________________
જ
[૩૮] વર્ષાવાસ રહેલામાંના કેટલાકોને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે. હે ભદન્ત ! માંદા માટે પ્રયોજન છે?” અને તે બોલે-પ્રયોજન છે. પછી માંદાને પૂછવું જોઈએ કે કેટલા દૂધ વગેરેનું પ્રયોજન છે? અને દૂધ | Tી વગેરેનું પ્રમાણ માંદા પાસેથી જાણી લીધા પછી તે બોલે-આટલા પ્રમાણમાં માંદાને દૂધ વગેરેનું પ્રયોજન છે. માંદો તેને જે પ્રમાણમાપ-કહે તે પ્રમાણે લાવવું જોઈએ અને પછી લેવા જનારો વિનંતી કરે, અને વિનંતી કરતો તે દૂધ વગેરે પ્રાપ્ત કરે, હવે જ્યારે તે દૂધ વગરે પ્રમાણસર મળી જાય ત્યારે “સર્યું-બસ’ એમ તેણે કહેવું જોઈએ. પછી દૂધ વગેરેને આપનારો તેને કહે કે હે ભગવંત! “બસ’ એમ કેમ કહો છો ? પછી લેનારો ભિક્ષુ કહે કે માંદાને માટે આટલાનું પ્રયોજન છે. તે લેવા જનારને માંદાની નિશ્રાથી એટલે માંદાને બહાને વધારે લેવું ન ખપે.
[૨૩૯] વર્ષાવાસ રહેલા સ્થવિરોએ તથા પ્રકારનાં કુલો કહેલાં હોય છે; જે કુલો પ્રીતિપાત્ર, સ્થિરતાવાળાં, વિશ્વાસપાત્ર, સમ્મત, બહૂમત, અને અનુમતિવાળાં હોય છે, તે કુલોમાં જઈને જોઈતી વસ્તુ નહીં જોઈને તેમને એમ બોલવું નો ખપેઃ હે આયુષ્મત ! આ અથવા આ તારે ત્યાં છે ?
( - ૪
લી જીજી
Jan Eclat
www
ry.org