________________
g
C
IT T
D (
Coણ આ પાક છે
[૨૮૨) વર્ષાવાસ રહેલાં નિગ્રંથને કે નિગ્રંથીઓને શૌચને સારુ અને લઘુશંકાને સારુ ત્રણ જગયાએ પડિલેહવી ખપે, જે રીતે વર્ષાઋતુમાં કરવાનું હોય છે તે રીતે હેમંત અને ગ્રીષ્મઋતુમાં કરવાનું નથી હોતું.
પ્ર.- તો હે ભગવન્! તે એમ કેમ કહેલું છે?
ઉ. વર્ષાઋતુમાં પ્રાણી, તૃણો, બીજો, પનકો, અને હરિતો એ બધાં ઘણે ભાગે વારંવાર થયાં કરે છે. માટે ઉપર પ્રમાણે કહેલું છે.)
[૨૮૩] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોએ કે નિગ્રંથીઓએ ત્રણ પાત્રોને ગ્રહણ કરવાં ખપે, તે જેમકે, શૌચને સારુ એક પાત્ર, લઘુશંકાને સારુ બીજું પાત્ર અને કફ બડખા કે લીંટને સારુ ત્રીજું પાત્ર.
[૨૮૪] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોએ કે નિગ્રંથીઓએ માથા ઉપર માપમાં માત્ર ગાયના રુંવાડા જેટલા પણ વાળ હોય એ રીતે પર્યુષણા પછી તે રાતને ઊલંઘવી ન ખપે અર્થાત્ વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસની છેલ્લી રાત ને ગાયના રુંવાડા જેટલા પણ માથા ઊપર વાળ હોય તે રીતે ઊલંઘવી ન ખપે.
8) C
or)
|
TAT TATEGY,Gg