંદેસડો કહેજો નેમને એમ. છટકી છેહન દીજીયે, નવ ભવનો હો પ્રેમ || પંથી || ૨ | કવિએ અન્ય ગાથાઓમાં માસવાર ઋતુના સંદર્ભમાં વિરહવેદનાને વાચા આપી છે. “રાજુલ રાણીનો બારમાસીયો' એ શીર્ષકથી કવિ કપૂરસાગરની (અંચલગચ્છ) બારમાસા કૃતિ પ્રાપ્ત થાય છે. કવિએ અષાઢથી જેઠ માસના ક્રમમાં રાજુલના વિરહની અભિવ્યક્તિ કરીને તેણીના વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો છે. અષાઢ માસનું નિરૂપણ કરતાં કવિ જણાવે છે કે - આષાઢે અતિ આકુલી, વાલા વીનવે રાજુલ નાર વીજલડી ચમકા કરે, વાલા ગરજે મેઘ અપાર રે. સાહેબજી' ચઢ્યા ગિરનાર રે, પિયુડા વિણ કવણ આધાર રે. વિરહ બળે કાયા સાસ રે, નયણે વરસે જળધાર રે. ઘરે આવોને વિસરે સાહેબા || ૧ || ઘરે આવોને એ ધ્રુવ પંક્તિ દ્વારા રાજુલના મનની સ્થિતિનો પરિચય થાય છે. દરેક માસમાં ઋતુના સંદર્ભમાં રાજુલની વિરહ ભાવના વ્યક્ત કરવામાં આવી છે. બારમાસા - કાવ્યોની સમીક્ષા For Personal & Private Use Only ૧૭૫ Page #217 -------------------------------------------------------------------------- ________________ ઘરે આવોને એ સંદર્ભમાં કવિની અનોખી કલ્પના નોંધપાત્ર છે. રાજુલ કહે છે કે મારી સખીઓ તમારું (સ્વામીનું) મુખ જોવા ઉતાવળી થઈ છે. ક્યારની રાહુ જુએ છે. સખી થઈ છે ઉતાવલી, વાલા તુમ મુખ જોવા ચંદ. રાજુલની વાણી સુણીએ, વાલા મિલિયા નેમિજિણંદ રે. બિહું પામ્યા પરમાનંદ રે, જિમ ભ્રમર મન મકરંદ રે. સહુ દૂર ટળ્યા દુઃખ દંદરે, અતિ પ્રસયો આનંદ કંદરે ॥૨૪॥ કાવ્યને અંતે ગુરુ પરંપરાનો ઉલ્લેખ થયો છે. અંચલગચ્છના પૂ. અમરસાગરસૂરિના શિષ્ય વાચક રત્નસાગરના શિષ્ય ‘કપૂરસાગરે’ ‘ગાયો યદુપતિ રાયરે.' બારમાસાની રચનાકૃતિમાં આ કૃતિ કાવ્ય-રસ અને કલ્પનાથી ઉત્તમ કોટિની બની છે. ૧૭૬ For Personal & Private Use Only જ્ઞાનતીર્થની યાત્રા Page #218 -------------------------------------------------------------------------- ________________ -१४ ઉપદેશમાલાદિ नामृतवताबजामहिमश्दमायातवमाकम्मुनिकाइ बनरिंवितिहासावणऊणसावा असाहासावण मनिणंददमायामिहामरुादवानिवमसावधाम दिनारादियाकवालहयासावतरकाणासवमाण लानिदिपलापन दसमठिटास्मयानचंतनकारणिनि निरंतसामाणपविशरिचयासिंतसावडियमायाजाल अवरूपसरिनसवादादासबद्दमाईवकाक्रममपटाई छहियावविदिकामयाणादयगिडियामा गरिद्धितामिनाशपरिकलिसिरिलिणनामाकरुणारस पठाटावचटसमितसपरिमाशामादरायजेऽग्रसुव डायणिवडसनातदितरसमप्रवणिनिविडनानाणा हवंतामाकजकारतासवसालघालदिपडतिढिासद्या रियादितातावदिशसुवाकालम्रगतसमंताका ઉપદેશમાલાદિ १७७ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ विद्यावासिय कसायाइदिनियवयन दडिशिकदिन वाडिया विसयचर डाऊमर डिपाडिया वादन यातविया ॥ कद्रामा हिंडियन वदविष आवायरिमरिमरदीप संठा दिवा द्विदिमादरा नाम दस सिगा। दाइ महामाददानागा ययरूपरिक दिखंडिया का असर निहिंडि मनुया इस साइयातारयि जिरिदिसा सिखा तरंगरासः समासः॥ मंगल मंदाश्री ॥ ॥३॥ तसिशतिय सिरिसवणावयंसनयन लिए સિવાયકાતા રવિકાન્તરિનળિયાવધિ ‘તાડપત્રીય' લખાણવાળી કેટલીક હસ્તપ્રતો જ્ઞાનભંડારમાં સુરક્ષિત છે. જૈન સાહિત્યના સંશોધન કાર્યમાં હસ્તપ્રતોની ઝેરોક્ષ નકલ પ્રાપ્ત કર્યા પછી લિપિકરણ કરીને તેની સમીક્ષાત્મક નોંધ પુસ્તકમાં પ્રગટ કરવામાં આવે છે. પાટણ નગરના ખેતરવસો જૈન જ્ઞાન ભંડારની ઉપદેશમાલાદી નામની તાડપત્રીય હસ્તપ્રતમાં બે પેજ નં. ૮૧/૮૨ પ્રાપ્ત થયાં છે. તેમાં ‘અંતરંગ રાસ'ની કથાના સંદર્ભમાં પિતા-પુત્રને ઉદ્દેશીને ઉપદેશાત્મક વિચારો પ્રગટ થયા છે. જૂની તાડપત્રીય હસ્તપ્રત નમૂનારૂપે પ્રગટ કરવામાં આવી છે. ગુજરાતી ભાષામાં લખાયેલી હસ્તપ્રત અર્વાચીન કાળમાં લોકભોગ્ય ન બને તે સ્વાભાવિક છે એટલે દરેક ગાથાનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રગટ કરવામાં આવ્યો છે. ૧૭૮ For Personal & Private Use Only જ્ઞાનતીર્થની યાત્રા Page #220 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સાહિત્ય દ્વારા ધમપદેશનો હેતુ સર્વસામાન્ય રીતે એક લક્ષણ ગણાય છે. ઉપદેશના વિચારો ભવ્યાત્માઓના કલ્યાણ માટે છે તેવા હેતુથી હસ્તપ્રતની માહિતી પ્રગટ કરવામાં આવી છે. તાડપત્ર ઉપદેશમાલા ભાવાનુવાદ: હે પુત્ર ! હું તને વિનંતી કરું છું આ માયા તું મેલી દે. તપ વડે કાયાને કૃશ કર જેથી ભવબંધનથી છે ભવિક ! તું છૂટી જઈશ. જે ભવભાવનાને (સંસાર ભાવનાને) હંમેશા ભાવે છે તેને મોહરાજા ડરાવતો નથી. ખૂબ ભાવપૂર્વક ભાવના ભાવવી. ભાવનાનું દર્શન કરવું તે જીવનો સ્વભાવ છે. ભરતાદિક રાજા રાજય કરવા છતાં ભાવના ભાવમાં સિદ્ધ થયાં છે તેવા અનંતાસિદ્ધ થયાં છે. (૯) પ્રથમ જિનેશ્વરનાં માતા મરૂદેવી, નિરૂપમ ભાવને કારણે સિદ્ધ થયાં. ગૌતમગણધર ગિરિવર ઉપર પંદરશો તાપસને પ્રતિબોધ કર્યો તે સર્વ તુરત કેવલી થયાં. શુક્લધ્યાન એ શુભભાવનું લક્ષણ છે. વલ્કલચીરી પણ ભાવથી કેવલી થયાં. કળાવડે, વાંસ ઉપર રહેલાં દોરડાં ઉપર નૃત્ય કરતાં ઈલાપુત્રને રાજાએ જોયો ત્યાં મુનિવરને જોઈ, મનુષ્યભવની દુર્લભતા વિચારતાં ભાવથી જ્ઞાન ઉત્પન્ન થયું. આવું બધું સાંભળી જેવો જોગ મળે તેવી ભાવના ભાવવી આ પ્રમાણે અનેક કર્મોનો નાશ થાય છે. મોહરાજાનાં ઘણાં નગર ઉજ્જડ થાય છે. આંતરશત્રુઓ ઘણાં નાશ પામે છે. તેથી તે ભવ્યજનો ! ભાવના ભાવો - આ પ્રકારે ચારેય પ્રકારનાં ધર્મનાં પ્રભાવને, જિનેશ્વરદેવનાં આગમમાંથી સાંભળીને સ્વાભાવિક ઉદ્યમ કરો. જિનચરણે લાગીને, મોક્ષ કૃત્યને વિશે વિવેકપૂર્વક જાગૃતિ રાખવી. ! ચતુર્વિધ ભાવનાકુલમ સમાપ્ત .. ઉપદેશમાલાદિ ૧૭૯ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજયમંડન શ્રી પ્રથમ જિનેશ્વરને પ્રણામ કરીને, જીવને બોધ આપવા, ભવદુઃખનું ખંડન કરવા, રાત્રિપૂર્ણ થતાં આવી ભાવના ભાવવી “ઘર બળી રહ્યું છે, કેમ ઊંધે છે ?હે જીવ! તું જાણ આ ત્રણ ભુવનરૂપી ઘર છે. જ્યાં સ્નેહ થોડો છે (સ્નેહનાં બે અર્થ છે સ્નેહ = પ્રેમ અને સ્નેહ = તેલ) પણ નિરંતર ક્રોધરૂપી અગ્નિ પ્રજ્વલિત રહે છે. અંદર માનરૂપી પવન ભરાયો છે તેથી વિશાળ એવી માયાજ્હાલા તેમાંથી સળગી ઊઠી છે તેમાં વળી ઇંધનની શ્રેણી ભળી છે. રાગરૂપી ઉંબાડીયાનાં કણ ત્યાં છવાઈ ગયાં છે. વળી સર્વ બાજુ ઘણાં દોષરૂપી ધૂમાડો પ્રસરી રહ્યો છે. કર્મપ્રકૃતિ તેની બાજુમાં જ ઢંકાયેલી છે તેથી ક્યારેય તેનો વિશ્વાસ ન કરવો. તેમાંથી વિષયરૂપી તડતડ શબ્દ ઊઠે છે. પાંચ પ્રકારનાં કામ ગુણો (સ્પર્શ, રસ, રૂપ, ગંધ, શબ્દ) અનિશ્ચિત છે. મોહ અને ચરડ રાજાની ધાડી આવી પહુંચી છે. ઇંદ્રિય રૂપી ચોરોને લઈને અવિરતિરૂપી રાક્ષસી આવી છે. ઘણાં પ્રકારે ગુરૂની ઈચ્છાને અનુસરવું. તેઓ વિપુલ પ્રમાણમાં ગુણરાશિ દર્શાવે છે. સુંદર ખજાનો તે બતાવે છે. વળી ત્રણ ભુવનમાં દુર્લભ એવી ક્ષમા, મુક્તિ એવાં સુંદરગુણો બતાવે છે. અભંગ એવું જ્ઞાન પ્રાણીને આપે છે. વિરતિરૂપે કરીયાણુ સુંદર રીતે બતાવે છે. જેને ઈંદ્રો પણ ક્યારેય ખરીદી શકતાં નથી (દેવો દીક્ષા-વિરતિ ન લે તેથી) ગુરૂપ્રમાદ રૂપી નશાથી આપણને દૂર રાખે છે. સર્વ જીવલોકમાં તે મોહ અનિવારિત છે મોહરાજા બધાને લૂસઈ = લૂંટીને મનમાં હસે છે. પોતાનાં પરિવારને તે આ રીતે સંતોષ પમાડે છે. કરૂણારસસાગર શ્રી જિનેશ્વરનાથને જોવા જેને મોહરૂપી ચોરને હયાં છે. શિવપુરના માર્ગમાં સાર્થવાહ સમાન છે. ૧૮૦ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ભવન નામે ગુણસ્થાનક છે. ચૌદભૂમિ તેનું પ્રમાણ છે. મોહરાજા જ્યારે તે કિલ્લા ઉપર ચઢી આવે છે ત્યારે ઉપશમરૂપી રાજા ત્યાં બેઠાં છે. જેમને વિવેકરૂપી ચરણ છે. જ્યાં સંવરરૂપી છત્રનો છાંયડો છે. ત્યાં તેરમે ગુણસ્થાનકે મુનિ ક્ષણવાર બેઠાં છે, જ્ઞાનાદિનો વિશિષ્ટ પરિવાર છે. (૪) (મોહ) = પાપરૂપી તાપથી તપી ગયેલાં, સર્વપ્રાણીઓ ભવરૂપી દારિદ્રથી આક્રાંત થયેલાં, આક્રંદ કરતાં રહેલાં છે. સત્ય, શીલરૂપી થાંભલા પડી ગયાં છે જેથી જીવનાં અંગો ભાંગી રહ્યાં છે. ચિત્તમાંથી દયા, દમ વગેરે પણ પડી ગયું છે. ગુપ્તિરૂપી ભીંતો પડી રહી છે. સતત ચિંતા અને સંતાપમાં અનંતો કાળ ભમી રહ્યાં છે. હવે યથાપ્રવૃત્તિકરણની સહાયથી તેનો મહેલ જરાક સ્થિર થયો. કોઈક તે કરણને પામીને પાછાં નથી ફરતાં કોઈ રાગ-દ્વેષની મોટી ગ્રંથીને ભેદ્યા વિના પાછાં ફરે છે. ત્યાં પહેલાં મિથ્યાત્વનો ક્ષય કરે પછી ક્ષણમાત્ર સાસ્વાદનને મેળવે છે હવે તે અનિવૃત્તિકરણને પામે છે. ત્યાં ક્ષણવાર સમ્યમિથ્યાષ્ટિ (મિશ્ર ગુણવાળા) થાય છે ત્યાં જિનેશ્વર દેવનાં રાજાનાં તે પથિક થાય છે. ચાર પ્રકારની ધર્મની ચતુરંગી સેનાથી યુક્ત થાય છે ત્યાં સંયમરૂપી સુભટનો આદેશ થાય છે કે મોહરૂપી સૈન્યને હવે પ્રવેશ ન આપશો. (૬). ધર્મબોધિની આ સત્તા છે સમતા, અભય વગેરેથી યુક્ત અને જ્ઞાનથી દીપ્ત નેત્રવાળો તું અત્યારે તિમિરથી અંધ ન થા. અરેરે ! હે ભવ્યજીવ તું અત્યારે ઉપશમશ્રેણી ઉપર આદઢ થઈ ત્યાં રમણ કર. તેનાં પસાયથી ઉપરનાં કષાયો શાંત થશે. આ ભયંકર પ્રલયથી ભય ન પામીશ. સર્વ જીવોનો ક્ષય કરનારા આ રાગ અને દ્વેષ એ બે પાપ છે. તે તને પણ સંતાપ કરવા લાગ્યાં છે. (૭). ઉપદેશમાલાદિ ૧૮૧ For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ તેટલામાં મોહરાજા પાછાં તેની પાછળ આવી રહ્યાં છે અને તરત જ વિષય કષાયની પોતાની સેના ત્યાં પૂર્ણ પણે રાખી અગ્નિનાં કણો તેમાંથી ઊડી રહ્યાં છે ત્યાં મંદસત્વવાળાં ઘણાં મૃત્યુ પામ્યા. પણ ઉપશમ રૂપી સુભટે વિષયરૂપી ચોરોને ભગાડી મૂક્યા. સંયમસુભટને રાખીને ચોથેથી પાંચમે ક્ષણવાર રહ્યો ત્યાં જિણવરધર્મના ગુણનાં સમૂહથી ભાવિત થયો. હવે ધર્મબોધિ ફરી ભવ્યજીવને કહે છે “જોયુંને ? મોહે જીવને કેવો ઉપદ્રવ કર્યો?” (૮) ત્યાં તેની સાથે રહેતાં તેની ઉપાસના કરી ત્યાંથી તે જીવને જલ્દીથી સિદ્ધનો આવાસ દેખાડ્યો. ઉપર-ઉપર ક્ષણવાર રાખ્યો અને યુદ્ધ કરીને આ રીતે મોહરાજાનો પરાજય કર્યો. જ્યાં રોગ નથી, શોક નથી, સંતાપ નથી, જન્મ, જરા, મૃત્યુનો અભાવ છે. તરસ, ભૂખ, ઠંડી નથી એવું આ સ્થાન છે. વળી વળી જો મોહનો જોગ (ભેટો) થઈ જશે તો ફરી આગ ઉઠશે અને ચાર ગતિરૂપ ભવનમાં ભમવાનું થશે. (૯) તીક્ષ્ણ એવાં લાખો દુઃખો ઘણાં પ્રકારે પ્રાપ્ત થશે ત્યાં સુખ તો ક્ષણ માત્ર જોવામાં આવશે. અહહ ! આવું જાણીને હવે પ્રમાદ ન કરીશ. સુખ-દુઃખ, હર્ષ-વિષાદને સમપણે અનુસરજે-મુનિની શિખામણને ધ્યાનમાં લઈ કેટલાંક હળુકર્મીજીવોને અપાર એવી બુદ્ધિ (સુમતિ) સ્કુરાયમાન થઈ. વળી જે ગુરૂનાં વચનને ઉવેખશે તે ચોરાશી લાખ યોનિમાં ભ્રમણ કરશે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ચઉન્દ્રિય, પંચેન્દ્રિય વગેરે સ્વરૂપે તે જિનવચનથી ભાવિત થયાં વિના ભમશે. (૧૦) માતા, પિતા, સ્વજન વગેરેથી રક્ષણ કરાતો, પત્નીનાં ખૂબ સ્નેહ બંધનથી બંધાયો આ રીતે પરઘરમાં ઘણીવાર પગલાં પાડ્યાં. ૧૮૨ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ભમ્યો મન, વચન, કાયાનાં દંડથી દંડાયો. નારકી અને તિર્યંચમાં ઘણાં દુઃખોથી મંડાયો. આ રીતે ફરી ફરી તે ગતિમાં ભમ્યો જેમાં અનંતોકાળ ગયો. ચુલ્લગ વગેરે દશ દષ્ટાંતથી દુર્લભ મનુષ્યભવ પામ્યો ત્યાં જિનેશ્વરદેવે બતાવેલ ચાર પ્રકારનો ધર્મ મળ્યો. તે જિનધર્મને તમે કરો, પ્રમાદનો નાશ કરો. (૧૧). છે અંતરંગ રાસ સમાપ્ત . મંગલ મહાશ્રી ! ત્રિભુવનની લક્ષ્મીરૂપ કમળ વનને વિકસાવવામાં સૂર્યસમાન નયપૂર્ણવાણીથી જીવોને પ્રતિબોધ આપતાં શ્રી ઋષભદેવથી વીરજિનેશ્વર સુધીનાં જિનેશ્વરોને પ્રણામ કરું છું. વળી મલ્લિનાથ જિનેશ્વર કે જેમનાં ચરણકમળમાં રાજાઓએ આવીને સેવા કરી, તેમનું ચરિત્ર આજ સુધી લોકમાં ગવાય છે. તે ચરિત્રને સંક્ષેપથી કહીશ. (૧) જંબૂદ્વીપનાં પશ્ચિમ વિદેહથી સલિલાવતી નામની વિજય છે. સુંદર એવી સુગંધી નામની નયરી છે. ત્યાં બુદ્ધિશાળી એવાં ધિઈબલિ નામનાં રાજા છે. ત્યાં ધારિણી નામની દેવીને પરમગુણથી યુક્ત એવાં મહાબલ નામનાં પુત્ર છે. ધિઈબલરાજાએ સુગુરૂ પાસે દીક્ષા લીધી. (૨) પરમ સુખનાં કારણરૂપ નિરૂપમ મોક્ષને પ્રાપ્ત કર્યો. રાજ્ય ઉપર મહાબલ બેઠો વિનિત એવાં સૈન્યથી પરિવરેલાં તેને રાજ્ય ઉપર કલ્યાણકારી એવાં સાર નામનાં કુમારને બેસાડ્યો તેને બળભદ્રકુમારને રાજ્ય ઉપર બેસાડ્યો. સુગુરૂ પાસે સારા વિચારવાળા સારુકુમારે દીક્ષા લીધી. (૩) ૧. ધિઈબલરાજા = ધૃતિબલ નામે રાજા. ઉપદેશમાલાદિ ૧૮૩ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ પરમપ્રીતિથી બંધાયેલાં છએ મિત્રો અચલ, ધરણ, પુરણ, વસુ, વૈશ્રમણ અને અભિચંદ્ર રાજકુમારોએ દીક્ષા સાથે લીધી. પરમતપ અને ચારિત્રથી વિશુદ્ધિપૂર્વક તપ સમ્યપ્રકારે કરવા લાગ્યા, એકબીજા તે રીતે સંકેત પૂર્વક તપ કરતાં. (૪) હે દેવાનુપ્રિયા આપણે આ રીતે સમાન તપ કરીશું આપણે સર્વ અતિદુષ્કર એવા ભવસમુદ્રને સાથે તરી જઈશું. - હવે કર્મનાં વશથી મહાબલને (તપ છુપાવવાનું મન થયું - સ્ત્રીવેદનો બંધ માયા કરવાથી...). ૧૮૪ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ચૂનડી પ્રેમલક્ષણા ભક્તિ સ્વરૂપની ચૂડીની રચના મધ્યકાલીન ભક્તિમાર્ગના પ્રવાહમાં રસિકતા અને નવીનતાનું પ્રતીક બને છે. વ્યવહાર જીવનમાં લગ્ન પ્રસંગે કન્યાને ચૂંદડી ઓઢાડવાનો રિવાજ છે તેના સંદર્ભથી પ્રભુભક્તિની રચનામાં ચૂનડીનો પ્રયોગ થયો હોય એમ અનુમાન કરવામાં આવે છે. મેઘમુનિ અને માણેકમુનિની ચૂડીની રચના આ. બુદ્ધિસાગર કૃત ગéલી સંગ્રહ ભાગ ૧-રમાંથી પ્રાપ્ત થઈ છે. પ્રભુભક્તિ કરવા માટેનો પ્રેમ (શૃંગાર) એ ભક્તિનો તલસાટ - ધૂન કે રમઝટ જમાવવામાં આંતર-બાહ્ય રીતે શુભ નિમિત્ત બને છે. એવી એ ચૂનડીની રચના છે. તેનો પરિચય નીચે પ્રમાણે છે. માણેકમુનિએ ચૂનડીનો આરંભ લઘુ શબ્દચિત્રથી કર્યો છે. આછી સુરંગી ચૂનડી રે, ચૂનડી રાતી ચોળરે. રંગીલી લાલ સુરંગી ચૂનડી રે. કેટલાક ગામ-શહેરની કોઈ ચીજવસ્તુ પ્રખ્યાત હોય છે. મુંબઈનો હલવો, વડોદરાનો સોલાપુરી ચેવડો, પાટણના પટોળાં તેવી રીતે બુરહાનપુરની બાંધણી હતી અને ઔરંગાબાદમાં તેનો લાલ ચૂનડી ૧૮૫ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ચટક રંગ કરવામાં આવ્યો હતો. તેમાં ચોલમજીઠ રંગ અને કસુંબાનો ઉપયોગ થયો હતો. આવી આકર્ષિક ચૂનડી પહેરીને સુરત શહેરની નારીઓ જિનવાણી (વ્યાખ્યાન) સાંભળવા ઉપાશ્રય પહોંચે છે. આવી ચૂનડી જોઈને નણદી પોતાના સ્વામીને ચૂનડી મળે એવી વાત કરે છે. ચૂનડીને આકર્ષક બનાવવામાં આવે છે. તેનો પરિચય આપતાં કવિ કહે છે કે - ચૂનડીમાં હાથી ઘોડલા રે હંસ પોપટને મોર રે. સમર્થ સાસરિયાએ આવી ચૂડી અપાવી છે. સમકિત સાસુના વચનથી સવા લાખ સોનૈયા સસરાજીએ આપ્યાં. સાસુજીને સાડીઓ, નાની નણદને ઘાટ (સાડી જેવું એક વસ્ત્ર), દેરાણી-જેઠાણીને જોડલાં (જોડી-૨ વસ્ત્ર) આપ્યાં આવાં રંગબેરંગી શોભામાં અભિવૃદ્ધિ કરનારાં વસ્ત્રોથી સજ્જ થઈને પરિવારની સ્ત્રીઓ ભગવાનના દરબાર-જિનમંદિરમાં ભક્તિ કરવા માટે જાય છે. વ્યવહાર જીવનમાં કિંમતી વસ્ત્રો અને અલંકારોથી દેહને શણગારીને નારીઓ જાય છે. તેથી અધિક ઉલ્લાસથી કિંમતી વસ્ત્રોથી શણગાર સજી પરિવારની સ્ત્રીઓ જિનમંદિરમાં ભક્તિ-પ્રભુ પૂજા અને ઉપાશ્રયમાં જિનવાણી સાંભળવા જાય છે. કવિએ ચિત્રાત્મક શૈલીમાં ચૂનડી પરિચયની સાથે તેનું પ્રયોજન દર્શાવ્યું છે. અંતમાં કવિએ આ ચૂડી અંતરના ભાવોલ્લાસથી ગાઈ છે એમ દર્શાવીને કાવ્ય રચનાની સાથે કવિની અંગત ભક્તિભાવનાની તીવ્રતાનો પણ સંકેત થાય છે. આ લઘુ કાવ્યરચના ભક્તિમાર્ગની રચનાની સાથે કાવ્યને અનુરૂપ મધુર પદાવલીઓ અને ગેયતાથી ભાવવાહી અને આકર્ષક કૃતિનું સર્જન થયું છે. ૧૮૬ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ચૂનડી : માણેક મુનિની ચૂડી સંસારી જીવનના સંદર્ભમાં ચૂનડીની રચના અને તેના દ્વારા જિન મંદિરમાં ભક્તિ અને જિનવાણી શ્રવણનો સંદર્ભ દર્શાવે છે. જયારે મેઘમુનિની ચૂડી આ વ્યવહારથી અધિક થઈને “ચારિત્ર ચૂંદડી'નો શાશ્વત વિચાર વ્યક્ત કરે છે. માનવ જીવની સફળતા ચારિત્ર-દીક્ષાનો મનોરથ પૂર્ણ થાય તેમા છે. આ વિચારના સમર્થન માટે ચૂડીમાં ઐતિહાસિક મહામાનવોના ચારિત્ર અને શીલનો ઉલ્લેખ કરીને ગેય રચના કરી છે. નર-નારીઓ સમૂહમાં ચૂનડી ગાઈને ચારિત્રની ભાવનાની અનુમોદનાની સાથે સંયમ જીવનની પ્રેરણા પ્રાપ્ત કરે તેવો ઉત્તમોત્તમ વિચાર વ્યક્ત થયો છે. કવિએ ચૂનડીના આરંભથી (૧ થી ૪) ગાથા સુધીમાં ચારિત્રસંયમનો રૂપકાત્મક ઉલ્લેખ કર્યો છે. ત્યાર પછી ગાથા ૫ થી ૮માં આ સંયમચારિત્ર ચૂનડી ઓઢીને સંસાર સાગરથી પાર પામ્યા છે. મનુષ્ય જન્મ સફળ કર્યો છે. આઠ મહા માનવો અને સતીઓના શીયળનો ઉલ્લેખ કરીને ચારિત્ર ચૂડી અને શીલનો મહિમા ગાવામાં આવ્યો છે. હાંજી - ના ધ્રુવ શબ્દથી પ્રત્યેક પંક્તિમાં ગેયતા સિદ્ધ થઈ છે. ચૂનડી-૧ આછી સુરંગી ચૂનડી રે, ચૂનડી રાતી ચોલરે, રંગીલી, લાલ સુરંગી ચૂનડી રે. ૧ બુરાનપુરની બાંધણી રે, રંગાણી ઔરંગાબાદ રે. રંગીલી. ચોલ મજીઠના રંગથી રે, કસુંબે લીધો હઠવાદ રે. ૨. આ. ૨ ચૂનડી ૧૮૭ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ સૂરત શહેરમાં સંચર્યો રે, જાતાં જીનવાણીને માટ રે. રંગીલી. ચોરાશી ચોકને ચહુવટે રે, દીઠાં દોશીડાનાં હાટ રે. ૨. આ. ૩ નણદી વીરાજીને વનવે રે, એ ચુનડીની હોંશ રે, રંગીલી. ચૂનડીમાં હાથી ઘોડલા રે, હંસ પોપટ ને મોર રે, ૨. આ. ૪ સમરથ સાસરે મૂલવી રે, પાસે પિયુજીને રાખ રે, રંગીલી. સમક્તિ સાસુના કેસથી રે, સોનઈયા દીધા સવા લાખ રે. ૨. આ. ૫ સાસૂજીને સાડીઓ રે, નાની નણદીને ઘાટ રે રંગીલી. દેરાણી જેઠાણીનાં જોડલાં રે, શોક્યને લાવો શા સાટ રે. ૨. આ. ૬ ચૂનડી ઓઢીને સંચર્યા રે, જાતી જિન દરબાર રે. માણેક મુનિએ કોડથી રે, ગાઈએ ચૂનડી સાર રે. ૭ ચૂનડી-૨ હાંજી સમક્તિ પાલો કપાસનો, હાજી પીંજણ પાપ અઢાર; હાંજી સૂત્ર ભલું રે સિદ્ધાંતનું, હાંજી ટાળો આઠ પ્રકાર, હાંજી શીયળ સુરંગી ચૂનડી. ૧ હાંજી ત્રણ ગુપ્તિ તાણો તણો, હાંજી નલીય ભરી નવ વાડ, હાંજી વાણો વણો રે વિવેકનો, હાંજી ખેમા ખુંટીય ખાય. હાંજી શી. ૨ હાજી મૂલ ઉત્તર ગુણ ઘૂઘરા હાંજી છેડા વણોને ચાર; હાજી ચારિત્ર ચંદો વચ્ચે ધરો, હાંજી હંસક મોર ચકોર. હાંજી શી. ૩ ૧૮૮ શાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ હાંજી અજબ બિરાજે ચૂનડી, હાંજી કહો સખી કેટલું મૂલ; હાંજી લાખે પણ લાભે નહીં. હાંજી એહ નહીં સમ તોલ. હાંજી શી. ૪ હાંજી પહેલી ઓઢી શ્રી નેમજી હાંજી બીજી રાજુલ નેમ, હાંજી ત્રીજી ગજસુકુમાલજી હાંજી ચોથી સુદર્શન શેઠ હાંજી શી. ૫ હાંજી પાંચમી જંબુ સ્વામીને, હાંજી છઠી ધનો અણગાર; હાંજી સાતમી મેઘ મુનીસર, હાંજી આઠમી એવંતી કુમાર હાંજી શી. ૬ હાંજી સીતા કુંતા દ્રૌપદી, હાંજી દમયંતી ચંદનબાલ; હાંજી અંજના ને પદ્માવતી, હાંજી શીયળવતી અતિસાર હાંજી શી. ૭ હાંજી અજબ બિરાજે રે ચૂનડી; હાંજી સાધુનો શણગાર; હાંજી મેઘ મુનીસર એમ ભણે હાંજી શીયલ પાળો નર નાર હાંજી શી. ૮ ગાથા-૧ ચારિત્રનું જુદી જુદી ઉપમા દ્વારા કવિઓ નિરૂપણ કરે છે. ક્યારેક શીલાંગરથની ઉપમા દ્વારા શિયલવ્રતનો મહિમા દર્શાવાય છે તેની અહીં ચૂંદડીનાં પ્રતીક દ્વારા શિયલનો મહિમા વર્ણવ્યો છે. ચૂંદડી ચૂનડી For Personal & Private Use Only ૧૮૯ Page #231 -------------------------------------------------------------------------- ________________ એ સૌભાગ્યનું પ્રતીક છે. સંયમજીવન એ અખંડ સૌભાગ્યનું જીવન છે. એ ચૂંદડી બનાવવા માટેની સામગ્રીનું વર્ણન કવિ કરે છે. સમકિતરૂપી કપાસનો ઢગલો કરવો. (દીક્ષા લેતાં પહેલાં સમિકત સામાયિક ઉચ્ચરાવવામાં આવે છે.) પીંજણ = ૧૮ પાપસ્થાનકોનો ત્યાગ કરવામાં આવે છે જેમ ચૂંદડી માટે કપાસને પીંજીને કિટ્ટી છૂટી કરાય છે તેમ પાપરૂપ કિટ્ટીનો ત્યાગ. સૂત્ર ભલું = સૂત્રો સિદ્ધાંતનાં ભણાય છે. જેથી સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જેમ ચૂંદડી બનાવવા સૂત્ર = દોરા જોઈએ તેમ ચારિત્રમાં સૂત્રોનો ગહન અભ્યાસ જોઈએ. ટાળો આઠ પ્રકાર = તે સૂત્રો પણ વિધિ મુજબ ભણવાનાં છે. જ્ઞાનનાં આચાર પાળવાનાં છે અને અતિચાર (આઠ) ટાળવાનાં છે. ચૂંદડી માટે જેમ કાચા, મેલાં કે તૂટી જાય તેવાં દોરા ન ચાલે તેમ. શિયળ સુરંગી = સૂત્રો જેનાં સારાં હોય તેને અર્થનો વિવિધ અભ્યાસ થાય છે એટલે કે અર્થમાં વિવિધતારૂપી રંગ જામે છે. ચૂંદડી પણ વિવિધરંગી હોય તો વધારે શોભે છે. (૧) ગાથા-૨ ત્રણ ગુપ્તિ તાણો = મન, વચન, કાયાની મજબૂતાઈથી (તાણીને) ચારિત્રયોગની સાધના કરવી. ચૂંદડીમાં જેમ તાણીને વ્યવસ્થિત દોરાં ભરે તો મજબૂતાઈ વધે છે તેમ. નલીયભરી ચારિત્રની રક્ષા માટે નવવાડ જરૂરી છે. ચૂંદડી વણતી વખતે વણકર સાળ નામનાં સાધન ઉપર વાંસની નળી ગોઠવે પછી દોરા વીંટે તેમ. ૧૯૦ = For Personal & Private Use Only જ્ઞાનતીર્થની યાત્રા Page #232 -------------------------------------------------------------------------- ________________ વાણોવણો = નવવાડ પછી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન પણ જરૂરી છે. જેમાં વાણી = ભાષા સમિતિ તો અત્યંત જરૂરી છે કેમ કે મૌન રાખે તે = મુનિ અથવા મુહપત્તિનાં ઉપયોગ વિવેકપૂર્વક વાણીનો સંયમ રાખો. ગાથા ૫ થી ૭ માં ‘ચૂંદડી'થી મુક્તિ પામ્યા છે એવા નરનારીઓનો નામોલ્લેખ થયો છે. પ્રભુનેમનાથ, રાજુલ (રાજિમતી), ગજસુકુમાર, સુદર્શન શેઠ, જંબુસ્વામી, ધન્નઅણગાર, મેઘમુનિ, અવંતીસુકુમાર, શીતા, કુંતી, દ્રૌપદી, દમયંતી, ચંદનબાળા, અંજનાસતી અને પદ્માવતી સતીઓ વગેરે મહાત્માઓ અને સતીઓએ શીયળરૂપી ચૂંદડી ઓઢીને આત્માનું કલ્યાણ કર્યું છે. આ ચૂંદડીનો અજબ-ગજબનો પ્રભાવમહિમા વર્તે છે અંતે ઉપદેશ પંક્તિ છે. હાજી, શીયળ પાળો નર-નાર. સર્વ પ્રકારની આરાધનામાં શીયળ પ્રથમ છે. મુક્તિસોપાન ચારિત્ર. ચારિત્રનો શણગાર (ચૂંદડી સમાન) શીયળ છે. આ લઘુકાવ્ય કૃતિ આત્માની મુક્તિના સારરૂપ વ્રત શિરોમણિ શીયળનો મહિમા દર્શાવે છે. નામ ચૂંદડીનું કામ આત્મસિદ્ધિનું. ભગવાનની મૂર્તિ પૂજા ઉપરાંત અન્ય દેવ-દેવીઓની પણ ભક્તિ કરવામાં આવે છે. દેવી પૂજા પણ ભક્તિનો એક પ્રકાર છે. દેવીને ચૂંદડી ઓઢાડીને નૈવેદ્ય ધરાવીને માનતા માનવામાં આવે છે. દેવીની કૃપાથી કાર્ય સિદ્ધિ થાય એવી શ્રદ્ધાથી લોકો ભક્તિ કરે છે. સત્ય તો કર્માધીન શુભાશુભ ફળછે. પણ દેવીનું નિમિત્ત કાર્ય સિદ્ધિ માટે છે. ચૂનડી For Personal & Private Use Only ૧૯૧ Page #233 -------------------------------------------------------------------------- ________________ ચૂંદડી' એ સંસારી જીવનમાં સૌભાગ્યના પ્રતીક તરીકે પ્રસિદ્ધ છે. લગ્નજીવનની સફળતા અને સમૃદ્ધિમાં ચૂંદડી ઓઢવાનો પ્રસંગ અપૂર્વ હર્ષોલ્લાસથી ઉજવાય છે. આત્માના શાશ્વત સુખ માટે સંયમ જીવનનો રાજમાર્ગ સુપ્રસિદ્ધ છે. સંયમ જીવનમાં પાંચ મહાવ્રત છે તેમાં ચોથું બ્રહ્મચર્યવ્રત વ્રતોમાં શિરોમણિ છે. આ માટે શિયળ શબ્દ તેના પર્યાય તરીકે પ્રચલિત છે. - કવિ શીલવિજયે ૧૧ કડીની આ સક્ઝાયમાં પૂર્વકાલીન દષ્ટાંતોનો ઉલ્લેખ કરીને શીયળ પાળવાનો અનુરોધ કરતો કેન્દ્રવર્તી વિચાર પ્રગટ કર્યો છે. વિષયવાસનાનો ત્યાગ કરીને બ્રહ્મચર્યવ્રત પાલનથી આત્મા મુક્તિમાર્ગનો ભોક્તા બને છે શીયળની ચૂંદડી એ મુક્તિનું પ્રતીક છે. આરંભના શબ્દો છે. રે જીવ વિષય નિવારીએ, નારી શિરસો નેહો રે. મુંજમૃણાલ તણી પરે, ફાટક દેખાય છેહોરે. || ૧ || કવિએ સ્ત્રી ચરિત્રનાં ઉદાહરણ આપવીને શીયળ પાળવાનો બોધાત્મક વિચાર વ્યક્ત કર્યો છે. ઉદા. જોઈએ તો - જનમ લગે જે વાલહી, સૂરિકતાનારો રે, કંઠે ડસ્યો અંગુઠળે, મારવા નિજ ભરતારો રે, રે જીવ. ૩ દીપશીખા દેખી કરી. રૂપે મોહ્યો પતંગો રે, સોના કારણે લોભીયો, હોમે આપનો અંગો રે. રેજીવાલા અંતે કવિ જણાવે છે કે “શીયલ સુરંગી ચૂનડી, તે સેવો નિશદિશોરે.” શીયલની ચુંદડી રે જીવ વિષય નિવારીએ મારી ઉપર શો નેહોરે, મુંજ મૃગાલ તણીપરે ફાટક દેખાય છેહો રે જીવ. / ૧ / શાનતીર્થની યાત્રા ૧૯૨ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ષટુ ખંડ કેરો રાજીયો આપતણો અંગ જોતો રે, ચૂલણી ચૂકી મારવા અવર કહું કિસી વાતો રે જીવ. / ૨ // જન્મ લગે જે વ્હાલી સૂરીકાંતા નારો રે, કંઠે ડયો અંગુઠડો માર્યો નિજ ભરતારો રે જીવ. / ૩ / ચંદ્રવદની મૃગલોચની ચાલતી ગજગેલી રે, રૂપે દિસે રાયડી પણ તે વિષની વેલી રે જીવ. || ૪ || વિષયારસ વિષ લડી શેલડી સેવો ચંગો રે, પંડિત જનને ભોલવે ક્ષણમાં માંગો મંગો રે જીવ. | ૫ | નારી વિષયવિણાસીઓ દશમાંકંધર દશવિષો રે, રાજરમણી હારી કરી નરક પડ્યો નિશદિશો રે જીવ. ૬ // એક ઇંદ્રિય પરવશપણે બંધન પામે જીવો રે, મયગલ મોહ્યો હાથણી બંધ પડ્યો કરે રીવો રે જીવ. || ૭ | મધુકર મોહ્યો માલતી લેવા પરિમલ પૂરો રે, કમલ બિડતે માંડી રહ્યો જન આથમીયો સૂરો રે. જીવ. ૮ દીપ શિખા દેખી કરી રૂપેમોહ્યો પતંગો રે, સોનાકારણ લોભીયો હોમે આપણો અંગો રે જીવ. | ૯ | નાદવિનોદે વિંધાયો હરણ હણ્યો નિજ બાણો રે, રસના ફરસે માછલો બાંધ્યો ધીવર જાલો રે જીવ. / ૧૦ | પંડિત શિયલ વિજય તણો શિષ્યદિયે આશિષો રે, શીયલ સુરંગી ચુંદડી તે સેવો નિશદિનો રે રે. જીવ. / ૧૧ / સંદર્ભઃ જૈન-સઝાય ભાગ-૧, પાનું. ૧૨૯ ૧. દશમાકંધર = રાવણ ચૂનડી ૧૯૭ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર ચૂડી કવિ સમયસુંદરની વિરાટ અને વૈવિધ્યપૂર્ણ ગીત સૃષ્ટિમાં વિષયોની નવીનતા ધ્યાન ખેંચે તેવી છે. કવિએ ચારિત્ર ચૂડીના ગીતની રચના કરીને ચૂંડી પ્રકારની કૃતિઓ પ્રાપ્ત થઈ છે તેમાં નવીનતાનો પરિચય થાય છે નેમનાથ ભગવાને રાજુલને ચારિત્ર ચુંદડી આત્માનું સૌભાગ્યપણું પ્રાપ્ત કરાવ્યું છે તે વિચાર મહત્ત્વના છે. - ઓઢાડીને ચારિત્ર ચૂડી તીન ગુપતિ તાણો તણ્યો રે વીણો રે વરાયો ગુણ છંદ રે, રંગ લાગો વૈરાગનો રે વિચ મેં વણ્યો ચારિતચંદ / ૧ / લાખીખી ચૂતડી રે લાલ મોલવિ સખિ કેતાઉ મૂલ, ચૂનડી ચિતમાની અમૂલ મૂને નેમ ઉઢાડી રે. ! અવિહડ રંગ એ ચુંદડી રે જાલ જાલ વિચ મેં સંતિ, સમયસુન્દર કહઈ સેવતાં રે ખરી પૂગી રાજુલ ખંતિ. રા. (કુસુમાંજલિ પા. ૧૩૦) ૧૯૪ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૭, ગરબી મધ્યકાલીન સાહિત્યમાં ભક્તિ અને જ્ઞાનમાર્ગની વિવિધ પ્રકારની કૃતિઓ રચાઈ છે તેમાં ભક્તિમાર્ગની “ગરબી' પ્રકારના કાવ્યો જૈન સાહિત્યની વિવિધતામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. - ગુજરાતી સાહિત્યમાં કવિ દયારામની કૃષ્ણભક્તિની રચનાઓ પ્રસિદ્ધ છે. “દયારામની ગરબીઓ' એવી ઉક્તિ સાહિત્ય જગતમાં વિશેષ ખ્યાતિ ધરાવે છે. લલિત મંજુલ પદાવલીઓ દ્વારા માનવ ચિત્તની પ્રભુભક્તિ વિષયકવાણી તેમાં વ્યક્ત થાય છે. ગરબી વિશે એવી માન્યતા છે કે સ્ત્રીઓ ગાય તે ગરબો અને પુરૂષો ગાય તે ગરબીનો ઉદ્દભવ ક્યારે થયો તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી પણ ગરબા અને રાસની રચનાઓમાં તેનું મૂળ છે. દેશીઓના રચનાઓમાં પણ ગરબીનો આધાર રહેલો છે. ગરબી એ ઊર્મિગીતને અનુરૂપ સંક્ષિપ્ત અને ગેય રચના છે. તેમાં કોઈ એક જ વિષયને અનુરૂપ વિચારોનું આલેખન હોવું જોઈએ. ગરબીમાં સંઘનૃત્યને અનુરૂપ તાલ અને ગેયતા અનિવાર્ય છે. તેનું ધ્રુવ પદ આકર્ષક અને મધુર હોવું જોઈએ. ભક્તિની લાગણી કે ઊર્મિઓને પ્રગટ કરવા માટે ગરબીની રચના થાય છે. ગરબી ૧૯૫ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ અર્વાચીન જૈન સાહિત્યમાં યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરિનું પ્રદાન ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. એમનાં કાવ્યોમાં વિવિધતા નિહાળી શકાય છે. ભજન અને પદ સંગ્રહ રચના સાત ગ્રંથો પ્રગટ થયા છે તેમાં પદ, ભજન, સ્તવન, ગઝલ, વધાવા, ગહુલીઓ, ઉપદેશપદ, ચૂનડી, આધ્યાત્મિક પદો, ભગવાન મહાવીરના જીવન વિષયક કાવ્યો, ગુરુભક્તિ નિમિત્તે સ્વાગત, વિદાય, દીક્ષા, પ્રસંગ, યોગ, પારણું, હાલરડું વગેરેને લગતાં વિવિધ કાવ્યોથી એમની કવિત્વની સમૃદ્ધિનું દર્શન થાય છે. તેમાં ગરબી પ્રકારની ભક્તિ માર્ગની કૃતિઓ સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતી સાહિત્યમાં કવિ દયારામની ગરબીઓ પ્રસિદ્ધ છે. જૈન સાહિત્યમાં આબુદ્ધિસાગરની ગરબીઓ નોંધપાત્ર છે. ગરબી સમીક્ષા-૧ યોગનિષ્ઠ પૂ. આચાર્ય બુદ્ધિસાગરસૂરિની કાવ્યસૃષ્ટિ વૈવિધ્યપૂર્ણ છે. વિવિધ કાવ્યપ્રકારોમાં સર્જન કરીને અર્વાચીન કાવ્ય સાહિત્યમાં એમનું પ્રદાન મૂલ્યવાન છે. ભજન - પદ - ગહ્લી અને ગઝલોની મોટી સંખ્યામાં રચના કરી છે. એમની ગરબી કાવ્યરચનાનો પરિચય નીચે પ્રમાણે છે. જૈન સાહિત્યમાં પૂ.શ્રીએ ગહુંલી સંગ્રહ ભાગ ૧-રમાં ગરબીઓનો સંચય થયો છે. પૂ.શ્રીએ શ્રી મહાવીર પ્રભુની ત્રણ ગરબીઓની રચના કરી છે. ગરબીઓ ઉપરથી એમનો પ્રભુ મહાવીર સ્વામી પ્રત્યેનો અપૂર્વ ભક્તિ-ભાવનાનું દર્શન થાય છે. સમૂહમાં ગાઈ શકાય અને પ્રભુભક્તિ કરવાની સોનેરી ક્ષણો પ્રાપ્ત થાય એવી ગરબીની ગેયતા અને ભાવ ભક્તોને ભક્તિમાં તન્મય કરે છે. ૧૯૬ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર પ્રભુની ગરબીનો આરંભ નીચેની પંક્તિથી થયો છે. વહાલી સખીઓ ! આજે મહાવીર પ્રભુને ગાઈએ રે. ખાતાં હરતાં ફરતાં મહાવીર પ્રભુને ધ્યાઈએ રે. “ગાઈએ” અને “ધ્યાઈએ’ના પ્રાસ દ્વારા ગેયતા તો સિદ્ધ થાય છે પણ સાચા અર્થમાં તો પ્રભુ મહાવીરના ગુણગાન ગાઈને ધ્યાનસ્થ અવસ્થા પ્રાપ્ત કરવાની તે મહત્વનું છે. “ગાઈએ” અને “ધ્યાઈએ'નું ફળ દર્શાવતાં કવિ જણાવે છે કે “જેથી પ્રગટે પરમાનંદ ખરો નિર્ધાર.” આતમમાં જિનશાસન જીવતું નિર્ધાર. એવા જૈન ધર્મને આતમમાં પ્રગટાવીએ રે. સંગીત ખરી લિજ્જત આરંભની પંક્તિઓ ગાયા પછી સાખી દ્વારા માણી શકાય છે. સાખીનો પંક્તિઓમાંથી મહાવીર સ્વામીનો મિતાક્ષરી પરિચય થાય છે. સાખી દર્શન જ્ઞાન ચારિત્રને વીર્ય અનંત અપાર. આતમરૂપ જણાવીયું, જિનશાસન જયકાર. ત્રિશલાનંદન જગધણી, નિરાકાર સાકાર. અનંત શક્તિમય પ્રભુ, તીર્થકર અવતાર. મહાવીર સ્વામી ગામેગામ વિચરીને લોકોના કલ્યાણ માટે સદુપદેશ આપે છે. દ્રવ્ય અને ભાવથી ધર્મનું સ્વરૂપ સમજાવે છે. અન્ય સાખીમાં જૈન ધર્મનું મહત્ત્વ દર્શાવતાં કવિ કહે છે કે – “પરમાતમ પદ હેતુઓ જૈન ધર્મ છે તેહ. જૈન ધર્મમાં જીવતા, સર્વ ધર્મ સમાન.” ગરબી ૧૯૭. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના ગુણગાન ગાવાથી સર્વ કર્મ દૂર થાય છે. માટે પ્રભુ મહાવીરને દિલમાં-અંતરમાં ધ્યાન ધરીને સ્થાન આપવું. પ્રભુ મહાવીરની બીજી ગરબીમાં પણ ભક્તિની સાથે ઉપદેશાત્મક વિચારો વ્યક્ત થયા છે. પ્રભુ મહાવીર ભજો ભાવે, કુમતિ ટળે સુમતિ આવે. આતમ નિર્લેપ ઝટ થાય.” કવિ જણાવે છે કે મહાવીરનું શરણ સ્વીકારવાથી મરણ દૂર થાય છે. હૃદયમાં અમૃતનું નિઝર પ્રગટે છે. એમની ભક્તિથી નરનારીઓ શિવપુર સિધાય છે. કવિએ મત-મતાંતરનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે – “તર્ક-વિવાદો સહુ ઇંડો, મહાવીરથી રટને મંડો યાદ કરી વીરને વંદો.” વીર વીરને જે રટતો તેનાં પાપ દૂર જશે અને આત્માનો ઉદ્ધાર થશે. “કળિકાળે મહાવીર ભજો, મિથ્યા ખટપટ દૂર તજો.” ગરબીના અંતે કવિના શબ્દો છે - “મહાવીરનું સગપણ કીધું, અનુભવ અમૃતને પીધું બુદ્ધિસાગર મન સિદ્ધયું.” ત્રીજી ગરબીના આરંભની પંક્તિ નીચે પ્રમાણે છે – પ્રભુ મહાવીર વિભુજી સર્વાગે શોભી રહ્યા છો જેનો મહિમા જગમાં સઘળે અપરંપાર શક્તિ જેની છાજે સર્વ વિશ્વ આધાર, એવા વીર પ્રભુ તો વચને નહી જાવે કહ્યાંજો . ૧૯૮ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ કવિ એમ કહે છે કે, ભગવાન મહાવીરના ગુણગાન શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. અનંતોઅનંત ગુણોવાળા છે. કવિએ સાખીમાં પ્રભુનો પરિચય કરાવતાં કહ્યું છે કે – “આતમ તે પરમાતમા, પરમાતમ તે વીર પર બ્રહ્મ હરિહર વિભુ, અરિહંત જગધીર.” પ્રભુ મહાવીર કેવળજ્ઞાનના પ્રકાશથી ત્રણ ભુવનમાં પ્રકાશ કરી શોભી રહ્યા છે. કવિએ ગરબીમાં પણ ભક્તિની ઊર્મિઓની સાથે તાત્વિક વિચારોનો ઉલ્લેખ કર્યો છે. ષટચક્રોમાં નૂર તુજ, ભાસે અનંત અપાર. સત્તાએ જીવો સહુ, એકાત્મા નિર્ધાર. નય-વ્યવહાર અનંતા અનંત, વ્યક્તિએ છતા. સમજ્યા વણ નમોને, મૂઢજનો ખાવે ખ-તાજો માટે નયના જ્ઞાને સમજો, વિર સ્વરૂપ જેથી નાસે મિથ્યા ભ્રાંતિ, દુઃખી હી ધૂપ બુદ્ધિસાગર આત્મ મહાવીર ઘટમાં દેખશો જો શુદ્ધ પ્રેમાને આતમ સમુંજગ પખશોજો પ્રભુ || ૩ | આ ગરબીમાં તત્ત્વજ્ઞાનના ઉલ્લેખ દ્વારા કવિએ જણાવ્યું છે કે મહાવીરના રટણ દ્વારા આત્મા પોતે જ પરમાત્મા સ્વરૂપ શુદ્ધ સ્વરૂપનું દર્શન કરવાના અનુભવ કરી શકશે. ભક્તિથી અંતર શુદ્ધિ-નિર્મળ થતાં આવું દિવ્યદર્શન થાય છે. કવિએ ગરબી સંજ્ઞા આપી છે પણ તેમાં ગરબીનીસાથે તત્ત્વજ્ઞાનના વિચારોનો સંયોગ થવાથી કાવ્યને અનુરૂપ રસ-રસિકતાનું ધોરણ ગરબી ૧૯૯ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ જળવાયું નથી. પણ સમૂહ ગાઈને ભક્તિમાં નિમગ્ન થવાય એવી પંક્તિઓ હોવાથી કાવ્ય તરીકે નોંધપાત્ર ગણાય તેમ છે. જૈન સાહિત્યમાં આ પ્રકારની રચના કરનાર એકમાત્ર બુદ્ધિસાગર છે. ગહેલીઓ અને ગરબા તો રચાયા છે પણ ગરબી તો પૂ.બુદ્ધિસાગરની જ પ્રાપ્ત થાય છે. કવિએ પતિવ્રતા સ્ત્રીનાં લક્ષણો અને પતિગુણની ગરબીની રચના કરી છે. આ ગરબીમાં જૈન ધર્મ - ભારતીય સંસ્કૃતિના આચાર-વિચારના પાલનનો પરોક્ષ રીતે ઉપદેશ વ્યક્ત થયો છે. ગરબીની ભાષા સરળ અને સર્વજન સહેલાઈથી સમજી શકે તેવાં લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે. ગરબીનાં લક્ષણોને આધારે મૂલ્યાંકન આ રચના ગરબી નહિ પણ “પદ સ્વરૂપની સાથે સામ્ય ધરાવે છે. સાંપ્રદાયિક રચનાઓમાં ઉપદેશનું લક્ષણ સર્વ સામાન્ય રીતે જોવા મળે છે. સાહિત્યની દૃષ્ટિએ આ લક્ષણ ગૌણ છે. સાહિત્યજીવન માટે છે. માત્ર કલાનું જ લક્ષ નથી. માનવીનું કલ્યાણ થાય તેવા હેતુથી સાહિત્યનું રચના થાય છે. તેમાંય ધાર્મિક સાહિત્ય જનસમાજની સાત્ત્વિક રસ-રૂચિને પોષણ આપીને જીવનમાં શાંતિ અને સુખની અનુભૂતિ કરાવવાની શક્તિ ધરાવે છે એટલે ઉપદેશનું લક્ષણ હોય તો તે દોષરૂપ નથી, પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે ઉપદેશનું લક્ષણ જોવા મળે છે. સર્જકની અંગત પ્રતિભાથી તેનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. પતિ-પત્ની વિષયક ગરબી એટલે સમાજ જીવનમાં શાંતિ અને સુખની અનુભૂતિના સંસ્કારોનું સિંચન થાય તેવા આચાર અંગેના વિચારોનું નિરૂપણ થયું છે. જીવન ઘડતર અને વિકાસ માટે માર્ગદર્શક સદ્ગુણોના ઉલ્લેખ દ્વારા ઉપદેશનું લક્ષણ ચરિતાર્થ થયું છે. ૨૦૦ શાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ (ગરબી-૧) શ્રી મહાવીર પ્રભુની ગરબી હાલી સખીઓ આજે મહાવીર પ્રભુને ગાઈએ રે, ખાતાં હરતાં ફરતાં મહાવીર પ્રભુને ધ્યાઈએ રે; જેથી પ્રગટે પરમાનન્દ ખરો નિર્ધાર, આતમમાં જિન શાસન જીવંતુ નિર્ધાર. એવા જૈન ધર્મને આતમમાં પ્રગટાવીએ રે. ત્રિશલા નંદન જગધણી, નિરાકાર સાકાર; અનન્ત શક્તિમય પ્રભુ, તીર્થકર અવતાર. ભારત દેશ ઉદ્ધાર્યો દુઃખ દુર્ગુણ સર્વે હરીરે, દીધા સદુપદેશો ભારતમાં સઘળે ફરીરે, કિધા ઉપકારો વર્ણવતાં નાવેપાર, માટે ધન્ય ધન્ય મહાવીર પ્રભુ અવતાર. વ્હાલી. ૧ સાખી દર્શન જ્ઞાન ચારિત્રને, વીર્ય અનન્ત અપાર; આતમરૂપ જણાવિયું, જિનશાસન જયકાર. આતમ શક્તિયોને જૈનધર્મ સમજાવીયો રે, નથી જ્યાં નાતિ જાતિનો ભેદ જરા નિર્ધાર. એવો દ્રવ્યભાવથી પ્રભુ ધર્મ દિલ ભાવિયો રે. વ્હાલી. ૨ સાખી આતમ તે જૈનધર્મ છે, સત્યરૂપ છે એહ; પરમાત્મપદ હેતુઓ, જૈનધર્મ છે તેહ. એવો જૈનધર્મ જગમાં સહુ જીવોમાં રહ્યો રે, સત્તાએ તે પ્રગટપણે કરવા નિર્ધાર. મહાવીર પ્રભુએ સર્વજ્ઞ જગમાં સાચો કહ્યો રે. વ્હાલી. ૩ ગરબી ૨૦૧ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ સાખી જૈનધર્મમાં જીવતા, સર્વે ધર્મ સમાય; સદસત્ વ્યક્તાવ્યક્ત સહુ, અસ્તિનાસ્તિરૂપ પાય. મહાવીર શરણે રહેતાં સર્વધર્મ પ્રગટે ખરા રે. નામે કર્મ મોહાદિ સહુ અનાદિ કીધ. માટે મહાવીર પ્રભુને દિલડામાંથી મહેં ધર્યા રે. વ્હાલી. ૪ સાખી અનન્ત વિશ્વ સમાય છે, મહાવીર જ્ઞાનનીમાંહિ, આત્માઓ સહુ વીર સમ, સત્તા વ્યક્તિની છાંઈ; મહાવીર જગ રૂપને જગ સહુ મહાવીર જાણીએ રે, સત્તા સાપેક્ષાએ જીવો વીર નિર્ધાર, એવા મહાવીર પ્રભુને અત્તરમાંહિ આણીએ રે, બુદ્ધિસાગર ધ્યાવે મહાવીર આપો આપ. હાલી. ૫ (ગરબી-૨) શ્રી મહાવીર પ્રભુની ગુહલી (મુનિવર સંયમમાં રમતા.) પ્રભુ મહાવીર ભજો ભાવે, કુમતિ ટળે સુમતિ આવે; આતમ નિર્લેપ ઝટ થાવે. પ્રભુ. ૧ કર્યું જેણે મહાવીરનું શરણું, પછીથી નહીં તેહને મરણું. પ્રગટે હૃદય અમૃત ઝરણું. પ્રભુ. ૨ વીર ભજે નાસે પાપો, શરણ કરે નહીં સંતાપો; પૂર્ણ પ્રેમે જપતાં જાપો. પ્રભુ. ૩ ખાતાં પીતાં હરતાં ફરતાં, વીર વીર મુખ ઉચ્ચારતાં; નર નારી શિવપુર વરતાં. પ્રભુ. ૪ ૨૦૨ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ તર્ક વિવાદો સહુઝંડો, મહાવીરથી રઢને મંડો; યાદ કરી વીરને વંદો. પ્રભુ. ૫ પરમાતમ વીરના જેવો, ત્રણ્ય ભુવનમાં નહીં દેવો; પૂર્ણ સ્નેહે ઘટમાં સેવો. પ્રભુ. ૬ વીર વીર જે ઉચ્ચરશે, તેહનાં પાપો સહુ ટળશે; આતમને તેહ ઉદ્ધરશે. પ્રભુ. ૭ અરિહંત વીર જપો જાપે, આતમ વિશ્વ વિશે વ્યાપે; મુક્તિ સ્વયં નિજને આપે. પ્રભુ. ૮ કલિકાલે મહાવીર ભજો, વિકથા ખટપટ દૂર તજો; વીર પ્રભુરૂપ ઓળખો. પ્રભુ. ૯ વીર વીર મુખજે બોલે, મુક્તિ દ્વાર ઝટ તે ખોલે; આતમ શક્તિયો તોલે. પ્રભુ. ૧૦. મહાવીરનું સગપણ કીધું, અનુભવ અમૃતને પીધું; બુદ્ધિસાગર મન સિદ્ધયું. પ્રભુ. ૧૧ (ગરબી-૩) મહાવીર પ્રભુ પ્રભુ મહાવીર વિભુજી સર્વાગે શોભી રહ્યા છો, જેનો મહિમા જગમાં સઘળે અપરંપાર; શક્તિ જેની છાજે સર્વ વિશ્વ આધાર. એવા વીરપ્રભુ તો વચને નહીં જાવે કહ્યા છે; સાખી આતમ તે પરમાતમા, પરમાતમ તે વીર, પર બ્રહ્મ હરિહર વિભુ, અરિહંત જગધીર; કેવલજ્ઞાન અને દર્શન-ગુણથી જગમાં વિભુ રે, વિશ્વોદ્ધારક તેથી, જગમાંહિ સાચા પ્રભુ રે; ગરબી ૨૦૩ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ પિડે બ્રહ્માંડે ઝળહળતી-ઝગમગ જયોત, તેથી ત્રણ્ય ભુવનમાં-વીરતણો ઉદ્યોત; સાપેક્ષાએ કર્તા હર્તા, પાલક જગ ધણી જો. સત્તાએ વ્યાપકને કેવલજ્ઞાને જગમણિ જો. પ્રભુ. ૧ સાખી અનંત જ્ઞાનાદિક ગુણી, ઝળકે અનંત નર, ચિદાનન્દ અનંતરસ-સાગરના છો પૂર; પિંડે બ્રહ્માંડે ષકારકમય શોભા કહ્યા જો, અનંત ગુણપર્યાયી, દ્રવ્યપણે નિત્ય જ વહ્યા જો; જેના ગુણ પર્યાયો અનંતદેવ સ્વરૂપ, સદસત્ પર્યાયોએ વર્તી રૂપારૂપ; ઘટ ઘટ આત્મવીર સત્તાએ પરમાતમ સદા, આવિર્ભાવ વ્યક્ત જિનેશ્વરકેવલી છો મુદા જો. પ્રભુ. ૨ ષટચક્રોમાં નૂર તુજ, ભાસે અનંત અપાર, સત્તાએ જીવો સહુ, એકાત્મા નિર્ધાર; નય વ્યવહારે આતમ-અનંત વ્યક્તિએ છતા જો, સમજ્યા વણ નયોને, મૂઢજનો ખાવે ખતા જો; માટે નયના જ્ઞાને સમજો વીરસ્વરૂપ, જેથી નાસે મિથ્યા ભ્રાંતિ દુઃખડાં ધૂપ; બુદ્ધિસાગર આત્મ મહાવીર ઘટમાં દેખશો જો; શુદ્ધપ્રેમàતે આત્મ સમું જગ પેખશો જો. પ્રભુ. ૩ ૨૦૪ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ (ગરબી-૪) પતિવ્રતા સ્ત્રીનાં લક્ષણ (મુનિવર સંયમમાં રમતા એ રાગ) પતિવ્રતા નારી જગસારી, દેવી સતીની બલિહારી, પતિવ્રતા. પરણ્યો પતિ કર્મ પામી, સંતોષે રહે ગુણરામી; થાય ન પરનરની કામી. પતિવ્રતા. ૧ રૂપથકી નહીં લલચાતી, પતિને ખવરાવી ખાતી; શંકા પડે ત્યાં નહિ જાતી. પતિવ્રતા. ૨ લાજ મર્યાદા નહિ મૂકે, શીયલ વ્રતને નહીં ચૂકે; કામની વાતો નહીં ફૂંકે. પતિવ્રતા. ૩ જડ ભોગોની ન પૂજારી, કર્મ કરે શુભ સંભાળી; વાણી વડે ગુણ રઢિયાલી. પતિવ્રતા. ૪ સાસુ સસરાને નમતી, વૃદ્ધ જમાડીને જમતી; મેંણાં ટોણાં સહુ સહતી. પતિવ્રતા. ૫ કજીયા કંકાસો ત્યાગે, સહુ પહેલાં ઘરમાં જાગે; દેવગુરૂ પાયે લાગે. પતિવ્રતા. ૬ પર ઘેર નવરી નહીં ભમતી, કુલટા સાથે નહીં રમતી; દુઃખ પડેલાં સહુ ખમતી. પતિવ્રતા. ૭ ચિત્ત પતિથી નહીં ચોરે, પીડા નકામી નહીં હોરે; પતિને ન અવળાપંથ દોરે. પતિવ્રતા. ૮ જેવો તેવો પતિ નિજ સારો, કર્મે મળ્યો મને પ્યારો; ઈચ્છે ન બીજો રૂપાળો. પતિવ્રતા. ૯ મન મારી ઘરમાં રહેતી, કાર્ય કરે ધરીને નીતિ; પાળે કુલવટની રીતિ. પતિવ્રતા. ૧૦ ગરબી ૨ON For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ અરિહંત વીર પ્રભુ જપતી, રાખે ન મન કાયા તપતી; સંતોષે રાખે તૃપતિ. પતિવ્રતા. ૧૧ નિંદા વિકથા સહુ વારી, ગુણથી થાતી જગ પ્યારી; બુદ્ધિસાગર ગુણ ધારી. પતિવ્રતા. ૧૨ (ગરબી-૫) પતિગુણ (મુનિવર સંયમમાં રમતા. એ રાગ) ગુણવંત પતિની બલિહારી, દુર્વ્યસની નહીં વ્યભિચારી, ગુણવંત. ઈચ્છે નહીં કદિ પરનારી, શુદ્ધ પ્રેમનો અવતારી; વાણી મધુરી ઉપકારી. ગુણવંત. ૧ કામ કરે સર્વે સારાં, દુષ્ટ કર્મ કરતો ન્યારાં; સ્વજન ગણે મનમાં પ્યારાં. ગુણવંત. ૨ પત્નીથી નહીં લેશ કરે, કુટુંબ દુઃખો સર્વ હરે; નવરો નટ થઈ નહીં ફરે. ગુણવંત. ૩ આચારો સાચા પાળે, પત્નીવ્રતે મનડું વાળે; ચડતો નહીં મોહના ચાળે. ગુણવંત. ૪ મુંઝે ન પરનારી રંગે, રહેતો નહીં દુર્જન સંગે; કર્તવ્ય કરતો ઉમંગે. ગુણવંત. ૫ આત્મસમી પત્ની દેખે, એક સ્વરૂપે મન પેખે; અશુદ્ધપ્રેમને ઉવેખે. ગુણવંત. ૬ પત્નીવ્રતે વર્તે ભોગી, શુદ્ધ પ્રેમ ગુણ સંયોગી; દેશકાલ ગુણ ઉપયોગી. ગુણવંત. ૭ નીતિ રીતિ વ્રતને પાળે, દુર્ગુણ પ્રગટ્યા સહુ ટાળે; વંશ કુળ નિજ અજવાળે. ગુણવંત. ૮ For Personal & Private Use Only શાનતીર્થની યાત્રા Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણિક પૂરો થાવે, અવળા પન્થ નહીં જાવે; સહુને ખવરાવી ખાવે. ગુણવંત. ૯ સાધુ સંત સેવા સારે, અતિથિને આદર ભારે; નિર્લેપ વર્ડે સંસારે. ગુણવંત. ૧૦ પત્નીથી નહીં કલેશ કરે, ગુસ્સો અને નહીં ગર્વ ધરે; ધર્મ માર્ગમાંહિ સંચરે. ગુણવંત. ૧૧ વીરપ્રભુ હૃદયે ધારે, વીર જાપ જપો ભારે; કામ કરે સહુ અધિકારે. ગુણવંત. ૧૨ વીર પ્રભુ ગુરૂનો રાગી; આત્માર્પણભાવે ત્યાગી; બુદ્ધિસાગર ગુણરાગી. ગુણવંત. ૧૩ ગરબી ૨૦૭ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૮, લાજવા | (સાક્ષરરત્ન વિનયસાગરજી આ લેખમાં જૈન શ્રુતજ્ઞાનના પ્રકાંડ પંડિતથી વિનય સાગરજીની શ્રતભક્તિ અને સેવાનો પરિચય આપવામાં આવ્યો છે. શ્રુતજ્ઞાનની કેવી રીતે સેવા થઈ શકે તેનું એક સર્વોત્તમ દષ્ટાંત એમની શ્રુતજ્ઞાનની સેવા છે.) વિનયસાગરજી મહામહોપાધ્યાય “બહુરત્ના વસુંધરાના ન્યાયે આ વિશ્વમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભાશાળી નરરત્નોનો જન્મ થાય છે. ધન્યધરા જયપુર શહેરની કે જ્યાં જૈન શાસનનાં શ્રુતજ્ઞાનના મહાન વિદ્વાનનો જન્મ થયો છે. માતા પાનીબાઈ અને પિતા સુખલાલના પનોતા પુત્ર વિનયભાઈ. એમનો જન્મ ૧-૭-૧૯રરના રોજ થયો હતો. એમનો અભ્યાસ પણ વિવિધ્યપૂર્ણ છે. કાવ્ય, વ્યાકરણ, ભાષા, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, પાલી) આગમ, જૈન દર્શન સંસ્કૃત અને હિન્દી ભાષામાં સાહિત્યરત્નની પદવી પ્રાપ્ત કરી છે. ઉપરોક્ત અભ્યાસ પછી સાહિત્ય વાચસ્પતિ શાસ્ત્રવિશારદ, ઉપાધ્યાય, મહામહોપાધ્યાય સાહિત્યાચાર્ય આદિ પદવીઓથી અલંકૃત થયા છે. એમની શ્રુતપાસના અને સાહિત્યની ઉપલબ્ધિના પાયામાં ખરતરગચ્છીય પ.પૂ.આ. જિનમણિસાગરસૂરિની અસીમ જ્ઞાનતીર્થની યાત્રા ૨૦૮ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ગુરુકૃપા અને આશીર્વાદ સ્થાન ધરાવે છે એમનું કાર્યક્ષેત્ર અભ્યાસને અનુરૂપ હોવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે. એમના કાર્યક્ષેત્રની માહિતી નીચે મુજબ છે. • વરિષ્ઠ શોધ સહાયક, રાજસ્થાન પ્રાપ્ય વિદ્યા પ્રતિષ્ઠાન - જોધપુર. (વર્ષ ૧૭) • નિર્દેશક – બી.એલ. ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડોલોજી, ન્યુદિલ્હી. (વર્ષ ૨) • સામાન્ય નિર્દેશક અને સંયુક્ત સચિવ પ્રાકૃત ભારતી અકાદમી, જયપુર. (વર્ષ ૩૩) એમણે બાવન (પર) વર્ષ સુધી સંશોધન અને સાહિત્ય ક્ષેત્રે સેવાકાર્ય કરીને એક નમૂનેદાર ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમની કર્તવ્યપરાયણતાનો પરિચય દીર્ઘકાલીન સેવાથી થાય છે. ૮૨ વર્ષની જૈફ વયે પણએમનું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. એમની શ્રુતજ્ઞાન પ્રત્યેની ભક્તિ અને સંશોધન પ્રિયતાના ગુણને કારણે જૈન સાહિત્યના સંશોધકને પ્રેરક માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. તેઓ માત્ર પંડિત-વિદ્વાન હોવાની સાથે જ્ઞાન પ્રસાર, પ્રકાશન અને સંશોધન ક્ષેત્રમાં પણ અમૂલ્ય સેવા આપીને જીવનની એક વિલક્ષણ પ્રવૃત્તિનો પરિચય કરાવે છે. એમની સાહિત્ય સેવા, સંશોધન, અનુવાદ, સંવાદન જેવા ક્ષેત્રોમાં વિસ્તાર પામી છે. ઉદાહરણરૂપે જોઈએ તો - આત્મભાવના, નેમિદૂતમ્ સત્તક, મહોપાધ્યાય સમયસુંદર, મહાવીર પટુ કલ્યાણક પૂજા, ચતુર્વિશતિ જિનેન્દ્ર સ્તવનાનિ, ખરતરગચ્છનો ઈતિહાસ, પૂજ્ય દાદાજી અને એમનું સાહિત્ય, શાસન પ્રભાવક આચાર્ય જિનપ્રભ અને એમનું સાહિત્ય, કલ્પસૂત્ર સાક્ષરરત્ન ૨૦૯ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ સચિત્ર સાનુવાદ, સંસ્કૃત-પ્રાકૃત હસ્તલિખિત ગ્રંથોનું સૂચિપત્ર તા. ૧૧-૧૮-૨૧, રાજસ્થાની હિન્દી હસ્તલિખિત ગ્રંથોનું સૂચિપત્ર ભાગ પ-૬, નાકોડા પાર્શ્વનાથ તીર્થ, યુગપ્રધાન જિનદત્તસૂરિ પ્રવચન સરોદ્ધાર ભાગ ૧-૨ (સંપાદન), ખરતરગચ્છ પટ્ટાવલી સંગ્રહ, રાજસ્થાનનું જૈન સાહિત્ય, નંદીશ્વર દીપ પૂજા, ઋષિભાષિત સૂત્ર (અનુવાદ), હિમાલયની પદયાત્રા, ખરતરગચ્છ પ્રતિષ્ઠા લેખસંગ્રહ, સ્થૂલિભદ્ર ગુણમાળા કાવ્ય, દાદા જિનકુશલસૂરિ, જૈન રામાયણ ભાગ ૨-૩-૭, દમયંતીકથા, ચમ્પ સારસ્વતી ટીકા, આચારાંગ સૂત્ર ભાગ ૧-૨, ગુરુવાણી ભાગ ૧-૨-૩, ખરતરગચ્છ સાહિત્ય કોશ, સરિવાલચરિયું, સચિત્ર હિન્દી અનુવાદ, નલ ચપુ-ટીકાકાર મહોપાધ્યાય, ધર્મપરીક્ષા પ્રકરણ. ઉપરોક્ત ગ્રંથોની સૂચિને આધારે વિનયસાગરજીની પ્રાચીન સાહિત્ય સંશોધન હસ્તપ્રતોનું સંશોધન, સંરક્ષણ, ઈતિહાસ ચરિત્ર, કાવ્ય, અનુવાદ અને સંપાદનની મહત્ત્વની કામગીરીનું ઉદાહરણ છે. • જૈન રામાયણ ભાગ પ-૬, રાજસ્થાની સંસ્કૃત-હિન્દીઅંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ. આ ગ્રંથોનું પ્રકાશન કાર્ય ચાલુ છે. એમણે કેટલાક ગ્રંથોની ભૂમિકા લખીને વિદ્વત્તાનો પરિચય કરાવ્યો છે. પિંડ વિશુદ્ધિ પ્રકરણ, ટીકા, ભંવર ભક્તિસાગર, અમરચિંતન, આચારાંગ વચનિકા, મનોહર જીવન સૌરભ, સંઘ પટ્ટકટકા એમની સાહિત્ય પ્રવૃત્તિ સામયિક ક્ષેત્રમાં પણ વિસ્તાર પામી છે. સ્વદેશ સાપ્તાહિક) વિકાસ ત્રિમાસિક)માં સેવા કરી છે. ૨૧૦ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ • જૈન સાહિત્યને કેન્દ્રમાં રાખીને રરપ જેટલા નિબંધો પ્રગટ થયા છે. એમનું વિદ્વત્તાપૂર્ણ કાર્ય પ્રાકૃત ભાષા જૈન સાહિત્ય અને ખરતરગચછનો ઈતિહાસ સાહિત્યમાં વિશેષ નોંધપાત્ર અને સિદ્ધિ દર્શાવે છે. ટૂંકમાં ઉપરોક્ત વિષયમાં એમની બુદ્ધિ અને કાર્યક્ષમતા સર્વોચ્ચ કક્ષાની છે. એમણે સાધુ-સાધ્વીજી ભગવંતોને જૈન સાહિત્યનો અભ્યાસ કરાવ્યો છે અને ૫૫ વિદ્યાર્થીઓને પ્રાકૃત ભાષા અને જૈન સાહિત્યનો વિશેષ અભ્યાસ કરાવ્યો છે. ૨૭ વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની પદવી માટે મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું છે. પ્રાકૃત ભારતી અકાદમી તરફથી ૧૮૦ ગ્રંથો અને પદ ચિત્ર કથાઓનું પ્રકાશન થયું છે. તેમાં વિનયસાગરજીની વિદ્વત્તા અને ઉચ્ચ કક્ષાની જ્ઞાનોપાસનાનો પરિચય થાય છે. વિનયસાગરજીએ કેટલીક સંસ્થાઓમાં વિદ્વતાપૂર્ણ પ્રવચનો આપીને શ્રુતજ્ઞાનની ભક્તિની સાથે જ્ઞાન પ્રસારનું કાર્ય કર્યું છે. વિશ્વવિદ્યાલય ઉદયપુર-રાજસ્થાન, વિશ્વવિદ્યાલય પાર્શ્વનાથ વિદ્યાપીઠ-વારાણસી, બી. એલ. ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડોલોજી નવી દિલ્હી, પ્રાકૃત વિદ્યાવિકાસ ફંડ-અમદાવાદ, રાજસ્થાન પ્રાપ્ય વિદ્યા પ્રતિષ્ઠાન-જોધપુર, આગમ-અહિંસા-સમતા અને પ્રાકૃત શોધ સંસ્થાન-ઉદયપુર અને અન્ય સંસ્થાઓમાં પ્રસંગોચિત શોધનિબંધ પ્રસ્તુત કર્યા છે. એમની બહુમુખી સાહિત્ય પ્રતિભાનો પરિચય આ રીતે સરસ્વતીને ચરણે શ્રુતજ્ઞાનોપાસનામાં જીવન સમર્પણ કર્યું છે. એમ સ્વાભાવિક રીતે જાણવા મળે છે. સાક્ષરરત ૨૧૧ For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય અને ભાષાના પ્રકાંડ પંડિત વિનયસાગરજીને વિવિધ સંસ્થાઓએ સન્માન કરીને શ્રુતભક્તિનો લાભ લીધો છે. સન્માનના દૃષ્ટાંતરૂપે કેટલીક સંસ્થાઓની સૂચિ નોંધવામાં આવે છે. ૦ રાજસ્થાન શિક્ષા શાસન વિભાગ, જયપુર ૦ કલકત્તા શ્રીસંઘ ૦ અખિલ ભારતીય શ્રી જૈન શ્વેતાંબર ખરતરગચ્છીય મહાસંઘ, કલકત્તા શ્રી જૈન શ્વેતાંબર ખરતરગચ્છ સંઘ, બિકાનેર શ્રી રાજસ્થાન જૈન સભા, જયપુર ૦ શ્રી જિનદત્તસૂરિ મંડળ, અજમેર ૦ શ્રી વિજય સોમચન્દ્રસૂરીશ્વરજીની નિશ્રામાં ૧૦૮ સમોવસરણ રજતજયંતી મહોત્સવ પાલીતાણા. ૦ ખરતરગચ્છના વિવિધ સંઘો, માલેગાંવ ૦ પાલીતાણા બાડમેર (રાજસ્થાન) ૨૧૨ ૦ શ્રી ધર્મનાથ મંદિર, ચેન્નાઈ ૦ નીલવર્ણ પાર્શ્વનાથ જૈન સંઘ ટ્રસ્ટ - ઈન્દોર વિનયસાગરજીના સન્માનની સંસ્થાઓની સૂચિને આધારે એમની ખરતરગચ્છની સેવાનું ઉચિત સન્માન થયું છે. એમ જાણવા મળે છે. જ્ઞાની પુરૂષોનું સન્માન એ પણ સમ્યજ્ઞાન પ્રાપ્તિ માટે પ્રેરક બને છે. વિનયસાગરજીના જીવનનો આ પરિચય સ્વાભાવિક રીતે જ્ઞાનપિપાસુ વર્ગને શ્રુતજ્ઞાન સંશોધન-રક્ષણ અને પ્રકાશન માટે જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ અનન્ય પ્રેરણાસ્ત્રોત બને તેવી ભાવના વ્યક્ત કરવામાં આવે છે. મનુષ્ય સમર્પણશીલ ભાવનાથી કામ કરે તો શ્રુતજ્ઞાનના સુસુપ્ત વારસાને પ્રકાશમાં લાવી શકે તેમ છે. અર્વાચીન કાળમાં જે કંઈ સાહિત્ય પ્રગટ થાય છે તેની તુલનામાં આ જ્ઞાનનું સંશોધન-પ્રકાશન અધિક મૂલ્યવાન છે. તેનાથી પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યની સમૃદ્ધિનું અલૌકિક દર્શન થાય છે. વિનયસાગરજી એટલે બહુશ્રુત વિદ્વાન, શ્રુતભક્ત, શ્રુતસંરક્ષક, શ્રુતજ્ઞાન પ્રકાશક લેખક, સમર્પણશીલ, ઉત્સાહી અને કર્તવ્યપરાયણ જૈન શાસનના એક અણમોલ વિદ્વાન વર્તમાનમાં પણ એમની સેવા પત્ર-ફોન અને રૂબરૂ સંપર્કથી ઉપલબ્ધ છે. જિનશાસનના જ્ઞાનવારસાના ઉપાસક વિનયસાગરજી “વિદ્યા વિનયન શોભતે” સમાન શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. સાક્ષરરત્ન ૨૧૩ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ વૈRH નમસ્તસ્ય? દુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી પણ કર્માધીન જીવો જીવનમાં વિવિધ પ્રકારની પીડાનો અનુભવ કરે છે. રોગગ્રસ્ત માનવી કલ્પનાથી હજારોવાર મરણને નોંતરે છે. રોગ દૂર કરવા માટે વૈદરાજની ચિકિત્સા નિદાન મુખ્ય ગણાય છે. અર્વાચીનકાળમાં વિજ્ઞાનના સંશોધનથી આયુર્વેદિક સારવારની સાથે સાથે એલોપથીની સારવારનું પ્રમાણ વધ્યું છે તેમ છતાં આયુષ્ય કર્મ તો આગળ જ છે. આયુષ્ય હોય તો જીવાત્મા બચી જાય. અશાતા વેદનીય વૈદ્યરાજની દવાથી શાંત થાય. રોગ વિજ્ઞાનમાં અસાધ્ય રોગ તરીકે હાર્ટ, કેન્સર, પેરાલીસીસ, વિકલાંગપણું વગેરે મહત્ત્વના છે. રોગ-પીડા શરીર સાથે સંલગ્ન છે અને તેમાં રહેલો આત્મા આ વેદનાની અનુભૂતિ કરીને ગરીબડી ગાય જેવો કે ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ હોય તેવો થઈ જાય છે. રોગની સાથે વૃદ્ધાવસ્થા - શરીરના અંગોની શિથિલતા વગેરેને કારણે આત્મા અત્યંત અશાતાથી પારાવાર વેદના ભોગવે છે. પુણ્યયોગે ઔષધનો ઉપચાર સફળ થાય પણ આત્માનો સાચો રોગ તો ભવભ્રમણનો એટલે કે ૮૪ લાખ જીવા યોનિમાં કર્માનુસાર ચક્રાવો ફરવાનો મહારોગ અસાધ્ય ગણાય છે છતાં ધર્મ એક એવું ઔષધ છે કે શરીર અને આત્મા બંનેના રોગોની ચિકિત્સા કરે છે. ૨૧૪ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર જીવનમાં વૈદરાજને ચિકિત્સા માટે નમસ્કાર કરવામાં આવે છે. ડૉક્ટરને દેવ સમાન ગણવામાં આવે છે. સંસ્કૃત સુભાષિતમાં જણાવ્યું છે કે – वैद्यराज नमस्तुभ्यम् यमराजसहोदरम् । यमस्तु हरति प्राणान् वैद्योप्राण्णान् धनानि च ॥ હે વૈદ્યરાજ ! તમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. કારણ કે તમે યમરાજના સગા ભાઈ છો. યમરાજ તો માત્ર વ્યક્તિના પ્રાણ હરણ કરે છે. (મૃત્યુ) જ્યારે તમે તો પ્રાણ હરણ કરવા ઉપરાંત ધન-સંપત્તિનો પણ વ્યય કરાવો છો. એટલે વૈદ્યરાજની આ સ્થિતિનો વિચાર કરતાં જીવાત્મા એ તો ભવ રોગ નિર્મળ થાય તેનો જ વિચાર કરવો હિતકારક છે. સકલાડહત સ્તોત્રમાં શ્રેયાંસ ભગવાનની સ્તુતિ કરતાં કળિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જણાવે છે કે – ભવરોગાત જંતુના - મગદંકાર દર્શનં. નિઃ શ્રેયસશ્રી રમણઃ શ્રેયાંસદ શ્રેયસેડડુ વઃ || ૧૩ છે. અર્થ : સંસારરૂપી રોગવડે પીડાયેલા પ્રાણીઓને વૈદ્યસમાન જેનું દર્શન છે. એવા મોક્ષરૂપી લક્ષ્મીના સ્વામી શ્રી શ્રેયાંસનાથ ભગવાન તમને કલ્યાણને માટે થાઓ. “ભવ' એ જ રોગ નહિ પણ મહારોગ છે. ભવોની પરંપરા કરવી પડે એજ રોગદશામાંથી મુક્તિ થવાનો પ્રયત્ન સારભૂત છે. ભગવાનનું દર્શન વૈદ્યના દર્શન સમાનરોગ નાશ કરનારું છે. એટલે સાચા અર્થમાં ભગવાન વૈદ્ય સમાન છે. ભગવાન શરીર અને આત્માના બધા જ રોગો નિર્મૂળ કરીને આત્મા શાશ્વતસુખ - અવ્યાબાધ સુખ આપનારા છે એટલે દેવાધિદેવ - વીતરાગ વૈદ્યરાજ वैदराज नमस्तुभ्यम्...? ૨૧૫ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ કરતાં પણ ઉત્તમોત્તમ કક્ષાના સર્વ જગતના પ્રાણીઓના રોગોનો નાશ કરનારા છે. એલોપથીમાં સ્પેશ્યાલીસ્ટ ડૉક્ટરોની હારમાળા કામ કરે છે જ્યારે ભગવાન સર્વરોગ નિદાન કરે છે. ભગવાનને ભવ-વૈદ્ય કહેવામાં આવે છે તે યથાર્થ છે. ડૉક્ટર કે વૈદ્ય શરીરની પીડા દૂર કરે છે. જ્યારે ભગવાન તો જન્મ-જરા-વ્યાધિનો સર્વથા નાશ કરે છે. સંસારમાં પરિભ્રમણરૂપ નરક તિર્યંચ અને મનુષ્ય ગતિનાં દુઃખોની વેદનાનો નાશ કરનારા છે. વૈદ્ય અને ડૉક્ટર ધનનો વ્યય કરાવે છે. યમરાજ તો માત્ર પ્રાણ લે છે જ્યારે ભગવાન જેવાં વૈદ્ય પ્રાણ લેતા નથી. ધન લેતા નથી, પણ રોગ મુક્ત થવાનો સન્માર્ગ દશવિ છે. એટલે ધર્મ પુરૂષાર્થ દ્વારા મોક્ષ પુરૂષાર્થની સાધનાનું રામબાણ ઔષધ ભવભ્રમણના અનાદિના રોગનો નાશ કરે છે. ભગવાને કર્મસત્તા, માર્ગાનુસારીપણું, સર્વવિરતિ અને દેશવિરતિ ધર્મ, દાન-શીલ-તપ અને ભાવધર્મ, નવપદ નવકારમંત્ર, સરાગસંયમ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, ક્રિયાયોગ જેવા માર્ગોનું પ્રતિપાદન કર્યું છે. ધર્મરૂપી ઔષધ અનુભવસિદ્ધ છે. તેમાં શ્રદ્ધા અને કર્તવ્યપરાયણતા, આચારનું પાલન રોગથી મુક્ત કરાવવાની જડીબુટ્ટી સમાન શક્તિ સંપન્ન છે. જિનશાસનની પ્રાપ્તિ એ આત્માના આરોગ્યની વૃદ્ધિ માટે અનિવાર્ય છે. જિનશાસન આલોક-પરલોકમાં આરોગ્યવર્ધક છે. તેના સેવનથી ભવભ્રમણની સંખ્યા ઘટે છે અને આત્મા શાશ્વત સુખ પ્રાપ્ત કરે છે. સંસારના વૈદ્યને નમસ્કાર કરવા કરતાં ભવ-વૈદ્ય એવા તીર્થંકરને નમસ્કાર-પૂજન-ભક્તિ-ઉપાસના એમની આજ્ઞાપાલનસમતિ-વિનય આદિ ઔષધોનું સેવન કરવું એજ આત્મા માટે શ્રેયસ્કર માર્ગ છે. – ડૉ. કવીન શાહ ૨૧૬ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ સમસ્યા પ્રધાન જીવનમાં સમાધાન માટે જેના મુલ્યોનું અનુસરણ ભૂમિકા? મહાન પુણ્યોદયે માનવજન્મ, દેવગુરુ અને ધર્મની સામગ્રી મળી છે. તેમ છતાં જીવન એ સુકોમળ પુષ્પોની શૈયાવાળી જિંદગી જેવું આનંદદાયક નથી. અનેકવિધ સમસ્યાઓ, તનાવ, હતાશા, અશાંતિ અને આતંકવાદના ભય હેઠળ જીવન ચાલી રહ્યું છે. જીવન સમસ્યાઓથી ઉભરાય છે ત્યારે માનવીની પરિસ્થિતિ જોતાં એમ લાગે છે કે ભૌતિકવાદની વિચારસરણી નિષ્ફળ નીવડી છે. મંત્ર-તંત્રની સંસ્કૃતિ પર યંત્ર સંસ્કૃતિના પ્રહારથી જીવન જીવવા જેવું રહ્યું નથી. આપઘાત, બળાત્કાર, અપહરણ, ચોરી, ગુનાખોરી, રાજકીય અસ્થિરતા જેવાં લક્ષણોથી સમગ્ર માનવજાતનો જીવન પ્રત્યેનો ઉલ્લાસ નાશ પામી રહ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે જ વિચારીએ તો જૈન ધર્મના મૂલ્યોની અનિવાર્ય આવશ્યકતા દષ્ટિગોચર થાય છે. યંત્રવાદની જડતાએ માનવ મૂલ્યોનો નાશ કર્યો છે. ત્યારે આ જીવન મૂલ્યો જીવનમાં ચરિતાર્થ કરવાથી જીવનમાં સ્વર્ગીય સુખનો આનંદ માણી શકાય છે. જૈન ધર્મનાં મૂલ્યો માત્ર જૈનો જ નહિ પણ સમગ્ર માનવ સમૂહને જીવન જીવવાની કળા સમાન અનન્ય પ્રેરક અને માર્ગદર્શક સમસ્યા પ્રધાન જીવનમાં.. ૨૧૭ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ સ્થંભ સમાન છે. ધર્મનાં મૂલ્યો કપોલ કલ્પિત નથી પણ તપ-ત્યાગસાધના અને જ્ઞાનથી પ્રાપ્ત કરીને સંતો-મહાત્માઓએ માનવોના કલ્યાણ માટે ઉપદેશરૂપે ધર્મમાં દર્શાવ્યાં છે. આ મૂલ્યોનું ચિંતનમનન અને આચરણ જીવનની સમસ્યાઓના સમાધાન માટે રાજમાર્ગ સમાન છે. અહિંસા પરમો ધર્મ : અહિંસાનો સિદ્ધાંત વિશ્વવ્યાપી બનાવવો જોઈએ. મનુષ્ય અને પ્રાણીઓ સિવાય જ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના વનસ્પતિકાય, વાયુકાય, અપકાય વગેરેમાં જીવસૃષ્ટિ છે તેનું રક્ષણ-જયણા કરીને જીવન જીવવાનો માર્ગ ભગવતે દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મ દ્વારા પ્રતિપાદન કર્યો છે. જીવહિંસા ન થાય, જીવોનું રક્ષણ થાય એવી ભાવના કેળવવી જોઈએ. “જીવો અને જીવવાદોનો મંત્ર ચરિતાર્થ કરવો જોઈએ, રાત્રિ ભોજન ત્યાગ કરવો જોઈએ. માંસાહારનો ત્યાગ કરીને શાકાહારી જીવનશૈલી અપનાવવી જોઈએ. શાકાહારી જીવનશૈલીથી માનવીની સાત્વિકવૃત્તિઓના પોષણની સાથે માનસિક અને શારીરિક સ્વસ્થતા પણ વધુ તેજસ્વી બને છે. સમસ્યાઓના મૂળમાં રાજસી અને તામસી પ્રકૃતિ છે તેનો નાશ કરવો જોઈએ. તે માટે ધર્મના સિદ્ધાંતોનું અનુસરણ આવશ્યક છે. અઢાર પાપસ્થાનકમાં અહિંસાધર્મ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષનો સમાવેશ થયો છે. આ દુવૃત્તિઓ પર નિયંત્રણ માટે પ્રયત્ન કરવો જોઈએ. તો જ સાત્ત્વિક્તા વૃદ્ધિ પામશે. વ્રત-નિયમ-તપ-ત્યાગ પ્રધાન વિચારોનું જીવનમાં અનુસરણ કરવાથી સમસ્યાઓનું સમાધાન થાય છે. અહિંસા ધર્મ જીવોને ભયમુક્ત કરીને શાંતિથી જીવન જીવવા માટે પ્રેરક બને છે. ભગવાનના વિશેષણોનો નમુત્થણે સૂટમાં ઉલ્લેખ થયો છે. તેમાં અભયદયાણે ભગવાન વિશ્વના જીવોને ભયમુક્ત કરે ૨૧૮ શાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ છે. આજની જીવનશૈલી લોકોને ભય અને ત્રાસ આપીને ક્ષણિક આનંદ માણે છે. પછી સમસ્યાઓ ક્યાંથી દૂર થાય ? કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણ પ્રકારની હિંસાનો ત્યાગ જરૂરી છે. શ્રાવક જીવનનાં ૧૨ વ્રતોનું યથાશક્તિ અનુસરણ કરવાથી જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. ભારતીય સંસ્કૃતિમાં મર્યાદાનું વિશિષ્ટ સ્થાન છે. આ મર્યાદાને બંધન માનને મનુષ્યો સ્વતંત્રતાને નામે સ્વેચ્છાચારી બની ગયા છે અને સમસ્યાઓ સ્વયં ઊભી કરી છે ત્યારે ‘મર્યાદા’નો સિદ્ધાંત અપનાવવો આવશ્યક છે. મર્યાદા બંધનથી પણ સદાચારનું લક્ષણ છે અને તેનાથી આત્માની ઊર્ધ્વગતિનો માર્ગ પ્રાપ્ત થાય છે એમ સમજવું જોઈએ. શીલ અને સદાચારના નિયમોનું નીતિપૂર્વક પાલન કરવાથી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. પરિગ્રહ પરિમાણ વ્રતની વિશેષ રીતે સાધના કરવી જોઈએ. સંગ્રહાખોરીનું દૂષણ અછત, ભાવ, વધારો, મોંઘવારી, અસત્ય, ચોરી જેવાં દૂષણો ફેલાવે છે માટે જીવનમાં સંતોષવૃત્તિ કેળવવી જોઈએ. માર્ગાનુસારીના ૩૫ બોલમાં જીવન જીવવાનો માર્ગ દર્શાવ્યો છે તેમાં સંતોષવૃત્તિ અને ન્યાયસંપન્ન દ્રવ્યનો સમાવેશ થયો છે. જરૂરિયાતો અને ઈચ્છાઓ વિશે ધર્મના વિચારો કદાચ ન રૂચે પણ અર્થશાસ્ત્રમાં આ અંગે વિચારણા થઈ છે. પ્રો. આલ્ફર્ડ માર્શલ જણાવે છે કે અર્થશાસ્ત્ર રોજિંદા જીવનનો અભ્યાસ કરતું કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. – એડમ સ્મિથ આ વ્યાખ્યામાં માનવ કલ્યાણનો સંદર્ભ છે. સંપત્તિથી જરૂરિયાતો અને ઈચ્છાઓ સંતોષાય છે પણ ઈચ્છાઓ તો મૃત્યુની અંતિમક્ષણ સુધી સતાવે છે. એટલે તે પૂરી થવાની શક્યતા નહિવત્ સમસ્યા પ્રધાન જીવનમાં... For Personal & Private Use Only ૨૧૯ Page #261 -------------------------------------------------------------------------- ________________ છે. જીવનમાં સુખ-શાંતિ અને આત્માની સમૃદ્ધિ-સમતા માટે જરૂરિયાતોના સંતોષ તરફ પ્રવૃત્ત થવું અનિવાર્ય છે. દુઃખોની પરંપરા સર્જાય અને માનવી વધુ દુઃખમાં જ જીવન પૂર્ણ કરે તેવી રીતે સંપત્તિના નશામાં પાગલ થયેલા લોકો સમૃદ્ધિ હોવા છતાં વિશ્વની સઘળી સમૃદ્ધિ અને સંપત્તિનો માલિક થઈ જાઉં એનાં સ્વપ્નોમાં વાસ્તવિક રીતે સુખી હોવા છતાં દુઃખમાં જ કાળનિર્ગમન કરે છે. સ્ત્રી, ભોજન અને ધનમાં સંતોષ માનવાથી માનવ જીવનમાં સાચું સુખ પ્રાપ્ત થાય છે. એનું કારણ જરૂરિયાત છે. અસંતોષની આગ ચિંતા કરતાં વધુ પ્રબળ-જલદ હોવાથી અતૃપ્તાવસ્થામાં ઈચ્છાઓના નશામાં જીવન પૂર્ણ થાય છે. વ્યક્તિએ જરૂરિયાતો અને ઈચ્છાઓમાંથી કેટલી પસંદગી કરવી તેનો વિવેક બુદ્ધિથી નિર્ણય કરવાથી સુખની અનેરી અનુભૂતિ થાય છે. ધર્મનો સિદ્ધાંત છે કે ઓછામાં ઓછી જરૂરિયાતોથી જો જીવન ચાલતું હોય તો શાંતિથી જીવી શકાય. ઈચ્છાઓની પૂર્તિ માટે સમય, શક્તિ અને સંપત્તિનો દુર્ભય એ મનુષ્યની ઘેલછા છે જેનું પરિણામ અસંતોષ અને ઈષ્યની આગથી સ્વયં વિનાશને નિમંત્રણ આપવા સમાન છે. પરિગ્રહ પરિમાણ વ્રત ધારણ કરવાથી જીવનની સમસ્યાઓ નહીવત્ થઈ જાય છે. યશોવિજયજી ઉપા. અમૃતવેલની સઝાયમાં જણાવે છે કે – પાપ નહીં તીવ્ર ભાવે કરે જેહને નવિ ભવ રાગ રે. ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુમોદવા લાગશે. જીવાત્મા પૂર્વભવનાં શુભાશુભ કર્મનું ભાથું લઈને જન્મ ધારણ કરે છે એટલે કર્માધીન અવસ્થામાં સુખ-દુઃખ આવે તે સહન કરવાં અને ધર્મ આરાધનાથી સમતા પ્રાપ્ત કરવી. જીવન એટલે પુણ્ય ૨૨૦ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ પાપના ઉદયના સમન્વયવાળી રમત છે તેમાં પુણ્યનું બેલેન્સ વધે તો પાપનું પ્રમાણ ઘટે. ભૌતિકવાદની ઘેલછામાંથી મુક્ત થવું જોઈએ. કર્મનિર્જરા થાય તેવું વર્તન જીવને શાંતિ આપે છે. માટે તપ અને અન્ય રીતે ધર્મની આરાધના એ જ સમસ્યાનો ઉપાય છે. દુઃખમાં બાહ્ય નિમિત્તોને દોષ આપવો નહિ. પણ ચક્રવર્તીને પણ પોતે પોતાનાં કર્મો ભોગવવાનાં છે. રાજા-મહારાજા તીર્થંકરો, ગણધરો કર્મસત્તાથી બચી શક્યા નથી. અંતરાય કર્મના ઉદયથી જીવનમાં સુખ-શાંતિ-ચીજવસ્તુઓ મળતી નથી. અભિમાન કરવાથી નીચ ગોત્ર કર્મ બંધાય છે. કંજુસાઈ અને સંગ્રહખોરીથી ગરીબાઈ આવે છે. માટે કર્મ સત્તાનો સ્વીકાર કરી કર્મબંધ ન થાય તેવી શૈલી ધર્મની રીતે અપનાવવી જોઈએ. માનવીએ પોતાની આવકના સંદર્ભમાં ખર્ચ કરવો જોઈએ. કહેવત છે કે Cut your cout according to the cloth - કાપડ પ્રમાણે વેતરણ થાય. ચાર્વાકદર્શન દેવું કરીને ઘી પીઓ મજા માણો એમ જણાવે છે. ભૌતિકવાદીઓ eat drinic and be merry ખાઓ-પીઓ અને મોઝ માણો. આ સિદ્ધાંતોથી ચોરી, દેવું, આપઘાત જેવી સમસ્યાઓ વધી છે. માટે આવા વિચારોનો ત્યાગ કરીને કર્માધીન સ્થિતિમાં સંતોષ માનવો જોઈએ તો જ જીવન શાંતિમય બને. મોટાઈ અને અહમ્ના પ્રદર્શન માટે દેવાદાર માનવી માટે અંતે સમસ્યાઓમાંથી મુક્તિ માટેનો માર્ગ એ છે કે વ્યક્તિએ પોતાની સ્થિતિનો વિચાર કરીને જીવન જીવવું જોઈએ. મોટાઈ કે સારા દેખાવાની કાંઈ જરૂર નથી. મોટાઈ નાશવંત છે. આત્માની મોટાઈ વિચારવી. અનેકાન્તવાદનો સિદ્ધાંત માત્ર આદર્શ નથી પણ વાસ્તવિક જીવનમાં એના વિચારોનું અનુસરણ ઉપયોગી છે. ભારત જેવા સમસ્યા પ્રધાન જીવનમાં... ૨૨૧ For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ મહાકાય દેશમાં અંદાજે ૨૦૦૦ જેટલા ધર્મો-મત-પંથો પ્રવર્તે છે ત્યારે અનેકાન્તવાદથી અન્ય ધર્મ-મત-પંથના વિચારોને સહિષ્ણુતાથી માનવા જોઈએ. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. સર્વધર્મ સમભાવ - ધાર્મિક સહિષ્ણુતાનું અનુસરણ કરવાથી રાષ્ટ્રની અને માનવ જાતની શાંતિ અને સલામતીનું રક્ષણ થશે. માણસ ધાર્મિક હોય તો તેનાથી કોઈ વાંધો નથી પણ ધર્મના નામે ઝનૂન અને કટ્ટરવાદી બની જાય છે ત્યારે સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વની શાંતિ જોખમાય છે. કોમી રમખાણોની શાંતિ-સલામતી- મોંઘવારી-હિંસા-આતંકવાદ જેવી સમસ્યાઓ ઉદ્ભવી છે માટે તેના સમાધાનમાં અનેકાન્તવાદથી વિચારવું જોઈએ. રાજકીય પક્ષાપક્ષીમાં જીવનની શાંતિ જોખમાય છે ત્યારે અનેકાન્તવાદથી નિષ્પક્ષ રીતે માનવ કલ્યાણની પ્રવૃત્તિને યોજનાઓને લક્ષમાં લેવી જોઈએ. સત્તાની સાઠમારીમાંથી મુક્ત થઈને પ્રજાકલ્યાણની ભાવનાનો વિચાર કેન્દ્રસ્થાને રાખવો જોઈએ. રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે અનેકાન્તવાદની વિચારધારાનું શિક્ષણ જરૂરી છે. શિક્ષણમાં ધર્મનાં મૂલ્યોનું સ્થાન અત્યંત જરૂરી છે. વ્યક્તિગત રીતે વિચારતાં જીવનમાં મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને મધ્યસ્થતા આ ચાર ભાવનાનો વિકાસ થવો જોઈએ. સમસ્યાઓનું સમાધાન જૈન ધર્મના મૂલ્યો દ્વારા સંપૂર્ણ શક્ય છે. જરૂર છે માત્ર માર્ગાનુસારીપણું, વિરતિધર્મ, તપ, ત્યાગ, સંયમ, અહિંસા, કર્મસત્તા, ચારભાવના, અનેકાન્તવાદ વગેરેનું શિક્ષણ અને આચરણ આવશ્યક છે. જીવનમૂલ્યો માત્ર આદર્શ નથી પણ વાસ્તવિક છે. એમ જૈન ધર્મના ઈતિહાસમાં અનેક દૃષ્ટાંત છે. એમ વિચારી મૂલ્યનિષ્ઠ જીવન જીવવું જોઈએ. ૨૨૨ For Personal & Private Use Only – ડૉ. કવીન શાહ જ્ઞાનતીર્થની યાત્રા Page #264 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન - જાહેર પ્રવચન - શિબિરો વગેરેમાં ત્યાગી મહાત્માઓ જીવનમૂલ્યોની વાતો કરે છે. શ્રોતાઓ સાંભળે છે પણ ઉપાશ્રયમાંથી બહાર ગયા પછી તો મૂલ્યનિષ્ઠાને બદલે અનીતિ, અનાચાર, અસત્ય, મૃષાવાદ, કપટ, સંગ્રહાખોરી, કષાય, રાગ, વૈષ જેવા મૂલ્ય વિરોધી જીવનની બાજી જ લોકો રમતા હોય છે. વ્યાખ્યાન તો જિનવાણીનો અર્ક છે. તેનું મૂલ્ય માત્ર સમજવાસાંભળવા પુરતું જ મર્યાદિત છે. આચારમાં ઉતરતું નથી પણ પાપના ઉદયથી દુઃખ આવે ત્યારે જંતર-મંતર, દોરા-ધાગા, સાધુ-સંતોનો આશ્રય મેળવીને તેમાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન થાય છે પણ અશુભ કર્મનો ઉદય ક્ષીણ થાય નહિ ત્યાં સુધી જંતર-મંતર પણ નિષ્ફળ જાય છે. જ્ઞાની કવિ અખાએ કટાક્ષ વાણીમાં કહ્યું છે કે – કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. વાસ્તવિક્તા તો એ છે કે આચારની કટોકટી એજ દુઃખનું કારણ છે. આચારશુદ્ધિનો પુરૂષાર્થ જેટલો પ્રબળ તેટલો આત્મા બાહ્ય-અંતરથી સુખ-દુઃખમાં સમત્વ ભાવમાં રહે છે અને પોતાની સમાધિ-શાંતિ ટકાવે છે. જૈન દર્શનના સિદ્ધાંતો સમજીને આચારમાં મુકવાથી સમસ્યાઓનું ભૂત જીવાત્માને ભ્રમણ અને ભ્રમણામાંથી મુક્ત કરે છે. આ સત્ય સમજાય તો પછી જીવનનો કોઈ અનેરો રંગ અનુભવાય છે. આત્મનિરીક્ષણ કરીને ભવ્યાત્માએ વિચારવું જોઈએ કે મારું જીવન સમસ્યારૂપ છે તો તેનાં કારણો કયાં છે ? ભૌતિકવાદની ઘેલછા, દેવું કરીને ઘી પીવો, જીવન ચલાવો, દંભ, મોટાઈ, તેજોદ્વેષ સમસ્યા પ્રધાન જીવનમાં.. ૨૨૩ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ અને ઓછા વત્તા પ્રમાણમાં બિનજરૂરી અઢાર પાપસ્થાનકનું સેવન એ જીવનનો ઉન્માર્ગ છે. આ રીતે ઉન્માર્ગનું સેવન એટલે જીવનમાં સમસ્યાઓનું આમંત્રણ આપવારૂપ છે. ધર્મગ્રંથો સદાકાળ સન્માર્ગની પ્રેરણા આપે છે. સન્માર્ગના દર્શક પરમકૃપાળુ તીર્થંકર ભગવાન છે. નમુસ્કુર્ણ સૂત્રમાં ભગવાનનાં વિશેષણોમાં “મમ્મદયાણં' વિશેષણ છે. તેનો અર્થ સમજવો જરૂરી છે. ભગવાન સન્માર્ગ દેનારા છે. આત્માના વિકાસ માટે ગુણસ્થાનકની વૃદ્ધિ દર્શાવનારા છે. કર્મના ક્ષયોપશમથી ગુણસ્થાનક વૃદ્ધિ થાય છે. તીર્થકરોએ પોતાના જીવનના આચાર દ્વારા કર્મના ક્ષયોપશમ સાથે મુક્તિ પ્રાપ્ત થાય એવો ઉત્તમોગમ સન્માર્ગ દર્શાવ્યો છે. આ સન્માર્ગ એટલે શ્રાવક ધર્મનું પાલન, માર્ગાનુસારીના ૩૫ બોલનો જીવનમાં ઉપયોગ-આચરણ, દેશવિરતિ ધર્મ એટલે બારવ્રતનું પાલન, પ્રભુભક્તિ, લય-ત્યાગ-દાન-શીલ આદિનું શક્તિ અનુસાર આચરણ વગેરેનું અનુસરણ કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. જીવનમાં શાંતિ અને સ્વસ્થતા મળે છે. આ સન્માર્ગથી વિરૂદ્ધ આચરણને કારણે જ સમસ્યાઓથી હેરાનગતિ છે એટલે સમાર્ગનો જ પુરૂષાર્થ ઈષ્ટફળ છે. હવે ભવ્યાત્માએ પોતે જ નિર્ણય કરવાનો છે કે સમસ્યારૂપ જીવનમાંથી મુક્ત થવા માટે કયો માર્ગ અપનાવવો. કેવળ ભાષિત જિનવાણીને માને નહિ પછી ક્યાંથી ઉદ્ધાર થાય ? ખુદ ભગવાન પણ કૃપા કરે નહિ. એવા ભારે કર્મોવાળા આત્મા સત્ય સમજીને જીવન નૈયા ચલાવે એજ સાચો ઉકેલ છે. સંદર્ભ સૂચિઃ ૧. અનેકાન્તવાદ – પ.પૂ.ગણિવર્ય યુગભૂષણવિજયજી. ૨. યોગશાસ્ત્ર - કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય (પ્રકાશ-૨, પ્રકાશ-૪) ૨૨૪ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૩. શ્રાદ્ધવિધિ પ્રકરણ - આચાર્ય રત્નશેખરસૂરિ ૪. કર્મનું કોમ્યુટર - મુનિ મેઘદર્શનવિજયજી ૫. મહું જિણાણું - સઝાય (પંચપ્રતિક્રમણ સૂત્ર) ૬. શ્રાદ્ધધર્મ દીપિકા માર્ગાનુસારીની વિશેષ માહિતીઃ “માર્ગ એટલે આગમ-નીતિ અથવા સંવિગ્ન (મોક્ષમાર્ગની અભિલાષા) બહુજનોએ આચરેલું છે. એ બંનેને અનુસરનારી જે ક્રિયા તે માર્ગાનુસારીપણું કહેવાય છે. દેવેન્દ્રસૂરિકૃત ધર્મરત્ન પ્રકરણ યુનિ. અનુવાદ. શ્લોક-૮૦ માર્ગાનુસારિતા: ભવ-નિર્વેદ પછી “માર્ગાનુસારિતા' એટલે મોક્ષની સ્થિતિએ પહોંચવાના માર્ગનું અનુસરણ કરવાની શક્તિ ઈચ્છવામાં આવી છે. શાસ્ત્રકારોના અભિપ્રાયથી આ માર્ગ એક પ્રકારનો, બે પ્રકારનો, ત્રણ પ્રકારનો, ચાર પ્રકારનો યાવતુ અનેક પ્રકારનો છે. સમભાવમાં સ્થિર રહેવું તે એનો એક પ્રકાર છે. રાગ અને દ્વેષને જીતવા તે એના બે પ્રકારો છે. મન, વચન અને કાયાની શુદ્ધિ કરવી, અથવા મનોદંડ, વચનદંડ અને કાયદંડનો પરિહાર કરવો એ તેના ત્રણ પ્રકારો છે. અને દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપનું સેવન કરવું અથવા દાન, શીલ, તપ અને ભાવને અનુસરવું એ તેના ચાર પ્રકારો છે. પાંચ ઈદ્રિયોનો વિજય છે કાયના જીવોની રક્ષા, સાત ભયસ્થાનોનો ત્યાગ, આઠ પ્રકારના મદનો વિજય, નવ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન, દસ પ્રકારનો યતિધર્મ વગેરે તેના વિશેષ પ્રકારો પણ શાસ્ત્રોમાં દર્શાવેલા છે. શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર ભાગ-૧ સમસ્યા પ્રધાન જીવનમાં... ૨૨૫ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારી ૩૫ બોલ (ગુણ) (૧) ન્યાય સંપન્ન વિભવ : ન્યાયથી ધન મેળવવું. સ્વામિદ્રોહ કરીને, મિત્રદ્રોહ કરીને, વિશ્વાસીને ઠગીને, ચોરી કરીને, થાપણ ઓળવીને વગેરે નિંદવા યોગ્ય કામ કરીને ધન મેળવવું નહિ. (૨) શિષ્ટાચાર પ્રશંસા-ઉત્તમ પુરૂષોના આચરણને વખાણવા. (૩) સરખા કુળાચારવાળા પણ અન્ય ગોત્રી સાથે વિવાહ કરવો. (૪) પાપના કામથી ડરવું. (૫) પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. (૬) કોઈનો અવર્ણવાદ બોલવો નહિ – કોઈની નિંદા કરવી નહિ. (૭) જે ઘરમાં પેસવા-નીકળવાના અનેક રસ્તા ન હોય તથા જે ઘર અતિ ગુપ્ત અને અતિ પ્રગટ ન હોય અને પડોશી સારા હોય તેવા સારા ઘરમાં રહેવું. (૮) સાચા આચારવાળા પુરૂષોની સોબત કરવી. (૯) માતા તથા પિતાની સેવા કરવી – તેમનો સર્વ રીતે વિનય સાચવવો અને તેમને પ્રસન્ન રાખવા. (૧૦) ઉપદ્રવવાળા સ્થાનકનો ત્યાગ કરવો-લડાઈ, દુષ્કાળ અને અડચણવાળાં ઠેકાણાં છોડવાં. (૧૧) નિંદિત કામમાં ન પ્રવર્તવું – નિંદવા યોગ્ય કાર્યો છોડવાં. (૧૨) આવક પ્રમાણે ખર્ચ કરવું - કમાણી પ્રમાણે ખર્ચ કરવું. (૧૩) દેશને અનુસરતો વેષ રાખવો – પેદાશ પ્રમાણે પોશાક રાખવો. (૧૪) આઠ પ્રકારની બુદ્ધિના ગુણને સેવવા તે આઠ ગુણોનાં નામ - ૨૨૬ શાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧. શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા. ૨. શાસ્ત્ર સાંભળવું. ૩. તેનો અર્થ સમજવો. ૪. તે યાદ રાખવો. ૫. તેમાં તર્ક કરવો. ૬. તેમાં વિશેષ તર્ક કરવો. ૭. સંદેહ ન રાખવો. ૮. આ વસ્તુ આમ જ છે એવો નિશ્ચય કરવો. (૧૫) નિત્ય ધર્મને સાંભળવો. (જેથી બુદ્ધિ નિર્મળ થાય) (૧૬) પહેલાં જમેલું ભોજન પચી જાય ત્યાર પછી નવું ભોજન કરવું. (૧૭) જ્યારે ખરી ભૂખ લાગે ત્યારે ખાવું, પણ એકવાર ખાધા પછી તુરત જ મીઠાઈ વગેરે આવેલું જોઈ લાલચથી ફરી ખાવું નહિ, કારણ કે અપચો થાય. (૧૮) ધર્મ, અર્થ અને કામ આ ત્રણ વર્ગને સાધવા. (૧૯) અતિથિ તથા ગરીબને અન્નપાનાદિ આપવાં. (૨૦) નિરંતર આભિનિવેશ રહિત રહેવું - કોઈને પરાભવ કરવાના પરિણામ કરી અનીતિના કામનો આરંભ કરવો નહિ. (૨૧) ગુણી પુરુષોનો પક્ષપાત કરવો – તેમનું બહુમાન કરવું. (રર) નિષિદ્ધ દેશકાળનો ત્યાગ કરવો. રાજા તથા લોકોએ નિષેધ કરેલા દેશકાળમાં જવું નહીં. (ર૩) પોતાની શક્તિને અનુસરીને કામનો આરંભ કરવો. પોતાની શક્તિ હોય તે પ્રમાણે કામ આરંભવું. (ર૪) પોષણ કરવા યોગ્ય જેવાં કે માતા-પિતા-સ્ત્રીપુત્રાદિકનું ભરણપોષણ કરવું. (રપ) વ્રતને વિષે રહેલા તથા જ્ઞાને કરી મોટા એવા પુરુષોને પૂજવા. સમસ્યા પ્રધાન જીવનમાં ૨ ૨૭. કરવા For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ (ર૬) દીર્ઘદર્શ થવું - દરેક વસ્તુનો તફાવત સમજી પોતાના આત્માના ગુણ-દોષની તપાસ કરવી. (૨૭) વિશેષજ્ઞ થવું - સામાન્ય અને વિશેષને જાણનાર થવું. કૃત્ય-અકૃત્ય આદિના ભેદ-અંતરને જાણનાર થવું. (૨૮) કૃતજ્ઞ થવું – કરેલા ઉપકાર તથા અપકારને સમજનારા થવું. (ર૯) લોકવલ્લભ-સારા માણસોના વિનય આદિ કરવા દ્વારા લોકોમાં પ્રિય થવું. (૩૦) લજ્જાળુ - (લાજવાળા) લાજ-મર્યાદામાં રહેવું. (૩૧) દયાળુ થવું – દયાભાવ રાખવો. (૩૨) સુંદર આકૃતિવાન થવું - ક્રૂર આકૃતિનો ત્યાગ કરી સુંદર આકૃતિ રાખવી. (૩૩) પરોપકારી થવું - ઉપકાર કરવો. (૩૪) અંતરંગારિજિત્ થવું - કામ, ક્રોધ, લોભ, માન, મદ તથા હર્ષ એ છ અંતરંગ વૈરીને જીતવા. (૩૫) વશીકૃતંદ્રિયગ્રામ થવું ઈદ્રિયોના સમૂહને વશ કરવાસર્વ ઈદ્રિયોનો અભ્યાસ કરવો. ૨૨૮ શાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ' ' . નવકારનો બાલાવબોધ શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી જ્ઞાનભંડાર માંડલ પોથી. ૮૧, પ્રત નં. ૧૪૦૯, “નમો અરિહંતાણં” એ પદના અર્થની માહિતી આપવામાં આવી છે. તેમાં ભગવાન સમોવસરણમાં વિરાજમાન થઈને બાર પર્ષદા સમક્ષ દેશના આપે છે તેની માહિતી બાલાવબોધના આધારે અત્રે મૂળ પ્રતને આધારે પ્રગટ કરવામાં આવી છે. નોંધ: ટબો અને બાલાવબોધ શબ્દ સાંભળવા મળે પણ આ રચના કેવી છે તેનો પ્રત્યક્ષ પરિચય થાય તે માટે આ માહિતી આપી છે. જૈન સાહિત્યમાં આગમ ગ્રંથો પ્રકરણ, ભાષ્ય અને અન્ય તાત્ત્વિક કે ચરિત્રાત્મક-કથાત્મક ગ્રંથોની વિવિધ પ્રકારની ટબો અને બાલાવબોધ રચનાઓ અજ્ઞાત કવિ-કૃત પ્રકટ થાય છે. મધ્યકાલીન સમયમાં વિવિધ પ્રકારની કાવ્યરચનાઓને સાથે સાધુ કવિઓએ સ્વાધ્યાયરૂપે કે બાળજીવોને જ્ઞાનદાન કરવા માટે આ પ્રકારનું સર્જન કર્યું હતું. નવકારનો બાલાવબોધઃ સુવર્ણમય કોસીસા, સુવર્ણમય ભૂપીઠ બાંધિG - ઊંધે બટે પંચવર્ણ ફૂલપગર વીરઈ. પરષદ પૂરાઈ તે કિસી પરષદા પહિલી નવકારનો બાલાવબોધ ૨૨૯ For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ પ૨ષદાð સાધુ, વૈમાનિક દેવી, સાધ્વી એ ત્રિણિઈ પરષદ આગ્નેઈ કુણઈં રહÛ । જ્યોતિષી, ભવનપતિ વ્યંતર એ ત્રિહંની દેવી નૈઋતણઈં રહð । જ્યોતિષી, ભવનપતિ વ્યંતર એ ત્રિણિઈ દેવતા વાવિ (વાયવ્ય) કૂણિŪ રહŪ વૈમાનિક દેવતા, મનુષ્યનાં પુરૂષ, મનુષ્યની સ્ત્રી એ ત્રિણિઇ ઈશાની કૂણŪ રહઇ, એહવી બારઇ પરષદ પૂરાઈ. અસીસહસ પાવડીયારા, સહિત ચિહું પાસે ત્રિણિ (૩) પોલિ । એવંકારઇ બારપોલિ. અપૂરવ તોરણ ઝલકતે । ઇસિ, સમોસરણમાંહિ ત્રિભુવન લક્ષ્મી સહિત અંતરંગવયરી રહિત વિશ્વાધીશ । પરમ જગદીશં । સુવર્ણનઇ કર્મલિ બઇઠા । સમસ્ત જીવરાશિ દીઠા । યોજનહારિણી વાણી । સર્વભાષાનુસારિણી । અનંતદુઃખ નિવારિણી સકલસૌખ્યકારિણી । ઈસીવાણીŪ ચિઠુંમુખે, ચિંહુ પ્રકારે, પરમેશ્વર ધર્મોપદેશ દેતા. કેવલજ્ઞાન ધરતાં । ચૌદરાજનાં મસ્તક ઉપરિ પંચૈતાલીશં લાખજોયણ પ્રમાણ મુક્તિશિલા તિહાં પહુંતા । અનંતબલ, અનંતગુણ, અનંતજ્ઞાન પુરૂષમાંહિ ઉત્તમોત્તમ જે જિનનામ તે નામઅરિહંત કહીઈ. જે ત્રિભુવનમાંહી શ્રી વીતરાગની મૂર્તિ તે સ્થાપના અરિહંત કહીઈ, જે શ્રી શ્રેણિકમહાપુરૂષ તીર્થંકર પદવી યોગ્ય જીવતે દ્રવ્યઅરિહંત, કહીઈ, યે વિરહમાન પરમેશ્વર શ્રી સીમંધરસ્વામી પ્રમુખ તીર્થંકર તે ભાવ અરિહંત કહીઈ. એહવા જે અરિહંત અનંતાનંત હુયા અનઈં હુર્સિ, વલી હુઈછઈ, તેહનું ધ્યાન પંચવર્ણ અષ્ટકમલરૂપ ધ્યાઇઈં - તે પણિ સાંભલુ... (આ પ્રમાણે પરમેષ્ઠીનાં ગુણોનું વર્ણન છે.) ૧. કુણð ૨૩૦ = ખૂણામાં - For Personal & Private Use Only જ્ઞાનતીર્થની યાત્રા Page #272 -------------------------------------------------------------------------- ________________ જીવવિચાર ટબો મધ્યકાલીન જૈન સાહિત્યમાં “ટબો” અને “બાલાવબોધ” સંજ્ઞાવાળી ઘણી કૃતિઓ અપ્રગટ છે. ધાર્મિક કૃતિઓ તેના પારિભાષિક શબ્દોને કારણે સમજવી કઠિન છે. દરેક વ્યક્તિનો જ્ઞાનનો ક્ષયોપશમ એક સરખો હોતો નથી. એટલે આવી કૃતિઓને સમજવા માટે વધુ મહેનત-પુરૂષાર્થની જરૂર છે. મધ્યકાલીન મુનિ ભગવંતોએ જૈન શ્રુતજ્ઞાનના વારસાને સમજવા-સમજાવવા માટે “ટબો” અને બાલાવબોધ જેવી રચનાઓ કરી છે. આ પ્રકારની કૃતિના દષ્ટાંતરૂપે અત્રે સંક્ષિપ્ત માહિતી નીચે પ્રમાણે પ્રગટ કરવામાં આવી છે. “ટબો શ્રી ભ્રાતૃચંદ્રસુરીશ્વરજી જ્ઞાન ભંડાર – માંડલ (પાર્જચન્દ્રગચ્છ) જીવવિચાર ટબો : પો. ર૬/૧, પ્રત-૨૪૪. આ પ્રતના ૬ પેજ છે તેમાં જીવવિચારનો દબો છે. ૧ થી ૩ ગાથાનો ટબો પ્રગટ કરવામાં આવ્યો છે. કર્તાના નામનો કોઈ ઉલ્લેખ થયો નથી એટલે અજ્ઞાત કર્તુત્વ ગણવામાં આવે છે. કર્તાએ પ્રથમ જીવવિચાર ગાથા લખી છે પછી પ્રત્યેક શબ્દનો અર્થ લખ્યો છે. અર્થની સાથે જ્યાં આવશ્યક હોય ત્યાં વિશેષ જીવવિચાર ટબો ૨૩૧ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ માહિતી આપી છે. દા.ત. ભુવન શબ્દ ત્રણ ભુવન એટલે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એમ સમજવું. દા.ત. થાવર જીવ - તેના પાંચ ભેદ પૃથ્વી, પાણી, વાયરો (વાયુ), અગ્નિ અને વનસ્પતિકાય. ગાથાના શબ્દ પ્રથમ ગાથા લખ્યા પછી તેની નીચે અર્થ લખવામાં આવ્યા છે. નમૂનારૂપે એક મૂળપત્ર પ્રગટ કરવામાં આવ્યો છે. જીવવિચાર ટબો : ગાથા : ભુવણપઇવં વીરં, નમિણ ભણામિ અબોહ બોહર્થં | જીવસરૂવં કિંચિવિ, જહ ભણિઅં પુર્વીસૂરીહિં | ૧ || ટો : ભવણક૦ (ભવણ કહેતાં) ત્રિણભુવન-સ્વર્ગ-૧, મૃત્યુ૨, પાતાલ-૩ તેહને વિશે દીવા સમાન એહવા મહાવીરનઈં પ્રણામ કરીને - ભણામિક કહું છું. અબોધ = અજ્ઞાની જીવનઈં જણાવવાનð અર્થે જીવનાં સ્વરૂપપ્રતે કિંચિક = કાંઈક થોડઉં, જીમ પૂર્વાચાર્ય કહ્યું તિમ કહીસ, પણ પોતાની કલ્પનાઈં નહીં. (૧) ગાથા ઃ જીવામુત્તા સંસારિણો અ, તસથાવરા ય સંસારી પુઢવી જલ જલણ વાઉ, વણસð થાવરા નેયા ।। ૨ ।। ટો : તે જીવ બિહું પ્રકારે કહ્યા. એક મુળ = મોક્ષ ગયાં તે, બીજા સંસારવાસી જીવ જાણવા. તે સંસારી જીવ બિહું પ્રભેદે (૧) ત્રસ, બીજા થાવર (૨) .... તે ત્રસનાં ભેદ આગલ કહસ્યું. થાવર (પ) ભેદે. પૃથ્વી ૧ પાણી, ૨ અગ્નિ, ૩ વાયરો ૪ વનસ્પતિ ૫ એવં (૫) થાવર જાણવા. (૨) ગાથા : ફલિહ મણિરયણ વિક્રમ, હિંગુલ હરિયાલમણસિલ રસિંદા કણગાઉ ધાઉ સેઢી, વશિય અરણેટ્ટય પલેવા ॥ ૩ ॥ ૨૩૨ For Personal & Private Use Only જ્ઞાનતીર્થની યાત્રા Page #274 -------------------------------------------------------------------------- ________________ ટબોઃ હવે પૃથવીકાયનાં ભેદ કહે છે. ફટિક રત્નમણિની જાતિ. रत्न डी। प्रभु५ विद्रुम = प्रवास6. गिलो, तास, मनसिस, २सिंह50 = पारी, सुप प्रभु सातपातु सेढी50 = 431, २भवानी, अरहो = ध पाषा| udो पाषा. त्या (3) - - - - - - - - - - - - - - - - - - - - - - answaranawAMANTOTooooooooooobHORT - - - - - - - - - NONamoove nama.naren.rnme Namabeniw AAAAACHI Dory. Awar 38: 88888 . 00 wh g मानास्वसपताकविका कारी समाचार 8484A BANARAS नाकरामललाम अवामानाaasamacान ॥णानमः॥सवलपमेधातिमिनिबारबाट रमिदी उस्माकमा पार पाबा माननामकार Marwarnावामनामसरियावसावरा यसमा पानजनamaal पक्षबाकायनालेरको हाराषविच मिला मारकरलमानाजाति' Raasara वसावराने॥२॥ फलिस्मलिश्या विद्यार्टिगुलरियालमणसिंजरसिधा पाधिशल मेवाकम्मरममावानाबरणेलाषाल रत्यादि बोरवपूरमारामा लामामालामाल कmmsसेटालिघरेयषलेवाmail अथरार्धमानहायदाएमावा - पलेवीयापाए * मानत 1536-- पत्ननगवतपासाला ARRIAएस्वामहावारन .. Res S wranaamanawanaanaaaaa a a IORAIAIDIKAMAarenesantanagee Dobermolecavermacaranasi-naram.aartooaranaisaanwarobadoasarmanawoonsontosmonax.ambosomwaromaIRAMAGRAMMoundamom - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - જીવવિચાર ટબો ૨૩૩ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩ વિજ્ઞપ્તિ પત્ર પૂ. ધર્મસૂરીશ્વરજીને વિજ્ઞપ્તિ પત્રના અનુસંધાનમાં કેટલીક વિગતો જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ-૪માંથી મળી છે તે પ્રગટ કરવામાં આવી છે. જિનાલયની પ્રતિષ્ઠા, આચાર્ય પદવી અને કાળધર્મ જેવી માહિતી તેમાંથી મળે છે. ભટ્ટારક વિજયધર્મસૂરિ તેઓશ્રીનો જન્મ મેવાડના રૂપનગરમાં ઓશવાલ પ્રેમચંદ સુરાણીની પત્ની પાટમની કુક્ષિએ થયો હતો. સં. ૧૮૦૩ના માગશર સુદ પાંચમે ઉદયપુરમાં ભટ્ટા) વિજયદયાસૂરિએ તેમને આચાર્યપદ પ્રદાન કરી વિજયધર્મસૂરિ નામથી જાહેર કર્યા હતા. સં. ૧૮૦૯માં મારવાડના કછોલી ગામમાં તેમને ગચ્છના નાયકપદે સ્થાપવામાં આવ્યા. ભટ્ટાવિજયધર્મસૂરિએ ભુજના અધિપતિના અન્યાય મટાડીને, તેને મદ્ય-માંસનો ત્યાગ કરાવી, જિનમાર્ગનો અનુયાયી બનાવ્યો હતો. ભટ્ટા, વિજયધર્મસૂરિએ સં. ૧૮૨રના જેઠ સુદ-૧૧ને બુધવારે તારંગા તીર્થમાં કોટિશિલાની દેરીમાં ભ૦ આદિનાથની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી હતી. (ભાગ-૪, આવૃત્તિ પ્રથમ, પ્રક. ૬૬, પૃ. ૩૮૯) જ્ઞાનતીર્થની યાત્રા ૨૩૪ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ મુર્શિદાબાદવાળા જગતશેઠ તેમજ તેમના ભાઈ સુગાલચંદે શ્રી સમેતશિખર મહાતીર્થનો મોટો જીર્ણોદ્ધાર (ર૧મો ઉદ્ધાર) કરાવી, સં. ૧૮૨પના મહા સુદિ પાંચમના રોજ ભટ્ટા) વિજયધર્મસૂરિના વરદ્હસ્તે ૨૦ તીર્થકરોની સર્વ દેરીઓમાં ચરણપાદુકાઓની, જળમંદિરના જિનપ્રાસાદોની જિનપ્રતિમાઓથી તથા તલેટી મધુવનમાં શ્રી શામળિયા પાર્શ્વનાથ વગેરે જિનપ્રાસાદોની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠાવાળી જિનપાદુકાઓ અને જિનપ્રતિમાઓ ઉપર ભટ્ટા) વિજયધર્મસૂરિ તથા જગતશેઠ ખુશાલચંદ અને શેઠ સુગાલચંદનાં નામો ઉત્કીર્ણ થયાં છે. (પ્રક. ૫૮, પૃ. ૨૯૩) ભટ્ટા) વિજયધર્મસૂરિની નિશ્રામાં મોદી પ્રેમચંદ લવજીએ સુરતથી શત્રુંજય તીર્થનો સં. ૧૮૩૬નો યાત્રાસંઘ અને બીજો સં. ૧૮૩૭ના પોષ સુદિ બીજને દિવસે સુરતથી શત્રુંજય તીર્થનો જલસ્થલ માર્ગનો નાનો સંઘ કાઢ્યો હતો. તેઓશ્રીના ઉપદેશથી મોદી પ્રેમચંદ લવજીએ શત્રુંજય તીર્થે એક મોટું જિનાલય બંધાવ્યું હતું, પણ તેની પ્રતિષ્ઠા ભટ્ટા) વિજયધર્મસૂરિ કાળધર્મ પામતા તેના શિષ્ય ભટ્ટા, વિજય જિનેન્દ્રસૂરિના હસ્તે સં. ૧૮૪૩માં કરાવવામાં આવી (પ્રક. ૫૭, પૃ. ૫૦ થી પ૩) ભટ્ટા) વિજયધર્મસૂરિ સં. ૧૮૪૧ના માગશર વદ ૧૦ના દિવસે મારવાડના બુલંદનગરે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. મેડતા મધ્યે સં. ૧૮૪૧માં ભંડારી ભવાનદાસે રૂ. બે હજારના ખર્ચે નિર્વાણમહોત્સવ કર્યો હતો. પૂ. ધર્મસૂરીશ્વરજીને વિજ્ઞપ્તિ પત્રની હસ્તપ્રત પ્રાપ્ત થઈ હતી તેની વિશેષ માહિતી આપવામાં આવી છે તેને આધારે પત્ર લેખનની વિશિષ્ટ પ્રકારની શૈલીનો પરિચય પ્રાપ્ત થાય છે. હતી. વિજ્ઞપ્તિ પત્ર ૨૩૫ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞપ્તિ પત્ર ધર્મસુરીશ્વરજીને વિજ્ઞપ્તિ પત્રની હસ્તપ્રત. ૦ ૫.પૂ.આ. કસ્તુરસૂરિજી જ્ઞાનમંદિર, સુરતથી પ્રાપ્ત થઈ છે. તેને આધારે વિજ્ઞપ્તિ પત્રની સમીક્ષા કરવામાં આવી છે. ૦ વિજ્ઞપ્તિ પત્રમાં પત્ર લખનાર વ્યક્તિની કોઈ માહિતી નથી પણ સંઘના કાર્યકર્તાઓએ પત્ર લખ્યો હોય એમ અનુમાન કરવામાં આવે છે. પત્રને અંતે ખામણાંનો ઉલ્લેખ છે તેનો સંદર્ભ વિચારીએ તો ચોમાસામાં સાદડી નગરમાં બિરાજમાન પ.પૂ. સાધુ ભગવંતો અને સંઘના સભ્યો તરફથી છે એમ સમજી શકાય છે. અહીં નામ કરતાં ગુરુભક્તિ નિમિત્તે વંદનનું મહત્ત્વ નોંધપાત્ર ગણાય છે. ખરેખર તો પત્ર લેખનની શૈલી, ભાષાવૈભવ અને ગુરુભક્તિનો ત્રિવેણી સંગમ કેવો છે તેનો પરિચય થાય છે. એટલે આ પત્ર કરતાં વિશેષ તો શૈલીના ચમત્કારનું પ્રતીક છે. વિજય ધર્મસૂરીશ્વરજીને વિજ્ઞપ્તિ પત્ર (પરિચય) આરંભમાં પાર્શ્વનાથ પ્રભુની સંસ્કૃતમાં સ્તુતિ કરી છે. મધ્યકાલીન સમયમાં પત્ર લેખનનો પ્રારંભ સ્વસ્તિ, સન્માન સૂચક શબ્દથી થતો હતો. આ પત્રમાં પણ સ્વસ્તિથી આરંભ કરીને ઋષભદેવ, શાંતિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીને પ્રણામ કરવામાં આવ્યા છે. પત્રમાં સંસ્કૃત ભાષાનો વિશેષ પ્રયોગ અને પ્રભાવ નિહાળી શકાય છે. જિનમંદિરનો વિશેષણયુક્ત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દા.ત. વાત રે નાર શિરોમnિ: – લૂપ તડપતિ વાડી વન आराम सुशोभिते जिनप्रासाद शिखरकलश ध्वजा मनाहेर श्रेणि ૨૩૬ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ સુશોભિતે ઉપાશ્રય સાધીનન સહિત ધર્મીનન સ્થાન. આ પત્રમાં જિનમંદિરની સાથે નગરના ઉપાશ્રયનો ઉલ્લેખ થયો છે. ત્યાર પછી પત્રમાં ગુરુ ધર્મસૂરીશ્વરજીનો વિવિધ વિશેષણોની અવનવી શૈલીમાં પરિચય આપવામાં આવ્યો છે. સંસ્કૃત ભાષાની જાણીતી કાદંબરી ગ્રંથની શૈલીનો પ્રભાવ અહીં નિહાળી શકાય છે. ‘શાંતલપુર નારે' પૂ.શ્રી બિરાજમાન છે એમ સમજી શકાય છે. પરમપૂજ્યના પ્રયોગથી પત્ર લેખક જણાવે છે કે પરમપૂન્ય આરાધ્ય । परमपूज्याचार्य निश्रान् । परमपूज्य चारित्र चूडामणि जी माहिती પછી ગુરુના વિશેષણોની એમના જ્ઞાન અને અન્ય ગુણોનો ઉલ્લેખ થયો છે. દા.ત. સરસ્વતી તામતળ, સન જતા સંપૂર્ણ, એવિધ जिनाज्ञा प्रतिपालक, द्विविध धर्मप्रकाशक, त्रिणि तत्त्व आराधक, चतुर्गति निवारक, पंचमगति धारक, षट्काय रक्षक, द्वादशविध श्रावक धर्म प्रकाशक इग्यार अंगना जाण, बार उपांगना उपदेशक ત્રયો। વાડીયાના નિવાર∞ વગેરે વિશેષણોથી ગુરુ મહિમા ગાવામાં આવ્યો છે. મહત્ત્વનું એક વિશેષણ જોઈએ તો ષવીશ તીર્થંવાર લેવની આજ્ઞા પ્રતિપાલ. તદુપરાંત અન્ય વિશેષણો સંખ્યા વાચક ૬૪ સુધીની શબ્દોના સંદર્ભમાં દર્શાવ્યાં છે. ગુરુજી આચાર્ય છે તે માટે લેખકે જણાવ્યું છે કે - “સ્ત્રી, સૂરિ તુળોરિ વિરાનમાંન'' લેખકની દીર્ઘદષ્ટિ ભાષાવૈભવ અને કલ્પનાશક્તિનો પરિચય હવે પછી થાય છે. ભગવતીની વિશેષતાના સંદર્ભમાં ગુરુનો પરિચય આપતા લેખકના વિચારો નીચે પ્રમાણે છે. 4 श्री वासुपूज्यना छासठ्ठिगणधरना उपदेशक, श्री विमलनाथना સત્તાવનાધાર ચારિત્રના પ્રવાશ લેખકે ગુરુ ભગવંતનાં વિશેષણોમાં પણ ભગવાનનાં વિશેષણોનો પ્રયોગ કર્યો છે. દા.ત. વિજ્ઞપ્તિ પત્ર For Personal & Private Use Only ૨૩૭ Page #279 -------------------------------------------------------------------------- ________________ ऋषभ त्रेपने आणा मार महावीर चरित्रपाली अनुत्तर विमान पोहला तेहना प्रकाशक । श्री नेमिनाथना छदमस्त पर्यायना चउपनदिवसना प्रकाशक । અજિતનાથ ભગવાનનો વિશેષણયુક્ત ઉલ્લેખ નીચે પ્રમાણે थयो छे. मोहनीय कर्मनी सित्तरि कोडा कोडिना टालनहार, अजितनाथ पूर्व लाख ग्रहस्था वासे वस्यां तेहना ज्ञायक । श्री महावीर बयासि रात्रि देवानंदा मातानी कूक्षिं अवतर्या तेहना ज्ञायक । प्रथम तीर्थंकर आदिनाथ की श्री चरम तीर्थंकर महावीर कोडा कोडि सागरोपम आंतराना प्रकाशक । इत्यादि बहु अभिज्ञान ज्ञापक । પત્ર-લેખકે ૨૪ તીર્થકરોની વિશેષતા સાથે ૧૦૮ની संध्यावाय शहोन। प्रयोग उरीने संत उपदेशक, प्रकाशक, ज्ञायक, जाण २०६५यो ? छे. पू. गुरुहेव धर्मसूरि ॥ ते. પ્રકાંડ પંડિત હતા એમ સ્પષ્ટ રીતે જાણવા મળે છે. લેખકે “સંપન્ન' શબ્દ પ્રયોગથી ગુરુનો પરિચય આપતાં જણાવે छ ? विजय संपन्ने, णाण संपन्ने, दंसण संपन्ने, चारित्र संपन्ने, तप संपन्ने म पनी विशेषतामा प्रास२यन। म पनी छे. विज्जामंत बमचेर, तप-नियम सच्चं सोचं धोरतवे धोरबंमचेरवासी 'वादि' २०६न। मामयी शुरुनो परियय हो तो - वादिचन्द्र दिन मणि, वादि गंध गजसि, वादि हरण हरि, वादि कयली कूपाण, वादि मान मर्दितम रट्ट, वादि मदज्वर धन्वंतरं वादिवाय खंडनं અન્યાનુપ્રાસના ઉદાહરણ રૂપે નીચેના શબ્દપ્રયોગ અલંકારયુક્ત ગુરુ પરિચયનું નમૂનેદાર દષ્ટાંત છે. જ્ઞાનતીર્થની યાત્રા ૨૩૮ For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ वादिभूपाल रंजन वादिकंद कुशल, वादिताराचंद्र वादिपर्वतचंद्र पणे३ अन्य विशेषता हो तो सरस्वती रत्नवर प्रसाद पाखंड मत निर्धारक, शुद्धपंथना देखाडनहार कुमतना उत्थाव, भवीक जीवनई रत्नत्रयना देणहार छत्रीस हजार सूत्रना पारगामी अनेक शास्त्र प्रमाण व्याकरण नैषेध कुमारसंभव पाणानिय काव्य छंद अनेक शास्त्र विषई प्रवीण षडदर्शन मतने विषे निपुण । પૂ. ગુરુદેવના વિહાર અંગે લેખકની કલ્પના જોઈએ તો - अनेक देश नगर पुर पाटण चोक कडंबर मंडप द्रोणमुह संनिवेशई विषइ तिहां विहारना करवाहार । પૂજ્યશ્રીના ચરણકમળને વંદના કરતી વખતે આવતા શબ્દો - जे पूज्यश्रीना चरणकमल वांद्या, नई वांदई ते धन्य । धन्य ते श्रावक धन्य ते श्राविका । ગુરુની નિશ્રામાં દેશના (જિનવાણી) સાંભળવી, પોસહ પ્રતિક્રમણ કરવાં, વ્રત પચ્ચખાણ કરે, દેશ-વિરતિ ધર્મ ગ્રહણ કરે (બાર વ્રત સ્વીકારે) પર્યુષણ પર્વની આરાધના કરે તે પણ ધન્ય. ગુરુનો વિશેષણયુક્ત પરિચય આપતા લેખકના શબ્દો છે : श्रीपूज्यजी समस्त जीवनई हितकारक भविजन मह आहूलादकारक करुणासागर, धर्मभारधुरंधर, चन्द्रमानीपरि सौम्य वदनाकार, समुद्रपरि गंजीर क्षमा भंडार, भारंडपंखीनी परि अप्रमत्त न्यायमार्गना प्रवर्तनहार परमानंददायक परमउपकारी, पंडितजनललाट चूडामणि सायणा-वायणा पडिचोयणाना देणहार । महाशूरवीस महासाहसिक अनेकतप छट्टअट्ठम आदिना करणहार । ઉપરોક્ત ગુણયુક્ત પૂજ્ય ગુરુદેવ છે. એમના ગુણોનું શબ્દોમાં વર્ણન થઈ શકે તેમ નથી. વિજ્ઞપ્તિ પત્ર ૨૩૯ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ પત્ર લેખકે મધ્યકાલીન પરંપરાનુસાર ગુરુ ગુણગાવાનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે – महीतल करुं मसि तणुं, तो तुम्ह गुण लिख्या न जाय । गयणंण कागद करुं लेखण कहुं वनराजी । भावा गुरुना गुपीने सेम थाय छे अवगुण ओक न सांभरई. દુહા અને શ્લોક રચના દ્વારા ગુરુપ્રેમનો ઉલ્લેખ થયો છે. ગુરુ મહિમા અપરંપાર છે. નમૂનારૂપે નીચે જણાવેલી માહિતી પ્રગટ કરવામાં આવી છે. वीसार्या नवि वीहारे, समर्या चित्त न माय ते सुहगुरा किम वीसरे, जे विण धडी न जाय. यथा स्मरन्ति गोवत्यं, चक्रवाकि दिवाकरम् । सती स्मरन्ति भर्ताई, तथाऽहं तव दर्शनम् ॥ ગુરુ ગુણ ગાવાની પત્ર લેખકની શૈલીમાં વિવિધતા જોવા મળે छ. म प अहो ! माश्चर्य।२४ २०४थी गुरु महिमानो संह माप्यो छे. जिम-तिम अध्ययन प्रयोगथी. मामानी २माणा દર્શાવીને ગુરુ મહિમા ગાવામાં આવ્યો છે. जिम देवतामांहि इन्द्र, तारामांहि चंद्र, गिरमांहि मेरु, वाजींचमांहि भेर, सूत्रमांहि श्री कल्पसूत्र, मंत्रमांहि नवकार, सुखमांहि संतोष पर्वमांहि पर्युषणापर्व, हस्तिमांहि अरावण, रत्नमांहि चिंतामणि, जिमगच्छमांहि तपागच्छ, ते मांहि श्रीश्रीश्रीपूज्यश्री गुणें करी सुशोभित । मने गु! छे. २४० જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ श्रीश्रीश्री पूज्यश्रीना ते अकण मुखई अकण जीभिं किम वर्णन थाई जो सरस्वती सुप्रसन्न थाई तो हि तो तुम्ह गुण लिख्या न जाई ગુરુના જીવન કાર્યની માહિતી આપતાં લેખકે જણાવ્યું છે કે रागद्वेष निवारक, समस्त आर्यदेशि सर्व अमारी तणी ડોષપતિVIRT પ્રવર્તવામિત્ર સરિર ધારી ! આ માહિતી પછી પત્ર પૂર્ણ થયાનો નિર્દેશ થયો છે. श्री विजयधर्मसुरीश्वरजी सपरिवारान् चरणकमलान् सादाडी नगर थकी सदा सेवक आग्यानुकारी दासानुदास पायरजरेणु समान हुकमी सा. टेकचंदि, सा. सकलदास, श्री वंदणा १०८ વધારશો ની હસ્તપ્રતમાં આ લખાણ પછીનું વાંચી શકાય તેમ નથી. કેટલાક શબ્દો વંચાય છે પણ પૂર્ણ વાક્ય બંધબેસતું વંચાતું નથી. પત્ર લખવાનો સમય અંતે સ્પષ્ટ રીતે વાંચી શકાય છે. “સંવત ૩૮૩૩, મગસુદ-૧૨” આ પત્રના અનુસંધાનમાં બીજો પત્ર ૧૧ મુનિ ભગવંતોએ લખ્યો છે. તેની માહિતી નીચે પ્રમાણે છે. उपा.श्री राजविजयजी, पं. नयविजयजी, पं. ऋद्धिविजयजी आदि ११ ठाणानी वंदणा अवधारशोजी. ત્યાર પછી પ્યારી તે પીયુને વીનવો હોજી દેશમાં ગચ્છનાયક ધર્મસૂરીશ્વરજીનો ગુરુમહિમા ગાવામાં આવ્યો છે. શ્રી રાજસાગરજીએ ગેય દેશમાં આ કાવ્ય લખ્યું છે. વિજ્ઞપ્તિ પત્ર ૨૪૧ For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ આગળના પત્રમાં સંધિ-સમાસ-અલંકારયુક્ત જે માહિતી છે તેનો જ અહીં કાવ્યરૂપે ઉલ્લેખ થયો છે. એટલે અહીં ગુરુ ધર્મસૂરિજીના ગુણોની પુનરૂક્તિ કરી નથી. ઉપરોક્ત માહિતી પછી રતિશ્રી ગુરુનીનો સ્વાધ્યાય નિરાતે સ્વાધ્યાયની રચનામાં “ઈડર આંબા આંબલી” એ દેશીનો પ્રયોગ થયો છે. બીજા સ્વાધ્યાયમાં કવિના નામનો ઉલ્લેખ થયો નથી. આરંભની ગાથા જોઈએ તો - श्री गच्छनायक गुणनालोभा, गुण ग्राहक गुणवंत भवीक जीव प्रति बोधवाजी, સાવો તું સમવંત ? છે આ સ્વાધ્યાયમાં પણ પૂર્વના પત્રમાં ગુરુના ગુણોનો જે ઉલ્લેખ થયો છે તેનું જ અહીં નિરૂપણ થયું છે. સ્ત્રીઓ ગચ્છનાયકનાં ગુણગાન ગાય છે. તેનું લઘુ ચિત્રાત્મક નિરૂપણ કાવ્યની દૃષ્ટિએ નોંધપાત્ર છે. सोल शृंगार सजी करीनी पेहरी नवसेर हार कर सोवनथालकंगृहाजी करती स्वस्तिक सार भविक ॥ ६ ॥ धन्य तेरी ज जग कामीनि गुरु गुण भावै रसाल सात-पांच मीलि सामठाणी चतुरंगी चोशाल भविक ॥ ७ ॥ ૨૪૨ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ श्री गुरुनायक गच्छपतिजी जिनशासन शिणमार गुरु छत्रीसै राजताजी सूरीश्वर सुखकार भविक ॥ ८ ॥ इति स्वाध्याय આ સ્વાધ્યાય પછી પાંચ ખમાસણથી ચાતુર્માસની ગુરુ વંદનાનો પાઠ લખ્યો છે. અંતમાં પૂર્વે જણાવ્યા પ્રમાણે રચના સમયનો ઉલ્લેખ કર્યો છે અને “રવિવારનો પાઠ મળે છે. પત્રમાં જણાવ્યા પ્રમાણે આ પત્ર આજથી ૩૫ વર્ષ પહેલાં લખાયો હતો. સંસ્કૃત ભાષાની મધુરતા, શૈલીનો ચમત્કાર, સંસ્કૃત ભાષાની સાથે મધ્યકાલીન ભાષાનો પ્રયોગ. ગુરુ વંદના માટે ચિત્રાત્મક શૈલીનો પ્રયોગ અને આ નિરૂપણ દ્વારા પ્રગટ થતી અભૂતપૂર્વ ગુરુભક્તિનો વિશિષ્ટ કોટિનો પરિચય થાય છે. “ગુવો ભવ"નું સૂત્ર ચરિતાર્થ થયું છે. વિજ્ઞપ્તિ પત્ર વિજ્ઞપ્તિ પત્રની સંક્ષિપ્ત વિગત નીચે પ્રમાણે છે. “વિજયસેનસૂરિને આગરાના સંઘે મોકલેલો સચિત્ર સાંવત્સરિક પત્ર ઉજ્જયિનીના સંઘનું વિનંતીપત્ર” આ વિનંતી પત્ર તપગચ્છના આ. વિજયપ્રભસૂરિને મોકલવામાં આવ્યો હતો. ૧. જૈન સાહિત્ય સંશોધક અંક ૧માં પ્રકટ થયેલ છે. ૨. જૈન સાહિત્ય સંશોધક અંક ૩ પાનુ ર૭૭માં પ્રકટ થયેલ છે. વિજ્ઞપ્તિ પત્ર ૨૪૩ For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન સમયમાં ચોમાસામાં પર્યુષણ પર્વ થયા પછી સાધુ ભગવંતોને સંવત્સરી પર્વની ક્ષમાપના અને આગામી ચાતુર્માસની વિનંતીના વિસ્તારથી પત્ર લખવામાં આવતા હતા. કેટલાક પત્રોમાં ચિત્રો દોરવામાં આવતાં હતાં. પૂ.વિજયસેનસૂરિના પત્રમાં ૭૫ ચિત્રોનો સમાવેશ થયો છે તે ઉપરથી પત્ર લખવાની શૈલીનો પરિચય થાય છે. ચિત્રકળાના ઉપાસકો આ ચિત્રોની પ્રશંસા કરે છે. વિજ્ઞપ્તિ ત્રિવેણી” પુસ્તકમાં આવા પત્રોનો સંચય થયો છે. આ પત્રની શૈલીના અનુસરણ દ્વારા વિજયધર્મસૂરીશ્વરજીને વિજ્ઞપ્તિ પત્રની રચના થઈ છે એમ જાણવા મળે છે. પત્રમાં રચના સમયનો ઉલ્લેખ નથી પણ સં. ૧૭૧૨ થી ૧૭૩પના સમયગાળામાં પત્ર લખાયો હશે એમ અનુમાન કરવામાં આવે છે. મધ્યકાલીન સમયમાં પદ્યમાં વિનંતી પત્રો લખાયા છે તેની સાથે ગદ્યમાં વિજ્ઞપ્તિ પત્રો પણ પ્રાપ્ત થાય છે. આ પત્રો ગદ્ય રચનાના નમૂનારૂપે છે. વિજ્ઞપ્તિ પત્રોમાં સંબોધન માટે દેવ-ગુરુનો ઉલ્લેખ થયો છે. વિશેષણયુક્ત શૈલી વાચકવર્ગનું ધ્યાન ખેંચે છે. વળી તેમાં વિસ્તાર-વર્ણન પણ વિજ્ઞપ્તિ પત્રના લક્ષણ તરીકે સ્થાન ધરાવે છે. મધ્યકાલીન જૈન સાહિત્યમાં પત્ર લેખનની એક વિશિષ્ટ પ્રણાલિકાનું અનુસરણ થયું છે. તેમાં સીમંધર સ્વામીનો પત્ર સં. ૧૮૫૩માં હર્ષવિજયજીએ લખ્યો છે. ૧૬ ગાથાના આ પત્રમાં સીમંધર સ્વામી ભગવાનના ગુણોની માહિતી આપવામાં આવી છે. ભક્ત ભરતક્ષેત્રમાં વસે છે જ્યારે સીમંધર સ્વામી મહાવિદેહ ક્ષેત્રમાં વસે છે એટલે ભક્ત ત્યાં જઈ શકતો નથી તેનું દુઃખ છે. તેમાં ૨૪૪ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ પોતાનાં પૂર્વભવના પાપ-અંતરાય કર્મનો ઉદય છે. એમ માનીને શુભ ભાવથી સીમંધર સ્વામીના ગુણ ગાવામાં આવ્યા છે. નમૂનારૂપે નીચેની પંક્તિઓ નોંધવામાં આવે છે. સ્વસ્તિશ્રી મહાવિદેહ ક્ષેત્રમાં, જિહાં રાજે તીર્થંકર વશ તેને નામું શીશ, કાગળ લખું કોડથી. કાગળ / ૧ // સ્વામી ગંધહસ્તિ સમગજતા, ત્રણ લોક તણા પ્રતિપાલ છો દિનદયાળ || મેં તો પૂર્વ પાપ કીધાં ઘણાં, જેથી આપ દર્શન રહ્યાં દૂર. કાગળ | ૫ | ન પહોંચ્યું હજૂર કાગળ. કાગળ / ૯ // સ્વામી કેવળજ્ઞાને કરી દેખજો, મારા આત્માના છો આધાર ઉતારો ભવપાર. કાગળ / ૧૪ // અહીં ભવપાર ઉતારવા માટે ભગવાનને વિનંતી કરવામાં આવી છે. (પા. ૩૫૫) કવિ ઉદયરત્નનું આઠ ગાથાનું સ્તવન સીમંધર સ્વામીને વિનંતીરૂપે લખાયું છે. આરંભની પંક્તિમાં વિનંતીનો ઉલ્લેખ થયો છે. વિનતિ માહરી રે સુણજો સાહિબા, સીમંધર જિન સાહિબા. ત્રિભુવન તારક અરજઉરે ધરો, દેજો દરિશણ રાજ વિનતિ / ૧ / ભક્તની વિનતિની પંક્તિઓ જોઈએ તો - ભવોભવ સેવારે તુમ પદ કમળની, દેજો દીન દયાળ બે કર જોડી રે, ઉદયરતન એમ વદે, નેક નજરથી નિહાળો રે. (પા. ૩૫૮) વિજ્ઞપ્તિ પત્ર ૨૪૫ For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ પૂ.કીર્તિવિજયજીના પાંચ ગાથાના સ્તવનમાં સીમંધર સ્વામીના વિરહની ભાવના વ્યક્ત કરીને કરૂણ રસસભર અભિવ્યક્તિ થઈ છે તેમાં ભક્તની ભક્તિની આર્દ્રભાવના નિહાળી શકાય છે. દિવસ દોહ્યલો સ્વામી હું રહ્યોજી, મારે નયણે જોયું નવિ જાય જો; ૨૪૬ શું કરું સીમંધર સ્વામી વેગળા વસ્યાજી, હાંરે હું તો પાંખ વિના રહ્યો નિરધારજો સ્વામી. ૨ બે કર જોડી કીર્તિવિજય એમ ભણેજી, હાંરે હું તો માગું માગું મુક્તિનો વાસજો; હાંરે હું તો કદીએ ન આવું ગર્ભવાસજો. સ્વામી. પ પ.પૂ. કમલવિજય પંન્યાસના શિષ્ય મોહનવિજયજીએ ઋષભદેવના સ્તવનની રચના કરી છે તેમાં સિદ્ધિગિરિ મંડન ઋષભદેવના ગુણોની માહિતી આપીને ભક્તને તારવા માટેની અરજીનો સૂર સંભળાય છે. હાંરે હું તો માંગુ માંગુ ચરણની સેવો; સિદ્ધગિરિ મંડણ ઈમ સુણો મુજ વિનતિ મરૂદેવાના નંદ છો શીવરમણી પતિ અનંત ગુણના આધાર અનંત લક્ષ્મીવર્યા ક્ષાયિક ભાવે દર્શન, જ્ઞાન ચારિત્ર ધર્યા અજર અમર નિરૂપાય સ્થાન પોહોતા જિહાં તારક મોહ નિવારક કષ્ટ મુજ કાપજો ॥ ૧ ॥ ભવોદિધ પાર ઉતારી મુક્તિ પદ આપજો. (પા. ૩૨૮) જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ સીમંધર સ્વામી અને ઋષભદેવના સ્તવનમાં વિનંતીનો સંદર્ભ થાય છે તેમાં સારરૂપ વિચારો જોઈએ તો ભગવાનના ગુણોની માહિતી અને ભક્તને ભવોદધિથી પાર ઉતારવાનો અને મહાવિદેહમાં બિરાજમાન સીમંધર સ્વામીનાં કોઈ દૈવી શક્તિથી દર્શન થાય ત્યાં જન્મ મળે અને ભવોભવ પ્રભુની સેવા કરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થાય એવા વિચારો સ્થાન ધરાવે છે. વિજ્ઞપ્તિપત્ર (સંક્ષિપ્ત પરિચય) મધ્યકાલીન સમયમાં પત્ર (કાગળ)ને સ્થાને લેખ શબ્દ પ્રયોગ પણ થયો છે. આ વિષયનો વધુ અભ્યાસ કરવા માટે (માહિતી) “વિજ્ઞપ્તિ લેખ સંગ્રહ” પુસ્તક પ્રગટ થયું છે તેની સંક્ષિપ્ત માહિતી નીચે પ્રમાણે છે. આ પુસ્તક શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ તરફથી પ્રગટ થયું છે. જૈન સાહિત્યના મહાકૃતોપાસક વિદ્વાન અને સંશોધક મુનિ જિનવિજયજીએ તેનું સંપાદન કર્યું છે. પ્રથમ ભાગમાં વિજ્ઞપ્તિ મહાલેખ સંસ્કૃત ભાષામાં લખાયો છે. શ્રી જિનોદયસૂરિએ ખરતરગચ્છના પૂ.લોકટિલાચાર્યને આ લેખ લખ્યો છે. તેમાં શત્રુંજય તીર્થની સ્તુતિ કરવામાં આવી છે. સંસ્કૃત ભાષાનો આ લેખ ગદ્ય-પદ્યના મિશ્રણવાળો છે. બીજો લેખ મહામહોપાધ્યાય પૂ. જયસાગરજીએ ખરતરગચ્છના પૂ. જિનભદ્રસૂરિને લખ્યો છે તેનો વિષય નાગોર તીર્થ ચૈત્યપરિપાટીનો છે. બીજા વિભાગમાં ૨૫ લેખોનો સંચય થયો છે. આ વિભાગનું નામ વિજ્ઞપ્તિ ત્રિવેણિ છે. સંસ્કૃત ભાષામાં ગદ્ય-પદ્યના મિશ્રણવાળા વિજ્ઞપ્તિ પત્ર ૨૪૭ For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ લેખો રચાયા છે. લઘુલેખ માટે વિજ્ઞપ્તિકા-વિજ્ઞપ્તિ પત્રમ્ શબ્દ પ્રયોગ થયો છે. પત્ર શૈલી મધ્યકાલીન લેખ રચનાની સાથે સામ્ય ધરાવે છે. પત્રના શીર્ષક ઉપરથી લેખના વિસ્તારનો ખ્યાલ આવે છે. મહાલેખમ્ - વિસ્તારવાળો લેખ. વિજ્ઞપ્તિકા લઘુ લેખ. વિજ્ઞપ્તિપત્રમ્ – લઘુ લેખ - પત્રલેખન શૈલીનો નમૂનો છે. - પં.ધ્યાસિંહે ખરતર ગચ્છના પૂ.આચાર્ય જિનગુણસૂરિને પત્ર લખ્યો હતો તેને વિજ્ઞપ્તિકા સંજ્ઞા આપવામાં આવી છે. શ્રી મહોપાધ્યાય કીર્તિવિજયજીએ તપાગચ્છના આચાર્ય વિજયસેનસૂરિને સંસ્કૃતમાં પત્ર લખ્યો હતો તેને ‘વિજ્ઞપ્તિ પત્રિકા' સંજ્ઞા આપવામાં આવી છે. પં. લાભવિજયજીએ તપોગણપતિશ્રી વિજયપ્રભસૂરિને પત્ર લખ્યો હતો તેમાં વિજ્ઞપ્તિ લેખ શબ્દપ્રયોગ થયો છે. આ રીતે જૈન સાહિત્યના મધ્યકાળમાં વિજ્ઞપ્તિ પત્રોની માહિતી મળે છે. પૂ. ગુરુભગવંતોનું સંસ્કૃત ભાષાનું જ્ઞાન ઉચ્ચ કોટિનું હતું તેનો પરિચય થાય છે. વિશેષ માહિતી માટે મૂળ પુસ્તકનું અધ્યયન આવશ્યક છે. સંદર્ભ : - • વિજ્ઞપ્તિ લેખ સંગ્રહ – પ્રકાશકશ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ – પાટણ (ઉ.ગુ.) મધ્યકાલીન સમયમાં ગુજરાતી ભાષામાં ગદ્ય-પદ્ય સ્વરૂપમાં પત્રો લખાયા છે. તેના ઉદાહરણો જૈન સાહિત્ય સંશોધકમાં ૨૪૮ પ્રગટ થયેલ ઉજ્જયિના સંઘનું વિનંતી પત્રની ટૂંકી વિગત આપવામાં આવી છે. For Personal & Private Use Only જ્ઞાનતીર્થની યાત્રા Page #290 -------------------------------------------------------------------------- ________________ ના રસ આ વિનંતી પત્ર ઉજ્જયિણીની સંઘે તપાગચ્છના આચાર્ય વિજયપ્રભસૂરિને મોકલ્યો હતો. ચોમાસાની વિનંતી ખમતખામણાં પર્યુષણ પર્વની આરાધના વગેરેની માહિતીનો સમાવેશ કરવામાં આવે છે. આ પત્રો વિસ્તારવાળા અને માહિતીસભર હોય છે. પત્રમાં જશવંતસિંહજી રાજાનો નામોલ્લેખ છે. કેટલાક પત્રોમાં ચિત્રો દોરવામાં આવતાં હતાં. (જૈન સાહિત્ય સંશોધક અનુ.પા. ૨૭૭) (પત્ર રચના સમય સં. ૧૬૬૭ કારતક સુદ-૨) શ્રી વિજયસેનસૂરિને આગ્રાના સંઘે મોકલેલો સચિત્ર સાંવત્સરિક પત્ર વિશેષ માહિતી જૈન સાહિત્ય સંશોધક અંક-૧, પા. ૨૧૨માં પ્રગટ થઈ છે તેમાંથી મળશે. શ્રીયુત્ એન.સી.મહેતાએ (આઈ.સી.એસ.) Studies in Indian Painting પુસ્તકમાં વિનંતી પત્રો વિશે એક પ્રકરણ લખ્યું હતું તેનો તેમાં સમાવેશ થયો છે. આ ટૂંકી વિગત ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે મધ્યકાલીન સમયમાં વિનંતી પત્રો, લેખ, કાગળ ગુજરાતીમાં લખાયા હતા અને પૂ. વિદ્વાન્ ગુરુભગવંતોએ સંસ્કૃતમાં લેખો (પત્ર સ્વરૂપ) લખ્યા હતા. આ વિષય અંગે સંશોધન કરવામાં આવે તો જૈન સમાજ અને સાહિત્યની ગતિ-વિધિનો પરિચય પ્રાપ્ત થાય તેમ છે. વિજ્ઞપ્તિ પત્ર ૨૪૯ For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વિવેક બત્રીશી જૈન સાહિત્યમાં સંખ્યામૂલક કાવ્ય પ્રકારોની રચના થઈ છે તેમાં વિવેક બત્રીશીની કૃતિનો આ પ્રકારમાં સમાવેશ થાય છે. સાહિત્યમાં વિવિધ વિષયોને સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપદેશનું લક્ષણ કાવ્યના અંગ તરીકે ગણાય છે. ધાર્મિક સાહિત્યમાં ઉપદેશ હોય તે સ્વાભાવિક છે. મમ્મટે કાવ્ય પ્રકાશમાં કાવ્યનાં લક્ષણોમાં ઉપદેશનો પણ સમાવેશ કર્યો છે. જૈન સાહિત્યનો ઉપદેશ ધર્મસંમિત છે. સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ થાય એવી ઉદાર ભાવનાથી ઉપદેશનું તત્ત્વ કાર્યરત છે. ઉપદેશના મૂળમાં કેવળ ભાષિત વચનો છે એટલે તેમાં કોઈ શંકા નથી. શ્રી જિનપ્રભસૂરિએ ૧૪મી સદીમાં વિવેક બત્રીશી રચના કરી છે આ કૃતિની ભાષા જૂની ગુજરાતી છે. ગુજરાતી ભાષાના વિકાસની ભૂમિકા આ ભાષામાં નિહાળી શકાય છે. શીર્ષક ઉપરથી જ વિષય વસ્તુનો પ્રથમ દૃષ્ટિએ પરિચય થાય છે. એટલે ઉપદેશ વિશેની વિવિધ માહિતીનો ઉલ્લેખ થયો છે. આ ઉપદેશ આત્માને સન્માર્ગે દોરીને અંતે આચાર ધર્મના પાલનથી મુક્તિના શાશ્વત સુખ આપવાની અદ્ભુત શક્તિ ધરાવે છે. એક રીતે વિચારીએ તો ઘણા જીવો આવા ઉપદેશથી સંસાર સાગરને તરી ગયા છે. એટલે કે મુક્તિ તે પામ્યા છે. ૨૫૦ For Personal & Private Use Only જ્ઞાનતીર્થની યાત્રા Page #292 -------------------------------------------------------------------------- ________________ માનવ જાતનો એક મહત્ત્વનો ગુણ વિવેક છે. વિવેકને આધારે શું કરવું? શું ન કરવું? તેનો સુજ્ઞ આત્માઓ નિર્ણય કરીને જીવનમાં વર્તે છે. ૩ર ગાથાની આ રચના હોવાથી બત્રીશી નામ આપવામાં આવ્યું છે. ઉપદેશની સંક્ષિપ્ત માહિતી નીચે પ્રમાણે છે. ગુરુ જંગમ તીર્થ ગણાય છે એમની ભક્તિ-ઉપદેશથી જીવો સુખી થાય છે. ગુરુ આગમવાણી સંભળાવે છે. ગરીબ વર્ગને અને સુપાત્ર દાન આપવું. પાંચ મહાવ્રતનું પાલન કરવું. (સંયમ) મનની સ્થિરતા કેળવવી. જિનધર્મની આરાધના કરવી. કુમતિનો ત્યાગ કરીને સુમતિ રાખવી. ઉપશમ ભાવનું અનુસરણ કરવું, કષાય અને રાગદ્વેષનો ત્યાગ કરવો. ઇન્દ્રિયોના વિષયોનું નિયંત્રણ કરવું, સમતિ દષ્ટિ રાખી વ્રત ધારણ કરવાં, સદ્ગુરુના ઉપદેશરૂપી દર્પણમાં જોવાથી સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે. સમોવસરણમાં બિરાજમાન પ્રભુએ આ ઉપદેશ આપ્યો છે તે ગુરુ પાસેથી સાંભળવો અને આચરવો. આ સારભૂત વિચારો વિવેક બત્રીશીની કૃતિમાંથી પ્રાપ્ત થાય છે. વિવેકીજનો આ ઉપદેશ જાણીને આત્માનું કલ્યાણ કરે એવી શુભ ભાવના વ્યક્ત થઈ છે. વિવેકબત્રીશી સુગુરૂ ન સેવિઉં, જંગમતિત્ય સુણિી ન આગમવયણ મહત્યુ ! કોવિ ન પાવિલે પરમ પત્યુ, હા હા જેમુગયઉ અwત્યુ. (૧) ઘરિઉ ન પંચમહત્વયભાર, દાણ ન દિન સુપાત્તહિં સાર નવિ પવઈઅઉ નવિ અગિહત્ય, હા હા જેમ ગયઉ અકયત્થ. (૨) ચઉવિત દાણ ન દિg સસત્તિ, શીલન પાલિઉં પરમપત્તિ તવન તવિઉ નહુ ભાવણ ભાવિ, પુહવિ હિભાર કહેવા આવિએ. (૩) વિવેક બત્રીશી . ૨૫૧ For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ નહુ ધરધરણી નહુ વણવાસ, નહુ હુઅ ભોઅણ નહુ ઉપવાસ ઉભયહ ભટ્ટહ નટ્ટી જે પુરપુરે કયસુ જીવુ અહંમ. (૪) નહુ જાણિઉ જહઢિી જિણધર્મો, બદ્ધઉં નિવડ નિકાઇલ કમ્મ મણતહિ ભમડઈ નહિઅગમ્મ, હાહા હાટિ ઉમાણસુજેમ. (પ) કુમઈ જડિલ કુગ્ગતિવિનડિG, ઈહુજિઉ ભીમ ભવાદવિ ભમડિG અજવિ નહુ લગ્નઇ સિવમગ્નિ, પાડિઉ મોહ રાઉરિ ઉવગ્નિ. (૬) દુસમમાઈ આલંબધિતુ, મૂઢઉં મિલ્હઈ ધરિ ચારિતુ જહસન્નિહિ ઉજ્જમ નહુ કરઈ, ડરિક તહ કરહઉ ફિટઈ. (૭) બલિકઉવ જીવિઉ અમહહલોએ, જે ઉખંના જિણહવિલએ અહવા જિણ સિદ્ધતુ વિ અચ્છ, આઇચ્યહ વિણ દીવઈ પિચ્છઈ. (૮) તસુ કિં કરઇ સુદસમદોસ, જસ જિણભણિએ ઉવરિસંતોસ જસમણ લોક પ્રવાહઈ ડોલઈ, સમુદ્રતરી ગોપઈ બૂડઈ. (૯) જહિકિઅ આગમવયણિ ન લગ્નઈ, અનુપુણગઈ શિવસુહમગઈ પંખહ પાખઈ ઉડણ ચાહઈ, વેગવિહૂણ તુરંગમ વાહઈ. (૧૦) મુમ્બવેલ અરિહઈ જિણનાહ, મિચ્છાધંલ ન ચયઈપવાહ દુનિન હુંતિ કયાવિ અયાણ, ખલ્લી સીમંત ઈગઠાણ. (૧૧) વયણિ ભણિજ્જઈ જિણવર ધૂમ, કાયઈ કિન્જઈ અવરવિકર્મો ઈક્કદંમિદો પડિ અવિસાહ, ઈક્કખંમિ હુઈ ગઈ વરસાહઈ. (૧૨) અનહજિણવર વયણવિશુદ્ધા, અનહ અહહ ચરિઉ વિરૂદ્ધ એ સબૂદિરંતુવિઆરહ અનુમણુતુરિઅહ અનુઅસવરહ. (૧૩) તસ કિંકરઈ સગુરૂ ઉવએસુ, જો ન મણઈ પર અપ્પરિસેસ ગુણ દોસહ અંત નહુ લ-ખઈ, દીવસએહિંવિ અંધુ ન પિમ્બઈ. (૧૪) આઈગ્રહ = આદિત્ય = સૂર્ય | ગોપ = ગોઢપદ = ખાબોચીયું. ૨૫૨ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ અરિહઉવએસુ સુણવે નબત્યુ, પટ્ટન મુણઈ આગમ પરમત્યુ જદ્વિઅરસ સમાઉ વેઅઈ, ઈઅરૂપુણો વિવયરી અંનિઅઈ. (૧૫) બહુ મિચ્છતિ હિં મોહિઉ અછઈ, ધમ્મરિપુણ અપ્પઉ પિચ્છઈ. સંનિવાય૨ો ગિð ð નઈકઙ્ગ અકસાય વિસક્કરમંનઈ. (૧૬) વિસયકસાયપમાય ન મુંચયð પરજણ વંચણ અપ્પઉં વંચઈ પરમતત્ત તેં કિમ જાણીજઈ,મૂઢકિ કુપ્પરિતુ અરિ ખજ્જઈ. (૧૭) રાગાઈ અદેસેહિં સુદૃઢ, કરદેં ધમ્મછલિપાવુઅણિક દેવગુરૂચ્ચિઅ તારિસજા ં, દુધ્ધહ ઉપ્પરિ ફોડઉ તા ં. (૧૮) પુષ્વપમાð દીણા હત્યિઆહેવન પાવિ અ સિવપુરિસચ્છિઅ જીવકૂડ અહિનાણિહિં આયા, બેઉ આઢવેઉ કૂડા જાયા. (૧૯) જીવસહાવિહિં વિસયહ ગિઉ, નહુ પડિવજ્જઈ ધમવિસુદ્ધઉ અનઈ ગુરૂ ભાસાવિસલઘી ઈકુમં ડિઅનુ વીંછી ખધ્ધી. (૨૦) કહમવિ દસ દિક્રંતિહિં પાવિ, મણસ જંમજિણવયણિહિંભાવિઉ ઇંદિઅવિસય નિસેવણિ ઢકઈ, મૂઢઈ બારી અરહટકી કઈ. (૨૧) વસમનાયક અપ્પઈ કિજ્જઈ નાણાઈ પરિવાર રિજ્જઈ અનૂહ રાગાઇહિં કલિજજઈ, સૂનઉગઢ પરચક્કહિં લીજ્જઈ. (૨૨) જિણહ ધમ્મ જે પુવિ ન પત્તઉ, તિણિકારણિ એ અંમિ જડત્તઉ અન્નવસઈ જીવું પડિલ્વ વારિ જંતુવિકરઈ અ કિચ્ચ. (૨૩) બઉ ઈંદિઅ વિસયમમત્તિ, મૂઢઉ કઈ પરાઈ તત્તિ લગ્ગન પેખઈ અખંણ ગેહામોહમહાવિસધારિય દેહ. (૨૪) કર્ત્યવિ નહુ કિઉ જિણહ પ્રણામ તિહિહૂંઉ કાંઈ ન સુહ પરિણામ પુણરવિ વિહિઉ કરઇ સુપતિ, કાવિન ભણઇ ધમ્મહતત્તિ. (૨૫) મંડિ માંકડુ (એક તો માંકડુ સ્વભાવથી જ ચંચળ છે, વળી તેને વીંછી કરડ્યો તેથી વધુ ચંચળ) વિવેક બત્રીશી For Personal & Private Use Only ૨૫૩ Page #295 -------------------------------------------------------------------------- ________________ નહુ પડિરજજુઈ જિણવર આણ, અટ્ટસહ નહુ મિલ્હઈ ઝાણ દિખિલ મોહરાઈ જગડતુ, કિમરે જીવસુ અહનિરચંતુ. (ર૬). જાણિક જિણવર પંમ પ્રભાઉ, અજજવિરે જીવ કરિસિપમાઉ દુગ્ગોંગ મણમૂઢ નવિવારસિ, ચિંતા રયણ બિરાડી હારસિ. (૨૭) લભઈ વિસયહ સુકખ વિચિત્ત, નહલબ્બઈ જિણ પવિત્ત, પ્રણપુણ ભમડઈ બહુસંસાર, કવિ ન પાવઈ મોકખ દુવાર. (૨૮) જઈ સુહલભૂઈ ધમ્મવિઉઠ, તા નહદીસઈ દુહિ કોઈ મૂઢા પડિ ઉપસણિમનરોઈ, પુત્રવિણન સહાયી હોઈ. (૨૯) તુહે નહ કાસવિ તુઝન કોઈ, અપ્પણિ અપ્પ અપ્પઈ જોઈ એવહિં સેવહિ અપ્પારામ, જિમ પાવહ સંસારવિરમ. (૩૦) નાણનયરિ સંવરપાયાર, પરમ વિવેઉસનાહવયા, રાજ સહુઈ અLઉં ઉવસમ લખઇં, તસુ કિંકરસઈ મોહવિપકખ. (૩૧) ન્યાણનિમ્મલર નાણુ સંતુ, સંસારજીવક અભી સચવણ તંબોલઈ ઢઉં ! પરદવ્ય વજજણપિ અલિ, સઢશીલ આભારણિ લધ્ધઉ આરૂઢ સંતોસ રહિ દખ્ખણ ગુરૂવિએસ, જિણપહુ સારહિ જોકરઈ સ લહઈ સિદ્ધિપએસુ || ૩૦ || | | ઇતિ વિવેકબત્રીસી સમાપ્તા | વિવેક બત્રીશીની રચના જિનપ્રભસૂ.એ કરેલ છે. જેમાં સમ્યકત્વ અને વ્રતો ગ્રહણ કરવા યોગ્ય છે. ઇન્દ્રિયોનાં વિષયો, રાગ, દ્વેષ વગેરેનો ત્યાગ કરવો. ગુરૂ ભ.