________________
ન
| [૨૩૪] વર્ષાવાસ રહેલામાંના કેટલાકોને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે. હે ભદન્ત ! તું દેજે તે તેમને એમ દેવાનું ખપે, તેમને પોતાનું લેવાનું ન ખપે.
[૩૫] વર્ષાવાસ રહેલામાંના કેટલાકોને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે. “હે ભદન્ત ! આહારાદિ તું લાવીને ગ્રહણ કરજે, તો તેમને એમ લેવાનું ખપે, તેમને ગ્લાનને દેવાનું ન ખપે.
[૨૩૬] વર્ષાવાસ રહેલામાંના કેટલાકોને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે. “હે ભદન્ત ! તું ગ્લાનને આહારાદિ લાવી દેજે” “હે ભદન્ત ! તું લેજે તો તેમને એમ દેવાનું પણ ખપે અને લેવાનું પણ ખપે.
[૩૭] વર્ષાવાસ રહેલાં નિગ્રંથો કે નિગ્રંથીઓ હૃષ્ટપુષ્ટ હોય, આરોગ્યવાળાં હોય, બલવાન દેહવાળાં હોય તો તેમને આ નવ રસવિકૃતિઓ વારંવાર વાપરવી ન ખપે, કારણે ખપે તે જેમકે; ૧ ક્ષીર-દૂધ, ૨ દહીં, ૩ માખણ, ૪ ઘી, પ તેલ, ૬ ગોળ, આદિ.