Book Title: Barsasutra
Author(s): Vikramsenvijayji
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur
Catalog link: https://jainqq.org/explore/600026/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ I sansol શાસકaufi Pણી સેનગclીરમા#િ1ને બ017 | II ગણઘર ગણી શી શીદાસ રતાળિૉ હી21: II !| III (31tfallt143 015ી રેdયો bla1; II 1 શ્રુતકેવલિ શ્રી ભદ્રબાહસ્વામિ વિરચિત . Tri 5શ્રી બારણારાશ 1 . ગુજરાતી અનુવાદ સહ સચિત્ર પ્રભુચરિત્ર , શdiાશિષ : 36કારતીર્થ માર્ગદર્શક પ.પૂ. આચાર્ય શ્રીમવિજયપણ્યાકાંદસૂરીશ્વરજી મ.સા. e : સપાર્ક : Re : ગંદા પ્રેરિકા : ૫. હિion o|| વિકસેoad જયજી 41.સા. પ. સાદollણય ઉદયuditelીજી 21.સા. પ્રકાશક: શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ-શાહપુરી, કોલ્હાપુર હીની નદીના નિતિન વિક For drives Perminat se Only Page #2 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. આ. શ્રી વિજયાનંદસૂરિજી મ. . તારમાં થી ગુરવે ના: પ.પૂ. આ. શ્રી કેસરસૂરિજી મ. - પ. પૂ. આ. શ્રી કમલસૂરિજી મ. પ.પૂમ, શ્રી લબ્ધિસૂરિજી મ. = પ.પૂ. આ. શ્રી ચંદ્રસૂરિજી મ. જે ૫.પૂ.આ. શ્રી પ્રભવચંદ્રસૂરિજી મ. ક a પ.પૂ . શ્રી ભુવનરn સૂરિજી મ. પ. આ. કરી અવનતિલક સૂરિજી મ પ. પૂ. બા. શ્રી હેમખેમ સૂરિજી મ. - શ્રી મકરસૂરિજી ) For Private & Personal use only in Education Intematon Page #3 -------------------------------------------------------------------------- ________________ // union શાસનપતિ શી 21ણપીરસવા2િ1ો 6181: | ટ | 27 | © | | ગણઘર dietan શ્રી ગૌ11સ્થાતિioો 181; / 30/12/ | || પૂ. લબ્ધિ -(disonતલક-(hદ્રકરસરીશરેહયો છine | 2 શ્રુતકેવલિ શ્રી ભદ્રબાહસ્વામિ વિરચિત ! | થી બારસારા નાના નાકે દમમrict 2 th re, સમાજના 1 ગુજરાતી અનુવાદ સહ સચિત્ર પ્રભુચરિત્ર, શુdiાશિષ : પ.પૂ. ૐકારતીર્થ નાàદર્શક આચાર્ય શ્રીમદ્વિજયપુણ્યાdiઇસૂરીશ્વરજી મ.સા. : સંપાદ્ધ ; : વ્યથ પ્રેરિકા ; ૫. નવિર્ય શ્રી વિકાસેનવિજયજી મ.સા. ૫. સાદAીવર્યા ઉધ્યપ્રdiાશ્રીજી મ.સા. ને પ્રકાશક : શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ-શાહપુરી, કોલ્હાપુર | ય T Page #4 -------------------------------------------------------------------------- ________________ - ર જન આર. I-ખાકાર કરવાના શ્રી શાંતિનાથ જિનાલય - શાહપુરી-કોલ્હાપુર શ્રી કોલ્હાપુર-શાહપુરી મંડણ - શ્રી શાંતિનાથ પ્રભુ Page #5 -------------------------------------------------------------------------- ________________ કિચિત કે આ મહાન ગ્રંથ એટલે આનું વર્ણન મુખમાં ૧ જીભ હોય અને જે વર્ણન થાય તે તો સામાન્ય કહેવાય પણ મુખમાં એક હજાર જીભ થઈ જાય અને વર્ણન કરીયે તો પણ ઓછું પડે તેવા મહાન ગ્રંથનું સંપાદન કરવાની પ્રેરણા તપસ્વી સાધ્વીવર્યા | વિનયપ્રભાશ્રીના શિષ્યા સાધ્વી ઉદયપ્રભાશ્રીજીએ કરી તો આ કાર્ય કરવાનો ઉત્સાહ જાગ્યો સાથે સાથે પૂ. ગુરૂદેવ કર્ણાટકકેસરી છે આચાર્યભગવંત શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા.ના દિવ્યાશિષ અને પૂ. 3ૐકારતીર્થમાર્ગદર્શક આચાર્યદેવ શ્રીમદ્વિજય છે પુણ્યાનંદસૂરીશ્વરજી મ.સા.ના શુભાશિષ દ્વારા આ કાર્ય સફળતાએ પહોચ્યું. જો આ ગ્રંથ વર્ષો પહેલા પૂરવ. આગમપ્રભાકર પુણ્યવિજયજી મહારાજે ગુજરાતી ભાષાંતર સંપાદિત કરેલ તે જ અક્ષરેઅક્ષર લીધેલ છે. ત્યાર બાદ શ્રી સારાભાઈ મણિલાલ નવાબ દ્વારા પ્રાચિન હસ્તલિખિત કલ્પસૂત્રો પરથી ફોટાઓ દ્વારા સંપાદિત થઈ પ્રગટ થયેલ તે આજે ઉપલબ્ધ નથી, માટે જ આ ગ્રંથમાં પ્રભુ મહાવીર સ્વામી આદિના વિવિધ ફોટોગ્રાફી કરી લે છે નવીનીકરણ કરેલ છે. પ.પૂ.આ. યશોદેવસૂરિ મ.સા. દ્વારા સંપાદિત ચિત્રસંપૂટ, પ.પૂ. આ. પુર્ણાનંદસૂરિ મ.સા. દ્વારા * વાત કે ? A કા જો \'\' કરી શકો છો પણ કરવા Page #6 -------------------------------------------------------------------------- ________________ ( સંપાદિત કલ્પસૂત્ર, તથા પ.પૂ.આ. જગવલ્લભસૂ. મ.ના કલ્પસૂત્ર ફોટોદર્શનમાંથી ફોટોગ્રાફી કરેલ છે. તે ઘણા જ ઉપયોગી પત થયેલ તે બદલ તેઓશ્રીના ચરણે વંદના, ચિત્રકાર વિજય શ્રીમાળી-અમદાવાદના પણ ચિત્રો લીધેલ છે. સાથે વાંચનમાં સરળતા પર રહે માટે મોટા બ્લેક ટાઈપ લીધેલ છે. સંવત્સરિ દિને સભાસમક્ષ વાંચનમાં સુગમતા રહે તે હેતુથી શ્રી શાહપુરી જૈન સંઘ તથા છે. શ્રાવિકા સંઘે જ્ઞાનદ્રવ્યનું દાન કરી ગ્રંથ પ્રકાશન કરાવી પુણ્યના સહભાગી બનેલ છે તે ખરેખર પ્રશંસનીય છે. જિનાજ્ઞાવિરુદ્ધ | મતિદોષથી કંઈ ક્ષતિ રહી હોય તો મિચ્છામિ દુક્કડમ્... 0 ગ્રંથને કલાયુક્ત-ડીઝાઈનથી સુશોભિત કરવા સહ ફોટોગ્રાફી ફોરકલરમાં પ્રીન્ટીંગ કરવામાં નેહજ એન્ટરપ્રાઈઝ - જયેશભાઈ શાહ તથા સ્ટાફે જલ્દીથી કાર્ય કરી આપેલ બદલ ધન્યવાદ. -મુનિ વિક્રમસેન વિ. કોલ્હાપુર . પર + ૦ = લી. - Sા મા - tી , S S S ના ક ર , Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રથમાવૃત્તિમાંથી પ્રકાશકનું નિવેદન... | શ્રી જૈન કલા સાહિત્ય સંશોધન સીરીઝના ૧૬ મા પુષ્પ તરીકે (જીરા) પંજાબના (જેસલમેર) રાજસ્થાનના અને ગુજરાતના મુખ્ય મુખ્ય શહેરોમાં આવેલા જૈનગ્રંથભંડારોમાં સચવાઈ રહેલી કલ્પસૂત્રોની તાડપત્રની તથા કાગળની સુવર્ણાક્ષરી હસ્તપ્રતોમાંનાં અમૂલ્ય ચિત્રોની ચૂંટણી કરીને આ પવિત્ર ગ્રંથરત્ન જાહેર જનતા સમક્ષ મૂકવા જો હું ભાગ્યશાળી થયો હોઉં તો તેનો મુખ્ય યશ તે તે ભંડારો આજસુધી જાળવી રાખીને તેનો છૂટથી ઉપયોગ કરવા માટે મને અનુમતિ આપનાર તે તે મુનિ મહારાજોને તથા વહીવટદારોને ઘટે છે. એકંદરે આ એક જ ચિત્રો પોથીમાં તેરમા સૈકાથી શરુ કરીને ઓગણીસમાં સૈકા સુધીની ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકલાના સુંદર નમૂનાઓ જૂદી જૂદી ૨૭ હસ્તપ્રતોમાંથી રજૂ કરવામાં આવેલા છે. આ ગ્રંથ છપાતો હતો તે દરમ્યાન સ્વર્ગસ્થ વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ પૂજ્ય શ્રીનંદનસૂરીશ્વરજીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા, અને આવા અમૂલ્ય પ્રકાશનની જરૂરિયાત પણ હોવાનું તેઓએ | કહ્યું હતું. અને મારા આ ઉત્તમ કાર્યમાં આગળ વધવા સુભાશિષ પણ આપી હતી. તેની હું નોંધ લેવાનું યોગ્ય માનું છું. આ પ્રકાશનને મૂર્ત સ્વરૂપ આપવાનું સૂચન આજથી બાર વરસ ઊપર સ્વર્ગસ્થ આગમપ્રભાકર શ્રીપુણ્યવિજયજીએ મને અમદાવાદના પર લુણાવાડાની પોળના ઉપાશ્રયે કર્યું હતું. પ્રસ્તુત પ્રકાશનના શરૂઆતના ૧૬ પાનાં છપાઈ ગયા પછી, નમસ્કાર મહામંત્રના પરમ ઉપાસક અને મારા પરમ ઉપકારી ગુરૂદેવ પંન્યાસજી શ્રી અભયસાગરજીએ પ્રતના પાને પાને પ્રસિદ્ધ કરેલ સંગીત અને નાટ્યશાસ્ત્રનાં રૂપોને બીજા રંગમાં છાપવાથી ગ્રંથની મહત્તા વધશે; એવું સૂચન મને અમદાવાદના ખાનપુરમાં આવેલા શેઠ માણેકલાલ મનસુખભાઈના જૈન ઉપાશ્રયમાં કરવાથી જ, આ પ્રકાશન Page #8 -------------------------------------------------------------------------- ________________ શા છે : આમ આવી સુંદર રીતે હું રજૂ કરી શક્યો છું, તે માટે સ્વર્ગસ્થ આગમપ્રભાકરશ્રી કે જેઓએ આ ગ્રંથ તૈયાર કરવાની પ્રેરણા આપી હતી, અને મોટા ભાગની હસ્તપ્રતો તેઓશ્રીના સહકાર વિના મેળવવી મારા માટે અશકય જ હતી, તેથી તેઓશ્રીનો જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. વળી, મારા આ પ્રકાશનમાં કીમતી સૂચનાઓ આપવા માટે અને હાલમાં છપાઈ રહેલ પડાવશ્યક સૂત્ર ૧૪૭ ચિત્રો સહિત ગ્રંથ પ્રસિદ્ધ કરવા માટે વારંવાર પ્રેરણા આપનાર મારા પરમોપકારી ગુરૂદેવ શ્રી અભયસાગરજીનો પણ હું અત્યંત ઋણી છું. આ આખો ગ્રંથ અથથી ઇતિ સુધી આવી સુંદર રીતે છાપીને તૈયાર કરવાનું સમસ્ત કામ દીપક પ્રિન્ટરીમાં કરવામાં આવેલું છે, તે માટે તેના માલિક જયંતીલાલ રાવત અને ભાઈ કીરીટ રાવતની સતત દેખરેખને લીધે જ આ સુંદર પ્રકાશન તૈયાર થએલ છે. પ્રાંતે આ પ્રકાશનમાં આપેલું ગુજરાતી ભાષાંતર, સ્વર્ગસ્થ આગમપ્રભાકરશ્રી સંપાદિત અને મારા તરફથી પ્રસિદ્ધ થએલ પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથ પરથી લેવામાં આવેલ છે, તે તરફ વાંચકોનું લક્ષ દોરું છું. શ્રાવણ સુદી ૮ ને મંગળવાર ૨૦૩૨, તા. ૩-૮-૧૯૭૬ સારાભાઈ મણિલાલ નવાબ પદ્માવતી એસ્ટેટ, દરિયામહેલ, મ્યુનિસિપલ કોર્પોરેશન સામે, સૂરત-૧. (૩૯૫૦૦૧) ' / મી / X કે કે જો સારી આ જ મસજાવવામાં કે ૧૧ વાવ છે Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય... પૂજ્યો દ્વારા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં સંવત્સરીના પવિત્ર દિને વાંચવામાં આવનાર પવિત્ર ગ્રંથ પ્રકાશિત કરવાનો લાભ અમારા શાહુપુરી સંઘને પ્રાપ્ત થયો જેથી અમારો સંઘ ઘણીજ ધન્યતા અનુભવે છે. આ ગ્રંથનું સંપાદક મુનિવર વિક્રમસેન વિ.મ. કરી આપેલ છે તે અભિનંદનીય છે. અમારા સંઘના પરમ પુણ્યોદયે ચાલુ સાલે સં. ૨૦૫૩ ના પૂ. લબ્ધિ-ભુવન-ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન શાંતમૂર્તિ-સૂરિમંત્ર સમારાધક આચાર્યદેવ શ્રીમદ્વિજય પુણ્યાનંદસૂરીશ્વરજી મ.સા. પ્રવચનકાર પંન્યાસ શ્રી મહાસેનવિજયજી મ.સા., અમારા સંઘના જ્ઞાનદાતા (સંસારીઅધ્યાપક શ્રી સુરેન્દ્રભાઈ) પૂ. મુનિરાજ શ્રી સંયમસેનવિજયજી મ.સા. આદિ થાણા-૭ તથા અમારા શાહુપુરી સંઘના રત્ન સમાન પૂ.સા. વિનયપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ. સાધ્વીવર્યા શ્રી ઉદયપ્રભાશ્રીજી આદિ ઠાણા-૫ ના ચાર્તુમાસનો અમોને લાભ પ્રાપ્ત થયો ચાર્તુમાસ ઘણુંજ આરાધનામય અને પ્રેરણામય બન્યું, આ પૂર્વે પણ ઘણાજ મહાત્માઓની અમારા શ્રી સંઘ પર કૃપા વરસેલ છે. તેઓશ્રીના ચાર્તુમાસનો લાભ પણ અમારા સંઘને પ્રાપ્ત થયેલ છે. અને સંઘમાં ધર્મભાવનાઓ દૃઢ થવા પામેલ છે અમારા પર કૃપા વરસાવી ચાર્તુમાસ કરનાર મહાત્માઓ ૭ ૫.પૂ. ધર્મદિવાકર આચાર્યદેવ શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મ. સા. ૭ ૫.પૂ. પંન્યાસપ્રવર ચરણવિજયજી ગણિવર ૭ ૫.પૂ. આચાર્યદેવ શ્રી વિબુધપ્રભસૂરીશ્વરજી મ.સા. Page #10 -------------------------------------------------------------------------- ________________ દી • પ.પૂ. આચાર્યદેવ શ્રી ધર્મજિસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. આચાર્યદેવ જયશેખરસૂરીશ્વરજી મ. સા. • પ.પૂ. વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. છે પ.પૂ. આગમદિવાકર આચાર્યદેવ શ્રી જયઘોષસૂરીશ્વરજી મ. સા. o પ.પૂ. આચાર્યદેવ જગચંદ્રસૂરીશ્વરજી મ.સા. એ પ.પૂ. યુવાવર્ગપ્રતિબોધક પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા. પ.પૂઆચાર્યદેવ પુણ્યાનંદસૂરીશ્વરજી મ. સા. આદિ મહાત્માઓના પાવન ચરણે વંદન કરી અમો કતાર્થના અનુભવીએ છીએ. આ સિવાય પણ શેષકાળમાં ઘણાજ મહાત્માઓએ શાહપુરીની ધરાને પાવન કરી કૃપા વરસાવેલ છે. તેમના દરેકના અમો અત્યંત ઋણી છીએ. અમારા સંઘના આંગણે પ.પૂ.આ.દેવ શ્રી વિબુધપ્રભસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આચાર્યદેવ શ્રી મિત્રાનંદસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં બે વખત ઉપધાન તપ થયેલ, અનુમોદનીય મહોત્સવો થયેલ. સં. ૨૦૪૩ માં પ.પૂ. આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં પૂ.પં. શ્રી ધર્મજિતવિજયજી મ.સા., પૂ.પં. શ્રી રાજેન્દ્રવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી ભદ્રગુપ્તવિજયજી મ.સા. એમ ત્રણ મહાત્માઓની આચાર્યપદવી થયેલ અને શાહપુરી સંઘમાં આ પ્રસંગ સુવર્ણાક્ષરે કોતરેલ તે સિવાય પણ ઘણી સંસ્મરણીય આરાધનાઓ થયેલ. C૪ ટકી પડાવવા માગતા ગાડી હારી કિ. કે ૪ નાર \ \ / / Page #11 -------------------------------------------------------------------------- ________________ . ગત સાલ અત્રે રોષકાળમાં બિરાજમાન પૂ. સાધ્વીજી શ્રી ઉદયપ્રભાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી સામુદાયિક રીતે ૩૭ આરાધકોએ વરસીતપ ઉચ્ચરી આરાધનાનો પ્રારંભ કરેલ અને સંઘમાં પણ ભક્તીપૂર્વક આરાધનાઓ કરાવતા આરાધના સુંદર રીતે ચાલી રહેલ છે. ત્યારેજ અમોને પ.પૂ. આચાર્યદેવ શ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મ.સા.ના ચાર્તુમાસનો લાભ પ્રાપ્ત થયો. તેમના વાણી પ્રભાવથી સકલસંઘમાં જાગૃતિનો સંચાર થયો. અને આ ગ્રંથના પ્રકાશન માટે તેઓશ્રીની અમોને પ્રેરણા પ્રાપ્ત થઈ. (ા ઘણા વર્ષો પૂર્વે પૂ.સ્વ. આગમ પ્રભાકર પુણ્યવિજયજી મ.સા. સંપાદિત એવો આ ગ્રંથ સારાભાઈ નવાબ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ આ છે ગ્રંથ બાળજીવોને સહજ રીતે સમજાય તેવી સરળ ભાષામાં ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત કરવાની પૂજ્યશ્રી પાસેથી પ્રેરણા મળતા અમારા શ્રી સંઘે સહર્ષ તેનો સ્વીકાર કરી શ્રી સંઘના જ્ઞાનદ્રવ્યનો સુંદર ઉપયોગ કરી આ ગ્રંથ પ્રકાશીત કરવાની તક ઝડપી લીધેલ છે. અમારા સંઘમાં પૂજ્યશ્રીના પ્રવેશ દિનથીજ ઉલ્લાસમય વાતાવરણ સાથે તપશ્ચર્યાઓના તોરણો બંધાયેલ ચાર્તુમાસ દરમ્યાન વિશિષ્ટ અને વિવિધ તપશ્ચર્યાઓ થવા પામેલ, યુવાશિબિરો તથા બાલશિબિરોના આયોજનો થયેલ સંઘમાં ધર્મબીજ તથા સંસ્કાર બીજના આરોપણો થયેલ સંઘપ્રમુખે પર્યુષણ પૂર્વેજ અઠ્ઠાઈની આરાધના કરી આરાધનામાં અનેરો રંગ પૂરેલ ચાર્તુમાસ દરમ્યાન જિનેન્દ્રભક્તિ મહોત્સવો, વિવિધ પૂનો, સાંકળી અટ્ટમો, ૧૦૮ પાર્શ્વપ્રભુ આરાધનાતપ, વર્ધમાનતપના પાયા, અક્ષયનિધી તપ, ચોસઠ પ્રહરી પૌષધો, સામૂહિક વરસિતપના આરાધકો તથા અન્ય આરાધકોની એકાસણા-બિયાસણાની ભક્તિ આદિ ઉમંગ પૂર્વક કરવામાં આવેલ. ( સોનામાં સુગંધ એટલે બહેનોને આરાધના માટે ઉપાશ્રયની આવશ્યકતા જણાતા તે માટે પ્રેરણા કરવામાં આવેલ અને બહેનોએ ઉપાશ્રયના નિર્માણ માટે સારો પ્રતિસાદ આપી સુવર્ણદાનની જાહેરાત કરી સોનાનો વરસાદ વરસાવેલ. છે . કારણ કેદમાં, Page #12 -------------------------------------------------------------------------- ________________ 55. ) વિશેષમાં અમારા સંઘમાં સતત ૩૫ વરસ સુધી યોગદાન આપી પાઠશાળાનું સુંદર સંચાલન કરી, સુસંસ્કારોનું સિંચન કરી, અનેક આત્માઓને ચારિત્રના પંથે વાળનારા અમારા સંઘના પરમ ઉપકારી અધ્યાપક શ્રી સુરેન્દ્રભાઈએ પણ બે વર્ષ અગાઉ ચારિત્ર ગ્રહણ કરી, અમારા સંઘના ઉદ્ધાર માટે પૂ. ગુરૂભગવંતો સાથે અત્રે પધારી શાસન પ્રભાવના કરેલ છે. અમારા સંઘમાંથી અનેક મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે અત્રેના ત્રણ મુમુક્ષોના દીક્ષા મૂહૂર્તા જાહેર થયેલ અને તેઓના બહુમાન કરવામાં આવેલ. ચાતુર્માસ બાદ અનંતલબ્લિનિધાન પૂ. ગુરૂગણધર ગૌતમસ્વામીજીની પ્રતિમાની ઉત્સાહપૂર્વક ગોખલામાં સ્થાપના કરવામાં આવેલ. પૂજ્યશ્રીનું ચાર્તુમાસ ઘણુંજ પ્રભાવનામય થયું જે આ ચાર્તુમાસ અમારા સંઘ માટે ચિરસ્મરણીય બની રહેશે. પૂજ્યશ્રીની પ્રેરણાથીજ અમારા સંઘને આ મહાનગ્રંથ પ્રકાશિત કરવાનો લાભ પ્રાપ્ત થયો. આ ગ્રંથના વાંચન સમયે શાહપુરી સંઘને સદાય લાભ મળતો રહેશે. પૂજ્યશ્રીની કૃપા સદાય અમારા સંઘ પર વરસતી રહે, એજ અભ્યર્થના. લી. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ શાહપુરી-કોલ્હાપુર પદારીથી મારી * / મી 3 . ! = = . લાવા AN પર બાં Page #13 -------------------------------------------------------------------------- ________________ ūORomawi LI શ્રી કોલ્હાપુર-શાહપુરી જેન જે. મૂ. સંઘમાંથી સંયમી બનેલ-ભવ્યાત્માઓL સંસારી નામ સંયમી નામા સમુદાય મોતીભાઈ નાથાલાલ પૂ.ઉપા. મહાયશવિ. ગણિવર પ.પૂ.આ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. ધીરૂકુમાર મોતીભાઈ પૂ.મુનિપ્રવર ધુરંધરવિ. મ.સા. પ.પૂ.આ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. જેશીંગભાઈ ચીમનલાલ પૂ.આ. શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મ.સા. પ.પૂ.આ. રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી વિમલાબેન મોતીભાઈ સાધ્વી વિમલપ્રભાશ્રીજી પ.પૂ. ભુવનભાનુસૂરિ મ.સા. કુ. કુસુમબેન નાથાલાલ શાહ પૂ.સા. કિર્તીપૂર્ણાશ્રીજી પૂ.આ. ભુવનભાનુસૂરિ મ.સા. કુ. વિમળાબેન ગોપાળજી સાકરિયા પૂ.સા. વિશ્વપ્રજ્ઞાશ્રીજી મ.સા. પૂ.આ. દેવ નેમિસૂરિ મ.સા શ્રી અજીત સુરેન્દ્રભાઈ શાહ પૂ. મુનિ વિક્રમસેન વિજયજી મ.સા. પૂ.આ. દેવ લબ્ધિસૂરિ મ.સા. કુ. કંચનબેન ચુનિલાલ શાહ પૂ.સા. ઉદયપ્રભાશ્રીજી મ.સા. પૂ.આ. દેવ કેસરસૂરિ મ.સા. કુ. શોભાબેન ચુનિલાલ શાહ પૂ.સા. શિલપ્રભાશ્રીજી મ.સા. પૂ.આ. દેવ કેસરસૂરિ મ.સા. કુ. પુર્ણિમાબેન ભોગીલાલ શાહ પૂ.સા. પૂનિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. પૂ.આ. દેવ કેસરસૂરિ મ.સા. શ્રી અરૂણાબેન ચુનિલાલ શાહ પૂ.સા. અનંતપ્રભાશ્રીજી મ.સા. પૂ.આ. દેવ કેસરસૂરિ મ.સા. શ્રી દિલીપકુમાર રતનચંદ શાહ પૂ. મુનિ દેવેન્દ્રસાગરજી મ.સા. પૂ.આ. દેવ બુદ્ધિસાગરસૂરિ મ.સા. Page #14 -------------------------------------------------------------------------- ________________ સંયમી નામ સમુદાય સંસારી નામ કુ. રેણુકાબેન સુરેન્દ્રભાઈ શાહ શ્રીમતી કલ્પનાબેન શશીકાંત શાહ - શ્રી શૈલેશ રમણીકલાલ શાહ શ્રી રમેશકુમાર તારાચંદ વારીયા કુ. પુર્ણિમાબેન જેશીંગલાલ શાહ કુ. રીટાબેન જયંતિલાલ શાહ કુ. પ્રજ્ઞાબેન કાંતીલાલ શાહ શ્રી અતુલકુમાર રતિલાલ શાહ શ્રી વિપુલકુમાર રમણીકલાલ શાહ કુ. સ્વાતી વસંતલાલ શાહ અધ્યાપક શ્રી સુરેન્દ્રભાઈ ચુનીલાલ શાહ શા. રસિકલાલ લહેરચંદ શ્રી ગુણવંતીબેન રસીકલાલ શાહ પુનિતકુમાર નરેશચંદ્ર શાહ પૂ.સા. રત્નજયોતિશ્રીજી મ.સા. પૂ.સા. દક્ષનંદિતાશ્રીજી મ.સા. પૂ. મુનિ યુગપ્રભવિજયજી મ.સા. પૂ. મુનિ તિર્થરત્નવિજયજી મ.સા. પૂ.સા. પૂણ્યપ્રભાશ્રીજી મ.સા. પૂ.સા. રત્નજ્ઞાશ્રીજી મ.સા. પૂ.સા. પ્રેમપૂર્ણાશ્રીજી મ.સા. પૂ. મુનિ અહેમપ્રભવિજયજી મ.સા. પૂ. મુનિ સંયમપ્રભવિજયજી મ.સા. પૂ.સા. સ્મિતપૂર્ણાશ્રીજી મ.સા. પૂ. મુનિ સંયમસેનવિજયજી મ.સા. પૂ.આ. દેવ સિધ્ધીસૂરિ. મ.સા. પૂ.આ. દેવ કલાપૂર્ણસૂરિ મ.સા. પૂ.આ. દેવ રામચંદ્રસૂરિ મ.સા. પૂ.આ. દેવ રામચંદ્રસૂરિ મ.સા. પૂ.આ. દેવ કેસરસૂરિ મ.સા. પૂ.આ. દેવ સિધ્ધીસૂરિ મ.સા. પૂ.આ. દેવ શ્રી ભુવનભાનુસૂરિ મ.સા. પૂ.આ. દેવ રામચંદ્રસૂરિ મ.સા. પૂ.આ. દેવ શ્રી રામચંદ્રસૂરિ મ.સા. પૂ.આ. દેવ શ્રી ભુવનભાનુસૂરિ મ.સા. પૂ.આ. દેવ શ્રી લબ્ધિસૂરિ મ.સા. પૂ.આ. શ્રી રામચંદ્રસૂરિ મ.સા. પૂ.આ. દેવ શ્રી ભુવનભાનુસૂરિ મ.સા. પૂ.આ. શ્રી રામચંદ્રસૂરિ મ.સા. Page #15 -------------------------------------------------------------------------- ________________ (૪) Jain Edua શ્રી ચરમતીર્થપતિ મહાવીરસ્વામીજી અનંતલબ્ધિનિધાન ગણધર શ્રી ગૌતમસ્વામીજી ઈ १ brary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ [દિuildiનાવી ) 15 ( (iiitile - પ્રભુ મહાવીરના ૨૬ ભવ પ્રભુ મહાવીરે ૨૫ માં ભવમાં કરેલ વીશસ્થાનકની આરાધના ibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ | શ્રી મહાવીરસ્વામિને નમઃ | | શ્રી સર્વજ્ઞોને નમસ્કાર || | શ્રી ગૌતમસ્વામીને નમઃ || ઇ ( ૩) અરિહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયોને નમસ્કાર, લોકમાંના સર્વ સાધુઓને નમસ્કાર આ પાંચ નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનારા છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલરૂપ છે. [૧] | [૧] તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના પોતાના જીવનના બનાવોમાં પાંચવાર હસ્તોત્તરા નક્ષત્ર આવેલ હતું (હસ્તોત્તરા એટલે ઉત્તરાફાલ્યુની નક્ષત્ર). તે જેમકે ૧ હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાન ચવ્યા હતા. અને ચવીને ગર્ભમાં આવ્યા હતા. ર હસ્તોત્તરા નક્ષત્રમાં આવીને એક ગર્ભસ્થાનમાંથી ઉપાડીને બીજા ગર્ભસ્થાનમાં ફેરવવામાં આવ્યા હતા. ૩ હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાન જન્મ્યા હતા. ૪ હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાને મુંડ થઈને ઘરથી નીકળી અનગારપણુંમુનિપણું-સ્વીકારી પ્રવ્રજ્યા લીધી. ૫ હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાને અનંત, ઉત્તમોઉત્તમ, વ્યાધાત-પ્રતિબંધ વગરનું, આવરણ રહિત, સમગ્ર અને પ્રતિપૂર્ણ એવું કેવલવરજ્ઞાન અને કેવલવરદર્શન પેદા થયું. ૬ સ્વાતિ નક્ષત્રમાં ભગવાન પરિનિર્વાણ પામ્યા. IT ) Page #18 -------------------------------------------------------------------------- ________________ [૨] તે કાલે તે સમયે જ્યારે ઉનાળા-ગ્રીષ્મનો ચોથો મહિનો અને આઠમો પક્ષ (આઠમું પખવાડિયું) એટલે અષાઢ મહિનાનો શુક્લપક્ષ (અજવાળીયું) ચાલતો હતો, તે અષાઢ શુકલ છઠ્ઠને દિવસે સ્વર્ગમાં રહેલા મહાવિજય પુષ્પોત્તર પ્રવર પુંડરીક નામના મહાવિમાનમાંથી ચવીને શ્રમણ ભગવાન મહાવીર માહણકુંડગામ નગરમાં રહેતા કોડાલગોત્રના રિષભદત્ત માહણ-બ્રાહ્મણની પત્ની જાલંધરગોત્રની દેવાનંદા-બ્રાહ્મણીની કૂખમાં ગર્ભરૂપે ઉપજ્યા. જે મહાવિમાનમાંથી ભગવાન ચવ્યા તે વિમાનમાં વીશ સાગરોપમ જેટલી આયુષ્યની સ્થિતિ હતી-ચવતી વેળાએ ભગવાનનું તે આયુષ્ય ક્ષીણ થયેલ હતું, ભગવાનનો દેવભવ તદ્દન ક્ષીણ થએલ હતો, ભગવાનની દેવવિમાનમાં રહેવાની સ્થિતિ ક્ષીણ થએલ હતી. આ બધું ક્ષીણ થતાં જ તરત ભગવાન તે દેવવિમાનમાંથી ચવીને અહીં દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભરૂપે આવ્યા. જ્યારે ભગવાન દેવાનંદાની કૂખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે અહીં જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં, દક્ષિણાર્ધ ભારતમાં આ અવસર્પિણીના સુષમસુષમા, સુષમા અને સુષમદુઃષમા નામનો આ આરાઓનો સમય તદ્દન પૂરો થઈ ગયો હતો. દુઃષમસુષમા નામનો આરો વીતી ચૂક્યો હતો, હવે માત્ર તે દુઃષમસુષમા આરાનાં બેતાલીશ હજાર અને પંચોતેર વરસ | ૩. તથા સાડા આઠ માસ જ બાકી રહ્યા હતા; તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, ભગવાન ગર્ભરૂપે આવ્યા Jan E rintem ne FoFansen www .by.org Page #19 -------------------------------------------------------------------------- ________________ J પહેલા ઈક્ષ્વાકુકુલમાં જનમ પામેલા અને કાશ્યપગોત્રવાળા એકવીશ તીર્થંકરો ક્રમે ક્રમે થઈ ચૂક્યા હતા હરિવંશકુલમાં બે થઈ તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, આગળના તીર્થંકરોએ ‘હવે પછી શ્રમણ ભગવાન મહાવીર છેલ્લા તીર્થંકર થશે’ એ પ્રમાણે ભગવાન મહાવીર વિશે નિર્દેશ કરેલો હતો. me Illeg આ રીતે ઉપર કહ્યા પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર આગલી રાતની છેવટમાં અને પાછલી રાતની શરૂઆતમાં એટલે બરાબર મધરાતને સમયે હસ્તોત્તરા-ઉત્તરાફાલ્ગુની-નક્ષત્રનો યોગ થતાં જ દેવાનંદાની કૂખમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. વળી ભગવાન જ્યારે કૂખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે તેમનો આગલા દેવભવને યોગ્ય આહાર, દેવભવની હયાતી અને દેવભવનું શરીર છૂટી ગયાં હતાં અને વર્તમાન માનવભવને યોગ્ય આહાર, માનવભવની હયાતી અને માનવભવનું શરીર મળી ગયા હતા. [૩] શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા-‘હવે દેવભવમાંથી હું ચવીશ' એમ તેઓ જાણે છે. mo Page #20 -------------------------------------------------------------------------- ________________ ઈં פעל הצפן ઈં SD ૩. ઈ ૪૪. વર્તમાનમાં દેવભવમાંથી હું ચ્યવમાન છું' એમ તેઓ જાણતા નથી. હવે દેવભવથી હું ચ્યુત થએલો છું' એમ તેઓ જાણે છે. [૪] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જાલંધરગોત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભરૂપે આવ્યા તે રાત્રે સૂતી જાગતી તે દેવાનંદા માહણી સેજ-પથારી-માં સૂતાં સૂતાં આ પ્રકારનાં ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય અને મંગલરૂપ તથા શોભાસહિત એવાં ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી ગઈ. sau ઈદ 6૨૩ E 20 Education Theratonka gy [૫] તે ચૌદ સ્વપ્નોનાં નામ આ પ્રમાણે છેઃ— ૧ ગજ-હાથી, ૨ વૃષભ-બળદ, ૩ સિંહ, ૪ અભિષેક-લક્ષ્મીદેવીનો અભિષેક, ૫ માળા-ફૂલની માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય-સૂરજ, ૮ ધ્વજ, ૯ કુંભ-પૂર્ણકલશ, ૧૦ પદ્મસરોવર-કમલોથી ભરેલું સરોવર, ૧૧ સાગર-સમુદ્ર, ૧૨ દેવવિમાન કે દેવભવન, ૧૩ રત્નરાશિ-રત્નોનો ઢગલો અને ૧૪ અગ્નિ-ધૂમાડા વગરનો અગ્નિ. [૬] તે વખતે તે દેવાનંદા માહણી આ પ્રકારનાં ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય અને મંગલરૂપ તથા શોભાસહિત એવાં ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી જતાં હરખી, સંતોષ પામી, ચિત્તમાં આનંદ પામી અને તેના મનમાં પ્રીતિ નીપજી, ဖာ eg wa ရာ rejos פול 0 סן ( ઈં www.jainaibrary.org Page #21 -------------------------------------------------------------------------- ________________ તેણીને પરમ આનંદ થયો, હરખને લીધે તેણીનું હૃદય ધડકવા લાગ્યું-પ્રફુલ્લિત થયું, મેઘની ધારાઓ પડતાં જેમ કદંબનું ફૂલ ખીલી જાય-તેના કાંટા ખડા થઈ જાય તેમ તેણીનાં રોમ-રોમ ખડાં થઈ ગયાં. પછી તેણીએ પોતાને આવેલાં સ્વપ્નોને | વી યાદ કર્યા, સ્વપ્નોને યાદ કરી તે પોતાની પથારીમાંથી ઉભી થઈને તેણી ધીમેધીમે અચલપણે વેગરહિતપણે રાજહંસની સરખી ગતિથી જ્યાં રિષભદત્ત માહણ છે ત્યાં તેની પાસે જાય છે, જઈને રિષભદત્ત માહણને “જય થાઓ વિજય થાઓ’ એમ કહીને વધાવે છે, વધાવીને ભદ્રાસનમાં બરાબર બેસીને આશ્વાસ પામેલી, વિશ્વાસ પામેલી તે દશનખસહિત બન્ને હથેળીઓની માથાને અડે એ રીતે આવર્ત કરીને ફેરવી અંજલિ કરીને આ પ્રમાણે બોલી–એ પ્રમાણે ખરેખરું છે કે હે દેવાનુપ્રિય ! હું આજે જ્યારે સૂતી કાંઈક જાગતી કાંઈક ઉંઘતી પથારીમાં પડી રહી હતી ત્યારે હું આ આ પ્રકારનાં ઉદાર યાવતુ શોભાસહિત એવાં ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી ગઈ. તે સ્વપ્નોનાં નામ આ પ્રમાણે છે. હાથી થી અગ્નિ સુધી... ન હે દેવાનુપ્રિય ! એ ઉદાર ચૌદ મહાસ્વપ્નોનું કલ્યાણમય એવું કોઈ વિશેષ પ્રકારનું ફલ થશે, એમ હું માનું છું. [૭] ત્યાર પછી તે રિષભદત્ત માહણ દેવાનંદા માહણી પાસેથી સ્વપ્નોને લગતી હકીકત સાંભળીને, બરાબર Jain n Page #22 -------------------------------------------------------------------------- ________________ (p) , C PT સમજીને રાજી થયો, સંતોષ પામ્યો યાવત્ હરખને લીધે તેનું હૃદય પ્રફુલ્લ બન્યું અને મેઘની ધારાથી છંટકારાયેલું કદંબનું આ ફૂલ જેમ ખીલી ઊઠે તેમ તેનાં રોમરોમ ઉભા થઈ ગયાં. પછી તેણે એ સ્વપ્નોની યાદ કરી, કરીને તે, તેના ફલ વિશે વિચારવા લાગ્યો, વિચાર કરીને તેણે પોતાના સ્વાભાવિક-સહજ-મતિયુકત બુદ્ધિના વિજ્ઞાનદ્વારા તે સ્વપ્નોના અર્થોનો ઉકેલ કર્યો, પોતાના મનમાં એ સ્વપ્નોના અર્થોનો ઉકેલ કરી તે માહણ ત્યાં પોતાની સામે બેઠેલી દેવાનંદા માહણીને આ પ્રમાણે કહેવા લાગ્યો. [૮] હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર સ્વપ્નો જોયાં છે. કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગલમય અને શોભાયુક્ત સ્વપ્નો તમેં જોયાં છે, તમે આરોગ્ય કરનારાં, સંતોષ પમાડે એવાં, દીર્ઘ આયુષ્ય કરે એવાં, કલ્યાણ કરનારા અને મંગલ કરનારાં સ્વપ્નો જોયાં છે. તે સ્વપ્નોનું વિશેષ પ્રકારનું ફલ આ પ્રમાણે છે. હે દેવાનુપ્રિયે ! અર્થનો-લક્ષ્મીનો લાભ થશે, હે દેવાનુપ્રિયે ! ભોગોનો, પુત્રનો અને સુખનો લાભ થશે અને એ પ્રમાણે ખરેખર બનશે કે હે દેવાનુપ્રિયે ! તમે બરાબર - ૧ પૂરા નવ માસ અને સાડા સાત રાત દિવસ વીતાવી દીધા પછી પુત્રને જન્મ આપશો. - Jain con ww. y.org Page #23 -------------------------------------------------------------------------- ________________ טיל 4 פיל ઈઈ એ પુત્ર હાથેપગે સુકુમાળ થશે, પાંચ ઈન્દ્રિયોએ અને શરીરે હીણો નહીં પણ બરાબર સંપૂર્ણ-પૂરો થશે, સારા લક્ષણવાળો થશે, સારાં વ્યંજનવાળો થશે, સારાં ગુણોવાળો થશે, માનમાં, વજનમાં તથા પ્રમાણે કરીને એટલે ઉંચાઈમાં બરાબર પૂરો હશે, ઘાટીલાં અંગોવાળો તથા સર્વાંગ સુંદર-સર્વઅંગોએ સુંદર-હશે, ચંદ્ર જેવો સૌમ્ય હશે તથા મનોહરનમણો, દેખાવે વહાલો લાગે તેવો, સુંદર રૂપવાળો અને દેવકુમારની સાથે સરખાવી શકાય તેવો હશે. 1000 [૯] વળી, તે પુત્ર, જ્યારે બાલવય વટાવી સમજણો થતાં મેળવેલી સમજણને પચાવનારો થઈ જુવાન વયમાં પહોંચશે ત્યારે તે ૠગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદને-એ ચારે વેદોને અને તે ઉપરાંત પાંચમાં ઈતિહાસનેમહાભારતને-છઠ્ઠા નિધંટુ નામના શબ્દકોશને જાણનારો થશે. તે, એ બધાં પૂર્વોક્ત શાસ્ત્રોને સાંગોપાંગ જાણનારો થશે, રહસ્યસહિત સમજનારો થશે, ચારે પ્રકારના વેદોનો પારગામી થશે, જેઓ વેદ વગેરેને ભૂલી ગયા હશે તેમને એ તમારો પુત્ર યાદ કરાવનાર થશે, વેદનાં છએ અંગોનો વેત્તા જાણકાર થશે, ષષ્ટિતંત્ર નામના શાસ્ત્રનો વિશારદ થશે, તથા સાંખ્ય શાસ્ત્રમાં છંદશાસ્ત્રમાં, વ્યુપ્તત્તિશાસ્ત્રમાં, જ્યોતિષશાસ્ત્રમાં ang cans $ $ G Page #24 -------------------------------------------------------------------------- ________________ Jછે દિન 8 ET અને એવાં બીજાં પણ બ્રાહ્મણશાસ્ત્રોમાં અને પરિવ્રાજકશાસ્ત્રોમાં એ તમારો પુત્ર ઘણો જ પંડિત થશે. [૧૦] તો હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર સ્વપ્નો જોયાં છે યાવતું આરોગ્ય કરનારાં, સંતોષ પમાડનારાં, દીર્ઘઆયુષ્ય કરનારાં, મંગલ અને કલ્યાણ કરનારાં સ્વપ્નો તમે જોયાં છે. [૧૧] પછી તે દેવાનંદા માહણી રિષભદત્ત માહણ પાસેથી સ્વપ્નોના ફલને લગતી આ વાત સાંભળીને, સમજીને હરખાઈ, ત્રુઠી યાવત્ દશ નખ ભેગા થાય એ રીતે આવર્ત કરીને, અંજલિ કરીને રિષભદત્ત માહણને આ પ્રમાણે કહેવા લાગીઃ | [૧૨] હે દેવાનુપ્રિય ! જે તમે ભવિષ્ય કહો છો એ એ પ્રમાણે છે, હે દેવાનુપ્રિય ! તમારૂં કહેલું એ ભવિષ્ય તે પ્રમાણે છે, હે દેવાનુપ્રિય ! તમારું ભાખેલું એ ભવિષ્ય સાચું છે, હે દેવાનુપ્રિય ! એ સંદેહ વગરનું છે, હે દેવાનુપ્રિય ! મેં એવું ઈચ્છેલું છે. હે દેવાનુપ્રિય ! મેં તમારા એ વચનને સાંભળતાં જ સ્વીકારેલું છે.પ્રમાણભૂત માનેલ છે, હે દેવાનુપ્રિય ! એ તમારૂં જી. હા જી stali Essan 11ના રાણા Page #25 -------------------------------------------------------------------------- ________________ U © CM; D'a') @c8 Ocણ દેવાનંદાની કુક્ષિમાં ગર્ભ અવતરણ ઋષભદત્ત-દેવાનંદા સ્વપ્નવિચાર, ઈદ્રની હરિણગમેષ દેવને આજ્ઞા Jain horary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ ET ઈદ્રસભા શક્રસ્તવ દ્વારા પ્રભુસ્તુતિ orary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ U વચન મેં ઈશ્કેલ છે અને મને માન્ય પણ છે, હે દેવાનુપ્રિય ! જે એ હકીકત તમે કહો છો તે એ સાચી જ હકીકત છે, તે સ્વપ્નોનાં ફલોને બરાબર સ્વીકારીને એટલે એ સ્વપ્નોનાં ફલોને બરાબર જાણી સમજી રિષભદત્ત માહણની સાથે ઉદાર-વિશાલ એવાં મનોવાંછિત અને ભોગવવા યોગ્ય ભોગોને ભોગવતી તે દેવાનંદા માહણી રહે છે. [૧૩] હવે તે કાલે તે સમયે શક્ર, દેવોનો રાજા, વજપાણિ-હાથમાં વજને રાખનારો, અસુરોના પુરોનો-નગરોનોનાશ-કરનાર-પુરંદર, સો વખત શ્રાવકની પ્રતિમા-કરનાર-શતક્રતુ, હજાર આંખવાળો સહસ્ત્રાક્ષ, મોટા મોટા મેઘોને તાબે રાખનાર-મઘવા, પાક નામના અસુરને સજા કરનાર-પાકશાસન, દક્ષિણ બાજુના અડધા લોકનો માલિક દક્ષિણાર્ધલોકાધિપતિ બત્રીસ લાખ વિમાનોનો સ્વામી, અને ઐરાવણ હાથીના વાહન ઉપર બેસનાર એવો સુરેન્દ્ર પેતાના સ્થાનમાં બેઠેલો હતો. એ સુરેન્દ્ર રજ વગરનાં અંબર-ગગન-જેવાં ચોખાં વસ્ત્રો પહેરેલાં, યથોચિત રીતે માળા અને મુકુટ પહેરેલાં સોનાનાં | નવાં, સુંદર, અચંબો પમાડે એવાં અથવા ચિત્રામણવાળી કારીગરીવાળાં, અને વારેવારે હાલતાં બે કુંડલોને લીધે એના બને ગાલ ઝગારા મારતા હતા, એનું શરીર ચમકતું હતું, પગ સુધી લટકતી એવી લાંબી વનમાં ફૂલોથી ગુંથેલી માળા Rainl =ાની . ry.org Page #28 -------------------------------------------------------------------------- ________________ BT એણે પહેરેલી; એવો એ ઈદ્ર સૌધર્મ નામના કલ્પ-સ્વર્ગમાં આવેલા સૌધર્માવલંસક નામના વિમાનમાં બેઠેલી સૌધર્મ નામની સભામાં શક્ર નામના સિંહાસનમાં બેઠેલો હતો. [૧૪] ત્યાં તે બત્રીસ લાખ વિમાનવાસો, ચોરાશી હજાર સામાનિક દેવો, તેત્રીશ-ત્રાયન્ટિંશ દેવો, ચાર લોકપાલો, પોતપોતાના પરિવાર સાથેની આઠ મોટી પટ્ટરાણીઓ, ત્રણ સભાઓ, સાત સૈન્યો, સાત સેનાધિપતિઓ, ચાર ચોરાશી હજાર એટલે ત્રણ લાખ છત્રીસ હજાર અંગરક્ષક દેવો અને સૌધર્મસભામાં વસનારા બીજા પણ ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ એ બધાં ઉપર અધિપતિપણું ભોગવતો રહે છે, એટલે એ બધી પોતાની પ્રજાનું પાલન કરવાનું સામર્થ્ય તે ધરાવે છે તથા એ બધાંનો તે અગ્રેસર પુરપતિ-છે. સ્વામીનાયક-છે. ભર્તા-પોષક-છે, અને એ બધાનો તે મહત્તર-મહામાન્યગુરુસમાન-છે, તથા એ બધાં ઉપર પોતાના નિમેલા માણસો દ્વારા ફરમાવીને પોતાનું ઐશ્વર્ય અને આજ્ઞાદાયિત્વ બતાવતો રહે છે-એ બધાં ઉપર ઈશ્વર તરીકે પ્રધાનપણે તેની પોતાની જ આજ્ઞા ચાલે છે, એ રીતે રહેતો અને પોતાની પ્રજાને | . પાળતો તથા નિરંતર ચાલતાં નાટકો, સંગીત, વાગતાં વીણા હાથતાળીઓ, બીજાં વાજાંઓ અને મેહની જેવો ગંભીર OJછે. Jain contemne wwwy.org Page #29 -------------------------------------------------------------------------- ________________ . અવાજવાળો મૃદંગ તથા સરસ અવાજ કરતો ઢોલ એ બધાનાં મોટાં અવાજ દ્વારા ભોગવવા યોગ્ય દિવ્ય ભોગોને ભોગવતો તે ઈદ્ર ત્યાં રહે છે. [૧૫] તથા તે ઈદ્ર પોતાના વિપુલ અવધિજ્ઞાન દ્વારા સંપૂર્ણ જંબુદ્વીપ તરફ જોતો જોતો બેઠેલ છે ત્યાં તે, જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં આવેલા માહણકુંડગ્રામ નગરમાં કોડાલગોત્રના રિષભદત્ત માહણની ભાર્યા-પત્ની જાલંધરગોત્રની] દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે શ્રમણ ભગવાન મહાવીરને ઉપજેલા જૂએ છે. ભગવાનને જોઈને તે હરખ્યો-રાજી થયો, ત્રયો-તુષ્ટમાન થયો, ચિત્તમાં આનંદ પામ્યો, બહુ રાજી થયો, પરમ આનંદ પામ્યો, મનમાં પ્રિતિવાળો થયો, પરમ સૌમનસ્યને તેણે મેળવ્યું અને હરખને લીધે તેનું હૃદય ધડકતું બની ગયું તથા મેઘની ધારાઓથી છંટાએલ કદંબના સુગંધી ફૂલની પેઠે તેના રૂંવે રૂંવા ખડાં થઈ ગયાં, તેનાં ઉત્તમ કમલ જેવા નેત્રો અને મુખ વિકસિત થયાં-ખિલી ગયાં, તેણે પહેરેલાં ઉત્તમ કપડાં, બહેરખાં, બાજુબંધ, મુગટ, કુંડલ અને હારથી સુશોભિત છાતી, એ બધું તેને થયેલ હરખને લીધે હલેહલું થઈ રહ્યું, લાંબું લટકતું અને વારેવારે હલતું ઝૂમણું તથા બીજા પણ એવાં જ આભૂષણ તેણે પહેરેલાં હતાં એવો તે શક્ર ઈન્દ્ર ભગવંતને જોતાં જ આદર વિનય સાથે એકદમ ઝપાટાબંધ પોતાના સિંહાસન ઉપરથી ઉભો થાય છે, તે J Page #30 -------------------------------------------------------------------------- ________________ સિંહાસન ઉપરથી ઉભો થઈ પોતાના પાદપીઠ ઉપરથી નીચે ઉતરે છે, પાદપીઠ ઉપરથી નીચે ઉતરી તે, મરકત અને ઉત્તમ રિઝ તથા અંજન નામના રત્નોએ જડેલી અને ચળકતાં મણિરત્નોથી સુશોભિત એવી પોતાની મોજડીઓ ત્યાં જ પાદપીઠ પાસે ઉતારી નાખે છે, મોજડીઓને ઉતારી નાખી તે પોતાના ખભા ઉપર ખેસને જનોઈની પેઠે ગોઠવીને એટલે એકવડું ઉત્તરાસંગ કરે છે, એ રીતે એકવડું ઉત્તરાસંગ કરીને તેણે અંજલિ કરવા સાથે પોતાના બે હાથ જોડયા અને એ | રીતે તે તીર્થકર ભગવંતની બાજુ લક્ષ્ય રાખી સાત આઠ પગલાં તેમની સામે જાય છે, સામે જઈને તે ડાબો ઢીંચણ ઊંચો | sી. કરે છે, ડાબો ઢીંચણ ઊંચો કરીને તે જમણા ઢીંચણને ભોતળ ઊપર વાળી દે છે, પછી માથાને ત્રણવાર ભોયતળ ઊપર લગાડી પછી તે થોડો ટટ્ટાર બેસે છે. એ રીતે ટટ્ટાર બેસીને કડાં અને બહેરખાંને લીધે ચપોચપ થઈ ગયેલી પોતાની બન્ને ભુજાઓને ભેગી કરે છે. એ રીતે પોતાની બન્ને ભુજાઓને ભેગી કરીને તથા દશ નખ એકબીજાને અડે એ રીતે બન્ને હથેળીઓને જોડી માથું નમાવી મસ્તકે અંજલિ કરીને તે આ પ્રમાણે બોલ્યોઃ [૧૬] અરહંત ભગવંતને નમસ્કાર થાઓ, ૧ તીર્થનો પ્રારંભ કરનારા એવા તીર્થકરોને, પોતાની જ મેળે બોધ પામનારા સ્વયંસંબુદ્ધોને, ૨ પુરુષોમાં ઉત્તમ અને પુરુષોમાં સિંહસમાન, પુરુષોમાં ઉત્તમ કમળસમાન અને પુરુષોમાં Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ ગંધહસ્તી જેવા, ૩ સર્વલોકમાં ઉત્તમ, સર્વલોકમાં નાથ, સર્વલોકનું હિત કરનારા, સર્વલોકમાં દીવા સમાન સર્વલોકમાં પ્રકાશ પહોંચાડનારા, ૪ અજ્ઞાનથી અંધ બનેલા લોકોને આંખ સમાન શાસ્ત્રની રચના કરનારા, એવા જ લોકોને માર્ગ બતાવનારા, શરણ આપનારા અને જીવનને આપનારા એટલે કદી મરવું ન પડે એવા જીવનને મુક્તિને દેનારા તથા બોધિબીજને-સમક્તિને આપનારા.૫ ધર્મને દેનારા, ધર્મનો ઉપદેશ કરનારા, ધર્મના નાયક, ધર્મરૂપ રથને ચલાવનારા સારથી સમાન, અને ચાર છેડાવાળા ધર્મરૂપ જગતના ઉત્તમ ચક્રવર્તી, ૬ ક્યાંય પણ અલના ન પામે એવાં ઉત્તમ જ્ઞાન અને દર્શનને ઘરનારા, ઘાતકર્મ તદ્દન ખસી ગયેલ છે તેવા, ૭ જિન-રાગદ્વેષ વગેરે આંતરશત્રુઓને નારા અને જિતાડનારા, ભવસાગરથી તરેલા તથા તારનારા, પોતે જાતે બોધને પામેલા બીજાઓને બોધ આપનારા, મુક્તિને પામેલા અને બીજાઓને મુક્તિ સુધી પહોંચાડનારા, ૮. | સર્વજ્ઞ-બધું જાણનારા, બધું જોનારા, જે પદ શિવરૂપ છે, અચલ છે, રોગ વગરનું છે, અંત વગરનું છે, ક્ષય વિનાનું છે, કોઈ પણ પ્રકારની પીડા વગરનું છે અને જ્યાં પહોંચ્યા પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિગતિ નામના કે પદને પહોંચેલા તથા ભયને જીતી ગયેલા એવા જિનોને નમસ્કાર થાઓ. Bydry Page #32 -------------------------------------------------------------------------- ________________ OD તીર્થની શરૂઆત કરનારા, છેલ્લા તીર્થકર, આગલા તીર્થકરોએ જેમના થવાની સૂચના આપેલી હતી એવા અને પૂર્વે વર્ણવેલા તમામ ગુણોવાળા યાવતું જ્યાં પહોંચ્યા પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિગતિ નામના પદને પામવાની અભિલાષાવાળા એવા શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર થાઓ. અહીં સ્વર્ગમાં રહેલો હું ત્યાં એટલે દેવાનંદાની કુક્ષિમાં રહેલા ભગવંતને વંદન કરું છું, ત્યાં રહેલા ભગવંત અહીં રહેલા મને જુઓ એમ કરીને તે દેવરાજ ઈદ્ર શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરે છે, નમન કરે છે અને પોતાના ઉત્તમ સિંહાસણમાં પૂર્વદિશા તરફ મુખ રાખીને બેસે છે. [૧૭] ત્યારપછી તે દેવેન્દ્ર શુક્રને આ એ પ્રકારનો એના અંતરમાં ચિંતનરૂપ, અભિલાષારૂપ મનોગત સંકલ્પ પેદા થયો કે-“એ થયું નથી, એ થવા જોગ નથી અને એવું થનારું ય નથી કે અરહંત-ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ | રાજાઓ કે વાસદેવ રાજાઓ ઉગ્રવંશના કુલોમાં કે ભોગવંશનાં કુલોમાં કે રાજયવંશના કુલોમાં ઈક્વાકવંશના કુલોમાં કે | સા ક્ષત્રિયવંશના કુલોમાં કે હરિવંશનાં કુલોમાં કોઈ બીજાં તેવા પ્રકારના વિશુદ્ધ જાતિ, કુલ અને વંશવાળાં કુલોમાં આજ પહેલાં આવેલાં છે, વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં પણ તેઓ બધા એવા ઉત્તમ કુલોમાં આવનારા છે. Jain Economic For me daly www.dinelibrary.org Page #33 -------------------------------------------------------------------------- ________________ | [૧૮] વળી, એવો પણ લોકમાં અચરજ બનાવ, અનંત અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ વીતી ગયા પછી બની જાય છે કે જ્યારે તે અરહંત ભગવંતો વગેરેએ નામગોત્ર કર્મનો ક્ષય નથી કરેલો હોતો, એ કર્મનું વેદન નથી કરેલું હોતું અને એમનું એ કર્મ એમના આત્મા ઉપરથી ખરી પડેલું નથી હોતું એટલે કે એમને એ કર્મને ઉદય હોય છે ત્યારે તે અરહંત ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ અંત્ય કુલોમાં કે અધમ કુલોમાં કે તુચ્છ કુલોમાં કે દળદરિયાં કુલોમાં કે ભિખારીનાં કુલોમાં કે કંજુસના કુલોમાં પણ આવેલા છે કે, આવે છે કે, આવશે એટલે એવાં હલકાં કુલોવાળી માતાઓની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે કે, ઉપજે છે કે, ઉપજશે છતાં તે કુલોમાં તેઓ કદી જન્મ્યા નથી કે હવે પછી જનમવાના પણ નથી. [૧૯] અને આ શ્રમણ ભગવંત મહાવીર જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં માહણકુંડગ્રામ નામના નગરમાં કોડાલગોત્રવાળા રિષભદત્ત માહણની ભાર્યા-પત્ની જાલંધરગોત્રની દેવાનંદા માહણી-બ્રાહ્મણીની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે. - allis a nd W y .org Page #34 -------------------------------------------------------------------------- ________________ BT જી ) S) k& * [૨૦] તો થઈ ગયેલા, વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેંદ્ર-દેવરાજ શક્રોનો એ આચાર છે કે અરહંત ભગવંતોને તેવા પ્રકારનાં અંતકુલોમાંથી કે અધમકુલોમાંથી કે તુચ્છકુલોમાંથી કે દળદરિયાંકુલોમાંથી કે ભિખારીનાં કુલોમાંથી કે કંજૂસનાં કુલોમાંથી ખસેડીને ઉગ્રવંશનાં કુલોમાં કે ભોગવંશના કુલોમાં રાજન્યવંશના કુલોમાં કે જ્ઞાતવંશના કુલોમાં ક્ષત્રિયવંશના કુલોમાં હરિવંશના કુલોમાં વિશુદ્ધ જાતિ કુલ અને વંશનાં તેવા પ્રકારનાં કોઈ બીજાં ઉત્તમ કુલોમાં ફેરવી નાખવા ઘટે. તો મારા માટે ખરેખર શ્રેયસ્કર પ્રવૃત્તિ છે કે, આગળના તીર્થકરોએ જેમના થવાની સૂચના આપેલી છે એવા છેલ્લા તીર્થકર શ્રમણ ભગવંત મહાવીરને માહણકુંડગ્રામ નામના નગરમાંથી કોપાલગોત્રના માહણ રિષભદત્તની ભાર્યા-પત્ની જાલંધરગોત્રની માહણી દેવાનંદાની કૂખમાંથી ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં રહેતા જ્ઞાત કુલના ક્ષત્રિયોના વંશમાં થયેલા કાશ્યપગોત્રવાળા સિદ્ધાર્થ ક્ષત્રિયની ભાર્યા વાસિષ્ઠગોત્રની ક્ષત્રિયાણી ત્રિશલાની કૂખમાં ગર્ભપણે સ્થાપિત કરવા ઘટે, અને વળી જે તે ત્રિશલા ક્ષત્રિયાણીનો ગર્ભ છે તેને પણ જાલંધરગોત્રની દેવાનંદ માહણીની કૂખમાં ગર્ભપણે = સ ) બે Jain Educanor inte For we only Dery.org Page #35 -------------------------------------------------------------------------- ________________ સ્થાપિત કરવો ઘટે એમ વિચારે છે, એમ વિચારીને પાયદળસેનાના સેનાપતિ હરિગમેસિ નામના દેવને સાદ દે છે, હરિણેગમેસિ નામના દેવને સાદ દઈ તેને એ ઈન્દ્ર આ પ્રમાણે કહ્યું. [૨૧] હે દેવાનુપ્રિય ! એમ ખરેખર છે કે આજ લગી એ થયું નથી, એ થવાં યોગ્ય નથી અને હવે પછી એ થવાનું નથી કે અરહંત, ભગવંતો ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ, વાસુદેવ રાજાઓ અંત્યકુલોમાં, અધમકુલોમાં કંજુસનાં કુલોમાં, દળદરિયાં કુલોમાં, તુચ્છ કુલોમાં કે ભિખારીનાં કુલોમાં આજલગી કોઈવાર આવેલા નથી, વર્તમાનમાં આવતા નથી અને હવે પછી કોઈવાર આવનારા નથી. ખરેખર એમ છે કે, અરહંત ભગવંતો, ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ, ઉગ્રવંશનાં કુલોમાં ભોગવંશનાં કુલોમાં, રાજન્યવંશનાં કુલોમાં, જ્ઞાતવંશનાં કુલોમાં, ક્ષત્રિયવંશનાં કુલોમાં, ઈક્વાકુવંશનાં કે હરિવંશનાં કુલોમાં કે બીજા કોઈ તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિ વિશુદ્ધ કુલ અને વિશુદ્ધવંશમાં આજલગી આવેલા છે, વર્તમાનમાં આવે છે અને હવે પછી પણ તેઓ ઉત્તમકુલમાં આવવાના છે. [૨૨] વળી, એવો પણ લોકોને અચરજમાં નાખી દે એવો બનાવ, અનંત અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ વીતી ? Jain W inery.org Page #36 -------------------------------------------------------------------------- ________________ as | aS g J T ૪૩ 3) -25 ગયા પછી બની આવે છે કે જ્યારે નામગોત્ર કર્મનો ક્ષય નહીં થયો હોય, એ કર્મ પૂરેપૂરું ભોગવાઈ ગએલું ન હોય અને ભોગવાયું ન હોવાથી જ એ કર્મ આત્મા ઉપરથી ખરી પડેલું ન હોય એટલે કે અરહંત ભગવંતો વગેરેને એ કર્મનો ઉદય આવેલો હોય ત્યારે અરહંત ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ અંત્યકુલોમાં કે હલકાં કુલોમાં કે તુચ્છકુલોમાં કે કંજુસના કુલોમાં કે દળદિરયાં કુલોમાં કે ભિખારીનાં કુલોમાં આવેલા છે કે આવે છે કે આવવાના છે છતાં તે કુલોમાં તેઓ કદી જન્મેલા નથી, જનમતા નથી કે હવે પછી જનમવાના પણ નથી. Sav 9:41 0 21 ကွာ GAJ [૨૩] અને આ શ્રમણ ભગવંત મહાવીર જંબુદ્રીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં માહણકુંડગ્રામ નામના નગરમાં કોડાલગોત્રના રિષભદત્ત માહણની ભાર્યા જાલંધરગોત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે. aap [૨૪] તો થઈ ગએલા, વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેંદ્ર-દેવરાજ શક્રોનો એ આચાર છે કે અરહંત ભગવંતોને તેવા પ્રકારનાં અંતકુલોમાંથી કે અધમકુલોમાંથી કે તુચ્છકુલોમાંથી કે કંજુસનાં કુલોમાંથી કે દળદરિયાં કુલોમાંથી કે ભીખમંગાના કુલોમાંથી યાવત્ માહણનાં કુલોમાંથી ખસેડીને તેવાં પ્રકારનાં ઉગ્રવંશનાં કુલોમાં કે ભોગવંશનાં ဇာ စာ J פיס Page #37 -------------------------------------------------------------------------- ________________ Beko YOVER ગર્ભાપહરણ, ત્રિશલારાણીના કુક્ષિમાં ગર્ભસ્થાપન ત્રિશલારાણીને ૧૪ સ્વપ્નદર્શન Jain Edu Page #38 -------------------------------------------------------------------------- ________________ ની . સિદ્ધાર્થરાજાનું સ્નાન, મલ્લયુદ્ધ તથા રાજસભા સિદ્ધાર્થરાજાની રાજસભામાં સ્વપ્નલક્ષણપાઠકનું આગમન brary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ ઈદ ૪૪ કુલોમાં કે રાજન્યવંશના કુલોમાં કે જ્ઞાતવંશનાં કુલોમાં કે ક્ષત્રિયવંશના કુલોમાં કે હરિવંશના કુલોમાં કે કોઈ બીજાં તેવાં પ્રકારના વિશુદ્ધજાતિનાં, વિશુદ્ધવંશનાં અને વિશુદ્ધ કુલવાળાં કુલોમાં ફેરવી નાખવા ઘટે. P.12714 0% GUDOL [૨૫] તો હે દેવાનુપ્રિય ! તું જા, શ્રમણ ભગવંત મહાવીરને માહણકુંડગ્રામ નામના નગરમાંથી કોડાલગોત્રના રિષભદત્ત માહણની ભાર્યા જાલંધરગોત્રની દેવાનંદા માહણીની કૂખમાંથી ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં જ્ઞાતવંશનાં ક્ષત્રિયોનો વંશજ અને કાશ્યપગોત્રનો સિદ્ધાર્થ ક્ષત્રિય છે તેની ભાર્યા વાસિષ્ઠગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણી છે તેની કૂખમાં ગર્ભપણે સ્થાપિત કર અને ગર્ભપણે સ્થાપિત કરીને મને આ મારી આજ્ઞા તરત જ પાછી આપી દે. [૨૬] ત્યારપછી પાયદળસેનાનો સેનાપતિ તે હરણેગમેસી દેવ, દેવેન્દ્ર-શક્રની ઉપર મુજબની આજ્ઞા સાંભળીને રાજી થયો અને યાવત્ તેનું હૃદય રાજી થવાને લીધે ધડકવા લાગ્યું. તેણે યાવત્ બન્ને હથેળીઓ ભેગી કરીને અંજલિ ઈ જોડીને ‘એમ દેવની જેવી આશા' એ પ્રમાણે એ આશાના વચનને તે, વિનયપૂર્વક સ્વીકારે છે, આશાના વચનને વિનયપૂર્વક સ્વીકારીને તે હરિણગમેસી દેવ, દેવેંદ્ર-દેવરાજ શક્રની પાસેથી નીકળે છે, નીકળીને ઉત્તરપૂર્વની દિશાના J J DO Page #40 -------------------------------------------------------------------------- ________________ ભાગમાં એટલે ઈશાનખૂણા તરફ જાય છે, ત્યાં જઈને વૈક્રિયસુમુદ્દઘાત વડે પોતાના શરીરને બદલવાનો પ્રયત્ન કરે છે, એમ કરીને તે પોતાના શરીરમાં રહેલા આત્માના પ્રદેશોના સમૂહને અને કર્મપુલના સમૂહને સંખ્યય યોજનાના લાંબા ન દંડના આકારે શરીરમાંથી બહાર કાઢે છે. તેમ કરતાં તે દેવ, ભગવંતને એક ગર્ભમાંથી ખસેડીને બીજા ગર્ભમાં સ્થાપિત કરવા સારુ પોતાના શરીરને નિર્મળ-ઘણું સારું-બનાવવા માટે એ શરીરમાં રહેલા સ્થૂલ પુદ્ગલ પરમાણુઓને ખંખેરી કાઢે છે અર્થાત્ એ પુદ્ગલ પરમાણુઓ જેમકે રતનનાં, વજન, વૈડૂર્યનાં, લોહિતાક્ષનાં, મસારગલ્લનાં, હંસગર્ભનાં, પુલકનાં, સૌગંધિકનાં, જ્યોતિરસનાં, અંજનનાં, અંજનપુલકનાં, રજતનાં, જાતરૂપનાં, સુભગનાં, અંકનાં, સ્ફટિકનાં અને રિષ્ટનાં એ તમામ જાતનાં રત્નોની જેવાં સ્થૂલ છે તો એવાં પોતાનાં શરીરમાં જે સ્થૂલ પુદ્ગલ પરમાણુઓ છે તેને ખેરવી નાખે છે અને તેની જગ્યાએ સૂક્ષ્મ પુદ્ગલોને એટલે સારરૂપ એવાં સારાં પુગલોને ગ્રહણ કરે છે. [૨૭] એ રીતે ભગવંતની પાસે જવા માટે પોતાના શરીરને સરસ બનાવવા સારુ સારાં સારાં સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરીને ફરીવાર પણ વૈક્રિયસમુદ્યાત કરે છે, એમ કરીને પોતાના મૂળ શરીર કરતા જુદું એવું બીજું ઉત્તમ પ્રકારની, Jain E n menai Pres ume Only www ry.org Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉ on વરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ, બીજી બધી ગતિઓ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શીધ્ર દિવ્ય દેવગતિ વડે ચાલતો ચાલતો એટલે નીચે આવતો તે, તીરછે અસંખ્ય દ્વીપો અને સમુદ્રોની વચ્ચોવચ્ચ જે બાજુએ જંબુદ્વીપ આવેલો છે, તેમાં જ્યાં ભારતવર્ષ આવેલું છે. અને તેમાં જ્યાં માહણકુંડગ્રામ નગર આવેલું છે, તેમાં જ્યાં રિષભદત્ત બ્રાહ્મણનું ઘર આવેલું છે અને એ ઘરમાં જ્યાં દેવાનંદા બ્રાહ્મણી છે તે બાજુએ આવે છે, તે બાજુએ આવતાં ભગવંતને જોતાં જ શ્રમણ ભગવંત મહાવીરને પ્રણામ કરે છે, તેમને પ્રણામ કરીને તે દેવ, પરિવાર સહિત દેવાનંદ માણીને અવસ્થાપિની નિદ્રામાં મૂકે છે એટલે પરિવાર સહિત દેવાનંદા માહણી ઉપર ઘેનનું ધારણ મૂકે છે, એ બધાંને ગાઢનિદ્રામાં મૂકીને ત્યાં રહેલાં અસ્વચ્છ પરમાણુ-પુદ્ગલોને દૂર કરે છે, દૂર કરીને ત્યાં સ્વચ્છ પરમાણુ-પુગલોને ફેંકે છે-વેરે છે-ફેલાવે છે, એમ કર્યા પછી ‘ભગવાન્ ! મને અનુજ્ઞા આપો’ એમ કહી પોતાની હથેળીના સંપુટ દ્વારા શ્રમણ ભગવંત મહાવીરને કોઈ જાતની લેશ પણ પીડા ન થાય એ રીતે ગ્રહણ કરે છે, એ રીતે એ દેવ, શ્રમણ ભગવંત મહાવીરને ગ્રહણ કરીને જે બાજુ ક્ષત્રિયકુંડગ્રામ નગર છે, તે નગરમાં જે બાજુ સિદ્ધાર્થ ક્ષત્રિયનું ઘર છે, તે ઘરમાં જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી રહે છે તે બાજુએ આવે છે, તે બાજુએ આવીને પરિવાર સહિત ત્રિશલા ક્ષત્રિયાણીને ગાઢ ઉંઘના ધારણમાં મૂકે છે, તેમ કરીને ત્યાં Page #42 -------------------------------------------------------------------------- ________________ $ D પર રહેલાં અસ્વચ્છ પરમાણુ પુદ્ગલોને દૂર કરીને સ્વચ્છ પરમાણુ પુદ્ગલોને ફેંકે છે-વેરે છે, તેમ કરીને તે શ્રમણ ભગવંત મહાવીરને લેશ પણ પીડા ન થાય એ રીતે ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવે છે અને વળી જે તે ત્રિશલા ક્ષત્રિયાણીનો ગર્ભ છે તેને પણ જાલંધર ગોત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં ગર્ભપણે ગોઠવે છે, આ રીતે બધું બરાબર ગોઠવીને તે દેવ, જે દિશામાંથી આવ્યો હતો તે જ દિશા તરફ પાછો ચાલ્યો ગયો. [૨૮] હવે જે ગતિથી આવ્યો હતો, તે ઉત્તમ પ્રકારની, તરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ, બીજી ગતિઓ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શીધ્ર દિવ્ય દેવગતિ વડે પાછો તીરછે અસંખ્ય દ્વીપો અને સમુદ્રોની વચ્ચોવચ્ચ થતો અને હજારહજાર જોજનની મોટી ફાળો ભરતો-એ રીતે ઊંચે ઊપડતો તે દેવ જે તરફ સૌધર્મ નામના કલ્પમાં સૌધર્માવલંસક નામના વિમાનમાં શક્ર નામના સિંહાસણમાં દેવેન્દ્ર દેવરાજ શક્ર બેઠેલો છે તે જ બાજુ તેની પાસે આવે છે, પાસે આવીને દેવેન્દ્ર દેવરાજ શક્રની એ આજ્ઞાને તરત જ પાછી સોંપી દે છે અર્થાત્ આપે જે આજ્ઞા કરેલી તેનો મેં અમલ કરી દીધો છે એમ જણાવે છે. [૨૯] તે કાલે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. ૧ મને ફેરવીને બીજે લઈ જવામાં જ હતી Jan Mo Page #43 -------------------------------------------------------------------------- ________________ આવશે એમ તેઓ જાણે છે. જે પોતે પોતાને ફેરવાતા જાણતા નથી. ૩ પોતે ફેરવાઈ ચૂકાયા છે એ પ્રમાણે જાણે છે. [૩૦] તે કાલે તે સમયે જ્યારે વર્ષાઋતુ ચાલતી હતી અને વર્ષાઋતુનો જે તે પ્રસિદ્ધ એવો ત્રીજો મહિનો અને | Hી પાંચમો પખવાડો ચાલતો હતો એટલે મહિનાનો વદિ પક્ષ ચાલતો હતો તથા તે સમયે તે વદિ પક્ષની તેરમી તિથિ એટલે તેરશની તિથિ આવેલી હતી. ભગવાનને સ્વર્ગમાંથી વ્યાને અને દેવાનંદા માહણીના ગર્ભમાં આવ્યાને એકંદરે કૂલ ખ્યાશી રાત દિવસો વીતી ગયાં હતાં અને તેરશને દિવસે ચાશીમો રાતદિવસ ચાલતો હતો, તે વ્યાશીમા દિવસની બરાબર મધરાતે એટલે આગલી રાતનો છેડો અને પાછલી રાતની શરૂઆત થતી હતી એવે સમયે ઉત્તરાફાલ્ગની નક્ષત્રનો યોગ આવતાં પિતાનુકમ્પક એવા હરિભેગમેલી દેવે શક્રની આજ્ઞાથી માહણકુંડગ્રામ નગરમાંથી કોડાલ ગોત્રના રિષભદત્ત બ્રાહ્મણની ભાર્યા જાલંધરગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાંથી ભગવંતને ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં B જ્ઞાતવંશના ક્ષત્રિયોમાંના કાશ્યપગોત્રના સિદ્ધાર્થ ક્ષત્રિયની ભાર્યા વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં લેશ પણ ! પીડા ન થાય એ રીતે બરાબર ગોઠવી દીધા. in TTTTS Page #44 -------------------------------------------------------------------------- ________________ ઈ ઈ ઈં LI [૩૧] શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. ૧ ‘હું લઈ જવાઈશ’ એમ તેઓ જાણે છે, ૨ ‘હું લઈ જવાઉં છું' એમ તેઓ જાણતા નથી એં ૩ ‘હું લઈ જવાઈ ચૂકયો' એમ તેઓ જાણે છે. b ઈ 0 23 က Y [૩૨] જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગોત્રવાળી દેવાનંદા મહાણીની કૂખમાંથી ઉપાડીને વાસિષ્ઠ ગોત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવી દીધા તે રાત્રે એ દેવાનંદા માહણી પોતાની પથારીમાં સૂતીજાગતી હતી અને તે દશામાં એણીએ પોતાને આવેલાં આ એ પ્રકારનાં ઉદાર કલ્યાણરૂપ શિવરૂપ ધન્ય મંગલ કરનારાં શોભાવાળાં એવા ચૌદ મહા સ્વપ્નો ત્રિશલા ક્ષત્રિયાણી હરી ગઈ એવું જોયું અને એમ જોઈને તેણી જાગી ગઈ. તે ચૌદ સ્વપ્નો હાથી, વૃષભ વગેરે ઉપર પ્રમાણેની ગાથામાં કહેલાં છે. [૩૩] હવે જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગોત્રવાળી દેવાનંદા માહણીની કૂખમાંથી ઉપાડીને વાસિષ્ઠ ગોત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવવામાં આવ્યા તે રાત્રે તે ત્રિશલા ક્ષત્રિયાણી પોતાના તે તેવા પ્રકારના વાસધરમાં રહેલી હતી; જે વાસઘર-સૂવાનો ઓરડો-અંદરથી ચિત્રામણવાળું હતું, બહારથી ધોળેલું, ઘસીને ကွာ ઈં J အ y ame a aG Page #45 -------------------------------------------------------------------------- ________________ ચકચકિત કરેલું અને સુંવાળું બનાવેલું હતું તથા એમાં ઊંચે ઉપરના ભાગની છતમાં ભાતભાતનાં ચિત્રો દોરેલાં હતાં, ત્યાં મણિ અને રતનના દીવાને લીધે અંધારું નાસી ગએલું હતું, એ વાસધરની નીચેની ફરસબંધી તદ્દન સરખી હતી અને તે ઉપર વિવિધ પ્રકારના સાથિયા વગેરે કોરીને તેને વધુ સુંદર બનાવવામાં આવેલી હતી, ત્યાં પાંચ રંગનાં સુંદર સુગંધી ફૂલો | જ્યાં ત્યાં વેરીને તે ઓરડાને સુગંધિત બનાવેલો હતો, કાળો અગર, ઉત્તમ કુદરૂ, તુરકીધૂપ વગેરે વિવિધ પ્રકારના ધૂપો ત્યાં સળગતા રહેતા હોવાથી એ ઓરડો મધમધી રહ્યો હતો અને તે ધૂપોમાંથી પ્રગટ થતી સુગંધીને લીધે તે ઓરડો સુંદર બનેલો હતો, બીજા પણ સુગંધી પદાર્થો ત્યાં રાખેલા હોવાથી તે, સુગંધ થઈ રહ્યો હતો અને જાણે કે કોઈ ગંધની વાટની પેઠે અતિશય મહેકી રહ્યો હતો. તે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ સુશોભિત ઓરડામાં તે તેવા પ્રકારની પથારીમાં પડી હતી. જે પથારી, ઉપર સૂનારના આખા શરીરના માપની હતી. બન્ને બાજુએ-માથા તરફ અને પગ તરફ-પણ ઓશીકાં ગોઠવેલાં હતાં, એ પથારી | બન્ને બાજુથી ઉંચી હતી અને વચ્ચે નમેલી તથા ઊંડી હતી; વળી, ગંગા નદીના કાંઠાની રેતી પગ મૂકતા જેમ સુંવાળી Page #46 -------------------------------------------------------------------------- ________________ D B Biાં લાગે એવી એ પથારી સુંવાળી હતી, એ પથારી ઉપર ધોએલો એવો અળસીના કપડાનો ઓછાડ બીછાવેલો હતો. એમાં રજ ન પડે માટે આખી પથારી ઉપર એક મોટું કપડું ઢાંકેલું હતું, મચ્છરો ન આવે માટે તેની ઉપર રાતા કપડાની | H મચ્છરદાની બાંધેલી હતી, એવી એ સુંદર, કમાવેલું ચામડું, રૂનાં પુંભડાં, બૂરની વનસ્પતિ, માખણ અને આકડાનું રૂ એ તમામ સૂવાળી વસ્તુઓની જેવી સુંવાળી તથા સેજ-પથારી સજવાની કળાના નિયમ પ્રમાણે પથારીની આસપાસ અને ઉપર પણ સુગંધી ફૂલો, સુંગંધી ચૂર્ણો વેરેલાં હોવાથી સુગંધિત બનેલી તે પથારીમાં પડેલી સૂતીજાગતી અને કાંઈક ઉંઘતી ત્રિશલા ક્ષત્રિયાણી આગલી રાતનો અંત આવતાં અને પાછલી રાતની શરૂઆત થતાં બરાબર મધરાતે, આ એ પ્રકારનાં ઉદાર ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી ગઈ. તે ચૌદ મહાસ્વપ્નો આ પ્રમાણે છે. ૧ હાથી, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ અભિષેક, ૫ માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ ધ્વજ, ૯ કુંભ, ૧૦ પધોથી ભરેલું સરોવર, ૧૧ સમુદ્ર, ૧૨ વિમાન કે ભવન, ૧૩ રતનનો ઢગલો અને ૧૪ અગ્નિ. | [૩૪] હવે તે ત્રિશલા ક્ષત્રિયાણીએ સૌથી પહેલાં સ્વપ્નોમાં હાથીને જોયો, એ હાથી ભારે અજવાળો, ચાર = 2 ) જી ) Claim eu Tu Tલાક નાણા www a brey.org Page #47 -------------------------------------------------------------------------- ________________ દાંતવાળો, ઊંચો, ગળી ગયેલા ભારે મેઘની સમાન ધોળો તથા ભેગો કરેલો મોતીનો હાર, દૂધનો દરિયો, ચંદ્રનાં કિરણો, પાણીનાં બિંદુઓ રૂપાનો મોટો પહાડ એ બધા પદાર્થો જેવો ધોળો હતો. એ હાથીના ગંડસ્થળમાંથી સુગંધી મદ ઝર્યા કરે છે અને સુગંધથી ખેંચાયેલા ભમરાઓ ત્યાં ટોળે મળ્યા છે એવું એના પોળનું મૂળ છે, વળી, એ હાથી દેવોના રાજાના હાથી જેવો છે-ઐરાવણ હાથી જેવો છે, તથા પાણીથી પરિપૂર્ણ રીતે ભરેલા વિપુલ મેઘની ગર્જના જેવો ગંભીર અને મનોહર એવો એ હાથીનો ગુલગુલાટ છે તથા એ હાથી શુભ છે, તમામ જાતનાં શુભ લક્ષણોથી અંકિત છે તથા એ હાથીના સાથળ ઉત્તમ છે એવા હાથીને ત્રિશલાદેવી પહેલા સ્વપ્નામાં જુએ છે. [૧] [૩૫] ત્યાર પછી વળી, ધોળાં કમળની પાંખડીઓના ઢગલાથી પણ વધારે રૂપની પ્રભાવાળા, કાંતિના અંબારના ફેલાવાને લીધે સર્વ બાજુઓને દીપાવતા, જેની કાંધ જાણે અતિશય શોભાને લીધે હલહલ ન થતી હોય એવી કાંતિવાળી શોભતી અને મનોહર કાંધવાળા તથા જેની રુંવાટી ઘણી પાતળી ચોખી અને સુંવાળી છે અને એવી રુંવાટીને લીધે જેની કાંતિ ચકચકિત થાય છે એવા, જેનું અંગ સ્થિર છે, બરાબર બંધાયેલ છે, માંસથી ભરેલ છે, તગડું છે અને બરાબર tired.org Page #48 -------------------------------------------------------------------------- ________________ oup 2JS ) | વિભાગવાર ઘડાયેલ છે એવા સુંદર અંગવાળા, જેનાં શિંગડાં બરાબર પૂરાં ગોળ, લટ્ટ, બીજા કરતાં વિશેષતાવાળાં, ઉત્કૃષ્ટ, અણીદાર અને ઘીએ ચોપડેલાં છે એવા ઉત્તમ શિંગડાવાળા તથા દેખાવમાં ગભરુ અને ઉપદ્રવ નહીં કરનાર એવા તથા જેના દાંત બધા બરાબર એક સરખા, શોભતા અને ધોળા છે એવા સુંદર દાંતવાળા, વળી, ન ગણી શકાય એટલા ગુણવાળા મંગલમય મુખવાળા એવા વૃષભને-બળદને ત્રિશલાદેવી બીજા સ્વપ્નામાં જુએ છે. [૨] [૩૬] પછી વળી, મોતીના હારનો ઢગલો, દૂધનો દરિયો, ચંદ્રનાં કિરણો, પાણીના બિંદુઓ અને રૂપાનો મોટો પહાડ એ બધાની સમાન ગોરા, રમણીય, દેખાવડા જેવા પોચા એટલે પંજા સ્થિર અને લટ્ટ-મજબૂત છે, જેની દાઢો ગોળ, ખુબ પુષ્ટ, વચ્ચે પોલાણ વગરની, બીજા કરતાં ચડીઆતી અને અણીવાળી છે, એવી દાઢો વડે જેનું મુખ સોહામણું દેખાય છે એવા, તથા જેના બને હોઠ ચોકખાઈવાળા, ઉત્તમ કમળ જેવા કોમળ, બરાબર માપસર, શોભાયમાન અને લટ્ટ છે એવા, રાતા કમળની પાંખડી જેવા કોમળ સુંવાળા તાળવાવાળા અને જેની ઉત્તમ જીભ બહાર લપલપાયમાન-લટકતીછે, એવા જેની બન્ને આંખો સોનીની મૂસમાં પડેલા તપાવેલા ઉત્તમ સોનાની પેઠે હલહલ કરે છે, બરાબર ગોળ છે તથા Page #49 -------------------------------------------------------------------------- ________________ એક ચોક્ખી વીજળીની પેઠે ઝગારા માર્યા કરે છે એવી ઉત્તમ આંખવાળા, વિશાળ અને ખુબ પુષ્ટ ઉત્તમ સાથળવાળા, બરાબર પૂર્ણપણે ભરાવદાર એવા જેનાં ચોખાં કાંધ છે એવા, તથા જેના વાળ-કેસરાવળી-કોમળ, ધોળી, પાતળી, સુંદર | લક્ષણવાળી, અને ફેલાયેલી છે એવા વાળના આડંબરથી જે શોભિત છે એવા, જેનું પૂંછડું ઊંચું પછાડીને ઊંચું કરેલ હોવાથી ગોળાકારે વળેલું અને સુંદર છે એવા, સૌમ્ય દેખાવદાર, ગેલ કરતા. આકાશમાંથી ઊતરતા અને પોતાના મોં માં પેસતા તથા નહોર જેનાં ભારે અણીવાળા છે એવા તથા જાણે કે મુખની શોભાએ પોતાનો પાલવ ન ફેલાયેલો હોય એવી સુંદર લટકતી જીભવાળા સિંહને તે ત્રિશલા ત્રીજે સ્વપ્ન જુએ છે. [૩] | [૩૭] ત્યાર પછી વળી, તે પૂર્ણચંદ્રમુખી ત્રિશલા દેવી ચોથે સ્વપ્ન લક્ષ્મીદેવીને જુએ છે. એ લક્ષ્મીદેવી ઊંચા પહાડ ઉપર ઉગેલા ઉત્તમ કમળના આસન પર બરાબર બેઠેલી છે, સુંદર રૂપવાળી છે, એના બન્ને પગના ફણા બરાબર ગોઠવાયેલા સોનાના કાચબા જેવા ઉંચા છે. અતિ ઉંચાં અને પુષ્ટ એવાં અંગૂઠા તથા આંગળીઓમાં એના નખ જાણે સંજેલા ન હોય એવા લાલ, માંસથી ભરેલા, ઉંચા પાતળા, તાંબા સમાન રાતા અને કાંતિથી ચમકદાર છે. કમળની W olbrey.org Page #50 -------------------------------------------------------------------------- ________________ પાંદડીઓ જેવી સુંવાળી એના હાથ અને પગની કોમળ અને ઉત્તમ આંગળીઓ છે. એની બને જાંધો ચડઊતર પ્રમાણે મોથના વળાંકની પેઠે ગોળ વળાંકવાળી છે, શરીર પુષ્ટ હોવાથી એના બને ઘુંટણ બહાર દેખાતા નથી, એના સાથળ ઉત્તમ હાથીની સૂંઢ જેવા પુષ્ટ છે તથા એણે કેડ ઉપર સોનાનો કંદોરો પહેરેલો છે એવી, એણીની કેડ કાંતિવાળા અને વિશાળ ઘેરાવાવાળી છે. જેણીનાં શરીર ઉપરનાં રુંવાટાં ઉત્તમ આંજણ, ભમરાનું ટોળું, મેઘનું જૂથ, એ બધા જેવાં શ્યામ તથા સીધાં, બરાબર સરખાં, આંતરા વિના લગોલગ ઉગેલાં, અતિશય પાતળાં, સુંદર મનોહર સૂવાળામાં સૂવાળા નરમ અને રમણીય છે, નાભિમંડળને લીધે જેણીનાં જઘન સુંદર વિશાળ અને સરસ લક્ષણવાળાં છે એવી, હથેળીમાં માઈ જાય તેવો પાતળો સુંદર ત્રિવલીવાળો જેણીનાં શરીરનો મધ્યભાગ છે એવી, અંગે અંગે વિવિધ મણિનાં, રતનનાં, પીળા સોનાનાં જેણીએ આભરણો અને ભૂષણો સજેલાં છે એવી, જેણીનાં સ્તનયુગલ ઝળહળતા છે, નિર્મળ કળશની સમાન ગોળ અને કઠણ છે, મોતીના હારથી તથા કંદ-મોગરા વગેરેનાં ફૂલોની માળાથી સજેલાં છે એવા વચ્ચે-વચ્ચે જ્યાં શોભે | ] ત્યાં પન્નાનાં નંગો જડેલાં હોઈને શોભાયમાન બનેલા તથા આંખોને ગમે તેવી રીતે મોતીનાં ઝુમખાં લટકતાં હોઈને વિશેષ guઈ છે જી હા ) www .org Page #51 -------------------------------------------------------------------------- ________________ ચમકતા એવા મોતીના હારથી સુશોભિત એવી, છાતી ઉપર પહેરેલી ગીનીની માળાથી વિરાજિત એવી, તથા ગળામાં પહેરેલાં મણિસૂત્રથી સોહામણી એવી, તે લક્ષ્મીદેવીએ ખભા ચસુધી લટકતાં ચમકતા બે કુંડલને પહેરેલાં છે તેથી વધારે સોહામણા તથા સરસ કાંતિવાળા બનેલા અને જાણે કે મુખનો કુટુંબી-સગો-જ ન હોય એવી રીતે મુખ સાથે એકાકાર થયેલા એવા શોભાગુણના સમુદાય વડે તે શોભતી લાગે છે, તેનાં લોચન કમળ જેવાં નિર્મળ વિશાળ અને રમણીય છે એવી, કાંતિને લીધે ઝગારા મારતા બન્ને હાથમાં કમળો રાખેલાં છે અને કમળોમાંથી મકરંદનાં પાણીનાં ટીપાં ટપકયાં કરે છે એવી, ગરમી લાગે છે માટે નહીં પણ માત્ર મોજને ખાતર વીંજાતા પંખાવડે શોભતી એવી, એકદમ છૂટા ગૂંચ વિનાના, કાળા, ઘટ્ટ, ઝીણા-સુંવાળા અને લાંબાવાળ વાળો એનો કેશકલાપ છે એવી, પદ્મદ્રહના કમળ ઉપર નિવાસ કરતી અને હિમવંત પર્વતના શિખર ઉપર દિગ્ગજોની વિશાળ અને પુષ્ટ સૂંઢમાંથી નીકળતા પાણી વડે જેણીનો અભિષેક થયા કરે છે એવી ભગવતી લક્ષ્મીદેવીને ત્રિશલા રાણી ચોથે સ્વપ્ન જુએ છે. [૪] [૩૮] પછી વળી, પાંચમે સ્વપ્ન આકાશમાંથી નીચે પડતી માળાને જુએ છે. મંદારનાં તાજાં ફૂલો ગુંથેલાં હોઈને એ મા કા by.sg 77 TT IS Page #52 -------------------------------------------------------------------------- ________________ Ug g ૪૪. H માળા સુંદર લાગે છે, એમાં ચંપો, આસોપાલવ, પુંનાગ, નાગકેસર, પ્રિયંગુ, સરસડો, મોગરો, મલ્લિકા, જાઈ, જાઈ, ← અંકોલ, કૂજો, કોરંટકપત્ર, મરવો-ડમરો, નવમાલિકા બકુલ, તિલક વાસંતીવેલ, સૂર્યવિકાસી કમળો, ચંદ્રવિકાસી કમળો, પાટલ, કુંદ, અતિમુક્તક, સહકાર-આંબો એ બધાં કેટલાંક વૃક્ષો અને કેટલીક વેલડી-લતાઓ તથા કેટલાક ગુચ્છાઓનાં ફૂલો ગુંથીને એ માળા બનેલી હોવાથી ઘણી જ સુંગધવાળી છે તથા એ માળાની અનોપમ મનોહર સુગંધને લીધે દશે દિશાઓ મહેક-મહેક થઈ રહી છે, વળી, એ માળામાં તમામ ઋતુમાં ખિલતાં સુગંધી ફૂલો ગુંથેલાં છે, અર્થાત્ એમાં છએ ૠતુમાં ખિલતાં ફૂલોની માળાઓ મળેલી છે, માળાનો મુખ્યવર્ણ ધોળો છે છતાં તેમાં બીજાં-બીજાં રંગબેરંગી ફૂલો મળેલાં હોવાથી તે વિવિધ રંગી શોભાયમાન અને મનોહર દીસે છે તથા એમાં વિવિધ ભાતો પડે એ રીતે ફૂલો ગોઠવેલાં છે એથી એ અચરજ પમાડે એવી લાગે છે, વળી, એ માળામાં ઊપર નીચે આગળ પાછળ એમ બધી બાજુઓમાં ગણગણાટ કરતાં Ο ← સ્પદ, ગુંજતા જણાય છે એવી એ માળા આકાશમાંથી નીચે આવતી દેખાય છે. [૫] 0 ઈં [૩૯] હવે છટ્ટે સ્વપ્ને માતા ચંદ્રને જુએ છે. એ ચંદ્ર ગાયનું દૂધ, પાણીનાં ફીણ, પાણીનાં બિંદુઓ અને રૂપાનો ઘડો J ૪૪ က က ઈં CLIC (લ) (4) D RANG CHE Page #53 -------------------------------------------------------------------------- ________________ એ બધાની જેવો વર્ણ-રંગે ધોળો છે, શુભ છે, હૃદય અને નયન એ બન્નેને ગમે એવો છે, બરાબર સંપૂર્ણ-પૂરેપૂરો છે, પણ ગાઢ અને ઘેરાં અંધારાંવાળાં સ્થળોને અંધારાં વગરનાં બનાવનાર એવો એ ચંદ્ર છે તથા પક્ષ પૂરો થતાં એટલે શુક્લપક્ષ | પૂરો થતાં છેલ્લે દિવસે જેની આનંદ આપનારી તમામ કળાઓ પૂરેપૂરી રીતે ખિલી નીકળે છે એવો, કુમુદનાં વનોને | ખિલવનાર, રાત્રિને શોભાવનાર, ચોખા કરેલા દર્પણના કાચ જેવો ચમક્તો, હંસ સમાન ધોળા વર્ણવાળો, તારા અને | નક્ષત્રોમાં પ્રધાન, તથા સમાન, દરિયાના પાણીને ઊછાળનારો, દૂમણી અને પતિ વગરની વિરહી સ્ત્રીઓને ચંદ્ર પોતાનાં કિરણોવડે સૂકવી નાખે છે એવો, વળી, એ ચંદ્ર સોમ્ય સુંદર રુપવાળો છે, વળી વિશાળ ગગનમંડળમાં સૌમ્ય રીતે ફરતો તે, જાણે ગગનમંડળનું હાલતું ચાલતું તિલક ન હોય એવો, રોહિણીના મનને સુખકર એવો એ રોહિણીનો ભરથાર છે એવા, સારી રીતે ઉલ્લસતા એ પૂર્ણચંદ્રને તે ત્રિશલાદેવી છટ્ટા સ્વપ્નમાં જુએ છે. [૬] [૪૦] ત્યાર પછી વળી, અંધારાં પડળોને ફોડી નાખનાર, તેજથી ઝળહળતો, રાતો આસોપાલવ, ખિલેલાં કેસુડાં, I H પોપટની ચાંચ, ચણોઠીનો અડધો લાલ ભાગ એ બધાનાં રંગ જેવો લાલચોળ, કમળનાં વનોને ખિલવનાર, વળી, Saint Page #54 -------------------------------------------------------------------------- ________________ (UT &ા )) - "" જ્યોતિષચક્ર ઊપર ફરનારો હોવાથી તેના લક્ષણને જણાવનાર, આકાશતળમાં દીવા જેવો, હિમનાં પડળોને ગળે પકડનાર, એટલે ગાળી નાખનાર, ગ્રહમંડળનો મુખ્ય નાયક, રાત્રિનો નાશ કરનાર, ઊગતાં અને આથમતાં ઘડીભર બરાબર સારી રીતે જોઈ શકાય એવો, બીજે વખતે જેની સામે જોઈ જ ન શકાય એવા રુપવાળો, તથા રાત્રિમાં ઝપાટાબંધ દોડતા ચોર જાર વગેરેને અટકાવનાર, ઠંડીના વેગને હઠાવી નાખનાર, મેરૂપર્વતની આસપાસ નિરંતર ફેરા ફરનાર, વિશાળ અને ચમકતા ચંદ્ર તારા વગેરેની શોભાને પોતાનાં હજાર કિરણોવડે દાબી દેનાર એવા સૂર્યને માતા સાતમા સ્વપ્નમાં જુએ છે. [૭] [૪૧] ત્યાર પછી વળી, ઉત્તમ સોનાના દંડની ટોચ ઉપર બરાબર બેસાડેલો, ભેગાં મળેલાં નીલાં-રાતાં-પીળાં અને ધોળાં તથા, પવનને લીધે લહેરખીઓ લેતાં જેને માથે મોરપીંછાં વાળની પેઠે શોભી રહ્યાં છે એવા ધ્વજને માતા આઠમે સ્વપ્ન જુએ છે, એ ધ્વજ અધિક શોભાવાળો છે. જે ધ્વજને મથાળે-ઉપરના ભાગમાં-સ્ફટિક અથવા તોડેલો શંખ, અંકરન, મોગરો, પાણીનાં બિંદુઓ અને રુપાનો કળશ એ બધાની જેવા ધોળા રંગનો શોભતો સિંહ શોભી રહેલ છે જાણે ફાઈ જ . હા હા) Cle Page #55 -------------------------------------------------------------------------- ________________ દાં જરાક કે એ સિંહ ગગનતળને ફાડી નાખવાને ફાળ ભરતો ન હોય એવો દેખાય છે એવો એ ધ્વજ છે તથા એ ધ્વજ, સુખકારી મંદમંદ પવનને લીધે ફરફરી રહેલ છે, ઘણો મોટો છે અને માણસોને એ ભારે દેખાવડો લાગે છે. [૮] [૪૨] ત્યાર પછી વળી, ઊત્તમ કંચનના જેવા ઊજળા રુપવાળો, ચોખા પાણીથી ભરેલો, ઉત્તમ, ઝગારા મારતી કાંતિવાળો, કમળોના જત્થાથી ચારે બાજુ શોભતો એવો રુપાનો કળશ માતાને નવમે સ્વપ્ન દેખાય છે તમામ પ્રકારના મંગલના ભેદો એ કળશમાં ભેગા થયેલા છે એવો એ સર્વ મંગલમય છે, ઉત્તમ રત્નોને જડીને બનાવેલા કમળ ઊપર એ કળશ શોભી રહેલ છે, જેને જોતાં જ આંખ ખુશખુશ થઈ જાય છે એવો એ રૂપાળો છે, વળી, એ પોતાની પ્રભાને ચારે કોર ફેલાવી રહ્યો છે, તમામ દિશાઓને બધી બાજુએ ઊજળી કરી રહ્યો છે, પ્રશસ્ત એવી લક્ષ્મીનું એ ઘર છે, તમામ પ્રકારનાં દૂષણો વિનાનો છે, શુભ છે, ચમકિલો છે, શોભાવડે ઉત્તમ છે, તથા તમામ ઋતુનાં સુગંધી ફૂલોની માળાઓ એ કળશના કાંઠા ઉપર મૂકેલી છે એવા રુપાના પૂર્ણકલશને તે માતા જુએ છે. [૯] [૪૩] ત્યાર પછી વળી, પદ્મસરોવર નામના સરોવરને માતા દસમાં સ્વપ્નમાં જુએ છે, એ સરોવર, ઉગતા સૂર્યનાં ETTTTTS Page #56 -------------------------------------------------------------------------- ________________ ન કિરણોથી ખિલેલાં હજાર પાંખડીવાળાં-સહસ્ત્રદલ-મોટાં કમળોને લીધે સુગંધિત બનેલ છે, એમાં કમળોનાં રજકણો પડેલાં હોવાથી એનું પાણી પિંજરા રંગનું એટલે પીળું તથા રાતું દેખાય છે, એ સરોવરમાં ચારે કોર જળચર જીવો ફરી રહ્યા છે, માછલાં એ સરોવરનું અઢળક પાણી પીધા કરે છે, વળી, ઘણું, લાંબું, પહોળું અને ઊંડું એ સરોવર સૂર્યવિકાસી કમળો, ચંદ્રવિકાસી કુવલયો, રાતાં કમળો, મોટાં કમળો, ઊજળાં કમળો, એવાં અનેક પ્રકારનાં કમળોની વિસ્તારવાળી, ફેલાતી વિવિધરંગી શોભાઓને લીધે જાણે કે ઝગારા મારતું હોય એવું દેખાય છે, સરોવરની શોભા અને રુપ ભારે મનોહર છે, ચિત્તમાં પ્રમોદ પામેલા ભમરાઓ, માતેલી-મત્ત-મધમાખીઓ એ બધાનાં ટોળાં કમળો ઊપર બેસી તેમનો રસ ચૂસી રહ્યાં છે એવા એ સરોવરમાં મીઠો અવાજ કરનારા કલહંસો, બગલાંઓ, ચક્રવાકો રાજહંસો, સારસો ગર્વથી મસ્ત બનીને તેના પાણીનો ઉપયોગ કરે છે તથા વિવિધ પ્રકારનાં પક્ષીઓનાં નરમાદાનાં જોડકાં એ સરોવરનાં પાણીનો હોંશે હોંશે ઉપયોગ કરે છે એવું એ સરોવર કમલિનીનાં પાંદડાં ઉપર બાઝેલા મોતી જેવાં દેખાતાં પાણીનાં ટીપાંઓ વડે ચિત્રોવાળું દેખાય છે, વળી એ સરોવર, જોનારનાં હૃદયોને અને લોચનોને શાંતિ પમાડે છે એવું છે એવા અનેક કમળોથી રમણીય દેખાતા એ સરોવરને માતા દસમે સ્વપ્ન દેખે છે. [૧] લn Page #57 -------------------------------------------------------------------------- ________________ [૪૪] ત્યાર પછી વળી, માતા અગિયારમે સ્વપ્ને ક્ષીરોદધિ સાગરને-દૂધના દરિયાને જુએ છે. એ ક્ષીરોદધિસાગરનો | મધ્યભાગ, જેવી ચંદ્રનાં કિરણોના સમૂહની શોભા હોય તેવી શોભાવાળો છે એટલે અતિઉજળો છે, વળી, એ ક્ષીરોદધિસાગરમાં ચારે બાજુ પાણીનો ભરાવો વધતો-વધતો હોવાથી એ બધી બાજુએ ઘણો ઊંડો છે, એનાં મોજાં ભારે ચપળમાં ચપળ અને ઘણાં ઊંચાં ઊછળતાં હોવાથી એનું પાણી ડોલ્યા જ કરે છે, તથા જ્યારે ભારે પવનનું જોર હોય છે ત્યારે પવન એનાં મોજાંની સાથે જોરથી અથડાય છે તેથી મોજાં જાણે જોરજોરથી દોડવા લાગે છે, ચપળ બને છે, એથી એ સ્પષ્ટ દીસતા તરંગો આમતેમ નાચતા હોય એવો દેખાવ થાય છે તથા એ તરંગો ભયભીત થયા હોય એમ અતિક્ષોભ પામેલા જેવા દેખાય છે એવા એ સોહામણા નિર્મળ ઉદ્ધત કલ્લોલોના મેળાપને લીધે જોનારને એમ જણાય છે કે જાણે ઘડીકમાં એ દરિયા કાંઠા તરફ દોડતો આવે છે અને ઘડીકમાં વળી એ પોતા તરફ પાછો હટી જાય છે એવો એ ક્ષીરોદધિસાગર ચમકતો અને રમણીય દેખાય છે, એ દરિયામાં રહેતા મોટા-મોટા મગરો, મોટા-મોટા મચ્છો, તિમિંગલ, નિરુદ્ધ અને તિલતિલિય નામના જળચરો પોતાનાં પૂછડાંને પાણી સાથે અફળાવ્યા કરે છે એથી એનાં ચારે બાજુ કપૂરની જેવાં ઊજળાં ફીણ વળે છે અને એ દરિયામાં મોટી eyay Page #58 -------------------------------------------------------------------------- ________________ મોટી ગંગા જેવી મહાનદીઓના પ્રવાહો ભારે ધસારા બંધ પડે છે, એ વેગથી પડતા પ્રવાહોને લીધે એમાં ગંગાવર્ત નામની ભમરીઓ પેદા થાય છે, એ ભમરીઓને લીધે ભારે વ્યાકુળ થતાં દરિયાનાં પાણી ઊછળે છે, ઊછળીને પાછાં ત્યાં જ પડે છે, ભમ્યા કરે છે-ઘુમરી લે છે, એવાં ઘુમરીમાં ચક્કર-ચક્કર ફરતાં એ પાણી ભારે ચંચળ જણાય છે એવા એ ક્ષીરસમુદ્રને શરદઋતુના ચંદ્રસમાન સૌમ્યમુખવાળી તે ત્રિશલા માતા અગિયારમા સ્વપ્ન જુએ છે. [૧૧] [૪૫] ત્યાર પછી વળી, માતા બારમે સ્વપ્ન ઉત્તમ દેવવિમાનને જુએ છે, એ દેવવિમાન ઊગતા સૂર્યમંડલની જેવી ચમકતી કાંતિવાળું છે, ઝળહળતી શોભાવાળું છે, એ વિમાનમાં ઉત્તમ સોનાના અને મહામણિઓના સમૂહમાંથી ઘડેલા ઉત્તમ એક હજાર અને આઠ ટેકા-થાંભલા-મૂકેલા છે તેથી એ ચમકતું દેખાતું વિમાન આકાશને વિશેષ ચમકતું બનાવે છે, એવું એ વિમાન સોનાના પતરામાં ચળકતી દિવ્યમાળાઓ લટકાવેલી છે, વળી એમાં વૃક, વૃષભ, ઘોડો, પુરુષ, મગર, પક્ષી, સાપ, કિન્નરો, રુરુમૃગો, શરભ, ચમરી ગાય, વિશેષ પ્રકારનાં જંગલી જનાવરો, હાથી, વનની વેલડી, કમળવેલ વગેરેનાં વિવિધ ભાતવાળાં ચિત્રો દોરેલાં છે તથા એમાં ગંધર્વો ગાઈ રહ્યાં છે, અને વાજાં વગાડી રહ્યાં છે તેથી એમના હાજી ) ) ( ક ) ની www .gy Page #59 -------------------------------------------------------------------------- ________________ ઈ ૪) અવાજોથી એ પૂરેપૂરું ગાજતું દેખાય છે, વળી, પાણીથી ભરેલા વિપુલ મેઘની ગર્જનાના જેવા અવાજવાળા નિત્ય ગાજતા દેવદુંદુભિના મોટા અવાજ વડે જાણે આખાય જીવલોકને એ વિમાન ન ભરી દેતું હોય એવું એ ગાજે છે, કાળો અગર, ઉત્તમ કંદરૂ-કિન્નરૂ, તુરકી ધૂપ વગેરે બળતા ધૂપોને લીધે મઘમઘી રહેલું એ વિમાન ગંધના ફેલાવાને લીધે મનોહર લાગે છે અને એ નિત્ય પ્રકાશવાળું, ધોળું, ઉજળી પ્રભાવાળું, દેવોથી શોભાયમાન, સુખોપભોગરૂપ એવું ઉત્તમોત્તમ વિમાન તે ત્રિશલાદેવી બારમા સ્વપ્નામાં જુએ છે. [૧૨] פן 3 סול [૪૬] ત્યાર પછી, માતા ત્રિશલા તેરમે સ્વપ્ન તમામ પ્રકારના રત્નોના ઢગલાને જુએ છે. એ ઢગલો ભોંતળ ઊપર રહેલો છે છતાં ગગનમંડળના છેડાને પોતાના તેજથી ચકચકત કરે છે, એમાં પુલક, વજ, ઈંદ્રનીલ, સાસગ, કર્કેતન, લોહીતાક્ષ, મરકત, મસારગલ્લ, પ્રવાલ, સ્ફટિક, સૌગંધિક, હંસગર્ભ, અંજન, ચંદનપ્રભ વગેરે ઉત્તમ રત્નોનો રાશિ સરસ રીતે ગોઠવાયેલો છે, રત્નોનો એ ઢગલો ઊંચો મેરુપર્વત જેવો લાગે છે, એવાં રત્નોના રાશિ-ઢગલાને તે ત્રિશલાદેવી તેરમે સ્વપ્ન જુએ છે. [૧૩] ધ פיל am, and es જી G HT Page #60 -------------------------------------------------------------------------- ________________ લાઉ (UT) SI, ( પછી વળી, ચૌદમે સ્વપ્ન માતા ત્રિશલા અગ્નિને જુએ છે. એ અગ્નિની જ્વાલાઓ ખુબખુબ ફેલાયેલ છે તથા એમાં ધોળું ઘી અને પીળાશ પડતું મધ વારંવાર છંટાતું હોવાથી એમાંથી મુદ્દલ ધૂમાડો નીકળતો નથી એવો એ અગ્નિ ધખધખી રહ્યો છે, એની ધખધખતી જલતી જ્વાલાઓને લીધે તે સુંદર લાગે છે, વળી, એની નાની મોટી ઝાળો-જ્વાલાઓનો સમૂહ | એક બીજીમાં મળી ગયા જેવો જણાય છે તથા જાણે કે ઊંચે-ઊંચે સળગતી ઝાળોવડે એ અગ્નિ કોઈ પણ ભાગમાં | આકાશને પકવતો ન હોય એવો દેખાતો એ અતિશય વેગને લીધે ચંચળ દેખાય છે. તે ત્રિશલા માતા ચૌદમે સ્વપ્ન એવા અગ્નિને જુએ છે. [૧૪] [૪૮] એ પ્રમાણે ઉપર વર્ણવ્યાં એવાં એ શુભ, સૌમ્ય, જોતાં પ્રેમ ઊપજે એવાં, સુંદર રૂપવાળાં-રૂપાળાં સ્વપ્નોને જોઈને કમળની પાંખડી જેવાં નેત્રવાળાં અને હરખને લીધે અંગ ઉપરનું જેમનું રૂંવેરૂવું ખડું થયેલ છે તેવાં દેવી ત્રિશલા માતા પથારીમાં જાગી ગયાં. જે રાત્રે મોટા જશવાળા અરિહંત-તીર્થકર, માતાની કૂખમાં ગર્ભરૂપે આવે છે. તે રાતે તીર્થકરની બધી માતાઓ એ ચૌદે સ્વપ્નોને જુએ છે. Jan L im www Yory Page #61 -------------------------------------------------------------------------- ________________ פוס છે કોઈ ઈ [૪૯] ત્યાર પછી, આ એ પ્રકારના ઉદાર ચૌદ એવા મહાસ્વપ્નો જોઈને જાગેલી છતી તે ત્રિશલા ક્ષત્રિયાણી ભારે હરખ પામી, યાવત્ તેનું હૃદય આનંદને લીધે ધડકવા લાગ્યું તથા મેઘની ધારાઓથી છંટાયેલ કદંબનું ફૂલ જેમ ખિલી ઊઠે ઈ તેમ તેણીનાં રૂંવેરૂંવાં આખા શરીરમાં ખિલી ઉઠયાં એવી એ ત્રિશલા રાણી પોતાને આવેલાં એ સ્વપ્નોને સાધારણ રીતે યાદ કરે છે, એ રીતે બરાબર યાદ કરીને પોતાની પથારીમાંથી ઊભાં થાય છે, ઊભાં થઈને પગ મૂકવાના પાદપીઠઊપરથી ઊતરે છે, ત્યાંથી ઊતરીને ધીમેધીમે અચપલપણે વેગ વગરની અને વિલંબ ન થાય એવી રાજહંસ સમાન ગતિએ ચાલતાં જ્યાં ક્ષત્રિય સિદ્ધાર્થનું શયન છે અને જ્યાં ક્ષત્રિયસિદ્ધાર્થ છે ત્યાં આવી પહોંચ્યાં, આવીને તે પ્રકારની કાનને મીઠી લાગે તેવી, પ્રીતી પેદા કરે તેવી, મનને ગમે તેવી, મનને પસંદ પડે તેવી, ઉદાર કલ્યાણરૂપ, શિવ-શાંતિકરનારી, ધન્યરૂપ, મંગલ કરનારી એવી સોહામણી રૂડી-રૂડી તથા હ્રદયંગમ, હૃદયને આલ્હાદ કરે તેવી, પ્રમાણસર મધુર અને મંજુલ ભાષાવડે વાતચિતો કરતાં-કરતાં તેઓ ક્ષત્રિય સિદ્ધાર્થને જગાડે છે. ઈ [૫૦] ત્યાર પછી, ક્ષત્રિય સિદ્ધાર્થની અનુમતિ પામેલાં તે ત્રિશલા ક્ષત્રિયાણી વિવિધ પ્રકારનાં મણિ અતે રત્નોને JU Page #62 -------------------------------------------------------------------------- ________________ જડીને ભાતીગળ બનાવેલા-ચિત્રવાળા ભદ્રાસનમાં બેસે છે. બેસીને વિસામો લઈ ક્ષોભરહિત બની સુખાસનમાં સારી રીતે બેઠેલાં તે ક્ષત્રિયાણી સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રત્યે તે તે પ્રકારની ઈષ્ટ યાવત્ મધુર ભાષાવડે વાત કરતાં-કરતાં આ પ્રમાણે બોલ્યાં. ૫૧] ખરેખર એમ છે કે હે સ્વામી ! આજે હું તેવા પ્રકારના ઉત્તમ બિછાનામાં સૂતીજાગતી પડી હતી, તેવામાં ચૌદ સ્વપ્નોને જોઈને જાગી ગઈ તે ચૌદ સ્વપ્નો હાથી વૃષભ વગેરે હતાં. તો તે સ્વામી ! એ ઉદાર એવા ચૌદ મહાસ્વપ્નોનું હું માનું છું તેમ કલ્યાણરુપ વિશેષ પ્રકારનું ફળ હશે? પિર) ત્યાર પછી, તે સિદ્ધાર્થ રાજા ત્રિશલા ક્ષત્રિયાણી પાસેથી એ વાત સાંભળીને સમજીને હર્ષવાળો અને સંતુષ્ટ ચિત્તવાળો થયો, આનંદ પામ્યો, તેના મનમાં પ્રીતિ થઈ, મન ઘણું પ્રસન્ન થઈ ગયું, હર્ષને લીધે તેનું હૃદય ધડકવા લાગ્યું અને મેઘની ધારાથી છંટાયેલ કદંબના સુગંધી ફૂલોની પેઠે તેનાં રોમ-રોમ ઊભાં થઈ ગયાં. આ રીતે ખુબ રાજી થયેલો સિદ્ધાર્થ તે સ્વપ્નો વિશે એક સામટો સામાન્ય વિચાર કરે છે, તે પછી સ્વપ્નોનો નોખો-નોખો વીગતથી વિચાર કરે છે, 13. વીગતથી વિચાર કરીને પછી તે પોતાની સ્વાભાવિક મતિ સહિતના બુદ્ધિ વિજ્ઞાન વડે તે સ્વપ્નોના વિશેષ ફળનો નોખો 1 પર પહાણ ના www .sy.org Page #63 -------------------------------------------------------------------------- ________________ નોખો નિશ્ચય કરે છે, તેમના વિશેષ ફળનો નોખો-નોખો નિશ્ચય કરીને તેણે પોતાની ઈષ્ટ યાવતુ મંગળરુપ, પરિમિત, મધુર અને સોહામણી ભાષાવડે વાત કરતાં કરતાં ત્રિશલાં ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું. [૫૩] હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર સ્વપ્નો દીઠાં છે, હે દેવાનુપ્રિયે ! તમે કલ્યાણરુપ સ્વપ્નો દીઠાં છે, એ જ પ્રમાણે તમે જોયેલાં સ્વપ્નો શિવરુપ છે, ધન્યરુપ છે, મંગળરુપ છે, ભારે સોહામણાં છે, એ તમે જોયેલાં સ્વપ્નો આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરનારાં, દીર્ધાયુષ્યનાં સૂચક અને કલ્યાણકારક છે. હે દેવાનુપ્રિયે ! તમે મંગલ કરનારાં સ્વપ્નો દીઠાં છે. તે જેમકે, તમે જોયેલાં સ્વપ્નોથી આપણને હે દેવાનુપ્રિયે! અર્થનો લાભ થવો જોઈએ. હે દેવાનુપ્રિયે ! ભોગનો લાભ થવો જોઈએ, પુત્રનો લાભ થવો જોઈએ, એ જ રીતે સુખનો લાભ અને રાજ્યનો લાભ થવો જોઈએ. ખરેખર એમ છે કે હે દેવાનુપ્રિયે ! તમે નવ મહિના બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડાસાત રાતદિવસ વીત્યા પછી અમારા કુલમાં ધ્વજ સમાન, દીવા સમાન, પર્વત સમાન અચળ, મુગટ સમાન, તિલક સમાન, કીર્તિ કરનાર, કુલનો બરાબર નિર્વાહ કરનાર, કુલમાં સૂરજ સમાન, કુલના આધારરુપ, કુલની વૃદ્ધિ કરનાર, કુલનો જશ વધારનાર, કુલને છાંયો આપનાર TI Page #64 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષ સમાન અને કુલની વિશેષ વૃદ્ધિ કરનાર, એવા પુત્રને જન્મ આપશો. વળી, તે જનમનાર પુત્ર હાથેપગે સુકુમાળ, શરીર અને પાંચે ઈદ્રિયોથી પૂરો તથા જરાપણ ખોડ વગરનો હશે તથા એ, શરીરનાં તમામ ઉત્તમ લક્ષણોથી એટલે હાથપગની રેખાઓ વગેરેથી અને વ્યંજનોથી એટલે તલ, મસ વગેરેથી યુક્ત હશે. એના શરીરનું માન, વજન અને ઉંચાઈ એ પણ બધું બરાબર હશે તથા એ પુત્ર સર્વાગે સુજાત, સુંદર, ચંદ્રસમાન સૌમ્યકાંતિવાળો, કાંત, પ્રિય લાગે એવો અને દર્શન કરવું ગમે એવો હશે અર્થાત્ હે દેવાનુપ્રિયે ! તમે ઉપર વર્ણવ્યા તેવા ઉત્તમ પુત્રને જનમ આપશો. [૫૪] વળી, તે પુત્ર જ્યારે પોતાનું બાળપણ પૂરું કરી ભણીગણી બરાબર ઘડાઈ તૈયાર થઈ યૌવન અવસ્થાએ પહોંચશે ત્યારે શૂર થશે, વીર થશે, પરાક્રમી થશે, એની પાસે વિશાળ સેના તથા વાહનો વિપુલ થશે, અને તમારો એ પુત્ર રાજ્યનો ધણી એવો રાજા થશે. માટે હે દેવાનુપ્રિયે ! તમે જે મહાસ્વપ્નો દીઠાં છે તે બધાં ભારે ઉત્તમ છે એમ કહીને થાવત્ બે વાર, ત્રણ વાર પણ એમ કહીને તે સિદ્ધાર્થ રાજા, ત્રિશલા ક્ષત્રિયાણીની ભારે પ્રશંસા કરે છે. | [૫૫] ત્યાર પછી, તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાત સાંભળી, સમજી ભારે હરખાણી, સંતોષ Page #65 -------------------------------------------------------------------------- ________________ ઈઈ JY પામી યાવત્ તેનું હૃદય પ્રફુલ્લ થઈ ગયું અને તે હાથની બન્ને હથેળીની દશે નખ ભેગા થાય એ રીતે મસ્તકમાં શિરસાવર્ત કરવા સાથે અંજલિ કરીને આ પ્રમાણે બોલી. అ טיס [૫૬] હૈ સામી ! એ એ પ્રમાણે છે, હે સામી ! એ તમે કહ્યું તે પ્રમાણે છે, હે સામી ! તમારું કહેણ સાચું છે, હે સામી ! તમારું વચન સંદેહ વિનાનું છે, હે સામી ! હું એ તમારા કથનને વાંછું છું, હે સામી ! મેં તમારા એ કથનને તમારા મુખથી નીકળતાં જ સ્વીકારી લીધું છે, હે સામી ! તમારું મને ગમતું એ કથન મેં ફરી ફરીને વાંછેલ છે, જેમ તમે સ્વપ્નોના એ અર્થને બતાવો છો તેમ એ સાચા છે; એમ ત્રિશલા ક્ષત્રિયાણી સ્વપ્નોના અર્થને સારી રીતે સ્વીકારે છે, એ પ્રમાણે સ્વપ્નોના અર્થને સારી રીતે સ્વીકારીને સિદ્ધાર્થ રાજાની રજા લઈ તે વિવિધ પ્રકારનાં જડેલાં મણિ અને રત્નોની ભાતવાળા અદ્ભુત ભદ્રાસન ઉપરથી ઊભી થાય છે, ઊભી થઈને ધીમે-ધીમે અચલપણે, ઉતાવળ વગરની, વિલંબ કર્યા વગરની રાજહંસની જેવી ચાલથી ચાલતી એવી તે એમ કહેવા લાગી. ร [૫૭] મને આવેલાં તે ઉત્તમ પ્રધાન મંગલરુપ મહાસ્વપ્નો, બીજાં પાપસ્વપ્નો આવી જવાને લીધે નિષ્ફળ ન બને ร JJ Page #66 -------------------------------------------------------------------------- ________________ on 9 જી ) ( ) PT માટે મારે જાગતું રહેવું જોઈએ એમ કરીને તે દેવ અને ગુરુજનને લગતી પ્રશંસાપાત્ર મંગલરુપ ધાર્મિક અને સરસ વાતો વડે પોતાનાં એ મહાસ્વપ્નોની સાચવણ માટે જાગતી રહેલી છે. [૫૮] ત્યાર બાદ સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રભાતના સમયમાં પોતાના કૌટુંબિક પુરુષોને સાદ દે છે, પોતાના કૌટુંબિક પુરુષોને સાદ દઈ તે આ પ્રમાણે બોલ્યોઃ હે દેવાનુપ્રિયો ! આજે બહારની આપણી બેઠકને સવિશેષ રીતે જલદી સજાવવાની છે એટલે કે તેમાં સુગંધી પાણી છાંટવાનું છે, બરાબર સાફ કરીને તેને લિંપવાની છે, ત્યાં ઉત્તમ સુગંધવાળા પાંચ પ્રકારનાં પુષ્પો વેરવાનાં છે, કાળો અગર, ઉત્તમ કંદર અને તુર્કી ધૂપ સળગાવી તે આખી બેઠક મઘમઘતી કરવાની છે તથા ઊંચે જતા સુગંધને લીધે તેને સુંદર બનાવવાની છે. જ્યાં ત્યાં સુગંધવાળાં ઉત્તમ ચૂર્ણો છાંટી તેને સુગંધ કરી મૂકવાની છે જાણે કે એ, કોઈ સુગંધી વસ્તુની ગોટી-ગોળી જ હોય એવી તેને સજવાની છે; આ બધું ઝટપટ કરો, કરાવો અને કરીને તથા કરાવીને ત્યાં એક મોટું સિંહાસણ મંડાવો, સિંહાસણ મંડાવી તમે મેં જે જે કહ્યું છે તે બધું કરી નાખ્યું છે' એ રીતે મારી આ આજ્ઞા મને તરત જ પાછી વાળો. [૫૯] ત્યાર પછી, સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે હુકમ કરેલા તે કૌટુંબિક પુરુષો રાજી રાજી થતા યાવતુ હૃદયમાં ઉલ્લાસ 9 ) ( ) Jain Education intematon une only M HIMATEGY,Gg Page #67 -------------------------------------------------------------------------- ________________ D.D ઉર્ડ વિક છે કે વિલ અ) ક &ઇ) પામતા હાથ જોડીને યાવતુ અંજલિ કરીને ‘સામી ! જેવી આપની આજ્ઞા” એમ કરીને રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારીને તેઓ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી બહાર નીકળે છે, બહાર નીકળી જ્યાં બહારની બેઠક છે ત્યાં આવે છે, ત્યાં આવીને તરત જ એ બેઠકને સવિશેષપણે સજાવવા મંડી પડે છે એટલે કે તે બેઠકમાં સુગંધી પાણીને છાંટવાથી માંડીને મોટું સિંહાસણ મંડાવવા સુધીની તમામ સજાવટ કરી નાખે છે અને એ બધી સજાવટ પૂરી કરીને તે કોટુંબિક પુરુષો જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં આવે છે, ત્યાં આવીને દશે નખ ભેગા થાય એ રીતે બને હથેળીઓને ભેળી કરી માથા ઉપર શિરસાવર્ત સાથેની અંજલિ કરી સિદ્ધાર્થ ક્ષત્રિયની તે આજ્ઞા પાછી આપે છે એટલે હે સામી ! આપે જેમ ફરમાવેલું તેમ બધું કરી આવ્યા છીએ, એમ કહે છે. | [૬૦] પછી, વળતે દિવસે સવારના પહોરમાં જ્યારે પોયણાં કોમળપણે પાંદડીએ પાંદડીએ ખીલવા માંડયાં છે, હરણની આંખો કોમળપણે ધીરે ધીરે ઉઘડવા લાગી છે, ઊજળું પ્રભાત થવા આવ્યું છે, વળી, રાતા અશોકની પ્રજાના પુંજ સમાન, કેસુડાનાં રંગ જેવો, પોપટની ચાંચ જેવો અને ચણોઠીના અડધા લાલરંગ જેવો લાલચોળ તથા મોટાં મોટાં /TV Page #68 -------------------------------------------------------------------------- ________________ ( w) Si જી ) 3 ૪[ જળાશયોમાં ઉગેલા કમળોને ખિલવનાર હજાર કિરણોવાળો તેજથી ઝળહળતો દિનકર સૂર્ય ઉગી ગયો છે ત્યારે સિદ્ધાર્થ ક્ષત્રિય બિછાનામાંથી ઊભા થાય છે. [૬૧] બિછાનામાંથી ઊભા થઈને પાદપીઠ ઉપર ઊતરે છે, પાદપીઠ ઉપરથી ઊતરીને જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવે છે, ત્યાં આવીને વ્યાયામશાળામાં પ્રવેશ કરે છે, વ્યાયામશાળામાં પ્રવેશ કરીને અનેક પ્રકારનાં વ્યાયામો કરવા માટે શ્રમ કરે છે, શરીરને ચોળે છે, પરસ્પર એક બીજામાં હાથ પગ વગેરે અંગોને મરડે છે, મલ્લયુદ્ધ કરે છે અને વિવિધ પ્રકારનાં આસનો કરે છે, એ રીતે શ્રમ કરીને આખે શરીરે અને શરીરના અવયવ-અવયવે પ્રીતિ ઉપજાવનારાં, સુંધવા જેવાં સુગંધથી મધમધતાં, જઠરને તેજ કરાનારાં, બળ વધારનારા અને તમામ ઈદ્રિયોને તથા તમામ ગાત્રોને સુખમાં તરબોળ કરે તેવાં, સોવાર અને હજારવાર પકવેલાં એવાં શતપાક સહસ્ત્રપાક વગેરે અનેક જાતનાં ઉત્તમ સુગંધવાળાં તેલો ચોપડવામાં આવ્યાં, પછી તળાઈ ઉપર ચામડું પાથરીને તે ઉપર બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને આખે શરીરે અને અવયવેઅવયવે માલિશ કરવામાં નિપુણ, હાથે પગે સંપૂર્ણપણે કોમળ તળિયાવાળા સુંવાળા, તેલ ચોપડવામાં, તેલની માલિશ કરવામાં, માલિશ કરેલું તેલ પરસેવા વાટે બહાર કાઢી નાખવામાં જે કાંઈ શરીરને ફાયદા છે તે તમામ ફાયદાના બરાબર 0 - લકી ow) Jain Econon meminan For Une only www. my.org Page #69 -------------------------------------------------------------------------- ________________ જાણનારા, સમયના જાણકાર, કોઈપણ કાર્યને વિના વિલંબે કરનારા, શરીરે પટ્ટા, કુશલ, બુદ્ધિવાળા અને થાકને જિતી ગયેલા એવા પુરુષોએ હાડકાનાં સુખ માટે, ચામડીનાં સુખ માટે તથા રોમેરોમમાં સુખ થાય એ માટે ચારે પ્રકારની સુખકર અંગસેવા થાય તે નિમિત્તે તેલ વગેરેની માલિશ કરી અને સિદ્ધાર્થ ક્ષત્રિયનો તમામ થાક દૂર કરી નાખ્યો છે એવા તે વ્યાયામશાળામાંથી બહાર નીકળે છે. [૬૨] વ્યાયામશાળામાંથી બહાર નીકળીને તે જ્યાં સ્નાનઘર છે ત્યાં આવે છે, ત્યાં આવીને સ્નાનઘરમાં પેસે છે, સ્નાનઘરમાં પેસીને મોતીથી ભરેલા અનેક જાળિયાંને લીધે મનોહર અને ભોતળમાં વિવિધ મણિ અને રત્નો જડેલાં છે એવા રમણીય મંડપ નીચે ગોઠવવામાં આવેલા વિવિધ મણિ અને રત્નોના જડતરને લીધે ભાતવાળા બનેલા અદ્ભુત સ્નાનપીઠ ઉપર સુખે બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને ફૂલોના રસથી ભરેલાં એટલે અત્તર નાખેલાં પાણી વડે, ચંદન વગેરે નાખીને, સુગંધવાળાં બનાવેલાં પાણી વડે, ઊનાં પાણી વડે, પવિત્ર તીર્થોમાંથી આણેલાં પાણી વડે અને ચોખાં પાણી વડે કલ્યાણકારી ઉત્તમ રીતે સ્નાનવિધિ પ્રમાણે સ્નાન કરાવવામાં કુશળ પુરુષોએ નવરાવ્યો તથા ત્યાં હાતી વખતે બહુપ્રકારનાં રક્ષા વગેરેનાં સેંકડો કૌતુક તેના શરીર ઉપર કરવામાં આવ્યાં, એ રીતે કલ્યાણકારી ઉત્તમ પ્રકારનો Cangas Page #70 -------------------------------------------------------------------------- ________________ D B સ્નાનવિધિ પૂરો થતાં રૂવાટાવાળા, સુંવાળા સુગંધિત રાતા અંગલુંછણા વડે તેના શરીરને લુસવામાં આવ્યું. ક્યાંય પણ ફાટયા તુટયા વિનાનું ઘણું કિંમતી ઉત્તમ વસ્ત્ર એટલે ધોતિયું પહેર્યું, શરીર ઉપર સરસ સુગંધિત ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો, પવિત્ર માળા પહેરી તથા શરીર ઉપર કેસર મિશ્રિત સુગંધિત ચૂર્ણ છાંટયું, મણિથી જડેલાં સોનાનાં આભૂષણો પહેર્યા એટલે અઢાર સરવાળો હાર, નવસેરો અઈહાર, ત્રણ સરવાળું ડોકિયું. લટકતું ઝૂમણું અને કેડમાં કંદોરો વગેરે પહેરીને એ સુશોભિત બન્યો, વળી તેણે ડોકમાં આવનારાં તમામ ઘરેણાં પહેર્યા, આંગળીમાં સુંદર વીંટીઓ પહેરી, ફૂલો ભરાવીને વાળને સુશોભિત બનાવ્યા, ઉત્તમ કડાં અને બાજુબંધ પહેરવાથી તેની બન્ને ભુજાઓ સજ્જડ થઈ ગઈ, એ રીતે તે, અધિક રુપને લીધે શોભાવાળો બન્યો, કુંડળો પહેરાવાથી મુખ ચમકવા લાગ્યું, મુગટ માથે મૂકવાથી મસ્તક દીપતું થયું, હૃદય હારથી ઢંકાયેલું હોઈ તે સવિશેષ દેખાવડું થયું, વીંટીઓ પહેરવાથી પીળી લાગતી આંગળીઓ ચમકવા લાગી, આ બધું પહેર્યા પછી તેણે લાંબા લટકતા કપડાનો ખેસ પોતાના અંગ ઉપર સરસ રીતે નાખ્યો અને છેક છેલ્લે તે સિદ્ધાર્થ ક્ષત્રિયે નિપુણ કારીગરે બનાવેલા વિવિધ મણિ સુવર્ણ અને રત્નોથી જડેલાં વિમળ, બહુમૂલાં, ચકચકતાં બનાવેલાં, મજબૂત સાંધાવાળાં ઉત્તમ પ્રકારનાં ઘણાં સુંદર વીરવલયો પહેર્યા, વધારે વર્ણન શું કરવું ? જાણે કે તે રાજા-સિદ્ધાર્થ (ક) લોક ) શા) વાત છે. ] Page #71 -------------------------------------------------------------------------- ________________ CLIQ ક્ષત્રિય-સાક્ષાત્ કલ્પવૃક્ષ જ હોય એમ અલંકૃત અને વિભૂષિત બન્યો, આવા સિદ્ધાર્થ રાજાના માથા ઉપર છત્રધરોએ કેટ કોરંટના ફૂલોની માળાઓ લટકાવેલ છત્ર ધર્યું, અને સાથે જ તે ધોળા ઉત્તમ ચામરોથી વીંજાવા લાગ્યો, તેને જોતાં જ લોકો ‘જય જય’ એવો મંગળનાદ કરવા લાગ્યા, એ રીતે સજ્જ થયેલો, અનેક ગણનાયકો, દંડનાયકો, રાજાઓ, યુવરાજો, રાજાએ પ્રસન્ન થઈને જેમને પટ્ટો બંધાવેલા છે તે તલવરો-રાજસ્થાનીય પુરુષો, મડંબના માલિકો, કૌટુંબિકો, મંત્રીઓ, મહામંત્રીઓ, ગણનાયકો, દ્વારપાળો, અમાત્યો, ચેટો, પીઢમર્દકો, મિત્ર જેવા સેવકો, કર ભરનાર નગરના લોકો, વ્હેવારીયા લોકો, વાણિયાઓ, શ્રીદેવીના છાપવાળો સોનાનો પટ્ટો માથા ઉપર પહેરનારા શેઠ લોકો, મોટા મોટા સાર્થવાહ લોકો, દૂતો અને સંધિપાળોથી વીંટળાયેલો જાણે કે ધોળા મહામેઘમાંથી ચંદ્ર નીકળ્યો હોય તેમ તથા ગ્રહો, દીપતાં નક્ષત્રો અને તારાઓ વચ્ચે જેમ ચંદ્ર દીપતો લાગે તેમ તે તમામ લોકોની વચ્ચે દીપતો, ચંદ્રની પેઠે ગમી જાય એવો દેખાવડો તે રાજા સ્નાનઘરમાંથી બહાર નીકળ્યો. ร [૬૩] સ્નાનઘરમાંથી બહાર નીકળીને જ્યાં બહારની બેઠક છે ત્યાં તે આવ્યો, ત્યાં આવીને સિંહાસણ ઉપર પૂર્વદિશામાં મુખ રહે તેમ બેઠો, બેસીને પોતાથી ઉત્તરપૂર્વના દિશાભાગમાં એટલે ઈશાન ખૂણામાં તેણે ધોળાં કપડાંથી ang age ang Page #72 -------------------------------------------------------------------------- ________________ ઢંકાયેલાં તથા જેમની ઉપર સરસવ વેરીને માંગલિક ઉપચાર કરવામાં આવેલ છે એવાં આઠ ભદ્રાસનો મંડાવ્યાં, એમ આઠ ભદ્રાસનો મંડાવીને પછી વળી પોતાની બહુ દૂર તેમ બહુ નજીક નહીં એમ વિવિધ મણિ અને રત્નોથી ભરેલો, ભારે દેખાવડો મહામૂલો, ઉત્તમનગરમાં બનેલો અથવા ઉત્તમ વીંટણામાંથી બહાર નીકળેલો, પારદર્શક-આરપાર દેખાય એવા આછા કપડામાંથી નીપજાવેલો, સેંકડો ભાતવાળો, વિવિધ ચિત્રોવાળો એટલે વૃક, બળદ, ઘોડો, પુરુષ, મગર, પક્ષી, સાપ, કિંનર, વિશેષ પ્રકારનો મૃગ અષ્ટાપદ ચમરી ગાય હાથી વનલતા અને કમળવેલ વગેરેની ભાતવાળાં ચિત્રોવાળો એવો બેઠકની અંદર એક પડદો તણાવે છે, એવો પડદો તણાવીને પડદાની અંદર વિવિધ મણિ અને રત્નીથી જડેલું ભાતવાળું અદ્ભુત, તકિયો અને સુંવાળી કોમળ ગાદીવાળું ધોળા કપડાંથી ઢાંકેલું, ઘણું કોમળ, શરીરને સુખાકારી સ્પર્શવાળું ઉત્તમ પ્રકારનું એક ભદ્રાસન ત્રિશલા ક્ષત્રિયાણીને બેસવા માટે મંડાવે છે. [૬૪] એવું ભદ્રાસન મંડાવીને તે સિદ્ધાર્થ ક્ષત્રિય કૌટુંબિક પુરુષોને બોલાવે છે, કૌટુંબિક પુરુષોને બોલાવીને તે આ પ્રમાણે બોલ્યોઃ હે દેવાનુપ્રિયો ! તમે તરત જ જાઓ અને જેઓ અષ્ટાંગમહાનિમિત્તનાં શાસ્ત્રોના અર્થના Jan ELITE www. exprey.org Page #73 -------------------------------------------------------------------------- ________________ પારગામી છે, વિવિધ શાસ્ત્રોમાં કુશળ છે તેવા સ્વપ્નલક્ષણપાઠકોને એટલે સ્વપ્નોનું ફળ કહી શકે તેવા પંડિતોને બોલાવી લાવો. ૬૫] ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપર કહ્યા એ પ્રમાણેનો હુકમ ફરમાવેલ છે એવા તે કૌટુંબિક પુરુષો રાજી થયા અને તેમનું હૃદય પ્રફુલ્લિત થયું તથા તેઓ બે હાથ જોડીને રાજાની આજ્ઞાને વિનયનું વચન બોલીને સ્વીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને સ્વીકારીને તેઓ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી નીકળ્યા, નીકળીને તેઓ કુંડગ્રામ નગરની વચ્ચોવચ્ચ થતા જ્યાં સ્વપ્નલક્ષણપાઠકોનાં ધરો છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ સ્વપ્નલક્ષણપાઠકોને બોલાવે છે. [૬૬] ત્યારપછી સિદ્ધાર્થ ક્ષત્રિયના કૌટુંબિક પુરુષોએ બોલાવેલા તે સ્વપ્નલક્ષણપાઠકો હર્ષવાળા થયા, તોષવાળા થયા અને યાવતુ રાજી રાજી થવાથી તેમનું હૃદય વેગવાળું બન્યું. તે સ્વપ્નલક્ષણપાઠકો નહાયા, બલિકર્મ કર્યું, તેમણે અનેક કૌતુકો એટલે ટીલાંટપકાં અને મંગલ કર્મો-પ્રાયશ્ચિત્તો કર્યા. પછી તેમણે ચોકખાં અને બહાર જવાનાં એટલે રાજસભા વગેરેમાં જવા સારુ પહેરવા જેવાં મંગલપ ઉત્તમ વસ્ત્રો Page #74 -------------------------------------------------------------------------- ________________ Biી પહેર્યા, વજનમાં ભારે નહીં પણ કિંમતમાં ભારેમાંધાં ઘરેણાં પહેરીને તેઓએ શરીરને શણગાર્યું અને માથા ઉપર ધોળા સરસવ તથા ઘરોને શુકન માટે મૂકીને તે સ્વપ્નલક્ષણપાઠકો પોતપોતાના ઘરોમાંથી બહાર નીકળે છે. [૬૭] બહાર નીકળીને તેઓ ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરની વચ્ચોવચ્ચ થતા જ્યાં સિદ્ધાર્થ રાજાના ઉત્તમ ભવનનું પ્રવેશદ્વાર છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ બધા ભેગા થાય છે, તેઓ બધા ભેગા થઈ ગયા પછી જ્યાં બહારની બેઠક છે અને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં તેઓ આવે છે, તેઓ ત્યાં આવીને પોતપોતાના બન્ને હાથ જોડી અંજલિ કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયને “જય થાઓ વિજય થાઓ’ એમ બોલીને વધાવે છે. [૬૮] ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ તે સ્વપ્નલક્ષણપાઠકોને વંદન કર્યું, તેમનાં પૂજન સત્કાર અને સન્માન કર્યા પછી તેઓ તેમને માટે અગાઉથી ગોઠવી રાખેલાં એક એક ભદ્રાસનમાં બેસી જાય છે. [૬૯] પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણીને પડદામાં બેસાડે છે, બેસાડીને હાથમાં ફૂલફળ લઈને વિશેષ વિનય | _ ૦ સાથે તે સ્વપ્નલક્ષણપાઠકોને સિદ્ધાર્થ ક્ષત્રિયે આ પ્રમાણે કહ્યું. (D ) 2 ( ) D Jain Education intentional For posuing only www. lary.org Page #75 -------------------------------------------------------------------------- ________________ હે દેવાનુપ્રિયો ! ખરેખર એમ છે કે આજે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ બિછાનામાં સૂતી જાગતી કાંઈક ઉંઘતી રહેલી હતી તે વખતે આ પ્રકારનાં ઉદાર મોટાં ચૌદ મહાસ્વપ્નોને જોઈને તે જાગી ગઈ. તે જેમકે; હાથી, વૃષભ વગેરેનાં સ્વપ્નો હતાં. તો હે દેવાનુપ્રિયો ! એ ઉદાર ચૌદ મહાસ્વપ્નોનું હું માનું છું કે કોઈ વિશેષ પ્રકારનું ફળ થવું જોઈએ. [૭૦] ત્યારપછી તે સ્વપ્નલક્ષણપાઠકો સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી એ હકીકન સાંભળીને સમજીને રાજી રાજી થયા અને તેમનું હૃદય પણ પ્રફુલ્લ બન્યું. તેઓએ એ સ્વપ્નોને પ્રથમ તો સાધારણપણે સમજી લીધાં, પછી તેઓ તેમના વિશે વિશેષ વિચાર કરવા લાગ્યા, એમ કરીને તેઓ પરસ્પર એક બીજા એ વિશે વાતચીત કરવા લાગ્યા એક બીજાનો મત પૂછવા જાણવા લાગ્યા, એમ કર્યા પછી તેઓ તે સ્વપ્નોનો અર્થ પામી ગયા, તે સ્વપ્નોનો અર્થ તેઓ એક બીજા જાણી ગયા, વિશે એક બીજાએ પરસ્પર પૂછી લીધું, નિશ્ચય ઉપર આવી ગયા અને તે બધા એ સ્વપ્નો વિશે એક મત થઈ પાકા ઈ નિશ્ચય ઉપર આવી ગયા. પછી તેઓ સિદ્ધાર્થ રાજાની સામે સ્વપ્ન શાસ્ત્રોનાં પ્રમાણભૂત વચનો બોલતા બોલતા સિદ્ધાર્થ ક્ષત્રિયને આ પ્રમાણે કહેવા લાગ્યા. ama ag નકલ સલા STD Page #76 -------------------------------------------------------------------------- ________________ a (LT GS H פל סל > J guys Y ૪ g ૪૬ [૭૧] હે દેવાનુપ્રિય ! ખરેખર એમ છે કે અમારાં સ્વપ્નશાસ્ત્રમાં બેંતાળીશ સ્વપ્નો કહેલાં છે, તથા ત્રીશ મોટાં સ્વપ્નો કહેલાં છે, એમ બધાં મળીને બહોતેર સ્વપ્નો જણાવેલાં છે. તેમાંથી હે દેવાનુપ્રિય ! અરહંતની માતાઓ અને ચક્રવર્તીની માતાઓ જ્યારે અરહંત ગર્ભમાં આવેલા હોય છે અને ચક્રવર્તી ગર્ભમાં આવેલા હોય છે ત્યારે એ ત્રીશ મોટાં સ્વપ્નોમાંથી આ ચૌદ મોટાં સ્વપ્નોને જોઈને જાગી જાય છે. તે જેમ કે, પહેલો હાથી અને બીજો વૃષભ વગેરે. [૭૨] વાસુદેવની માતાઓ વળી જ્યારે વાસુદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચૌદ મોટાં સ્વપ્નોમાંથી ગમે તે સાત મોટાં સ્વપ્નોને જોઈને જાગી જાય છે. 23 guys J ઈ EQUcimen mipmaponar [૭૩] વળી, બળદેવની માતાઓ જ્યારે બળદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચૌદ મોટાં સ્વપ્નોમાંથી ગમે તે ચાર મોટાં સ્વપ્નો જોઈને જાગી જાય છે. 623 [૭૪] માંડલિક રાજાની માતાઓ વળી, જ્યારે માંડલિક રાજા ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચૌદ મોટાં સ્વપ્નોમાંથી ગમે તે એક મહાસ્વપ્નને જોઈને જાગી જાય છે. ea က g פול g פול 400 סול (4) 42 (1) פל g www.amembrary.org Page #77 -------------------------------------------------------------------------- ________________ | [૩૫] હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ આ એ ચૌદ મહાસ્વપ્નો જોયેલાં છે, ઉદાર સ્વપ્નો જોયાં છે, મંગલકારક સ્વપ્નો જોયાં છે. તો જેમકે, હે દેવાનુપ્રિય ! અર્થનો લાભ થવાનો, ભોગનો લાભ થવાનો, સુખનો લાભ થવાનો, પુત્રનો લાભ થવાનો, રાજ્યનો લાભ થવાનો, એમ ખરેખર છે કે ત્રિશલા ક્ષત્રિયાણી નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા પછી તમારા કુલમાં ધ્વજ સમાન, કુલમાં દીવા સમાન, કુલમાં પર્વત સમાન, કુલમાં મુગટ સમાન કુલમાં તિલક સમાન તથા કુલની કીર્તિ વધારનાર, કુલમાં સમૃદ્ધિ લાવનાર, કુલનો જશ ફેલાવનાર, કુલના આધાર સમાન, કુલમાં વૃક્ષ સમાન અને કુલની વિશેષ વૃદ્ધિ કરનાર એવા તથા હાથે પગે સુકુમાળ, પૂરેપૂરી પાંચ ઈદ્રિયોવાળા શરીરથી યુક્ત-જરા પણ ખોડખાંપણ વિનાના, લક્ષણ વ્યંજન અને ગુણોથી યુક્ત, માન વજન અને ઊંચાઈમાં પૂરેપૂરો, સર્વાંગસુંદર, ચંદ્ર સમાન સૌમ્ય-આકારવાળા, મનોહર, જોતાં જ ગમી જાય તેવા સુંદર રુપવાળા પુત્રને જન્મ આપશે. [૭૬] વળી, તે પુત્ર પણ બાળપણ વીતાવ્યા પછી જ્યારે ભણીગણીને પરિપકવ જ્ઞાનવાળો થશે અને યૌવનને પામેલો હશે ત્યારે એ શૂરો વીર અને ભારે પરાક્રમી થશે, એની પાસે વિશાળ વિસ્તારવાળાં સેના અને વાહનો હશે અને Page #78 -------------------------------------------------------------------------- ________________ O) - C તે, ચારે સમુદ્રના છેડાથી સુશોભિત એવા આ ભૂમંડળનો ચક્રવર્તી રાજ્યપતિ રાજા થશે અથવા ત્રણલોકનો નેતા, ધર્મનો ચક્રવર્તી-ધર્મચક્ર પ્રવર્તાવનાર એવો જિન થશે. તો હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉદાર સ્વપ્નો જોયેલાં છે યાવત્ હે દેવાનુપ્રિય ! એ સ્વપ્નો આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરાવે એવાં, દીર્ઘ આયુષ્યનાં સૂચક, કલ્યાણ અને મંગળ કરનારાં એવાં ત્રિશલા ક્ષત્રિયાણીએ જોયેલાં છે. [૭૭] ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા તે સ્વપ્નલક્ષણપાઠકો પાસેથી સ્વપ્નોને લગતી એ વાતને સાંભળીને સમજીને રાજી રાજી થઈ ગયો, ખુબ તુષ્ટિ પામ્યો અને હર્ષને લીધે એનું હૃદય ધડકવા લાગ્યું. તેણે પોતાના બન્ને હાથ જોડીને તે સ્વપ્નલક્ષણપાઠકોને આ પ્રમાણે કહ્યું. [૩૮] હે દેવાનુપ્રિયો ! જે તમે કહેલ છે એ એમ જ છે, તે પ્રકારે જ છે એમાં કશી શંકા નથી જ. હે દેવાનુપ્રિયો! તમારું એ કથન અમે ઈચ્છેલું જ હતું, સ્વીકારેલું જ હતું, તમારું એ કથન અમને ગમે એવું જ થયું છે અને અમે એને બરાબર એ રીતે કબુલ કરેલ છે, હે દેવાનુપ્રિયો ! એ વાત સાચી છે, જે તમોએ કહેલી છે. એમ કરીને તે, એ સ્વપ્નોને o con w ery.org Page #79 -------------------------------------------------------------------------- ________________ ધ9 ક ર ક ઉ લગતી કહેલી બધી હકીકતને વિનય સાથે સારી રીતે સ્વીકારે છે, એમ સ્વીકારીને તે સ્વપ્નલક્ષણપાઠકોનો તેણે ઘણો આદર સત્કાર કર્યો એટલે તેમને વિપુલ ભોજન આપ્યું. પુષ્પો, સુગંધી ચૂર્ણો, વસ્ત્રો, માળાઓ, ઘરેણાં વગેરે આપીને તેમનો ભારે સત્કાર કર્યો, સન્માન કર્યું, એમ સત્કાર સન્માન કરીને તેણે આખી જીંદગી સુધી પહોંચે એવું ભારે પ્રીતિદાન આપ્યું, એવું ભારે પ્રીતિદાન આપીને તેણે તે સ્વપ્નલક્ષણપાઠકોને માનભરી વિદાય આપી. [૩૯] પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય પોતાના સિંહાસણ ઉપરથી ઉભો થાય છે, સિંહાસણ ઉપરથી ઉભો થઈને જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી પડદામાં બેઠેલા છે ત્યાં આવે છે. ત્યાં આવીને તેણે ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું. [20] હે દેવાનુપ્રિયે !” સ્વપ્નશાસ્ત્રમાં બેતાળીશ સ્વપ્નો કહેલાં છે ત્યાંથી માંડીને માંડલિક રાજા ગર્ભમાં આવેલો હોય ત્યારે તેની માતા એ ત્રીશ મહાસ્વપ્નોમાંનું ગમે તે એક મહાસ્વપ્ન જોઈને જાગી જાય છે ત્યાં સુધીની જે બધી | હકીકત એ સ્વપ્નલક્ષણપાઠકોએ કહેલી હતી તે બધી ત્રિશલા ક્ષત્રિયાણીને કહી સંભળાવે છે. કે વ ) Page #80 -------------------------------------------------------------------------- ________________ T [૧] વળી, હે દેવાનુપ્રિયે! તમે તો આ ચૌદ મહાસ્વપ્નો જોયેલાં છે, તો “એ બધાં સ્વપ્નો ભારે મોટાં છે ત્યાંથી માંડીને તમે ત્રણ લોકના નાયક, ધર્મચક્રને પ્રવર્તાવનાર એવા જિન થનાર પુત્રને જનમ આપશો ત્યાં સુધીની તમામ | T હકીકત ત્રિશલા ક્ષત્રિયાણીને કહી બતાવે છે. [૨] ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાતને સાંભળીને સમજીને ખુશખુશાલ થઈ ગઈ, ભારે સંતોષ પામી અને રાજીરાજી થવાથી તેનું હૃદય ધડકવા લાગ્યું. પછી તે, પોતાના બંને હાથ જોડીને યાવતું તે સ્વપ્નોના અર્થને સારી રીતે સ્વીકારે છે. [૩] સ્વપ્નોના અર્થને સારી રીતે સ્વીકારીને પછી સિદ્ધાર્થ રાજાની રજા મેળવી તેણી વિઘ મણિ રત્નના જડતરને લીધે ભાતિગળ બનેલા અદ્ભૂત ભદ્રાસન ઉપરથી ઉભી થાય છે, ઉભી થઈને ઉતાવળ વિના, ચપળતા રહિતપણે, વેગ વગર, વિલંબ ન થાય એ રીતે રાજહંસ જેવી ગતિએ તેણી જ્યાં પોતાનું ભવન છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેણીએ પોતાના ભવનમાં પ્રવેશ કર્યો. Congo sala Esuglass Intતા www.laineley.org Page #81 -------------------------------------------------------------------------- ________________ [૮૪] જ્યારથી માંડીને શ્રમણ ભગવાન મહાવીરને તે જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા છે, ત્યારથી વૈશ્રમણને-કુબેરને- છે તાબે રહેનારા તિર્યલોકમાં વસનારા ઘણા ભક દેવો ઈંદ્રની આજ્ઞાને લીધે જે આ જુના પુરાણાં મહાનિધાનો મળી આવે છે તે તમામને લાવી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં ઠાલવવા લાગ્યા. મળી આવતાં જુનાં પુરાણાં મહાનિધાનોની-મોટા મોટા ધનભંડારોની-હકીકત આ પ્રમાણે છે. એ ધનભંડારોનો હાલ કોઈ ધણીધોરી રહ્યો નથી, હવે કોઈ વધારો કરનાર રહ્યું નથી, ભંડારો જેમનાં છે તેમના ગોત્રોનો પણ કોઈ હવે હયાત રહ્યો જણાતો નથી, તેમ તેમનાં ઘરો પણ પડી ખંડેર પાદર થઈ ગયા જેવાં છે, એ ધનભંડારોના સ્વામીઓનો ઉચ્છેદ જ થઈ ગયેલ છે, એ ધનભંડારોમાં હવે કોઈ વધારો કરનારાનો પણ ઉચ્છેદ જ થઈ ગયેલ છે અને એ ધનભંડારોના માલિકોનાં ગોત્રોનો પણ ઉચ્છેદ થઈ ગયો છે તથા તેમના ઘરોનું પણ નામનિશાન સુદ્ધાં રહ્યું જણાતું નથી એવા ધનભંડારો ક્યાંય ગામડાઓમાં, ક્યાંય અગરોમાં-ખાણોમાં, ક્યાંય નગરોમાં, ક્યાંય ખેડાઓમાં-મૂળિયા ગઢવાળાં ગામોમાં, ક્યાંય નગરની હારમાં ન શોભે એવાં ગામોમાં, ક્યાંય જેમની આસપાસ ચારે બાજુ ન બબ્બે ગાઉમાં જ કોઈ ગામ હોય છે એવા ગામડાઓમાં-મડંબોમાં, ક્યાંય જ્યાં જળમાર્ગ છે અને સ્થળમાર્ગ પણ છે એવા ઈ J J Page #82 -------------------------------------------------------------------------- ________________ ang nang બંદરોમાં દ્રોણમુખોમાં, ક્યાંય એકલો જળમાર્ગ કે સ્થળમાર્ગ છે એવાં પાટણોમાં, ક્યાંય આશ્રમોમાં એટલે તીર્થસ્થાનોમાં કે તાપસના મઠોમાં, ક્યાંય ખળાઓમાં અને ક્યાંય સંનિવેશોમાં મોટા મોટા પડાવોનાં સ્થાનોમાં દટાયેલાં હોય છે. વળી, એ ધનભંડારો ક્યાંય સિંગોડાના ઘાટના રસ્તાઓમાં દટાએલાં જડે છે, ક્યાંય ત્રિભેટાઓમાં, ક્યાંય ચાર રસ્તા ભેગા થાય એવા ચોકોમાં, ક્યાંય ચારે બાજુ ખુલ્લી હોય એવાં ચતુર્મુખ સ્થળોમાં એટલે દેવળોનાં કે છત્રીઓનાં સ્થાનોમાં, મોટા મોટા ધોરી રસ્તાઓમાં, ઉજ્જડ ગામડાઓની જગ્યાઓમાં, ઉજ્જડ નગરોની જગ્યાઓમાં, ગામની અને નગરની ખાળોવાળી જગ્યામાં, હાટો દુકાનો-જ્યાં હોય તે જગ્યાએ, દેવળો, ચોરાઓ, પાણી પીવાની પરબો અને બાગબગીચાઓની જગ્યાઓમાં, તથા ઉજાણી કરવાની જગ્યાઓમાં, વનોમાં, વનખંડોમાં, મસાણોમાં, સૂનાં ઘરોમાં, પર્વતની ગુફાઓમાં, શાંતિઘરોમાં એટલે કે જ્યાં બેસીને શાંતિકર્મ કરવામાં આવે છે તેવાં સ્થળોમાં, પર્વતમાં કોરી કાઢેલી ગુફાઓમાં, સભા ભરવાની જગ્યાઓમાં અને જ્યાં ખેડુતો રહે છે એવાં ઘરોવાળી જગ્યાએ દટાયેલાં હોય છે, તે તમામ ધનભંડારોને જૉભક દેવો તે તે જગ્યાએથી શોધી કાઢી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં ઠાલવે છે-મૂકે છે. ang ang Naines ના Page #83 -------------------------------------------------------------------------- ________________ J g [૮૫] વળી, જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા તે રાતથી આખું જ્ઞાતકુળ રુપાથી ઈ વધવા માંડયું, સોનાથી વધવા માંડયું, ધનથી, ધાન્યથી રાજ્યથી, રાષ્ટ્રથી, સેનાથી, વાહનથી, ભંડારોથી, કોઠારોથી, નગરથી, અંતઃપુરથી, જનપદથી અને જશકીર્તિથી વધવા લાગ્યું તેમ જ વિપુલ-બહોળાં ધન-ગોકુળ વગેરે, કનક, રતન, મણિ, મોતી, દક્ષિણાવર્તશંખ, રાજપટ્ટો-શિલા, પરવાળાં, રાતાં રતન-માણેક એવાં ખરેખરાં સાચુકલાં ધન વગેરે એ જ્ઞાતકુળમાં વધવા લાગ્યાં અને જ્ઞાતકુળમાં પરસ્પર પ્રીતિ આદર સત્કાર પણ ઘણો ઘણો વધવા માંડયો. and and [૮૬] ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતાના મનમાં આ આ પ્રકારે વિચાર ચિંતવન અભિલાષારુપ મનોગત સંકલ્પ આવ્યો કે, જ્યારથી અમારો આ દીકરો કૂખમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી અમે હિરણ્ય-ચાંદીથી વધયે છીયે, સોનાથી વધિયે છીયે, એ જ રીતે ધનથી, ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્રથી, સેનાથી, વાહનોથી, ધનભંડારોથી, કોઠારથી, પુરથી, અંતઃપુરથી, જનપદથી તથા જશકીર્તિથી વધિયે છીયે તથા બહોળાં ધન, કનક, રતન, મણિ, મોતી, શંખો, શિલા, પરવાળાં અને માણેક વગેરે ખરેખરું સાચું ધન અમારે ત્યાં વધવા માંડયું છે તથા અમારા આખા જ્ઞાતકુળમાં પરસ્પર એક ઈ D DO € € Page #84 -------------------------------------------------------------------------- ________________ ) [ DO - 2 8 ] બીજામાં પ્રીતિ ખુબ ખુબ વધી ગઈ છે અને એક બીજા તરફનો આદર સત્કાર પણ ભારે વધવા લાગ્યો છે તેથી જ્યારે અમારો આ દીકરો જનમ લેશે ત્યારે અમે આ દીકરાનું એ બધી વૃદ્ધિને મળતું આવે એવું, એના ગુણોને અનુસરતું, એના ગુણોથી ઉપજાવેલું એવું નામ વર્ધમાન (વર્ધમાન એટલે વધતો વધતો) રાખીશું. [૭] ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર માતા તરફ પોતાની ભક્તિ બતાવવા માટે એટલે ગર્ભમાં પોતે હલચલે તો માતાને દુઃખ થાય એમ સમજી માતાને પોતાના હલનચલનથી દુઃખ ન થાય તે માટે નિશ્ચલ થઈ ગયા, જરા પણ હલતા બંધ થઈ ગયા. અકંપ બની ગયા, એમણે પોતાનાં અંગો અને ઉપાંગો સંકોચી લીધાં અને એ રીતે એ, માતાની કૂખમાં પણ અત્યંત ગુપ્ત થઈને રહેવા લાગ્યા. [૮] ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણીના મનમાં આ આ પ્રકારનો વિચાર આવ્યો કે મારો તે ગર્ભ હરાઈ ગયો | 3 છે, મારો તે ગર્ભ મરી ગયો છે. મારો તે ગર્ભ ચુઈ ગયો છે, અને મારો તે ગર્ભ ગળી ગયો છે. કારણ કે મારો એ ગર્ભ| 8 પહેલાં હલતો હતો, હવે હલતો નથી. એમ વિચારીને તે કલુષિત વિચારવાળી ચિંતાને શોકના દરિયામાં ડૂબી ગઈ. હથેળી 8 S S S S = થી 8 S S S S S S $ ! = a ) - Suu wwy .org Page #85 -------------------------------------------------------------------------- ________________ ઈ ane ઈ ઈઈ ઉપર મોઢું રાખીને આર્તધ્યાનને પામેલી તે ભૂમિ ઉપર નીચી નજર કરીને ચિંતા કરવા લાગી છે. અને તે સિદ્ધાર્થ રાજાનું છે આખું ઘર પણ શોક છાએલું થઈ ગયું છે. એટલે કે જ્યાં પહેલાં મૃદંગો, વીણાઓ વગેરે વાદ્યો વાગતાં હતાં, લોકો રાસ લેતા હતા, નાટકીયાઓ નાટક કરતા હતા, બધે વાહ વાહ થઈ રહી હતી, ત્યાં હવે બધું સૂમસામ થઈ ગયું છે, અને એ આખું ઘર ઉદાસ થઈ ગયેલું રહે છે. ww [૮૯] ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર માતાના મનમાં થયેલો આ આ પ્રકારનો વિચાર-ચિંતવન-અભિલાષારૂપ મનોગત-સંકલ્પ જાણીને પોતે પોતાના શરીરના એક ભાગથી કંપે છે. [૯૦] ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી રાજી રાજી થઈ ગઈ, તુષ્ટ થઈ ગઈ અને રાજી થવાને લીધે એનું હૃદય ધડકવા લાગ્યું, એવી રાજી થયેલી તે આ પ્રમાણે બોલી ખરેખર મારો ગર્ભ હરાયો નથી, યાવત્ મારો ગર્ભ ગળ્યો પણ નથી, મારો ગર્ભ પહેલાં હલતો નહોતો તે હવે હલવા લાગ્યો છે. એમ કરીને તે ખુશ થયેલી અને સંતોષ પામેલી ત્રિશલા ક્ષત્રિયાણી એમ રહેવા લાગે છે. ઈ JY Page #86 -------------------------------------------------------------------------- ________________ | | [૧] ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર ગર્ભમાં રહેતાં રહેતાં જ આ જાતનો અભિગ્રહ-નિયમ સ્વીકારે છે, કે જ્યાં સુધી માતા-પિતા જીવતાં હોય ત્યાં સુધી મારે મુંડ થઈને ઘરવાસ તજીને અનગારીપણાની દીક્ષા લેવાનું ખપે નહિ. | [૨] પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી હાઈ, બલિ કર્મ કર્યું, કૌતુક અને મંગલ પ્રાયશ્ચિતો કર્યા. તમામ અલંકારોથી ભૂષિત થઈને તે ગર્ભને સાચવવા લાગી એટલે કે તેણીએ અતિશય ઠંડા, ઉના, તીખાં, કડવાં, તુરાં, ખાટાં, ગળ્યાં, ચીકણાં, લૂખાં, ભીનાં, અતિશય સૂકાં, ભોજન, વસ્ત્ર, ગંધ અને માળાઓ તજી દીધાં અને ઋતુને યોગ્ય સુખ આપે એવાં ભોજન ધારણ કરતી તે રોગ, શોક, મોહ, ભય, અને ત્રાસ વગરની બનીને રહેવા લાગી તથા તે ગર્ભ માટે જે કાંઈ હિતકર હોય તેનો પણ પરિમિત રીતે પથ્યપૂર્વક ગર્ભનું પોષણ થાય એ રીતે ઉપયોગ કરવા લાગી તથા ઉચિત સ્થળે બેસીને અને ઉચિત સમય જાણીને ગર્ભને પોષે એવો આહાર લેતી તે દોષ વગરના કોમળ એવાં બિછાનાં ને આસનો વડે એકાંતમાં સુખરૂપે મનને અનુકૂળ આવે એવી વિહારભૂમિમાં રહેવા લાગી. એને પ્રશસ્ત દોહદો થયા. તે દોહદો સંપૂર્ણ રીતે પૂરવામાં આવ્યા. એ | દોહદોનું પૂરું સન્માન જાળવવામાં આવ્યું, એ દોહદોનું જરાપણ અપમાન થવા દેવામાં ન આવ્યું. એ રીતે તેનું પૂર્ણ વાંછિત or D ની આ 8) C શા ) Jain Education Interesanal For m enty www .org Page #87 -------------------------------------------------------------------------- ________________ 93 ધ્ર સિદ્ધાર્થરાજાને પ્રિયંવદાદાસી દ્વારા જન્મવધાઈ ૫૬ દિક્કુમારિકા દ્વારા જન્મમહોત્સવ ઈ BOO HLTBy.org Page #88 -------------------------------------------------------------------------- ________________ Jain ઈ פן ה' פן ધ શક્રેન્દ્ર દ્વારા પંચરૂપ કરી મેરૂપર્વત પર ગમન ૬૪ ઈંદ્રો દ્વારા જન્માભિષેક ઈ J library.org Page #89 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ થવાથી દોહદો શમી ગયા છે. અને હવે દોહદ થતા અટકી ગયા છે એવી તે સુખે સુખેટેકો લઈને બેસે છે, સૂવે છે, ઉભી રહે છે, આસન ઉપર બેસે છે, પથારીમાં આળોટે છે, એ રીતે તે, ગર્ભને સુખે સુખે ધારણ કરે છે. [૩] તે કાલે તે સમયે ગ્રીષ્મઋતુ ચાલતી હતી તેનો જે તે પ્રથમ માસ એટલે ચૈત્ર માસ અને તે ચૈત્ર માસનો બીજો પક્ષ એટલે ચૈત્ર માસનો શુદ્ધ પક્ષ પ્રવર્તતો હતો, તે ચૈત્ર માસના શુદ્ધ પક્ષનો તેરમો દિવસ એટલે ચૈત્ર શુદિ તેરશને દિવસે બરાબર નવ મહિના તદ્દન પૂરા થયા હતા અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા હતા, ગ્રહો બધા ઉચ્ચ સ્થાનમાં આવેલા હતા, ચંદ્રનો પ્રથમ યોગ ચાલતો હતો, દિશાઓ બધી સૌમ્ય, અંધકાર વિનાની અને વિશુદ્ધ હતી, શુકનો બધાં જયવિજયનાં સૂચક હતાં, પવન જમણી તરફનો અનુકૂળ અને પૃથ્વી અડીને ધીરે ધીરે વાતો હતો, મેદિની બરાબર પાન પાકી જવા ઉપર આવવાને લીધે નીપજેલી હતી, દેશના તમામ લોકો પ્રમોદવાળા બની રમતગમતમાં ગુલતાન હતા તેને સમયે લગભગ મધરાતના વખતે હસ્તોત્તરા નક્ષત્રનો એટલે ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો યોગ આવતાં ત્રિશલા ક્ષત્રિયાણિએ આરોગ્યપૂર્વક પુત્રને જન્મ આપ્યો. Page #90 -------------------------------------------------------------------------- ________________ - (2) Biી આઇ છે SIMC? જ [૪] જે રાતે શ્રમણ ભગવાન મહાવીર જનમ્યા તે રાત, ઘણા દેવો અને દેવીઓ નીચે આવતા તથા ઉપર જતા હોવાથી ભારે ઘોંઘાટવાળી અને કોલાહલવાળી પણ હતી. [૫] જે રાતે શ્રમણ ભગવાન મહાવીર જનમ્યા તે રાતે કુબેરની આજ્ઞામાં રહેતા તિરછા લોકમાં વસતા ઘણા જjભક દેવોએ સિદ્ધાર્થરાજાના ભવનમાં હિરણ્યનો, સુવર્ણનો, રતનોનો, અને વસ્ત્રોનો, ઘરેણાંનો વરસાદ, પાંદડાંનો, ફૂલોનો, ફળોનો, બીજોનો, માળાઓનો, અને સુગંધોનો વરસાદ, વિવિધ રંગોનો વરસાદ અને સુગંધિત ચૂર્ણોનો વરસાદ વરસાવ્યો, વસુધારા વરસાવી એટલે ધનનો રેલમછેલ વરસાદ વરસાવ્યો. ૯િ૬) ત્યાર પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય, ભવનપતિ-વાનવંતર-જ્યોતિષિક અને વૈમાનિક દેવોએ તીર્થકરનો જન્માભિષેક મહિમા કર્યા પછી, સવારના પહોરમાં નગરના રખેવાળોને બોલાવે છે, નગરના રખેવાળોને બોલાવીને તે આ પ્રમાણે બોલ્યો. [૭] તરત જ તે દેવાનુપ્રિયો ! કુડપુર નગરની જેલને સાફ કરી નાખો એટલે તમામ બંદીવાનોને છોડી મૂકી જેલને ૩ ખાલીખમ ચોક્કી કરી નાખો, જેલને સાફ કર્યા પછી તોલમાપને માપાં અને તોલાને-વધારી ઘો, તોલમાપને વધાર્યા પછી | Jain Euch einen For va n e only www.amary.org Page #91 -------------------------------------------------------------------------- ________________ One ( ફી ( કુંડપુર નગરમાં અંદર અને બહાર પાણી છંટાવો, સાફ કરાવો અને લિંપાવો-ગુંપાવો, કુડપુર નગરના સિંગોડાના ઘાટના રસ્તાઓમાં, ત્રિભેટાઓમાં, ચારરસ્તાઓમાં ચારે બાજું ખુલ્લા દેવળોમાં, ઘોરી માર્ગોમાં અને બીજા અવરજવરના રસ્તાઓમાં તમામ ઠેકાણે પાણી છંટાવો, ચોખ્ખું કરાવો અને જ્યાં ત્યાં તમામ શેરીઓમાં તથા તમામ બજારોમાં પાણી છંટાવો, સાફસૂફ કરાવો, તે તમામ ઠેકાણે જોવા આવનારા લોકોને બેસવા માટે ઉપરાઉપર માંચડા બંધાવો. વિવિધ રંગથી સુશોભિત ધજા અને પતાકાઓ બંધાવો, આખા નગરને લિંપાવો, ધોળાવો અને સુશોભિત બનાવો, નગરમાં ઘરોની ભીંતો ઉપર ગોશીષ ચંદનના, સરસ રાતા ચંદનના તથા દર્દર ચંદનના પાંચ આંગળી ઉઠેલી દેખાય એવા થાપા લગાડાવો, ઘરની અંદર ચોકમાં ચંદનના કલશ મુકાવો, બારણે બારણે ચંદનના ઘડા લટકાવેલાં સરસ તોરણો બંધાવો, જ્યાં ત્યાં શોભે એ રીતે જમીનને અડે એવી લાંબી લાંબી ગોળ માળાઓ લટકાવો, પાંચ રંગનાં સુંદર સુગંધી ફૂલોના ઢગલા કરાવો-ફૂલો વેરાવો, ફૂલોના ગુચ્છા મુકાવો, ઠેકઠેકાણે બળતા કાળો અગર ઉત્તમ કુંદર અને તુર્કી ધૂપની સુગંધિત વાસથી આખા નગરને મધમધતું કરી મેલો-ઉંચે ચડતી ધૂપની વાસથી નગર મહેકી રહે એવું કરો-સુગંધને લીધે ઉત્તમ ગંધવાળું કેમ જાણે ગંધની ગુટિકા હોય એવું મધમધતું બનાવો Give A ( - બ etsy.org Page #92 -------------------------------------------------------------------------- ________________ OUS ૪) તથા ઠેકઠેકાણે નગરમાં નટો રમતા હોય, નાચનારા નાચ કરતા હોય, દોરડા ઉપર ખેલ કરનારા દોરડાના ખેલો બતાવતા હોય, મલ્લો કુસ્તી કરતા હોય, મુષ્ટિથી કુસ્તી કરનારા હોય, વિદૂષકો લોકોને હસાવતા હોય, કુદનારા પોતાની કુદના ખેલો બતાવતા હોય, કથાપુરાણીઓ કથા કરીને જનમનરંજન કરતા હોય, પાઠક લોકો સુભાષિત બોલતા હોય, રાસ લેનારાઓ રાસ લેતા હોય, ભવિષ્ય જોનારા ભવિષ્ય કહેતા હોય, મોટા વાંસડા ઉપર ખેલનારા વાંસના ખેલો કરતા હોય, પંખ લોકો હાથમાં ચિત્રના પાટિયાં રાખીને ચિત્ર બતાવતા હોય, તૂણી લોકો તૂણ નામનું વાજું વગાડતા હોય, વીણા વગાડનારાઓ વીણા વગાડતા હોય, તાલ લઈને નાટક કરનારાઓ નાટક દેખાડતા હોય, એ રીતે જનમનના રંજન માટે નગરમાં ઠેકઠેકાણે ગોઠવણ કરો અને કરાવો. ઉપર કહેલી એવી તમામ ગોઠવણ કરીને એટલે કે નગરને સુશોભિત કરવાથી માંડીને લોકરંજન કરવા સુધીની તમામ ગોઠવણ કરો અને કરાવો, એવી ગોઠવણ કરીને ને કરાવીને હજારો યૂપો અને હજારો સાંબેલાઓને ઉંચા મૂકાવો એટલે કે યૂપોથી ને સાંબેલાથી થતી હિંસાને અટકાવો અને એ હિંસાને અટકાવીને મારી આ આજ્ઞાને પાછી આપો એટલે કે મેં જે ઉપર કહ્યું છે તે બધું તમે કરી આવ્યા છો એમ તમે મારી પાસે આવીને જણાવો. ૪) કી છા) લી Jain EcoOn Incemaran For m ore only www ry.oy Page #93 -------------------------------------------------------------------------- ________________ [૯૮] ત્યાર પછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપરનો હુકમ ફરમાવ્યો છે એવા નગરગુપ્તિકો એટલે નગરની સંભાળ લેનારાઓ રાજીરાજી થયા, સંતોષ પામ્યા અને યાવત્ ખુશ થવાને લીધે તેમના હૃદય પ્રફુલ્લ થયાં. તેઓ પોતાના બન્ને હાથ જોડીને સિદ્ધાર્થ રાજાના હુકમને વિનયપૂર્વક સ્વીકારીને તરત જ કુંડપુર નગરમાં સૌથી પહેલું જેલને ખાલી કરવાનું કામ કરે છે. અને એ કામથી માંડીને છેક છેલ્લાં સાંબેલા ઉંચા મૂકવાનાં કામ સુધીનાં સિદ્ધાર્થ રાજાએ ફરમાવેલાં બધાં કામો કરીને જ્યાં સિદ્ધાર્થ રાજા છે ત્યાં તે નગરગુપ્તિકો જાય છે. જઈને પોતાના બન્ને હાથ જોડીને અને માથામાં અંજલિ કરીને સિદ્ધાર્થ રાજાને એનો એ હુકમ પાછો આપે છે. એટલે કે આપે કહેલું બધું અમે કરી આવ્યા છીએ એમ જણાવે છે. פול [૯] ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા જ્યાં અખાડો છે એટલે કે જાહેર ઉત્સવ કરવાની જગ્યા છે ત્યાં આવે છે. આવીને યાવત્ પોતાના તમામ અંતઃપુર સાથે તમામ પ્રકારનાં પુષ્પો, ગંધો, વસ્ત્રો અને અલંકારોથી વિભૂષિત થઈને તમામ પ્રકારનાં વાજાઓ વગાડાવીને મોટા વૈભવ સાથે, મોટી ઘુતિ સાથે, મોટાં લશ્કર સાથે, ઘણાં વાહનો સાથે, મોટા સમુદાય સાથે અને એક સાથે વાગતાં અનેક વાજાંઓના અવાજ સાથે એટલે કે શંખ, માટીનો ઢોલ, ભેરી, ઝાલર, T ®© J Page #94 -------------------------------------------------------------------------- ________________ ( [ ખરમુખી, હુડૂક, ઢોલકું, મૃદંગ અને દુદુભિ વગેરે વાજાંઓના અવાજ સાથે દસ દિવસ સુધી પોતાની કુળમર્યાદા પ્રમાણે ઉત્સવ કરે છે. એ ઉત્સવ દરમ્યાન નગરમાં દાણ લેવાનું બંધ કરવામાં આવ્યું છે, કર લેવાનો છોડી દેવામાં આવ્યો છે, જેને જે જોઈએ તે કિંમત વગર ગમે તે દુકાનેથી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખરીદવા વેચવાનું બંધ કરવામાં આવ્યું છે. રાજા તમામ લોકોનું દેવું ચૂકવી આપે છે તેથી કોઈને દેવું કરવાની જરૂર ન રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એ ઉત્સવમાં અપરિમિત પદાર્થો ભેગા કરવામાં આવ્યા છે. એવો એ ઉત્કૃષ્ટ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. તથા એ ઉત્સવ દરમ્યાન કોઈનો થોડો કે વધુ દંડ કરવામાં આવતો નથી. અને જ્યાં ત્યાં ઉત્તમ ગણિકાઓ અને નાટકીયાઓનો નાચ ચાલુ કરવામાં આવ્યો છે તથા જ્યાં ત્યાં અનેક તમાસા ગોઠવવામાં આવ્યા છે અને મૃદંગોને નિરંતર વગાડવામાં આવે છે. એ ઉત્સવ દરમ્યાન માળાઓને તાજી-કરમાયા વિનાની રાખવામાં આવી છે. અને નગરના તેમજ દેશના તમામ માણસોને પ્રમુદિત કરવામાં આવ્યા છે. અને તેઓ દશે દિવસ રમતગમતમાં ગુલતાન રહે એવી | વ્યવસ્થા કરવામાં આવી છે. કરી હાઈ ફાઈ ની ઝા) Jain E my wwwy.org Page #95 -------------------------------------------------------------------------- ________________ | [૧૦૦] ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા દશ દિવસનો એ ઉત્સવ ચાલતો હતો તે દરમિયાન સેંકડો, હજારો અને લાખો યાગોને-દેવપૂજાઓને, દાયોને-દાનોને અને ભોગોને દેતો અને દેવરાવતો તથા સેંકડો, હજારો અને લાખો લોકોના વધામણાંને સ્વીકારતો એ પ્રમાણે રહે છે. ઈ 9. ઉ [૧૦૧] ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરનાં માતાપિતા પહેલે દિવસે કુલપરંપરા પ્રમાણે પુત્રજન્મ નિમિત્તે કરવામાં આવતું અનુષ્ઠાન કરે છે, ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યના દર્શનનો ખાસ ઉત્સવ કરે છે, છઢે દિવસે જાગરણનો ઉત્સવ એટલે રાત્રિજગો કરે છે, અગ્યારમો દિવસ વીતી ગયા પછી અને સુવાવડનાં તમામ કાર્યો પૂરાં થયાં પછી જ્યારે બારમો દિવસ આવી પહોંચે છે ત્યારે ઘણા બહોળા પ્રમાણમાં ભોજન, પીણાં, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની ચીજો તૈયાર કરાવે છે, ભોજન વગેરેને તૈયાર કરાવીને પોતાનાં મિત્રો, જ્ઞાતિજનો, પોતાનાં સ્વજનો અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારોને તથા જ્ઞાતવંશના ક્ષત્રિયોને આમંત્રણો આપે છે-પુત્રજન્મસમારંભમાં આવવાનાં નોતરા ૐ મોકલે છે. એમ આમંત્રણો આપીને એ બધા ગયા પછી એ સૌ ન્હાયા, એ બધાંએ બલિકર્મ કર્યાં, ટીલાંટપકાં અને દોષને ઈ ®©® દર્દી Page #96 -------------------------------------------------------------------------- ________________ ભાણ ) (૨( | નિવારનારાં મંગળરુપ પ્રાયશ્ચિત્તો કર્યા, ચોકખાં અને ઉત્સવમાં જવા યોગ્ય મંગળમય વસ્ત્રોને ઉત્તમ રીતે પહેર્યા અને ભોજનનો સમય થતાં ભોજનમંડપમાં તેઓ બધા આવી પહોંચ્યા. ભોજનમંડપમાં આવ્યા પછી તેઓ બધાં ઉત્તમ | H સુખાસનમાં બેઠા અને પછી તે પોતાના મિત્રો જ્ઞાતિજનો પોતાના સ્વજનો અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારો સાથે તથા જ્ઞાતવંશના ક્ષત્રિયો સાથે તે બહોળા ભોજન, પીણાં, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની વાનગીઓનો આસ્વાદ લેતાં, વધારે સ્વાદ લેતાં, જમતાં અને એકબીજાને આપતાં રહે છે અર્થાતુ ભગવાનનાં માતાપિતા પોતાનાં પુત્રજન્મનો ઉત્સવ કરતાં આ પ્રકારનો ભોજન સમારંભ કરતા રહે છે. [૧૦૨] જમી ભોજન કરી પરવાર્યા પછી ભગવાનનાં માતાપિતા તેઓ બધા સાથે બેઠકની જગ્યામાં આવે છે, ત્યાં આવીને તેઓ ચોખા પાણી વડે કોગળા કરીને દાંત અને મુખને ચોખ્ખા કરે છે, એ પ્રમાણે પરમશુચિ થયેલા માતાપિતા ત્યાં આવેલા પોતાના મિત્રો જ્ઞાતિજનો પોતાના સ્વજનો તથા પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારોને | 8. અને જ્ઞાતવંશના ક્ષત્રિયોને બહોળાં ફૂલો, વસ્ત્રો, ગંધો સુગંધી અત્તરો, માળાઓ અને આભૂષણો આપીને તે બધાંનો Jain Educato International For F r ee Only www. yorg Page #97 -------------------------------------------------------------------------- ________________ સત્કાર કરે છે, તે બધાનું સન્માન કરે છે. તે બધાનાં સત્કાર અને સન્માન કરીને તે જ મિત્રો જ્ઞાતિજનો પોતાનાં સ્વજનો અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારોની તથા જ્ઞાતવંશના ક્ષત્રિયોની આગળ ભગવાનનાં માતાપિતા આ પ્રમાણે બોલ્યા. | [૧૦૩ પહેલાં પણ હે દેવાનુપ્રિયો ! અમારો આ દિકરો જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે અમને આ આ પ્રકારનો વિચાર ચિંતન યાવતુ મનોગતભાવ પેદા થયો હતો કે જ્યારથી માંડીને અમારો આ દિકરો કૂખમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી માંડીને અમે હિરણ્યવડે વધીએ છીએ, સુવર્ણવડે ધનવડે યાવત્ સર્વવડે તથા પ્રીતિ અને સત્કાર વડે ઘણા ઘણા વધવા માંડયા છીએ અને સામતરાજાઓ અમારે વશ થયેલા છે. તેથી કરીને જ્યારે અમારો આ દિકરો જન્મ લેશે ત્યારે અમે એ દીકરાનું એને અનુસરતું એના ગુણને શોભે એવું ગુણનિષ્પન યથાર્થ નામ વર્ધમાન' એવું પાડશું. તો હવે આ કુમાર વર્ધમાન' નામે થાઓ એટલે આ કુમારનું નામ અમે ‘વર્ધમાન’ એવું પ્રસિદ્ધ કરીએ છીએ. [૧૦૪] શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામો આ પ્રમાણે કહેવામાં આવે છે. તે જેમકે 3 Page #98 -------------------------------------------------------------------------- ________________ Bi vD) - u) તેમનું માતાપિતાએ પાડેલું પહેલું નામ વર્ધમાન, સ્વાભાવિક સ્મરણ શક્તિને લીધે તેમનું બીજું નામ શ્રમણ એટલે સહજ ફુરણ શક્તિને લીધે તેઓએ તપ વગેરે કરીને સાધનાનો પરિશ્રમ કરેલ છે જેથી તેમનું બીજું નામ શ્રમણ અને કોઈ આકસ્મિક ભય ઉભો થતાં કે ભયાનક ક્રૂર સિંહ વગેરે જંગલી જનાવરોનો ભય આવતાં એઓ તદ્દન અચલ રહેનારા છેજરાપણ પોતાના સંકલ્પથી ડગતા નથી એવા અકંપ છે, ગમે તેવા પરિષહો એટલે ભૂખ તરસ વગેરેના સંકટો આવતાં તથા ઉપસર્ગો એટલે બીજાઓ તરફથી ગમે તેવા શારિરીક સંકટો આવતાં લેશ પણ ચલિત થતા નથી, એ પરીષહોને અને ઉપસર્ગોને ક્ષમાવડે શાંતચિત્તે બરાબર સહન કરવામાં સમર્થ છે, ભિક્ષુઓની પ્રતિમાઓના પાળનારા છે, ધીમાન છે, શોક અને હર્ષ આવતાં તે બન્નેને સમભાવે સહન કરનારા છે તે સદ્ગણોના ભાજન છે અને ભારે શક્તિ ધરાવનારા છે માટે દેવોએ તેમનું ત્રીજું નામ શ્રમણ ભગવાન મહાવીર કર્યું છે. [૧૦૫] શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગોત્રનાં હતાં, તેમનાં ત્રણ નામો જેમકે, સિદ્ધાર્થ, એજંસશ્રેયાંસ અને જસંસ-યશસ્વી. (૩) = હી ક્રિા) ) - ડા) Jain an international For Paname Only www y .org Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનું નામ સ્થાપન-પ્રીતી ભોજન બાલ વર્ધમાનકુમાર દ્વારા આમલકી ક્રીડા library.org Page #100 -------------------------------------------------------------------------- ________________ બાલકે વર્ધમાનનું પાઠશાલા ગમન બાલક વર્ધમાનને દેવ ખભા પર બેસાડી ૭ તાડ જેટલું ઉંચુ શરીર કરી ડરાવે છે Jain Eos Page #101 -------------------------------------------------------------------------- ________________ [૧૦૬] શ્રમણ ભગવાન મહાવીરની માતા વાસિષ્ટ ગોત્રનાં હતાં, તેમનાં ત્રણ નામો જેમકે; ત્રિશલા, વિદેહદિના, | પ્રિયકારિણી. | [૧૦] શ્રમણ ભગવાન મહાવીરના પિતૃવ્ય એટલે કાકા સુપાસ નામે હતા, મોટા ભાઈનું નામ નંદિવર્ધન હતું, બહેનનું નામ સુદંસણા હતું અને તેમનાં પત્નીનું નામ યશોદા હતું અને એમનું ગોત્ર કૌડિન્ય હતું. [૧૦૮] શ્રમણ ભગવાન મહાવીરનાં દીકરી કાશ્યપ ગોત્રનાં હતાં, તેમનાં બે નામ જેમકે; અણોજ્જા તથા પ્રિયદર્શના. [૧૯] શ્રમણ ભગવાન મહાવીરનાં દૌહિત્રી-દીકરીનાં દીકરી કાશ્યપગોત્રનાં હતાં. તેમનાં બે નામ જેમકે શેષવતી તથા જસસ્વતી-યશસ્વતી. [૧૧] શ્રમણ ભગવાન મહાવીર દક્ષ હતા. એમની પ્રતિજ્ઞા દક્ષ-ડહાપણ ભરેલી હતી. એ પોતે ભારે રુપાળા | હતા, સર્વગુણસંપન્ન હતા, અને ભદ્ર તથા વિનયવાળા હતા, પ્રખ્યાત હતા, જ્ઞાતવંશના પુત્ર હતા, જ્ઞાતવંશના રાજા Page #102 -------------------------------------------------------------------------- ________________ 0 0 2 આD ૩ = સિદ્ધાર્થના પુત્ર હતા, જ્ઞાતવંશના કુળમાં ચંદ્ર સમાન હતા, વિદેહ હતા એટલે એમનો દેહ બીજાઓના દેહ કરતાં બાંધામાં | વિશેષ પ્રકારના જુદા બાંધાવાળો હતો, વિદેહદિન એટલે વિદેહદિના-ત્રિશલા માતાના તનય હતા, વિદેહજન્ય એટલે ત્રિશલા માતાના શરીરથી જન્મેલા હતા, વિદેહસૂમાલ હતા એટલે ગૃહસ્થાવાસમાં ભારે સુકોમળ હતા અને ત્રીશ વરસ સુધી ગૃહસ્થવાસ કરીને પોતાના માતાપિતા દેવગત થયાં ત્યાર પછી પોતાના વડિલ મોટા પુરૂષોની અનુજ્ઞા મેળવીને | પોતાની પ્રતિજ્ઞા પૂરી થતાં છતાં ફરી પણ લોકાંતિક-જીતકલ્પી દેવોએ તે પ્રકારની ઈષ્ટ, મનોહર, સાંભળવી પ્રિય લાગે છે, એવી, મનને ગમતી, મનને ખુશ કરનારી, ઉદાર, કલ્યાણરુપ, શિવરુપ, ધન્યરુપ, મંગળરુપ, પરિમિત, મધુર અને શોભાવાળી તથા હૃદયંગમ, હૃદયને આલ્હાદ ઉપજાવનારી, ગંભીર અને પુનરુક્તિ વગરની વાણીવડે ભગવાનને નિરંતર અભિનંદન આપ્યાં અને તેમની-ભગવાનની-ખુબ સ્તુતિ કરી, એ રીતે અભિનંદન આપતા તથા તેમની ખુબ સ્તુતિ કરતા | ન તે દેવો આ પ્રમાણે બોલ્યાઃ હે નંદ ! તમારો જય થાઓ જય થાઓ, હે ભદ્ર ! તમારો જય થાઓ, તારું ભદ્ર થાઓ, હે ઉત્તમોત્તમ ક્ષત્રિય-હે ક્ષત્રિયનરપુંગવ! તમારો જય થાઓ જય થાઓ, હે ભગવંત લોકનાથ ! તમો બોધ પામો, આખા SS = owલી o, For Fre e Only WwW Dary.org Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીરનો પરિવાર, માતા-પિતા-ભાઈ-બહેન દીક્ષા માટે નવલોકાંતિકદેવની પ્રભુને વિનંતિ, તીર્થસ્થાપના કરો Geely.org Page #104 -------------------------------------------------------------------------- ________________ ED פיל הצ פול 訂 Jain Edu વડીલબંધ નંદીવર્ધન પાસે દીક્ષા લેવાની અનુમતિ માંગે છે પ્રભુ વર્ધમાન દ્વારા વાર્ષિકદાન J פשל 60 פל (1) 18 (0) פ ו פל ibrary.org Page #105 -------------------------------------------------------------------------- ________________ (અ) ૭ ઇ ઉ જગતમાં તમામ જીવોને હિત સુખ અને નિઃશ્રેયસ કરનારું તમો ધર્મતીર્થ-ધર્મચક્ર પ્રવર્તાવો, એ ધર્મચક્ર આખા જગતમાં તમામ જીવોને હિત સુખ અને નિઃશ્રેયસ કરનારું થશે એમ કહીને તે દેવો ‘જય જય’ એવો નાદ કરે છે. [૧૧૧] શ્રમણ ભગવાન મહાવીરને પહેલાં પણ એટલે માનવી ગૃહસ્થધર્મમાં આવતાં-વિવાહિત જીવનથી-પહેલાં પણ ઉત્તમ, આભોગિક, નાશ ન પામે એવું જ્ઞાનદર્શન હતું. તેથી શ્રમણ ભગવાન મહાવીર તે પોતાનાં ઉત્તમ આભોગિક જ્ઞાનદર્શન દ્વારા પોતાનો નિષ્ક્રમણકાળ એટલે પ્રવ્રજ્યા સમય આવી પહોંચ્યો છે એમ જુએ છે, એ રીતે જોયા જાણ્યા પછી હિરણને તજી દઈને, સુવર્ણને, ધનને, રાજ્યને, રાષ્ટ્રને, એ જ પ્રમાણે સેનાને, વાહનોને, ધનભંડારને, કોઠારને તજી દઈને, પુરને, અન્તઃપુરને, જનપદને, બહોળાં ધન કનક રતન મણિ મોતી શંખ રાજપટ્ટ કે રાજાવર્ત પરવાળા માણેક વગેરે સત્ત્વવાળું સારવાળું એ તમામ દ્રવ્ય વિશેષ પ્રકારે તજી દઈને, પોતે નિમેલા દેનારાઓ દ્વારા એ તમામ ધનને ખુલ્લું કરીને તે તમામને દાનરૂપે દેવાનો વિચાર કરીને અને પોતાના ગોત્રના લોકોમાં એ તમામ ધન ધાન્ય હિરણ્ય રતન વગેરેને વહેંચી આપીને હેમંત ઋતુનો જે તે પહેલો માસ અને પહેલો પક્ષ એટલે માગશરનો વદિ પક્ષ આવતાં તથા તે માગશર મહિનાની વદિ દશમનો દિવસ આવતાં જ્યારે છાયા પૂર્વ દિશા તરફ ઢળતી હતી અને બરાબર પ્રમાણ પ્રમાણે ન ઓછી કે ન વધુ એવી પૌરુષી થવા આવી હતી તેવે સમયે ઉ ઉ » ઉ> m) T Page #106 -------------------------------------------------------------------------- ________________ જી ) Bi su ) 25 થી ૧૭ - સુવ્રતનામને દિવસે વિજય નામના મુહૂર્ત ભગવાન ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેઠા અને તેમની પાછળ પાછળ દેવો માનવો અને અસુરોનાં મોટાં ટોળાં મારગમાં ચાલતાં હતાં તથા આગળ કેટલાક શંખ વગાડનારા હતા, કેટલાક ચક્રધારી હતા, કેટલાક હળધારી હતા એટલે ગળામાં સોનાનું હળ લટકતું રાખનારા ખાસ પ્રકારના ભાટલોકો હતા, કેટલાક મુખમંગળિયામુખે મીઠું બોલનારા-હતા, વર્ધમાનકો એટલે પોતાના ખભા ઉપર બીજાઓને બેસાડેલા છે એવા પણ કેટલાક હતા, કેટલાક ચારણો હતા, અને કેટલાક ઘંટ વગાડનારા ઘાંટિકો હતા. એ બધા લોકોથી વીંટળાયેલા ભગવાનને પાલખીમાં બેઠેલા જોઈને | ભગવાનના કુલમહત્તરો તે તે ઈષ્ટ પ્રકારની મનોહર સાંભળવી ગમે તેવી મનગમતી મનને પ્રસાદ પમાડે કલ્યાણરુપ શિવરુપ ધન્ય મંગળમય પરિમિત મધુર અને સોહામણી વાણી દ્વારા ભગવાનનું અભિનંદન કરતા, ભગવાનની સ્તુતિ કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા. | [૧૧૨] હે નંદ ! તારો જય જય થાઓ, હે ભદ્ર ! તારો જય જય થાઓ; તારું ભદ્ર થાઓ, નિર્દોષ એવાં જ્ઞાન દર્શન અને ચારિત્ર દ્વારા તું નહીં જિતાયેલી ઈદ્રિયોને જિતી લેજે, જિતાયેલા શ્રમણધર્મને પાળજે, વિદનોને જિતી લઈને હે દેવ! | તું તારા સાધ્યની સિદ્ધિમાં સદા રહેજે, તપદ્વારા તું રાગ અને દ્વેષ નામના મલ્લોને હણી નાખજે, ધૈર્યનો મજબુત કચ્છ 05 - 0 ૧૭ 'T H ITE @g Page #107 -------------------------------------------------------------------------- ________________ Y € € બાંધીને ઉત્તમ શુક્લધ્યાન વડે આઠ કર્મશત્રુઓને મસળી નાખજે, અપ્રમત બનીને હે વીર ! તું ત્રણલોકના રંગમંડપમાં વિજયપતાકાને વરજે-મેળવજે, તિમિર વગરનું ઉત્તમ કેવલવરશાન પામજે, જિનવરે ઉપદેશેલા સરળ માર્ગને અનુસરીને તું પરમપદરુપ મોક્ષને મેળવજે. પરીષહોની સેનાને હણીને હે ઉત્તમ ક્ષત્રિય ! ક્ષત્રિયનર પુંગવ ! તું જય જય-જે જેકાર મેળવ. બહુ દિવસો સુધી અને બહુ પક્ષો સુધી, બહુ મહિનાઓ સુધી, બહુ ૠતુઓ સુધી, બહુ અયનો સુધી અને બહુ વર્ષો સુધી પરીષહો અને ઉપસર્ગોથી નિર્ભય બનીને ભયંકર અને ભારે બીહામણા પ્રસંગોમાં ક્ષમાપ્રધાન થઈને તું વિચર અને તારા ધર્મમાં એટલે તારી સાધનામાં વિઘ્ન ન થાઓ; એમ કહીને તે લોકો ભગવાન મહાવીરનો જય જય નાદ ગજવે છે. [૧૧૩] ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર હજારો નેત્રો વડે જોવાતા જોવાતા, હજારો મુખોવડે પ્રશંસાતા પ્રશંસાતા, હજારો હૃદયોવડે અભિનંદનો પામતા પામતા, ભગવાનને જોઈને લોકો એવા મનોરથો કરવા લાગ્યા કે અમે આમના સેવક થઈને રહીયે સારું એ રીતે હજાર જાતના મનોરથો વડે વિશેષ ઈચ્છતા ઈચ્છાતા, ભગવાનનાં કાંતિ અને રુપગણને જોઈને સ્ત્રીઓ ‘આવો અમારો ભરથાર હોય તો કેવું સારું' એ રીતે તેમની સામે વારંવાર જોઈને મનમાં ઈ ઈ BIG DO Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના કરવા લાગી અર્થાત્ કાંતિ અને રૂપગુણને લીધે ભગવાન એ રીતે પ્રાર્થના પ્રાર્થતા અને હજારો આંગળીઓ વડે ભગવાન દેખાડાતા દેખાડાતા તથા પોતાના જમણા હાથ વડે ઘણાં હજાર નરનારીઓના હજારો પ્રણામોને ઝીલતા ઝીલતા ભગવાન એ રીતે હજારો ઘરોની હારની હાર વટાવતા વટાવતા વીણા, હાથના રાસડા, વાજાંઓ, અને ગીતોના ગાવા બજાવાના મધુર સુંદર જય જય નાદ સાથેના અવાજ સાથે એ રીતે મંજુ મંજુ જય જય નાદનો ઘોષ સાંભળીને ભગવાન બરાબર સાવધાન બનતા બનતા પોતાનાં છત્ર ચામર વગેરેના તમામ વૈભવ સાથે, તમામ અંગેઅંગે પહેરેલાં ઘરેણાંઓની કાંતિ સાથે, તમામ સેના સાથે, હાથી ઘોડા ઊંટ ખચ્ચર પાલખી માના વગેરે તમામ વાહનો સાથે, તમામ જનસમુદાય સાથે, તમામ આદર સાથે તમામ ઔચિત્ય સાથે, પોતાની તમામ સંપત્તિ સાથે, તમામ શોભા સાથે, તમામ પ્રકારની ઉત્કંઠા સાથે, તમામ પ્રજા એટલે વાણિયા શૂદ્રલોકો ગરાસીયા બ્રાહ્મણ વગેરે અઢારે વર્ષો સાથે, તમામ નાટકો સાથે, તમામ તાલ કરનારા સાથે, બધા અંતઃપુર સાથે, ફૂલ વસ્ત્ર ગંધ માળા અને અલંકારની તમામ પ્રકારની શોભા સાથે | B તમામ વાજાંઓના અવાજના પડઘા સાથે એ રીતે મોટી ઋદ્ધિ, મોટી ઘુતિ, મોટી સેનાં, મોટાં વાહનો, મોટો સમુદાય અને Page #109 -------------------------------------------------------------------------- ________________ J СЧ ઇ Jain Edua પ્રભુ મહાવીરસ્વામીનો દીક્ષાનો વરઘોડો પ્રભુ મહાવીરસ્વામીની દીક્ષા ઈ ૯૫ J ==y.org Page #110 -------------------------------------------------------------------------- ________________ Evo S Suv જ સંt a Wroll T Hair : S Sub பாபியார் Sul પ્રભુના શરીરમાંથી સુગંધ આવે, ભમરા દ્વારા ડંખ, લોકો ગંધપુટીની માગણી કરે છે પ્રભુ દ્વારા એકાકી વિહાર, પ્રથમ ચાતુર્માસ, પ્રથમ પારણું પાત્રમાં Jain En ey.org Page #111 -------------------------------------------------------------------------- ________________ ? ang 2 ? ૨. એક સાથે વાગતાં વાજાઓનાં નાદ સાથે એટલે શંખ, માટીનો ઢોલ, લાકડાનો ઢોલ, બેરિ ઝાલર, ખરમુખી, હુડુક્ક, શ દુંદુભિ વગેરે વાજાંઓના નાદ સાથે ભગવાન કુડપુર નગરની વચ્ચોવચ્ચ થઈને નીકળે છે, નીકળીને જ્યાં જ્ઞાતખંડ વન નામનું ઉદ્યાન છે, તેમાં જ્યાં આસોપાલવનું ઉત્તમ વૃક્ષ છે ત્યાં આવે છે. [૧૧૪] ત્યાં આવીને આસોપાલવના ઉત્તમ ઝાડની નીચે પોતાની પાલખીને ઉભી રાખે છે, એ ઝાડ નીચે પાલખીને ઉભી રાખીને પાલખી ઉપરથી પોતે નીચે ઊતરે છે, પાલખી ઉપરથી નીચે ઉતરીને પોતાની મેળે જ હાર વગેરે આભરણો ફૂલની માળાઓ અને અલંકારોને ઉતારી નાખીને પોતાને હાથે જ પંચ મુષ્ટિલોચ કરે છે એટલે ચાર મૂઠિવડે માથાના અને એક મૂઠિવડે દાઢીના વાળને ખેંચી કાઢે છે. એ રીતે વાળનો લોચ કરીને પાણી વિનાના છટ્ટ ભક્ત-બે-ઉપવાસ-સાથે ખાનપાન તજી દઈને અર્થાત્ એ રીતે બે ઉપવાસ કરેલા ભગવાન હસ્તોત્તરા નક્ષત્રનો અર્થાત્ ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો યોગ આવતાં એક દેવદૂષ્ય લઈને પોતે એકલા જ કોઈ બીજું સાથે નહીં એ રીતે મુંડ થઈને અગારવાસ તજી દઈને અનગારિક પ્રવ્રજ્યાને સ્વીકારે છે. Cance 0129 02 2 cane Page #112 -------------------------------------------------------------------------- ________________ ( [૧૧૫] શ્રમણ ભગવાન મહાવીર એક વરસ ઉપરાંત એક મહિના સુધી, ચીવરધારી એટલે કપડું ધારણ કરનારા હતા અને ત્યાર પછી અચેલ એટલે કપડા વગરના થયા તથા કરપાત્રી થયા. [૧૧૬] શ્રમણ ભગવાન મહાવીર દીક્ષા સ્વીકાર્યા પછી બાર વરસ કરતાં વધારે સમય સુધીના સાધનાના ગાળામાં શરીર તરફ તદ્દન ઉદાસીન રહ્યા એટલે એ ગાળામાં તેમણે શરીરની માવજત તરફ લેશ પણ લક્ષ્ય ન કર્યું. અને શરીરને તજી દીધું હોય એ રીતે શરીર તરફ વર્યા-સાધનાના ગાળામાં જે જે ઉપસર્ગો આવતા રહે છે જેવાકે; દિવ્ય ઉપસર્ગો માનવીકૃત અને તિર્યંચયોનિ તરફથી એટલે ક્રૂર ભયાનક પશુપક્ષીઓ તરફથી આવતા ઉપસર્ગો; અનુકૂળ ઉપસર્ગો વા પ્રતિકૂળ ઉપસર્ગો જે એવા કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે બધાને સારી રીતે નિર્ભયપણે સહન કરે છે, લેશ પણ રોષ આણ્યા વિના તેજસ્વિપણે સહન કરે છે અને અડગપણે મનને નિશ્ચલ રાખીને સહન કરે છે. | [૧૧૭] ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર અનગાર થયા, ઈર્યાસમિતિ-ભાષાસમિતિ-એષણા સમિતિ આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ અને પારિષ્ટાપનિકાસમિતિ એટલે પોતાના મલ મૂત્ર થંક બડખા લીંટ અને બીજો દેહમલ એ to ) છ જ 92 B લાં છ ) ની Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને ગોવાળિયા દ્વારા પ્રથમ ઉપસર્ગ, શક્રેન્દ્રનું આવી નિવારણ પ્રભુનું બ્રાહ્મણને અર્ધવસ્ત્રદાન Jain Edu Page #114 -------------------------------------------------------------------------- ________________ શૂલપાણિયક્ષ દ્વારા ઉપસર્ગ પ્રભુને વ્યંતરી દ્વારા પ્રભુને ઉપસર્ગ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ lo બધાંને નિર્જીવ શુદ્ધ સ્થળે પરઠવવા માટે રાખવામાં આવતી કાળજી. એ રીતે પાંચ સમિતિને ધારણ કરતા ભગવાન મનને બરાબર સારી રીતે પ્રવર્તાવનારા, વચનને બરાબર સારી રીતે પ્રવર્તાવનારા અને શરીરને બરાબર સારી રીતે પ્રવર્તાવનારા થયા. મનપ્તિ વચનગુપ્તિ તથા કાયગુપ્તિને સાચવનારા થયા. એ રીતે ગુપ્તિવાળા અન જિતેંદ્રિય ભગવાન સર્વથા નિર્દોષપણે બ્રહ્મચર્યવિહારે વિચરનારા થયા. ક્રોધ વિનાના, અભિમાન વિનાના, છળકપટ વગરના અને લોભરહિત ભગવાન શાંત બન્યા, ઉપશાંત થયા, તેમના સર્વ સંતાપો દૂર થયા, તેઓ આસ્રવ વગરના, મમતા રહિત, પાસે કશો પણ પરિગ્રહ નહીં રાખનારા અકિંચન થયા, હવે તો એમની પાસે ગાંઠવાળીને સાચવવા જેવી એક પણ ચીજ રહી નથી એવા એ અંદરથી અને બહારથી છિન્નગ્રંથ થયા, જેમ કાંસાના વાસણમાં પાણી ચોંટતું નથી તેમ તેમનામાં કોઈ મળ ચોંટતો નથી એવા એ નિરુપલેપ થયા, જેમ શંખની ઉપર કોઈ રંગ ચડતો નથી એમ એમની ઉપર રાગદ્વેષની કશી અસર પડતી નથી એવા એ ભગવાન અપ્રતિહત-કોઈ પ્રકારનો પ્રતિબંધ રાખ્યા વિના અસ્ખલિતપણે વિહરવા લાગ્યા, જેમ આકાશ બીજા કોઈ આધારની ઓશિયાળ રાખતું નથી તેમ ભગવાન બીજા કોઈની સહાયતાની ગરજ રાખતા નથી એવા નિરાલંબન થયા, વાયુની પેઠે પ્રતિબંધ વગરના » DD D ૧૦૧ કે મેં જે ઈ ઈ Page #116 -------------------------------------------------------------------------- ________________ D | બન્યા એટલે જેમ વાયુ એક જ સ્થળે રહેતો નથી પણ બધે રોકટોક વિના ફર્યા કરે છે તેમ ભગવાન એક જ સ્થળે બંધાઈને ન રહેતાં બધે નિરીહભાવે ફરનારા થયા, શરદઋતુના પાણીની પેઠે એમનું હૃદય નિર્મળ થયું કમળપત્રની પેઠે નિરુપલેપ થયા એટલે | જ પાણીમાંથી ઉગેલા કમળના પત્રને જેમ પાણીનો છાંટો ભીજવી શક્તો નથી તેમ ભગવાનને સંસારભાવ ભીંજવી શક્તો નથી, કાચબાની પેઠે ભગવાન ગુખેંદ્રિય થયા, મહાવરાહના મુખ ઉપર જેમ એક જ શિંગડું હોય છે તેમ ભગવાન એકાકી થયા, પક્ષીની પેઠે ભગવાન તદ્દન મોકળા થયા, ભારંડપક્ષીની પેઠે ભગવાન અપ્રમત બન્યા, હાથીની પેઠ ભારે શૂર થયા, બળદની પેઠે પ્રબળ પરાક્રમી થયા, સિંહની પેઠે કોઈથી પણ ગાંજ્યા ન જાય એવા બન્યા, મેરુની પેઠે અડગ બન્યા, તથા ભગવાન સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવી સૌમ્યતાવાળા, સૂરજ જેવા ઝળહળતા તેજવાળા, ઉત્તમ સોનાની પેઠે ચમકતી દેહકાંતિવાળા અને પૃથ્વીની પેઠે તમામ પરિષહોને સહનારા અને ઘી હોમેલા અગ્નિની પેઠે તેજથી જાજ્વલ્યમાન થયા. [૧૧૮] નીચેની બે ગાથાઓમાં ભગવાનને જેની જેની ઉપમા આપવામાં આવેલ છે તે તે અર્થવાળા શબ્દોમાં નામ આ પ્રમાણે ગણાવવામાં આવેલ છે. B = " $u) ની Vain Elication indicar For ના D e Taarily www angry.org Page #117 -------------------------------------------------------------------------- ________________ I DOOD સંગમદેવ દ્વારા ઉપસર્ગ ચંડકૌશિક દ્વારા પ્રભુને ડંખ, પ્રભુ દ્વારા પ્રતિબોધ Page #118 -------------------------------------------------------------------------- ________________ ધ פול הצ םן ઈં ૧૦૪ DLS D કઠપૂતના વ્યંતરી દ્વારા શીત ઉપસર્ગ સુદૃષ્ટુદેવ દ્વારા નાવમાં ઉપસર્ગ, કંબલસંબલદેવ દ્વારા નિવારણ &o O o O 9 0 &> 0 &to my.org Page #119 -------------------------------------------------------------------------- ________________ SO $= (h ઈ કાંસાનું વાસણ, શંખ, જીવ, ગગન-આકાશ, વાયુ શરદઋતુનું પાણી, કમળનું પત્ર, કાચબો, પક્ષી મહાવરાહ અને ભારંડપક્ષી. [૧] હાથી, બળદ, સિંહ, નગરાજ મેરુ, સાગર, ચંદ્ર, સૂરજ, સોનું, પૃથ્વી અને અગ્નિ. [૨] તે ભગવંતને ક્યાંય પ્રતિબંધ નથી એટલે ભગવાનના મનને હવે કોઈ રીતે બંધાવાપણું રહ્યું નથી. એવો તે પ્રતિબંધ ચાર પ્રકારે હોય છે; ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી, અને ૪ ભાવથી. ૧૦૫ ૧ દ્રવ્યથી એટલે સજીવ, નિર્જીવ તથા મિશ્ર એટલે નિર્જીવસજીવ એવા કોઈ પ્રકારના પદાર્થોમાં હવે ભગવાનને બંધાવાપણું રહ્યું નથી. ૨ ક્ષેત્રથી એટલે ગામમાં, નગરમાં, અરણ્યમાં, ખેતરમાં ખળામાં, ઘરમાં, આંગણમાં કે આકાશમાં એવા કોઈ પણ સ્થાનમાં ભગવાનને બંધાવાપણું રહ્યું નથી. ૩ કાળથી એટલે સમય, આવલિકા, આનપ્રાણ, સ્તોક, ક્ષણ, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પખવાડિયું, મહિનો, ઋતુ, અયન, વરસ કે બીજો કોઈ દીર્ઘકાળનો સંયોગ, એવા કોઈ પ્રકારના સૂક્ષ્મ કે સ્થૂલ વા નાના મોટા કાળનું બંધન રહ્યું નથી. કે J> J@@@@@@@©T ૬) am, and see an am ૧૦૫ ઈ ઈ Page #120 -------------------------------------------------------------------------- ________________ Gre (IT) ang ( - ૪ ભાવથી એટલે ક્રોધ, અભિમાન, છળકપટ, લોભ, ભય, હાસ્ય-ઠઠ્ઠામશ્કરી, રાગ, દ્વેષ, કજીયોરંટો, આળ ચડાવવું, બીજાના દોષોને પ્રગટ કરવા-ચાડી ખાવી, બીજાની નિંદા કરવી, રાગ-ઉદ્વેગ-કપટવૃત્તિ સહિત જુઠું બોલવું અને મિથ્યાત્વના ભાવોમાં એટલે ઉપર્યુક્ત એવી કોઈ પણ વૃત્તિઓમાં ભગવાનને બંધાવાપણું છે નહીં અર્થાત્ ઉપર જણાવેલા ચારે પ્રકારના પ્રતિબંધમાંનો કોઈ એક પણ પ્રતિબંધ ભગવાનને બાંધી શકે એમ નથી. [૧૧] તે ભગવાન ચોમાસાનો સમય છોડી દઈને બાકીના ઉનાળાના અને શિયાળાના આઠ માસ સુધી વિહરતા રહે છે. ગામડામાં એક જ રાત રહે છે અને નગરમાં પાંચ રાતથી વધુ રોકાતા નથી, વાંસલાના અને ચંદનના સ્પર્શમાં સમાન સંકલ્પવાળા ભગવાન ખડ કે મણિ તથા ઢેકું કે સોનું એ બધામાં સમાનવૃત્તિવાળા તથા દુઃખ સુખને એક ભાવે સહન કરનારા, આ લોક કે પરલોકમાં પ્રતિબંધ વગરના, જીવન કે મરણની આકાંક્ષા વિનાના સંસારનો પાર પામનારા અને કર્મનાં સંગનો નાશ કરવા સારુ તત્પર થયેલા આ રીતે વિહાર કરે છે. [૧૨૦] એમ વિહરતાં વિહરતાં ભગવાનના અનોપમ ઉત્તમ જ્ઞાન, દર્શન, સંજમ, અનોપમ એટલે નિર્દોષ વસતિ, ang -Main' Emailure initial For online Lily www jainelibrary.org Page #121 -------------------------------------------------------------------------- ________________ 82 દીક) હUD ધ૭) ૧ વિહાર, વીર્ય, સરળતા, નમ્રતા, અપરિગ્રહભાવ, ક્ષમા, અલોભ, ગુપ્તિ, પ્રસન્નતા વગેરે ગુણોવડે અને સત્ય સંજમ તપ વગેરે જે જે ગુણોના ઠીક ઠીક આચરણને લીધે નિર્વાણનો માર્ગ એટલે સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ રત્નત્રય વિશેષ પુષ્ટ બને છે અને અર્થાત્ મુક્તિફળનો લાભ તદ્દન પાસે આવતો જાય છે, તે તે તમામ ગુણો દ્વારા આત્માને ભાવિત કરતા ભગવાન રહે છે અને એ રીતે વિહરતાં તેમનાં બાર વરસ વીતી જાય છે. અને તેરમા વરસનો વચગાળાનો ભાગ એટલે ભર ઉનાળાનો બીજો મહિનો અને ચોથો પક્ષ ચાલે છે, તે ચોથો પક્ષ એટલે વૈશાખ માસનો શુક્લ પક્ષ, તે વૈશાખ માસના શુક્લ પક્ષની દશમીને દિવસે જ્યારે છાયા પૂર્વ તરફ ઢળતી હતી, પાછલી પોરષી બરાબર પૂરી થઈ હતી, સુવ્રત નામનો દિવસ હતો, વિજય નામનું મુહૂત હતું ત્યારે ભગવાન જાંભિક-(જંભિયા)-ગ્રામ નગરની બહાર ઋજુવાલિકા નદીને કાંઠે એક ખંડેર જેવા જુના ચૈત્યની બહુ દૂર નહીં તેમ બહુ પાસે નહીં એ રીતે શ્યામક નામના ગૃહપતિના ખેતરમાં શાળાના વૃક્ષની નીચે ગોદોહાસને ઊભડક બેસીને ધ્યાનમાં રહેલા હતા. ત્યાં એ રીતે ધ્યાનમાં રહેતા તપ અને આતાપના દ્વારા તપ કરતા ભગવાનને છ ટંક ભોજન અને પાણી નહીં લેવાનો છટ્ટનો તપ કરેલો હતો, હવે TITI Page #122 -------------------------------------------------------------------------- ________________ બરાબર જે વખતે ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો યોગ થયેલો હતો તે વખતે એ રીતે ધ્યાનમાં મગ્ન રહેતા ભગવાન મહાવીરને અંતવગરનું ઉત્તમોઉત્તમ, વ્યાધાત વગરનું, આવરણ વિનાનું, સમગ્ર અને સર્વ પ્રકારે પરિપૂર્ણ એવું કેવલવરજ્ઞાન અને કેવલવરદર્શન પ્રગટયું. [૧૨૧] ત્યાર પછી તે ભગવાન અરહંત થયા, જિન, સર્વજ્ઞ અને સર્વદર્શી થયા, હવે ભગવાન દેવ માનવ અને અસુર સહિત લોકનાં-જગતનાં તમામ પર્યાય જાણે છે જુએ છે-આખા લોકમાં તમામ જીવોનાં આગમન-ગમન સ્થિતિ વનઉપપાત, તેમનું મન માનસિક સંકલ્પો ખાનપાન તેમની સારી નરસી તમામ પ્રવૃત્તિઓ, તેમના ભોગવિલાસો, તેમની જે જે પ્રવૃત્તિ ખુલ્લી છે તે અને જે જે પ્રવૃત્તિઓ છાની છે તે તમામ પ્રવૃત્તિઓને ભગવાન જાણે છે, જુએ છે. હવે ભગવાન અરિહંત થયા એટલે તેમનાથી કશું રહસ્ય-૫-રહી શકે એમ નથી એવા થયા, તેમની પાસે કરોડો દેવો નિરંતર સેવા માટે રહેવાને લીધે હવે તેઓને એકાંતમાં રહેવાનું બનતું નથી એવા થયા, એ રીતે અરિહંત થયેલા ભગવાન તે તે કાળે માનસિક વાચિક | 3. અને કાયિક પ્રવૃત્તિઓમાં વર્તતા સમગ્ર લોકના તમામ જીવોના તમામ ભાવોને જાણતાં જોતાં વિહરતા રહે છે. Gી For F erne Only www amery.org Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને કાનમાં ખીલા મારવા દ્વારા ગોવાળીયાનો ઉપસર્ગ તથા ખરકવૈદ્ય તથા મિત્રો દ્વારા કાનમાંથી ખીલા કાઢવા ૧૦૯ ચંદનબાલા દ્વારા અડદના બાકુલા હોરાવી પ્રભુને ૫ માસ ૨૫ દિનના ઉપવાસનું પારણું Jain Ede elibrary.org Page #124 -------------------------------------------------------------------------- ________________ OD END ૧૧૦ 0 GD Jain Educ પ્રભુને ગોદોહિકા આસને જુવાલિકામાં કેવલજ્ઞાન પ્રભુ અષ્ટપ્રાતિહાર્ય યુક્ત થઈ વિહાર ang is am g) +8 0 am ) alibrary.org Page #125 -------------------------------------------------------------------------- ________________ વિ8 up લે છે [૧૨૨] તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે અસ્થિક ગ્રામને અવલંબીને પ્રથમ ચોમાસું કર્યું હતું, . ચંપાનગરીમાં અને પૃષ્ઠચંપામાં ભગવાને ત્રણ ચોમાસા કર્યા હતાં, વૈશાલી નગરીમાં અને વાણિજ્યગામમાં ભગવાન બારા વાર, રાજગૃહનગરમાં અને તેની બહારના નાલંદા પાડામાં ચૌદવાર, મિથિલા નગરીમાં છ વાર, ભક્રિયામાં બે વાર, આલંભિકામાં એક વાર, સાવત્થીમાં એકવાર, પ્રણીતભૂમિમાં એટલે વજભૂમિ નામના અનાર્ય દેશમાં એકવાર. અને છેલ્લું ચોમાસું રહેવા ભગવાન મધ્યમાં પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની કારકુનોની કચેરીવાળી જગ્યામાં આવ્યા હતા. [૧૨૩] ભગવાન જ્યારે છેલ્લું ચોમાસું રહેવા ત્યાં મધ્યમાં પાવા નગરીમાં આવેલા ત્યારે તે ચોમાસાની વર્ષાઋતુનો ચોથો મહિનો અને સાતમો પક્ષ ચાલતો હતો, સાતમો પક્ષ એટલે કાર્તિક માસનો વદિ પક્ષ, તે કાર્તિક માસના વદિ પખવાડિયાની પંદરમી તિથિ એટલે અમાસ આવી અને ભગવાનની તે છેલ્લી રાત હતી. તે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા-દુનિયા છોડીને ચાલ્યા ગયા, ફરીવાર જન્મ ન લેવો પડે એ રીતે ચાલ્યા ગયા, તેમનાં જન્મ કે દિલ છ Page #126 -------------------------------------------------------------------------- ________________ ઈં BH T ૩૪. જરા મરણનાં તમામ બંધનો છેદાઈ ગયાં અર્થાત્ ભગવાન સિદ્ધ, બુદ્ધ, મુક્ત, દુઃખોના અંતકૃત નાશ કરનારા-થયા, T પરિનિર્વાણ પામ્યા અને તેમનાં દુ:ખો ચાલ્યાં ગયાં. פן הצ פיל ૧૧૨ tap CA פול 13 ઈ નાના બા ભગવાન જ્યારે કાળધર્મને પામ્યા ત્યારે ચંદ્ર નામનો બીજો સંવત્સર ચાલતો હતો, પ્રીતિવર્ધન નામનો માસ હતો, નંદિવર્ધન નામે પખવાડિયું હતું, અગ્નિવેશ્ય- નામે તે દિવસ હતો જેનું બીજું નામ ‘ઉવસમ’ એમ કહેવાય છે અને દેવાણંદા નામે તે રાત્રિ હતી જેનું બીજું નામ ‘નિરઈ’ કહેવાય છે, એ રાતે અર્ચ નામનો લવ, મુર્હુત નામનો પ્રાણ, સિદ્ધ નામનો સ્તોક, નાગ નામે કરણ, સર્વાર્થસિદ્ધ નામે મુર્હુત હતું અને બરાબર સ્વાતિ નક્ષત્રનો યોગ આવેલો હતો. એવે સમયે ભગવાન કાળધર્મને પામ્યા, અને તેમનાં તમામ દુઃખો તદ્દન છેદાઈ ગયા. T [૧૨૪] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા તે રાતે ઘણા દેવો અને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ખુબ ઉદ્યોત થઈ રહ્યો હતો. פול 10 פיל (4) פול מון פול ( פול ઈ ૧૧૨ ઈ www.unithay.org Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનું સમવસરણમાં આગમન, ૩ પ્રદક્ષિણા દઈ નમો તિસ્થસ્સ કહે છે. પ્રભુની ગેરહાજરીમાં ગણધરની દેશના પ્રભુનું સમવસરણ અને દેશના elibrary.org Page #128 -------------------------------------------------------------------------- ________________ હા) Sો ઇ ઉ દીકરો ક = kg) on o પ્રભુના હસ્તે તીર્થની તથા ૧૧ ગણધરની સ્થાપના ગોશાલક દ્વારા પ્રભુ પર તેજોલેક્ષા છોડી Jain Educa brary.org Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ Jain Edu કારકુનશાળામાં પ્રભુની અંતિમ દેશના અપાપાપુરીમાં પ્રભુનું નિર્વાણ ૧૧૫ JJ elibrary.org Page #130 -------------------------------------------------------------------------- ________________ CD E OD ૧૧૬ mo Jain Educa પ્રભુનું નિર્વાણ સ્થળ-જલમંદિર-પાવાપુરી (બિહાર) નિર્વાણના સમાચાર, ગૌતમસ્વામીને પ્રભુના દેવશર્મા પ્રતિબોધ તથા ગૌતમસ્વામીને કેવલજ્ઞાન D) DH HD D ૧૧૬ library.org Page #131 -------------------------------------------------------------------------- ________________ [૧૨૫] ઘણા દેવો અને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ભારે કોલાહલ અને ભારે ઘોંઘાટ થયો હતો. [૧૨૬] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા તે રાત્રે તેમના પટ્ટશિષ્ય ગૌતમગોત્રના ઈન્દ્રભૂતિ અનગારનું ભગવાન મહાવીરને લગતું પ્રેમબંધન વિછિન્ન થઈ ગયું. અને ઈન્દ્રભૂતિ અનગારને અંત વગરનું, ઉત્તમોઉત્તમ એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. [૧૨૭] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા તે રાત્રે કાશી દેશના મલકીવંશના નવ અને કોશલ દેશના લિચ્છવી વંશના બીજા નવ ગણ એ રીતે અઢારે ગણ રાજાઓ અમાવાસ્યાને દિવસે આઠ પહોરનો પૌષધ ઉપવાસ કરીને ત્યાં રહ્યા હતા. તેઓએ એમ વિચારેલું કે તે ભાવઉદ્યોત એટલે જ્ઞાનરૂપ પ્રકાશ ચાલ્યો ગયો એટલે હવે અમે દ્રવ્યઉદ્યોત એટલે દીવાનો પ્રકાશ કરીશું. [૧૨૮] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા, તે રાત્રે ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર ઉપર મુદ્રા ક્રૂર સ્વભાવનો ૨૦૦૦ વર્ષ સુધી રહેનારો એવો ભસ્મરાશિ નામનો મહાગ્રહ આવ્યો હતો. Page #132 -------------------------------------------------------------------------- ________________ up ) [૧૨] જ્યારથી તે ભસ્મરાશિ નામનો મહાગ્રહ ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર પર આવ્યો હતો ત્યારથી શ્રમણ T નિગ્રંથો અને નિગ્રંથીઓનો સત્કાર ઉત્તરોઉત્તર વધતો નથી. [૧૩૦] જ્યારે તે ભસ્મરાશિગ્રહ ભગવાનના જન્મનક્ષત્ર ઉપરથી ખસી જશે ત્યારે શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓનો પૂજા સત્કાર વધશે. [૧૩૧] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા તે રાત્રે બચાવી ન શકાય એવી કંથવા નામની જીવાત ઉત્પન્ન થઈ ગઈ, જે જીવાત સ્થિર હોય- તો છઘસ્થ નિગ્રંથ અને નિગ્રંથીઓને આંખે જલદી જોવાય તેવી નહોતી અને જ્યારે અસ્થિર હોય એટલે કે ચાલતી હોય ત્યારે તે જીવાતને છઘસ્થ નિગ્રંથ અને નિગ્રંથીઓ પોતાની આંખે ઝડપથી જોઈ શક્તા હતા. એવી એ જીવાતને જોઈને ઘણા નિગ્રંથોએ અને નિગ્રંથીઓએ અનશન સ્વીકારી લીધું. [૧૩૨] પ્ર. હે ભગવંત ! જીવાતને જોઈને નિગ્રંથોને અને નિગ્રંથીઓએ અનશન કર્યું એ શું સૂચવે છે? I 9 ઉ. આજથી માંડીને સંયમ દુરારાધ્ય થશે એટલે કે સંયમ પાળવો ઘણો કઠણ પડશે. in Education International O PV Pernen www. ry.org Page #133 -------------------------------------------------------------------------- ________________ ઈ [૧૩૩] તે કાળે તે સમયે ભગવાન મહાવીરને ઈન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર શ્રમણોની, ધ [૧૩૪] આર્યાચંદના વગેરે છત્રીસ હજાર આર્યાઓની, [૧૩૫] શંખ શતક વગેરે એકલાખ ઓગણસાઠ હજાર શ્રાવકોની, ag ઇ [૧૭૬] સુલસા રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર, શ્રાવિકાઓની, [૧૩૭] જિન નહિ છતાં જિનની જેવા સર્વાક્ષર સન્નિપાતી અને જિનની પેઠે સાચું સ્પષ્ટીકરણ કરનારા એવા ત્રણસો ચૌદપૂર્વીઓની, [૧૩૮] વિશેષ પ્રકારની લબ્ધિવાળા એવા તેરસો અવધિજ્ઞાનિઓની, [૧૩૯] સંપૂર્ણ ઉત્તમ જ્ઞાન અને દર્શનને પામેલા એવા સાતસો કેવળજ્ઞાનિઓની, [૧૪૦] દેવ નહિ છતાં દેવની સમૃદ્ધિને પામેલા એવા સાતસો વૈક્રિયલબ્ધિવાળા શ્રમણોની, DD DO ૧૧૯ € € Page #134 -------------------------------------------------------------------------- ________________ CWG Tી હાજી [૧૪૧] અઢીદ્વીપમાં અને બે સમુદ્રમાં રહેનારા, મનવાળા, પૂરી પર્યાપ્તિવાળા એવા પંચેન્દ્રિયપ્રાણીઓનાં મનના ભાવોને જાણે એવા પાંચસો વિપુલમતિ જ્ઞાની શ્રમણોની, [૧૪૨] દેવ, મનુષ્ય ને અસુરોવાળી સભાઓમાં વાદ કરતાં પરાજય ન પામે એવા ચારસો વાદીઓની એટલે શાસ્ત્રાર્થ કરનારાઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. | [૧૪૩] શ્રમણ ભગવાન મહાવીરના સાતસો શિષ્યો સિદ્ધ થયા અને ચૌદસો શિષ્યાઓ સિદ્ધ થઈ. [૧૪૪] શ્રમણ ભગવાન મહાવીરને ભવિષ્યની ગતિમાં કલ્યાણ પામનારા, વર્તમાન સ્થિતિમાં કલ્યાણ અનુભવનારા અને ભવિષ્યમાં ભદ્ર પામનારા એવા આઠસો અનુત્તરીપપાતિક મુનિઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. એટલે કે એમના એવા આઠસો મુનિઓ હતા કે જે અનુત્તર વિમાનમાં જનારા હતા. [૧૪૫] શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં મોક્ષે જનારા લોકોની બે પ્રકારની ભૂમિ હતી. યુગાન્તકૃતભૂમિ અને | છે. ક SOK O CID ang For t e Only www. sy.org Page #135 -------------------------------------------------------------------------- ________________ પર્યાયાંતકૃતભૂમિ, યુગાન્તકૃતભૂમિ એટલે જે લોકો અનુક્રમે મુક્તિ એટલે કે ગુરુ મુક્તિ પામે એ પછી એનો શિષ્ય મુક્તિ પામે એ પછી એનો પ્રશિષ્ય મુક્તિ પામે; એ રીતે જેઓ અનુક્રમે મુક્તિ પામ્યા કરે તેમની મોક્ષ પરત્વે યુગાન્તકૃતભૂમિ કહેવાય. અને પર્યાયાંતકૃતભૂમિ એટલે ભગવાન કેવળી થયા પછી જે લોકો મુક્તિ પામે તેમની મોક્ષ પરત્વે પર્યાયાંતકૃતભૂમિ કહેવાય. ભગવાનથી ત્રીજા પુરૂષ સુધી યુગાન્તકૃતભૂમિ હતી એટલે કે પહેલાં ભગવાન મોક્ષે ગયા પછી એમના કોઈ શિષ્ય મોક્ષે ગયા અને પછી એમના પ્રશિષ્ય એટલે જંબુસ્વામી મોક્ષે ગયા. આ યુગાન્તકૃતભૂમિ જંબુસ્વામી સુધી જ ચાલી પછી બંધ પડી ગઈ. અને ભગવાનને કેવળી થયે ચાર વરસ વીત્યા પછી કોઈક મોક્ષે ગયો, એટલે કે ભગવાનને કેવળી થયા પછી ચાર વરસે મુક્તિનો માર્ગ વહેતો થયો અને તે જંબુસ્વામી સુધી વહેતો રહ્યો. [૧૪૬] તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને બાર કરતાં વધારે વરસ સુધી છદ્મસ્થ એવા મુનિ પર્યાયને પામીને, ત્રીસ કરતાં કંઈક ઓછા વરસ સુધી કેવળી પર્યાયને પામીને એકંદરે કુલ બેતાલીસ વરસ સુધી સાધુપણાનો પર્યાય પામીને એ રીતે કુલ બોતેર વરસનું આયુષ્ય પૂરું કરીને અને તેમના વેદનીય, આયુષ્ય, નામ અને Eory Page #136 -------------------------------------------------------------------------- ________________ (BT ગોત્રકર્મ ક્ષીણ થયાં પછી આ અવસર્પિણી કાળનો દુઃષમ સુષમ નામનો ચોથો આરો બહુ વીત્યા પછી તથા તે આરાના ત્રણ વરસ T અને સાડા આઠ મહિના બાકી રહ્યા પછી મધ્યમાપાપા નગરીમાં હસ્તિપાળ રાજાના કારકુનોની બેસવાની જગ્યામાં એકલા, કોઈ બીર્જ સાથે નહિ એ રીતે ભોજન અને પાનનો ત્યાગ કરીને એટલે કે છઠ્ઠ કરીને સ્વાતિ નક્ષત્રનો યોગ થતાં વહેલી સવારે એટલે કે ચાર ઘડી રાત બાકી રહેતાં પદ્માસનમાં બેઠેલા ભગવાન કલ્યાણફળવિપાકનાં પંચાવન અધ્યયનોને અને પાપફળવિપાકનાં બીજાં પંચાવન અધ્યયનોને અને કોઈએ નહિ પૂછેલા એવા પ્રશ્નોના ખુલાસા આપનારાં છત્રીસ અધ્યયનોને કહેતાં કહેતાં કાળધર્મને પામ્યા અને એમનાં જન્મ જરા અને અને મરણનાં બંધનો કપાઈ ગયાં. તેઓ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા, તમામ કર્મોનો એમણે નાશ કર્યો. અને તેમનાં તમામ દુઃખો નાશ પામી ગયાં. [૧૪૭] આજે શ્રમણ ભગવાન મહાવીરનું નિર્વાણ થયાંને નવસો વર્ષ વીતી ગયાં, તે ઉપરાંત આ હજારમાં વર્ષના એશીમાં વર્ષનો વખત ચાલે છે. એટલે ભગવાન મહાવીરને નિર્વાણ પામ્યાને આજે ૯૮૦ વરસ થયાં બીજી વાચનામાં વળી કેટલાક એમ કહે છે કે નવસો વરસ ઉપરાંત હજારમા વર્ષના તાણુમાં વર્ષનો કાળ ચાલે છે, એવો પાઠ દેખાય છે. એટલે એમને મતે મહાવીર નિર્વાણને નવસો તાણું-૯૯૭-વર્ષ થયાં કહેવાય. એટલે કલ્પસૂત્ર સભાસમક્ષ વાંચન થયું. 17 For Fre Pose Only For Fivela a permain Las on www.Binelibrary.org Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧ર૩ પૂર્વભવમાં પાર્થપ્રભુના જીવે ૫00 વાર જન્માભિષેકનો લાભ લીધેલ તથા વામામાતાને દેવલોકમાંથી આવી દર્શન આપે છે શ્રી પાર્શ્વનાથ ભગવાન Page #138 -------------------------------------------------------------------------- ________________ BUNUN T વામામાતાને ૧૪ સ્વપ્નદર્શન પાર્શ્વકુમાર નગરચર્યા દેખે છે, કમઠ પાસે આવી બળતા સર્પને સેવક દ્વારા નવકારસ્મરણ Jain Educ brary.org Page #139 -------------------------------------------------------------------------- ________________ પુરુષાદાનીય અરહંત પાર્શ્વનાથ [૧૪૮] તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્શ્વ અરહંત પંચ વિશાખાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગોમાં વિશાખા નક્ષત્ર આવેલું હતું. જેમકે; તે ૧ પાર્શ્વ અરહંત વિશાખા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા. ૨ વિશાખા નક્ષત્રમાં જન્મ્યા. ૩ વિશાખા નક્ષત્રમાં મુંડ થઈને ઘરની બહાર નીકળી તેમણે અનગારની દશાને સ્વીકારી. ૪ વિશાખા નક્ષત્રમાં તેમને અનંત, ઉત્તમોઉત્તમ, વ્યાધાત વગરનું, આવરણ વગરનું, પ્રતિપૂર્ણ એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન પેદા થયું અને ૫ વિશાખા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. [૧૪] તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્શ્વ અરહંત, જે તે ગ્રીષ્મઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચૈત્ર મહિનાની વદિ ચોથના પક્ષમાં વીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા પ્રાણત નામના કલ્પ-સ્વર્ગમાંથી આયુષ્ય પૂરું થતાં દિવ્ય આહાર, દિવ્ય જન્મ અને દિવ્ય શરીર છૂટી જતાં તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારત વર્ષમાં Page #140 -------------------------------------------------------------------------- ________________ છે A B વાણારસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં રાતનો પૂર્વ ભાગ અને પાછલો ભાગ જોડાતો હતો એ સમયે-મધરાતે-વિશાખા નક્ષત્રનો યોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. [૧૫] પુરુષાદાનીય અરિહંત પાર્થ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા, તે જેમકે; “હું ચવીશ” એમ તે જાણે છે, ઈત્યાદિ બધું શ્રી ભગવાન મહાવીરના ચરિત્ર પ્રમાણે સમજવું. [૧૫૧] તે કાલે તે સમયે જે તે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ અને પોષ મહિનાની વદિ દશમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તેમની ઉપર સાડાસાત રાતદિવસ વીતી ગયા પછી રાતનો પૂર્વભાગ તથા પાછલો | ભાગ જોડાતો હતો તે સમયે-મધરાતે-વિશાખા નક્ષત્રનો યોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક પુરુષાદાનીય અરિહંત પાર્થ નામના પુત્રને જન્મ આપ્યો. અને જે રાતે પુરુષાદાનીય અરહંત પાર્થ જન્મ પામ્યા તે રાત ઘણા દેવો અને દેવીઓ વડે ઝળહળાટવાળી થઈ હતી | અને દેવો તથા દેવીઓની આવજાને લીધે કોલાહલવાળી પણ થઈ હતી. == a ) - Gી જાણ Lain Educatan International For Para Une Only www. libr .org Page #141 -------------------------------------------------------------------------- ________________ બાકી બધું શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવ્યા પ્રમાણે જ સમજવું. વિશેષમાં ભગવાનનું નામ પાર્થ રાખેલ હતું. [૧૫૨] પુરુષાદાનીય અરહંત પાર્થ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સર્વ ગુણોથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે ત્રીશ વરસ સુધી ઘરવાસ વચ્ચે વસ્યા, ત્યાર પછી વળી જેમનો કહેવાનો આચાર છે એવા લોકાંતિક દેવોએ આવીને તે પ્રકારની ઈષ્ટ વાણી દ્વારા આ પ્રમાણે કહ્યું. હે નંદ ! તારો જય થાઓ, જય થાઓ, હે ભદ્ર ! તારો જય થાઓ જય થાઓ યાવતુ “તે દેવો એ રીતે “જયજય’ શબ્દનો પ્રયોગ કરે છે.” [૧૫૩] પુરુષાદાનીય અરહંત પાર્થને માનવદેહે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો તે પહેલાં પણ ઉત્તમ આભોગિક જ્ઞાન હતું ઈત્યાદિ તે બધું શ્રી ભગવાન મહાવીરની હકીકત પ્રમાણે કહેવું યાવતું દાયિકોમાં ભાગના હકદારોમાં-દાનને બરાબર વહેંચીને જે તે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ એટલે પોષ માસની વદિ પક્ષની અગ્યારશનો દિવસ આવ્યો ત્યારે દિવસના પૂર્વ ભાગને સમયે એટલે દિવસને ચડતે પહોરે વિશાલા શિબિકામાં બેસીને દેવો, માનવો અને અસુરોની મોટી સભા સાથે Page #142 -------------------------------------------------------------------------- ________________ ( PSE ઈત્યાદિ શ્રી ભગવાન મહાવીરની હકીકત પ્રમાણે જ કહેવું. અહીં વિશેષતા એ કે ‘પાર્શ્વનાથ ભગવાન વારસી નગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળે છે, નીકળીને જે તરફ આશ્રમપદ નામનું ઉદ્યાન છે તે ઉદ્યાનમાં અશોકનું ઉત્તમ વૃક્ષ છે તે તરફ જાય છે, જઈને અશોક વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવે છે, શિબિકામાંથી નીચે ઊતરે છે, ઉતરીને પોતાની જ મેળે આભરણો માળાઓ અને બીજા અલંકારોને નીચે મૂકે છે, નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુષ્ટિક લોચ કરે છે, લોચ કરીને પાણી વગરનો અટ્ટમભક્ત કરવા સાથે તેમને વિશાખા જોગ આવતાં એક દેવદૂષ્યને લઈને બીજા ત્રણસેં પુરુષો સાથે મુંડ થઈને ઘરવાસથી નીકળીને અનગારદશાને સ્વીકારી. [૧૫૪] પુરુષાદાનીય અરહંત પાર્થે હમેશાં શરીર તરફના લક્ષ્યને વોસરાવેલ હતું. શારીરીક વાસનાઓને તજી દીધેલ હતી એથી અનગાર દશામાં એમને જે કોઈ ઉપસર્ગો ઉપજે છે પછી ભલે તે ઉપસર્ગો દેવી હોય, માનવીએ કરેલા હોય કે પછી પશુ-પક્ષીઓ તરફથી થતા હોય, તે ત્રણ પ્રકારના ઉત્પન્ન થયેલા ઉપસર્ગોને એઓ નિર્ભયપણે સારી રીતે સહે છે, ક્રોધ આપ્યા વિના ખમે છે, ઉપસર્ગો તરફ તેમની સામર્થ્ય સાથેની તિતિક્ષાવૃત્તિ છે અને એઓ શરીરને બરાબર અચલ દ્રઢ રાખીને એ ઉપસર્ગોને પોતાના ઉપર આવવા દે છે. છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ થી = !JEETER જાર = શ્રી નેમનાથ પ્રભુનું ચિત્ર જોઈ વૈરાગ્ય ૧૨૯ શ્રી પાર્શ્વનાથ પ્રભુની દીક્ષા library.org Page #144 -------------------------------------------------------------------------- ________________ હાથીઓ દ્વારા પ્રભુની કમળ દ્વારા પૂજા-કલીકુંડ તીર્થ બને છે કમઠ દ્વારા પ્રભુને ઉપસર્ગ Jain Edu Page #145 -------------------------------------------------------------------------- ________________ [૧૫૫] ત્યાર પછી તે પાર્થ ભગવાન અનગાર થયા યાવતુ ઈર્યાસમિતિવાળા થયા અને તે રીતે આત્માને ભાવિત કરતાં કરતાં તેમને ત્યાથી રાતદિવસ વીતી ગયાં અને ચોરાશીમા દિવસની વચ્ચે વર્તતા હતા ત્યારે જે તે ગ્રીષ્મઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચૈત્ર માસની વદિ ચોથના પક્ષે દિવસને ચડતે પહોરે ધાતકિના વૃક્ષની નીચે તે પાર્થ અનગાર પાણી વગરનો છટ્ટભક્ત રાખીને રહ્યા હતા, એ સમયે ધ્યાનમાં વર્તતા તેઓ રહેતા હતા ત્યારે વિશાખા નક્ષત્રનો જોગ | આવતાં તેમને અનંત, ઉત્તમોઉત્તમ એવું યાવત્ કેવલજ્ઞાન તથા દર્શન ઉત્પન થયું. [૧૫૬] પુરુષાદાનીય અરહંત પાસને આઠ ગણો તથા આઠ ગણધરો હતા, તે જેમકે; ૧ શુભ, ૨ આર્યધોસ, ૩ વસિષ્ઠ, ૪ બ્રહ્મચારી, ૫ સોમ, ૬ શ્રીધર, ૭ વીરભદ્ર અને ૮ જસ. | [૧૫૭] પુરુષાદાનીય અરહંત પાસના સમુદાયમાં અજજદિષ્ણ વગેરે સોળ હજાર સાધુઓની, પુષ્કચૂલા વગેરે આડત્રીસ હજાર આર્યાઓની, સુનંદ વગેરે એક લાખ ચોસઠ હજાર શ્રાવકોની, સુનંદા વગેરે ત્રણ લાખ અને સત્યાવીશ હજાર શ્રાવિકોની, સાડાત્રણસેં જિન નહીં પણ જિનની જેવા તથા સર્વાક્ષરના સંયોગોને જાણનારા ચૌદપૂર્વીઓની, Page #146 -------------------------------------------------------------------------- ________________ જ રી ભાણ ચૌદસે અવધિજ્ઞાનીઓની, એક હજાર કેવલજ્ઞાનીઓની, અગિયારસે વૈક્રિયલબ્ધિવાળાઓની તથા છમેં ત્રઋજુમતિજ્ઞાનવાળાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. તેમના એક હજાર શ્રમણો, તથા બે હજાર આર્યાઓ સિદ્ધ થઈ એટલે એમની એટલી સિદ્ધ થનારાઓની સંપદા હતી. તેમના સાડા સાતમેં વિપુલમતિઓની, છમેં વાદીઓની અને બારસે અનુત્તર વિમાનમાં જનારાઓની સંપદા હતી. [૧૧૮] પુરુષાદાનીય અરહંત પાસના સમયમાં અંતકૃતોની ભૂમિ બે પ્રકારની હતી. તે જેમકે-એક તો યુગાંતકૃતભૂમિ અને બીજી પર્યાયાંતકૃતભૂમિ, અરહંત પાસેથી ચોથા યુગપુરુષ સુધી જાગંતકૃતભૂમિ હતી એટલે ચોથા પુરુષ સુધી મુક્તિમાર્ગ વહેતો ચાલુ હતો. અરહંત પાસનો કેવળી પર્યાય ત્રણ વરસનો થયો એટલે તેમને કેવળજ્ઞાન થયાં બાદ ત્રણ વરસ વીત્યા પછી ગમે તે કોઈએ દુઃખોનો અંત કર્યો અર્થાત્ મુક્તિમાર્ગ વહેતો થયો, એ તેમની વેળાની પર્યાયાંતકૃતભૂમિ હતી. [૧૫] તે કાળે તે સમયે ત્રીશ વરસ સુધી ઘરવાસમાં રહીને, વ્યાશી રાતદિવસ છઘસ્થ પર્યાયને પામીને, પૂરેપૂરાં તે પર Gી For Ramon Uime only www.ambary.org Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ પાર્શ્વનાથ પ્રભુને કેવલજ્ઞાન પાર્શ્વનાથ પ્રભુનું સમવસરણ ૧૩૩ . library.org Page #148 -------------------------------------------------------------------------- ________________ J פול רב פעל 438 Jain Educ શ્રી પાર્શ્વનાથપ્રભુનું નિર્વાણ-સમ્મેતશિખર તીર્થ פשל (כל 60 (0) סלט (1) סלט J 138 brary.org Page #149 -------------------------------------------------------------------------- ________________ નહીં પણ થોડાં ઓછાં સિત્તેર વરસ સુધી કેવળી પર્યાયને પામીને, પૂરેપૂરાં સિત્તેર વરસ સુધી શ્રમણ્યપર્યાયને પામીને એમ એકંદર સો વરસનું પોતાનું બધું આયુષ્ય પાળીને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મનો ક્ષય થયે આ દુઃષમસુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી જે તે વર્ષાઋતુનો પ્રથમ માસ બીજો પક્ષ એટલે શ્રાવણમાસના શુક્લપક્ષની આઠમના પક્ષે સંમેતશેલના શિખર ઊપર પોતાના સહિત ચોત્રીશમા એવા અર્થાત્ બીજા તેત્રીશ પુરુષો અને પોતે ચોત્રીશમા એવા પુરુષાદાનીય અરહંત પાસ મહિના સુધી પાણી વગરના માસિકભક્તનું તપ તપ્યા. એ સમયે દેવસને ચડતે પહોરે વિશાખા નક્ષત્રનો યોગ થતાં બન્ને હાથ લાંબા રહે એ રીતે ધ્યાનમાં વર્તતા તેઓ કાળધર્મને પામ્યા. ૧૩૫. યાવત્ સર્વદુઃખોથી તદ્દન છૂટા થઈ ગયા. [૧૬૦] કાલધર્મને પામેલા પુરુષાદાનીય અરહંત પાસને થયાં બારસે વરસ વીતી ગયાં અને આ તેરસોમાં વરસના ત્રીશમા વરસનો સમય જાય છે. ત્યારે આ વાંચન સભાસમક્ષ થયું. evo SUD = TENH 1 Chi Page #150 -------------------------------------------------------------------------- ________________ અરહંત અરિષ્ટનેમિ) | [૧૬૧] તે કાલે તે સમયે અરહંત અરિષ્ટનેમિ પાંચ ચિત્રાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગોમાં ચિત્રા નક્ષત્ર આવેલું હતું. તે જેમકે; અરહંત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા, ઈત્યાદિ ચિત્રા નક્ષત્રના પાઠ સાથે પૂર્વ પ્રમાણે સમજવી યાવત્ તેઓ ચિત્રા નક્ષત્રમાં પરિનિર્વાણને પામ્યા. [૧૬૨] તે કાલે સમયે અરહંત અરિષ્ટનેમિ, જે તે વર્ષાઋતુનો ચોથો માસ, સાતમો પક્ષ અને કાર્તિક મહિનાની વદિ બારશના પક્ષમાં બત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા અપરાજિત નામના મહાવિમાનમાંથી તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં સૌરિપુર નામના નગરમાં સમુદ્રવિજય રાજાની ભાર્યા શિવાદેવીની કુક્ષિમાં રાતનો પૂર્વભાગ અને પાછલો ભાગ ભેગો થતો હતો એ સમયે-મધરાતે ચિત્રા નક્ષત્રનો જોગ થતાં ગર્ભપણે ઉત્પન થયા. | ઈત્યાદિ બધું આગળ શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શન અને ધનની વૃષ્ટિ વગેરે તે પ્રમાણે સમજવું. [૧૬૩] તે કાલે તે સમયે જે તે વર્ષાઋતુનો પ્રથમ માસ, બીજો પક્ષ અને શ્રાવણ મહિનાનો શુદ્ધ પક્ષ આવ્યો તે સમયે Page #151 -------------------------------------------------------------------------- ________________ કલો માલાથી શ્વાશન - ૭ ... = તા . શ્રી નેમનાથ ભગવાન શિવામાતાને ૧૪ સ્વપ્ન Page #152 -------------------------------------------------------------------------- ________________ Sve O Sve O આયુધશાળામાં નેમનાથ ચક્ર, ધનુષ્ય, ગદા, શંખ સાથે ગમ્મત, કોણ બલવાન તેની પરીક્ષા Svo કૃષ્ણની પટ્ટરાણીઓ દ્વારા તેમનાથને લગ્ન માટે નક્કી કરાવે છે Suu library.org Page #153 -------------------------------------------------------------------------- ________________ cી રી હતી Gone Cીટ તે શ્રાવણશુદ્ધ પાંચમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા, યાવત્ મધરાતે ચિત્રા નક્ષત્રનો જોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક અરહંત અરિષ્ટનેમિને જન્મ આપ્યો. જન્મની હકીકતમાં પિતા તરીકે “સમુદ્રવિજય”ના પાઠ સાથે યાવતું આ કુમારનું નામ “અરિષ્ટનેમિ’ કુમાર થાઓ ઈત્યાદિ બધું સમજવું. | [૧૬૪] અરહંત અરિષ્ટનેમિ દક્ષ હતા તેઓ ત્રણસેં વરસ સુધી કુમાર અવસ્થામાં ઘરવાસ વચ્ચે વસ્યા, ત્યાર પછી વળી જેમનો કહેવાનો આચાર છે એવા લોકાંતિક દેવોએ આવીને તેમને કહ્યું ઈત્યાદિ બધું જેમ આગળ આવી ગયું છે તેમ સમજવું. - જે તે વર્ષાઋતુનો પ્રથમ માસ, બીજો પક્ષ એટલે શ્રાવણનો શુદ્ધ પક્ષ આવ્યો અને તે શ્રાવણ શુદ્ધની છઠ્ઠના પક્ષે દિવસને ચડતે પહોરે જેમની વાટની પાછળ પાછળ દેવો માનવો અને અસુરોની મંડળી ચાલી રહી છે એવા અરિષ્ટનેમિ ઉત્તરકુરા નામની શિબિકામાં બેસીને દ્વારિકા નગરીની વચ્ચોવચ્ચ થઈને જે તરફ રૈવતક નામનું ઉદ્યાન છે ત્યાં જ આવે છે. ત્યાં આવીને | અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઉભી રખાવે છે. ઉભી રખાવીને તેઓ શિબિકા-પાલખીમાંથી ઉતરે છે, પોતાની મેળે of 6 Gre 2 Eliાતા Page #154 -------------------------------------------------------------------------- ________________ જ આભરણ માળાઓ અને અલંકારો નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુષ્ટિક લોચ કરે છે, લોચ કરીને પાણી વગરનો છટ્ટભક્ત કરવા સાથે તેમણે ચિત્રા નક્ષત્રનો જોગ આવતાં એક દેવદૂષ્ય લઈને બીજા હજારો પુરુષોની સાથે મુંડ થઈને ઘરવાસમાંથી નીકળીને અનગાર દેશાને સ્વીકારી. [૧૬૫ અરહંત અરિષ્ટનેમિએ ચોપન રાતદિવસ ધ્યાનમાં રહેતાં હમેશાં શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું અને શારીરિક વાસનાઓને છોડી દીધેલ હતી ઈત્યાદિ બધું જેમ આગળ આવ્યું છે તેમ અહીં સમજવાનું છે. અરહંત અરિષ્ટનેમિને એ રીતે ધ્યાનમાં રહેતાં પંચાવનમો રાતદિવસ આવી પહોંચ્યો. જ્યારે તેઓ એ રીતે પંચાવનમાં રાતિદિવસની મધ્યમાં વર્તતા હતા ત્યારે જે તે વર્ષાઋતુનો ત્રીજો માસ, પાંચમો પક્ષ એટલે આસો માસની વદિ અમાવાસ્યાના પક્ષે દિવસના પાછલા ભાગમાં ઉજ્જિતશેલ શિખર ઊપર નેતરના ઝાડની નીચે પાણી વગરના અટ્ટમભક્તનું તેમણે તપ તપેલું હતું, બરાબર એ સમયે ચિત્રા નક્ષત્રનો યોગ આવતાં ધ્યાનમાં વર્તતાં તેમને અનંત એવું ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. હવે તેઓ સમસ્ત દ્રવ્યો અને તેમના તમામ પર્યાયોને જાણતા દેખતા વિહરે છે. ( ૪ ) to es e up Jain Education interesanai For online only જી Timite may.gu Page #155 -------------------------------------------------------------------------- ________________ નેમનાથનો લગ્નનો વરઘોડો, રથ પાછો વળ્યો નેમનાથ પ્રભુનો દીક્ષાનો વરઘોડો Jain Edu Page #156 -------------------------------------------------------------------------- ________________ ang ma qua કરે ) નેમનાથ પ્રભુનું સમવસરણ-તીર્થ સ્થાપના Guo Gue નેમનાથ પ્રભુની દીક્ષા Jain Edu Page #157 -------------------------------------------------------------------------- ________________ | [૧૬૬) અરહંત અરિષ્ટનેમિને અઢાર ગણો અને અઢાર ગણધરો હતા. અરહંત અરિષ્ટનેમિના વરદત્ત વગેરે અઢાર હજાર શ્રમણોની, આર્યયક્ષિણી વગેરે ચાળીશ હજાર આર્યાઓની, ઉત્કૃષ્ટ આર્થિક સંપત નંદ વગેરે એકલાખ અને ઓગણોસિત્તેર હજાર શ્રાવકોની, મહાસુવ્રતા વગેરે ત્રણ લાખ છત્રીસ હજાર શ્રાવિકોઓની, જિન નહીં પણ જિનની સમાન તથા સર્વ અક્ષરના સંયોગોને બરાબર જાણનારા એવા ચારસે ચૌદપૂર્વીઓની, પંદરસેં અવધિજ્ઞાનવાળાઓની, પંદરસે કેવળજ્ઞાનવાળાઓની, પંદરસેં વૈક્રિયલબ્ધિવાળાઓની, એક હજાર વિપુલમતિજ્ઞાનવાળાઓની, આઠમેં વાદીઓની અને સોળસેં અનુત્તરૌપપાતિકોની ઉત્કૃષ્ટ સંપદા હતી. તેઓના પંદરસે શ્રમણો અને ત્રણ હજાર શ્રમણીઓ સિદ્ધ થઈ. [૧૬૭] અરહંત અરિષ્ટનેમિના સમયમાં અંતકૃતોની ભૂમિ બે પ્રકારની હતી, યુગાંતકૃતભૂમિ અને પર્યાયાંતકૃતભૂમિ, અરહંત અરિષ્ટનેમિ પછી આઠમા યુગપુરુષ સુધી નિર્વાણનો માર્ગ ચાલુ હતો એ તેમની યુગાંતકૃતભૂમિ હતી. અરહંત અરિષ્ટનેમિને કેવળજ્ઞાન થયે બે વર્ષ પછી નિર્વાણનો માર્ગ ચાલુ થયો. એટલે તે તેઓની પર્યાયાંતકૃતભૂમિ થઈ. [૧૬૮] તે કાલે તે સમયે અરહંત અરિષ્ટનેમિને ત્રણસેં વરસ સુધી કુમારવાસમાં રહ્યા, ચોપન રાતદિવસ છદ્મસ્થ Page #158 -------------------------------------------------------------------------- ________________ પર્યાયમાં રહ્યા, તદ્દન પૂરાં નહીં-થોડાં ઓછાં સાતમેં વરસ સુધી કેવળિની દશામાં રહ્યા-એમ એકંદર તેઓ પૂરેપૂરાં સાતમેં વરસ સુધી શ્રમણ્યપર્યાયને પાળીને તેઓ પોતાનું એક હજાર વરસ સુધીનું સર્વ આયુષ્ય પામીને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ એ ચારે કર્મો તદન ક્ષીણ થઈ ગયા પછી અને આ દુઃષમસુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી જ્યારે જે તે ગ્રીષ્મઋતુનો ચોથો માસ આઠમો પક્ષ એટલે અષાડ શુદિ આઠમના પક્ષે ઉજ્જિતશલ શિખર ઊપર તેમણે બીજા પાંચસેને છત્રીશ અનગારો સાથે પાણી વગરનું માસિકભક્ત તપ તપ્યું, તે સમયે ચિત્રાનક્ષત્રનો જોગ થતાં રાતનો પૂર્વ ભાગ અને પાછલો ભાગ જોડાતો હતો તે સમયે મધરાતે નિષદ્યામાં રહેલાં અર્થાત્ બેઠાબેઠા અરહંત અરિષ્ટનેમિ કાલગત થયા યાવત્ સર્વ દુઃખોથી તદ્દન છૂટા થયા. [૧૬૯] અરહંત અરિષ્ટનેમિને કાલગત થયાંને ચોર્યાશી હજાર વરસ વીતી ગયાં અને તે ઊપર પંચાશીમા હજાર વરસનાં નવસે વરસ પણ વીતી ગયાં, હવે તે ઉપર દસમા સૈકાનો આ એશીમાં વરસનો સમય ચાલે છે અર્થાત્ અરહંત અરિષ્ટનેમિને કાલગત થયાંને ચોરાશી હજાર નવસેને એંશી વરસ વીતી ગયા. લા) 20) Jain Educatio n કોઇ પણTily www. by.org Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમનાથ પ્રભુનું નિર્વાણ સ્થળ-ગિરનાર તીર્થ Page #160 -------------------------------------------------------------------------- ________________ kaca dace (CTU CCC લલ : શ્રી અજિતનાથપ્રભુથી શ્રી નમિનાથપ્રભુ-૨૦ તીર્થકર Jain Educ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ mo B T [૧૭૦] અરહંત નમને કાલગત થયાંને પાંચલાખ ચોરાશી હજાર નવર્સે વરસ વીતી ગયાં, હવે તે ઊપર દસમા સૈકાનો આ એંશીમા વરસનો સમય ચાલે છે. ร [૧૭૧] અરહંત મુનિસુવ્રતને કાલગત થયાંને અગીયારલાખ ચોરાશી હજાર અને નવર્સે વરસ વીતી ગયાં, હવે તે ઊપર દસમા સૈકાનો આ એંશીમા વરસનો સમય ચાલે છે. ૭ [૧૭૨] અરહંત મલ્લિને કાલગત થયાંને પાંસઠ લાખ ચોરાશી હજાર અને નવસે વરસ વીતી ગયાં, હવે તે ઉપર દસમા સૈકાનો આ એંશીમા વરસનો સમય ચાલે છે. ૧૪૭ [૧૭૩] અરહંત અરને કાલગત થયાંને એક હજાર ક્રોડ વરસ વીતી ગયાં, બાકી બધું શ્રીમલિ વિશે જેમ કહ્યું છે તેમ જાણવું અને તે આ પ્રમાણે કહ્યું છેઃ અરહંત અરના નિર્વાણગમન પછી એક હજાર ક્રોડ વરસે શ્રી મલ્લિનાથ અરહંતનું નિર્વાણ અને અરહંત મલ્લિના નિર્વાણ પછી પાંસઠ લાખ ચોરાશી હજાર વરસ વીતી ગયાં પછી તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવસે વરસ વીતી ગયાં બાદ હવે તે ઊપર આ દસમા સૈકાનો એંશીમા વરસનો સમય ચાલે છે. ઈઈ Page #162 -------------------------------------------------------------------------- ________________ જી એ જ પ્રમાણે આગળ ઊપર શ્રેયાંસનાથની હકીકત આવે ત્યાં સુધી દેખવું એટલે ત્યાં સુધી સમજવું. [૧૭૪ અરહંત કુંથુને કાલગત થયાને એક પલ્યોપમના ચોથા ભાગ જેટલો સમય વીતી ગયો ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્ય, ઈત્યાદિ બધું જેમ શ્રીમલિ વિશે કહેલું છે તેમ જાણવું. [૧૭૫] અરહંત શાંતિને કાલગત થયાંને ચાર ભાગ કમ એક પલ્યોપમ એટલે અડધું પલ્યોપમ જેટલો સમય વીતી | ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે, ઈત્યાદિ બધું જેમ શ્રીમલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું. [૧૭૬] અરહંત ધર્મને કાલગત થયાંને ત્રણ સાગરોપમ જેટલો સમય વીતી ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ I વીત્યે ઈત્યાદિ બધું જેમ મલિ વિશે કહેલું છે તેમ જાણવું. [૧૭૭] અરહંત અનંતને કાલગત થયાંને સાત સાગરોપમ જેટલો સમય વીતી ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું. ) BE જીરુ Jain Education international For Fr e e Only www. a y .org Page #163 -------------------------------------------------------------------------- ________________ [૧૮] અરહંત વિમલને કાલગત થયાંને સોળ સાગરોપમ વીતી ગયાં અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્લિ વિશ કહ્યું છે તેમ જાણવું. [૧૯] અરહંત વાસુપૂજ્યને કાલગત થયાંને છેતાળીશ સાગરોપમ જેટલો સમય વીતી ગયો અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલિ વિશે કહ્યું છે તેમ જાણવું. [૧૮૦] અરહંત શ્રેયાંસને કાલગત થયાંને એકસો સાગરોપમ જેટલો સમય વીતી ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહ્યું છે તેમ જાણવું. [૧૮૧] અરહંત શીતળને કાલગત થયાંને બેતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ એટલા સમયથી ઊણાં એક ક્રોડ સાગરોપમ વીતી ગયાં પછી એ સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી પણ આગળ નવસે વરસો વીતી ગયાં અને હવે તે ઉપરાંત દસમા સૈકાનો આ એશીમા વરસનો સમય ચાલે છે. [૧૮૨] અરહંત સુવિધિને કાલગત થયાને દસ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો અને બાકી બધું જેમ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૪૪) ( go ) ( , શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે છેઃ અર્થાત્ એ દસ ક્રોડ સાગરોપમમાંથી બેતાળીશ હજાર અને ત્રણ વરસ અને સાઠા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને તે પછી નવસે વરસ વીતી ગયા ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું. [૧૮૩) અરહંત ચંદ્રપ્રભુને કાલગત થયાને એક સો ક્રોડ સાગરોપમ જેટલો સમય પસાર થઈ ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ સો ક્રોડ સાગરોપમમાંથી બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્માણ પામ્યા અને ત્યાર પછી નવસે વરસ વીતી ગયાં ઈત્યાદિ બધું ઉપર કહ્યા પ્રમાણે જાણવું. [૧૮૪] અરહંત સુપાર્થને કાલગત થયાને એક હજાર ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત્ એ એક હજાર ક્રોડ સાગરોપમમાંથી બેતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઉપર પ્રમાણે જાણવું. 2 ) તો $1) જા www .norey.Org Page #165 -------------------------------------------------------------------------- ________________ [૧૮૫] અરહંત પદ્મપ્રભુને કાલગત થયાને દસ હજાર ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એ દશ હજાર ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઉપર પ્રમાણે જાણવું. [૧૮૬) અરહંત સુમતિને કાલગત થયાંને એક લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ એક લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઉપર પ્રમાણે જાણવું. [૧૮૭] અરહંત અભિનંદનને કાલગત થયાંને દસ લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત્ તે દસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઉપર પ્રમાણે જાણવું. Page #166 -------------------------------------------------------------------------- ________________ છે [૧૮૮] અરહંત સંભવને કાલગત થયાંને વીશ લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાતુ એ વીશ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઉપર પ્રમાણે જાણવું. | [૧૮૯] અરહંત અજિતને કાલગત થયાંને પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત્ એ પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઉપર પ્રમાણે જાણવું. કી શા) in - શાળાના Page #167 -------------------------------------------------------------------------- ________________ મરૂદેવમાતાને ૧૪ સ્વપ્નદર્શન શ્રી આદીનાથપ્રભુ પ્રથમ તીર્થંકર Jain Eur Page #168 -------------------------------------------------------------------------- ________________ હાઈOાઈ છે કે છે ) 0 or ) પ્રભુ દ્વારા કુંભાર આદિ શીલ્પસ્થાપન ઈશ્વાકુવંશની સ્થાપના, પ્રભુનો લગ્નોત્સવ SUD 5 Sub O * Sub Sub Jain E Page #169 -------------------------------------------------------------------------- ________________ છે 2 DD 6 થવા મેં ઉ up ( શ્રીકૌશલિક અરહંત ઋષભદેવ ] [૧૯] તે કાલે તે સમયે કૌશલિક એટલે કોશલા-અયોધ્યા-નગરીમાં થયેલા અરહંત ઋષભ ચાર ઉત્તરાષાઢાવાળા, છે અને પાંચમાં અભિજિત નક્ષત્ર વાળા હતા એટલે એમના જીવનના ચાર પ્રસંગોએ ઉત્તરાષાઢા નક્ષત્ર આવેલું હતું અને જીવનના પાંચમાં પ્રસંગે અભિજિત નક્ષત્ર આવેલ હતું. તે જેમકે; કૌશલિક અરહંત ઋષભદેવ ઉત્તરષાઢા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા યાવત્ અભિજિત નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. [૧૯૧] તે કાલે તે સમયે કૌશલિક અરહંત ઋષભ, જે તે ગ્રીષ્મ ઋતુનો ચોથો માસ, સાતમો પક્ષ એટલે અષાડમાસની વદિ ચોથના પક્ષે તેત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાંથી આયુષ્યમર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર ઈત્યાદિ છૂટી જતાં તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં ઈક્વાકુભૂમિમાં નાભિ કુલકરની ભાર્યા મરુદેવીની કુક્ષિમાં રાતનો પૂર્વભાગ અને પાછલો ભાગ જોડાતો હતો એ સમયે-મધરાતે-ઉત્તરાષાઢા નક્ષત્રનો યોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. લde OTT III Page #170 -------------------------------------------------------------------------- ________________ ૪) કી [૧૯૨] કૌશલિક અરહંત ઋષભ ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા, તે જેમકે; “હું ચવીશ' એમ તે જાણે છે, ઈત્યાદિ બધું આગળ શ્રીમહાવીરના પ્રકરણમાં આવ્યું છે તેમ કહેવું યાવત્ “માતા સ્વપ્ન જુએ છે ત્યાં સુધી. તે સ્વપ્નો આ પ્રમાણે | G છેઃ “ગજ, વૃષભ” ઈત્યાદિ. વિશેષમાં એ કે, પ્રથમ સ્વપ્નમાં “મુખમાં પ્રવેશ કરતા વૃષભને જુએ છે” એમ અહીં સમજવું. આ સિવાય બીજા બધા તીર્થકરની માતાઓ પ્રથમ સ્વપ્નમાં “મુખમાં પ્રવેશ કરતા હાથીને જુએ છે એમ સમજવું. પછી સ્વપ્નની હકીકત ભાર્યા મરુદેવી, નાભિ કુલકરને કહે છે. અહીં સ્વપ્નોના ફળ બતાવનારા સ્વપ્નપાઠકો નથી એટલે એ સ્વપ્નોના ફળને નાભિ કુલકર પોતે જ કહે છે. [૧૩] તે કાલે તે સમયે જે તે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસની વદિ આઠમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડા સાત રાત દિવસ વીતી ગયા પછી ભાવતુ આષાઢા નક્ષત્રનો જોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક કૌશલિક અરહંત ઋષભ નામના પુત્રને જન્મ આપ્યો. અહીં પૂર્વે કહ્યા પ્રમાણે જન્મ સંબંધી બધી તે જ હકીકત કહેવી, યાવત્ દેવો અને દેવીઓએ આવીને વસુધારાઓ US હલી kg) થી Jain Educanthem www .og Page #171 -------------------------------------------------------------------------- ________________ આદીનાથનો રાજ્યાભિષેક, વિનીતાનગરી સ્થાપન TIT પ્રભુનો દીક્ષા વરઘોડો પ્રભુની દીક્ષા-૪ મુષ્ટિ લોચ, શ્રેયાંસકુમાર દ્વારા પારણું Jain ED horary.org Page #172 -------------------------------------------------------------------------- ________________ હાઈOnણ છે દરેક CD an) 00 no) IT | શ્રી આદીનાથપ્રભુને પ્રયાગતીર્થમાં કેવલજ્ઞાન નમિ-વિનમિ દ્વારા પ્રભુની ભક્તિ Sub 4 Sub Sub SvD Page #173 -------------------------------------------------------------------------- ________________ વરસાવી' ત્યાંસુધી. બાકી બધું તે જ પ્રમાણે સમજવું. વિશેષમાં જેલખાનાં ખાલી કરાવી નાખવાં,’ ‘તોલ માપ પધારી ઈ દેવાં’ ‘દાણ લેવું છોડી દેવું’ ઈત્યાદિ જે કુલમર્યાદાઓ આગળ બતાવી છે તે અહીં ન સમજવી તથા ધૂપો ઊંચા કરાવ્યા ઈ એટલે યૂપો લેવરાવી લીધા' એ પણ અહીં ન કહેવું, એ સિવાય બધું પૂર્વ પ્રમાણે. ૧૫૯ CLIQ [૧૯૪] કૌશલિક અરહંત ૠષભ, તેમનાં પાંચ નામો આ પ્રમાણે કહેવામાં આવે છેઃ તે જેમકે; ૧ ‘ઋષભ’, ૨ પ્રથમ રાજા’, ૩ ‘પ્રથમ ભિક્ષાચર’, ૪ ‘પ્રથમ જિન’, ૫ ‘પ્રથમ તીર્થંકર’. ૧૫૯ [૧૯૫] કૌશલિક અરહંત ૠષભ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા હતા, ઉત્તમરૂપવાળા, સર્વગુણોથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે વીશ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસમાં વસ્યા, ત્યાર પછી તેંસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્યવાસમાં વસ્યા, રાજ્યવાસમાં વસતાં તેમણે, જેમાં ગણિત મુખ્ય છે અને જેમાં શકુનરતની એટલે પક્ષીઓના અવાજો છે ઉપરથી શુભઅશુભ પારખવાની કળા છેલ્લી છે એવી બહોતેર કળાઓ, સ્ત્રીઓના ચોસઠ ગુણો અને સો શિલ્પો એ ત્રણે ઈ વાનાં પ્રજાના હિત માટે ઉપદેશ્યા-શીખવ્યાં, એ બધું શીખવી લીધા પછી સો રાજ્યોમાં સો પુત્રોનો અભિષેક કરી દીધો. ત્યાર ઈ ઈ Page #174 -------------------------------------------------------------------------- ________________ $u D ) (ST) પછી વળી, જેમનો કહેવાનો આચાર છે એવા લોકાંતિક દેવોએ તેમની પાસે આવીને પ્રિય લાગે એવી વાણીવડે તેમને કહ્યું ઈત્યાદિ બધું જેમ આગળ આવેલું છે તે જ પ્રમાણે, પછી જે તે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસની વદિ આઠમના દિવસના પાછલા પહોરે જેમની વાટની પાછળ દેવો મનુષ્યો અને અસુરોની મોટી મંડળી ચાલી રહી છે એવા કૌશલિક અરહંત ઋષભ સુદર્શના નામની શિબિકામાં બેસીને વાવતું વિનીતા નગરીમાંથી નીકળીને જે તરફ સિદ્ધાર્થવન નામનું ઉદ્યાન છે, અશોકનું ઉત્તમ ઝાડ છે તે તરફ આવે છે, આવીને અશોકના ઉત્તમ ઝાડની નીચે શિબિકાને ઉભી રખાવે છે ઈત્યાદિ બધું આગળ આવ્યું છે તે પ્રમાણે કહેવું યાવતુ પોતે જ ચાર મુષ્ટિ લોચ કરે છે ત્યાં સુધી. તે સમયે તેમણે પાણી વગરના ક્ટ ભક્તનું તપ કરેલ હતું. હવે એ સમયે આષાઢા નક્ષત્રનો જોગ થતાં ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિયવંશના ચાર હજાર પુરુષો સાથે તેમણે એક દેવદૂષ્ય લઈને મુંડ થઈને ઘરવાસમાંથી નીકળી અનગાર દશાને સ્વીકારી. [૧૯૬] કૌશલિક અરહંત ઋષભે એક હજાર વરસ સુધી હમેશાં પોતાના શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું, શારીરિક વાસનાઓને છોડી દીધેલ હતી એ રીતે પોતાના આત્માને ભાવિત કરતાં કરતાં તેમના એક હજાર વરસ વીતી ગયાં. 8.5 છા) | જીવન હી બ્રા) = $u ) - buse Jain Education international બીજી lThe Te W:00g Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ am פיס પછી જ્યારે તે હેમંત ઋતુનો ચોથો માસ, સાતમો પક્ષ એટલે ફાગણ માસની વિદ અગીયારશના પક્ષે દિવસના આગળના ભાગમાં પુરિમતાલ નગરની બહાર શકટમુખ નામના ઉદ્યાનમાં વડના ઉત્તમ ઝાડની નીચે રહીને ધ્યાન ધરતાં તેમણે પાણી વગરના અક્રમનું તપ કરેલું હતું એ સમયે આષાઢા નક્ષત્રનો જોગ થતાં એ રીતે ધ્યાનમાં વર્તતા તેમને અનંત એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયું. [૧૯૭] કૌશલિક અરહંત ૠષભને ચોરાશી ગણો અને ચોરાશી ગણધરો હતા. કૌશલિક અરહંત ૠષભના ઋષભસેન પ્રમુખ ચોરાશી હજાર શ્રમણોની, બ્રાહ્મી વગેરે ત્રણ લાખ આર્યાઓની, સિજ્જીસ (શ્રેયાંસ) પ્રમુખ ત્રણ લાખ અને પાંચ હજાર શ્રાવકોની, સુભદ્રા પ્રમુખ પાંચ લાખ અને ચોપન હજાર શ્રાવિકાઓની, જિન નહીં પણ જિનની જેવા ચાર હજાર સાતસેને પચાસ ચૌદપૂર્વધરોની, નવ હજાર અવધિજ્ઞાનીઓની, વીશ હજાર કેવજ્ઞાનિઓની, વીશ હજાર અને છસે વૈક્રિયલબ્ધિવાળાઓની, અઢીદ્વીપમાં અને બે સમુદ્રમાં વસતા પર્યાપ્ત સંશી પંચેદ્રિયોના મનોભાવને જાણનારા એવા વિપુલમતિજ્ઞાનવાળાઓની બાર હજાર છસેને પચાસ, બાર હજાર છસેને J DD A DO ઈંઈં Page #176 -------------------------------------------------------------------------- ________________ ઈ ધધધ ays ઈં (૨) 4:23 (B) પચાસ વાદીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અરહંત ૠષભના વીશ હજાર શિષ્યો-સિદ્ધ થયા અને તેમની ચાળીશ હજાર આર્યાઓ સિદ્ધ થઈ. કૌશલિક અરહંત ઋષભના બાવીશ હજાર અને નવરેં કલ્યાણગતિવાળા યાવત્ ભદ્ર પામનારા એવા અનુત્તરૌપપાતિકોની-ઉત્કૃષ્ટ સંપદા હતી. ભવિષ્યમાં פיל הצ סל ઈં }}} = ૦ ૦ D Education internationan 23 ာ -૨૩ [૧૯૮] કૌશલિક અરહંત ૠષભને બે પ્રકારની અંતકૃતભૂમિ હતી, યુગાંતકૃતભૂમિ અને પર્યાયાંતકૃતભૂમિ. શ્રીૠષભના નિર્વાણ પછી અસંખ્ય યુગપુરુષો સુધી મોક્ષ માર્ગ વહેતો હતો-એ તેમની યુગાંતકૃતભૂમિ. શ્રીૠષભને કેવળજ્ઞાન થતાં અંતર્મુહૂર્ત પછી મોક્ષમાર્ગ વહેતો થઈ ગયો એટલે શ્રીૠષભનો કેવળિપર્યાય અંતર્મુહૂર્તનો થતાં જ કોઈએ ૧૬૨ સર્વદુઃખોનો અંત કર્યો-નિર્વાણ મેળવ્યું-એ તેમની પર્યાયાંતકૃતભૂમિ. [૧૯૯] તે કાલે તે સમયે કૌશલિક અરહંત ૠષભ વીસ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસે વસ્યા, ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્ય કરનાર તરીકે રાજ્યવાસે વસ્યા, જ્યાશી લાખ પૂર્વ વરસ સુધી ઘરવાસે વસ્યા, એક હજાર વરસ સુધી છદ્મસ્થ પર્યાયને પામ્યા, એક લાખ પૂર્વ વરસમાં એક હજાર પૂર્વ ઓછાં-એટલા સમય સુધી કેવલિપર્યાયને પામ્યા અને ધ ઈં cora D) D ( DHO ဖာ WWW.Y Page #177 -------------------------------------------------------------------------- ________________ ભરત ચક્રવર્તીના આયુધશાળામાં ચક્રરત્નનું ઉત્પન્ન થવું તથા મરૂદેવામાતાને સમવસરણ જોઈ કેવળજ્ઞાન હાથી ઉપર ૧૬૩ પ્રભુનું સમવસરણ-તીર્થસ્થાપના Jain Educ Page #178 -------------------------------------------------------------------------- ________________ આ હરજી શ્રી આદીશ્વરપ્રભુનું નિર્વાણ શ્રી આદિનાથપ્રભુનું નિર્વાણ સ્થળ અષ્ટાપદ તીર્થ Jain Educa orary.org Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ OE ઈઈ એ રીતે પૂરેપૂરાં એક લાખ પૂર્વ વરસ સુધી શ્રમણપર્યાયને પામ્યા. એ રીતે એકંદર પોતાનું ચોરાશી લાખ પૂર્વનું પૂરેપૂરું છે આયુષ્ય પાળીને, વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ ક્ષીણ થતાં આ સુષમદુઃષમા નામની અવસર્પિણીનો ઘણો સમય વીતી જતાં અને હવે તે અવસર્પિણીના માત્ર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં બરાબર એ સમયે જે તે હેમંત ૠતુનો ત્રીજો માસ, પાંચમો પક્ષ એટલે માઘ માસની વિદ તેરશના પક્ષમાં અષ્ટાપદ પર્વતના શિખર ઉપર શ્રીૠષભ અરહંત બીજા ચૌદ હજાર અનગારો સાથે પાણી વગરના ચઉદસ ભક્તનું તપ તપતાં અને એ વેળાએ અભિજિત નક્ષત્રનો જોગ થતાં દિવસના ચડતે પહોરે પથંકાસનમાં રહેલા કાલગત થયા, નિર્વાણ પામ્યા. amy ange ne am [૨૦૦] કૌશલિક અરહંતના ઋષભનું નિર્વાણ થયે ત્રણ વરસ અને સાડા આઠ માસ વીતી ગયા, ત્યાર પછી પણ બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ કમ એવી એક કોટાકોટી સાગરોપમ જેટલો સમય વીતી ગયો, એ સમયે શ્રમણ ભગવાન મહાવીર પરિનિર્વાણ પામ્યા, ત્યાર પછી પણ નવસ વરસ પસાર થઈ ગયાં અને હવે એ દસમા સૈકાના એંશીમા વરસનો આ સમય છે. ત્યારે ગ્રંથવાંચન થયું. ઈ ૧૬૫ ઇઇ Page #180 -------------------------------------------------------------------------- ________________ ઈ D) D () D ૧૬૬ ઈં ઈં સ્થવિરાવલિ [૨૦૧] તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણો અને અગીયાર ગણધરો હતા. [૨૦૨] પ્ર.-તે કયા હેતુથી હે ભગવંત ! એમ કહેવાય છે કે ‘શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણો અને અગીયાર ગણધરો હતા. ઉ.-શ્રમણ ભગવાન મહાવીરના ૧ મોટા (શિષ્ય) ઈન્દ્રભૂતિ નામે ગૌતમ ગોત્રના અનગારે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૨ વચલા (શિષ્ય) અગ્નિભૂતિ નામે ગૌતમ ગોત્રના અનગારે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૩ નાના ગૌતમગોત્રી અનગાર વાયુભૂતિએ પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૪ ભારદ્વાજગોત્રી સ્થવિર આર્યવ્યક્તે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૫ અગ્નિવૈશાયનગોત્રી સ્થવિર આર્ય સુધર્માએ પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૬ વાસિષ્ઠગોત્રી સ્થવિર મંડિતપુત્રે સાડા ત્રણસેં શ્રમણોને વાચના આપેલી છે, ૭ કાશ્યપગોત્રી સ્થવિર મોર્યપુત્રે સાડા ત્રણસેં s શ્રમણોને વાચના આપેલી છે, ૮ ગૌતમગોત્રી સ્થવિર અકંપિત અને હારિતાયનગોત્રી સ્થવિર અચલભ્રાતા-એ બન્ને onal Use On סל 410 מל : - יו פעל (1) פעל ૧૬૬ Page #181 -------------------------------------------------------------------------- ________________ PÞIch ahlâlc 27 1-801-gme for Ꮆ Ꮎ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Ꭷ Ꭷ Ꭷ Ꭷ Ꭷ Ꭷ Ꭷ Ꭷ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Ꮆ Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબૂસ્વામી દ્વારા ૮ પત્નીઓ, ૫૦૦ ચોરો પ્રતિબોધ તથા દીક્ષા શ્રી શય્યભવભટ્ટને પ્રતિબોધ શ્રી શય્યભવભટ્ટને સ્તુપમાં રહેલ શાંતિનાથ પ્રભુના દર્શન તથા દીક્ષા Jain Edu library.org Page #183 -------------------------------------------------------------------------- ________________ _| |૨૦૩ સ્થવિરોએ પ્રત્યેકે ત્રણસેં ત્રણસે શ્રમણોને વાચના આપેલી છે, ૯ કોડિનગોત્રી સ્થવિર આર્ય મેઈજજ (મેતાય) અને સ્થવિર પ્રભાસ-એ બન્ને સ્થવિરોએ ત્રણસેં ત્રણસે શ્રમણોને વાચના આપેલી છે; તો તે હેતુથી હે આર્યો ! એમ કહેવાય છે કે, શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણો અને અગીયાર ગણધરો હતા. [૨૦૩] શ્રમણ ભગવાન મહાવીરના એ બધા ય અગીયારે ગણધરો દ્વાદશાંગીના જ્ઞાતા હતા, ચૌદ પૂર્વના વેત્તા હતા અને સમગ્ર ગણિપિટકના ધારક હતા. તે બધા રાજગૃહ નગરમાં એક મહિના સુધીનું પાણી વગરનું અનશન કરી કાલધર્મ પામ્યા થાવત્ સર્વદુઃખોથી રહિત થયા. મહાવીર પ્રભુ સિદ્ધિ ગતિમાં ગયા પછી સ્થવિર ઈન્દ્રભૂતિ અને સ્થવિર આર્ય સુધર્મા એ બન્ને સ્થવિરો પરિનિવાર્ણ પામ્યા. [૨૦૪] જેઓ આ આજકાલ શ્રમણ નિગ્રંથો વિહરે છે-વિદ્યમાન છે એ બધા આર્ય સુધર્મા અનગારનાં સંતાનો છે એટલે એમની શિષ્યસંતાનની પરંપરાનાં છે, બાકીના બધા ગણધરો શિષ્યસંતાન વિનાના લુચ્છેદ પામ્યા છે. /// T LT Page #184 -------------------------------------------------------------------------- ________________ ઈં y ૪૪ סול הצ סיל H ૧૭૦ guys ઈ. T [૨૦૫] શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગોત્રી હતા. તેમને અગ્નિવૈશાયનગોત્રી સ્થવિર આર્ય સુધર્મા નામે અંતેવાસી-શિષ્ય હતા. =>> D ( D 6-21 79-23 અગ્નિવૈશાયનગોત્રી સ્થવિર આર્ય સુધર્માને કાશ્યપગોત્રી સ્થવિર આર્ય જંબુ નામે અંતેવાસી હતા. કાશ્યપગોત્રી સ્થવિર આર્ય જંબુને કાત્યાયનગોત્રી સ્થવિર આર્ય પ્રભવ નામે અંતેવાસી હતા. કાત્યાયનગોત્રી સ્થવિર આર્ય પ્રભવને વાત્સ્વગોત્રી સ્થવિર આર્ય સિજ્જૈભવ (શય્યભવ) નામે અંતેવાસી હતા, આર્ય સિજ્જૈભવ મનકના પિતા હતા. આર્ય સિજ્જૈભવને તુંગિયાયનગોત્રી સ્થવિર જસભદ્દ નામે અંતેવાસી હતા. [૨૦૬] આર્ય જસભદ્દથી આગળની સ્થવિરાવલિ સંક્ષિપ્ત વાચનો દ્વારા આ પ્રમાણે કહેલી છેઃ તે જેમકે; તંગિયાયનગોત્રી સ્થવિર આર્ય જસભદ્દને બે સ્થવિરો અંતેવાસી હતાઃ એક માઢરગોગના આર્ય સંભૂતિવિજય સ્થવિર અને બીજા પ્રાચીન ગોત્રના આર્ય ભદ્રબાહુ સ્થવિર. co. စာ တ ကာ ઈ ૧૭૦ ઈં www.jainaidrary.org Page #185 -------------------------------------------------------------------------- ________________ ઈ જીઈ માઢરગોત્રી સ્થવિર આર્ય સંભૂતિવિજયને ગૌતમગોત્રી આર્ય સ્થૂલભદ્ર નામે અંતેવાસી હતા. ધ ગૌતમગોત્રી સ્થવિર આર્ય સ્થૂલભદ્રને બે સ્થવિરો અંતેવાસી હતા, એક એલાવચ્ચગોત્રી સ્થવિર આર્ય મહાગિરિ અને બીજા વાસિષ્ટગોત્રી સ્થવિર આર્યસુહસ્તી. ย વાસિષ્ટગોત્રી સ્થવિર આર્ય સુહસ્તિને બે સ્થવિરો અંતેવાસી હતાઃ એક સુસ્થિત સ્થવિર અને બીજા સુપ્પડિબુદ્ધ સ્થવિર. એ બન્ને કોડિય કાકંદક કહેવાતા અને એ બન્ને વગ્યાવચ્ચ ગોત્રના હતા. કોડિય કાકંદક તરિકે પ્રખ્યાત થયેલા અને વાવચ્ચગોત્રી સુસ્થિત અને સુપ્પડિબુદ્ધ સ્થવિરને કૌશિકગોત્રી આર્યઇંદ્રદિન્ન નામે સ્થવિર અંતેવાસી હતા. ૧૭૧ કૌશિકગોત્રી આર્યઇંદ્રદિન સ્થવિરને ગૌતમગોત્રી સ્થવિર આર્યદિન નામે અંતેવાસી હતા. ગૌતમગોત્રી સ્થવિર આર્યદિન્નને કૌશિકગોત્રી આર્યસિંહગિરિ નામે સ્થવિર અંતેવાસી હતા, આર્યસિંહગિરિને ઈ જાતિસ્મરણજ્ઞાન થયું હતું. ઈ Page #186 -------------------------------------------------------------------------- ________________ Tી Cang જાતિસ્મરણજ્ઞાનને પામેલા અને કૌશિકગોત્રી આર્યસિંહગિરિ સ્થવિરને ગૌતમગોત્રી આર્યવજ નામે સ્થવિર અંતેવાસી હતા. ગૌતમગોત્રી સ્થવિર આર્યવજને ઉકોસિયગોત્રી આર્યવજસેન નામે સ્થવિર અંતેવાસી હતા. ઉકોસિયગોત્રી આર્યવજસેન સ્થવિરને ચાર સ્થવિરો અંતેવાસી હતાઃ ૧ સ્થવિર આર્ય નાઈલ, ૨ સ્થવિર આર્ય પોમિલ, ૩ સ્થવિર આર્ય જયંત અને ૪ સ્થવિર આર્ય તાપસ. સ્થવિર આર્ય નાઈલથી આર્યનાઈલા શાખા, સ્થવિર આર્ય પોમિલથી આર્યપોમિલા શાખા, સ્થવિર આર્ય જયંતથી આર્યજયંતી શાખા, સ્થવિર આર્ય તાપસથી આર્યતાપસી શાખા નીકળી. [૨૦૭] હવે વળી આર્ય જસભથી આગળની સ્થવિરાવલિ વિસ્તૃત વાચના દ્વારા આ પ્રમાણે દેખાય છેઃ તંગિયાયનગોત્રી સ્થવિર આર્ય જસભદ્રને પુત્ર સમાન, આ બે પ્રખ્યાત સ્થવિરો અંતેવાસી હતાઃ dth. | Jain Eucanor intematona! For W o me Only www . sary.org Page #187 -------------------------------------------------------------------------- ________________ ==== ===l . FEET = શ્રી સ્થૂલભદ્રસ્વામી કોશા વેશ્યાને ત્યાં ચોમાસુ રથિકની કલા, કોશાનું કમળ પર નૃત્ય સર્પના બિલ પાસે, સિંહ ગુફામાં, કુવાના કાંઠે, મુનિવર ચોમાસુ Jain Educ Page #188 -------------------------------------------------------------------------- ________________ T 7 D ૧૭૪ mo CLIC ઈ. Jain Educ સંપ્રતિરાજાનો પૂર્વભવ-દરિદ્ર, ખાવા માટે દીક્ષા, શેઠીયાઓ સેવા કરે છે 1843 સંપ્રતિને જન્મતાં જ રાજ્ય મળે છે, આર્ય સુહસ્તિ દ્વારા ઉપદેશ, સવા લાખ જિનાલય તથા સવા ક્રોડ જિન પ્રતિમા નિર્માણ વજ્રસ્વામી ઝોળીમાં અર્પણ, સાધ્વીના ઉપાશ્રયમાં પાલણું, રાજસભામાં ઓઘો લીધો દીક્ષા, રથાવર્ત પર્વત પર અનશન cam te am th a ) am ) ag brary.org Page #189 -------------------------------------------------------------------------- ________________ ย ૧૭૫ and se ane CA ૧ પ્રાચીનગોત્રી આર્ય ભદ્રબાહુ સ્થવિર અને ૨ માઢરગોત્રી આર્યસંભૂતિવિજય સ્થવિર. પ્રાચીનગોત્રી આર્ય ભદ્રબાહુ સ્થવિરને પુત્રસમાન, પ્રખ્યાત આ ચાર સ્થવિરો અંતેવાસી હતા. ૧ સ્થવિર ગોદાસ, ૨ સ્થવિર અગ્નિદત્ત, ૩ સ્થવિર યજ્ઞદત્ત, અને ૪ સ્થવિર સોમદત્ત. આ ચારે સ્થવિરો કાશ્યપગોત્રી હતા. ઈ કાશ્યપગોત્રી સ્થવિર ગોદાસથી અહીં ગોદાસગણ નામે ગણ નીકળ્યો. તે ગણની ચાર શાખાઓ કહેવાય છે. ૧ તામલિત્તિયા, ૨ કોડિવરિસિયા, ૩ પંડુવદ્ધણિયા અને ૪ દાસીખખ્ખડિયા. [૨૦૮] માઢરગોત્રી સ્થવિર આર્ય સંભૂતિવિજયને પુત્રસમાન, પ્રખ્યાત આ બાર સ્થવિરો અંતેવાસી હતા. ૧ નંદનભદ્ર, ૨ ઉપનંદનભદ્ર, તથા ૩ તિષ્યભદ્ર, ૪ જસભદ્ર, અને ૫ સ્થવિર સુમનભદ્ર, ૬ મણિભદ્ર, અને પુણભદ્ર અને ૮ આર્યસ્થૂલભદ્ર, ૯ ઉજ્જુમતિ અને ૧૦ જંબુ નામના, અને ૧૧ દીર્ઘભદ્ર તથા ૧૨ સ્થવિર પાંડુભદ્ર. JY ૧૭૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ ( ૪ માઢરગોત્રી સ્થવિર આર્ય સંભૂતિવિજયને પુત્રી સમાન, પ્રખ્યાત એવી આ સાત અંતેવાસિનીઓ હતી. ૧ યક્ષા, ૨ યક્ષદરા, ૩ ભૂતા, ૪ ભૂતદત્તા, અને પ સેણા, ૬ વેણા, ૭ રેણા; આ સાતે સ્થૂલભદ્રની બહેનો હતી. [૨૦] ગૌતમગોત્રી આર્ય સ્થૂલભદ્ર સ્થવિરને પુત્રસમાન, પ્રખ્યાત આ બે સ્થવિરો અંતેવાસી હતા. એક એલાવચ્ચગોત્રી સ્થવિર આર્ય મહાગિરિ, ૨ વાસિષ્ટગોત્રી સ્થવિર આર્ય સુહસ્તી. એલાવચ્ચગોત્રી સ્થવિર આર્ય મહાગિરિને પુત્ર સમાન, પ્રખ્યાત આ આઠ સ્થવિરો અંતેવાસી હતા. ૧ સ્થવિર ઉત્તર, ૨ સ્થવિર બલિસ્સહ, ૩ સ્થવિર ઘણઢ, ૪ સ્થવિર સિરિ, ૫ સ્થવિર કોડિન, ૬ સ્થવિર નાગ, ૭. સ્થવિર નાગમિત્ત, ૮ ષડુલૂક કૌશકગોત્રી સ્થવિર રોહગુપ્ત. કૌશિકગોત્રી સ્થવિર ષડુલૂક રોહગુપ્તથી ત્યાં તેરાસિયા સંપ્રદાય નીકળ્યો. સ્થવિર ઉત્તરથી અને સ્થવિર બલિસ્સહથી ત્યાં ઉત્તરબલિસ્સહ નામે ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ આ પ્રમાણે કહેવાય છે તે જેમકે; ૧ કોલંબિયા, ૨ સોઈરિયા, ૩ કોઠંબાણી, ૪ ચંદનાગરી. ૧૭૬ BELLA www .org Page #191 -------------------------------------------------------------------------- ________________ For Private & Personal use only Page #192 -------------------------------------------------------------------------- ________________ For Private & Personal use only Page #193 -------------------------------------------------------------------------- ________________ TO હું | [૨૧૩] ભારદ્વાજગોત્રી સ્થવિર ભજસથી અહીં ઉડુવાડિય નામે ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલો નીકળ્યાં છે. પ્ર.- હવે તે કઈ કઈ શાખાઓ? ઉ.- શાખાઓ આ પ્રમાણે છે. ૧ ચંપિજિયા, ૨ ભિિજ્જયા, ૩ કાકદિયા, ૪ મેહલિજિયા. પ્ર.- હવે તે કયાં કયાં કુલો કહેવાય ? ઉ.- કુલો આ પ્રમાણે છે. ૧ ભજસિય, ૨ ભદ્દગુત્તિય અને ત્રીજું નસભદ્. અને ઉડુવાડિયગણનાં એ ત્રણ જ કુલો છે. [૨૧૪] કુંડિલગોત્રી કામિટ્ટિ સ્થવિરથી અહીં વસવાડિય નામે ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ અને ચાર | કુલો નીકળ્યાં છે. 5 ધક છ છ વકી presy.oy Page #194 -------------------------------------------------------------------------- ________________ જી) ba ) IT &v) ના 32 - ક ફ્રાઈ છે . પ્ર.- હવે તે કઈ કઈ શાખાઓ? ઉ.- શાખાઓ આ પ્રમાણે છે. ૧ સાવલ્વિયા, ર રજ્જપાલિઆ, ૩ અંતરિજ્જિયા, ૪ એલિજ્જિયા. પ્ર- હવે તે કયાં કયાં કુલો કહેવાય? ઉ.- કુલો આ પ્રમાણે છે. ૧ ગણિય, ૨ મહિય, ૩ કામઅિ અને ચોથું ઇદપુરગ. [૧૫] વાસિષ્ઠગોત્રી અને કાકઇંક એવા ઈસિગુપ્ત સ્થવિરથી અહીં માણવગણ નામે ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલો નીકળ્યાં છે. પ્ર- હવે તે શાખાઓ કઈ કઈ ? ઉ.- શાખાઓ આ પ્રમાણે છે, ૧ કાસવિજ્જિયા, ૨ ગોયમિજિયા, ૩ વાસિક્રિયા અને ૪ સોરક્રિયા. SUS ફ્રાઈ હી ફાઈ ટlan Esperant. ITIH T AT | Page #195 -------------------------------------------------------------------------- ________________ ક પ્ર.- હવે તે કયાં કયાં કુલો કહેવાય છે? ઉ.- કુલો આ પ્રમાણે છે. ઈસિગોરિય, ઈસિદત્તિય અને અભિજસંત. [૧૬] કોટિક કાકંદિક કહેવાતા અને વગ્ધાવચ્ચગોત્રી સ્થવિર સુક્રિય અને સુખડિબુદ્ધથી અહીં કોડિયગણ નામે ગણ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ અને ચાર કુલ નીકળ્યાં છે. પ્ર.- હવે તે કઈ કઈ શાખાઓ? ઉ.- શાખાઓ આ પ્રમાણે છે. ૧ ઉચ્ચનાગરી, ૨ વિજ્રાહરી, ૩ વઈરી અને ૪ મજિઝમિલ્લા. પ્ર.- હવે તે કયાં કયાં કુલો છે ? ઉ.- કુલો આ પ્રમાણે છે. બંભલિજ્જ, વચ્છલિજ્જ, વાણિજ્ય અને પ્રશ્નવાહનકુલ. Page #196 -------------------------------------------------------------------------- ________________ [૧૭] કોટિક કાકંદિક કહેવાતા અને વગ્ધાવચ્ચગોત્રી સ્થવિર સુસ્થિત તથા સુપ્રતિબુદ્ધને આ પાંચ સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. ૧ સ્થવિર આર્યUદ્રદત્ત ૨ સ્થવિર પિયગંથ, ૩ સ્થવિર વિદ્યાધરગોપાલ કાશ્યપગોત્રી, ૪ સ્થવિર ઈસિદત્ત અને ૫ સ્થવિર અરહદત્ત. સ્થવિર પિયગંથથી મધ્યમ શાખા નીકળી. કાશ્યપગોત્રી સ્થવિર વિદ્યાધરગોપાલથી વિદ્યાધરી શાખા નીકળી. [૧૧૮] કાશ્યપગોત્રી સ્થવિર આર્યદ્રને ગૌતમગોત્રી સ્થવિર અજજદિન અંતેવાસી હતા. ગૌતમગોત્રી સ્થવિર અજજદિનને આ બે સ્થવિરો પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. સ્થવિર માઢરગોત્રી આર્યશાંતિસેણિી અને જાતિસ્મરણ જ્ઞાનવાળા કૌશિકગોત્રી સ્થવિર આર્યસિંહગિરિ. માઢરગોત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅથી અહીં ઉચ્ચનાગરી શાખા નીકળી. [૧૯] માઢરગોત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅને આ ચાર સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. ૧ સ્થવિર આર્યસેણિઓ, ૨ સ્થવિર આર્યતાપસ, ૩ સ્થવિર આર્યકુબેર અને ૪ સ્થવિર આર્યઈસિપાલિત. For Five Pernal Line Only www.jennibrary.org Page #197 -------------------------------------------------------------------------- ________________ સ્થવિર અજ્જસેણિઅથી અજ્જસેણિયા શાખા નીકળી. સ્થવિર આર્યતાપસથી આર્યતાપસી શાખા નીકળી. સ્થવિર આર્યકુબેરથી આર્યકુબેરી શાખા નીકળી. સ્થવિર આર્યઈસિપાલિતથી અર્જાઈસિપાલિયા શાખા નીકળી. [૨૦] જાતિસ્મરણજ્ઞાનવાળા કૌશિકગોત્રી આર્યસિંહગિરિ સ્થવિરને આ ચાર સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે, ૧ સ્થવિર ધનગિરિ, ૨ સ્થવિર આર્યવજ, ૩ સ્થવિર આર્યસમિઅ અને ૪ સ્થવિર અરહદત્ત. સ્થવિર આર્યસમિથિી અહીં બંભદેવીયા શાખા નીકળી. ગૌતમ ગોત્રી સ્થવિર આર્યવજથી અહીં આર્યવજ શાખા નીકળી. [૨૧] ગૌતમગોત્રી સ્થવિર આર્યવજને આ ત્રણ સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે ૧ સ્થવિરા આર્યવજસણ, ૨ સ્થવિર આર્યપ૨, ૩ સ્થવિર આર્યરથ. સ્થવિર આર્યવજસણથી આર્યનાઈલી શાખા નીકળી. સ્થવિર આર્યપઘથી આર્યપવા શાખા નીકળી. સ્થવિર આર્યરથથી આર્યજયંતી શાખા નીકળી. Page #198 -------------------------------------------------------------------------- ________________ [૨૨] વાસ્થગોત્રી સ્થવિર આર્યરથને કૌશિકગોત્રી સ્થવિર આર્યપુષ્યગિરિ અંતેવાસી હતા. કૌશિકગોત્રી સ્થવિર આર્યપુષ્યગિરિને ગૌતમ ગોત્રી સ્થવિર આર્યફગૃમિત્ત અંતેવાસી હતા. [૨૩] ગૌતમગોત્રી ફગૃમિત્ત, વાસિગોત્રી ધનગિરિ, કૌત્સ્યગોત્રી શિવભૂતિ તથા કૌશિકગોત્રી દોસ્જતકંટને વંદન કરું છું. [૧] તે બધાને મસ્તક વડે વંદન કરીને કાશ્યપગોત્રી ચિત્તને વંદન કરું છું. કાશ્યપગોત્રી નખને અને કાશ્યપગોત્રી રખને પણ વંદન કરું છું. [૨] ગૌતમ ગોત્રી આર્યનાગ, વાસિષ્ટગોત્રી જેહિલ તથા માઢરગોત્રી વિષ્ણુ અને ગૌતમ ગોત્રી કાલકને પણ વંદન ગૌતમગોત્રી (મ)અભારને, સમ્પલયને તથા ભદ્રકને વંદન કરું છું. કાશ્યપગોત્રી સ્થવિર સંઘપાલિતને નમસ્કાર કરું છું. [૪] Jain Eocenon me ! For we only www. ry.org Page #199 -------------------------------------------------------------------------- ________________ તે કે दशा तस्कंध TRA | उक्सग्गहरे કલ્પસૂત્રના રચયિતા પૂ. ચૌદપૂર્વધર ભદ્રબાહુસ્વામીજી વલ્લભીપુરમાં ૫00 આચાર્યનું મિલન અને વાચના પુત્રશોક નિવારણાર્થે પૂજ્યશ્રી દ્વારા ધ્રુવસેન રાજા સહ સભા સમક્ષ કલ્પસૂત્ર વાંચન આનંદપુર નગરમાં "brary.org Page #200 -------------------------------------------------------------------------- ________________ SE S Sub છે G Sub િ િ સ્થીરાડ દિ Sub પ્રભુ મહાવીરસ્વામીથી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ સુધીની સ્થવિરાવલિ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ On J કાશ્યપગોત્રી આર્યહસ્તિને વંદન કરું છું. એ આર્યહસ્તિ ક્ષમાના સાગર અને ધીર હતા તથા ગ્રીષ્મૠતુના પહેલા માસમાં શુકલ પક્ષના દિવસોમાં કાલધર્મને પામેલા. [૫] જેમના નિષ્ક્રમણ-દીક્ષા લેવાને-સમયે દેવે ઉત્તમ છત્ર ધારણ કરેલું તે સુવ્રતવાળા, શિષ્યોનીલબ્ધિથી સંપન્ન આર્યધર્મને વંદન કરું છું. [૬] કાશ્યપગોત્રી હસ્તને અને શિવસાધક ધર્મને નમસ્કાર કરું છું. કાશ્યપગોત્રી સિંહને અને કાશ્યપગોત્રી ધર્મને પણ વંદન કરું છું. [૭] સૂત્રરૂપ અને તેના અર્થરૂપ રત્નોથી ભરેલા, ક્ષમાસંપન્ન દમસંપન્ન અને માર્દવગુણસંપન્ન કાશ્યપગોત્રી દેવદ્ઘિક્ષમાશ્રમણને પ્રણિપાત કરું છું. ઈ સ્થવિરાવલિ સંપૂર્ણ G DOD DAND ૧૮૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ | સામાચારી) [૨૪] તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી એટલે અષાડ ચોમાસું બેઠા પછી પચાસ દિવસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે. [૨૫] પ્ર.- હવે હે ભગવાન્ ! કયા કારણથી એમ કહેવાય છે કે “શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે ? ઉ.. કારણકે ઘણું કરીને તે સમયે ગૃહસ્થોનાં ઘરો તેમની બધી બાજુએ સાદડીથી કે ટટ્ટીથી ઢંકાયેલાં હોય છે, ધોળાએલાં હોય છે, છાજેલાં-ચાળેલાં કે છાજાવાળાં હોય છે, લીંપેલાં હોય છે, ચારે બાજુ વંડીથી કે વાડથી સુરક્ષિત હોય છે, ઘસીને-ખાડાખડિયા પૂરીને-સરખાં કરેલાં હોય છે, ચોખાં સુંવાળાં કરેલાં હોય છે, સુગંધિત ધૂપોથી સુગંધી કરેલાં હોય છે, પાણી નીકળી જવા માટે નીકોવાળાં બનાવેલાં હોય છે અને બહાર ખાળોવાળાં તૈયાર થયેલાં તથા તે ઘરો JDC $) ) SSC- હા (0) For Ume only www.inelibrary.org IT in Page #203 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થોએ પોતાને માટે સારાં કરેલાં હોય છે, ગૃહસ્થોએ વાપરેલાં હોય છે અને પોતાને રહેવા સારુ જીવજંતુ વગરનાં બનાવેલાં હોય છે માટે તે કારણથી એમ કહેવાય છે કે “શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ | વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે.” | [૨૬ થી ૨૩૦] જેવી રીતે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેવી રીતે ગણધરો, ગણધરોના શિષ્યો, સ્થવિરો, જેઓ આજકાલ શ્રમણ નિગ્રંથો વિહરે છે, વિદ્યમાન છે તેઓ, તથા આચાર્યો, ઉપાધ્યાયો પણ વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે. [૩૧] જેમ અમારા આચાર્યો, ઉપાધ્યાયો યાવતુ વર્ષાવાસ રહે છે. તેમ અમે પણ વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહિયે છીયે. એ સમય કરતાં વહેલું વર્ષાવાસ રહેવું ખપે, તે રાતને ઊલંઘવી ન ખપે અર્થાત્ વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસની છેલ્લી રાતને ઊલંઘવી ન ખપે એટલે એ છેલ્લી રાત પહેલાં જ વર્ષાવાસ કરી દેવો જોઈએ. Page #204 -------------------------------------------------------------------------- ________________ g *500 D ઈ J g [૨૩૨] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં અવગ્રહને સ્વીકારીને વાસ કરવાનું ખપે, પાણીથી ભીનો થયેલો હાથ સુકાય એટલો સમય પણ અવગ્રહમાં રહેવું ખપે, અને ઘણા સમય સુધી પણ અવગ્રહમાં રહેવું ખપે. અવગ્રહથી બહર રહેવું ન ખપે. (a) d Jain Educanon International Gab D [૨૩૩] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષાચર્યા માટે જવાનું ખપે અને પાછા ફરવાનું ખપે. 21 જ્યાં નદી સદાને માટે પાણીથી ભરેલી રહે છે અને નિત્ય વહેતી રહે છે ત્યાં બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષાચર્યા માટે જવાનું અને પાછા ફરવાનું ન ખપે. Use Only એરાવતી નદી કુણાલા નગરીમાં છે, જ્યાં એક પગ પાણીમાં કરીને ચાલી શકાય અને એક પગ સ્થલમાં-પાણી બહાર-કરીને ચાલી શકાય-એ રીતે અર્થાત્ એવે સ્થળે બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષાચર્યા માટે જવાનું અને પાછા ફરવાનું ખપે. g ૧૯૦ J ww.jainelibrary.org Page #205 -------------------------------------------------------------------------- ________________ ન | [૨૩૪] વર્ષાવાસ રહેલામાંના કેટલાકોને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે. હે ભદન્ત ! તું દેજે તે તેમને એમ દેવાનું ખપે, તેમને પોતાનું લેવાનું ન ખપે. [૩૫] વર્ષાવાસ રહેલામાંના કેટલાકોને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે. “હે ભદન્ત ! આહારાદિ તું લાવીને ગ્રહણ કરજે, તો તેમને એમ લેવાનું ખપે, તેમને ગ્લાનને દેવાનું ન ખપે. [૨૩૬] વર્ષાવાસ રહેલામાંના કેટલાકોને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે. “હે ભદન્ત ! તું ગ્લાનને આહારાદિ લાવી દેજે” “હે ભદન્ત ! તું લેજે તો તેમને એમ દેવાનું પણ ખપે અને લેવાનું પણ ખપે. [૩૭] વર્ષાવાસ રહેલાં નિગ્રંથો કે નિગ્રંથીઓ હૃષ્ટપુષ્ટ હોય, આરોગ્યવાળાં હોય, બલવાન દેહવાળાં હોય તો તેમને આ નવ રસવિકૃતિઓ વારંવાર વાપરવી ન ખપે, કારણે ખપે તે જેમકે; ૧ ક્ષીર-દૂધ, ૨ દહીં, ૩ માખણ, ૪ ઘી, પ તેલ, ૬ ગોળ, આદિ. Page #206 -------------------------------------------------------------------------- ________________ જ [૩૮] વર્ષાવાસ રહેલામાંના કેટલાકોને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે. હે ભદન્ત ! માંદા માટે પ્રયોજન છે?” અને તે બોલે-પ્રયોજન છે. પછી માંદાને પૂછવું જોઈએ કે કેટલા દૂધ વગેરેનું પ્રયોજન છે? અને દૂધ | Tી વગેરેનું પ્રમાણ માંદા પાસેથી જાણી લીધા પછી તે બોલે-આટલા પ્રમાણમાં માંદાને દૂધ વગેરેનું પ્રયોજન છે. માંદો તેને જે પ્રમાણમાપ-કહે તે પ્રમાણે લાવવું જોઈએ અને પછી લેવા જનારો વિનંતી કરે, અને વિનંતી કરતો તે દૂધ વગેરે પ્રાપ્ત કરે, હવે જ્યારે તે દૂધ વગરે પ્રમાણસર મળી જાય ત્યારે “સર્યું-બસ’ એમ તેણે કહેવું જોઈએ. પછી દૂધ વગેરેને આપનારો તેને કહે કે હે ભગવંત! “બસ’ એમ કેમ કહો છો ? પછી લેનારો ભિક્ષુ કહે કે માંદાને માટે આટલાનું પ્રયોજન છે. તે લેવા જનારને માંદાની નિશ્રાથી એટલે માંદાને બહાને વધારે લેવું ન ખપે. [૨૩૯] વર્ષાવાસ રહેલા સ્થવિરોએ તથા પ્રકારનાં કુલો કહેલાં હોય છે; જે કુલો પ્રીતિપાત્ર, સ્થિરતાવાળાં, વિશ્વાસપાત્ર, સમ્મત, બહૂમત, અને અનુમતિવાળાં હોય છે, તે કુલોમાં જઈને જોઈતી વસ્તુ નહીં જોઈને તેમને એમ બોલવું નો ખપેઃ હે આયુષ્મત ! આ અથવા આ તારે ત્યાં છે ? ( - ૪ લી જીજી Jan Eclat www ry.org Page #207 -------------------------------------------------------------------------- ________________ પ્ર.- હે ભગવંત ! ‘તેમને એમ બોલવું નો ખપે’ એમ શા માટે કહો છો? ઉ.- એમ કહેવાથી શ્રદ્ધાવાળો ગૃહસ્થ તે વસ્તુને નવી ગ્રહણ કરે-ખરીદે અથવા એ વસ્તુને ચોરી પણ લાવે. [૨૪] વર્ષાવાસ રહેલા નિત્યભાજી ભિક્ષુને ગોચરીના સમયે આહાર, પાણી માટે ગૃહસ્થનાં કુલ તરફ એકવાર નીકળવું ખપે અથવા તે તરફ એકવાર પેસવું ખપે, પણ શરત એ કે, જો આચાર્યની, ઉપાધ્યાયની, તપસ્વીની કે માંદાની સેવાનું કારણ ન હોય અને જેમને દાઢીમૂછ કે બગલના વાળ નથી આવ્યા એવો નાનો ભિક્ષુ કે ભિક્ષુણી ન હોય અર્થાત્ આચાર્ય વગેરેની સેવાનું કારણ હોય તો એકથી પણ વધારે વાર ભિક્ષા માટે જવું ખપે અને ઊપર કહ્યો તેવો ભિક્ષુ નાનો હોય કે ભિક્ષુણી નાની હોય તો પણ એકથી વધારે વાર ભિક્ષા માટે નીકળવું ખપે. [૨૪૧] વર્ષાવાસ રહેલા ચતુર્થભક્ત કરનારા ભિક્ષુને સારુ આ આટલી વિશેષતા છે કે તે ઉપવાસ પછીની સવારે ગોચરી સારુ નીકળીને પ્રથમ જ વિકટક એટલે નિર્દોષ ભોજન જમીને અને નિર્દોષ પાનક પીને પછી પાત્રને ચોકખું કરીને T TTTTS Page #208 -------------------------------------------------------------------------- ________________ ધોઈ કરીને ચલાવી શકે તો તેણે તેટલા જ ભોજનપાન વડે તે દિવસે ચલાવી લેવું ઘટે અને તે રીતે ન ચલવી શકે તો તેને ગૃહપતિના કુલ તરફ આહાર માટે કે પાણી માટે બીજી વાર પણ નીકળવું ખપે. [૨૪૨] વર્ષાવાસ રહેલા છઠ્ઠભક્ત કરનારા ભિક્ષુને ગોચરીના સમયે આહાર, પાણી માટે ગૃહસ્થના કુલ તરફ બે વાર નીકળવું ખપે. [૨૪૩] વર્ષાવાસ રહેલા અઠ્ઠમભક્ત કરનારા ભિક્ષુને ગોચરીના સમયે આહાર, પાણી માટે ગૃહસ્થના કુલ તરફ ત્રણ વાર નીકળવું ખપે. [૨૪૪] વર્ષાવાસ રહેલા વિકૃષ્ટભક્ત કરનારા ભિક્ષુને આહાર, પાણી માટે ગૃહસ્થના કુલ તરફ ગમે તે સમયે પણ નીકળવું ખપે. [૨૪૫] વર્ષાવાસ રહેલા નિત્યભાજી ભિક્ષુને બધાં (પ્રકારનાં) પાણી લેવાં ખપે. Jain E LRIE www .ig Page #209 -------------------------------------------------------------------------- ________________ _ [૨૪૬] વર્ષાવાસ રહેલા ચતુર્થભક્ત કરનારા ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, ઉત્તેદિમ, સંસ્વેદિમ, ચાઉલોદક. [૨૪૭] વર્ષાવાસ રહેલા છટ્ટભક્ત કરનાર ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, તિલોદક, તુષોદક, જવાદક. . [૪૮] વર્ષાવાસ રહેલા અટ્ટમભક્ત કરનારા ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, આયામ, સૌવીર, શુદ્ધવિકટ. [૨૪૯] વર્ષાવાસ રહેલા વિકૃષ્ટભક્ત કરનારા ભિક્ષુને એક ઉષ્ણવિકટ પાણી લેવું ખપે, તે પણ દાણાના કણ ૧૫ વિનાનું, દાણાના કણ સાથેનું નહીં. [૫૦] વર્ષાવાસ રહેલા ભક્તપ્રત્યાખ્યાયી ભિક્ષુને એક ઉષ્ણવિકટ (પાણી) લેવું ખપે, તે પણ દાણાના કણ વિનાનું, તે પણ કપડાથી ગળેલું, તે પણ પરિમિત-માપસર, તે પણ જોઈએ તેટલું પૂરું. [૫૧] વર્ષાવાસ રહેલા, ગણેલી દત્તિ પ્રમાણે આહાર લેનાર ભિક્ષુને ભોજનની પાંચ દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ લેવી ખપે અથવા ભોજનની ચાર દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ લઈ શકાય અથવા ભોજનની પાંચ / IT IS Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ Ο 90) GS ૪૪ € € € € દત્તિઓ અને પાણીની ચાર દત્તિઓ લઈ શકાય. મીઠાની કણી જેટલું પણ જો આસ્વાદન લેવાય તો તે પણ દત્ત લીધી ગણાય. આવી દત્તિ સ્વીકાર્યા પછી તે દિવસે તે ભિક્ષુએ તે જ ભોજનથી ચલાવીને રહેવું ખપે, તે ભિક્ષુને ફરીવાર પણ ગૃહપતિના કુલ તરફ ભોજન માટે અથવા પાણી માટે નીકળવું ન ખપે. hab 6. G-20 [૨૫૨] વર્ષાવાસ રહેલા, નિષિદ્ધધરનો ત્યાગ કરનારાં નિગ્રંથીઓને ઉપાશ્રયથી માંડી સાત ઘર સુધીમાં જ્યાં સંખંડિ થતી હોય ત્યાં જવું ન ખપે. કેટલાક એમ કહે છે કે ઉપાશ્રયમાંથી માંડીને આગળ આવેલા ઘરોમાં જ્યાં સંખંડિ થતી હોય ત્યાં નિષિદ્ધધરનો ત્યાગ કરનારાં નિગ્રંથો કે નિગ્રંથીઓને જવું ન ખપે કેટલાક વળી એમ કહે છે કે ઉપાશ્રયથી માંડીને પરંપરાએ આવતાં ઘરોમાં જ્યાં સંખંડિ થતી હોય ત્યાં નિષિદ્ધધરનો ત્યાગ કરનારાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને જવું ન ખપે. J ઈ פול ૧૯૬ [૨૫૩] વર્ષાવાસ રહેલા કરપાત્રી ભિક્ષુને કણ માત્ર પણ સ્પર્શ થાય એ રીતે વૃષ્ટિકાય પડતો હોય અર્થાત્ ઝીણી ઓછામાં ઓછી ફરફર પડતી હોય ત્યારે ગૃહપતિના કુલ તરફ ભોજન માટે અથવા પાણી માટે નીકળવું ન ખપે. ઈ [૨૫૪] વર્ષાવાસ રહેલા કરપાત્રી ભિક્ષુને પિંડપાત-ભિક્ષા-લઈને અઘરમાં-જ્યાં ઘર ન હોય ત્યાં-અગાસીમાં રહેવું, ક g ઈ Page #211 -------------------------------------------------------------------------- ________________ વાર 09 () ડી જાણે હીટ ભોજન કરવું ન ખપે. અગાસીમાં રહેતા-ખાતાં કદાચ એકદમ વૃષ્ટિકાર્ય પડે તો ખાધેલું થોડુંક ખાઈને અને બાકીનું થોડુંક લઈને-તેને હાથ વડે હાથને ઢાંકીને અને એ હાથને છાતી સાથે દાબી રાખે અથવા કાંખમાં સંતાડી રાખે. આમ કર્યા પછી ગૃહસ્થોએ પોતાને સારુ બરાબર છાયેલાં ઘરો તરફ, અથવા ઝાડનાં મૂળો તરફ-ઝાડની ઓથે જાય; જે હાથમાં ભોજન છે તે હાથવડે જે રીતે પાણી કે પાણીનો છાંટો અથવા ઓછામાં ઓછી ઝીણી ફરફર-ઝાકળ-ઓસ વિરાધના ન પામે તે રીતે વર્તે-રહે. [૨૫૫] વર્ષાવાસ રહેલા કરપાત્રી ભિક્ષુને જ્યારે કાંઈ કણમાત્ર પણ સ્પર્શ થાય એ રીતે ઓછામાં ઓછી ઝીણી ફરફર પડતી હોય ત્યારે ભોજન માટે અથવા પાણી માટે ગૃહપતિના કુલ તરફ નીકળવું ન ખપે. [૨૫૬] વર્ષાવાસ રહેલા પાત્રધારી ભિક્ષુ અખંડધારાએ વરસાદ હોય ત્યારે ભોજન માટે અથવા પાણી માટે ગૃહપતિના કુલ તરફ નીકળવું ન ખપે. ઓછો વરસાદ વરસતો હોય ત્યારે અંદર સૂતરનું કપડું અને ઉપર ઊનનું કપડું ઓઢીને ભોજન સારુ અથવા પાણી સારુ ગૃહપતિના કુલ તરફ તે ભિક્ષુને નીકળવું ખપે. (1) ઉ૭ ક. ૨૬ વર્ષ up 8 ) Page #212 -------------------------------------------------------------------------- ________________ T. &ઇ કે આ 2 - શ ) [૨૫૭] વર્ષાવાસ રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પેઠેલાં નિગ્રંથને કે નિગ્રંથીને રહી રહીનેઆંતરે આંતરે વરસાદ પડે ત્યારે બાગમાં (ઝાડની) નીચે જવું ખપે અથવા ઝાડના મૂલની ઓથે જવું ખપે. ઊપર જણાવેલી જગ્યાએ ગયા પછી ત્યાં જો નિગ્રંથ કે નિગ્રંથી પહોંચ્યા પહેલાં જ અગાઉથી તૈયાર કરેલા ચાવલઓદન મળતા હોય ને તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર કરેલો ભિલિંગસૂપ એટલે મસૂરની દાળ કે અડદની દાળ વા તેલવાળો સૂપ મળતો હોય તો તેમને ચાવલઓદન લેવો ખપે અને ભિલિંગસૂપ લેવો ન ખપે. ત્યાં જો તેમના પહોંચ્યા પહેલાં અગાઉથી તૈયારથી થયેલો ભિલિંગસૂપ મળતો હોય અને ચાવલ-ઓદન તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર કરેલો મળતો હોય તેમને ભિલિંગસૂપ લેવો ખપે, ચાવલ-ઓદન લેવો ન ખપે. ત્યાં તેમના પહોંચ્યા પહેલાં એ બને વાનાં અગાઉથી તૈયાર થયેલાં મળતાં હોય તો તેમને તે બને વાનાં લેવાં ખપે. ત્યાં તેમના પહોંચ્યાં પહેલાં અગાઉથી તૈયાર થયેલું હોય તે તેમને લેવું ખપે અને તેમાં જે તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર થયેલું હોય તે તેમને લેવું ન ખપે. Jain Education intamanna For the season we only www. nary.org Page #213 -------------------------------------------------------------------------- ________________ [૫૮] વર્ષાવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પેઠેલાં નિગ્રંથને કે નિગ્રંથીને જ્યારે રહી રહીને આંતરે આંતરે વરસાદ વરસતો હોય ત્યારે તેને કાં તો બાગની ઓથે નીચે, કાં તો ઉપાશ્રયની ઓથે નીચે, કાં તો વિકટગૃહની નીચે, કાં તો ઝાડના મૂળની ઓથે નીચે, કાં તો ઉપાશ્રયની ઓથે નીચે, કાં તો વિકટગૃહની નીચે, કાં તો ઝાડના મૂળની ઓથે નીચે ચાલ્યું જવું ખપે અને ત્યાં ગયા પછી પણ પહેલાં મેળવેલાં આહાર અને પાણી રાખી મૂકી વખત ગુમાવવાનું ન ખપે, ત્યાં પહોંચતાં જ વિકટકને ખાઈ પી લઈ પાત્રને ચોકખું કરીને સાફ કરીને એક જગ્યાએ સારી રીતે બાંધી કરીને સૂર્ય બાકી હોય ત્યાં જ જે તરફ ઉપાશ્રય છે તે જ તરફ જવું ખપે, પણ ત્યાં રાત ગાળવી તેમને ન ખપે. . [૨૫૯] વર્ષાવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પેઠેલાં નિગ્રંથને કે નિગ્રંથીને જ્યારે રહી રહીને આંતરે આંતરે વરસાદ પડતો હોય ત્યારે તેને કાં તો બાગની ઓથે નીચે, કાં તો ઉપાશ્રયની ઓથે નીચે, યાવતું ચાલ્યું જવું ખપે. lin Eાના જ TE}},00g Page #214 -------------------------------------------------------------------------- ________________ (૧) ત્યાં તે એકલા નિગ્રંથને એકલી નિગ્રંથીની સાથે ભેગા રહેવું ન ખપે. (૨) ત્યાં તે એકલા નિગ્રંથને બે નિગ્રંથીની સાથે ભેગા રહેવું ન ખપે. (૩) ત્યાં બે નિગ્રંથોને એકલી નિગ્રંથીની સાથે ભેગા રહેવું ન ખપે. (૪) ત્યાં બે નિગ્રંથોને બે નિગ્રંથીઓની સાથે ભેગા રહેવું ન ખપે. ત્યાં કોઈ પાંચમો સાક્ષી રહેવો જોઈએ, ભલે તે ક્ષુલ્લક હોય અથવા શુલ્લિકા હોય અથવા બીજાઓ તેમને જોઈ શક્તા હોય-બીજાઓની નજરમાં તેઓ આવી શક્તા હોય-અથવા ઘરનાં ચારે બાજુનાં બારણાં ઉઘાડાં હોય તો એ રીતે તેઓને એકલા રહેવું ખપે. [૨૬] વર્ષાવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પેઠેલાં નિગ્રંથને જ્યારે રહી રહીને આંતરે આંતરે વરસાદ વરસતો હોય ત્યારે તેને કાં તો બાગની ઓથે નીચે કાં તો ઉપાશ્રયની ઓથે નીચે ચાલ્યા જવું ખપે. ત્યાં એકલા નિગ્રંથને એકલી ઘરધણિયાણીની સાથે ભેગા રહેવું ન ખપે અહીં પણ પૂર્વ પ્રમાણે ચાર ભાંગા સમજવા. G (D Jain Educato Intematonal For me only www .brary.org Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ J ag J ઈઈ ત્યાં કોઈ પાંચમો સ્થવિર કે સ્થવિરા હોવી જોઈએ અથવા તેઓ બીજાઓની નજરમાં દેખી શકાય તેમ રહેવાં કે જોઈએ અથવા ઘરનાં ચારે બાજુનાં બાર ઉઘાડાં હોવાં જોઈએ, એ રીતે તેઓને એકલા રહેવું ખપે. [૨૬૧] અને એ જ પ્રમાણે એકલી નિગ્રંથી અને એકલા ગૃહસ્થના ભેગા નહીં રહેવા સંબંધે પણ ચાર ભાંગા સમજવા. [૨૬૨] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને બીજા કોઈએ જણાવ્યા સિવાય, તેને માટે અશન પાન ખાદિમ કે સ્વાદિમ લેવું ન ખપે. ૨૦૧ પ્ર.- હે ભગવાન્ ! તે એમ કેમ કહો છો ? ઉ.- બીજા કોઈએ જણાવ્યા સિવાય, આણેલું અશન વગેરે ઈચ્છા હોય તો બીજો ખાય, ઈચ્છા ન હોય તો બીજો ન ખાય. [૨૬૩] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને તેમના શરીર ઊપરથી પાણી ટપકતું હોય વા તેમનું શરીર ભીનું ઈ હોય તો અશન પાન ખાદિમ કે સ્વાદિમને ખાવું ન ખપે. Page #216 -------------------------------------------------------------------------- ________________ TO (UR GO ૨૦૨ G 0) ૩ ઈં [૨૬૪] પ્ર.-હે ભગવન્ ! તે એમ કેમ કહો છો ? ઉ.- શરીરના સાત ભાગ સ્નેહાયતન જણાવેલા છે એટલે શરીરના સાત ભાગ એવા છે કે જેમાં પાણી ટકી શકે છે., ૧ બન્ને હાથ, ૨ બન્ને હાથની રેખાઓ, ૩ આખા નખ, ૪ નખનાં ટેરવાં, ૫ બન્ને ભવાં, ૬ નીચેનો હોઠ એટલે દાઢી, ૭ ઊપરનો હોઠ એટલે મૂંછ. ร G-23 y દ હવે તે નિગ્રંથોને કે નિગ્રંથીઓને એમ જણાય કે મારું શરીર પાણી વગરનું થઈ ગયું છે, મારા શરીરમાં પાણીની ભીનાશ મુદ્દલ નથી તો એ રીતે તેમને અશન પાન ખાદિમ સ્વાદિમનો આહાર કરવો ખપે. h [૨૬૫] અહીં જ વર્ષાવાસ રહેલાં નિગ્રંથોએ અથવા નિગ્રંથીઓએ આઠ સૂક્ષ્મો જાણવાં જેવાં છે, હર કોઈ છદ્મસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ વારંવાર એ આઠ સૂક્ષ્મો જાણવાં જેવાં છે, જોવાં જેવાં છે અને સાવધાનતા રાખી એમની પડિલેહણા કાળજી-કરવાની છે ૧ પ્રાણસૂક્ષ્મ, ૨ પનકસૂક્ષ્મ, ૩ બીજસૂક્ષ્મ, ૪ હરિતસૂક્ષ્મ, ૫ પુષ્પસૂક્ષ્મ, ૬ ખંડસૂક્ષ્મ, ૭ લેણસૂક્ષ્મ, ૮ સ્નેહસૂક્ષ્મ. -1 ઈ Use Only Gab ઈ כל 40 כל 0 * יו פל (3) פל ૨૦૨ www.painelibrary.org Page #217 -------------------------------------------------------------------------- ________________ જી) 69 ક ઉ વ ા છે [૨૬૬] . હવે તે પ્રાણસૂમ શું કહેવાય? ઉ. પ્રાણસૂક્ષ્મ એટલે ઝીણામાં ઝીણા નરી આંખે ન જોઈ શકાય તેવાં બેઈદ્રિયવાળા વગેરે સૂમ પ્રાણો, પ્રાણસૂક્ષ્મના પાંચ પ્રકાર જણાવેલા છે. તે જેમકે; ૧ કાળા રંગનાં સૂક્ષ્મ પ્રાણો, ૨ નીલા રંગનાં સૂક્ષ્મ પ્રાણો, ૩ રાતા રંગનાં સૂક્ષ્મ પ્રાણો, ૪ પીળા રંગનાં સૂક્ષ્મ પ્રાણો, ૫ ધોળા રંગનાં સૂક્ષ્મ પ્રાણો. અનુર્ધારી કુંથુઆ-કંથવા નામનું સૂક્ષ્મ પ્રાણી છે, જે સ્થિર ન હોય ચાલતું હોય તો છvસ્થ નિગ્રંથો કે નિગ્રંથીઓની નજરમાં જલદી આવી શકે છે માટે છઘસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ વારંવાર જેને જાણવાની છે, જોવાની છે અને સાવધાનતાથી કાળજીપૂર્વક પડિલેહવાની છે. [૬૭] પ્ર.- હવે તે પનકસૂક્ષ્મ શું કહેવાય? ( ઉ.- ઝીણામાં ઝીણી નરી આંખે ન દેખી શકાય તેવી ફૂગી એ પનકસૂક્ષ્મ, પનકસૂક્ષ્મના પાંચ પ્રકાર છે, ૧ કાળી પનક, ૨ નીલી પનક, ૩ રાતી પનક, ૪ પીળી પનક, ૫ ધોળી પનક. પનક એટલે લીલફૂલ-ફૂગી-સેવાળ. વસ્તુ ઊપર જે ફૂગી ઝીણામાં ઝીણી આંખે ન દેખી શકાય તેવી વળે છે તે, વસ્તુની સાથે ભળી જતા એકસરખા રંગની હોય છે. છઘસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ જેને વારંવાર જાણવાની છે, જોવાની છે અને પડિલેહવાની છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ R Clic ૨૦૪ (C) 05-20 E 21 [૨૬૮] પ્ર.- હવે બીજસૂક્ષ્મ શું કહેવાય ? ઉ.- બીજ એટલે બી. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું બી, એ બીજસૂક્ષ્મ, એ બીજસૂક્ષ્મ પાંચ પ્રકારનું છે. ૧ કાળું બીજસૂક્ષ્મ, ૨ નીલું બીજસૂક્ષ્મ, ૩ રાતું બીજસૂક્ષ્મ, ૪ પીળું બીજસૂક્ષ્મ, ૫ ધોળું બીજસૂક્ષ્મ. નાનામાં નાની કણી સમાન રંગવાળું બીજસૂક્ષ્મ જણાવેલું અર્થાત્ જે રંગની અનાજની કણી હોય છે તે જ રંગનું બીજસૂક્ષ્મ હોય છે, છદ્મસ્થ નિગ્રંથે કે નિગ્રંથીએ જેને વારંવાર જાણવાનું છે, જોવાનું છે અને ડિલેહવાનું છે. [૨૬૯] પ્ર.- હવે તે હરિતસૂક્ષ્મ શું કહેવાય ? ઉ.- હરિત એટલે તાજું નવું ઉગેલું, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય, તેવું હરિત, એ હરિતસૂક્ષ્મ. એ હરિતસૂક્ષ્મ પાંચ પ્રકારનું છે. ૧ કાળું હરિતસૂક્ષ્મ, ૨ નીલું હરિતસૂક્ષ્મ, ૩ રાતું હરિતસૂક્ષ્મ, ૪ પીળું હરિતસૂક્ષ્મ, પ ધોળું હિરતસૂક્ષ્મ. એ રિતસૂક્ષ્મ જે જમીન ઊપર ઉગે છે તે જમીનનો જેવો રંગ હોય છે તેવા તદ્દન સરખા રંગવાળું હોય છે. છદ્મસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ જેને વારંવાર જાણવાનું છે, જોવાનું છે અને ડિલેહવાનું છે. 米糕糖 ૩૬ cel Cry) GK Use Only פל 40 פן ઈં www.jamelibrary.org Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ૨૭0.- પ્ર.- હવે તે પુષ્પદ્મ કહેવાય? ઉ.- પુષ્પ એટલે ફૂલ, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું ફૂલ, એ પુષ્પસૂક્ષ્મ. એ પુષ્પસૂક્ષ્મ પાંચ પ્રકારનું છે, ૧ કાળું પુષ્પસૂક્ષ્મ ૨ નીલું પુષ્પસૂમ, ૩ રાતું પુષ્પસૂમ, ૪ પીળું પુષ્પસૂમ, ૫ ધોળું પુષ્પસૂક્ષ્મ. એ પુષ્પસૂક્ષ્મ જે ઝાડ ઊપર ઉગે છે તે ઝાડનો જેવો રંગ હોય છે તેવા તદ્દન સરખા રંગવાળું જણાવેલું છે . છવસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ જેને જાણવાનું છે, જોવાનું છે અને પડિલેહવાનું છે. . [૨૭૧] પ્ર.- હવે તે અંડસૂક્ષ્મ શું કહેવાય ? ઉ.- અંડ એટલે ઈડું. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું ઈડું, એ અંડસૂક્ષ્મ. અંડસૂક્ષ્મ પાંચ પ્રકારનું ૧ મધમાખ વગેરે ડંખ દેનાર પ્રાણીઓનાં ઈંડાં, ૨ કરોળિયાનાં ઈંડાં, ૩ કીડિઓનાં ઈંડાં, ૪ ઘરોળીનાં ઈંડાં, ૫ કાકડીનાં ઈડાં. છઘસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ એ ઈંડાં-વારંવાર જાણવાનાં છે, જોવાનાં છે અને પડિલેહવાનાં છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ J ઈ [૨૭૨] પ્ર.- હવે તે લેણસૂક્ષ્મ શું કહેવાય ? ઉ.- લેણ એટલે દર, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું લેણસૂક્ષ્મ. લેણસૂક્ષ્મ પાંચ પ્રકારનું છે. ૧ ગધૈયા વગેરે જીવોએ પોતાને રહેવા માટે જમીનમાં કોરી કાઢેલું દર-ઉનિંગલેણ, ૨ પાણી સૂકાઈ ગયા પછી જ્યાં મોટી મોટી તરાડો પડી ગઈ હોય ત્યાં જે દર થયાં હોય તે ભિગુલેણ, ૩ બિલભોણ, ૪ તાલમૂલક-તાડના મૂલ જેવા ઘાટવાળું દર-નીચેથી પહોળું અને ઊપર સાંકડું એવું દર-ભોણ. ૫ શંબૂકાર્વત-શંખના અંદરના આંટા જેવું ભમરાનું દર. છદ્મસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ એ દરો વારંવાર જાણવાનાં છે, જોવાનાં છે અને પડિલેહવાનાં છે. [૨૭૩] પ્ર.- હવે તે સ્નેહસૂક્ષ્મ શું કહેવાય ? ઉ.- સ્નેહ એટલે ભીનાશ, જે ભીનાશ જલદી નજરે ન ચડે એવી હોય તે સ્નેહસૂક્ષ્મ. સ્નેહસૂક્ષ્મ પાંચ પ્રકારનું છે. ૧ ઓસ, ૨ હિમ-જામી ગયેલા પાણીનું ટપકું, ૩ ધૂમસ, ૪ કરા, ૫ હરતનુ-ઘાસની ટોચ ઊપર બાઝેલાં પાણીનાં ટીપાં. છદ્મસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ એ પાંચે સ્નેહસૂક્ષ્મો વારંવાર જાણવાનાં છે, જોવાનાં છે, પડિલેહવાનાં છે. PD celor J ૪૪ פן הפיל BH ૨૦૬ 63 J Jy 2) ** ઈં ae ) GG ()) D www.ainelibrary.org Page #221 -------------------------------------------------------------------------- ________________ [૨૭૪] વર્ષાવાસ રહેલો ભિક્ષુ, આહાર, પાણી માટે ગૃહસ્થના કુલ ભણી નીકળવાનું ઈચ્છે અથવા તે તરફ પેસવાનું ઈચ્છે તો આચાર્યને, ઉપાધ્યાયને, સ્થવિરને, પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવચ્છેદકને અથવા જે કોઈને પ્રમુખ કરીને | વ વિહરતા હોય તેમને પૂછયા વિના તેને તેમ કરવાનું ન ખપે, તેમને પૂછી તેને તેમ કરવાનું ખપે, ભિક્ષુ તેમને આ રીતે પૂછેઃ “હે ભગવાન્ ! તમારી સમ્મતિ પામેલો હું ગૃહપતિના કુલ ભણી આહાર, પાણી માટે નીકળવું અથવા પેસવું ખપે ? જો તેઓ તેને સમ્મતિ ન આપે તો ભિક્ષુને આહાર, પાણી માટે ગૃહસ્થના કુલ ભણી નીકળવું અથવા પેસવું ન ખપે. પ્ર.- હે ભગવનું તે એમ કેમ હો છો? ઉ.- સમ્મતિ આપવામાં કે ન આપવામાં આચાર્યો પ્રત્યવાયને એટલે વિદનને આફતને જાણતા હોય છે. [૨૭૫] એ જ પ્રમાણે વિહારભૂમિ તરફ જવા સારું અથવા બીજું જે કાંઈ પ્રયોજન પડે તે સારું અથવા એ ગામથી બીજે ગામ જવા સારું એ બધી પ્રવૃત્તિઓ માટે ઊપર પ્રમાણે જાણવું. Page #222 -------------------------------------------------------------------------- ________________ [૨૭૬] વર્ષાવાસ રહેલો ભિક્ષુ કોઈ પણ એક વિગઈને ખાવા ઈચ્છે તો આચાર્યને, ઉપાધ્યાયને અથવા સ્થવિરને, પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવચ્છેદકને અથવા જે કોઈને પ્રમુખ ગણીને વિહરતો હોય તેમને પૂછયા વિના તેને તેમ કરવાનું ન ખપે. પણ તેમને પૂછીને તેને તેમ કરવાનું ખપે. ભિક્ષુ તેમને આ રીતે પૂછે : હે ભગવન્! તમારી સમ્મતિ પામેલો છતાં હું કોઈ પણ એક વિગઈને આટલા પ્રમાણમાં અને આટલીવાર ખાવા સારુ ઈચ્છું છું.” આમ પૂછયા પછી જો તેઓ તેને સમ્મતિ આપે તો એ રીતે તે ભિક્ષને કોઈ પણ એક વિગઈ ખાવી ખપે, જો તેઓ તેને સમ્મતિ ન આપે તો તે ભિક્ષુને એ રીતે કોઈ પણ એક વિગઈ ખાવી ન ખપે. પ્ર.- હે ભગવન્! તે એમ કેમ કહો છો? ઉ.- એમ કરવામાં આચાર્યો પ્રત્યવાયને કે અપ્રત્યવાયને એટલે હાનિને કે લાભને જાણતા હોય છે. [૨૭૭] વર્ષાવાસ રહેલો ભિક્ષુ કોઈપણ જાતની એક ચિકિત્સા કરાવવા ઈચ્છે તો એ સંબંધે પણ બધું તે જ પૂર્વ પ્રમાણે સમજવું. cઊlinneaninલા ના લાલ યા Page #223 -------------------------------------------------------------------------- ________________ Angel [૨૭૮] વર્ષાવાસ રહેલો ભિક્ષુ, કોઈ એક પ્રકારના પ્રશંસાપાત્ર, કલ્યાણકારી ઉપદ્રવોને દૂર કરનારા, જાતને ધન્ય કરનારા, મંગલના કારણ, સુશોભન અને મોટા પ્રભાવશાલી તપધર્મને સ્વીકારીને વિહરવા ઈચ્છે તો એ સંબંધે પણ બધું તે જ પૂર્વ પ્રમાણે સમજવું. [૨૭૯] વર્ષાવાસ રહેલો ભિક્ષુ, સૌથી છેલ્લી મારણાંતિક સંખનાનો આશ્રય લઈ શરીરને ખપાવી નાખવાની વૃત્તિથી આહારપાણીનો ત્યાગ કરી પાદપોપગત થઈ મૃત્યુનો અભિલાષ નહીં રાખતો વિહરવા ઈચ્છે અને એ સંલેખનાના હેતુથી ગૃહસ્થના કુલ ભણી નીકળવા ઈચ્છે, તે તરફ પેસવા ઈચ્છે, અશન પાન ખાદિમ કે સ્વાદિમનો આહાર કરવા ઈચ્છે, શૌચને કે પેશાબને પરઠવવા ઈચ્છે, સ્વાધ્યાય કરવા ઈચ્છે, ધર્મજાગરણ સાથે જાગવા ઈચ્છે, તો એ બધી પ્રવૃત્તિઓ સંબંધે પણ બધુ તે જ પૂર્વ પ્રમાણે સમજવું. [૨૮૦] વર્ષાવાસ રહેલો ભિક્ષુ કપડાને, પાત્રને, કંબલને, પગપૂંછણાને, બીજી કોઈ ઉપધિને તડકામાં તપાવવા ઈચ્છે, અથવા વારંવાર તપાવવા ઈચ્છે તો અનેક જણને ચોક્કસ જણાવ્યા સિવાય તેને ગૃહપતિના કુલ ભણી આહાર, Page #224 -------------------------------------------------------------------------- ________________ પાણી માટે નીકળવું અથવા પેસવું ન ખપે, તથા અશન પાન ખાદિમ કે સ્વાદિમનો આહાર કરવો ન ખપે, બહાર વિહારભૂમિ તરફ જવું ન ખપે, અથવા સજઝાય કરવાનું ન ખપે, કાઉસગ્ન કરવાનું, ધ્યાન માટે બીજા કોઈ આસનમાં ઊભા રહેવાનું ન ખપે. અહીં કોઈ એક અથવા અનેક સાધુ પાસે રહેતા હોય અને તેઓ હાજર હોય તો તે ભિક્ષુએ તેમને-આ રીતે કહેવું ખપેઃ “હે આર્યો ! તમે માત્ર આ તરફ ઘડીકવાર ધ્યાન રાખજો જેટલામાં હું ગૃહપતિના કુલ ભણી જઈ આવું યાવતું કાઉસગ્ગ કરી આવું, અથવા ધ્યાન માટે બીજા કોઈ આસનમાં ઊભો રહી આવું.” જો તે સાધુ કે સાધુઓ ભિક્ષુની વાતનો સ્વીકાર કરી ધ્યાન રાખવાની હા પાડે તો એ રીતે એ ભિક્ષુને ગૃહપતિના કુલ ભણી આહાર, પાણી માટે નીકળવું કે પેસવું ખપે યાવત્ કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન સારું બીજા કોઈ આસનમાં ઊભા રહેવાનું ખપે, અને જો તે સાધુ કે સાધુઓ ભિક્ષુની વાતોનો સ્વીકાર ન કરે એટલે ધ્યાન રાખવાની ના પાડે તો એ રીતે એ ભિક્ષુને ગૃહપતિના કુલ ભણી આહાર, પાણી માટે નીકળવું કે પેસવું ખપે યાવત્ કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન સારું કોઈ આસને ઊભા રહેવાનું ન ખપે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ન [૨૮૧] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોએ કે નિગ્રંથીઓએ શય્યા અને આસનનો અભિગ્રહ નહીં કરનારા થઈને રહેવું ન ખપે એમ થઈને રહેવું એ આદાન છે એટલે દોષોના ગ્રહણનું કારણ છે. - જે નિગ્રંથ કે નિગ્રંથી શય્યા અને આસનનો અભિગ્રહ નથી કરતાં. શય્યા કે આસન જમીનથી ઊંચાં નથી રાખતાં તથા સ્થિર નથી રાખતાં, કારણ વિના (શધ્યા કે આસનને) બાંધ્યા કરે છે, માપ વગરનાં આસનો રાખે છે, આસન વગેરેને તડકો દેખાડતા નથી, પાંચસમિતિમાં સાવધાન રહેતા નથી, વારંવાર વારંવાર પડિલેહણા કરતા નથી અને પ્રમાર્જના કરવા બાબત કાળજી રાખતા નથી તેમને તે તે રીતે સંયમની આરાધના કરવી કઠણ પડે છે. આ આદાન નથીઃ જે નિગ્રંથો કે નિર્ચથી શય્યા અને આસનનો અભિગ્રહ કરતા હોય, તેમને ઊંચાં અને સ્થિર રાખતા હોય, તેમને વારંવાર પ્રયોજન વિના બાંધ્યા ન કરતા હોય, આસનો માપસર રાખતા હોય, શય્યા કે આસનોને તડકો દેખાડતા હોય, પાંચે સમિતિઓમાં સાવધાન હોય, વારંવાર વારંવાર પડિલેહણા કરતા હોય અને પ્રમાર્જના કરવા બાબત કાળજી રાખતા હોય તેમને તે તે રીતે સંયમની આરાધના કરવી સુગમ પડે છે. કરો ના brey.org Page #226 -------------------------------------------------------------------------- ________________ g C IT T D ( Coણ આ પાક છે [૨૮૨) વર્ષાવાસ રહેલાં નિગ્રંથને કે નિગ્રંથીઓને શૌચને સારુ અને લઘુશંકાને સારુ ત્રણ જગયાએ પડિલેહવી ખપે, જે રીતે વર્ષાઋતુમાં કરવાનું હોય છે તે રીતે હેમંત અને ગ્રીષ્મઋતુમાં કરવાનું નથી હોતું. પ્ર.- તો હે ભગવન્! તે એમ કેમ કહેલું છે? ઉ. વર્ષાઋતુમાં પ્રાણી, તૃણો, બીજો, પનકો, અને હરિતો એ બધાં ઘણે ભાગે વારંવાર થયાં કરે છે. માટે ઉપર પ્રમાણે કહેલું છે.) [૨૮૩] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોએ કે નિગ્રંથીઓએ ત્રણ પાત્રોને ગ્રહણ કરવાં ખપે, તે જેમકે, શૌચને સારુ એક પાત્ર, લઘુશંકાને સારુ બીજું પાત્ર અને કફ બડખા કે લીંટને સારુ ત્રીજું પાત્ર. [૨૮૪] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોએ કે નિગ્રંથીઓએ માથા ઉપર માપમાં માત્ર ગાયના રુંવાડા જેટલા પણ વાળ હોય એ રીતે પર્યુષણા પછી તે રાતને ઊલંઘવી ન ખપે અર્થાત્ વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસની છેલ્લી રાત ને ગાયના રુંવાડા જેટલા પણ માથા ઊપર વાળ હોય તે રીતે ઊલંઘવી ન ખપે. 8) C or) | TAT TATEGY,Gg Page #227 -------------------------------------------------------------------------- ________________ પાટના બંધનની પક્ષે પક્ષે આરોપણા કરવી જોઈએ, અસ્ત્રાથી મુંડ થનારે માસે માસે મુંડ થવું જોઈએ, કાતરથી મુંડ થનારે અડધે માસે મુંડ થવું જોઈએ, લોચથી મુંડ થનારે છ માસે મુંડ થવું જોઈએ અને સ્થવિરોને વાર્ષિક લોચ કરવો ઘટે. [૮૫] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને પર્યુષણા પછી અધિકરણવાળી વાણી એટલે હિંસા અસત્ય વગેરે દોષથી દૂષિત વાણી વરવી ન ખપે. જે નિગ્રંથ કે નિર્ચથી પર્યુષણા પછી એવી અધિકરણવાળી વાણી બોલે તેને તેમ કહેવું જોઈએ કે તે આર્ય! આ જાતની વાણી બોલવાનો આચાર નથી-તું જે બોલે છે તે અકથ્ય છે. આપણો તેવો આચાર નથી.' જે નિગ્રંથ કે નિર્ગથી પર્યુષણા પછી અધિકરણવાળી વાણી બોલે તેને જાથમાંથી બહાર કાઢી મૂકવો જોઈએ. [૨૮૬] ખરેખર અહીં વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને આજે જ પર્યુષણાને દિવસે જ કર્કશ અને કડવો કલેશ ઉત્પન્ન થાય તો શૈક્ષ-નાના-સાધુએ રનિક-વડિલ-સાધુને ખમાવવો ઘટે અને રનિકે પણ શૈક્ષને ખમાવવો ઘટે. ખમવું, ખમાવવું, ઉપશમવું અને ઉપશમાવવું. (કલહ વખતે સાધુએ) સન્મતિ રાખીને સમીચીન રીતે પરસ્પર પૃચ્છા કરવાની વિશેષતા રાખવી જોઈએ. Page #228 -------------------------------------------------------------------------- ________________ () SU) છે - જે ઉપશમ રાખે છે તેને આરાધના છે, જે ઉપશમ રાખતો નથી તેને આરાધના નથી માટે પોતે જાતે જ ઉપશમ રાખવો જોઈએ. પ્ર.- હે ભગવન્! તે એમ કેમ કહેલું છે? ઉ.- શ્રમણપણાનો સાર ઉપશમ જ છે માટે તે એમ કહેલું છે. [૨૮] વર્ષાવાસ રહેલા નિગ્રંથોએ કે નિગ્રંથીઓએ ત્રણ ઉપાશ્રયને ગ્રહણ કરવાનું ખપે. તે જેમકે; ત્રણમાંના બે ઉપાશ્રયોનું વારંવાર પડિલેહણ કરવું ઘટે અને જે વપરાશમાં છે તેની પ્રાર્થના કરવી જોઈએ. [૨૮૮] વર્ષાવાસ રહેલાં નિગ્રંથો કે નિગ્રંથીઓએ કોઈએક ચોક્કસ દિશાનો કે ચોક્કસ વિદિશાનો-ખૂણાનો-જ-ઉદ્દેશ કરીને ભાત પાણીની ગવેષણા કરવા જવાનું ખપે. પ્ર.- હે ભગવન્! તે એમ કેમ કહેલ છે? ઉ.- શ્રમણ ભગવંતો વર્ષાઋતુમાં ઘણે ભાગે વિશેષ કરીને તપમાં સારી રીતે જોડાયેલાં હોય છે. તપસ્વી દૂબળો હોય Jain Educmon International For we are only www.m ary.org Page #229 -------------------------------------------------------------------------- ________________ છે, થાકેલો હોય છે, કદાચ તે રસ્તામાં મૂછ પામે અથવા પડી જાય તો ચોક્કસ દિશા તરફ કે ચોક્કસ વિદિશા તરફ તેઓ ગયા હોય તે તરફ શ્રમણ ભગવંતો તપસ્વિની શોધ કરી શકે છે. | [૨૮] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને ગ્લાન-માંદાના કારણને લીધે યાવત્ ચાર કે પાંચ યોજન સુધી જઈને પાછા વળવાનું ખપે. અથવા એટલી મર્યાદાની અંદર રહેવાનું પણ ખપે, પરંતુ જે કાર્ય સારું જે દિવસે જ્યાં ગયા હોય ત્યાંનું કાર્ય પૂરું થયા પછી ત્યાંથી તુરત નીકળી જવું જોઈએ ત્યાં રાત વીતાવવી ન ખપે અર્થાત્ રાત તો પોતાના સ્થાનમાં જ વીતાવવી ખપે. [૨૯] એ પ્રમાણેના આ સ્થવિરકલ્પને સૂત્રમાં કહ્યા પ્રમાણે, કલ્પના-આચારના-ધોરણ પ્રમાણે ધર્મમાર્ગને અનુસાર, જે રીતે સાચું હોય એ રીતે શરીરદ્વારા સ્પર્શીને-ક્રિયામાં મૂકીને, બરાબર પાળીને, શુદ્ધ કરીને અથવા સુશોભન રીતે દીપાવીને, તીરસુધી લઈ જઈને-જીવનના છેડા સુધી પાળીને, બીજાને સમજાવીને, બરાબર આરાધીને અને ભગવાનની આજ્ઞા પ્રમાણે અનુપાલન કરીને કેટલાક શ્રમણ નિગ્રંથો તે જ ભવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, a prayog Page #230 -------------------------------------------------------------------------- ________________ g (PT પરિનિર્વાણ પામે છે અને સર્વદુઃખોના અંતને કરે છે. બીજા કેટલાક ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે યાવતું સર્વ દુઃખોના અંતને કરે છે, વળી તે રીતે સ્થવિરકલ્પને આચરનારા સાત કે આઠ ભવથી અગળ ભમતા નથી અર્થાત એટલા ભવની અંદર સિદ્ધ થાય છે યાવત્ સર્વદુઃખોના અંતને કરે છે. [૨૯૧] તે કાલે તે સમયે રાજગૃહ નગરમાં ગુણશિલ ચૈત્યમાં ઘણા શ્રમણોની, ઘણી શ્રમણીઓની, ઘણા શ્રાવકોની, ઘણી શ્રાવિકાઓની, ઘણા દેવોની અને ઘણી દેવીઓની વચ્ચોવચ્ચ જ બેઠેલા શ્રમણ ભગવાન મહાવીર એ પ્રમાણે કહે છે, ભાખે છે, જણાવે છે, પ્રરુપણા કરે છે અને પક્ઝોસવણાકપ્પ-પર્યુશમનાનો આચાર-ક્ષમાપ્રધાન-આચાર-નામના અધ્યયનને અર્થ સાથે, હેતુ સાથે, કારણ સાથે, સૂત્ર સાથે, અર્થ સાથે, સૂત્ર તથા અર્થ બન્ને સાથે અને સ્પષ્ટીકરણવિવેચન-સાથે વારંવાર દેખાડે છે-સમજાવે છે. એમ હું કહું છું. પક્ઝોસવણાકપ્પ (નો અનુવાદ) સમાપ્ત થયો. આઠમું અધ્યયન સમાપ્ત થયું. Jain Enucation Intenational For Prve el use only જArvjadharify.org Page #231 -------------------------------------------------------------------------- ________________ બકાજી ID ' med съст ાજી bell J CCTV meld D પુણ્યાનીદ મ.સા. સૂરીશ્વરજી મ.સા. વીર સંવત ૨૫૪ વિકમ સંવત ૨૦૫૪ પ્રાપ્તિ સ્થાન શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ તો, વ્યાપારી પેઠ, શાધુપુરી, કોલ્હાપુર-૪૧૬ ૦૦૧. (મહારાષ્ટ્ર) -૩૧-૨૬૩૧૯૩ હીશ શ્રી લબ્ધિભુવન જૈન સાહિત્ય સબ - રાજેશકુમાર એન. શાહ બજારમાં, પો. છાણી, જિલ્લો વડોદરા-ગુજરાત-૩૯૧ ૭૪. 한우승 બેહજ એન્ટરપ્રાઈઝ મુંબઈ-૪૦૦ ૦૬૨, * * ૮૭૩૭૪૫/૮૯૩૩૭૨૪ Page #232 -------------------------------------------------------------------------- ________________ || શ્રી આદીશ્વરાય નમઃ || શ્રી ફર્ટકારાય નમો નમઃ | ૐ || પૃ, આત્મ-કમલ લબ્ધિ-ભુવનતિલક-ભકરસૂરીયરેમ્પો નમઃ || વિશ્વમાં પ્રથમ કારમાં પંચ પરમેષ્ઠી સ્થાપના - 11 ફુટ ઉંચાઈ અને 8 ફુટ પહોળાઈ સાથે નવનિર્મિત શીત કાર જૈઋા તીર્થ | (ભદ્રંકરનગર). વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે નં. 8 (હાઈથે-ટય) પર આકાર લઈ રહેલ છે. પુણ્યાનુબંધિ પુણ્યઉપાર્જનનો મહાન લાભ e -: દિવ્યાશિષદાતા :કર્ણાટક કેશરી શ્રાવતી તીર્ણોદ્ધારક પુજ્ય આ. શ્રી ભદ્રંકરસરીશ્વરજી મ.સા. જિનભકિcteસિક પૂ.આ. શ્રી અરૂણપ્રભસુરીશ્વરજી મ.સા. મલયનકાર તાર્યરક પૂ.આ. શ્રી વીરસેનસૂરીશ્વરજી મ.સા. -: શુભાશિષદાતા :પૂ આ. શ્રી પુચાનકસૂરીશ્વરજી મ.સા. * પૂ આ. શ્રી વાર્ષિણસૂરિ મ.સા. આ તીર્થમાં જિનાલય નિર્માણની સાથે સાથે પૂજ્ય સાધ-સાદવીજી ભગવંતોના વિહારધામ રૂપે સુંદર ઉપાશ્રયો છે , અધતન ધર્મરાળા, ભોજનશાળા, વિશાળ વ્યાખ્યાન હોલ, ગુરૂમંદિર આદિ નિર્માણના આરે છે. -: સંપર્ક સ્થળ :થી 8.8ાર જૈન તીર્થ, c/o, નીરવ રોડવેઝ, ૭-બી ગુરુકપા શોપીંગ સેન્ટર, રામાકાકા રોડ, પોછાણી - 391 740. ડી. વડોદરા (ગુ.) STD No : 0265 ) મો. 794051 ! પાપ ક Sa m ice international For pavate & Personal Use Only