નો ઉપદેશ સાંભળવો. સદ્દગુરૂનાં ઉપદેશરૂપી દર્પણમાં જોવાથી સિદ્ધિપદને પમાય છે. તેવો વિવેક બત્રીશીનો સાર છે. ભાષા અપભ્રંશ જેવી છે. ૨૫૪ શાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ સુખ પ્રાપ્ત કરતાં... વિશ્વના પ્રત્યેક જીવો સુખની આશામાં જીવન વિતાવે છે. સુખ વિશે વિવિધ પ્રકારની વિચારસરણી પ્રવર્તે છે. પણ સાચા અર્થમાં સુખ પ્રાપ્ત થતું નથી. સુખની કોઈ એક સર્વસામાન્ય વ્યાખ્યા નથી. પ્રત્યેક જીવાત્મા પોતે જે જે ઈચ્છે છે તે પ્રાપ્ત થાય તેને સુખ માને છે. માનવીની ઈચ્છાઓની પૂર્તિ થાય અને પરિવાર તેમજ અન્ય સંબંધોમાં પોતાના વિચારો આજ્ઞા કે હુકમ પ્રમાણે લોકો વર્તે તેને પણ સુખ કહેવાય છે. જ્ઞાનીઓ આ સંસાર વિશે પંચસૂત્રના પહેલા અધ્યાયમાં જણાવે છે કે “જે એવાઈફખંતિ ઈહ ખલુ અણાઈજીવે, અણાઈ જીવસ ભવે, અણાઈ કમ્મસંજોગ નિવિત્તએ, દુઃખ વે, દુઃખ ફલે,દુઃખાણ બંધ. વિતરાગ પરમાત્મા આ પ્રમાણે કહે છે કે આ સંસારમાં જીવ અનાદિથી છે. જીવના ભવો પણ અનાદિ છે. અનાદિકાળથી જીવ કર્મના સંયોગથી જોડાયેલો છે. સંસાર દુઃખ રૂપ છે. સંસારમાં કર્મજન્મ દુઃખ ભોગવવાનાં છે. એટલે પાપનું ફળ ભોગવવાનું છે. અને દુઃખમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બીજાં ઘણાં કર્મો બંધાય છે. આવા સંસારમાં સુખની કલ્પના એ આકાશ કુસુમ સમાન છે. પુષ્યાત્ સુવમ્ - પાપાત્ તુમ્ પુણ્યથી સુખ મળે છે. પાપથી દુઃખ સુખ પ્રાપ્ત કરતાં... ૨૫૫ For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ મળે છે. આત્મા કર્મનો કર્તા અને ભોક્તા છે તે ન્યાયે પુણ્ય પાપ ભોગવવા માટે જન્મ-જરા અને મરણના ત્રિવિધ તાપથી ત્રસ્ત થવું પડે છે. ભૌતિક સુખ નાશવંત છે. સુખની સામગ્રી પૌદગલિક હોઈ ક્ષણિક તરંગ બુદ્ગદ્ સમાન આભાસી સુખ આપીને નષ્ટ થાય છે. પત્ની, પુત્ર, સંપત્તિ, સત્તા, ઉચ્ચપદવી, સન્માન આદિ પણ પાપનાં બંધરૂપ હોઈ તેમાં આસક્તિ રાખવા જેવી નથી. એક માત્ર આભાસી-નાશવંત સુખને બદલે શાશ્વત સુખનો પુરૂષાર્થ એજ માનવ જન્મની સાર્થકતા છે. જ્ઞાની પુરૂષો, સંતો, મહાત્માઓ, ગણધરો, તીર્થકરો અને યોગીઓ બધાએ જીવનમાં જે કોઈ પુરૂષાર્થ કર્યો હતો તે માત્ર શાશ્વત સુખ મેળવવા માટે જ ભૌતિક સુખનો એમના ચરણોમાં આળોટવા તૈયાર હતું. તીર્થકર ભગવંતની સમૃદ્ધિ સંપત્તિ અને સુખ સામગ્રીનો વિચાર કરીએ તો માનવ પાસે આ સામગ્રીતૃણવત્ છે. પૂર્વ જન્મના શુભાશુભ કર્મના ઉદયથી જીવાત્મા કહેવાના પૌદ્ગલિક સુખને મેળવે છે. પણ આ સુખ માટે પુરૂષાર્થ તો કરવો જ પડે છે. આ પુરૂષાર્થમાં વર્ષો વીતી જાય છે અને જીવન પુર્ણ થાય છે. જો આવી જ સ્થિતિ હોય તો પુરૂષાર્થથી શું પ્રાપ્ત થયું. જીવોની ઘોર અજ્ઞાનતાને કારણે સુખની લાલચ પાછળ દુર્લભ મનુષ્ય જન્મ વેડફી નાંખે છે. પરિણામે પુનઃ મનુષ્ય જન્મ મળશે કે કેમ તેનો કોઈ નિશ્ચય થતો નથી. માટે કર્મજન્ય સુખ મળે તો તેમાં આસક્તિ રાખ્યા વગર માત્ર શાશ્વત સુખની પ્રાપ્તિ માટે પુરૂષાર્થ કરવો જોઈએ. નિકાચિતકર્મ તો ભોગવવું જ પડે છે. તે સિવાયનાં કર્મોની નિર્જરી થવાથી ક્રમશઃ આત્મા શાશ્વત સુખના રાજમાર્ગમાં પ્રગતિ કરી શકે છે. પૌદ્ગલિક સુખથી આસક્તિ વધે છે અને તેનાથી રાગ-દ્વેષના ૨૫૬ શાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ બંધનો વધતાં આત્મા કર્મોથી લપાઈને ભારે બનતાં સંસારસાગરમાં તળિયે જઈને બેસે છે. પછી કિનારે આવવા માટે શું કરવું પડે ? આવી સ્થિતિ સર્જાય ત્યાર પહેલાં આત્મા ચેતી જાય. જ્ઞાનદશા જાગૃત થાય તો કિનારે આવીને ડૂબી જાય નહિ. ડૂબવુ છે કે પાર ઉતરવું છે એ આત્માની પોતાની શક્તિની વાત છે. આત્માએ અનંતવાર પૌદ્ગલિક સુખ મેળવવા માટે જન્મ-મરણ કર્યા છે અને હવે માનવ જન્મ મળ્યો છે તો તેમાંથી મુક્ત થઈને શાશ્વત અવિચળ, નિરાબાધ, અવ્યાબાધ, સિદ્ધાવસ્થાની સ્થિતિનું સુખ મળે તે માટેનો પુરૂષાર્થ એ જ મનુષ્યનું ઉત્તમોત્તમ કર્તવ્ય અને રાજમાર્ગનું અનુસરણ લેખાશે. ભૌતિક સુખ પ્રાપ્ત કરવામાં જે જે વર્ષો જાય છે તેનાથી આત્માનું શાશ્વત સુખ અનેક યોજન દૂર ભાગે છે. જો આવી સ્થિતિ હોય તો શા માટે જાગૃત થઈને સાચા સુખનો પુરૂષાર્થ કેમ ન આદરવો જોઈએ. સુખનું સામ્રાજ્ય જ્ઞાનીઓએ દર્શાવ્યું છે. તેનો માર્ગ કર્મની નિર્જરા, અશુભ આશ્રવોનો ત્યાગ, શુભ આશ્રોનું આગમન, પુણ્ય-પાપનો સર્વથા ત્યાગ, પુણ્ય સોનાની બેડી છે. પાપ લોખંડની બેડી છે. પણ આત્મા તેનાથી બંધાયેલો તો છે જ માટે તેનાથી પણ મુક્ત થવાનું છે. એટલે આ રાજમાર્ગનું અનુસરણ આત્માને શાશ્વત સુખ તરફ ગતિ કરાવશે. પૌગલિક સુખથી અધોગતિ જ છે એમ માનીને અનાસક્ત ભાવથી શક્ય તેટલા શાશ્વત સુખના પ્રયત્નો જ મનુષ્યની સાચી જીવન દિશા-ગતિ છે. રાજચંદ્રના શબ્દોનું ચિંતન કરતાં સત્ય સમજાય છે. ભ્રમ ભાગે છે. “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ લહો”નું ચિંતન અને મનન આત્માને શાંતિના સામ્રાજયમાં લીન કરશે. સુખ પ્રાપ્ત કરતાં. ૨૫૭ For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬ વધાવા જૈન સાહિત્યમાં ભક્તિમાર્ગની વિચારધારામાં વિવિધ પ્રકારે પ્રભુ ભક્તિનું નિરૂપણ થયું છે. તેમાં ‘વધાવા’ની રચના દ્વારા પ્રભુ ભક્તિનો આસ્વાદ ક૨વાની સુવર્ણક્ષણ પૂરી પાડે છે. ‘વધાવા' શબ્દ વધામણી આપવી. શુભ સમાચાર આપવા. આનંદદાયક સમાચાર આપવા. અક્ષત પુષ્પ આદિથી પ્રભુને વધાવવાનું સન્માન વગેરે અર્થ પ્રચલિત છે તેમાં ‘વધાવા'ની રચના દેવાધિદેવ તીર્થંકર ભગવાનનાં પાંચ કલ્યાણકના શુભ સમાચાર આપે છે. તીર્થંકરનાં પાંચ કલ્યાણક અનુક્રમે ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ છે. જૈન સાહિત્યમાં મહાવીર સ્વામીના હાલરડાની રચનાથી દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર કવિરાજ દીવિજયની મહાવીર સ્વામીના પાંચ વધાવાની રચના ભક્તિભાવનાનું અનુસંધાન કરે છે. તીર્થંકર ભગવાનનો જન્મ મૃત્યુલોકના માનવીને માટે આનંદદાયક નથી પણ સ્વર્ગના અઢળક વૈભવમાં રાચતા ઈંદ્રો અને દેવો પણ અતુલિત, અવર્ણનીય આનંદાનુભૂતિ કરે છે. નરકના જીવો કે જે રાતદિવસ અસહ્ય-પારાવાર વેદના ભોગવે છે તેઓ પણ પ્રભુના જન્મથી ક્ષણિક સુખાનુભૂતિ કરે છે. ૨૫૮ For Personal & Private Use Only જ્ઞાનતીર્થની યાત્રા Page #300 -------------------------------------------------------------------------- ________________ नारकाऽपि मोदन्ते यस्य कल्याण पर्वसु पवित्रं तस्य चारित्रं, વો વા વયિતું ક્ષ છે ? | જે ભગવાનના કલ્યાણકથી નારકીના જીવો પણ અપૂર્વ આલાદ અનુભવે છે એવા ભગવાનના જીવનચરિત્રનું વર્ણન કરવા કોણ સમર્થ છે ? ભગવાનનું જીવન ચરિત્ર અવર્ણનીય છે. એમનો મહિમા અપરંપાર છે. એવા ભગવાનના પાંચ કલ્યાણકની રચના વધારાનો વિષય છે. “વધાવા” કાવ્યનો વિચાર કરતાં પૂર્વે કેટલાક કવિઓએ પંચકલ્યાણકના સ્તવનની રચના કરી છે તેની સાથે સામ્ય ધરાવે છે. પંચકલ્યાણકના સ્તવનમાં ભગવાનના જીવનનું કલ્યાણકના સંદર્ભમાં કાવ્યમાં વર્ણન કરવામાં આવે છે. એટલે શીર્ષક ભિન્ન છે પણ વિષયવસ્તુમાં કોઈ ભેદ નથી. એકમાં “સ્તવન શબ્દપ્રયોગ થયો છે. સ્તવન એટલે ભગવાનની સ્તુતિ મહિમા-ગુણગાન કરતી કાવ્યરચના. જ્યારે વધાવામાં “વધાવા” શબ્દ દ્વારા ભગવાનના કલ્યાણકના પ્રસંગો એ સર્વસાધારણ જનતાને માટે શુભ સમાચાર વધાવારૂપે છે. ગર્ભિત રીતે તેમાં પણ કલ્યાણકના પ્રસંગનું વર્ણન છે. ભક્તિનો એક પ્રકાર તરીકે આ પ્રકારની રચના મહત્ત્વની કહેવાય છે. વધાવા-૨ “વધાવવું” એ ક્રિયાપદ છે. ભગવાનના કલ્યાણક ઉપરાંત પૂ. સાધુ ભગવંતોના નગર પ્રવેશ - સામૈયામાં એમને સન્માનપૂર્વક વધાવવામાં આવે છે. પ્રાચીનકાળમાં તીર્થકર ભગવાન દીક્ષા અવસ્થામાં એક નગરથી બીજા નગરમાં વિહાર કરીને જ્યારે પધારે છે ત્યારે તેઓ નગર કે ગામ બહાર આવે છે. વધાવા ૨૫૯ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ વનપાલક - નગર રક્ષક ગામમાં પ્રભુજી પધાર્યા છે તેની નગરજનોને વધામણી રૂપે આ સમાચાર આપે છે. આ શુભ સમાચાર સાંભળીને લોકો ઉત્સાહપૂર્વક પ્રભુને વંદનાર્થે વાજતે-ગાજતે જાય છે. ઉપા. વિનયવિજયજીની મરૂદેવી માતાની સઝાયમાં આ માહિતીનો ઉલ્લેખ થયો છે. ઋષભજી આઈ સમોસર્યા, વિનીતા નગરી મોઝાર હરખે દેઉં રે વધામણાં ઊઠી કરી રે ઉલ્લાસ મરૂદેવી માતા... પૂ. રાજવિજયની રૂક્મણિરાણીની સઝાયમાં નેમનાથ ભગવાન દ્વારિકા નગરીમાં પધારે છે. તે પ્રસંગે શ્રી કૃષ્ણને વધામણીના સમાચાર આપવામાં આવે છે. કવિના શબ્દો છે - વનપાલક સુખદાય, દીયો વધામણી આય. આછેલાલ નેમિ વંદન તિહાં આવીયાજી. | ૨ | આ સંદર્ભથી વધામણી-વધાવાનો સંદર્ભ પ્રાચીનકાળથી વ્યવહાર અને ધર્મજીવનનો એક ભાગ-આચાર છે. સાધુ ભગવંતોનો નગર પ્રવેશ, ચાતુર્માસ પ્રવેશ, ચાતુર્માસ પરિવર્તન, ઉપધાન, અંજન, શલાકા, પ્રતિષ્ઠા, મહોત્સવ, દીક્ષા પ્રસંગ વગેરેમાં સાધુ ભગવંતોને “વધાવા' વધામણાથી સન્માન કરવામાં આવે છે. વ્યવહાર જીવનમાં લગ્ન પ્રસંગે સાસુ-જમાઈને વધાવે છે. આ પ્રણાલિકા પણ વ્યવહારની દૃષ્ટિએ ઉત્તમ ગણાય છે. પરિવારમાં પુત્ર જન્મનો પ્રસંગ વધામણીનો ગણાય છે. આ રીતે વધાવાની માહિતી ખરી રીતે તો ભક્તિ માર્ગની એક વિશિષ્ટ ક્રિયા છે કે જેનાથી પ્રભુ અને ગુરુની ભક્તિ થાય છે. ૨૬૦ શાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ભક્ત કવિ સૂરદાસ અને તુલસીદાસનાં કેટલાંક પદો “વધાઈ નામથી રચાયાં છે. “વધાઈ લોકગીત સાથે સામ્ય ધરાવતો લઘુ કાવ્ય પ્રકાર છે. મુખ્યત્વે તો તે “પદ' સ્વરૂપની રચના છે. વધાવા' લઘુ કાવ્ય પ્રકાર છે. તેમાં ભગવાનના દીક્ષાકેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકના પ્રસંગોનું ભાવવાહી વર્ણન કરવામાં આવે છે. “સ્નાત્રપૂજા'ની રચનામાં માત્ર પ્રભુના જન્મ કલ્યાણકનું રસિક અને ચિત્રાત્મક શૈલીમાં વર્ણન કરવામાં આવે છે. આ મંગલમય પ્રસંગ ભક્તિની સાથે ભવ્યાત્માઓના જીવનમાં પણ મંગલસૂચક બને છે. કવિરાજ દીપવિજયજીએ પાર્શ્વનાથ પંચ વધાવા (સ્તવન)ની રચના કરી છે તેની માહિતી નીચે પ્રમાણે છે. પૂ. યોગનિષ્ઠ આચાર્ય ભગવંત બુદ્ધિસાગરસૂરિએ શ્રી મહાવીર પ્રભુના પાંચ વધારાની રચના કરી છે. તેની માહિતી નીચે પ્રમાણે છે. વધાવા શ્રી મહાવીર પ્રભુના સંક્ષેપમાં પાંચ વધાવા આ. બુદ્ધિસાગરસૂરિએ ગહુંલી સંગ્રહ ભા.-રમાં પ્રગટ કર્યા છે. ગેય દેશીઓના પ્રયોગથી વધાવાનો સરળ શૈલી અને પ્રભુ મહાવીર સ્વામીના જીવનનો મિતાક્ષરી પરિચય કરાવ્યો છે. વધાવાનું વસ્તુ પંચકલ્યાણકના સ્તવન સાથે સામ્ય ધરાવે છે. શ્રી મહાવીર પ્રભુના સંક્ષેપમાં પાંચ વધાવા પહેલો વધાવો-શ્રાવણ વરસે રે સુજની. એ રાગ. મહાવીર પ્રભુનો રે વધાવો, પહેલો સંઘ સકળ મળી ગાવો, ત્રીજે ભવેરે અરિહંત, કર્મ નિકામું તપ ગુણવંત. મ. ૧ દશમા સ્વર્ગથી રે ચવિયા, ત્રિશલાના ઉદરે અવતરિયા, ભારત દેશે રેસોહે, ક્ષત્રિફંડ સહુનાં મન મોહે. મ. ૨ વધાવા ૨૬૧ For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ચઉદ સ્વપ્નો રે દેખે, ત્રિશલા માતા હર્ષ વિશેષ, સ્વપનાં પતિને રે સુણાવે, પુત્ર હોશે એમ પતિ સમજાવે. મ. ૩ જોશી સ્વપ્નોનાં ફલ ભાખે, તીર્થકર વા ચક્રી થાશે, ત્રિશલા આનન્દ ઉભરાણી, બુદ્ધિસાગર હર્ષ ભરાણી. મ. ૪ બીજો વધાવો મહાવીર જન્મ શ્રાવણ વરસે રે સુજની. એ રાગ ભારત દેશે રે સ્વામી, મહાવીર જમ્યા ગુણ વિશ્રામી, ત્રણ ભુવનના રે દેવા, ચઉસઠ ઈન્દો સુર કરે સેવા. ભારત. ૧ અનુપમ લીલાએ ગાત્રે, ચૈત્ર સુદિ તેરસની રાત્રે, સુરપતિ ઉત્સવ રે કરતા, મેરૂપર જિનવરને ધરતા. ભારત. ૨ સ્નાન કરાવે રે પ્રેમ, ભક્તિએ નિજ કલ્પને તેમ, પગ અંગુઠે રે દબાવી, કંપાવી મેરૂ સમભાવી. ભારત. ૩ ઇન્દ્ર સંશયને ભાગ્યો, અનંત શક્તિ મહિમા જાગ્યો, માતા પાસે રે લાવે,પ્રભુ નમાવી સ્વર્ગે જાવે. ભારત. ૪ ઉત્સવ મહોત્સવ રે થાવે, વર્ધમાન પ્રભુ નામને ઠાવે, અનુક્રમ મોટા રે થાવે, યૌવનવય યશોદા પરણાવે. ભારત. ૫ ભોગો ભોગવતાં અભોગી, જલ પંકજવતું નિર્મલ યોગી, બુદ્ધિસાગર રે દીક્ષા, લેવાની મનમાં થઈ ઈચ્છા. ભારત. ૬ દીક્ષા કલ્યાણક ત્રીજો વધાવો માલણ ગુંથી લાવ ગુણીયલ ગજરો એ. રાગ. થયા મહાવીર દેવ વૈરાગી, વિરતિ પરિણામે ત્યાગી, શુદ્ધભાવના ઘટમાં જાગી. થયા. ૧ ૨૬૨ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ માગશર વદ દશમીએ દીક્ષા, દીધી મોહમાયાને શિક્ષા, કરપાત્રે પ્રભુ ભીક્ષા. થયા. ૨ નિજ આતમમાં લયલીન, બાહ્ય ભાવમાં માની ન દીન, શુદ્ધ ચિંતવતા રૂપ જિન. થયા. ૩ પરિષહ સહિયા દુઃખદાયી, પણ પ્રભુજી રહ્યા અકષાઈ, ધર્મ શુક્લમાં લયલાવી. થયા. ૪ શુભાશુભી રહ્યું નહીં ચિત્ત, સત્ય સમતા યોગે પવિત્ર, બુદ્ધિસાગર વીરચરિત્ર. થયા. પ ચોથો કેવલ કલ્યાણક વધાવો ભવિ તમે વંદો રે સૂરીશ્વર ગચ્છરાયા. એ રાગ. વૈશાખ સુદિ દશમી મહાવીરજીન, કેવલ જ્ઞાનને પામ્યા, શુક્લ ધ્યાને ઘાતિકર્મનો, નાશ કરી દુઃખ વામ્યા, ભવિજન વંદોરે વીરજિનેશ્વર દેવા, જગ પરમેશ્વર રે, સુર નરપશુ કરે સેવા. ૧ સમવસરણ દેવે રચિયું શુભ, ત્યાં મહાવીર વિરાજે, જૈનધર્મની દેશના દેવે, મેઘપેરે ધ્વનિ ગાજે. ભવિ. ૨ ચોત્રીશ અતિશયે છાજે અહમ્, વાણી ગુણ પાંત્રીશે, દોષ અઢાર રહિત વીતરાગી, સત્યતત્ત્વ ઉપદેશે. ભવિ. ૩ સંઘ ચતુર્વિધ તીર્થને સ્થાપ્યું, ભારત દેશ ઉદ્ધરિયો, ચોવીસમા તીર્થંકર છેલ્લા, અનંત ગુણનો દરિયો. ભવિ. ૪ એકાદશ ગણધર નિજપાટે, ગૌતમ આદિ થાપ્યા, બુદ્ધિસાગર મહાવીર પ્રભુજી, ત્રણ્ય ભુવનમાં વ્યાપ્યા. ભવિ. ૫ વધાવા ૨૬૩ For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ પાંચમો નિર્વાણ કલ્યાણક વધાવો ભવિ તમે વંદો રે ભગવતી સૂત્રની વાણી એ રાગ. આસો અમાવાસ્યા રાત્રે, પ્રભુજી મુક્તિ સધાયા, દીપાળીનું પર્વ ત્યારથી, સુરપતિ કરે નર રાયા, પ્રભુ વીર દેવે રે, દિલથી હો નહીં ન્યારા, આતમરામી રે, નિશ્ચય છો મન પ્યારા. ૧ વીર વીર ચિતવતાં ગૌતમ, કેવલ જ્ઞાનને પાયા, વીર પ્રભુનો સંવત પ્રગટ્યો, ઉત્સવ મહોત્સવ થાયા. પ્રભુ. ૨ જૈનધર્મ જગમાં ફેલાવી, મહાવીર મુક્તિ સધાવ્યા, ધન્ય ધન્ય વીર પ્રભુનું જીવન, ભક્તોના મન ભાવ્યા. પ્રભુ. ૩ અતિ સંક્ષેપે પાંચ વધાવા, મહાવીર પ્રભુના ગાયા, બુદ્ધિસાગર મહાવીર ગાતાં, જન્મ સફળ સમજાયા. પ્રભુ. ૪ સંદર્ભ: ૦ કવિરાજ દીપવિજય મહાવીર પા. ૧૦૬ ૦ ગુરુભક્તિ ગહુંલી સંગ્રહ પા. ૧૦૬ ૦ ગહેલી સંગ્રહ ભાગ-૨ પા. ૫૦ સ્નાત્ર પૂજા એ ભગવાનના જન્મોત્સવનું વિસ્તારથી વર્ણન કરતી કાવ્યકૃતિ છે તેમાંથી વધારાનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. માય જિનનેજી, વાંદી પ્રભુને વધાવીયા જૈન સાહિત્યમાં વિવિધ પદો રચાયાં છે. તેમાં વધાઈનો સંદર્ભ મળે છે. આજ તો વધાઈ રાજા નાભિ કે દરબાર રે મરૂદેવાએ બેટો જાયો, ઋષભકુમાર રે. ૨૬૪ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ અહીં ઋષભદેવ ભગવાનના જન્મની વધાઈની માહિતી મળે છે. મહોત્સવ દરમિયાન રાત્રિના સમયે જિનાલયમાં ભાવના દ્વારા ભક્તિની રમઝટ જામે છે. ભાવનાને અંતે ભગવાનની “વધાઈ સંગીતકારના સૂરોની સાથે તાલ મિલાવીને ભક્તો પણ વધાઈ ગાય છે. મારા નાથની વધાઈ બાજે છે. મારા પ્રભુજીની વધાઈ બાજે છે શરણાઈ સૂર નોબત બાજે ઔર ધનાધન ગાજે છે. મારા નાથની. માત્ર જન્મકલ્યાણક સિવાય પણ ભક્તિભાવનાથી વધાઈ ગવાય છે. મહોત્સવમાં પૂજા ભણાવ્યા પછી પ્રભુને વધાવા માટેની ક્રિયા થાય છે. તીરથ પદની પૂજાથી આ અંગેની માહિતી પ્રાપ્ત થાય છે. શ્રી તીરથ પદ પૂજો ગુણીજન, જેહથી તરીએ તે તીરથ રે તીરથ પદ ધ્યાનો ગુણ ગાવો, પચરંગીરણ (રત્નો) મિલાવો રે થાળ ભરી ભરી તીરથ વધાવો જિન-અનંત ગુણ ગાવો રે પ્રાચીનકાળમાં પ્રભુને વધાવવા માટે સોના-રૂપાનાં પુષ્પોમોતીનો ઉપયોગ થતો હતો. કેવી ભાવભીની ભક્તિ હશે ? પ્રભુના જન્મકલ્યાણક કે વધાવા સાથે સામ્ય ધરાવતી “કળશ” સ્વરૂપની રચનામાં જન્માભિષેક જન્મકલ્યાણકનું વર્ણન કરવામાં આવ્યું છે. વચ્છભંડારી શ્રાવક કવિએ પાર્શ્વનાથના કળશની રચના કરી છે. અહીં અભિષેકના અર્થમાં “કળશ” સંજ્ઞાનો પ્રયોગ થયો છે. વધાવા ૨૬૫ For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથ જિનનો “કળશ”ની રચના પવિજયજીએ કરી છે તેમાં પ્રભુના જન્મોત્સવનું વર્ણન છે. શ્રી વર્ધમાન સ્વામી જન્માભિષેક કળશની કૃતિ અજ્ઞાત કવિની છે તેમાં જન્માભિષેકના કલ્યાણકારી પ્રસંગનું વર્ણન છે. કવિએ પાંચ ઢાળમાં પાંચ કલ્યાણકનું ગેય દેશના પ્રયોગ દ્વારા વર્ણન કર્યું છે. કાવ્યના આરંભમાં સરસ્વતી વંદના કરીને વિષયવસ્તુની માહિતી આપવામાં આવી છે. વંદી જગજનની બ્રહ્માણી, દેતા અવિચલ વાણી રે. કલ્યાણક પ્રભુના ગુણખાણી, થુણસું ઉલટ આણી || ૧ | બીજી કડીમાં પ્રભુની સેવા-ભક્તિ કરવા માટેનું ઉપદેશ વચન છે. એહને સેવો રે પ્રભુ શાસનના સુલતાન, એહને સેવો રે જસ ઈંદ્ર કરે બહુમાન. એ તો ભવોદધિ સુજાન, એહને સેવો રે / ૨ // કવિએ પ્રભુના ચ્યવન કલ્યાણકનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે પ્રભુનાં આત્માએ દશમા સ્વર્ગ વિમાનથી અવીને સિદ્ધાર્થ રાજાની રાણી ત્રિશલા કુક્ષિએ અવતાર લીધો. પ્રભુ દેવાનંદાની કુક્ષિમાં ૮૨ દિવસ રહ્યા અને હરિણગમેષી દેવે ત્રિશલા રાણીની કુક્ષિમાં ગર્ભનું સંહરણ કર્યું તે પ્રસંગનો કોઈ ઉલ્લેખ થયો નથી. કહે ઈમ પ્રથમ વધાવો “શબ્દો દ્વારા પ્રભુની અવનનો નિર્દેશ થયો છે. (પ્રથમ ઢાળ) ૨૬૬ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ બીજી ઢાળમાં બીજો વધાવો એટલે પ્રભુના જન્મકલ્યાણકની માહિતી. બીજે વધાવે સજની ચેતરસુદ તેરસની રજની જમ્યા અનવર જગઉપકારી, હું જાઉં તેહની બલિહારી. બીજે વધાવે સજની રે ૧ || છપ્પન દિશ કુમરી તિહાં આવે, પૂજી રુચિ જળશું હવરાવે. જીવો મહીધર લગે જિનરાયા, અવિચલ રહેજો ત્રિશલાના જાયા. બીજે || ૨ | ઇન્દ્ર મહારાજા સુઘોષા ઘંટાનો રણકાર કરીને પ્રભુના જન્માભિષેકમાં સ્વર્ગવાસી દેવ-દેવીઓને પધારવા નિમંત્રણ આપે છે. કવિના શબ્દો છે - ઘોષા ઘંટા તવ વજડાવે, તતક્ષણ દેવ સહુ તિહાં આવે, પ્રભુ ગૃહી કંચનગિરિ પરઠાવે, સ્નાન કરી જિનને નવરાવે. બીજે | ૪ | એક ક્રોડ સાઠ લાખ કળશોથી પ્રભુનો અભિષેક થાય. બાળ સ્વરૂપવાળા ભગવાન આ કેવી રીતે સહન કરશે ? એવો ઈન્દ્રને સંશય થાય છે ત્યારે પ્રભુ અવધિજ્ઞાનથી આ સંશય જાણીને પોતાની અદ્ભુત શક્તિથી ચમત્કાર કરે છે. મહીંધર નિજ અંગુઠે ચાંપ્યો, તતક્ષણ મેરૂ થરથર કંપ્યો, ભાનું નૃત્ય કરે છે રસીયો, પ્રભુ પદ ફરસ થઈ ઉલ્લશિયો. બીજે || ૭ || જાણ્યો ઈંઢે સહુ વિરતંત બોલે કરજોડી ભગવંત ગુનાહો સેવકનો એ સહજ, મિથ્યા દુષ્કૃત એહનો હોજો. બીજે | ૮ || વધાવા ૨૬૭ For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રના સંશયનો પ્રત્યુત્તર આપતી કડી પ્રભુની શક્તિનો પરિચય આપે છે. સ્નાત્ર મહોત્સવ કરીને પ્રભુ માતાને સોપે છે. પ્રભુના જન્મની વધાઈનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે – પુત્ર વધાઈ નિસુણી રાજા, પંચ શબ્દ વજડાવે વાજાં, નિજપરિવાર સંતોષી વારુ વર્ધમાન નામ ઠવે ઉદારુ. બીજે | ૧૦ || પ્રભુના ગૃહસ્થાવાસનો એક જ કડીમાં ઉલ્લેખ કર્યો છે. અનુક્રમે જોબન વય જબ પાવે, નૃપતિ રાજપુત્રી પરણાવે. ભોગવી સંસારી ભોગ, દીપ કહે મન પ્રગટ્યો જોગ. બીજે | ૧૧ ત્રીજો વધાવો પ્રભુના દીક્ષા કલ્યાણકનો છે. લોકાંતિક દેવો પ્રભુને સંયમધર્મ માટે વિનંતી કરે છે. પ્રભુ સંવત્સરી દાન આપીને સંયમ સ્વીકારે છે. કવિના શબ્દોમાં આ માહિતી નીચે પ્રમાણે છે. પ્રભુને એમ સુણાવે. લોકાંતિક સુર અમૃતવયણે, બુઝ બુઝ જગનાયક લાયક, ઈમ કહીને