________________
ઈન્દ્રના સંશયનો પ્રત્યુત્તર આપતી કડી પ્રભુની શક્તિનો પરિચય આપે છે. સ્નાત્ર મહોત્સવ કરીને પ્રભુ માતાને સોપે છે. પ્રભુના જન્મની વધાઈનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે –
પુત્ર વધાઈ નિસુણી રાજા, પંચ શબ્દ વજડાવે વાજાં, નિજપરિવાર સંતોષી વારુ વર્ધમાન નામ ઠવે ઉદારુ.
બીજે | ૧૦ || પ્રભુના ગૃહસ્થાવાસનો એક જ કડીમાં ઉલ્લેખ કર્યો છે. અનુક્રમે જોબન વય જબ પાવે, નૃપતિ રાજપુત્રી પરણાવે. ભોગવી સંસારી ભોગ, દીપ કહે મન પ્રગટ્યો જોગ.
બીજે | ૧૧ ત્રીજો વધાવો પ્રભુના દીક્ષા કલ્યાણકનો છે. લોકાંતિક દેવો પ્રભુને સંયમધર્મ માટે વિનંતી કરે છે. પ્રભુ સંવત્સરી દાન આપીને સંયમ સ્વીકારે છે. કવિના શબ્દોમાં આ માહિતી નીચે પ્રમાણે છે. પ્રભુને એમ સુણાવે.
લોકાંતિક સુર અમૃતવયણે, બુઝ બુઝ જગનાયક લાયક, ઈમ કહીને સમજાયે.
સહી તુમે / ૨ / સંયમ. એક ફ્રોડને આઠ લાખનું દીન પ્રતે દીયે દાન. ઈણી પરે સંવત્સર લગે લઈને, દીન વધારે વાન
સહી તુમે | ૩ | સંયમ. પ્રભુને પાલખીમાં પધરાવીને દીક્ષા કલ્યાણકનો ભવ્યાતિભવ્ય વરઘોડો નીકળે છે.
સુરગણને નરગણ સમુદાય દીક્ષાને સંચરીયા, માતા ધાવ કહે શીખામણ, સુણ ત્રિશલા નાનડીયા
સહી તુમે. / ૬ / સંયમ.
જ્ઞાનતીર્થની યાત્રા
૨૬૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org