SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે રજૂ કરવાની, કથાપ્રસંગથી પ્રોત્સાહિત કરવાની તેઓશ્રીમાં અજોડ શક્તિ હતી. - પૂજ્યશ્રીમાં આવી અનેકવિધ આત્મશક્તિ નિહાળી સં.૨૦૧૪માં પૂનામાં ગણિ પદે તથા ઘાટકોપર-મુંબઈમાં પંન્યાસ પદપર વિભૂષિત કરવામાં આવ્યા. તે દરમિયાન ઉપધાન, દીક્ષા, પ્રતિષ્ઠા, સામૂહિક તપશ્ચર્યાઓ આદિ ધર્મકાર્યો વિપુલ સંખ્યામાં થયાં. જન્મભૂમિ સુરતમાં તેઓશ્રીને ઉપાધ્યાયપદપર અલંકૃત કરવામાં આવ્યા. ત્યારબાદ શાસનનાં અનેકવિધ કાર્યો કરવાની તેઓશ્રીની અમોઘ શક્તિને તથા સૂરિપદ માટેની પ્રૌઢતા અને યોગ્યતા જાણીને સં. ૨૦૦૯ના માગશર સુદ બીજને શુભ દિને સુરેન્દ્રનગર મુકામે તેઓને આચાર્યપદે વિરાજિત કરવામાં આવ્યા. તેઓના સંયમ સ્વીકારતાં જ તેઓશ્રીનાં પગલે પગલે તેમના સંસારી વડીલબંધુ શ્રી અમરચંદભાઈ તે મુનિશ્રી અશોકચંદ્રવિજયજી, (સં. ૨૦૦૭માં) સંસારી પિતાશ્રી ચિમનભાઈ તે મુનિશ્રી પ્રસન્નચંદ્રવિજયજી, (સં. ૨૦૧૪માં) સંસારી વડીલબંધુશ્રી શાંતિભાઈ તથા જયંતિભાઈ મુનિ સંવેગચંદ્રવિજયજી તથા નિર્વેદચંદ્રવિજયજી તેમજ શાંતિભાઈના સુપુત્ર હેમંતકુમાર તે મુ.શ્રી સોમચંદ્રવિજયજી, (સં. ૨૦૨૫માં) અને સુપુત્રી કુ. નયનાબહેન તે સાધ્વીશ્રી યશસ્વિનશ્રીજી તથા ભાભી વીરમતીબેન સા.શ્રી ઉપશાંતશ્રીજી તરીકે ચારિત્ર્યધારી બન્યાં. પૂ. આચાર્ય મહારાજના વરદ્હસ્તે અનેક સ્થાનોએ અંજનશલાકા-પ્રતિષ્ઠાના મહોત્સવો પ્રભાવનાપૂર્વક ઊજવાયા, જેમાં મુંબઈ-માટુંગા, વાલકેશ્વર (આદીશ્વર), ભાયખલા, અમદાવાદસાબરમતી, ગિરધરનગર, સુરત-શાહપુર, રાંદેર રોડ, સૂરજમંડન ૩૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005519
Book TitleGyan Tirthni Yatra
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy