SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર લખાવી ત્રાંબા તણા દીન-હીન લેઈ રાંકજાણા જે આવીને માંડે હાથ તેહને આપે હાથો હાથ // ૧૭ || પાટણના રાજા વીસલદેવના સમયમાં સંવત ૧૨૧પમાં દુષ્કાળ પડ્યો ત્યારે જગડૂશાએ ધાન્ય આપીને લોકોને સંતોષ-સહાય કરી હતી. વીસલદેવ જગડૂશાને કહે છે કે તમે દાનવીર તરીકેનું બિરુદ ધરાવો છો તો પ્રજાને અન્ન આપી બિરૂદ ચરિતાર્થ કરો. જગડૂશા રાજાને કહે છે કે – જગડૂ કહે કોઠારે ઘણાં ધાન્ય ભર્યા છે અન્નતણાં વિસલદેવ એ મહાન–વડો ભિખારી છે. આજે આ દુષ્કાળથી આવી સ્થિતિ આવી છે અને અન્ન માગવું પડે છે. મારી ઈચ્છા પૂર્ણ કરો. વીસલદેવની માગણી પૂર્ણ થાય છે. જગડૂશા રાજાની માગણી પૂર્ણ કરે છે. કવિના શબ્દોમાં આ માહિતી જોઈએ તો - “આઠ સહસ્ત્ર મૂડા દેવરાય” મૂડા - એટલે ૫૦ મણ અન્ન. હમીર રાજા પણ બાર હજાર મૂડા આપે છે એમ માલવપતિ મુંજ રાજાએ ૧૮ હજાર મૂડા, જગડૂશાહે આ રીતે અન્નનો ધોધ વરસાવ્યો હતો. ત્યાર પછી એમનાં સુકૃત જોઈએ તો - શત્રુંજય ગિરનારે વહી દાન શાળાઓ બંધાવી સહી, ચારે ખંભ માંહે જગડૂશાહ પુણ્ય લીયે લખમીનો લાહ // રર || જગડૂશાની દાનવીરતા - માનવતાના સુકૃત કવિ કલ્પના કરતાં જણાવે છે કે - જગડૂશાહનો કડખો ૧૩૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005519
Book TitleGyan Tirthni Yatra
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy