________________
J
પહેલા ઈક્ષ્વાકુકુલમાં જનમ પામેલા અને કાશ્યપગોત્રવાળા એકવીશ તીર્થંકરો ક્રમે ક્રમે થઈ ચૂક્યા હતા હરિવંશકુલમાં
બે થઈ
તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, આગળના તીર્થંકરોએ ‘હવે પછી શ્રમણ ભગવાન મહાવીર છેલ્લા તીર્થંકર થશે’ એ પ્રમાણે ભગવાન મહાવીર વિશે નિર્દેશ કરેલો હતો.
me
Illeg
આ રીતે ઉપર કહ્યા પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર આગલી રાતની છેવટમાં અને પાછલી રાતની શરૂઆતમાં એટલે બરાબર મધરાતને સમયે હસ્તોત્તરા-ઉત્તરાફાલ્ગુની-નક્ષત્રનો યોગ થતાં જ દેવાનંદાની કૂખમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા.
વળી ભગવાન જ્યારે કૂખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે તેમનો આગલા દેવભવને યોગ્ય આહાર, દેવભવની હયાતી અને દેવભવનું શરીર છૂટી ગયાં હતાં અને વર્તમાન માનવભવને યોગ્ય આહાર, માનવભવની હયાતી અને માનવભવનું શરીર મળી ગયા હતા.
[૩] શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા-‘હવે દેવભવમાંથી હું ચવીશ' એમ તેઓ જાણે છે.
mo