SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ - પ્રણય અને માનવ ચિત્તના ભાવોનું ભાવવાહી નિરૂપણ થયું છે. ત્યાર પછી રાજુલના વૈરાગ્ય અને સંયમનો ઉલ્લેખ કરીને મોક્ષ પ્રાપ્તિનો પરંપરાગત વિચાર વ્યક્ત થયો છે. કવિના શબ્દો છે – આ પીયુ ચાલ્યો ગિ૨ના૨, મુજને છોડીરે. આ શીવરમણીશું રંગ, પ્રીત ઈણે જોડી૨. આ ખોટી જગમાંહે પ્રીત, જે નર કરશે રે થિર નહીં જગ માંહે કોય, સુકૃત હરજો રે ॥ ૨ ॥ પામી તે મન વૈરાગ સંયમ લીધું રે આ રાજુલ સતી ગુણ જાણ, કારજ કીધું રે. ॥ ૩ ॥ અંતે કવિએ બારમાસાના રચના સમયની માહિતી આપી છે. પોરબંદર ચોમાસા સંવત ૧૭૯૫માં હર્ષોલ્લાસ સાથે બારમાસાની રચના કરીને નેમ-રાજુલનાં ગુણગાન ગાયા છે. કવિએ ચૈત્ર થી ફાગણ એમ બારમાસાનો ક્રમ દર્શાવીને રાજુલની મનોવ્યથાનું નિરૂપણ કર્યું છે. અષાઢ માસ વિશે કવિની પંક્તિઓ જોઈએ તો - અષાઢે તે વરસે મેહ, બાદલ છાયા રે. જળ જળ જબુકે વીજ, તુજ મહીં માયા રે. ॥ ૧ ॥ દેખ તે મંદિર સેજ વાલા ઘણું પૂરે રે કોઈ મિલાવે ખંત, માહારા સંગ પૂરે રે. ॥ ૨ ॥ રાખ્યું ન રહે તન્ન, જેહવો રંગ પતંગ, બારમાસા - કાવ્યોની સમીક્ષા Jain Education International આખર જાશે રે, તિમ એ ધારો રે ॥ ૩ ॥ For Personal & Private Use Only ૧૬૯ www.jainelibrary.org
SR No.005519
Book TitleGyan Tirthni Yatra
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy