________________
[૧૫૫] ત્યાર પછી તે પાર્થ ભગવાન અનગાર થયા યાવતુ ઈર્યાસમિતિવાળા થયા અને તે રીતે આત્માને ભાવિત કરતાં કરતાં તેમને ત્યાથી રાતદિવસ વીતી ગયાં અને ચોરાશીમા દિવસની વચ્ચે વર્તતા હતા ત્યારે જે તે ગ્રીષ્મઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચૈત્ર માસની વદિ ચોથના પક્ષે દિવસને ચડતે પહોરે ધાતકિના વૃક્ષની નીચે તે પાર્થ અનગાર પાણી વગરનો છટ્ટભક્ત રાખીને રહ્યા હતા, એ સમયે ધ્યાનમાં વર્તતા તેઓ રહેતા હતા ત્યારે વિશાખા નક્ષત્રનો જોગ | આવતાં તેમને અનંત, ઉત્તમોઉત્તમ એવું યાવત્ કેવલજ્ઞાન તથા દર્શન ઉત્પન થયું.
[૧૫૬] પુરુષાદાનીય અરહંત પાસને આઠ ગણો તથા આઠ ગણધરો હતા, તે જેમકે; ૧ શુભ, ૨ આર્યધોસ, ૩ વસિષ્ઠ, ૪ બ્રહ્મચારી, ૫ સોમ, ૬ શ્રીધર, ૭ વીરભદ્ર અને ૮ જસ.
| [૧૫૭] પુરુષાદાનીય અરહંત પાસના સમુદાયમાં અજજદિષ્ણ વગેરે સોળ હજાર સાધુઓની, પુષ્કચૂલા વગેરે આડત્રીસ હજાર આર્યાઓની, સુનંદ વગેરે એક લાખ ચોસઠ હજાર શ્રાવકોની, સુનંદા વગેરે ત્રણ લાખ અને સત્યાવીશ હજાર શ્રાવિકોની, સાડાત્રણસેં જિન નહીં પણ જિનની જેવા તથા સર્વાક્ષરના સંયોગોને જાણનારા ચૌદપૂર્વીઓની,