SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. શરીરની રચનાનો વિચાર કરીએ તો તેમાં હાડકાં, માંસ, લોહી, પરૂ, મળ, મૂત્ર, શ્લેષ્મ વગેરે ગંદકીથી ભરપુર પદાર્થોનો સમન્વય થયો છે. આ પૌગલિક અશુચિમય શરીરની રચનાનો વિચાર એટલે બારભાવનામાં અશુચિ ભાવના છે તેના વિચારો એ બીભત્સ રસ તરીકે ગણાય છે. આ રસને કારણે શરીરનો રાગ દૂર થતાં વૈરાગ્ય ભાવની વૃદ્ધિ થાય છે અને આત્મા સ્વમાં લીન બને છે. ૭. આત્મા પોતાનું મૂળ સ્વરૂપ સિદ્ધ-બુદ્ધ કર્મરહિત સ્વરૂપને પામે નહિ અને જન્મ-જરા મરણ આદિથી પારાવાર દુઃખ ભોગવે છે. આત્માની આવી દુર્દશા થાય છે ત્યાં સુધીની સ્થિતિ એ ભયાનક રસ. ૮. આત્માની અનંત શક્તિ છે તેનું ચિંતન કે વિચારણા કે અભુત રસ છે. શરીરની શક્તિ મર્યાદિત અને નાશવંત છે. જ્યારે આત્માની શક્તિ અનંત-અપરંપાર છે. આ વિચારણા કરવામાં અદ્ભુત રસ રહેલો છે. ૯. રાગ-દ્વેષ રૂપી મહાન શત્રુઓનો નાશ કરીને દઢ વૈરાગ્યને ધારણ કરવો તે શાંતરસ કહેવાય છે. કર્મબંધ અને ભવ ભ્રમણના કારણરૂપ રાગદ્વેષ છે એટલે રાગ-દ્વેષ રહિત થવાની ભાવના અને ધર્મ પ્રવૃત્તિમાં શાંતરસનું સ્થાન છે. આ રીતે નવરસનું અર્થઘટન “આત્માને કેન્દ્રમાં રાખીને દર્શાવવામાં આવ્યું છે. શાંતરસ વિશે લઘુ શાંતિ સૂત્રના વિવેચનમાં માહિતી પ્રાપ્ત થાય છે. શાંતિનાથ ભગવાન શાંતરસયુક્ત છે. ઉપશમરસમાં નિમગ્ન, સત્વ, રજસ અને તમસ્ એ ત્રણ ગુણોથી અતીત હોય એટલે કે પર હોય તે શાંત કહેવાય છે. न यत्र दुःखं न सुखं न चिंता, न द्वेषरागो न च काचितिच्छा। __रसः स शान्त कथितो मुनीद्रैः, सर्वेषु भावेषु शमः प्रमाणः॥ ૧૨૮ જ્ઞાનતીર્થની યાત્રા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005519
Book TitleGyan Tirthni Yatra
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy