SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ લેખો રચાયા છે. લઘુલેખ માટે વિજ્ઞપ્તિકા-વિજ્ઞપ્તિ પત્રમ્ શબ્દ પ્રયોગ થયો છે. પત્ર શૈલી મધ્યકાલીન લેખ રચનાની સાથે સામ્ય ધરાવે છે. પત્રના શીર્ષક ઉપરથી લેખના વિસ્તારનો ખ્યાલ આવે છે. મહાલેખમ્ - વિસ્તારવાળો લેખ. વિજ્ઞપ્તિકા લઘુ લેખ. વિજ્ઞપ્તિપત્રમ્ – લઘુ લેખ - પત્રલેખન શૈલીનો નમૂનો છે. - પં.ધ્યાસિંહે ખરતર ગચ્છના પૂ.આચાર્ય જિનગુણસૂરિને પત્ર લખ્યો હતો તેને વિજ્ઞપ્તિકા સંજ્ઞા આપવામાં આવી છે. શ્રી મહોપાધ્યાય કીર્તિવિજયજીએ તપાગચ્છના આચાર્ય વિજયસેનસૂરિને સંસ્કૃતમાં પત્ર લખ્યો હતો તેને ‘વિજ્ઞપ્તિ પત્રિકા' સંજ્ઞા આપવામાં આવી છે. પં. લાભવિજયજીએ તપોગણપતિશ્રી વિજયપ્રભસૂરિને પત્ર લખ્યો હતો તેમાં વિજ્ઞપ્તિ લેખ શબ્દપ્રયોગ થયો છે. આ રીતે જૈન સાહિત્યના મધ્યકાળમાં વિજ્ઞપ્તિ પત્રોની માહિતી મળે છે. પૂ. ગુરુભગવંતોનું સંસ્કૃત ભાષાનું જ્ઞાન ઉચ્ચ કોટિનું હતું તેનો પરિચય થાય છે. વિશેષ માહિતી માટે મૂળ પુસ્તકનું અધ્યયન આવશ્યક છે. સંદર્ભ : - • વિજ્ઞપ્તિ લેખ સંગ્રહ – પ્રકાશકશ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ – પાટણ (ઉ.ગુ.) મધ્યકાલીન સમયમાં ગુજરાતી ભાષામાં ગદ્ય-પદ્ય સ્વરૂપમાં પત્રો લખાયા છે. તેના ઉદાહરણો જૈન સાહિત્ય સંશોધકમાં ૨૪૮ પ્રગટ થયેલ ઉજ્જયિના સંઘનું વિનંતી પત્રની ટૂંકી વિગત આપવામાં આવી છે. Jain Education International For Personal & Private Use Only જ્ઞાનતીર્થની યાત્રા www.jainelibrary.org
SR No.005519
Book TitleGyan Tirthni Yatra
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy