________________
(ગરબી-૧) શ્રી મહાવીર પ્રભુની ગરબી હાલી સખીઓ આજે મહાવીર પ્રભુને ગાઈએ રે, ખાતાં હરતાં ફરતાં મહાવીર પ્રભુને ધ્યાઈએ રે; જેથી પ્રગટે પરમાનન્દ ખરો નિર્ધાર, આતમમાં જિન શાસન જીવંતુ નિર્ધાર. એવા જૈન ધર્મને આતમમાં પ્રગટાવીએ રે.
ત્રિશલા નંદન જગધણી, નિરાકાર સાકાર; અનન્ત શક્તિમય પ્રભુ, તીર્થકર અવતાર. ભારત દેશ ઉદ્ધાર્યો દુઃખ દુર્ગુણ સર્વે હરીરે, દીધા સદુપદેશો ભારતમાં સઘળે ફરીરે, કિધા ઉપકારો વર્ણવતાં નાવેપાર, માટે ધન્ય ધન્ય મહાવીર પ્રભુ અવતાર. વ્હાલી. ૧
સાખી
દર્શન જ્ઞાન ચારિત્રને, વીર્ય અનન્ત અપાર; આતમરૂપ જણાવિયું, જિનશાસન જયકાર. આતમ શક્તિયોને જૈનધર્મ સમજાવીયો રે, નથી જ્યાં નાતિ જાતિનો ભેદ જરા નિર્ધાર. એવો દ્રવ્યભાવથી પ્રભુ ધર્મ દિલ ભાવિયો રે. વ્હાલી. ૨
સાખી આતમ તે જૈનધર્મ છે, સત્યરૂપ છે એહ; પરમાત્મપદ હેતુઓ, જૈનધર્મ છે તેહ. એવો જૈનધર્મ જગમાં સહુ જીવોમાં રહ્યો રે, સત્તાએ તે પ્રગટપણે કરવા નિર્ધાર. મહાવીર પ્રભુએ સર્વજ્ઞ જગમાં સાચો કહ્યો રે. વ્હાલી. ૩
ગરબી
૨૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org