________________
| શ્રી મહાવીરસ્વામિને નમઃ |
| શ્રી સર્વજ્ઞોને નમસ્કાર ||
| શ્રી ગૌતમસ્વામીને નમઃ ||
ઇ
( ૩)
અરિહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયોને નમસ્કાર, લોકમાંના સર્વ સાધુઓને નમસ્કાર આ પાંચ નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનારા છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલરૂપ છે. [૧] | [૧] તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના પોતાના જીવનના બનાવોમાં પાંચવાર હસ્તોત્તરા નક્ષત્ર આવેલ હતું (હસ્તોત્તરા એટલે ઉત્તરાફાલ્યુની નક્ષત્ર). તે જેમકે ૧ હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાન ચવ્યા હતા. અને ચવીને ગર્ભમાં આવ્યા હતા. ર હસ્તોત્તરા નક્ષત્રમાં આવીને એક ગર્ભસ્થાનમાંથી ઉપાડીને બીજા ગર્ભસ્થાનમાં ફેરવવામાં આવ્યા હતા. ૩ હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાન જન્મ્યા હતા. ૪ હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાને મુંડ થઈને ઘરથી નીકળી અનગારપણુંમુનિપણું-સ્વીકારી પ્રવ્રજ્યા લીધી. ૫ હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાને અનંત, ઉત્તમોઉત્તમ, વ્યાધાત-પ્રતિબંધ વગરનું, આવરણ રહિત, સમગ્ર અને પ્રતિપૂર્ણ એવું કેવલવરજ્ઞાન અને કેવલવરદર્શન પેદા થયું. ૬ સ્વાતિ નક્ષત્રમાં ભગવાન પરિનિર્વાણ પામ્યા.
IT )