SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગાનુસારી ૩૫ બોલ (ગુણ) (૧) ન્યાય સંપન્ન વિભવ : ન્યાયથી ધન મેળવવું. સ્વામિદ્રોહ કરીને, મિત્રદ્રોહ કરીને, વિશ્વાસીને ઠગીને, ચોરી કરીને, થાપણ ઓળવીને વગેરે નિંદવા યોગ્ય કામ કરીને ધન મેળવવું નહિ. (૨) શિષ્ટાચાર પ્રશંસા-ઉત્તમ પુરૂષોના આચરણને વખાણવા. (૩) સરખા કુળાચારવાળા પણ અન્ય ગોત્રી સાથે વિવાહ કરવો. (૪) પાપના કામથી ડરવું. (૫) પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. (૬) કોઈનો અવર્ણવાદ બોલવો નહિ – કોઈની નિંદા કરવી નહિ. (૭) જે ઘરમાં પેસવા-નીકળવાના અનેક રસ્તા ન હોય તથા જે ઘર અતિ ગુપ્ત અને અતિ પ્રગટ ન હોય અને પડોશી સારા હોય તેવા સારા ઘરમાં રહેવું. (૮) સાચા આચારવાળા પુરૂષોની સોબત કરવી. (૯) માતા તથા પિતાની સેવા કરવી – તેમનો સર્વ રીતે વિનય સાચવવો અને તેમને પ્રસન્ન રાખવા. (૧૦) ઉપદ્રવવાળા સ્થાનકનો ત્યાગ કરવો-લડાઈ, દુષ્કાળ અને અડચણવાળાં ઠેકાણાં છોડવાં. (૧૧) નિંદિત કામમાં ન પ્રવર્તવું – નિંદવા યોગ્ય કાર્યો છોડવાં. (૧૨) આવક પ્રમાણે ખર્ચ કરવું - કમાણી પ્રમાણે ખર્ચ કરવું. (૧૩) દેશને અનુસરતો વેષ રાખવો – પેદાશ પ્રમાણે પોશાક રાખવો. (૧૪) આઠ પ્રકારની બુદ્ધિના ગુણને સેવવા તે આઠ ગુણોનાં નામ - ૨૨૬ શાનતીર્થની યાત્રા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005519
Book TitleGyan Tirthni Yatra
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy