________________
(
[૧૧૫] શ્રમણ ભગવાન મહાવીર એક વરસ ઉપરાંત એક મહિના સુધી, ચીવરધારી એટલે કપડું ધારણ કરનારા હતા અને ત્યાર પછી અચેલ એટલે કપડા વગરના થયા તથા કરપાત્રી થયા.
[૧૧૬] શ્રમણ ભગવાન મહાવીર દીક્ષા સ્વીકાર્યા પછી બાર વરસ કરતાં વધારે સમય સુધીના સાધનાના ગાળામાં શરીર તરફ તદ્દન ઉદાસીન રહ્યા એટલે એ ગાળામાં તેમણે શરીરની માવજત તરફ લેશ પણ લક્ષ્ય ન કર્યું. અને શરીરને તજી દીધું હોય એ રીતે શરીર તરફ વર્યા-સાધનાના ગાળામાં જે જે ઉપસર્ગો આવતા રહે છે જેવાકે; દિવ્ય ઉપસર્ગો માનવીકૃત અને તિર્યંચયોનિ તરફથી એટલે ક્રૂર ભયાનક પશુપક્ષીઓ તરફથી આવતા ઉપસર્ગો; અનુકૂળ ઉપસર્ગો વા પ્રતિકૂળ ઉપસર્ગો જે એવા કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે બધાને સારી રીતે નિર્ભયપણે સહન કરે છે, લેશ પણ રોષ આણ્યા વિના તેજસ્વિપણે સહન કરે છે અને અડગપણે મનને નિશ્ચલ રાખીને સહન કરે છે.
| [૧૧૭] ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર અનગાર થયા, ઈર્યાસમિતિ-ભાષાસમિતિ-એષણા સમિતિ આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ અને પારિષ્ટાપનિકાસમિતિ એટલે પોતાના મલ મૂત્ર થંક બડખા લીંટ અને બીજો દેહમલ એ
to ) છ જ 92
B
લાં છ ) ની