સમજાયે. સહી તુમે / ૨ / સંયમ. એક ફ્રોડને આઠ લાખનું દીન પ્રતે દીયે દાન. ઈણી પરે સંવત્સર લગે લઈને, દીન વધારે વાન સહી તુમે | ૩ | સંયમ. પ્રભુને પાલખીમાં પધરાવીને દીક્ષા કલ્યાણકનો ભવ્યાતિભવ્ય વરઘોડો નીકળે છે. સુરગણને નરગણ સમુદાય દીક્ષાને સંચરીયા, માતા ધાવ કહે શીખામણ, સુણ ત્રિશલા નાનડીયા સહી તુમે. / ૬ / સંયમ. જ્ઞાનતીર્થની યાત્રા ૨૬૮ For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ મોહ મલ્લને ઝેર કરીને ધરજો ઉજ્જવલ ધ્યાન, કેવલ કમલા વહેલી વરજો, દેજો સુકૃત દાન રે. સહી તુમે. | ૭ || સંયમ. પછી ભગવાન પંચમુષ્ટીનો લોચ કરીને વ્રતધારી થયા. સિંહ સમોવડ દુર્ધર થઈને, કઠીન કર્મ સહુ ટાલે, જગ જયવંતો શાસન નાયક, ઈણીપરે દીક્ષા પાળે. સહી તુમે / ૧૧ સંયમ. ચોથું કલ્યાણક કેવળજ્ઞાનીનું છે. વૈશાખ સુદ દશમીને દિવસે, પામ્યા કેવળનાણજી, બાર જોજન એક રાતે ચાલ્યા, જાણી લાભ નિધાન. સાંભલ સજની. | ૨ | અપાપા નયરાઈ આવ્યા મહસેન વન વિકસંતજી, ગણધરને વલી તીરથ થાપન, કરવાને ગુણવંતા. સાંભળ સજની. | ૩ દેવોએ સિંહાસન અને ત્રણ ગઢની રચના કરી. પછી પ્રભુ બાર પર્ષદા સમક્ષ દેશના આપે છે. ગુણ પાંત્રીશ સહિત પ્રભુવાણી, નિસુણે છે સહુ પ્રાણીજી. લોકાલોક પ્રકાશક વાણી, વરસે છે ગુણખાણી. સાંભળ સજની. | ૬ || માલ કોશ થતી રાગ સમાજ, જલધરની પરે ગાજેજી, આતપત્ર પ્રભુ શિર પર રાજે, ભામંડલ છબીં છાજે. સાંભલ સજની | ૭ | પ્રભુ ગૌતમ સ્વામીનો સંશય દૂર કરીને પોતાના પ્રથમ ગણધર તરીકે સ્થાપના કરે છે. પછી ત્રિપદીનું દાન કરે છે. ૧. ઝેર કરીને - નાશ કરીને. ૨. છબી - શરીરની કાંતિ વધાવા ૨૬૯ For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ત્રિપદી પામી પ્રભુ શિરનામી, દ્વાદશાંગી સુવિચારીજી, પદ છ લાખ છત્રીસ સાહસની, રચના કીધી સારીજી. સાંભળ સજની. || ૧૨ એણીપરે ત્રીશ વરસ કેવલથી, બહુ નરનારી તારીજી, ઈમ વધાવો ચોથો સુંદર, દીપ કહે સુખકારીજી. સાંભળ સજની ૧૭ | પાંચમા નિર્વાણ કલ્યાણકના આરંભમાં કવિ જણાવે છે કે – કલ્યાણક પાંચમું જિનનુંજી, ગાવો હર્ષ અપાર હાલા, જગ વલ્લભ પ્રભુના ગુણ ગાઈ, સફળ કરો અવતાર વ્હાલા. શાસન નાયક તીરથ વંદો. પ્રભુ વિહાર કરીને અપાપા નગરીમાં પધાર્યા હતા. અહીં પ્રભુએ સોળ પહોર દેશના આપી હતી. દિવાળીના દિવસે પ્રભુનું નિર્વાણ થયું. કવિ આ પ્રસંગનું નિરૂપણ કરતાં જણાવે છે કે - દિવાળી દિન મુક્તિ પધાર્યા, પામ્યા પરમાનંદ હાલા, અજર અમર પદ જ્ઞાન વિલાસી, અક્ષય સુખનો કંદ વ્હાલા. | ૪ || અંતે કવિએ ઉપદેશ વચનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે – એ પ્રભુ ધ્યેયને સેવક ધ્યાતા, એહમાં ધ્યાન મિલાય વહાલા, ત્રિકરણજોગે પૂર્ણતા પ્રગટે, સેવક ઈમ સમજાય. વ્હાલા. || ૭ || - ગાવો પાંચમો મોક્ષ વધાવો, ધ્યાનો વિરજિસંદ વહાલા. શ્રી વિજય લક્ષ્મીસુરીશ્વર રાજે, મેં ગાયા શુભ ભાવ. વ્હાલા. | ૮ || ૨૭૦ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ વધાવાની રચનાનું નિમિત્ત-સ્થળની માહિતી આપતી પંક્તિઓ જોઈએ તો - શ્રી જિન ગણધર આણારંગી, કપૂરચંદ વિસરામ વ્હાલા, તસ આગ્રહથી હરષિત ચિત્તે, ખંભાત નયર સુઠામ. વ્હાલા | ૧૦ || પંડિત સુગુરુ પ્રેમપસાઈ, ગાયો તીરથરાજ વ્હાલા, દિપવિજય કહે મુજને હોજો, તીરથફળ મહારાજ વ્હાલા. વ્હાલા || ૧૧ કવિએ સરળ અને સુગ્રાહ્ય શૈલીમાં મહાવીર સ્વામીના પાંચ વધાવાની રચના કરીને પ્રભુનાં ગુણગાન ગાયાં છે. ભક્તિ માર્ગમાં સ્તવન સમાન વધાવાની રચના એના શીર્ષકથી જ પ્રથમ દષ્ટિએ આનંદ-ઉલ્લાસનો સંકેત કરીને ભક્તિરસમાં નિમગ્ન કરાવે છે. દીપવિજય કવિરાજ બીજી રચના શ્રી પાર્શ્વનાથના પાંચ વધાવાનો પરિચય આપવામાં આવ્યો છે. પાર્શ્વનાથ પંચ વધાવા સ્તવન (સંદર્ભ-હસ્તપ્રત) “મહાવીર સ્વામી - પાંચ વધાવાની માફક “પાર્શ્વનાથના પાંચ વધાવા”ની કૃતિ પાર્શ્વનાથ ભગવાનનાં પાંચ કલ્યાણકનું વર્ણન કરતી ચરિત્રાત્મક ભક્તિપ્રધાન રચના છે. પંચકલ્યાણક સ્તવન વ્યવહાર જીવનમાં વિશેષ પ્રચલિત છે. કવિએ અહીં “વધાવા' શબ્દ પ્રયોગથી સ્તવનની રચના કરી છે. વધાવા એ સ્તવનનો પર્યાયવાચી શબ્દ છે. માત્ર ભગવાનનું જન્મ કલ્યાણક જ વધામણી કે ખુશી વ્યક્ત કરવાનો મર્યાદિત અર્થ પ્રગટ થતો નથી પણ બાકીનાં કલ્યાણકો પણ ભવ્યજીવોને અનેરો ઉલ્લાસ આપે છે તેમ સમજવાનું છે. વધવા ૨૭૧ For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ આ સ્તવનની રચનાનો સંદર્ભ હસ્તપ્રતને આધારે નીચેની પંક્તિઓથી જાણી શકાય છે. ‘ઇતિ શ્રી પાર્શ્વનાથ પરમેશ્વરજીના પાંચ વધાવા ગુણગર્ભિત સ્તવન સંપૂર્ણ લિખીત સંવત ૧૮૮૦ના વર્ષે પોષ સુદ-૬ દિને શ્રી પાટણ મધ્યે. શુભંભવતુ શ્રી. સામાન્ય રીતે ઢાળબદ્ધ રચનાઓમાં દુહાથી વસ્તુ નિર્દેશ કરાવીને ‘ઢાળ’માં તેનો વિકાસ થાય છે. અહીં કવિએ પ્રથમ ઢાળથી જ ‘વધાવા'ની રચનાનો પ્રારંભ કરતાં પ્રભુની મુખમુદ્રાનો મહિમા ગાયો છે. કવિના શબ્દો છે જિન મુખ પંકજ વાસિની રે, આપો વચન સુરંગ; સાહિબ સુખ કરું રે, ત્રેવિસમો સુલતાન ‘આ. ॥ ૧ ॥ હસ્તપ્રત ૧. પ્રથમ વધાવામાં ભગવાનના ચ્યવન કલ્યાણકનો ઉલ્લેખ કરીને જન્મ થયો તે વિશે માહિતી છે. ચ્યવન વધાવો ગાવતાં રે પ્રગટે પુણ્ય. બીજા વધાવામાં ૫૬ દિકકુમરીઓ મેરૂપર્વત પર ભગવાનનો જન્મોત્સવ ઉજવે છે તેનું વર્ણન છે. આ પ્રકારની રચનાઓમાં પરંપરાગત નિરૂપણ હોય છે. તેમાં કવિ કલ્પનાનો કોઈ અવકાશ હોતો નથી. કવિએ ભગવાનના જન્મોત્સવની ચિત્રાત્મક અભિવ્યક્તિ કરતાં જણાવ્યું છે કે - - ‘મૃગ મદ કેશર ચંદન અરચે અંગ, ધૂપ દીપ શુભ મંગલ આઠે આલેખીરે’ ભગવાનની બાલ્યાવસ્થામાં આ રીતે દેવોની ભક્તિ અપૂર્વ ગણાય છે. ભગવાનને આરતી મંગલ દીવો કરવો, પુત્ર જન્મની વધામણીના સમાચાર આપવા. આ પ્રકારની રચનાની પરંપરાગત વિગતો નીચે મુજબ છે. જ્ઞાનતીર્થની યાત્રા ૨૭૨ For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ દીપવિજય કવિરાજ ચરણ શિરનામી મેં બીજો વધાવો ગાતાં નવ નિધિ પામી રે સંયમ અવસર આવ્યો છે એમ જાણીને લોકાંતિક દેવો પ્રભુને સંયમ સ્વીકારવા વિનંતી કરે છે. એટલે દીક્ષા કલ્યાણકની માહિતી ત્રીજા વધાવામાં છે. ભોગ કરમ ક્ષીણ જાણી ત્રિભુવન નાથજી, જગહિત જાણી કંબલ દાન દીય શુભ મારગ રે લો.” દીક્ષા મહોત્સવ પરમ પ્રમોદ આરંભીયો રે' સુરપતિ ને સુરગણ કનકના કળશથી પ્રભુને અભિષેક કરે છે. અંગો પ્રભુનાં ચંદન કેસરથી સુવાસિત કરીને સાધુ વેશ આપે છે અને પ્રભુ અણગાર બને છે. પ્રભુએ દીક્ષા સ્વીકારીને ચાર ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ચિંહુ ગતિ ફેરા ફરી, પ્રભુ વરીયા કેવલ કમલા. કેવલજ્ઞાનથી પ્રભુ જગતના સર્વ પદાર્થોનું જ્ઞાન ધરાવે છે - એમ જણાવ્યું છે. પાંચમાં વધારામાં ભગવાનની દેશના, પરિવારની માહિતી, ભગવાનની વાણીના ગુણ, અતિશય વગેરેની માહિતી છે. સુદ પાંચમ શ્રાવણ માસની રે, શિવપુર વસીયા' આ પંક્તિ દ્વારા ભગવાનના નિર્વાણ કલ્યાણકનો ઉલ્લેખ થયો છે. દેશી બદ્ધ ગેય ઢાળ યુક્ત આ રચના પાર્શ્વનાથ ભગવાનની ચરિત્રાત્મક માહિતી આપે છે. ઉપમાઓ અને વર્ણનમાં કોઈ નવીનતા નથી. વધાવા ૨૭૩ For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ વામાં માતા માટે કવિની કલ્પના છે કે હંસગામીની, મૃગ લોચની, જનનીમુખને પંકજની ઉપમા, વામા માતાના કુક્ષિમાં ભગવાન આવ્યા અને પછી માતાને પણ શુભ સ્વપ્નો આવ્યાં, ગર્ભ વૃદ્ધિ પામ્યો ને માતાને દોહલા થયા તે પૂર્ણ કરવા નિત્ય ચઢતા પરિણામે જિનપૂજા ભક્તિ કરતી, વગેરે વિગતો આકર્ષક રીતે કાવ્યમાં ગૂંથી લીધી છે. રચના સમય વર્ષ સ્થળ લહિયાનું નામ વગેરે માહિતી પણ કવિએ દર્શાવી છે. પાર્શ્વનાથ ભગવાનનું આદેય નામ કર્મ એવું પ્રબળ હતું કે ૧૦૮ નામથી એમની ભક્તિ ઠાઠમાઠથી ગામેગામ થાય છે. કવિ પણ પાર્શ્વનાથ પ્રભુનો મહિમા ગાઈને જીવનને ધન્ય બનાવે છે. અથશ્રી મહાવીર સ્વામીના પાંચ વધાવા લિખતે હું તો મોહી રે નંદલાલ | મોરલી તાને રે I એ દેશી વંદી જગજનની બ્રહ્માણી, દેતા અવિચલ વાણી રે કલ્યાણક પ્રભુના ગુણખાણી ગુણસું ઉલટ આણી / ૧ // એહને સેવોને પ્રભુસાસનાં સુલતાન એહને સેવોને જસઈદ્રકરે બહુમાન એતો ભવોદધિતરણ સુખાન એહને સેવોને || ૨ || કિીધો ત્રીજે ભવે વરથાનક અરિહા ગોત્ર નિકાગ્યું રે તે અનુસરવીવરવાકેવલ કરવી તીરથ જાત્ર એહને સેવોને | ૩ | કલ્યાણક પહેલો જગવલ્લભ ત્રણજ્ઞાની મહારાય રે દશમાં સ્વર્ગ વિમાનથી પ્રભુજી ભોગવી સુરનો આય એમને સેવોને | ૪ / જંબુદ્વીપે ભરતખેત્રમાં ક્ષત્રીકુલ સુખકાર રે શ્રીસિદ્ધાર્થ ત્રિશલા ઉદરે લેવે પ્રભુ અવતાર એહને / જસા એતો //પો ચઉદ સુપન દેખે તવ ત્રિશલા ગજ વૃષભાદિ ઉદાર રે હરખે જાગી ચીંતે મનમાં માને ધન અવતાર છે. એહને. પ્રભુ. જસ. એતો | ૬ | ૨૭૪ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ બહુ ઉછરંગે જઈ પીયુસંગે સગલી વાત સુણાવે રે સુંભગે લાભ પુત્રનો હોસે પીઉ ના વચન વધાવે ॥ એહને. ॥ ૭ | સુપના ફલ પૂછી પાઠકને ગર્ભ વહે નૃપરાણી રે દીપ કહે ઈમ પ્રથમ વધાવી ગાવે સુર ઈંદ્રાણી ॥ એહને. પ્રભુ. જસ. એતો ભવો. એહનો ઢાલ-૨જી શ્રાવણ વરસે રે સજની એ દેશી II બીજે વધાવે સજની ચૈતરસુદ તેરસની રજની જન્મ્યા જીનવર જગઉપકારી હું જાઉં તેહની બલિહારી બીજે વધારે સજની || ૧ || છપ્પનદિશ કુમરી સિંહા આવે, પૂજ઼ સુચીજલસુ હવરાવે જીવો મહીધર લગે જિનરાયા અવિચલ રેં રહેજો ત્રિસલાના જાયા 11 ong || 2 11 ગિરુઆ પ્રભુનું વદન નિહાળી, ચાલી બોલે ચતુરાબાલી હરખ્યો સુરપતિ સોહમ સ્વામી. જાણે જન્મ્યા જગ વિસરામી ઘોષા ઘંટા તવ વજડાવે તતક્ષણ દેવ સહુ પ્રભુ ગ્રહી કંચનગિરિપર ઠાવે સ્નાનકરી ચિંતે લઘુવય છે પ્રભુ વીર કિમ સહસે વીરે તસ મન સંશય જાણી કરવા ચિત્રીત ૧. સુચીજલ = પવિત્ર જલ વધાવા સિંહા આવે જિનને નવરાવે એક કોડ વલી ઉપર જાણું, સાઠ લાખ સંખ્યા પરમાણું સહુ કલશા શુચી જલસ ભરીયા તત્ક્ષણ સોહમ મન સંશય ધરીયા ॥ બીજે || ૩ || For Personal & Private Use Only ।। બીજે || ૪ || ॥ બીજે || ૫ || જલધારા ધીર અતિશયનાણી ।। બીજે || ૬ || ૨૭૫ Page #317 -------------------------------------------------------------------------- ________________ મહીધર નિજ અંગુઠે ચાંપ્યો તત્ક્ષણ મેરૂ થરથર કંપ્યો માનું નૃત્ય કરે છે રસીયો પ્રભુપદ ફરસે થઈ ઉલ્લસિયો બીજે | ૭ || જાણ્યો ઈંદ્ર સહુ વિરતંત બોલે કરજોડી ભગવંત, ગુનાહો સેવકનો એ સહેજો, મિથ્યા દુષ્કૃત એહનો હોજો ! બીજે | ૮ | સ્નાત્ર કરી માતાને સમર્પે ઇવી પહોતા નંદીશ્વરદ્વીપે, પુરણ લાહો રે લેવા અઢાઈ મહોચ્છવ તિહા કરવા |બીજે || ૯ | પુત્ર વધાઈ નિસુણી રાજા પંચ શબ્દ વજડાવે વાજા, નિજ પરિકર સંતોષી વારુ વર્ધમાન નામ હવે ઉદારુ || બીજે || ૧૦ || અનુક્રમે જીવન વય જબ થાવે નૃપતિ રાજપુત્રી પરણાવે, ભોગવી સંસારી ભોગ દીપ કહે મન પ્રગટ્યો જોગ ! બીજે || ૧૧ || ઢાળ ત્રીજી વીણમવાસો રે વિઠલવારૂ તુમને ! એ દેશી | હવે કલ્યાણક ત્રીજું બોલું જગગુરુદીક્ષા કેરૂ હરખિત ચિત્તે ભાવે ગાવું તેહનું ભાગ્ય ભલેરું સહી તમે સેવો રે કલ્યાણક ઉપગારી સંયમ એવોરે આતમને હિતકારી / ૧ / લોકાંતિક સુર અમૃત વયણે પ્રભુને એમ સુણાવે બુઝ બુઝ જગનાયક લાયક ઈમ કહીને સમજાવે સહી તમે / ૨ / સંયમ ૨૭૬ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ એક કોડને આઠ લાખનું દિન પ્રતે દીએ દાન, ઈણી પરે સંવત્સર લગે લઈને દીન વધારે વાન સહી તુમે /૩ સંયમ નંદીવર્ધનની અનુમત લઈને વીર થયા ઉજમાલ, પ્રભુ દીક્ષાનો અવસર જાણી આવ્યો હરી તત્કાલ _ સહી તુમે | ૪ | સંયમ થાપી દિશા પૂરવને સાતમી દિક્ષા મહોચ્છવ કીધો રે પાલખીઈ પધરાવી પ્રભુને લાભ અનંતો લીધો છે સહી તુમે | ૫ | સંયમ સુરગણ નરગણને સમુદાયે દીક્ષાને સંચરીયા માતા ધાવ કહે શીખામણ સુણ ત્રિશલા નાનડીયા | સહી તુમે | ૬ || સંયમ મોહ મલ્લને ઝેર કરીને ધરજો ઉજ્જવલ ધ્યાન કેવલ કમલા વહેલી વરજો દેજો સુકૃત દાન સહી તુમે | ૭ | સંયમ ઈમ શિખામણ સ્તવતા સુણતા ઘુણતે બહુ નરનારી પંચ મુખીનો લોચ કરીને આપ થયા વ્રતધારી સહી તુમે | ૮ | સંયમ ધન ધનશ્રી સિદ્ધારથ નંદન ધન ધન નંદીવરધન બંધવ ઈમ બોલે સુરરાયા સહી તુમે / ૯ / સંયમ અનુમત લેઈ નિજ બંધવની વિચરે જગ આધાર સુમતે સુમતા ગુપતે ગુપતા જીવદયાના ભંડાર સહી તુમે | ૧૦ | સંયમ વધાવા ૨૭૭. For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ સિંહ સમોવડ દુર્ધર થઈને કંઠીન કર્મ સહુ ટાલે, જગ જયવંતો શાસનનાયક ઈણિપરે દીક્ષા પાલે // સહી તમે // ૧૧ સંયમ દીક્ષા કલ્યાણક એ ત્રીજું સહી તમે દિલમાં લાવો, ઈમ વધાવો ત્રીજો સુંદર દીપ કહે સહુ ગાવો | સહી તુમે // ૧૨ // ઢાળ ચોથી અવનાસીની સેજડીઈ રંગ લાગો મોરી સજનીજી રે એ દિશી છે. ચોથું કલ્યાણક કેવલનું કહું છું અવસર પામીજી જગ ઉપકારી જગબંધનની હું પ્રણમું શિરનામી સાંભળ સજની / ૧ / વૈશાખ સુદ દશમી ને દિવસે પામ્યા કેવલનાણજી બાર જોયણ એક રાતે ચાલ્યા, જાણી લાભ નિધાન સાંભલ / ૨ / અપાયા નયરીઈ આવ્યા મહસેનવન વિકસંતાજી ગણધરને વલી તીરથ થાપન, કરવાને ગુણવંતા સાંભલ | ૩ | ભુવનપતિ વ્યંતર વૈમાનિક જોતસી હરિ સમુદાયજી, વિસ બત્રીસ દશદોય મલીને એ ચૌસઠ કહેવાય સાંભલ || ૪ | ત્રિગડાની રચના કીધી સારી ત્રિદશપતિ અતિભારીજી મધ્યપીઠ ઉપર હિતકારી, બેઠા પર ઉપગારીજી સાંભલ | ૫ || ગુણ પાંત્રીશ સહિત પ્રભુ વાણી, નિસુણે છે સહુ પ્રાણીજી લોકાલોક પ્રકાશક નાણી વરસે છે ગુણખાણી | સાંભલ // ૬ . માલકોશ શુભ રાગ સમાજે જલધરની પરે ગાજજી આતપત્ર પ્રભુ શિર પર રાજે ભામંડલ છબી છાજે સાંભલ || ૭ || નીકિ રચના ત્રણે ગઢની પ્રભુના ચારે રૂપજી, વલી કેવલ કર્મની શોભા નિરખે સુર નર ભૂપ સાંભલ | ૮ || ૨૭૮ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ઇંદ્રભૂતિ આદે મિલીને જગન કરે ભૂદેવજી, વિદ્યા વેદ તણાં અભ્યાસી, અભિમાની અહમેવ સાંભલ | ૯ | જ્ઞાની આવ્યા નિસુણી બ્રાહ્મણ મનમેં ગર્વ ધરંતજી આવ્યો ત્રિગડે વાદ કરવા દીઠો જગજયવંત સાંભલ | ૧૦ || તત્કણ નામાદિક બોલાવે સલ્ય સહુને તાણીજી જીવાદિક સંદેહ નિવારી થાપ્યો ગણધર નાણી સાંભલ || ૧૧ ||. ત્રિપદી પામી પ્રભુ શિરનામી દ્વાદશાંગી સુવિચારીજી પદ છલાખ છત્રીશ સહસની રચના કીધી સારીજી સાંભલ ૧૨ // ચાલો તો જોવાને જઈયે વંદીજે જગવીરજી વલી પ્રણમીજે સોહમ પટધર ગૌતમ સ્વામી વજીર સાંભલ | ૧૩ / નિરખીને પ્રભુજીની મુદ્રા નરભવ સફલો કીજેજી પ્રભુજીના બહુમાન કરીને લાભ અનંતો લીજે સાંભલ | ૧૪ / વારે વારે કહું છું તોપણ તું તો મનમાં નાણેજી, માહરા મનમાં હુંશ અછતે કેવલજ્ઞાની જાણેજી સાંભલ | ૧૫ છે. સખી વયણે ઈમ થઈ જ ઉજમાલી ચાલી સઘલી બાલીજી નિસુણી દેશના આશાતના ટલી પ્રભુવાણી લટકાલી સાંભલ ! ૧૬ .. એણીપરે ત્રીશ વરસ કેવલથી બહુ નરનારી તારીજી ઈમ વધાવો ચોથો સુંદર દીપકહે સુખકારીજી સાંભલ / ૧૭ છે. ઢાલ પમી આદી જિનેસર વિનતીહમારી - એ દેશી કલ્યાણક પાંચમુ જિનનુંજી ગાવો હર્ષ અપાર છાલા, જગવલ્લભ પ્રભુના ગુણગાઈ સફલ કરો અવતાર વાહલા. શાસન નાયક તીરથ વંદો || ૧ ૧. ભૂદેવ = બ્રાહ્મણ વધાવા ૨૭૯ For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ જગજાચકને રે દાન દીયતા વિચરતા જગભાણ વાહલા મધ્યમ અપાયા નગરી પધાર્યા પ્રણમે પદ મહીરાણ વાલા || ૨ / શાસન પ્રભુઈ લાભાલાભ વિચારી અણપૂછયો ઉપદેશવાલા | ૩ | શાસન દીવાલી દિન મુક્તિ પધાર્યા પામ્યા પરમાનંદ વાલા અજર અમરપદ જ્ઞાનવિલાસી અક્ષય સુખનો કંદ વાલા // ૪ // શાસન એ પ્રકર્તા અકર્તા ભોક્તાં નિજગુણે વિલસતાજી દર્શન જ્ઞાન ચરણને વીરજ પ્રગટ્યા સાદી અનંત વાલા . પ . શાસન છે આકાશ અસંખ્ય પ્રદેશી તેહનો ગુણ છે અનંતવાલા એતો એક પ્રદેશે સાહિબ અનંતગુણે ભગવંત વાલા | ૬ | શાસન એ પ્રભુ ધ્યેય ને સેવક ધ્યાતા એહમાં ધ્યાન મિલાય વાલા ત્રિકર્ણ જોગે પૂર્ણતા પ્રગટે સેવક ઈમ સમજાય વાલા || ૭ || શાસન ગાવો પાંચમુ મોક્ષ વધાવો થાવો વીરજિસંદ વાલા શુભલેશ્વાઈ જગગુરુ ધ્યાને ટાલો ભવભય ફંદ વાલા // ૮ શાસન ઈમ પ્રભુ વીર તણાં કલ્યાણક પાંચે ભવોદધિ નાવ વાલા શ્રીવિજય લક્ષ્મીસુરીશ્વર રાજે, મેં ગાયા શુભભાવવાલા ||૯|ી શાસન શ્રીજિનગણધર આણારંગી કપૂરચંદ વિસરામ વાલા તસ આગ્રહથી હરખિત ચિત્તે ખંભાત નયર સુઠામવાલા ૧૦ શાસન પંડિત શ્રીગુરુ પ્રેમ પસાઈ ગાયો તીરથરાજ વાલા દિપવિજય કહે મુજને હોજો તીરથફલ માહારાજ વાલા | ૧૧ / શાસન ઈતિશ્રી મહાવીર સ્વામીના પાંચ વધાવા સંપૂર્ણ ૨૮O જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનો મહિમા શાસનની પ્રભાવનામાં “જ્ઞાન”નું નિમિત્ત મહત્ત્વનું છે. જ્ઞાનીની નિશ્રામાં વિધિપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવું, સત્સંગ | કરવો, પરિણામે જ્ઞાન વૃદ્ધિ અવશ્ય થાય. વિધિપૂર્વક જ્ઞાન પ્રાપ્તિ કરવાથી આત્માના જ્ઞાન ગુણનો વિકાસ વધુ ગતિશીલ બને છે. જ્ઞાની મહાત્માઓ જ્ઞાનોપાસનાની સાથે સ્વાધ્યાય કરીને આત્મરમણતા દ્વારા અલૌકિક આનંદની અનુભૂતિ કરે છે. જ્ઞાન પ્રાપ્તિમાં પ્રમાદ મહાન શત્ર છે. પ્રમાદ (આળસ)નો ત્યાગ કરે તો જ જ્ઞાન પ્રાપ્તિ સરળ બને છે. “પ્રથમ જ્ઞાન પછી દયા” એ આચારના પાલન માટે | જ્ઞાન પ્રાપ્તિ આવશ્યક છે. જડતા, મૂઢતા, અવિવેક, અવિનય, ઉદ્ધતાઈ જેવા આત્માના શત્રુઓનો નાશ કરવા માટે જ્ઞાન પ્રાપ્તિ એ રાજમાર્ગ છે. ચેતન જ્ઞાન અજુવાળીએ” વિધિપૂર્વક જ્ઞાન પંચમીની આરાધનાથી આત્માના જ્ઞાન-ગુણનો વિકાસ થાય છે અને આત્મકલ્યાણનો સાચો | માર્ગ પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ : નોંધ :) ૨૮૨ જ્ઞાનતીર્થની યાત્રા For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનતીર્થની યાત્રા તીર્થ યાત્રાનો મહિમા સુવિદિત છે, તેમ જ્ઞાન પણ , જાણવા-આદરવા યોગ્ય છે. જ્ઞાનતીર્થની યાત્રાનો મહિમા ઘેર બેઠાં ગંગા સમાન છે, ધર્મતીર્થ, ગુરુતીર્થ, જ્ઞાનતીર્થ અને માતા-પિતા તીર્થ સમાન છે. જ્ઞાનતીર્થનો લાક્ષણિક પરિચય કરાવે છે જૈન સાહિત્યના અપરિચિત કાવ્યપ્રકારો કડખો, ચંદ્રાયણિ, ધૂવઉ, જખડી, નવરસો, બારમાસા, ચૂનડી, ગરબી વગેરે કૃતિઓની સમીક્ષા દ્વારા પરિચય માહિતી આપવામાં આવી છે. અન્ય લેખો પણ જ્ઞાનતીર્થની યાત્રા સમાન છે. આ પુસ્તકને આધારે જૈન સાહિત્યના શ્રુતસાગરની અનેરી સફર કરવાની ભૂમિકા પૂરી પાડવામાં આવી છે. તીર્થયાત્રાની સફળતાનો પાયો જ્ઞાન છે. જ્ઞાનથી ધર્મતીર્થ, ગુરુતીર્થ અને માતા-પિતા એ તીર્થ સમાન સ્વીકારવાથી એમની કૃપાદૃષ્ટિનો અનન્ય લાભ પ્રાપ્ત થાય છે અને જીવનમાં શાંતિ સમૃદ્ધિનું સામ્રાજ્ય પ્રવર્તે છે. વ્યવહાર જ્ઞાનની યાત્રા મારા જીવનના વ્યવહારમાં જ ઉપયોગી-લાભકારક છે. જ્યારે જ્ઞાનતીર્થની યાત્રા લૌકિક અને લોકોત્તર એવું શાશ્વત સુખની સાથે આત્માને મુક્તિ અપાવે છે. For Personal & Private Use Only