________________
[૨] તે કાલે તે સમયે જ્યારે ઉનાળા-ગ્રીષ્મનો ચોથો મહિનો અને આઠમો પક્ષ (આઠમું પખવાડિયું) એટલે અષાઢ મહિનાનો શુક્લપક્ષ (અજવાળીયું) ચાલતો હતો, તે અષાઢ શુકલ છઠ્ઠને દિવસે સ્વર્ગમાં રહેલા મહાવિજય પુષ્પોત્તર પ્રવર પુંડરીક નામના મહાવિમાનમાંથી ચવીને શ્રમણ ભગવાન મહાવીર માહણકુંડગામ નગરમાં રહેતા કોડાલગોત્રના રિષભદત્ત માહણ-બ્રાહ્મણની પત્ની જાલંધરગોત્રની દેવાનંદા-બ્રાહ્મણીની કૂખમાં ગર્ભરૂપે ઉપજ્યા. જે મહાવિમાનમાંથી ભગવાન ચવ્યા તે વિમાનમાં વીશ સાગરોપમ જેટલી આયુષ્યની સ્થિતિ હતી-ચવતી વેળાએ ભગવાનનું તે આયુષ્ય ક્ષીણ થયેલ હતું, ભગવાનનો દેવભવ તદ્દન ક્ષીણ થએલ હતો, ભગવાનની દેવવિમાનમાં રહેવાની સ્થિતિ ક્ષીણ થએલ હતી. આ બધું ક્ષીણ થતાં જ તરત ભગવાન તે દેવવિમાનમાંથી ચવીને અહીં દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભરૂપે આવ્યા. જ્યારે ભગવાન દેવાનંદાની કૂખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે અહીં જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં, દક્ષિણાર્ધ ભારતમાં આ અવસર્પિણીના સુષમસુષમા, સુષમા અને સુષમદુઃષમા નામનો આ આરાઓનો સમય તદ્દન પૂરો થઈ ગયો હતો. દુઃષમસુષમા નામનો આરો વીતી ચૂક્યો હતો, હવે માત્ર તે દુઃષમસુષમા આરાનાં બેતાલીશ હજાર અને પંચોતેર વરસ | ૩. તથા સાડા આઠ માસ જ બાકી રહ્યા હતા; તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, ભગવાન ગર્ભરૂપે આવ્યા
Jan E
rintem
ne
FoFansen
www
.by.org