SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ હેમ નવરસો નવરસો સંજ્ઞાવાચક કૃતિઓ વિશેષતઃ નેમનાથ ભગવાન અને સ્થૂલિભદ્રના પ્રસંગોને કેન્દ્રમાં રાખીને રચાઈ છે. તેમાંથી મતવાળા ભીખમજીની પરંપરામાં રાયચંદજીના શિષ્ય જીતમલે હેમ નવરસોની રચના સંવત ૧૮૬૦માં કરી છે. આ કૃતિ ચરિત્રાત્મક છે એટલે શબ્દાર્થથી વિચારતાં સાહિત્યની નવરસોનો કોઈ સંદર્ભનથી. પણ જૈન સાહિત્યના ચરિત્રાત્મક કૃતિઓનું જ અનુસરણ થયું છે. વિવાહલો સ્વરૂપની કેટલીક કૃતિઓમાં દીક્ષા પ્રસંગનું વર્ણન હોય છે. તેવી રીતે આ નવરસોમાં હેમકુમારના જન્મથી દીક્ષા-આરાધના અને સ્વર્ગારોહણના વિવિધ પ્રસંગોનું હિન્દી ભાષામાં નિરૂપણ થયું છે. જૈને વિશ્વભારતી - લાડનૂ (રાજ.)થી જિતમલ લિખિત હેમ નવરસોની કૃતિ પ્રાપ્ત થઈ છે. હેમ નવરસોની હસ્તપ્રતનું લિપિકરણ કરીને તેનું સંપાદનકાર્ય શ્રુતપ્રેમી શ્રી મહાલચન્દ્ર બધેઈએ કર્યું છે. ત્યાર પછી ઓસવાલ પ્રેસ, કલકત્તા ૭ થી તેનું પ્રકાશન વીર નિર્વાણ સં. ૨૪૮૭ના રોજ થયું છે. કવિએ નવ ઢાળમાં હેમકુમારના જીવનનું વર્ણન કર્યું છે. નવમી ઢાળમાં રચનાનો ઉદ્દેશ - સમય - સ્થળ અને કવિનું નામ વગેરે વિગતોનો ઉલ્લેખ થયો છે. જ્ઞાનતીર્થની યાત્રા ૧૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005519
Book TitleGyan Tirthni Yatra
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy